Wednesday, June 17, 2009

રણકાંઠામાં અભ્યારણ્ય વિભાગના વ્યાપક દરોડા.

Bhaskar News, Patadi
Wednesday, June 17, 2009 02:51 [IST]

શિકારીઓ દ્વારા રણકાંઠાની સીમમાં રાતના અંધારામાં નીલગાય સહિતના પ્રાણીઓનો બેરોકટોક શિકાર થતો હોવા અંગે તા. ૧૫ જૂને ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ બાદ અભ્યારણ્ય વિભાગની ટીમો દ્વારા રણકાંઠાના ગામડાઓમાં વ્યાપક દરોડાઓ પાડવામાં આવ્યાં હતા.

આ કાર્યવાહીથી જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાટડીના રણકાંઠાના અભ્યારણ્ય વિસ્તારમાં ઘૂડખર, નીલગાય, કાળિયાર, ચીંકારા, વરુ સહિતના પ્રાણીઓ જોવા મળે છે. ત્યારે રણકાંઠામાં રાતના અંધારામાં પ્રાણીઓનો શિકાર મોટા પ્રમાણમાં થતો હોવાની સાથે આ પ્રાણીઓનું માંસના વેચાણ કરવા અંગેના નેટવર્ક અંગે ગત ૧૫ જૂને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

આ બાદ અભ્યારણ્ય વિભાગની ટીમો દ્વારા પાટડીના ફતેપુર, રોઝવા સહિતના ગામમાં દરોડાઓ પાડી તપાસના ચક્રો ગતિમાન કરાતા જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે અભ્યારણ્ય વિભાગની ટીમે દરોડાઓ પાડી સરપંચ સહિતના ગામ આગેવાનોના જવાબો લેવાનું શરૂ કર્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2009/06/17/0906170251_battle_field_meant_dipartment_robbery.html

No comments: