Wednesday, November 15, 2017

અમરેલીઃ સમઢિયાળામાં શિકાર કરવા આવેલી સિંહણ કુવામાં ખાબકી

Jaydev Varu, Amreli | Last Modified - Nov 01, 2017, 12:36 AM IST
વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી
અમરેલીઃ રાજુલા તાલુકાના સમઢિયાળા ગામ ખાતે એક ખેડૂતની વાડીમાં પશુનો શિકાર કરવા માટે સિંહણ આવી હતી, જોકે શિકારનો પીછો કરતા-કરતા સિંહણ કુવામાં ખાબકી હતી. આ વાતની જાણ આસપાસના ખેડૂતોને થતાં તેમણે તુરંત જ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે ભારે જહેમત બાદ સિંહણને બચાવી હતી.
સ્થાનિક સિંહ પ્રેમી આતાભાઈ વાઘ પણ દોડી આવ્યા હતા, બાદમાં મોટી સંખ્યામાં સિંહ દર્શન કરવા માટે આસપાસના ગામ લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થાનિક ખેડૂતનો વાવેલા કપાસમાં ભારે નુક્સાન કરતા ખેડૂત વન વિભાગ અને સ્થાનિકો સામે રોષે ભરાયા હતા. ખેડૂત એ હદે રોષે ભરાયા હતા કે તેમણે વન વિભાગને જણાવ્યું હતું કે ખેતરમાં થયેલા નુક્સાનનું વળતર આપો ત્યારે જ તમારી ગાડી અને સિંહણને અહીંથી લઇ જવા દેવામાં આવશે.
પરિસ્થિતિ ઉગ્ર બને તે પહેલા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. અમુક સમય માટે અહીંથી વન વિભાગને સિંહણને લઇ જવી મુશ્કેલ બની ગઇ
હતી. વન વિભાગે સ્થાનિક ખેડૂતને વળતર આપવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

વનતંત્ર અને વાડી માલિકો વચ્ચે ટકરાવ

અહીં વનતંત્રનું રેસ્ક્યુ ઓપરેશન નિહાળવા લોકોના ટોળેટોળા એકઠા થતા કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેના કારણે વન તંત્ર અને વાડી માલિક વચ્ચે ટકરાવ થયો હતો મહિલા ખેડૂતે  તંત્ર સામે રોષ વ્યક્ત કરી વળતર ન મળે ત્યાં સુધી સિંહણને ન લઈ જવા જીદ કરાઈ હતી જેના કારણે તંત્રને પણ પરસેવો વળી ગયો હતો. 

પોલીસે મામલો થાળે પાડયો

ખેડૂત પરિવારે પાકને નુકસાન અંગે વળતરની માંગણી કરતા મામલો થોડીવાર તંગ બન્યો હતો. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. વનતંત્રે પણ નુકસાનીના વળતરની ખાતરી આપી હતી.

સિંહોની સુરક્ષામાં છીંડા: આતાભાઇ

સ્થાનિક સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતું કે વનતંત્રએ જાગરૂકતા દાખવી ખુલ્લા કુવાઓ સુરક્ષીત થાય તે માટે પ્રયત્ન કરવા જોઇએ. વારંવાર આવી ઘટના બને છે અને સાવજોની સુરક્ષામાં છીંડા જોઇ શકાય છે.
વનતંત્ર અને વાડી માલિકો વચ્ચે ટકરાવ
અહીં વનતંત્રનું રેસ્ક્યુ ઓપરેશન નિહાળવા લોકોના ટોળેટોળા એકઠા થતા કપાસના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. જેના કારણે વન તંત્ર અને વાડી માલિક વચ્ચે ટકરાવ થયો હતો મહિલા ખેડૂતે  તંત્ર સામે રોષ વ્યક્ત કરી વળતર ન મળે ત્યાં સુધી સિંહણને ન લઈ જવા જીદ કરાઈ હતી જેના કારણે તંત્રને પણ પરસેવો વળી ગયો હતો. 

પોલીસે મામલો થાળે પાડયો

ખેડૂત પરિવારે પાકને નુકસાન અંગે વળતરની માંગણી કરતા મામલો થોડીવાર તંગ બન્યો હતો. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. વનતંત્રે પણ નુકસાનીના વળતરની ખાતરી આપી હતી.
 
સિંહોની સુરક્ષામાં છીંડા: આતાભાઇ

સ્થાનિક સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતું કે વનતંત્રએ જાગરૂકતા દાખવી ખુલ્લા કુવાઓ સુરક્ષીત થાય તે માટે પ્રયત્ન કરવા જોઇએ. વારંવાર આવી ઘટના બને છે અને સાવજોની સુરક્ષામાં છીંડા જોઇ શકાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-lioness-drown-in-well-during-chasing-animal-gujarati-news-5733927-PHO.html?seq=2


અમેરલીઃ મોડી રાત્રે હાઇવે પર સિંહ દર્શન, એક સાથે 11 સિંહો ચઢી આવ્યા


Jaydev Varu, Amreli | Last Modified - Nov 03, 2017, 03:56 PM IST
મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગયા હતા
અમરેલીઃ સિંહના ટોળા ન હોય એવી કહેવત છે પરંતુ આપણને ગીર પંથકમાં અનેકવાર સિંહ પરિવાર એક સાથે જોવા મળે છે, તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. તાજેતરમાં જ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર 11 જેટલા સિંહોનું ટોળું આવી ચઢ્યું હતુ. એક સાથે ડઝનેક સિંહ જોવા મળતા ત્યાંથી પસાર થઇ રહેલા મુસાફરોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ ગયા હતા.
રાજુલા તાલુકાના જોલાપુર નદીના બ્રિજ પર સિંહ પોતાના પરિવાર સાથે વિહરવા નીકળ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા મુસાફરોએ તેને કેમેરામાં કેદ કરી લીધા હતા. આ અંગે જ્યારે સ્થાનિકો પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં પશુનો શિકાર કરી માર્ગ પર સિંહોનું ટોળું આવી ચઢ્યું હશે. જ્યારે સ્થાનિક વન વિભાગ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.

સાવરકુંડલાનાં લીખાળા ગામ નજીક દિપડો ખાડામાં ખાબકયો

સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ ઉભી કરવામા આવી છે
Jaydev Varu, Amreli | Last Modified - Nov 04, 2017, 11:46 PM IST
સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ ઉભી કરવામા આવી છે
 
20 ફુટ ઉંડા ખાડામાંથી દીપડાને બહાર કાઢવામાં આવ્યો
અમરેલી: સાવરકુંડલા તાબાના લીખાળા નજીક ગૌચરમા અનેક પવનચક્કીઓ ઉભી કરવામા આવી છે. અહી મેવાસા વડાળને અડીને આવેલા બૃહદ ગીર ગણાતા વિસ્તારમા પવનચક્કીના અર્થિગ આપવાના ખાડામા એક દિપડો ખાબકયો હતો. ઘટનાને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમ અહી દોડી ગઇ હતી અને દિપડાને બચાવી લીધો હતો.
20ફુટ ઉંડામા દિપડો ખાબકયાની આ ઘટના સાવરકુંડલાના લીખાળા ગામ નજીક બની હતી. અહી પવનચક્કી માટે બનાવેલા અર્થિગના ખાડામા અચાનક દિપડો ખાબકયો હતો. ઘટનાની જાણ થતા તાબડતોબ વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. આરએફઓ ચાંદુ, સી.એમ.બાલાસા, વી.ડી.પુરોહિત, જે.સી.ગૌસ્વામી, હુશેનભાઇ, ભીમજીભાઇ, હિમતભાઇ, શીલુભાઇ, સાગરભાઇ, ધીમનભાઇ, ત્રિકમદાસ સહિત વનકર્મીઓએ બે કલાકની જહેમત ઉઠાવી હતી. બે કલાકની મહેનત બાદ વનવિભાગે દિપડાને સલામત રીતે ખાડામાથી બહાર કાઢી પાંજરે પુર્યો હતો. 
  • +2બીજી સ્લાઈડ્સ જુઓ
    20 ફુટ ઉંડા ખાડામાંથી દીપડાને બહાર કાઢવામાં આવ્યો
    આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓ વસે છે

    આ વિસ્તારમા શેડયુલ-1ના સિંહ, દિપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારોમા હવે પવનચક્કીઓ પણ પ્રાણીઓ માટે જોખમી સાબિત થતી હોય તેમ જોવા મળી રહ્યું છે.

    લામધાર વિસ્તારમાં  સાવજોનો વસવાટ

    અહી ગીરના કોરીડોરમાથી નીકળતો લામધાર વિસ્તારમા અંદાજીત 8 થી 10 સાવજો પણ વસવાટ કરે છે. ગીરથી છેક ભાવનગર સુધીના કોરીડોરમા સિંહની અવરજવર રહે છે. આગામી દિવસોમા આ વિસ્તારોમા પવનચક્કીઓના કારણે પણ પ્રાણીઓને જોખમ ઉભુ થવાની દહેશત સિંહપ્રેમીઓ કરી રહ્યાં છે.
     
  • વનવિભાગે બે કલાક રેસ્કયુ ઓપરેશન કરી પાંજરે પૂર્યો
    વનવિભાગે બે કલાક રેસ્કયુ ઓપરેશન કરી પાંજરે પૂર્યો
    આ વિસ્તારમાં અનેક જંગલી પ્રાણીઓ વસે છે

    આ વિસ્તારમા શેડયુલ-1ના સિંહ, દિપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારોમા હવે પવનચક્કીઓ પણ પ્રાણીઓ માટે જોખમી સાબિત થતી હોય તેમ જોવા મળી રહ્યું છે.

    લામધાર વિસ્તારમાં  સાવજોનો વસવાટ


    અહી ગીરના કોરીડોરમાથી નીકળતો લામધાર વિસ્તારમા અંદાજીત 8 થી 10 સાવજો પણ વસવાટ કરે છે. ગીરથી છેક ભાવનગર સુધીના કોરીડોરમા સિંહની અવરજવર રહે છે. આગામી દિવસોમા આ વિસ્તારોમા પવનચક્કીઓના કારણે પણ પ્રાણીઓને જોખમ ઉભુ થવાની દહેશત સિંહપ્રેમીઓ કરી રહ્યાં છે.
 
 

સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી

Bhaskar News, Amreli | Last Modified - Nov 05, 2017, 02:46 AM IST
અમરેલી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર સાવજોએ સર કરી લીધો છે
સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી

સાવજોના મોતની વારંવાર બનતી ઘટના બાદ વનતંત્રની બેકાળજી
અમરેલી: જંગલના સાવજો રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા હોય તો સ્વાભાવિક રીતે જ અવાર નવાર રસ્તા પર પણ આવી ચડવાના. અમરેલી જીલ્લાનો મોટાભાગનો વિસ્તાર સાવજોએ સર કરી લીધો છે. ત્યારે આ સાવજો જોખમી રીતે વાહનોની ભારે અવર જવરવાળા હાઇ-વે પર પણ આવી ચડે છે. અવાર નવાર સાવજો વાહન હડફેટે ચડી મોતને ભેટી રહ્યા છે ત્યારે સાવજોની રક્ષા માટે વનતંત્રએ નક્કર પગલા લેવાનો સમય પાકી ગયો છે.
ગઇકાલે એક સાથે 11 સાવજોનું ટોળુ રાજુલાના ઝોલાપર નજીક પુલ પર આવી ચડ્યુ હતું. આવા દ્રશ્યો અવાર નવાર સર્જાઇ રહ્યા છે. બલ્કે દરરોજ દિવસમાં અનેક વખત આવુ બને છે. તેનાથી સૌથી મોટુ જોખમ સાવજોને જ છે. પીપાવાવ પોર્ટ ધમધમતુ થયા બાદ રોજ હજારો ભારે વાહનોની અવર જવર થાય છે અને આ વિસ્તારના રસ્તાઓ પર સાવજો સૌથી વધુ નજરે પડે છે. જેને લીધે અકસ્માતની પણ અહિં વધુ સંભાવના રહે છે. ભુતકાળમાં પીપાવાવ ફોર-વે પર વાહન હડફેટે સાવજોના મોત થઇ ચુક્યા છે.
રસ્તા પર આવી જતા સાવજો અહિં વારંવાર વાહન વ્યવહાર થંભાવી દે છે. વાહન ચાલકો ફોટોગ્રાફી પણ કરે છે અને કાંકરીચાળો પણ કરે છે. દુર્ભાગ્યે વનતંત્ર આવા સમયે ક્યાંય નજરે પડતુ નથી. અકસ્માતમાં સિંહોના મોતની ઘટના બાદ પણ વનતંત્ર દ્વારા રસ્તા પર સતત પેટ્રોલીંગ કરાતુ નથી. લોકો દ્વારા જાણ કરાઇ તો પણ વનકર્મીઓ ડોંકાતા નથી. આવનારા સમયમાં પણ સાવજોની સંખ્યા વધવાની અને સાથે સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે.
રેલ લાઇન વારંવાર સાવજોનો ભોગ લે છે

પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ લાઇન સાવજો માટે કાળમુખી બની છે. ભેરાઇ નજીક બે ગર્ભવતી સિંહણ માલગાડી હડફેટે કપાતા તેના ત્રણ બચ્ચા પણ મોતને ભેટ્યા હતાં. સાવરકુંડલા નજીક ટ્રેઇન હડફેટે સિંહબાળનું મોત થયુ હતું. તો ઉચૈયા નજીક અને તાજેતરમાં વડલી નજીક પણ ટ્રેઇન હડફેટે સાવજના મોતની ઘટના બની ચુકી છે.
વનતંત્ર દ્વારા પગલાં જરૂરી : આતાભાઇ

અહિંના સિંહપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યુ હતું કે રેલવે ટ્રેક તથા રસ્તા પર સાવજોના મોતની ઘટનાઓ અટકાવવા વિશેષ પગલા જરૂરી બન્યા છે. અગાઉ રેલવેએ કરેલી તમામ જાહેરાતોનો કડક અમલ થવો જોઇએ. યોગ્ય પેટ્રોલીંગ નહી કરનારા સામે યોગ્ય પગલા લેવાવા જોઇએ.

રાજુલામાં ઘરમાં આવી ચઢેલો સાપ શિકાર કરવા પક્ષીનાં પાંજરામાં ઘુસ્યો


Bhaskar News, Rajula | Last Modified - Nov 07, 2017, 12:42 AM IST
પરીવાર નિંદ્રામાં હતો તેવા સમયે આ સાપ શિકાર કરવા માટે ઘરમાં રાખેલા પક્ષીના પાંજરામાં ઘૂસ્યો હતો. પેટની ભૂખ ભાંગવા માટે પ

રાજુલામાં ઘરમાં આવી ચઢેલો સાપ શિકાર કરવા પક્ષીનાં પાંજરામાં ઘુસ્યો
રાજુલામાં ઘરમાં આવી ચઢેલો સાપ શિકાર કરવા પક્ષીનાં પાંજરામાં ઘુસ્યો
રાજુલા: રાજુલામાં બ્રાહ્મણ સોસાયટીમાં ગઈકાલે રાત્રે બની હતી. જાણવા મળતી વિગત અનુસાર અહીં રહેતા ખોડીયાર પાનવાળા ભરતભાઈ બ્રાહ્મણના ઘરમાં ગઇરાત્રે એક કોબ્રા સાપ ઘૂસી આવ્યો હતો. પરીવાર નિંદ્રામાં હતો તેવા સમયે આ સાપ શિકાર કરવા માટે ઘરમાં રાખેલા પક્ષીના પાંજરામાં ઘૂસ્યો હતો. પેટની ભૂખ ભાંગવા માટે પાંજરામાં રહેલા લવ બર્ડનો શિકાર કર્યો હતો.
કોબ્રાએ પક્ષીનો શિકાર તો કર્યો પરંતુ બાદમાં તે પાંજરાની બહાર નીકળી શક્યો ન હતો. સવારે આ અંગે ઘર માલિકને જાણ થતાં રાજુલાના સર્પ સરક્ષણ મંડળને જાણ કરવામાં આવી હતી. જેને પગલે સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટ ત્યાં દોડી ગયા હતા, અને પાંજરામાંથી કોબ્રાને પકડી લીધો હતો. આ સાપને બાદમાં જંગલ વિસ્તારમાં મુકત કરી દેવાયો હતો. જેને પગલે પર માલિકે રાહતનો દમ લીધો હતો.

વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરી

DivyaBhaskar News Network | Last Modified - Nov 09, 2017, 02:00 AM IST

જૂનાગઢ,ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે...
વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરી
જૂનાગઢ,ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. ઘટના વન વિભાગનાં ધ્યાને આવતાં વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે.

વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રેવન્યુ વિસ્તારની આસપાસ સિંહ દર્શન બેરોકટોક ચાલી રહ્યા છે. અમરેલી અભયારણ્ય વિસ્તારમાં પણ ગે.કા. સિંહ દર્શન થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હાલ સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવામાં આવી રહ્યાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા વન વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. અને અચાનક જાગેલું તંત્ર કામે લાગી ગયું છે. વિડીયો ક્યા વિસ્તારનો છે અંગે વન વિભાગે હાલ તો મૌન સેવી લીધું છે. પરંતુ સિંહ પાછળ બાઇક દોડાવનાર શખ્સોને પકડી લેવા વન વિભાગે જુદી-જુદી ચાર ટીમો બનાવી હોવાનું વન વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમરેલી, તાલાલા, ભાવનગરનાં જંગલ વિસ્તારનો વિડીયો હોવાની ઉઠી ચર્ચા

વાયરલથયેલો વિડીયો અમરેલી, તાલાલા અથવા ભાવનગર વિસ્તારનો હોવાની ચર્ચા હાલ વન વિભાગમાં ચાલી રહી છે. પરંતુ લોકેશન અંગે વન વિભાગે હાલ મૌન સેવી લીધું છે.

લોકેટથયા છે : સીસીએફ

અંગેસીસીએફ એ. પી. સિંઘે જણાવ્યું હતું કે, આરોપીઓ હાલ લોકેટ થયા છે. કાલ સુધીમાં શખ્સો પકડાઇ જાય એવી શક્યતા છે. હાલ વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.

સિંહ-સિંહણ પાછળ બાઇક દોડાવવાનાં વાયરલ થયેલા વિડીયોમાં એક બાઇક અને બે સવાર નજરે પડે છે. વિડીયો ઉતારનાર શખ્સો પણ બાઇક ઉપર હોવાનું માલુમ પડે છે. બાઇક જીજે-3 પાર્સીંગનું હોવાનું પણ જાણવા મળ્યું છે. તસ્વીર-ભાસ્કર

વાયરલ થયેલા વિડીયોમાં એક બાઇક અને બે બાઇક સવાર નજરે ચઢે છે

લાઠી તાલુકાનાં નાના રાજકોટ ગામમાં સગીરે બેધ્યાનપણે વાડીનાં પાણીનાં ધોરીયામાંથી ઝેરી દવા વાળુ પાણી પી લેતા તબીયત લથડી

DivyaBhaskar News Network | Last Modified - Nov 10, 2017, 04:40 AM IST

ચલાલાનાયુવકે પાણી પીવાના બદલે ભૂલથી એસીડી પી લેતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે લાઠીના...
લાઠી તાલુકાનાં નાના રાજકોટ ગામમાં સગીરે બેધ્યાનપણે વાડીનાં પાણીનાં ધોરીયામાંથી ઝેરી દવા વાળુ પાણી પી લેતા તબીયત લથડી
ચલાલાનાયુવકે પાણી પીવાના બદલે ભૂલથી એસીડી પી લેતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યારે લાઠીના નાના રાજકોટમાં એક સગીરે ઝેરી દવાવાળુ પાણી પી લેતા ઝેરી અસર થતાં તેને પણ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામા આવ્યો હતો. બારામાં આગળની કાર્યવાહી પોલીસે હાથધરી હતી.

ચલાલામાં રહેતાં રામભાઇ પ્રતાપભાઈ વાળા નામના યુવકે બે દિવસ પહેલા પોતાના ઘરે પાણી પીવાના બદલે ભૂલથી એસિડ પી લીધુ હતુ.આ બાદ યુવકને સારવાર માટે પ્રથમ ચલાલા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યા યુવકની સારવાર ચાલી રહી છે. બારામાં આગળની કાર્યવાહી પોલીસે હાથધરી હતી.

જ્યારે લાઠી તાલુકાના નાના રાજકોટમાં રહેતા વનરાજભાઈ ભૂરાભાઈ કનાલા નામના સગીરે વાડીમાં ચાલતા પાણીના ધોરિયામા પાણી પી લીધુ હતુ. પાણી ઝેરી હોવાથી સગીરાને અસર થતા સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

રાત્રિનાં સમયે યુવાન ખેતરે જઇ રહ્યો હતો ત્યારે બની ઘટના

DivyaBhaskar News Network | Last Modified - Nov 13, 2017, 04:40 AM IST
વડિયાતાલુકાના દેવગામ ગામના એક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતા મોત થયું હતું. કુવા કાંઠે પગ લપસી જતાં તે...
રાત્રિનાં સમયે યુવાન ખેતરે જઇ રહ્યો હતો ત્યારે બની ઘટના
વડિયાતાલુકાના દેવગામ ગામના એક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતા મોત થયું હતું. કુવા કાંઠે પગ લપસી જતાં તે કુવામાં ખાબક્યો હતો.

યુવા ખેડૂતોના મોતની ઘટના વડીયા તાલુકાના દેવગામ ગામની સીમમાં ગઈકાલે સાંજે સાતેક વાગ્યા આસપાસ બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દેવગામના દિલીપભાઈ નાનજીભાઈ પાંચાણી (ઉ.વ. ૪૨) નામના યુવકનું કૂવામાં પડી જવાથી મોત થયું હતું. તેઓ રાત્રીના સમયે કપાસમાં પાણી વાળવા માટે ગયા હતા. અને કાંઠા વગરના કૂવામાં પાણી જોવા જતાં અકસ્માતે તેમનો પગ લપસી જતા કૂવામાં પડી જવાથી તેમનું મોત થયું હતું.

અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન

Bhaskar News, Amreli | Last Modified - Nov 12, 2017, 12:02 AM IST

જિલ્લાનાં દરિયાકાંઠે કુંજ અને ફલેમીંગો પક્ષીઓ આવ્યા : હવે પેલીકનનુ પણ આગમન થશે
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન
અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે વિદેશી પક્ષી બન્યાં મહેમાન
અમરેલી: દર વર્ષે શિયાળામા અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ પંથકના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. ઓણસાલ પણ ધીમેધીમે કુંજ પક્ષીઓનુ આગમન થઇ ચુકયુ છે. આગામી દિવસોમા ફલેમીંગો અને પેલીકન પક્ષીઓ પણ મોટી સંખ્યામા ઉતરાણ કરશે. અમરેલી જીલ્લાના જળાશયોમાં દર વર્ષે લાખો પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે.

રાજુલાના વિકટર, ચાંચ, કથીરવદર, પીપાવાવ પંથકમા વિદેશી કુંજ પક્ષીઓનુ આગમન થયુ છે. શિયાળાની ઋતુમા સાઇબીરીયાથી ફલેમીંગો અને પેલીકન પક્ષીઓ પણ અહી મોટી સંખ્યામા ઉતરાણ કરે છે અને આખો શિયાળો રોકાણ કરે છે. અહીના જળાશયોમા પાણી ભરેલુ રહેતુ હોય તેમજ ખોરાક પણ મળી રહેતો હોય આ પક્ષીઓને આ વિસ્તાર અનુકુળ આવી ગયો છે.

વિકટરના ખારાપાટ વિસ્તાર તેમજ મીઠાના અગરો આસપાસ આ પક્ષીઓ વસવાટ કરે છે. આ વિસ્તારોમા વિદેશી પક્ષીઓનુ આગમન થતા મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. હાલ વિદેશી પક્ષીઓનુ ધીમેધીમે આગમન થતા પક્ષીપ્રેમીઓમા પણ ભારે ખુશી જોવા મળી રહી છે. અમરેલી આસપાસના જળાશયોમાં પણ હવે ધીમે ધીમે પ્રવાસી પક્ષીઓનું આગમન થઇ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીનો ચમકારો જોવા મળતા વિદેશી પક્ષીઓ અમરેલી જિલ્લાનાં મહેમાન બન્યા છે.
વનવિભાગ દ્વારા પેટ્રોલીંગ કરવામા આવે
આ વિસ્તારોમા આવતા વિદેશી પક્ષીઓનો કોઇ શિકાર ન કરે તે માટે વનવિભાગ દ્વારા શિયાળા દરમિયાન અહી સઘન પેટ્રોલીંગ કરવામા આવે તેવુ પણ પ્રકૃતિ પ્રેમીઓ અલ્પેશ વાજા, અજય શિયાળ, શૈલેષભાઇ, કિશોરભાઇ દ્વારા માંગણી કરવામા આવી છે.
ફલેમીંગોના ઝુંડ નજરે પડી રહ્યા છે

અમરેલીના જાણીતા પર્યાવરણ પ્રેમી જીતુભાઇ તળાવીયાએ જણાવ્યું હતું કે હવે ફલેમીંગોના ઝુંડ નજરે પડી રહ્યા છે. અને અમરેલી આસપાસના જળાશયો પર ઉતરી રહ્યા છે. તસ્વીર- જયેશ લીંબાણી

સાવજ સાથે સેલ્ફી લેનાર ખાનગી કંપનીનાં અધિકારીઓને દંડ લઇ છોડી દેવા હિલચાલ

Bhaskar News, Rajula | Last Modified - Nov 12, 2017, 12:49 AM IST
ઉપરથી દબાણ આવતા વનઅધિકારીઓ પણ મુંઝવણમાં, પાઠ ભણાવવા માંગ
સાવજ સાથે સેલ્ફી લેનાર ખાનગી કંપનીનાં અધિકારીઓને દંડ લઇ છોડી દેવા હિલચાલ
સાવજ સાથે સેલ્ફી લેનાર ખાનગી કંપનીનાં અધિકારીઓને દંડ લઇ છોડી દેવા હિલચાલ
રાજુલા: જાફરાબાદના લુણસાપુરની સિન્ટેક્ષ કંપનીના બે અધિકારીની સિંહ સાથે સેલ્ફીનો વીડીયો વાઇરલ થયા બાદ વન વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરવાને બદલે ઉપરથી આવેલા દબાણને પગલે આ પ્રકરણ કઇ રીતે પુરૂ કરવું તેની મુંઝવણમાં મુકાયું છે. લુણસાપુરની સિન્ટેક્ષ કંપનીના સિક્યુરીટી અધિકારીઓ આ વિસ્તારમાં સિંહ સાથે સેલ્ફી લેતા હોય અને ફોટોગ્રાફી કરતા હોય તેવો વીડીયો વાઇરલ થયો હતો. ત્યારબાદ સિંહ પ્રેમીઓમાંથી આ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ ઉઠી હતી.
વન વિભાગ દ્વારા ગઇકાલથી જ તપાસ શરૂ કરી દેવાય હતી. જોકે હવે ઉપરથી દબાણ આવ્યું હોવાનું કહેવાય છે જેને પગલે વનતંત્ર પણ નીચી મુંડી કરીને બેઠુ છ.એવું કહેવાય છે કે હવે વનઅધિકારીઓ આ પ્રકરણ કેમ પતાવવું તેની મુંઝવણમાં મુકાયા છે. જવાબદારો સામે આકરા પગલાં લેવાને બદલે દંડ વસુલી મામલો ખતમ કરવા પર વિચારણા થઇ રહી છે. અહીંના સિંહ પ્રેમી અશોકભાઇ સાંખટ તથા આતાભાઇ વાઘે વન વિભાગ દ્વારા નિયમ મુજબ અટકાયતી પગલાં લેવામાં આવે અને સાવજોની પજવણી કરતા તત્વોને સબક શિખવાડવામાં આવે તેવી માંગ કરી છે.

અમરેલીઃ સિક્યોરિટી ગાર્ડની સિંહ સાથેની સેલ્ફીનો વીડિયો થયો વાયરલ

Jaydev Varu, Amreli | Last Modified - Nov 11, 2017, 02:00 AM IST
આ વીડિયો વાયરલ થતાં વનતંત્રની કાર્યશૈલી સામે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે.
પરપ્રાંતિય કર્મચારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતાં રહે છે
રાજુલા: જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીના અધિકારીઓ હવે સાથે સિંહ સાથે સેલ્ફીના વિવાદમાં સપડાયા છે. આજે સોશ્યલ મીડિયામાં કંપનીના સિક્યુરિટી હેડ અને સિક્યુરિટી ઓફિસર સિંહ સાથે ફોટા પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થતા વનતંત્રની દોડધામ શરૂ થઈ હતી. ડીએફઓએ આ અંગે તાકીદે તપાસનો આદેશ કરતા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

લુણસાપુર સિન્ટેક્સ કંપની કે તેના અધિકારીઓ પાછલા ઘણા સમયથી સતત કોઈને કોઈ વિવાદમાં સપડાયેલી રહે છે. કંપનીના અધિકારીઓના કારનામા સતત ચમકતા રહે છે. હવે કંપનીના અધિકારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતા હોય અને સિંહ સાથે સેલ્ફી પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. સિંહ સાથે આ રીતે ફોટા પડાવવા તે ગુનો બનતો હોવાનું જાણવા છતાં અધિકારીઓ દ્વારા આ કૃત્ય થતાં સિંહપ્રેમીઓ રોષે ભરાયા છે. જાણવા મળતી વિગત અનુસાર લુણસાપુરની કંપનીના સિક્યુરિટી હેડ પી.બી. ચૌધરી તથા સિક્યુરિટી ઓફિસર રાજેશ મિશ્રાનો આ વીડિયો વાયરલ થયો હતો.

કેટલાક યુવાનો સાથે અધિકારીઓ સાવજોના વિસ્તારમાં નજરે પડી રહ્યા છે. થોડે દૂર બેઠેલા ડાલામથ્થા સાથે પોતાની તસવીરો પડાવી રહ્યા છે. અધિકારીઓ સિંહ સાથે આ રીતે તસવીરો પડાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં વનતંત્રમાં પણ દોડધામ મચી હતી. એવું રાજુલા આરએફઓ રાઠોડે જણાવ્યુ હતું.

સિંહ સાથે સેલ્ફી અંગેના વિડીયો મળતા ડીએફઓ શકિરા બેગમે તાકીદે તપાસનો આદેશ આપ્યો હતો. જેને પગલે વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકરણમાં અટકાયતી પગલાઓ થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. કંપનીના અધિકારીઓ રાજકીય વગ ધરાવતા હોય પ્રકરણ દબાવી ન દેવાય તેવું સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
ખારા વિસ્તારોમાં છે 20 સાવજો

જાફરાબાદ પંથકના આ ખારા વિસ્તારમાં હાલ 20થી વધુ સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં સતત અવરજવર પણ કરતા રહે છે. મોટી મોટી કંપનીના અધિકારીઓ અને પરપ્રાંતિય કર્મચારીઓ ગેરકાયદે સિંહ દર્શન કરતાં રહે છે.

અમે તપાસ કરીએ છીએ

અમરેલીના ડીએફઓ શકિરા બેગમે જણાવ્યું હતું કે બનાવ અંગે અમે તપાસ શરૂ કરી છે. વિડિઓ ક્યાંનો છે ?. ક્યાં દિવસનો છે ?. તેમાં કોણ કોણ છે તેની તપાસ શરૂ કરી છે.

ઘટના વિશે કંઇ જાણતો નથી- પીઆરઓ

સીન્ટેક્ષ કંપનીના પીઆરઓ ભવદીપભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે સિંહ સાથે સેલ્ફીની ઘટના અંગે કશુ જાણતો નથી. તેમ કહી વાત પુરી કરી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-selfie-with-lion-by-private-company-security-gaurd-in-amreli-gujarati-news-5742398-NOR.html

સુત્રાપાડાનાં દરિયામાં જાળમાં ફસાયેલી વ્હેલશાર્કનું રેસ્કયુ ઓપરેશન

Bhaskar News, Sutrapada | Last Modified - Nov 14, 2017, 03:00 AM IST
સુત્રાપાડા નજીક સોમવારે દરિયામાં જાળમાં વ્હેલશાર્ક ફસાઇ જતા માછીમારોએ બંદર સમાજનાં પ્રમુખને જાણ કરી હતી
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
સુત્રાપાડા: સુત્રાપાડા નજીક સોમવારે દરિયામાં જાળમાં વ્હેલશાર્ક ફસાઇ જતા માછીમારોએ બંદર સમાજનાં પ્રમુખને જાણ કરી હતી અને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી માદા વ્હેલશાર્કને કોઇપણ પ્રકારની ઇજા ન થાય તે રીતે જાળને કાપી તેને મુકત કરી હતી.

Monday, November 13, 2017

કૃષિ યુનિવર્સિટીએ 53 પાકોની નવી જાતો વિકસાવી


Bhaskar News, Junagadh | Last Modified - Nov 13, 2017, 12:51 AM IST
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી 466 ખેડૂત ઉપયોગી તેમજ 191 વૈજ્ઞાનિક સમુદાય માટે ભલામણો બહાર પડાઇ છે
કૃષિ યુનિવર્સિટીએ 53 પાકોની નવી જાતો વિકસાવી
કૃષિ યુનિવર્સિટીએ 53 પાકોની નવી જાતો વિકસાવી
જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી 466 ખેડૂત ઉપયોગી તેમજ 191 વૈજ્ઞાનિક સમુદાય માટે ભલામણો બહાર પડાઇ છે. આ સંશોધનોના પરિણામ સ્વરૂપ યુનિ. દ્વારા મુખ્ય પાકોની 53નવી જાતો વિકસાવવામાં આવી છે. જેમાની 20 જાતો રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ બહાર પાડવામાં આવી છે.

યુનિ.દ્વારા હાલમાંજ મગફળીની જીજેજી-32 જાત વિકસાવવામાં આવી છે. દિવેલમાં સંકર જાત જીસીએચ-9રાજ્યકક્ષાએ વિકસાવી છે. આ માટે વર્ષ 2009માં બેસ્ટ ઓલ ઇન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ સેન્ટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. ઉપરાંત ઘઉંની જીડબલ્યુ-366 જાત વિકસાવી છે જે એમ.પી., મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોમાં પ્રચલીત પામી છે. સુકારા સામે રક્ષણ આપતી યુનિ.એ વિકસાવેલી ચણાની જીજેજી-463 જાત દાળીયા બનાવવા માટે ખુબજ જાણિતી છે. સામાન્ય રીતે તલની ખેતી સૌરાષ્ટ્રમાં ચોમાસામાં કરવામાં આવે છે. પરંતુ યુનિ.દ્વારા સંશોધિત ગુ.તલ-2, ગુ.તલ-3, અને ગુ.તલ-5 નામની જાતોથી હવે ખેડૂતો ઉનાળામાં પણ તલની ખેતી કરી શકશે. આ જાતોનું ઉનાળામાં હેક્ટરે 1200 કિ.ગ્રા.નું ઉત્પાદન છે જે ચોમાસાના પ્રમાણમાં લગભગ બમણું છે.
યુનિ.ના જામનગર ખાતેના બાજરા સંશોધન કેન્દ્રમાં બાજરાની વિકસાવેલી સાત જાતો પૈકી જીએચબી-558 જાત ચોમાસું, ઉનાળું અને અર્ધ શિયાળું માટે અનુકુળ છે. આ સંશોધન બદલ સંસ્થાને રાષ્ટ્રીયકક્ષાએ પારિતોષિક સન્માન પણ મળ્યું છે. યુનિ.એ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અંદાજે 1.50 લાખ જેટલા બગાયતી/ઔષધિય પાકોના રોપા/કલમો/છોડનું વેંચાણ કર્યું છે. યુનિ.દ્વારા પિયત વ્યવસ્થાપન અંગે થયેલા સંશોધનો પ્રમાણે સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવાથી ઉનાળું મગફળી પાકમાં 47ટકા પાણીના બચાવ સાથે 128ટકા જેટલું વધુ ઉત્પાદન મળે છે.તેવીજ રીતે કપાસમાં 37ટકા પાણી બચાવ સાથે 79ટકા વધુ ઉત્પાદન મળે છે. ટપક પદ્ધતિ અપનાવવાથી શેરડી જેવા રોકડીયા પાકમાં પણ 31ટકા પાણી બચાવ સાથે 31.5ટકા વધુ ઉત્પાદન જોવા મળે છે. યુનિ.ના કુલપતિ ડો.એ.આર.પાઠકના માર્ગદર્શન હેઠળ સંશોધન નિયામક ડો.વી.પી.ચોવટીયા દ્વારા વધુ સંશોધનો કરવા સતતપ્રયત્નશીલ છે.
દરિયાઇ શેવાળમાંથી બનતું પ્રવાહી ખાતર

યુનિ.દ્વારા મત્સ્ય વિજ્ઞાન ઉપર પણ સંશોધન થાય છે. સૌરાષ્ટ્રમાં ઝીંક અને લોહતત્વોની ઉણપ ધરાવતી જમીનમાં વધુ ઉત્પાદન લેવા દરીયાઇ શેવાળમાંથી પ્રવાહી ખાતર બનાવવામાં આવ્યું હતું. મત્સ્ય સંશોધન કેન્દ્ર ઓખા દ્વારા ગતવર્ષે 1765લિટર પ્રવાહી ખાતર બનાવાયું હતું. તો મત્સ્ય સંશોધન કેન્દ્ર સિક્કા દ્વારા વાણિજ્ય ધોરણે 232.35લાખ છીપલાના બચ્ચાનું ઉત્પાદન કરાયું હતું.

ગિરનારની લીલી પરિક્રમા રૂટની સાધુ-સંતોએ સફાઇ કરી


Bhaskar News, Junagadh | Last Modified - Nov 13, 2017, 12:47 AM IST
ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ ભાગ લીધો હતો
ગિરનારની લીલી પરિક્રમા રૂટની સાધુ-સંતોએ સફાઇ કરી
ગિરનારની લીલી પરિક્રમા રૂટની સાધુ-સંતોએ સફાઇ કરી
જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ ભાગ લીધો હતો. તેમજ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ઠલવાયું હતું. વન વિભાગ અને સામાજીક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવી રહ્યું છે. ભવનાથનાં સાધુ - સંતો દ્વારા રવિવારે પરિક્રમા રૂટ ઉપરથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક એકત્ર કરી તેનો નાશ કર્યો હતો. સંતોનાં સફાઇ અભિયાનમાં તનસુખગીરીબાપુ, વૈદ્યનાથજીબાપુ, નર્મદાનંદજીબાપુ, બુધ્ધગીતબાુપ સહિતનાં જોડાયા હતાં.

જંગલમાં ટેરીટરી બદલે એટલે સિંહનો ખોરાક પણ બદલી જાય


DivyaBhaskar News Network | Last Modified - Nov 13, 2017, 05:05 AM IST
ગિરનારનુંજંગલ વિસ્તાર આશરે 181 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. જેમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. સિંહો અલગ-અલગ...
જંગલમાં ટેરીટરી બદલે એટલે સિંહનો ખોરાક પણ બદલી જાય
ગિરનારનુંજંગલ વિસ્તાર આશરે 181 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. જેમાં આશરે 40થી વધુ સિંહોનો વસવાટ છે. સિંહો અલગ-અલગ ગૃપોમાં વહેંચાયેલા છે. જોકે, દરેકની ટેરીટરી અલગ હોવાથી તેઓનો ખોરાક પણ ટેરીટરી પ્રમાણે થોડો જુદો છે. સિંહ-દિપડા જેવા વન્યપ્રાણીઓ ઘણું ખરું જંગલમાં સાબર સ્પોટેડ ડિયર એટલે કે ટપકાંવાળા હરણ, રોઝ, જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેનું મારણ કરે છે. હવે સાબર પહાડી વિસ્તારનું તૃણાહારી પ્રાણી છે. રોઝ મેદાની અને રેવન્યુ પ્રદેશમાં રહે છે. જ્યારે સ્પોટેડ ડિયર મેદાની પ્રદેશમાં વધુ જોવા મળે છે. હાલ ગિરનારનાં જંગલમાં સિંહોની 5 ટેરીટરી છે. તમામ ટેરીટરીનાં વિસ્તારો જુદા જુદા પ્રકારનાં છે. આથી સ્વાભાવિકપણેજ જેતે ટેરીટરીમાં સિંહને પ્રમાણેનો ખોરાક મળે છે. બીજા ખોરાકની ઇચ્છા હોય તો પણ ત્યાં જઇ શકતો નથી. કારણકે, ત્યાં પાછા બીજા સિંહનું રાજ હોય છે. સિંહ સાથે વળી તેને ઇન્ફાઇટ કરવી પડે. જેમાં બેમાંથી એકનું મોત નક્કીજ હોય. જેમકે, પહાડી વિસ્તારમાં જે સિંહ વસવાટ કરતો હોય તેને મારણ તરીકે સાબરથીજ કામ ચલાવવું પડે. તેને સ્પોટેડ ડિયર કે માલઢોર ભોજન તરીકે મળતા નથી. રીતે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને માલઢોરથી ચલાવવું પડે. ત્યાં તેને રોઝ જેવા પ્રાણીઓ ભોજન તરીકે મળી શકતા નથી. આમ ગીરનારના જંગલમાં સિંહોનો ખોરાક તેની ટેરીટરી પ્રમાણે બદલે છે.

સાસણ ખાતે ફરજ બજાવી ગયેલા ડીએફઓ ડો. સંદિપકુમાર કહે છે, ગિરમાં 45 ટકા સિંહો ઉનાળામાં ચિત્તલનું મારણ કરે અને શિયાળામાં સાબરનો શિકાર વધુ કરે. અને 12 થી 15 ટકા સાબરનો શિકાર કરે છે. ગિરની બહાર અમરેલી-ભાવનગરમાં 60 ટકા સિંહો રોઝાડાંનો શિકાર કરે છે.

રણશીવાવ : મેદાની અને રેવન્યુ. અહીં તેને માલઢોર આસાનીથી મળે છે.

લામ્બડીધાર : બહુ ઉંચાઇ પર નથી એવો પહાડી વિસ્તાર : અહીં તેને રોઝ મળે.

ડેડકીવાવ : ગીચ જંગલ. અહીં તેને રોઝ મળે.

બાવળકાંટ : બોરદેવીની સામેનો પહાડી વિસ્તાર. અહીં તેને રોઝ-જંગલી ભૂંડ મળે.

હસ્નાપુર : મેદાની અને ઘાંસીયો વિસ્તાર. અહીં તેને સ્પોટેડ ડિયર મળે.

શિયાળામાં સિંહ-દિપડાનો ખોરાક વધી જાય | વન્યપ્રાણી તજજ્ઞોનાં કહેવા મુજબ, શિયાળામાં જેમ માનવીને વધુ ભૂખ લાગે એમ સિંહ-દિપડા જેવા પ્રાણીઓને પણ વધુ ભૂખ લાગતી હોય છે. તેમનો મારણ કરવાનો સમયગાળો દિવસોમાં ટૂંકાઇ જાય છે. તેઓનો મેટાબોલિક રેટ દિવસોમાં વધે છે.

ગિરનારમાં સિંહોની ટેરીટરી અને તેનો પ્રકાર

ગિરની બહાર રહેતા સિંહો ક્યારેય ગિરમાં આવે | ગિરનીબહાર વસતા સિંહો માલઢોરનો શિકાર કરે છે. તેને ચિત્તલનો શિકાર કેવી રીતે થાય તેની ખબર હોતી નથી. ચિત્તલ દોડીને ચલકચલાણું રમાડે એટલે તેની પાછળ રીતે દોડવું પડે. રીતે ગિરમાં વસતા અને ચિત્તલ કે સાબરનો શિકાર કરતા સિંહોને માલઢોરનો શિકાર કરવાની બહુ ખબર નથી પડતી.- ડો. સંદિપકુમાર, ડીએફઓ

ગૃપ મોટું હોય તો રોઝ-સાબરનો શિકાર કરે | જોસિંહોનું ગૃપ 10 થી 15 નું હોય તો તે ચિત્તલનો શિકાર કરે. તેને બદલે સાબર કે રોઝનો શિકારજ કરે.

ગીરના રાજાનો ‘મહેલ’

Bhaskar News, Talala | Last Modified - Nov 10, 2017, 05:50 AM IST
ખેતરોમાં સાવજો જોવા મળી આવે છે
ગીરના રાજાનો ‘મહેલ’
ગીરના રાજાનો ‘મહેલ’
તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતા સાવજોએ હવે રેવન્યૂ અને સીમ વિસ્તારમાં પોતાનું રહેણાંક બનાવી લીધું હોય એમ અવાર-નવાર વાડી, ખેતરોમાં સાવજો જોવા મળી આવે છે ત્યારે તાલાલા પંથકનાં બામણાસા ગામ નજીક સીમ વિસ્તારનાં ખેતરની ઝૂંપડીમાંથી સિંહ બહાર આવતો દેખાઇ છે. એક રાજા પોતાના મહેલમાંથી બહાર આવતો હોય તે અદાથી જંગલનો રાજા ઝુંપડીમાંથી બહાર આવી રહ્યો છે.

બાબરાવિડીમાં સિંહ યુગલ પાછળ બાઇક દોડાવનાર 4 જામીન પર મુકત

Bhaskar News, Junagadh | Last Modified - Nov 11, 2017, 03:39 AM IST
વનવિભાગે પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા
બાબરાવિડીમાં સિંહ યુગલ પાછળ બાઇક દોડાવનાર 4 જામીન પર મુકત
બાબરાવિડીમાં સિંહ યુગલ પાછળ બાઇક દોડાવનાર 4 જામીન પર મુકત
જૂનાગઢ: માળિયા હાટીના તાલુકાની બાબરા વિડીમાં સિંહ યુગલ પાછળ બાઇક દોડાવનારા ચારેય યુવાનોને વનવિભાગે ઝડપી લીધા બાદ હાલ તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.માળિયા હાટીના તાલુકાની બાબરા વિડીમાં સિંહ યુગલ પાછળ બાઇક દોડાવતો વિડીયો વાઇરલ થયા બાદ વનવિભાગે તપાસ હાથ ધરી હતી.
અને આખરે વનવિભાગે જયેશ લખમણભાઇ પટાટ (ઉ. 21), અજય પરબતભાઇ વાળા (ઉ. 18), ભીમજીભાઇ અરજણભાઇ વાળા (ઉ. 22, રે. ત્રણેય બાબરા, તા. માળિયા હાટીના) અને અંકુર હર્ષદભાઇ પડશાળા (ઉ. 22, રે. રાજકોટ, મૂળ હેમાળ તા. જાફરાબાદ) ને ઝડપી લીધા હતા. તેઓને આજે એસીએફ ખટાણાએ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચારેયને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

સિંહ પાછળ બાઇક દોડાવનારા 4 ઝડપાયા, વિડીયો 7 માસ જૂનો


Bhaskar News, Junagadh | Last Modified - Nov 10, 2017, 01:22 AM IST
માળિયાનાં બાબરાવિડીમાં સિંહની પાછળ બાઇક દોડાવી હતી
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: તાજેતરમાંજ જંગલમાં સિંહોની પાછળ બાઇક દોડાવી તેને હેરાન કરતા યુવાનોનો વિડીયો વાઇરલ થયો હતો. આથી વનવિભાગે તપાસ હાથ ધરી હતી. અને આખરે આ 4 યુવાનોને ઝડપી લીધા છે. આ યુવાનોમાં જયેશ લખમણભાઇ પટાટ (ઉ. 21), અજય પરબતભાઇ વાળા (ઉ. 18), ભીમજીભાઇ અરજણભાઇ વાળા (ઉ. 22, રે. ત્રણેય બાબરા, તા. માળિયા હાટીના) અને અકુર હર્ષદભાઇ પડશાળા (ઉ. 22, રે. રાજકોટ, મૂળ હેમાળ તા. જાફરાબાદ)નો સમાવેશ થાય છે.
વનવિભાગની પુછપરછમાં આ વિડીયો 7 માસ જૂનો અને તે બાબરાવિડીનો હોવાનું પણ સ્પષ્ટ થયું છે. ચારેય સામે વનવિભાગે ગુનો નોંધ્યો છે. બનાવની તપાસ એસીએફ ખટાણા ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ ચારેય સિંહોની અવરજવરવાળા વિસ્તારમાંજ વસવાટ કરતા હોવાથી તેઓને સિંહની કોઇ નવાઇ નહોતી. વળી તેઓ જાણે છે કે, આ રીતે પાછળ બાઇક દોડાવીશું તો સિંહ સામો નહીં થાય. નાની વયનાં હોવાથી તેઓને આ બાબતની ગંભીરતા નહોતી. આથી તેઓ ગુનો આચરી બેઠા.
ચારેયને 7 વર્ષ સુધીની સજા થઇ શકે
બાબરા વિડીમાં સિંહો પાછળ બાઇક દોડાવનાર ચારેય યુવાનો પર વન્ય પ્રાણી અધિનિયમ 1972 ની કલમ 2, 9, 50, 51 મુજબ ગુનો નોંધાયો છે. આવતીકાલે ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ગુના હેઠળ વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઇ છે. જોકે, વિડીયો 7 માસ જૂનો હોઇ વનવિભાગે તેને છાવર્યાની ચર્ચા ઉઠી હતી. જોકે, વનવિભાગનાં કહેવા મુજબ, આ ગંભીર પ્રકારનો ગુનો હોઇ છાવરવાનો કોઇ પ્રશ્નજ ઉઠતો નથી.

સિંહ-સિંહણ પાછળ બાઇક દોડાવતો વિડીયો વાયરલ, વન વિભાગે તપાસ હાથ ધરી

Sarman Ram, Junagadh | Last Modified - Nov 09, 2017, 02:03 AM IST
વન વિભાગનાં ધ્યાને આવતાં વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે
+2 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી સહિતનાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના વન વિભાગનાં ધ્યાને આવતાં વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ શરૂ કરી દીધી છે.

વન વિભાગે જુદી-જુદી ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરી

વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રેવન્યુ વિસ્તારની આસપાસ સિંહ દર્શન બેરોકટોક ચાલી રહ્યા છે. અમરેલી અભયારણ્ય વિસ્તારમાં પણ ગે.કા. સિંહ દર્શન થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે હાલ સિંહ અને સિંહણ પાછળ બાઇક દોડાવવામાં આવી રહ્યાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા વન વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. અને અચાનક જાગેલું તંત્ર કામે લાગી ગયું છે. આ વિડીયો ક્યા વિસ્તારનો છે એ અંગે વન વિભાગે હાલ તો મૌન સેવી લીધું છે. પરંતુ સિંહ પાછળ બાઇક દોડાવનાર શખ્સોને પકડી લેવા વન વિભાગે જુદી-જુદી ચાર ટીમો બનાવી હોવાનું વન વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અમરેલી, તાલાલા, ભાવનગરનાં જંગલ વિસ્તારનો વિડીયો હોવાની ઉઠી ચર્ચા

વાયરલ થયેલો વિડીયો અમરેલી, તાલાલા અથવા ભાવનગર વિસ્તારનો હોવાની ચર્ચા હાલ વન વિભાગમાં ચાલી રહી છે. પરંતુ લોકેશન અંગે વન વિભાગે હાલ મૌન સેવી લીધું છે.

લોકેટ થયા છે: સીસીએફ

આ અંગે સીસીએફ એ. પી. સિંઘે જણાવ્યું હતું કે, આરોપીઓ હાલ લોકેટ થયા છે. કાલ સુધીમાં આ શખ્સો પકડાઇ જાય એવી શક્યતા છે. હાલ વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે.

જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા

DivyaBhaskar News Network | Last Modified - Nov 07, 2017, 07:10 AM IST
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી...
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી હોય માલઢોરનાં મારણનાં બનાવો સામાન્ય બન્યા છે. એટલુંજ નહીં માનવ પર હુમલાનાં બનાવો પણ વધ્યા છે ત્યારે મેંદરડામાં પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે.

જુનાગઢ: અંધ પ્રૌઢાને 100 મીટર દુર સુધી ઢસડી જઇ દીપડાએ ફાડી ખાધા

Sarman Ram, Junagadh | Last Modified - Nov 07, 2017, 06:03 PM IST
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જુનાગઢ પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે
જૂનાગઢ: જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી હોય માલઢોરનાં મારણનાં બનાવો સામાન્ય બન્યા છે. એટલુંજ નહીં માનવ પર હુમલાનાં બનાવો પણ વધ્યા છે ત્યારે મેંદરડામાં પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે. મેંદરડા પંથકમાં ત્રણ માસમાં દીપડાનાં માનવ પરનાં ત્રણ હુમલાની ઘટના બની છે.
મેંદરડાનાં સામાકાંઠા વિસ્તારમાં આલીધ્રા રોડ પર વાંસફોડીયા પરિવાર ઝુંપડુ બાંધીને રહેતા હોય થોડા સમય પહેલા કોઇએ ઝુંપડુ પાડી નાંખતા રવિવારે આખો પરિવાર બહાર મેદાનમાં સુતો હતો ત્યારે મધરાતનાં 1 વાગ્યાની આસપાસ દીપડાએ આવી ચઢી પ્રજ્ઞાચક્ષુ પ્રૌઢા મુકતાબેન દિપકભાઇ કાનાણી (ઉ.વ.55)ને ગળાનાં ભાગેથી પકડી 100 મીટર દુર ઢસડી જઇ ફાડી ખાધા હતા. આ બનાવ બન્યા બાદ 5 પુત્રીઓ પૈકી 1 પુત્રી બિજલ જાગી જતા અને માતાને ન જોતા આસપાસનાં લોકોને ઉઠાડી જાણ કરતાં મુકતાબેનની શોધખોળ હાથ ધરી હતી. વન તંત્રે તપાસ કરતા મુકતાબેનની શરીરનાં અડધા ભાગથી ખવાઇ ગયેલી લાશ મળી આવી હતી.ડેડકડી રેન્જનાં આરએફઓ પંપાણીયા, કેનેડીપુર રાઉન્ડ ફોરેસ્ટર વાળા અને સ્ટાફે દીપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી છે.
પુત્ર મજુરીએ ગયેલ ને માતાને કાળ ભેટી ગયો

મૃતક મુકતાબેનને સંતાનમાં 5 પુત્રી, 1 પુત્ર છે. પતિનું 12 વર્ષ પહેલા અવસાન થયુ છે. જયારે 1 પુત્રી વિધવા અને 1 પરિણીત છે. જયારે બીજી 3 પુત્રી માતા સાથે રહે છે. યુવાન પુત્ર અર્જુન માતા સાથે જ રહે છે પરંતુ રવિવારે રાત્રીનાં મગફળીની ગાડી ભરવા ગયેલ અને ત્યાં જ રોકાઇ જતાં માતાને કાળનો ભેટો થઇ ગયો હતો.

3 માસમાં 3 માનવ મોત, 15થી વધુ દીપડા પાંજરે પૂરાયા

મેંદરડા પંથકમાં 3 માસમાં દીપડાનાં હુમલામાં 3 માનવ જીંદગી મોતને ભેટી છે. જેમાં મોટી ખોડીયારમાં પટેલ વૃદ્ધા સાકરબેન જીલુભાઇ વેકરીયા, દાત્રાણામાં 2 વર્ષનો બાળક ચના દિનેશભાઇ બાંભણીયા અને રવિવારે મુકતાબેનનું મોત થયુ હતું. વન વિભાગ દ્વારા 15થી વધુ દીપડાને પાંજરે પુરવામાં આવ્યા છે.
જંગર ગામે વૃદ્ઘાએ ઘરનો દરવાજો ખોલતા દીપડો કાળ બની ત્રાટકયો
 
માળિયા હાટીનાનાં જંગર(ગીર) ગામે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા રાજુબેન દેવાભાઇ એરડા (ઉ.વ.70)એ સોમવારે વહેલી સવારે 4-30 વાગ્યે ઉઠીને ઘરનો દરવાજો ખોલ્યો હતો. પરંતુ તેમને કયાં ખબર હતી કે સામે જ દીપડો કાળ બનીને ઉભો છે. રાજુબેને દરવાજો ખોલીને માલઢોરને નિરણ નાંખતા હતા ત્યારે જ દીપડાએ તેમની પર હુમલો કરી દીધેલ અને ગળાનાં ભાગેથી દબોચીને સીમ વિસ્તારમાં  ઢસડી જઇ ત્યાં ફાડી ખાધા હતા.
70 વર્ષનાં વૃદ્ધાને સીમ વિસ્તારમાં ઢસડી જઇ ફાડી ખાધા
 
રાજુબેન સવારનાં વહેલા ઉઠીને ઘરનું કામકાજ કરતા હોય અને તેમનાં આ નિત્યક્રમની પરિવારનાં સભ્યો જાણતા હોય સવારે ઘરનાં સભ્યો જાગી ગયા બાદ રાજુબેન કયાંય જોવા ન મળતા તેમની શોધખોળ કરવા લાગેલ પરંતુ તેમનો કોઇ પતો ન લાગતા ઘરની મહિલાઓએ હાંફળા-ફાંફળા બની શોરબકોર કરી મુકતા ગામનાં લોકો પણ દોડી આવ્યા હતા. બાદમાં વન તંત્રને જાણ કરતા ફોરેસ્ટર ભારતીબાપુ,, ચૌહાણભાઇ સહિતનાં સ્ટાફે જંગર ગામે દોડી આવી તપાસ હાથ ધરતા સીમ વિસ્તારમાંથી રાજુબેનનો મૃતદેહ મળી આવતા પરિવાર આઘાતમાં ગરકાવ બની ગયો હતો. રાજુબેનનાં મૃતદેહને ચોરવાડ  હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો હતો. ડીએફઓ ગાંધી પણ હોસ્પિટલે દોડી ગયેલ અને વિગતો મેળવી દીપડાને પકડી પાડવા સ્ટાફને સુચના આપતા અલગ-અલગ સ્થળે 4 પાંજરા મુકવામાં આવ્યા છે. જંગલી પ્રાણીઓ માનવીઓ પર હુમલો કરવાનાં બનાવમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
 
 
સીમ વિસ્તારમાં પુરતો વીજ પુરવઠો આપવા માંગ
જંગર ગામનાં મોટાભાગનાં લોકો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હોય સીમ વિસ્તારમાં રાત્રીનાં ખેતી કામ માટે રોકાતા હોય છે. જયારે દીપડાનાં હુમલાઓની ઘટના બનતી રોકી શકાય એ માટે રાત્રીનાં વીજપુરવઠો આપવામાં આવે એવી ગ્રામજનોની માંગણી ઉઠી છે.
માળિયાહાટીના પંથકનાં ગામોમાં દીપડાનો ત્રાસ વધ્યો
 માળિયાહાટીના તાલુકાનાં ગીર પંથકનાં જલંધર, દેવગામ, કાત્રાસા, લાડુડી, પાણકવા, લાછડી, અમરાપુર, ધરમપુર, વાંદરવડ સહિતનાં ગામોમાં વનરાજોનો ત્રાસ વધ્યો હોવાનું જાણવા મળે છે.

ગીર પંથકમાં આંબામાં કોર આવ્યાં, કેરીની સીઝન મોડી શરૂ થશે

Bhaskar News, Talala | Last Modified - Nov 08, 2017, 02:31 AM IST
Bhaskar News, Talala | Last Modified - Nov 08, 2017, 02:31 AM IST
તાલાલા સહિત ગીર પંથકમાં મોટાભાગે કેસર કેરીની આંબાવાડીઓ પથરાયેલી છે
ગીર પંથકમાં આંબામાં કોર આવ્યાં, કેરીની સીઝન મોડી શરૂ થશે
ગીર પંથકમાં આંબામાં કોર આવ્યાં, કેરીની સીઝન મોડી શરૂ થશે
તાલાલા: તાલાલા સહિત ગીર પંથકમાં મોટાભાગે કેસર કેરીની આંબાવાડીઓ પથરાયેલી છે. નવેમ્બર માસમાં કેરીનાં આંબામાં કેરી માટેનાં મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થતી હોય પરંતુ દિવાળીનાં પાંચ દિવસ પહેલા ગીર પંથકમાં પડેલા બે ઇંચ વરસાદથી આંબાને વરસાદનાં લાંબા વિરામ બાદ પાણી મળી જતાં આંબા મોરનાં બદલે કોર (નવા પાન) ફુંટવા લાગ્યા હોય હવે કોર પાકે પછી મોરનું આવરણ થાય જેથી કેરીની સીઝન મોડી શરૂ થશે.

કેસર કેરીનાં આંબાઓમાં નવેમ્બર માસમાં હળવી ઠંડીની શરૂઆત થયા બાદ આંબામાં મોર ફુટતા હોય છે. પરંતુ આ વર્ષે મોરનાં બદલે કોર વધતા ગીર પંથકની આંબાવાડીઓ નવા પાનથી ખીલી ઉઠી છે. નવી કોરામણથી આંબાઓની ઘેરાઇ પણ સારી વધી ગઇ છે. જાણકાર ખેડુતોનાં મતે કોરામણથી આંબા તંદુરસ્ત બને છે. મોર ભારે કોર પાકે પછી ફુટે પણ કોરામણથી મોર વધુ ફુંટવાની સંભાવના બની જાય છે. કોર વહેલો આવતા આંબામાં મોર ફુંટયા બાદ પાછળથી કોર આવે અને કેરી ખરી પડે તે નુકશાન થવાની સંભાવના પણ ઘટી ગઇ હોવાનું ખેડુતોએ જણાવેલ ચાલુ વર્ષ કેરીની સીઝન મોડી થવાની સંભાવના જણાઇ રહી છે.

દવાનો છંટકાવ વહેલો શરૂ થયો

આંબામાં નવા પાન ફુટી બહાર આવતા થતી ફુટની પ્રક્રિયાને લઇ તડતડીયોની અસર દેખાતા અમુક વિસ્તારોમાં દવાનો છંટકાવ વહેલો શરૂ થયો છે.

ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારની હાજરીમાં ખુલ્લી, મળ્યું 3.28 લાખ રૂપિયાનું દાન

Bhaskar News, Junagadh | Last Modified - Nov 07, 2017, 01:03 AM IST
ભવનાથ તળેટીનાં આધિષ્ટા દેવ ભવનાથ મહાદેવ મંદિરમાં આવતા ભાવિકો દાન પેટીમાં દાન કરે છે
ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારની હાજરીમાં ખુલ્લી, મળ્યું 3.28 લાખ રૂપિયાનું દાન
ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારની હાજરીમાં ખુલ્લી, મળ્યું 3.28 લાખ રૂપિયાનું દાન
જૂનાગઢ: ભવનાથ તળેટીનાં આધિષ્ટા દેવ ભવનાથ મહાદેવ મંદિરમાં આવતા ભાવિકો દાન પેટીમાં દાન કરે છે. પરિક્રમા પૂર્ણ થયા પછી મામલતદારની હાજરીમાં દાન પેટી ખોલવામાં આવી હતી. ભવનાથ મંદિરની દાન પેટીમાંથી રૂપિયા 3,28,800 નિકળ્યાં હતાં જે મંદિરનાં બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા છે.
આ રકમ મંદિરનાં કાર્યમાં ખર્ચ થશે. ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરનાં વહિવટને લઇ જેતે સમયે વિવાદ થયો હતો. વહિવટી તંત્રએ નિર્ણય કરી દાન પેટીને સીલ મારી દીધા હતાં. દાન પેટી મામલતદારની હાજરીમાં ખોલવાનો નિર્ણય થયો હતો. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ભોળાનાથનાં દર્શન કર્યા હતાં અને યથાશક્તિ દાન કર્યું હતું.
આ અંગે મંદિરનાં સંચાલક સ્વામી મુકતાનંદગીરીબાપુએ જણાવ્યું હતું કે,મામલતદારની હાજરીમાં ભવનાથ મંદિરની દાન પેટી ખોલવામાં આવી હતી. દાનપેટીમાંથી 3,28,800 રૂપિયા નિકળ્યાં હતાં. આ રકમ મંદિરનાં બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. આ રકમ મંદિરનાં વિવિધ કાર્યોમાં વપરાશે.

દીપડાનો આતંક, પ્રૌઢા અને વૃદ્ધાને ફાડી ખાતા હાહાકાર


DivyaBhaskar News Network | Last Modified - Nov 07, 2017, 07:05 AM IST
55 વર્ષનાં અંધ પ્રૌઢાને 100 મીટર દુર જઇ ફાડી ખાધા મેંદરડા | મેંદરડાનાંસામાકાંઠા વિસ્તારમાં આલીધ્રા રોડ પર...
દીપડાનો આતંક, પ્રૌઢા અને વૃદ્ધાને ફાડી ખાતા હાહાકાર
55 વર્ષનાં અંધ પ્રૌઢાને 100 મીટર દુર જઇ ફાડી ખાધા

મેંદરડા | મેંદરડાનાંસામાકાંઠા વિસ્તારમાં આલીધ્રા રોડ પર વાંસફોડીયા પરિવાર ઝુંપડુ બાંધીને રહેતા હોય થોડા સમય પહેલા કોઇએ ઝુંપડુ પાડી નાંખતા રવિવારે આખો પરિવાર બહાર મેદાનમાં સુતો હતો ત્યારે મધરાતનાં 1 વાગ્યાની આસપાસ દીપડાએ આવી ચઢી પ્રજ્ઞાચક્ષુ પ્રૌઢા મુકતાબેન દિપકભાઇ કાનાણી (ઉ.વ.55)ને ગળાનાં ભાગેથી પકડી 100 મીટર દુર ઢસડી જઇ ફાડી ખાધા હતા. બનાવ બન્યા બાદ 5 પુત્રીઓ પૈકી 1 પુત્રી બિજલ જાગી જતા અને માતાને જોતા આસપાસનાં લોકોને ઉઠાડી જાણ કરતાં મુકતાબેનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મુક્તાબેનનું અડધુ ફાડી ખાધેલું શરીર મળી આવ્યું હતું.

11 દિવસ બાદ ભવનાથ ચોખ્ખું થયું, આજે દામોદર કુંડમાં ભરાશે નવા નીર


DivyaBhaskar News Network | Last Modified - Nov 07, 2017, 07:10 AM IST
જૂનાગઢમાંગરવા ગીરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાની સાથે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર...
11 દિવસ બાદ ભવનાથ ચોખ્ખું થયું, આજે દામોદર કુંડમાં ભરાશે નવા નીર
જૂનાગઢમાંગરવા ગીરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાની સાથે મનપા દ્વારા સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 110 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે .આ ઉપરાંત સફાઇ બાદ 1500 કિલો જેટલા જંતુનાશક પાવડરનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે. મંગળવારે દામોદર કુંડમાં પણ નવા નીર ભરવામાં આવશે.

અંગે માહિતી આપતા જૂનાગઢ મનપાના સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ અતુલ મકવાણાના જણાવ્યા અનુસાર છેલ્લા 11 દિવસથી ભવનાથમાં સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. કમિશ્નર વી.જે. રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાના માર્ગદર્શનમાં 27 ઓકટોબરથી સફાઇ કરવામાં આવી રહી છે. 6 નવેમ્બર સુધીમાં 110 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ, ભવનાથને ચોખ્ખું ચણાક બનાવી દેવાયું છે. મંગળવારે સાંજ સુધીમાં દામોદર કુંડમાં પણ સફાઇ કામગીરી પૂર્ણ કરી નવા નીર ભરવામાં આવશે.નવું ભવનાથ, રબારી નેસ વિસ્તાર, ઉતારા મંડળો, તળેટી વિસ્તાર તેમજ ગીરનાર દરવાજાથી લઇને ભરડાવાવ સુધીમાં સઘન સફાઇ કરવામાં આવી છે. કામગીરીમાં પર્યાવરણ ઇજનેર રાજુભાઇ ત્રિવેદીએ પણ સહકાર આપ્યો હતો.

કેસર કેરી એટલે સાલેભાઈની આંબડી

DivyaBhaskar News Network | Last Modified - Nov 06, 2017, 03:15 AM IST
કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની...
કેસર કેરી એટલે સાલેભાઈની આંબડી
કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની કેરીના માવાનો રંગ કેસર જેવો હોવાના કારણે કેસરના નામે કેરી પ્રખ્યાત થઈ છે. મૂળ સૌરાષ્ટ્રની કેસર કેરી હવે વાવેતર માટે ઘણાં અન્ય રાજ્યોમાં પણ પહોંચી ગઈ છે. તેમજ ખાવામાં દુનિયાના નકશામાં સ્થાન લઈ લીધું છે. તેનું વૃક્ષ મધ્યમ કદનું, જુસ્સાદાર, આછા લીલા ચમકદાર પાન ધરાવતું હોવાથી અન્ય જાતોથી તેને જુદી પાડી શકાય છે. સામાન્ય સંજોગોમાં નિયમિત ફળે છે. ફળો લંબગોળ અને 250 ગ્રામથી 300 ગ્રામ સુધીના વજનમાં રહે છે. તેને રસ કાઢીને તથા કાપીને ખાઈ શકાય છે. હવે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસર કેરી હાફુસનું સ્થાન ળઈ રહી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં પરિપક્વ થાય છે એટલે મધ્યમ જાત છે. કેરીના વિકાસ અને નિકાસ માટે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કેસર કેરી ઉગાડતા જુનાગઢ જિલ્લાને કેસર કેરી માટે વિશેષ પ્રાધાન્ય આપી એક્સપોર્ટ ઝોન તરીકે જાહેર કરવો જોઇએ. કેસર કેરીનું અસલ નામ સાલેભાઈની આંબડી છે. જુનાગઢના નવાબના સાળાના માંગરોળની આંબાવાડીમાંથી પસંદ પામેલી જાતની...

ગિરનારની પરિક્રમા દરમિયાન સંસ્થાએ 1 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું

Bhaskar News, Junagadh | Last Modified - Nov 06, 2017, 01:14 AM IST
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન રાજકોટ વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન ટ્રસ્ટ દ્વારા બે જગ્યાએ સ્ટોલ ઉભા કરી ભાવિકો પાસેથી પ્લાસ્ટ
ગિરનારની પરિક્રમા દરમિયાન સંસ્થાએ 1 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું
ગિરનારની પરિક્રમા દરમિયાન સંસ્થાએ 1 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું
જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન રાજકોટ વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન ટ્રસ્ટ દ્વારા બે જગ્યાએ સ્ટોલ ઉભા કરી ભાવિકો પાસેથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતુ. સાત દિવસમાં 1 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું અને 500 કિલો કાગળની થેલી અને 2 હજાર વોવન બેગનું વિતરણ કર્યું હતું.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગિરનારની પરિક્રમા દરમિયાન વાઇલ્ડ લાઇફ કન્ઝેર્વશન દ્વારા પરિક્રમા રૂટ પર બે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ અંગે ટ્રસ્ટના શિતલબેન સુરાણીએ જણાવ્યું હતું કે વન વિભાગ અને મહાનગરપાલિકાનાં સહયોગથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યુ હતું. યાત્રાળુને 500 કિલો કાગળની બેગ, 200 કિલો પસ્તી, 1000 કાપડની થેલી, 2 હજાર વોવન બેગનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને 1 ટન પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં પરિક્રમા રૂટ પર 27 અને ગિરનાર રોડ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન ઉપર 24 બેનર લગાડવામાં આવ્યા હતા.