Bhaskar News, Dhari Feb 24, 2015, 00:04 AM IST
- વનતંત્રએ એક જ દિવસમાં બે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો
ધારી: અમરેલી જિલ્લાના વનતંત્રએ છેલ્લા 24 કલાક દરમીયાન એક દિપડા અને એક સિંહબાળને બિમાર અને ઘાયલ હાલતમાં ઝડપી લઇ તેની સારવાર કરી હતી. દિપડાને સારવાર આપી મુક્ત કરાયો હતો જ્યારે સિંહબાળને હજુ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે.
ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં ધોળી કાકરી જંગલ વિસ્તારમાં એક છએક માસની ઉંમરનું સિંહબાળ પગે લંગડાતી હાલતમાં ચાલતુ હોવાની વનતંત્રને બાતમી મળી હતી. ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે ડો. હિતેષ વામજા, જે.ડી. બાયલ, અમિતભાઇ ઠાકર વિગેરે સ્ટાફે આજે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું. વનતંત્રની તપાસમાં આ સિંહબાળના પગમાં ઇજા હોવાનું જણાયુ હતું. હાલમાં ધારીની વન કચેરી ખાતે આ સિંહબાળને સારવાર આપવામાં આવી રહી છે.
આવી જ રીતે સાવરકુંડલા રેન્જના રૂગનાથપુર ખોડી ગામની સીમમાં એક દિપડો બિમાર હાલતમાં હોવાની વનતંત્રને જાણ થઇ હતી. એસીએફ મુનીને સુચનાને પગલે વનતંત્ર દ્વારા જાળની મદદથી આ બિમાર દિપડાને પકડવામાં આવ્યો હતો. ડો. હિતેષ વામજા દ્વારા તેની સારવાર કરાઇ હતી. દિપડાને લોહીમાં ઇન્ફેક્શન હોવાનું જણાયુ હતું. જો કે આજે વનતંત્રએ દિપડાને સારવાર આપી પુન: તેની ટેરીટરીમાં મુક્ત કરી દીધો હતો.
વન તંત્ર દ્વારા સિંહબાળ અને દિપડાને સારવાર આપી તેમના જીવ બચાવવાની કામગીરીના પગલે વનય પ્રેમીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. જયારે આ રીતના કિસ્સાઓ વધતા અને બિમારીને કારણે કારણ જાણવા વનતંત્ર પણ સક્રીયરીતે કામગીરી કરી રહ્યું છે.
ચાલુ વર્ષે સારા વરસાદનાં કારણે હજૂ જંગલમાં નદી-નાળામાં પાણી વહી રહ્યુ છે.તેમજ મોટા ભાગનાં ચેકડેમમાં પાણી ભરેલા છે.પરંતુ ફેબ્રુઆરી માસની શરૂઆતથી ગરમી પડવાનુ શરૂ થઇ ગયુ છે.મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે.તડકા પડતા પાણીનાં તળ ઉંડા ઉતરવા લાગ્યા છે.તેમજ જંગલમાં પણ પાણીનાં સ્ત્રોત ઘટવા લાગ્યા છે.ઉનાળાની સીઝનમાં વન્ય પ્રાણીને પીવાનાં પાણીની મુશ્કેલી પડે તે માટે વન વિભાગે કવાયત હાથ ધરી દીધી છે.ગિરનાર જંંગલમાં બે રેન્જમાં હાલ કૃત્રિમ પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ગિરનાર જંગલમાં ઉતર ડુંગર રેન્જમાં 16 અને દક્ષિણ ડુંગર રેન્જમાં 40 કૃત્રિમ પાણીનાં પોઇન્ટ આવેલા છે.જેમાં દક્ષિણ રેન્જમાં વધુ છે.હાલ ઉતર ડુંગર રેન્જનાં આરએફઓ એસ.ડી.ટીલાળા અને દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જે.મારૂનાં માર્ગદર્શનમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમજ જૂના પોઇન્ટનુ રીપેરીંગ,પાણી ભરવાની કામગીરી સહિતની કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં બન્ને રેન્જમાં કૃત્રિમ પાણીનાં પોઇન્ટ નકકી કરી ઉનાળામાં પાણી ભરવામાં આવશે.આરઅેફઓ પી.જે.મારૂએ કહ્યુ હતુ કે,હાલ ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી માટે પીવાનાં પાણીની મુશ્કેલી નથી.કૃદરતી પાણીનાં સ્ત્રોત હજૂ જીવંત છે.કૃત્રિમ પાણીનાં પોઇન્ટ અંગેની કામગીરી ચાલી રહી છે.