Saturday, February 13, 2010

બે સૈકા પૂર્વે બનાસકાંઠામાં સિંહની ડણકો સંભળાતી...

Pankaj Soneji/ Palanpur
Friday, July 31, 2009 02:26 [IST]

ડીસામાં અંગ્રેજોના સમયે બનાસનદી બારેમાસ વહેતી અને ઘનઘોર જંગલમાં સિંહ રહેતા હતા, જંગલો કપાતાં બનાસકાંઠામાંથી સિંહ અસ્ત થઇ ગયા,પાલનપુર અને ડીસામાં ૧૮૮૦માં મોટાપાયે સિંહો રહેતા હોવાના દાવાઓ, હાલમાં સિંહના અસ્તિત્વ સામે પણ ખતરો

એશિયાઇ સિંહના અસ્તિત્વ સામે જોખમો ઉભા થયા છે. જંગલોનું આડેધડ કટિંગ, વૃક્ષોની ઘટતી જતી સંખ્યા ‘ગ્લોબલ વોર્મિગ’ માનવ જાત માટે ‘ગ્લોબલ વોર્મિગ’ બની છે. છતાં વૃક્ષોનું મહત્વ માનવી હજું સમજી શકયો નથી. માનવજાત માટે જ નહીં પ્રાણીઓ માટે તે ચિંતાનો વિષય બની ગયો છે.વૃક્ષો ઘટતા અને અનિયમિત વરસાદથી હિંસક પ્રાણીઓ કયારેક માનવ વસતીમાં પણ ધસી આવે છે. ગુજરાતની ઓળખસમાન ગિરમાં શિકાર અને અકુદરતી મોતથી સિંહની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.અતિતમાં ડોકિયું કરીએ તો એક સમય હતો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસા શહેર ઘટાદાર વૃક્ષોથી આરછાદિત અને વનસંપત્તિ તેમજ જળ સ્ત્રોત ભરપુર વિસ્તારો હતા અને એટલે જ આ વિસ્તારમાં જંગલના રાજા સિંહનું અસ્તિત્વ હતું. બનાસકાંઠા જિલ્લો ર૩-૩૩ થી ર૪-ર૫ અંશના ઉત્તર અક્ષાંસ અને ૭૦-૦૩ થી ૭૩-૦૨ અંશના પૂર્વ રેખાંશ પર પથરાયેલો છે. આ જિલ્લાની ઉત્તર-પૂર્વમાં અરવલ્લીના ડુંગરા તો પિશ્ચમ દિશામાં રણ વિસ્તાર છે. પાલનપુરમાં તો ૮૫૫ વર્ષ પહેલાં ઘોર જંગલ હતું. જયારે ડીસામાં અંગ્રેજોના સમયે બનાસનદી બારેમાસ વહેતી અને ઘનઘોર જંગલ વિસ્તાર હતો.

આ વિસ્તારમાં જંગલો કાપવાને કારણે તેમજ વરસાદથી જમીનનું ધોવણ થતાં મોટાભાગની ફળદ્રૂપ જમીનનો નાશ થયો છે. અગાઉ આ વિસ્તાર ઘનઘોર જંગલોથી ધેરાયેલો હતો. આજે ખૂબજ ઓછા જંગલો જોવા મળે છે. જેથી કેટલોક વિસ્તાર ઉજજડ જોવા મળે છે. એશિયાઇ સિંહ ફકત ગુજરાતમાં વસે છે. રાજયમાં ૧૯૧૨૦ ચો.કિ.મી. વનવિસ્તાર છે. જેમાં માત્ર ૭.૭ ટકા જ વિસ્તાર વૃક્ષચ્છાદિત છે.રાજયના મોટાભાગના વનો આદિવાસી પટ્ટીમાં આવેલા છે.બનાસકાંઠામાં બાલારામ -અંબાજી અભયારણ્ય પ૪૨.૦૮ ચો.કિ.મી. અને જેસોર રીંછ અભયારણ્ય ૧૮૦.૬૬ ચો.કિ.મી. માં પથરાયેલો છે.

જેમાં રીંછ, નિલગાય, દિપડો અને ઝરખ મુખ્ય વન્ય પ્રાણીઓ છે. આ જંગલમાં વધુ પડતા ઢોર, વારંવાર જંગલ દવ, પ્રતિકૂળ ભૂમિય અને આબોહવાકિય સ્થિતિ, વન્ય પેદાશોની માંગમાં થયેલો વધારો તથા આજીવિકા માટે વનો પરની વધુ પડતી નિર્ભરતા જેવા પરિબળો વનો પર અસાધારણ દબાણો લાવે છે.મુખ્યત્વે વધુ પડતાં જંગલો કપાવવાથી અગાઉ સિંહોના થયેલા શિકારના કારણે સિંહ નામશેષ થઇ ગયા છે. એક સમયે મઘ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, તેમજ ઉત્તર ગુજરાતમાં ૧૩૦ વર્ષ પહેલાં સિંહનું અસ્તિત્વ હતું .જે નામશેષ થઇ ગયું છે. જેમાં અગાઉ ઇ.સ. ૧૮૭૮ માં ડીસામાં અને ઇ.સ. ૧૮૮૦ માં પાલનપુર પણ સિંહનું અસ્તિત્વ હતું. જયારે વીસમી સદીની શરૂઆતથી ગીરના આજુબાજુના જંગલોમાં સિંહ પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે.

અત્યારે તેની સંખ્યા ૨૯૧ આસપાસ રહી છે. ત્યારે ગિરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના મૃત્યુ ચિંતા ઉપજાવી રહ્યા છે. જયારે સરકાર તેમજ ખાનગી કંપનીઓના સહયોગથી નાણાં ભંડોળ ઉભું કરી એશિયાઇ સિંહોને બચાવવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે છતાં સિંહની સંખ્યા વધવાના બદલે ઘટતી જઇ રહી છે. જેથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળે છે.

ગિર સિવાય સિંહ કયારે જોવા મળ્યા હતા ?

ભારતમાં હરિયાણામાં ૧૮૩૪, ગ્વાલીયરમાં ૧૮૬૫, રેવાહમાં ૧૮૮૬, પાલામઉ ૧૮૧૪, દમોન ૧૮૪૭, ઘૂના ૧૮૭૨, બરોડામાં ૧૮૩૨, અમદાવાદમાં ૧૮૩૬, આબુમાં ૧૮૭૨, ડીસામાં ૧૮૭૮ અને પાલનપુરમાં ૧૮૮૦માં તેમજ હાલ પાકિસ્તાનનો ભાગ કોટદિજીમાં ૧૮૧૪ માં સિંહનું અસ્તિત્વ હતું.
Source: http://www.divyabhaskar.co.in/2009/07/31/0907310226_two_century_above_lion_roar_listen_in_banaskantha.html

નેચર પાર્કમાં વનરાજ માટે જગ્યા નથી.

Friday, Jan 29th, 2010, 2:36 am [IST]
danik bhaskar
Bhaskar News, Gandhinagar

મોટું પાંજરું બનાવવા સહિતની વ્યવસ્થા માટે રૂ.૫ લાખ ખર્ચવા પડે તેમ છે

ગાંધીનગરના જ-માર્ગ પર આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં પ્રાણી સંગ્રહાલય ઊભું કરવાની યોજનાના ભાગરૂપે અહીં દિપડા અને વાઘની જોડી લાવવામાં આવ્યા પછી સિંહ લાવવાની જાહેરાત થઇ હતી. પરંતુ તેના માટે જરૂરી જગ્યા સહિતની વ્યવસ્થા અહીં નથી. તેના માટે મોટું પાંજરૂ બનાવવું જરૂરી છે. સિંહના કેર ટેકર તથા ખોરાક સહિતની વ્યવસ્થા પાછળ પાંચેક લાખનો ખર્ચ કરવો પડે તેમ છે. તેની જોગવાઇ કરવામાં આવી નથી. તેથી નજીકના દિવસોમાં સિંહને લાવવાનું શકય બને તેમ નથી.

નેચર પાર્કમાં આકર્ષણો ઉમેરવાનો સલિસિલો ચાલુ જ રહ્યો છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી વાઘ-વાઘણની જોડી, સફેદ મોર તથા સફેદ હરણ લવાતા મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે. દીપડો-દીપડી અને વાઘ-વાઘણની જોડી અહીં આવી જતાં માત્ર સિંહની જોડી લાવવામાં આવે તો પૂર્ણ કક્ષા જેવું પ્રાણી સંગ્રહાલય બની શકે તેમ છે. સિંહ લાવવાની વાત થયા પછી તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી. જોકે, અધિકારીઓની ઇરછા અહીં સિંહ લાવવાની છે. પરંતુ હકીકત એ છે કે, સિંહ માટે નેચર પાર્કમાં જગ્યા જ નથી.

ભૂતકાળમાં નેચર પાર્કમાં એક આફ્રિકન સિંહ હતો તેના મૃત્યુ પછી ખાલી પડેલા પાંજરામાં વાઘ-વાઘણની જોડીને વસાવવામાં આવી છે. હવે સિંહ માટે નવું પાંજરૂ બનાવવું પડે તેમ છે. આ નવું પાંજરૂ અને અન્ય વ્યવસ્થા ગોઠવતા પાંચેક લાખનો ખર્ચ થાય તેમ છે. હાલમાં ગીર ફાઉન્ડેશન પાસે આટલી જોગવાઇ નથી. જો કયાંકથી આટલી જોગવાઇ થાય તો પણ સિંહની જાળવણી પાછળ ખૂબ ખર્ચ આવી શકે તેમ છે. સિંહની દેખરેખ માટે ખાસ તાલીમ પામેલા માણસો મૂકવા પડે. ઉપરાંત દરરોજ તેને ચાર-પાંચ કિલો માંસ ખાવા જોઇએ તેનો ખર્ચ પણ ખૂબ આવે તેમ છે.

સિંહની ઉંમર જેમ વધે તેમ તેનો ખર્ચ વધતો જતો હોય છે. પૂર્ણ કક્ષાના પ્રાણી સંગ્રહાલયમાં નવા પ્રાણીઓ ઝડપથી લાવી શકાય છે કારણ કે, ત્યાં બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. પ્રાણીઓની દેખભાળ માટે કે, તેના માટે રહેઠાણ માટે નવેસરથી વ્યવસ્થા કરવી પડતી નથી. પ્રકતિ ઉધાનમાં સિંહ લાવવા માટે વન વિભાગ દ્વારા નાણાની ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી રજૂઆતો કરી દેવાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/29/100129015902_nature_park_no_space_for_lion.html

સિંહ અભયારણ્ય મ.પ્ર.માં ખસેડવા ગુજરાતનો ઇનકાર.

Friday, Feb 12th, 2010, 12:07 am [IST]
danik bhaskar
Bhaskar Network, New Delhi

મઘ્યપ્રદેશમાં તેના વાઘ મરી રહ્યા છે, ત્યારે આવી દરખાસ્ત અયોગ્ય: ગુજરાતની દલીલ

ગુજરાતે ગીર એશિયન લાયન સેન્કરયુઅરી(અભયારણ્ય)ને મઘ્યપ્રદેશના કુનો ટાઈગર રિઝર્વ ખાતે ખસેડવાની કેન્દ્રની દરખાસ્તનો ગુરુવારે સુપ્રીમ કોટર્માં જોરદાર વિરોધ કર્યો હતો.

નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતમાં ગીર ખાતેના અભયારણ્યમાંથી સિંહને અન્યત્ર ખસેડવા સામે ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મઘ્યપ્રદેશ આ સિંહની યોગ્ય કાળજી લઈ શકશે નહીં, કારણ કે તે તેના પોતાના જ વાઘ માટેના અભયારણ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે.

ગુજરાત સરકાર વતી હાજર રહેલા સિનિયર ધારાશાસ્ત્રી મુકુલ રોહતગીએ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલક્રિશ્નન, જસ્ટિસ બી.એસ. ચૌહાણ અને ચંદ્રમૌલી પ્રસાદની બેન્ચ સમક્ષ દલીલ કરતા કહ્યું હતું કે ‘તેમના (મઘ્યપ્રદેશના) જ વાઘ મરી રહ્યા છે. આવા સંજોગોમાં કુનો રિઝર્વ ખાતે સિંહને ખસેડવા તે ગંભીર રીતે અયોગ્ય ગણાશે.’

મોદી સરકારે વધુમાં દલીલ કરતા કહ્યું હતું કે ગુજરાતની જનતાને સિંહ અભયારણ્ય હોવા અંગે ગર્વ છે અને તેને કુના રિઝર્વ ખાતે ખસેડવાના કોઈપણ પ્રયાસ થશે તો તે ‘ગુજરાતની જનતાની ઈચ્છાની વિરુદ્ધ ગણાશે. અને તેનાથી તેમની રૂઢિચુસ્તતા અને સાંસ્કૃતિક મૂલ્યનું ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.’ દેશમાં વાઘની સતત ઘટી રહેલી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે તેવા સંજોગોમાં ગીરના સિંહને મઘ્યપ્રદેશ ખસેડવાની કેન્દ્રીય પર્યાવરણ અને વન્યજીવ બોર્ડની દરખાસ્ત થઈ છે.

ગુજરાત સરકારે ગુરુવારે દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું છે કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ આ દરખાસ્ત વિરુદ્ધ પૂરતા ટેકિનકલ મંતવ્યો અને હકીકતો રજૂ કર્યા હતાં તેમ છતાં કેન્દ્ર સિંહને અન્યત્ર ખસેડવાનું કહી રહ્યું છે. ગીર ક્ષેત્રને પૂરું સમજ્યા વિના જ આ દરખાસ્ત કરવામાં આવી છે.

બન્ને રાજ્યો મળીને સમસ્યા ઉકેલે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત અને મઘ્યપ્રદેશ બન્નો રાજ્યોની દલીલ સાંભળ્યા બાદ કહ્યું હતું કે ગીર અભયારણ્યના એશિયાઈ સિંહોનું કુને ટાઈગર રિઝર્વમાં સ્થળાંતર કરવાના મામલે બન્ને રાજ્યો પરસ્પર મંત્રણા કરીને ઉકેલી નાખે. કોર્ટે બન્નો રાજ્ય સરકારોને આ માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/12/100212000700_gujarat_say_no_to_transfer_lion_century.html
Bhaskar News, Rajkot

સિંહ-સિંહણને પાંજરે પૂરવા રાજકોટના આજી ઝૂના સ્ટાફને એક કલાકની મહેનત કરવી પડી

રાજકોટના આજી ઝૂમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન રાની પશુઓને અંદરના પીંજરામાંથી મુકત કરી ઊંચી રેલિંગ વરચે વિહરવા દેવાય છે. સાંજે ૬ વાગ્યે રાબેતા મુજબ ઝૂનો સ્ટાફ આ પ્રાણીઓને લાકડી વડે ઠપકારાની ભાષા થકી પાંજરામાં લઈ જાય છે. રવિવારે સાંજે આ પ્રાણીઓને પાંજરામાં પૂરવા ગયેલા સ્ટાફને પાંજરા નં.૨ના રાજવંતી નામની સિંહણ અને પાર્થ નામના સિંહે જરા પણ દાદ નહોતી આપી.

સંવનનકાળમાં રહેલી રાજવંતીને એક પળ માટે પણ દૂર જવા ન દેતાં પાર્થને પાંજરામાં લઈ જવા સ્ટાફે લાકડીઓ બતાવવી શરૂ કરી હતી. પરંતુ પરિણામ શૂન્ય રહેતાં પાછળના ભાગેથી પથ્થરના છૂટા ઘા શરૂ થયા હતા. એક તરફ હનીમૂન માટે સિંહ સિંહણને સતત મેટિંગ કોલ આપતો હતો. પરંતુ સિંહણ દાદ નહોતી આપતી.

પાર્થની રાજહઠ અને રાજવંતીની સ્ત્રીહઠ વરચે ઝૂના સ્ટાફના પથ્થર મારાથી ઉશ્કેરાયેલા સિંહે એકદમ ઘૂરકિયા સાથે દોડી જઈ લોખંડના સળિયા સાથે માથું અફળાવવાનું શરૂ કરતાં તેને કાબૂમાં લેવો મુશ્કેલ થઈ ગયો હતો. લગભગ એક કલાકની કવાયત પછી બંનેને પાંજરે પૂર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2008/01/27/0801272355_natural_tiger_rajkot.html

પાંચ સિંહ ફરી ગિરનારના જંગલમાંથી નીકળી આવ્યા

Bhaskar News, junagadh

ભેંસાણ પંથકના ગામોમાં ફરી ભયનું સામ્રાજય

ગિરનારના જંગલમાંથી બહાર નીકળી આવેલા પાંચ વનરાજોએ હજુ બે દિવસ પહેલાં જ અકાળા અને ચોકલી ગામે ૩ માનવી ઉપર હુમલો અને ૮ પશુઓના મારણ કર્યા હતા. આ જૂથને વનવિભાગે માંડ પરત જંગલમાં મૂકી આવાવમાં સફળતા મેળવી હતી. દરમિયાન, આજે સાંજના સમયે આજ જૂથ ફરીથી ખારચીયા કરિયાની સીમમાં આવી ચઢતાં પાકનું રખોયું કરતા ખેડૂતોમાં ભયનું મોજું ફેલાઇ ગયું છે.

જાણવા મળ્યા મુજબ, ગિરનારની ઉત્તર ડુંગર રેન્માંથી બે દિવસ પહેલાં જ આવી ચઢેલા પાંચ વનરાજોને પરત મોકલવામાં વનવિભાગને માંડ સફળતા મળી હતી. ત્યાં આજ જૂથે આજે સાંજે સાડા પાંચ વાગ્યે ભેંસાણ તાલુકાના ખારચિયા-મેંદપરા વચ્ચે રસ્તા પાસે દેખા દીધી હતી.

આથી અનેક લોકો તેને જોવા ઊમટી પડયા હતા. જો કે, સિંહો ત્યારબાદ આરામથી ચાલતા ત્યાંથી બે કિ.મી. દૂર કરિયાની સીમમાં પહોંરયા હતા અને ભેંસાણના રાજકીય અગ્રણી ચંદ્રેશભાઇ ધડુકની વાડીમાં એકાદ કલાક મુકામ કર્યોહતો. ત્યાંથી આ જૂથ સીમની ધારમાં ઘૂસી ગયા હતા. જેથી ખેડૂતોમાં ભય ફેલાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/01/26/0901260022_five_lion_see_in_girnar_wild.html

ગિરનારના સાવજો ગીરના સિંહ કરતાં વધુ તગડા છે.

Bhaskar News, Junagadh

સાવજો માત્ર સોરઠના જ નહીં, સમગ્ર દેશની શાન છે. સાવજોને મુકત જંગલમાં વિહરતા નિહાળવા એ એક લહાવો છે. જંગલના આ રાજાની અદાઓ મુગ્ધ કરી દે એવી હોય છે. મોટાભાગના પયર્ટકો ગીર અભયારણ્યમાં વસતા સાવજોને નિહાળવા ઊમટી પડતા હોય છે.

એની સાથે જ હવે ગિરનાર પર્વતના જંગલ વિસ્તારમાં વસતા સાવજો એ પણ સિંહપ્રેમીઓ અને વન્યજીવન પ્રેમીઓને આકર્ષયા છે. અનેક સાહસિકો હવે ગીર અભયારણ્યને બદલે ગિરનાર જંગલના વિસ્તારમાં સાવજોના દર્શન કરવા જંગલ ખુંદે છે.સાવજ એટલે ગીર, એવી એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે. પણ એ સાચું નથી.

સાવજો ગિરનાર જંગલના પર્વતમાં પણ વસે છે. તાજેતરમાં જ ગિરનાર પર્વત સહિતના જંગલ વિસ્તારને પણ અભયારણ્યનો દરજજો આપવામાં આવ્યો છે. કુલ ૧૮૧ ચો.કિ.મી.માં પથરાયેલા ગિરનાર પર્વતના જંગલની સરહદ જૂનાગઢ અને ભેંસાણ તાલુકાના અંદાજે ૬૦થી ૭૦ ગામડાંને સ્પર્શ કરે છે.

હવે એ ગામડાંઓની સીમમાં પણ છાશવારે સાવજોની ડણકો સંભળાવા લાગી છે. અભ્યાસુઓના જણાવ્યા મુજબ, આશરે બે દાયકા પહેલાં ગીરના જંગલમાંથી ઓઝત નદીના કાંઠે કાંઠે થતાં થતાં કેટલાક સાવજો ગિરનાર પર્વતના જંગલમાં પહોંરયા અને પછી વસતી વધતી ગઇ. આજે તો એ સંખ્યા ૩૬ ઉપર પહોંચી છે.

ગિરનાર પર્વતના આ જંગલ વિસ્તારમાં રોઝડા, નીલ ગાય, સેમરની મોટી સંખ્યા છે. એ ઉપરાંત માલધારીઓના માલઢોર પણ મળી રહે છે. પરિણામે સાવજોને પેટપૂજાની ચિંતા નથી રહેતી. એક અગત્યની વાત એ છે કે, અભ્યાસુઓના મતે ગિરનાર જંગલના પર્વતમાં રહેતા સાવજો ગીર અભયારણ્યમાં રહેતા સાવજો કરતાં વધારે તંદુરસ્ત, સશકત અને આકર્ષક છે.

ગિરનાર પર્વતના હવા-પાણી આ સાવજોને માફક આવી ગયા છે. ગિરનારની પરિક્રમા દરમિયાન અનેક વખત યાત્રાળુઓને આ સાવજોને નિહાળવાનો લહાવો મળે છે. પરિક્રમાના રૂટ ઉપર આમ પણ આડા દિવસે સાવજો ઓ જમાવે છે.

ગીર અભયારણ્યમાં તો હજારો લોકો સાવજોને નિહાળવા જતા જ હોય છે. પણ હવે સાહસિકો ગિરનાર પર્વતના જંગલમાં ડણકો દેતા સાવજોને નિહાળવા પણ જવા લાગ્યા છે. સાંજ ઢળ્યે સાવજપ્રેમીઓ પરિક્રમાના રૂટ ઉપર ઉતરી પડે છે અને મુકતપણે વનરાજાને વિહરતા નિહાળવાનો લહાવો લૂંટે છે.

છેક દાતાર પર્વત સુધી સાવજો પહોંરયા હતા

સાવજોને આમ તો ઘાસના સપાટ મેદાનો વધારે માફક આવે છે. ગીચ ઝાડીને બદલે ખુલ્લા મેદાનોમાં રહેવાનું સાવજો પસંદ કરે છે. ઉબડ ખાબડ જમીન સાવજોને પસંદ નથી. પણ આ તો જંગલનો રાજા છે. એને મોજ પડે તો ગમે ત્યાં પહોંચે. સાવજો દોઢ દાયકા પહેલાં દાતારના ડુંગરની મુલાકાતે પણ ગયા હોવાનું અનેક લોકોએ નિહાળ્યું છે.

એ સમયે દાતાર ઉપર સંદલ વિધીનો કાર્યક્રમ હોવાથી રાત્રે હજારો લોકો પર્વત ચડયા હતા. દાતારના પગથિયાથી થોડે જ દૂર સાવજોએ ધામા નાખ્યા હતા. કોઇ અનિરછનીય ઘટના ન બને એ માટે એ સ્થળે હથિયારધારી પોલીસ મૂકી દેવાયેલ. હજારો લોકોએ ત્યારે પર્વત ઉપર સાવજોને જોયેલા.

સાવજો ગીરના જંગલમાં પરત નથી જતાં

ગીરના જંગલમાંથી પર્વતના જંગલમાં આવી ગયેલા સાવજો એ પછી ગીરના જંગલમાં પરત જવાનું નામ નથી લેતા. ગીર અભયારણ્યમાં લોકોની અવર-જવર વધુ રહે છે. એની તુલનામાં પર્વતના જંગલમાં વસતા સાવજોને માનવીઓના ખલેલ સહિત સહન કરવી પડે છે. ૧૮૧ ચો.કિ.મી.ના જંગલમાં પોત પોતાના સામ્રાજયમાં સાવજ પરિવારો લીલા લહેર કરે છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/02/08/0902080118_girnar_savjo_gir_lion.html

દસ સિંહ વચ્ચે કાર...

Agency, London
Thursday, April 09, 2009 00:44 [IST]

ઇંગ્લેન્ડના નોસ્લે સફારી પાર્કમાં બુધવારે પયર્ટકોની કાર દસ સિંહના ઝૂંડ વચ્ચે ફસાઇ ગઇ હતી. ડ્રાઇવરે માર્ગ પર અધવચ્ચે સિંહોને જોઇને કાર રોકી દેતાં સિંહોએ કારને ધેરી લીધી હતી. દસ સિંહ કારને વિંટળાઈ વળ્યા હતા.



કારના બારી-બારણાં લોક કર્યા

કારમાં બેઠેલા લોકોના શ્વાસ અઘ્ધર થઇ ગયા હતા. પયર્ટકોએ કારના બારી અને બારણાં લોક કરી દીધાં હતાં અને સિંહોને પોતાની ઉપસ્થિતિનો આભાસ થવા દીધો ન હતો અને પાર્કના કર્મચારીઓને ઇમરજન્સી સંદેશા મોકલ્યા હતા.

ઘ્યાન ચૂકયું ત્યારે કાર નીકળી

સફારી પાર્કના કર્મચારીઓએ વિભિન્ન પ્રકારના અવાજોથી હાંકો કરતાં સિંહોનું ઘ્યાન કારથી હટાવતાં સિંહો માર્ગ પરથી ખસી ગયા હતા અને જંગલમાં જતા રહ્યા ત્યારબાદ માર્ગ પર ફસાયેલી કાર ત્યાંથી આગળ વધી શકી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/04/09/0904090048_car_between_ten_lion_in_engaland.html