Saturday, October 31, 2015

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા

DivyaBhaskar News Network

Oct 10, 2015, 03:35 AM IST

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા
ચલાલામાંશાંતી નિકેતન પરિસરમાં બે દિવસીય સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ. વર્કશોપમાં બાળ નાટકની અનેકવિધ કૃતિઓ રજુ કરવામા આવી હતી. ઉપરાંત બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા સહિતના વિષયો પર પ્રકાશ પાડતા નાટકો પણ બાળકોએ લખ્યા હતા અને નાટકની ભજવણી કરવામા આવી હતી. બાળ સાહિત્યમાં ઉપેક્ષિત વિષય જો રહી ગયો હોય તો તે છે બાળ નાટક. એનો અર્થ નથી કે બાળ નાટકો લખાયા નથી કે લખાતા નથી. પણ જે લખાય છે નિષ્ણાંતોના મતાનુસાર બાળનાટક હોતા નથી. બાળ નાટકો લખાય, ભજવાય એવી ચિંતા, ખેવના બાળ સાહિત્યકારો કરે છે. એટલુ નહિ પણ બાળ સાહિત્ય અકાદમી અમદાવાદના પ્રતિ વર્ષ ભરાતા અધિવેશનમા પણ ડો. કુમારપાળ દેસાઇ માટે ચિંતા સેવે છે.

ત્યારે અમરેલીના શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપક વાસુદેવભાઇ સોઢાએ ચલાલા ખાતે સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનુ આયોજન કર્યુ હતુ. અહીના શાંતી નિકેતન પરિસરમા ડો. કાલિન્દીબેન પરીખ, ગણપતભાઇ ઉપાધ્યાય, રવજીભાઇ કાચાએ બાળનાટય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત નાટક કઇ રીતે લખાય તે વિશે પણ ચર્ચા કરી હતી.

બાદમાં બાળ નાટકની કૃતિઓ રજુ કરવામા આવી હતી. વર્કશોપના બીજા દિવસે ડો. ભારતીબેન બોરડે બાળ કાવ્યથી માહોલ બાંધ્યો હતો. કેટલાક બાળકો પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર પ્રકાશ પાડતા હતા. બાદમાં નાટક, પ્રહસન, નાટયાંશની ભજવણી કરવામા આવી હતી.

મધમાખી કરડવાથી મોતની બીજી ઘટના

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
ભંડારિયાના વૃધ્ધ ખેડૂતનું મધમાખીના હુમલાથી મોત

હજુબે દિવસ પહેલા વડીયા તાલુકાના દેવગામ ગામના એક કોળી વૃધ્ધાનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આવી વધુ એક ઘટનામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના બની છે.

અમરેલી જીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

મધુભાઇ પટેલને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

ભંડારીયાના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખીના ઝુંડે હુમલો કરતા મોત

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
અમરેલીજીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

સારવાર દરમીયાન મોત થયુ હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ એચ.એન. રવૈયાએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ


લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ

  • DivyaBhaskar News Network
  • Oct 07, 2015, 05:40 AM IST
યુવા ગ્રૃપનાં સભ્યોએ પાલિકા અને સેવાભાવી લોકોને સાથે રાખી જળાશયમાંથી ગંદકી દૂર કરી

અમરેલીનાકામનાથ ડેમમાં ગત વર્ષે ગાંડીવેલે કબજો જમાવ્યો હતો. ગાંડીવેલનો આવો ઉપદ્રવ ચાલુ વર્ષે લાઠીમાં ગાગડીયા નદીના ચેકડેમોમાં ચાલુ થતા આજે લાઠીના યુવા ગૃપના સભ્યોએ પાલીકા અને સેવાભાવી લોકોની મદદ લઇ ગાંડીવેલ હટાવવા અભીયાન હાથ ધર્યુ હતું. ગાંડીવેલ હટાવવા માટે જેસીબીની મદદ પણ લેવાઇ હતી.

સ્વચ્છતા અભીયાનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લાઠીમાં યુવાનોએ આજે ચેકડેમમાં અભીયાન હેઠળ ગાંડીવેલને દુર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ હતું. અમરેલીના કામનાથ ડેમનું પાણી ગત વર્ષે ગાંડીવેલે બગાડી નાખ્યુ હતું. ચોમાસામાં આવેલા ભારે પુરમાં ગાંડીવેલ ધોવાઇ તો ગઇ પરંતુ ચાલુ સાલે ફરી કામનાથ ડેમમાં ગાંડીવેલ છવાવા લાગી છે. વર્ષે પણ કામનાથ ડેમમાં પુરેપુરી સપાટી પર ગાંડીવેલ છવાઇ જાય તો આશ્ચર્ય નહી રહે તેવી સ્થિતી જોવા મળી રહી છે. હવે લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં પણ આવી સ્થિતી જોવા મળી રહી છે. લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં ધીમે ધીમે ગાંડીવેલનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજે ડેમના સમગ્ર પાણી પર તે છવાય જાય તે પહેલા લાઠીના યુવા ગૃપ દ્વારા તેને દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવા ગૃપના સભ્યોને નગરપાલીકા દ્વારા પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ચેકડેમમાંથી ગાંડીવેલ દુર કરવા માટે જેસીબીની પણ મદદ લેવાઇ હતી અને સ્વચ્છતા અભીયાનને અહિં અનોખી રીતે પાર પડાયુ હતું.

યુવાનોએ અથાગ મહેનત કરી ચેકડેમમાંથી ગાંડીવેલને દૂર કરી ફરીથી જળાશયને રમણીય બનાવી દીધું હતું. જેસીબીએ પણ ગાંડી વેલને દૂર કરી હતી. }કલ્પેશખેર

અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ

DivyaBhaskar News Network

Oct 05, 2015, 07:40 AM IST
અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
Bhaskar News, Amreli

Oct 05, 2015, 01:42 AM IST
- અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
- પુર હોનારતની અસર થતાં સાવજો નદીના પટથી દુર જ રહે છે
 
અમરેલી: અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. આ નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર જ રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, આ તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ


અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ

Bhaskar News, Amreli

Oct 04, 2015, 00:37 AM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જંગલ અને ગીરકાંઠાના વિસ્તારોમાં ચોતરફ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. નદી, તળાવો અને ઝરણાઓ વહેતા થયા છે. ત્યારે ખાંભાના નાની ધારીના જંગલ વિસ્તારમાં આવા જ વહેતા પાણી પાસે એક સિંહ બેસીને ખળખળ વહેતુ પાણી નિહાળી રહ્યો હોય આ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ.