Thursday, April 30, 2026

તુલસીશ્યામના પીપળવા રાઉન્ડના ખડાધાર રેવન્યુ વિસ્તારમાં એક માસનું સિંહબાળ માતા થી વિખૂટું પડ્યું, વન વિભાગે રેસ્ક્યૂ કર્યું

  • ત્રણ દિવસથી વિખૂટું પડેલા સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે મોકલી દેવાયું

Divyabhaskar.com

Dec 20, 2019, 11:32 AM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં સિંહોની સુરક્ષાને લઇને વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ઉદાસીનતાના કારણે સિંહો અને સિંહબાળ એકલા પડી રહ્યા છે. તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડ નીચે આવતા ખડાધાર ગામના પતરમલા રેવન્યુ વિસ્તાર નજીક એક માસનું સિંહબાળ માતાથી વિખૂટુ પડી ગયું છે, જ્યારે આ સિંહબાળનું આજે ત્રણ દિવસ બાદ પણ માતા સિંહણ સાથે મિલન કરાવી શકવામાં વનવિભાગ નિષ્ફળ ગયું છે, જેથી સિંહબાળને જસાધાર એનિમલ કેર ખાતે મોકલી દેવામાં આવ્યું છે
સિંહબાળને વનવિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અને સિંહબાળની જવાબદારીમાંથી છટકવા માટે સિંહબાળને જસાધાર રેન્જ ખાતે મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાદ આજે ચોથા દિવસે પણ હજુ સિંહણનું લોકેશન વનવિભાગને મળતું નથી, ત્યારે સિંહણ જીવિત છે કે મૃત તે પણ એક તાપસનો વિષય છે. તુલસીશ્યામ રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓને તાલમેલના અભાવે હાલ વન્ય પ્રાણીઓ ભોગ બની રહ્યા છે.
(અહેવાલઃ હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)

No comments: