Saturday, February 28, 2015

અમરેલીમાં ઘાયલ સિંહ બાળ અને બિમાર દિપડાને સારવાર.

Bhaskar News, Dhari Feb 24, 2015, 00:04 AM IST

- વનતંત્રએ એક જ દિવસમાં બે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો

ધારી: અમરેલી જિલ્લાના વનતંત્રએ છેલ્લા 24 કલાક દરમીયાન એક દિપડા અને એક સિંહબાળને બિમાર અને ઘાયલ હાલતમાં ઝડપી લઇ તેની સારવાર કરી હતી. દિપડાને સારવાર આપી મુક્ત કરાયો હતો જ્યારે સિંહબાળને હજુ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે.

ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં ધોળી કાકરી જંગલ વિસ્તારમાં એક છએક માસની ઉંમરનું સિંહબાળ પગે લંગડાતી હાલતમાં ચાલતુ હોવાની વનતંત્રને બાતમી મળી હતી. ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે ડો. હિતેષ વામજા, જે.ડી. બાયલ, અમિતભાઇ ઠાકર વિગેરે સ્ટાફે આજે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું. વનતંત્રની તપાસમાં આ સિંહબાળના પગમાં ઇજા હોવાનું જણાયુ હતું. હાલમાં ધારીની વન કચેરી ખાતે આ સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે.

આવી જ રીતે સાવરકુંડલા રેન્જના રૂગનાથપુર ખોડી ગામની સીમમાં એક દિપડો બિમાર હાલતમાં હોવાની વનતંત્રને જાણ થઇ હતી. એસીએફ મુનીને સુચનાને પગલે વનતંત્ર દ્વારા જાળની મદદથી આ બિમાર દિપડાને પકડવામાં આવ્યો હતો. ડો. હિતેષ વામજા દ્વારા તેની સારવાર કરાઇ હતી. દિપડાને લોહીમાં ઇન્ફેક્શન હોવાનું જણાયુ હતું. જો કે આજે વનતંત્રએ દિપડાને સારવાર આપી પુન: તેની ટેરીટરીમાં મુક્ત કરી દીધો હતો.

વન તંત્ર દ્વારા સિંહબાળ અને દિપડાને સારવાર આપી તેમના જીવ બચાવવાની કામગીરીના પગલે વનય પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. જયારે આ રીતના કિસ્સાઓ વધતા અને બિમારીને કારણે કારણ જાણવા વનતંત્ર પણ સક્રીયરીતે કામગીરી કરી રહ્યું છે.

ગિરનાર જંગલની દક્ષિણ ડુંગર રેન્જમાં છે પાણીનાં સૌથી વધુ કૃત્રિમ પોઇન્ટ.

DivyaBhaskar News Network Feb 26, 2015, 04:45 AM IST

સંસ્થાઓએ કહ્યું અમે કાગળ, કાપડની થેલીઓ વહેંચીશું સંસ્થાઓએ કહ્યું અમે કાગળ, કાપડની થેલીઓ વહેંચીશું.

DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST

લાઠીમાં વીજ કર્મીઓએ જાતે નાણા કાઢી ચબુતરો બનાવ્યો.


DivyaBhaskar News Network Feb 23, 2015, 06:40 AM IST

અમરેલીમાંસરકારી તંત્રના કર્મચારીઓ અવારનવાર કંઇકને કંઇક રચનાત્મક પ્રવૃતિઓ કરતા રહે છે. આવી એક પ્રવૃતિના ભાગરૂપે લાઠીમાં પીજીવીસીએલના કર્મચારીઓએ પોતાના સ્વખર્ચે એક સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ છે. અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ.

ભોળા પારેવડાઓ કે ચકલી માટે પ્રકૃતિપ્રેમીઓ જેટલુ કરે તેટલુ ઓછુ છે. ભોળા પારેવડાઓને ચણ અને પાણી મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી ચબુતરાનુ આયોજન કરાયુ હતુ. લાઠી પીજીવીસીએલની વિભાગીય કચેરીના એન્જીનીયર તથા કર્મચારીગણને અહી સુંદર મજાના પંખીઘરના નિર્માણનો વિચાર આવ્યો હતો. અને તુરંત તેને અમલમાં મુકી દીધો હતો. લાઠીની પેટા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતે નાણા કાઢી ભંડોળ એકઠુ કરી અહી સુંદર મજાના ચબુતરાનુ નિર્માણ કર્યુ હતુ અને મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચબુતરાને ખુલ્લો પણ મુકવામા આવ્યો હતો.

શહેરીજનોએ વીજ કર્મીઓનાં કાર્યને આવકાર્યું / કલ્પેશખેર

ગિરનાર જંગલમાં ઊનાળાને લઈ પાણીનાં કૃત્રિમ પોઇન્ટ શરૂ કરાયા.

DivyaBhaskar News Network Feb 26, 2015, 04:40 AM IST

ગિરનારજંગલની દક્ષિણ અને ઉતર રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે દક્ષિણ ડુંગર રેન્જમાં સૌથી વધુ કૃત્રિત પાણીનાં પોઇન્ટ આવેલા છે.

ચાલુ વર્ષે સારા વરસાદનાં કારણે હજૂ જંગલમાં નદી-નાળામાં પાણી વહી રહ્યુ છે.તેમજ મોટા ભાગનાં ચેકડેમમાં પાણી ભરેલા છે.પરંતુ ફેબ્રુઆરી માસની શરૂઆતથી ગરમી પડવાનુ શરૂ થઇ ગયુ છે.મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે.તડકા પડતા પાણીનાં તળ ઉંડા ઉતરવા લાગ્યા છે.તેમજ જંગલમાં પણ પાણીનાં સ્ત્રોત ઘટવા લાગ્યા છે.ઉનાળાની સીઝનમાં વન્ય પ્રાણીને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે વન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે.ગિરનાર જંંગલમાં બે રેન્જમાં હાલ કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગિરનાર જંગલમાં ઉતર ડુંગર રેન્જમાં 16 અને દક્ષિણ ડુંગર રેન્જમાં 40 કૃત્રિમ પાણીનાં પોઇન્ટ આવેલા છે.જેમાં દક્ષિણ રેન્જમાં વધુ છે.હાલ ઉતર ડુંગર રેન્જનાં આરએફઓ એસ.ડી.ટીલાળા અને દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જે.મારૂનાં માર્ગદર્શનમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમજ જૂના પોઇન્ટનુ રીપેરીંગ,પાણી ભરવાની કામગીરી સહિતની કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં બન્ને રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ નકકી કરી ઉનાળામાં પાણી ભરવામાં આવશે.આરઅેફઓ પી.જે.મારૂએ કહ્યુ હતુ કે,હાલ ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી માટે પીવાનાં પાણીની મુશ્કેલી નથી.કૃદરતી પાણીનાં સ્ત્રોત હજૂ જીવંત છે.કૃત્રિમ પાણીનાં પોઇન્ટ અંગેની કામગીરી ચાલી રહી છે.જેમાં પાણીની કુંડી બનાવવામાં આવશે.તેમા ઉનાળામાં પાણી ભરવામાં આવશે.

સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે.

Bhaskar News, Talala Feb 26, 2015, 01:00 AM IST
તાલાલા: ગીર-અભયારણ્યમાં સિંહ દર્શન કરવા જવા માટેની બે ચેક પોસ્ટમાંથી ભંભાપોળ ચેકપોસ્ટનો રસ્તો જમીન માલીકે બંધ કરી દેતા ચેકપોસ્ટ બંધ થઇ જેનાં લીધે એક ચેક પોસ્ટ ઉપર જ ટ્રાફિક વધી જતા વન વિભાગે સિંહ દર્શનની પચાસટકા કરન્ટ પરમીટો આપવાનું બંધ કરતા જીપ્સી ચાલકો પરમીટ બંધ કરવાનાં વિરોધમાં હડતાલ ઉપર ઉતરી જતા આજે હડતાલની જાહેરાત કરી છે. સાથે ઓનલાઇન પરમીટો બુક કરાવતા ટુરીસ્ટોને જંગલમાં જયા જીપ્સી ભાડે આપવાનું પણ જીપ્સી એસો.એ બંધ કરી દેતા આજે રૂટમાં ઓનલાઇન પરમીટ લઇ આવેલા પ્રવાસીઓને વનવિભાગે પોતાનાં વાહનોમાં જંગલમાં મોકલ્યા હતાં.
સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે

- સિંહ દર્શનની પરમીટ બંધ કરાતા જીપ્સી ચાલકોની હડતાલ હાલ મુલત્વી રહી : જો પ્રશ્નનો નિકાલ નહીં થાય તો
- ટુરીસ્ટોને  વન વિભાગ પોતાનાં વાહનોમાં લઇ ગયું

સિંહ દર્શન કરવા જવા માટેની પચાસ ટકા કરન્ટ પરમીટો વનવિભાગે બંધ કરતા જીપ્સી ચાલકોની આજીવિકાને સીધો ફટકો પડયો હોય. જીપ્સી ચાલકોમાં આ નિર્ણય સામે ભારે રોષ વ્યાપી ગયો છે. આજે જીપ્સી એસો.નાં પ્રમુખ અને હોદેદારોએ સર્વાનુમતે નિર્ણય કરી હડતાલ જાહેર કરી દેતા જીપ્સીઓનાં પૈડા થંભી ગયા હતાં. સાસણ જીપ્સી એસો.નાં પ્રમુખ મનસુખભાઇએ જણાવેલ કે વનવિભાગની પરમીટો બંધ કરવાનો નિર્ણય જીપ્સીચાલકોનાં પેટ ઉપર પાટુ મારવા જેવો છે.

જીપ્સી ચાલકો ઉપરાંત ટુરીસ્ટો સાથે જંગલમાં જયા ગાઇડોની આજીવિકાને સીધી અસર પડી છે. આજે બપોરનાં ત્રણ વાગ્યાનાં રૂટમાં ઓનલાઇન પરમીટો લઇ આવેલા ટુરીસ્ટોને જીપ્સી ચાલકોએ હડતાલ પાડતા વનવિભાગ પોતાનાં વાહનોમાં જંગલમાં સિંહ દર્શન માટે લઇ ગયેલ. વનવિભાગની પરમીટો કેન્સલ કરવાનાં નિર્ણય સામે હોટલ એસો. જીપ્સી એસો. સહિત પ્રવાસીઓમાંથી ભારે વિરોધ ઉઠી રહયો છે.
સિંહ દર્શન: ત્રણ દિવસ બાદ ફરી જીપ્સીનાં પૈંડા થંભી જશે

સાસણ સેન્ચ્યુરીનાં આરએફઓ બાબુભાઈ સેવરા, માલમભાઈ, સિંહ સદનનાં આરએફઓ તૃપ્તીબેન જોષી અને જીપ્સી એસો.નાં પ્રમુખ મન્સુરભાઈ સહિતનાં આગેવાનોની સાંજે 8 વાગ્યે એક બેઠક મળી હતી. જેમાં એવી ચર્ચા થઈ કે, આગામી ત્રણ દિવસમાં સળંગ પરમીટ ઈસ્યુ થઈ જવાનું શરૂ થઈ જશે. આ દિવસો દરમિયાન ઓનલાઈન બુકીંગ કરેલા પ્રવાસીઓ સાથે જીપ્સી ચાલકો તેઓને સિંહ દર્શનમાં લઈ જશે.

વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના.

Bhaskar News, Visavadar Feb 26, 2015, 00:55 AM IST
વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના
- 84 જ્ઞાતિનાં લોકો સવાર-સાંજની આરતીનો લાભ લઇ શકે તે માટે લડતની તજવીજ
- માતાજી કુળદેવી હોવાથી લાખો ભાવિકો આવે છે

વિસાવદર: ગિર જંગલની મધ્યે આવેલું કનકાઇ માતાજીનું મંદિર લાખ્ખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. 84 જ્ઞાતિનાં કુળદેવી ગણાતા કનકાઇ માતાજીનાં દર્શને આવતા લોકોને અને હાલાકી વેઠવી પડે છે. પરિણામે આજે માતાજીનાં પાટોત્સવ નિમીતે એકઠા થયેલા ભાવિકોની ઉપસ્થિતીમાં આ માટેની લડત ચલાવવા એક કમિટીની રચના કરવામાં આવી હતી.

મધ્યગિરમાં બિરાજતા કનકેશ્વરી માતાજીનું મંદિર ખુબજ પૌરાણિક છે. 84 જ્ઞાતિઓનાં તે કુળદેવી હોવાથી લાખ્ખો ભાવિકો અહીં આવે છે. પરંતુ તે ગિર અભયારણ્યની વચ્ચોવચ આવેલું હોવાથી ભાવિકોને અવારનવાર વનતંત્રની બેધારી નિતીનો ભોગ બનવું પડે છે. માતાજીનાં અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે. તેઓ વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવોમાં અવારનવાર આવતા હોય છે. હજારો કિમી છેટેથી આવતા ભાવિકોને વનતંત્રની જડતાને લીધે સવાર કે સાંજની આરતીનો લાભ મળતો નથી. વળી જે નાકેથી પ્રવેશ્યા હોય ત્યાંથીજ પરત ફરવું એવા નિયમોને લીધે પણ યાત્રાળુઓને 50 થી લઇને 100 કિમીનો લાંબો ફેરો થાય છે.

જે લોકો વિસાવદરથી કનકાઇ જાય છે તેઓને ત્યાંથી સોમનાથ કે તુલસીશ્યામ જવું હોય તો છોડવડી નાકેથી નજીક થાય. તેને બદલે તેઓએ ફરી વિસાવદર આવી ત્યાંથી પાછો સોમનાથ કે તુલસીશ્યામનો રસ્તો પકડવો પડે છે. એજ રીતે સામેની બાજુથી આવતા લોકોને સત્તાધાર જવું હોય તો પણ પાછા છોડવડી નાકે જઇ ત્યાંથી સત્તાધારનો રસ્તો પકડવો પડે છે. વર્ષો પહેલાં કનકાઇમાં રાત્રિ રોકાણની છૂટ હતી. પણ વનતંત્રનાં જડ નિયમોને લીધે તેના પર હવે પ્રતિબંધ આવી ગયો છે. આથી યાત્રિકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જેના કારણે આજે કનકાઇ માતાજીનાં પાટોત્સવ પ્રસંગે એકઠા થયેલા ભાવિકોએ ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના કરી હતી. અા સમિતીનાં નેજા હેઠળ જડ નિયમો સામે કાયદાકિય લડત કરવી અને જરૂર પડ્યે વનતંત્રનાં નિયમોનો સામુહિક ભંગ કવો પડે તો પણ લડત આપવાનો નિર્ણય કરાયો છે.

છોડવડીનાં રસ્તાથી ભારે હાલાકી

કનકાઇ જવા માટે વિસાવદરથી મેઇડી આઇ ચેક પોષ્ટથી કનકાઇ સુધીનો રોડ ચાલુ વર્ષે બે વખત રીપેર થયો હોવાથી સારો છે. પણ સામે છેડે છોડવડી નાકેથી આવતા યાત્રિકો ખરાબ રસ્તાથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. આવા અકસ્માતો અવારનવાર સર્જાય છે. આથી આ રસ્તો તાકીદે રીપેર કરવાની માંગ પણ ઉઠી છે.