Saturday, March 6, 2010

કૂવામાં ખાબકેલા બે સિંહબાળ હેમખેમ બહાર કાઢી લેવાયા.

Tuesday, Feb 23rd, 2010, 3:01 am [IST]
Bhaskar News, Amreli

ગીર પૂર્વની બોર્ડ પર શિવતળી આશ્રમ પાસે રવિવારે સાંજે કૂવામાં બે સિંહબાળ ખાબક્યા બાદ જંગલખાતું તેને બહાર કેમ કાઢવા તેની મથામણમાં હતી ત્યારે જ બચ્ચાની શોધમાં આવેલી સિંહણને જોઇ જંગલખાતાના સ્ટાફને પીછેહઠ કરવી પડી હતી.

કૂવા કાંઠે સિંહણે ઊભા રહી કરેલા ઘૂરકિયાથી કૂવામાં પડેલા બચ્ચામાં પણ હિંમત આવી હતી અને આખરે જયારે ખાટલા સાથે દોરડા બાંધી બન્ને બચ્ચાને જયારે બહાર કઢાયા ત્યારે સિંહણ પોતાના બન્ને ‘લાડલા’ને લઇને હાલી નીકળી હતી.
જંગલ ખાતાની કપરી કામગીરીને રવિવારે એક સિંહણે હળવી બનાવી દીધી હતી. સિંહણનું પ્રબળ માતૃત્વ કૂવામાં પડેલા બે બચ્ચાને સલામત બહાર કાઢવામાં મદદરૂપ બન્યું હતું. ધારીથી આશરે ૧૫ કિમી દૂર ગીરપૂર્વની બોર્ડર પર આવેલા શિવતળી આશ્રમ નજીક મોણપુરના ખેડૂતની વાડીમં પંદરેક ફૂટ ઊંડા કૂવામાં અકસ્માતે બે સિંહબાળ પડી ગયા હતા.
બનાવની જાણ થતાં જંગલખાતાનો સ્ટાફ બચાવ માટે જરૂરી સાધન સામગ્રી લઇ મારફતે ઘોડે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જંગલ ખાતાનો સ્ટાફ અહીં પાંજરા લઇને આવી ગયો હતો. કૂવો ઊંડો ન હોય અને ખાલી હોય બન્ને સિંહબાળ જીવતા હોવાથી તેમને બચાવી લેવામાં કોઇ કચાશ રહી ન જાય તે માટે દોરડા અને ખાટલો પણ મગાવી રખાયા હતા.
જેથી જો સિંહબાળ ખાટલા પર બેસી જાય તો ઊંચકીને તેમને બહાર કાઢી શકાય.રાત્રે જંગલખાતાના સ્ટાફ દ્વારા દોરડા સાથે બાંધી ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો હતો. પરંતુ બચ્ચા બહાર આવ્યા ન હતાં. દરમિયાન સિંહબાળના વિરહમાં ઝૂરતી સિંહણ અહીં આવી ચડી હતી.
કૂવા કાંઠે ઊભા રહી સિંહણે ઘૂરકિયા કર્યા હતા અને માનો અવાજ સાંભળી કૂવામાં રહેલા બચ્ચાઓએ પણ પ્રત્યુતર આપ્યો હતો. બસ પછી તો કુદરતના ક્રમ મુજબ બચ્ચામાં હામ આવી અને કૂવામાંથી બહાર આવવા હવાતિયા મારી ખાટલા પર ચડી ગયા.
વનતંત્રના સ્ટાફને અણસાર મળતાં તુરંત તેમણે દોરડા ખેંચ્યા હતા અને સૌ હરખાઇ ઊઠે એ રીતે ખાટલા સાથે બે બચ્ચાં પણ બહાર આવ્યા હતા. બે સિંહબાળ અને તેની માતાના મિલનનું દ્રશ્ય પણ ભાવુક હતું. થોડીવારમાં જ સિંહણ પોતાના બન્ને બચ્ચાને લઇ અંધારામાં ઓગળી ગઇ હતી.

જંગલમાં ‘ભીમ, અર્જુન’ સાથે રહે છે અને ફૂલનદેવી ફરે છે.

Monday, Mar 1st, 2010, 3:30 am [IST]
Dilip Raval, Amreli

ગીર જંગલ પર જેની હાક વાગે છે તે ડાલા મથ્થાઓને સ્થળ કાળના કોઇ બંધન નથી. હવા પાણી પર પણ અન્ય પ્રાણીઓ જેટલો જ તેનો કબજો છે. માણસની જેમ નામનો તેને કોઇ મોહ નથી. પરસ્પર એકબીજાને તેઓ નામથી નહીં રંગ અને ગંધથી ઓળખે છે.

આમ છતાં તેમને જાણીને નવાઇ લાગશે કે જંગલના ઘણા ખરા સિંહો નામથી ઓળખાય છે. સ્થાનિક ગ્રામીણ પ્રજા અને જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહ સિંહણના વર્તન, દેખાવ, હાવભાવ, ઉમર વગેરેને ઘ્યાનમાં રાખી નામ પાડવામાં આવે છે.

એટલું જ નહીં પોતાના નામનો પોકાર પડે તો સિંહને ખબર પણ પડે છે. સિંહની ટોળકીના પણ નામ પડે છે અને નામની આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. બાંડી, ઝાબો, કાળિયો, એકલમલ, તાડકા, બુઢ્ઢો, સુબાહુ, રામદાસ, ટી લિયો, પંચાનંદ વગેરે ગીર જંગલના સિંહ સિંહણોના નામ છે.

સાવજો પોતાનો ઇલાકો સ્થાયી મહદ અંશે તે વિસ્તારમાં જ રહેતા હોય સ્થાનિક લોકો સાવજોના નામ પાડી દે છે અને પછી સાવજને તે નામે જ ઓળખે છે. સિંહ સિંહણોના આ નામ પાછળની અજીબ કહાની છે. સાયનેસ પાસે એક સિંહ આંટા મારે છે જેને એકલા જ રહેવું ગમે છે.

માલધારીઓ અને જંગલખાતુ તેને ‘એકલમલ’ કહે છે. બે માલધારીઓ એક બીજાને સામા મળે અને આગળ એકલમલ બેઠો છે ઘ્યાન રાખજે તેમ કહે તો બહારના લોકોને કશી ખબર ન પડે પણ માલધારી બધુ સમજી જાય. જંગલ ખાતાનો સ્ટાફ પણ માલધારીઓ સાથે રોજીંદી ભાષામાં સિંહોનું લોકેશન મેળવવા આવા નામોનો જ સહારો લે છે.

સાયનેસ પાસે એક અતિ વિકરાળ કાયા ધરાવતા સિંહનું નામ ‘બુઢ્ઢો’ પડી ગયું છે. લોકોએ આ નામ તેની ઉંમરને ઘ્યાનમાં રાખીને આપ્યું છે. જયારે ધારી તાલુકાના મોણવેલ ગામની ગામની સીમમાં એક સાવજનું નામ ઝાથો ઉર્ફે ઝાબલો રખાયું છે. જેની ઉમર પંદરેક વર્ષની છે. જયારે જંગલમાં એક કદાવર સિંહણનું પૂછડું થોડુ કપાયેલું હોય ‘બાંડી’ તરીકે ઓળખાય છે.

તુલસીશ્યામથી થોડે દૂર જેનગરના જંગલમાં એક સિંહણનું નામ ‘ફૂલનદેવી’ રખાયું હતું. કોઇને જોતા વેંત જ આ સિંહણ અત્યંત આક્રમક બની જતી હતી અને પૂછડીને અજીબ રીતે ઝટકા મારતી હતી. બે વ્યક્તિ પર આ સિંહણે હુમલો પણ કર્યો હતો. તે વખતે ફૂલનદેવીનું નામ ચર્ચામાં હતું જેથી સિંહણનું નામ પણ ફૂલનદેવી રાખી દેવાયું.

આ જ વિસ્તારમાં રહેતા એક સિંહ-સિંહણની વર્તણૂક પાગલ જેવી હોય આ બેલડુ ‘ગાંડુ બેલાડ’ તરીકે ઓળખાતું. સિંહ સિંહણ મોઢામાંથી થૂંકના ફોરા ઉડાડવા એક બીજા પાછળ સતત દોડ્યે રાખવું અને ધીંગા મસ્તી કર્યે રાખતા તેની વર્તણૂંક પાગલપનમાં ખપતી. જયારે ખાંભા નજીક વાદળિયા હનુમાન આશ્રમ પાસે એક સિંહણ થોડી ઉજળી હોય ‘ધોબી સિંહણ’ તરીકે ઓળખાય છે.

એક સમયે સતાધાર અને કનકાઇ વચ્ચેના જંગલમાં આશ્રમ નાંખીને રહેતા બાજરિયાબાપુ સિંહોને વશમાં રાખી શકતા અહીંના જંગલમાં એક વિકરાળ અને ગમે ત્યારે આક્રમણ કરવાની વૃત્તિવાળી સિંહણ ‘તાડકા’ તરીકે ઓળખાતી. સિંહણની પ્રકૃતિ તાડકા જેવી હતી જેથી બાપુ તેને તાડકા કહેતા જયારે એક બળવાન સિંહને ‘સુબાહુ’ તરીકે ઓળખવામાં આવતો.

જંગલમાં વસવાટ કરતા એક સિંહના કપાળમાં ટીલુ દેખાતુ હોય તેનું નામ ‘ટીતિયો’ પડી ગયું હતું. ધારીના ગ્રામીણ વિસ્તારમાં અર્જુન અને ભીમ નામના બે સિંહો ભાઇઓની જેમ સાથે જ રહે છે. જયારે એક સિંહ અદભૂત તાકાત સાથે મારણ પર ત્રાટકતો હોય તેના ચાર પગ અને પાંચમા મોઢાની તાકાત ગણી ‘પંચાનંદ’ નામ અપાયું હતું.

જે નગરમાં વર્ષો પહેલાં એક સાવજનું નામ તેના રંગના આધારે ‘કાળિયો’ રખાયું હતું. ગીર જંગલમાં દીપડા હરણ વાંદરા મગર, નીલગાય સહિત સેંકડો પ્રાણીઓ રહે છે. પરંતુ સિંહો સિવાય એકેય પ્રાણીના નામ રાખવાની પરંપરા નથી. આ જ જંગલમાં રાજાની શાન છે.

સિંહ ટોળીના પણ અજબ-ગજબ નામ

ગીરના સાવજો તેની ટોળીના નામે પણ ઓળખાય છે. મઘ્ય જંગલમાં સાવજોની એક ટોળીના નવ સભ્યો હોય ‘નવનાથ’ તરીકે ઓળખાતી. જયારે સાત સિંહ અને સિંહણનું એક ગ્રુપ ગમે ત્યારે મારણ કરી આતંક મચાવતુ હોય ‘સાત નારી’ તરીકે ઓળખાતું.

જયારે અન્ય એક ટોળીમાં પાંચ સાવજ હોય ‘પંચનાથ’થી સ્થાનિક લોકો ઓળખે છે. જે લોકોને જંગલ સાથે કાયમનો પનારો છે. તેમના માટે આ નામો સામાન્ય છે. જયારે જંગલની દુનિયાથી અજાણ લોકો માટે આ નામો ‘રોમાંચક’ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032856_bhim_arjun_and_fulandevi_leave_togther_in_jungle.html

હોળી : પર્વ એક પરંપરા અનેક.

Monday, Mar 1st, 2010, 3:48 am [IST]
Bhaskar News, Junagadh

હોળીની ઉજવણી માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સોરઠમાં જુદાં જુદાં સ્થળોએ હોળી પ્રગટાવવા અને રંગે રમવા સિવાય પણ અનેક પ્રકારની પરંપરાઓ જોવા મળે છે. જેમાં ગાળો બોલવા, મેળાનું આયોજન તેમજ જમાનાને અનુરૂપ ઇકો ફ્રેન્ડલી હોળી વગેરેનો સમાવેશ થાય છે.

જૂનાગઢનાં બસ સ્ટેન્ડ પાસેથી દુધેશ્વર સોસાયટીનાં રહીશોએ આ વખતે હોળીમાં સેંકડો મણ લાકડાંનો ઉપયોગ કરવાને બદલે ફકત બે ફૂટ ઉંચી છાણાની હોળી પ્રગટાવવાનું નક્કી કરી ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવવાનું નક્કી કર્યાનું સોસાયટીનાં વિનુભાઇએ જણાવ્યું હતું.

અમે ધૂળેટીનાં દિવસે રાસાયણિક કલરનાં સ્થાને ગુલાલ વડે જ રંગે રમશે એમ ડો. વિરેન સંઘવી એ જણાવ્યું હતું. આજરોજ રાત્રે ગીરનાર ઉપર અંબાજી ખાતે હોળી પ્રગટાવાયા બાદ શહેરમાં ૧૦૦ જેટલાં સ્થળોએ હોળી પ્રગટાવાઇ હતી.

જૂનાગઢવાસીઓ તો દાયકાઓથી હુતાશણી નાં દિવસે સાંજે વ્યસનો અને કુરિવાજોને તિલાંજલિ આપવાનાં પ્રતિકરૂપે વાલમબાપાની ઠાઠડી કાઢી તેને હોળીમાં પધરાવવાની પરંપરા પણ નિભાવે છે. પોરબંદરમાં મહેર જ્ઞાતિનાં યુવાનો ધુળેટી થી સતત ત્રણ દિવસ દાંડિયારાસ રમે છે.

વેરાવળમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ નિમિત્તે. ભૈરવનાથની પ્રતિમા દર્શનાર્થે ખુલ્લી મુકાય છે. પથ્થર અને પલાળેલી માટી દ્વારા ભૈરવનાથની વિશાળ પ્રતિમા બનાવવા સાથે સામાજીક જનજાગૃતિનાં હેતુથી પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું.

તાલાલાનાં બોરવાવ ગામે રાનો વરઘોડો કઢાય છે. જેમાં ધેરૈયા યુવાનોની ટોળકી નક્કી કરે તેવા એક ધેરૈયાને ઉંધે ગધેડે બેસાડી ખાલી ડબ્બા બાંધી આખા ગામમાં ફેરવાય છે. જયારે કેશોદનાં ઇસરા ગામે ધૂળેટીનાં દિવસે ધુળેશ્વર બાપા નાગદેવતાની જગ્યા પર અનોખો મેળો યોજાય છે. આ મેળામાં ઘોડાગાડી અને બળદગાડાંની રેસ, મનોરંજનનાં સાધનો, કિર્તન મંડળી હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032624_holi_one_festival.html

Friday, March 5, 2010

સક્કર બાગ ઝૂમાંથી વાઘ, રીંછ વડોદરા મોકલાશે.

Monday, Mar 1st, 2010, 3:22 am [IST]

વેરાવળ તા.૪

વેરાવળ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાનો તરખાટ અવિરત રીતે ચાલુ છે.ગઇરાત્રે ઇશ્વરીયાથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલા ઇન્દ્રોઇ ગામે વાડીમાં બે ગાય નુ મારણ કર્યુ હતુ.વનવિભાગના જણાવ્યા અનુસાર હાલ માનવભક્ષી દિપડો ઇશ્વરેયાન સરંપચની વાડીની બાજુની વાડીમાં હોય ત્યાં નવા આધુનિક મકિાન જેવા પાંજરા ગોઠવી દેવાયા છે.

વેરાવળ પંથક હાલ તો સોમનાથ અને બીજુ દિપડાને લીધે ભારે ચર્ચામાં છે.ત્યારે ગ્રામ્યવિસ્તારમાં દિપડાઓ હાલ ભારે તરખાટ મચાવી લોકોમાં ભય ફેલાવી રહયા છે.રોજે રોજ કોઇને કોઇ ગામમાં દેખા દે છે.ગઇરાત્રે ઇશ્વરીયાથી ત્રણ કિ.મી. દુર ઇન્દ્રોઇ ગામે રામસિંહ ઓઘડની વાડીમાં એક દિપડો આવી ચડયો હતો.પાંચ વર્ષની એક ગાભણી ગાયનુ મારણ કર્યુ હતુ.જ્યાં આજે વનવિભાગ દ્વારા પાંજરૃ મુકી દીધુ છે.આ ઉપરાંત બાજુના નાવદ્રા ગામે પણ દિપડાએ ગઇ રાત્રે દેખા દિધી હતી.અને વાછરડીનુ મારણ કર્યુ હતુ.૨૦ દિવસ પહેલા બે મજુરી કરતી મહિલાઓને ફાડી ખાધા બાદ વહાલાક દિપડો વનખાતાને મચક આપી રહયો નહોય તેમ ૨૦ દિવસથી પસીનો પાડીને માનવભક્ષી દિપડો પકડાઇ તે માટે અવનવા નુસખા આદરવામાં આવી રહયા છે.પરન્તુ ચબરાક દિપડો પાંજરાની બાજુમાં આવી સુંઘીને જતો રહે છે.માનવભક્ષી દિપડો ૧૦ થી ૧૨ કિ.મી.ના ચાર ગામડાઓમા જ ફરી રહયો છે.વનવિભાગે જુનાપુરાણા પાંજરાને બદલે ૧૦ બાય ૧૦ નુ નવુ મકાન ટાઇપ પાંજરૃ બનાવી દિપડાને આકર્ષવા કવાયત કરી છે.આજે માનવભક્ષી દિપડો ઇશ્વરીયાના સરપંચની વાડીની બાજુમાં આવેલ વાડીમાં પડયો છે.તેને પકડવા બે પાંજરા મુકાયા છે ત્યારે આજે કદાચ આ દિપડો પાંજરામાં ફસાઇ જાય તેવી વનવિભાગે શક્યતા વ્યક્ત કરી હતી. આ વિસ્તારમાં જંગલી દીપડાઓએ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે દીપડો સત્વરે પકડાઈ જાય તેવી લોકમાંગ ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032215_tiger_and_bear_sent_at_vadodara.html

danik bhaskarસક્કર બાગ ઝૂમાંથી વાઘ, રીંછ વડોદરા મોકલાશે.

Monday, Mar 1st, 2010, 3:22 am [IST]
Bhaskar News, Junagadh

જૂનાગઢનાં સકકરબાગ ઝુ માં સીંગાપોરથી લાવવામાં આવેલા ચિત્તાઓ માંદગીનાં બિછાને હોઇ તેઓને છેલ્લા થોડા દિવસોથી ડીસ્પ્લેમાંથી ખસેડી લેવાયા હતા. તેમને સઘન સારવાર અપાયા બાદ તબિયત સુધરતાં પાછા ડીસ્પ્લેમાં મુકી દેવાયા છે. દરમ્યાન સક્કરબાગ ઝુમાંથી વાઘ-રીંછ જેવા પ્રાણીઓ વડોદરા ઝુ ખાતે મોકલવામાં આવનાર છે.

આ અંગેની વીગતો આપતાં સક્કરબાગ ઝુનાં નિયામક ડી.એફ.ઓ. વી.જે. રાણાએ જણાવ્યું હતું કે, ચિત્તાઓની તબિયત સુધરતાં તેમને આજથી પાછા ડીસ્પ્લેમાં પ્રદર્શિત કરાયા છે. સાથોસાથ બરોડા ઝુ સાથે એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ અહીંથી વાઘ, રીંછ અને થામીન હરણ ત્યાં મોકલાશે. તેના બદલામાં ૪ જાતનાં વિવિધ પક્ષીઓ અહીં લાવવામાં આવશે.

અત્રે નોંધનીય છેકે, છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી ચિત્તાઓ બિમાર પડી જતાં તેમને નિષ્ણાંતો દ્વારા સઘન સારવાર અપાઇ હતી. સતતપણે વેટરનરી તબીબોની દેખરેખ બાદ ચારેયની તબિયતમાં સુધારો જણાતાં ઝુ સત્તાવાળાઓએ પણ રાહતનો દમ ખેંચ્યો છે.

રજાઓ માણવા દીવ, સાસણમાં પર્યટકોનો ધસારો.

Bhaskar News, Junagadh, Diu, Talala, Veraval

હુતાશણી અને ધૂળેટીની રજાઓ દરમ્યાન દર વર્ષની જેમ દીવ, સાસણમાં સહેલાણીઓનો ભારે ધસારો થયો છે. તમામ હોટલોનાં બુકીંગ ફૂલ થઇ ગયા છે. તો અમુક સ્થળે રૂમનાં ભાડાં ડબલ કરી દેવાયા છે. દીવમાં તો વિદેશી પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

સાસણમાં પણ સિંહ દર્શનની પરમીટ માટે સિંહ સદન ખાતે પર્યટકોની લાઇનો લાગી છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં ધાર્મિક સ્થળો, જ્ઞાતિની જગ્યાઓમાં જોકે આ વર્ષે પાંખી હાજરી જોવા મળી છે.

દીવ પર્યટકોથી ઉભરાઇ ગયું છે.

તમામ હોટલોમાં સામાન્ય દિવસો કરતાં ભાડા બમણાં કરી દેવાયા છતાં હોટલો હાઉસફૂલ થઇ ગઇ છે. હુતાશણીનાં દિવસે દીવનાં સ્થાનિક લોકો હોળી પ્રગટાવે છે ત્યારે બહારગામથી આવેલાં પર્યટકો પણ આ દિવસે હોળીનાં દર્શન કરતા હોય છે.

સાથોસાથ તેઓ દીવની પરંપરાથી વાકેફ બને છે. આ તકે દીવની મુલાકાતે આવેલા વિદેશીઓ પણ હેપ્પી હોલી બોલતા જોવા મળે છે. જોકે, ખાસ શરાબનો જ નશો કરવા દીવ આવેલા લોકો કુદરતી સૌંદર્ય માણવા સાથે રંગોત્સવમાં શરાબનો નશો ભેળવી સમુદ્ર તટે મોજમસ્તી અને પાણીમાં ધુબાકા મારવાનું પસંદ કરે છે.

સાસણ ખાતે વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંનાં તમામ હોટલ રીસોર્ટ હાઉસફૂલ જોવા મળે છે. સિંહ સદનમાં તો ૩ દિવસ અગાઉથી જ બુકીંગ ફૂલ થઇ ગયું છે. દેવળીયા પાર્ક તેમજ અભ્યારણ્યમાં સિંહ દર્શનની પરમીટ મેળવવા પર્યટકો વહેલી સવારથી જ સિંહ સદનમાં લાઇનો લગાવતા જોવા મળે છે. તમામ પ્રવાસીઓને સિંહ દર્શનનો લાભ મળે તે માટે ડી.એફ.ઓ. સંદિપકુમાર, આર.એફ.ઓ. જોષી દ્વારા વિશિષ્ટ આયોજન કરાયું છે. વેરાવળમાં જોકે, સંવેદનશીલતાને લઇ સહેલાણીઓનો ટ્રાફિક

ઓછો જોવા મળી રહ્યો છે. સોમનાથ ખાતે ફકત ભાવિકોની જ હાજરી જોવા મળે છે.

જૂનાગઢની ભવનાથ તળેટી સ્થિત ધર્મશાળાઓ, જ્ઞાતિની જગ્યાઓ, આશ્રમો વગેરે સ્થળોએ જોકે આજે સાંજ સુધી સહેલાણીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301032403_tourist_comes_in_diu_for_vacation.html

ઘઉંને પાણી પાઈ રહેલા ખેડૂત પર દીપડાનો હુમલો.

સાવરકુંડલા તા.૨૮ :

સાવરકુંડલા તાલુકામાં વન છોડીને દીપડાઓ અને સિંહો નાગરિક વિસ્તારોમાં ધસી આવ્યા છે. આજે તાલુકાના ઓળિયા ગામે વાડી વિસ્તારમાં એક ખેડુત ઘઉમાં પાણી પાઈ રહ્યાં હતા એ સમયે અચાનક વાડમાંથી દીપડો બહાર આવીને ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની વધુ વિગત મુજબ સાવરકુંડલા તાલુકાનાં ઓળિયામાં હસમુખ પોપટભાઈ મોરડિયા નેસડી રોડ પર આવેલી વાડીએ સવારે દશ વાગ્યે ઘઉમાં પાણી વાળી રહ્યાં હતા.

એ સમયે અચાનક વાડમાંથી દીપડો કુદીને બહાર આવી સીધા હસમુખભાઈ પર હુમલો કરી દીધો હતો. છાતી પર, ડાબા હાથ પર,પીઠ પર હુમલો કરી દેતાં એ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેને સારવાર માટે સાવરકુંડલાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનવ પર હુમલો કરનાર આ દીપડો આદમખોર બની જાય એ પહેલા વનવિભાગ પકડી પાડે એવી માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=164143