Friday, June 29, 2012

વરસાદના છાંટા પડતા સિંહોનું શેત્રુંજીના પટ્ટમાંથી ડૂંગરાળ વિસ્તારમા સ્થળાંતર.


સાવરકુંડલા,તા.ર૮
વર્ષારાણીના આગમન પૂર્વે માનવજાત રહેણાક મકાનોનાં સમારકામમા લાગી જાય છે જયારે જંગલના રાજા સાવજની પણ સીકસ સેન્થ કેટલી કાબીલેદાદ છે કે આઠ આઠ માસ શેત્રુંજી નદીના પટમાં પડયા પાથર્યા રહેતા સાવજો વરસાદના એકાદ છાંટાથી અત્યારથી પોતાનું નવું રહેણાંક ડુંગરાળ વિસ્તારમાં વસાવી ઠરીઠામ થઈ ગયા છે.
  • દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે
સાવરકુંડલાના જુનાસાવરથી ક્રાંકચ અને શેત્રુંજી નદીના પટના વિસ્તારોમાં રર જેટલા જંગલના રાજાઓએ વસવાટ કરીને પોતાનું અલગ જ સામ્રાજય ઉભુ કરી દીધુ છે. ક્રાંકચનો શેત્રુંજીનો વિસ્તાર ખુબ જ મોટો હોવાથી જંગલના રાજા સાવજોને માફક આવી ગયું છે. ચોમાસાનાં આગમન અંગેના વરસાદના છાટાના સંકેતો આ સાવજોને પોતાના રહેણાંક વિસ્તાર ફેરવવા માટે મજબુર કરી દીધા અને શેત્રુંજીના પટમાથી ડુંગરાળ વિસ્તારોમાં પોતાનું જીવન ગુજારી રહયા છે. થોડા વર્ષો પહેલા શેત્રુંજી નદીના પાણીમાં પૂરના પ્રકોપથી ચાર ચાર સાવજોના મૃતદેહો મળ્યા હોવાનું જાણવા મળે છે. આથી આ સિંહ કેરસીઓ ચોમાસાના આગમન પૂર્વે જ પોતાનું રહેણાંક વિસ્તાર છોડી ને અનય વિસ્તારોમાં પગપેસારો કરી દીધો છે. આ અંગ અમરેલી જિલ્લા વિભાગના નાયબ ડી.અફે.ઓ. મીલીન્દ એમ. મૂનીના જણાવ્યાનુસાર જેવી રીતે માનવજાતની સિકસસેન્થ હોય છે તેવી જ રીતે દરેક વન્યપ્રાણીઓની પણ સિકસસેન્થ હોય છે. અને પોતાના ભવિષ્યને અનુલક્ષીને દરેક પ્રાણીઓમાં ઋતુ મુજબ ફેરફાર આવે જ છે. જયારે જંગલોના રાજા આ શેત્રુંજીના વિસ્તારો મુકી ડુંગરાળ વિસ્તારોમાં પગદંડો જમાવવાથી વનિવભાગ સાથે સિંહપ્રેમીઓ પણ આનંદનો અહેસાસ અનુભવી રહયા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68949

ચુલડી પાસે સિંહદર્શન કરાવતો માથાભારે શખ્સ ઝડપાયો.


માળિયા હાટિના તા. ૨૮
ગીર વિસ્તારમાં અનાધિકૃત રીતે પ્રવેશી ગેરકાયદે સિંહ દર્શન કરાવવાનો ઉદ્યોગ ખિલ્યો છે. આ વિસ્તારના ગામડામાં રહેતા લોકો વનરાજના જુથને હેરાન પરેશાન કરી આનંદ મેળવે છે. તાલુકાના ચુલડી ગામે રહેતા એક શખ્સે લાયન શો યોજયો છે. એવી વનવિભાગને કોઈએ જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો આ શખ્સે વન અધિકારી સાથે માથાકૂટ કરતા માળિયાથી પોલીસ બોલાવવી પડી હતી.
  • જંગલ વિસ્તારમાં પ્રવેશી અવારનવાર વનરાજોને ખલેલ પહોંચાડતો હોવાની રાવ
માળિયા તાલુકાના બરૂલા ગીર નજીક આવેલા ચુલડી ગામના હમીર ઉકાભાઈ નંદાણિયા નામનો માથાભારે આહેર શખ્સ જામનગર અને જામ ખંભાળિયાના પર્યટકોને સાથે રાખી લાયન શો યોજી સિંહોને બતાવે છે. એવી કોઈએ વન વિભાગને જાણ કરતા માળિયા રેન્જ ફોરેસ્ટનો સ્ટાફ ચુલડીના જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો. આ શખ્સ અવારનવાર સિંહ દર્શન કરાવી રોકડી કરતો હોવાની પણ માહિતી મળી હતી.
 આ વેળા એ વનરાજાને જુદી જુદી રીતે પજવતો હતો. એને વનવિભાગે ટપારતા મામલો બિચકાયો હતો અને વનવિભાગ સાથે બોલાચાલી તેમજ ટપાટપી બોલી ગઈ હતી આથી વનવિભાગના અધિકારીઓએ તાકિદે માળિયા પોલીસને જાણ કરી બોલાવતા પોલીસે આવી હમીરની ધરપકડ કરી બોધપાઠ ભણાવ્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68940

ગુંદિયાળી ગામે ઝૂંપડામાં સૂતેલા યુવાન પર દીપડાનો હુમલો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 3:35 AM [IST](29/06/2012)
- માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયો

મેંદરડાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે મધરાતનાં સુમારે ઝુંપડામાં નિંદ્રાધીન કોળી યુવાન પર દીપડાએ અચાનક હુમલો કરી દઇ તેને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર રીતે ઘાયલ કરી દેતાં આ યુવાનને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની મળતી વિગત મુજબ ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા અને આશરે ચારસો માણસોની વસતી ધરાવતા મેંદરડા તાલુકાનાં ગુંદીયાળી (રાણીધાર) ગામે રહેતા ભુપતભાઇ મુળુભાઇ પરમાર (ઉ.વ.૩૮) નામનો શ્રમિક યુવાન પોતાનાં પરિવાર સાથે ઝુંપડા જેવા કાચા મકાનમાં રાત્રિનાં સમયે ભરઉંઘમાં હતો ત્યારે ત્રણેક વાગ્યાની આસપાસ એક ખુંખાર દીપડાએ ઝુંપડામાં ઘુસી જઇ ભુપતભાઇ પર હુમલો કરી દેતાં પરિવારનાં અન્ય સભ્યો પણ જાગી જતાં અને રાડારાડી કરી મૂકતા આસપાસમાંથી પણ લોકોએ દોડી આવી હાકલા-પડકારા કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો.

આ હુમલામાં ભુપતભાઇને માથા તથા હાથ-પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગામનાં સરપંચ ખોડુભાઇ લાલુએ માળીયા ૧૦૮ને જાણ કરતા જતીન દેસાઇ અને જબ્બરદાન ગઢવીએ ગુંદીયાળી ગામે પહોંચી પ્રાથમિક સારવાર આપી મેંદરડા અને ત્યાંથી જૂનાગઢ હોસ્પિટલ ખાતે લવાયા બાદ રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળે છે. આ બનાવનાં પગલે દેવળીયા રેન્જનાં ફોરેસ્ટરે સ્ટાફ સાથે દોડી જઇ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે.

Thursday, June 28, 2012

ચિતળ અને નીલગાય વનરાજાને ભાવતા ભોજનીયા! : રસપ્રદ સર્વે.


રાજકોટ/ધારી તા.૨૭
જેવી રીતે મનુષ્યોને ચોકકસ ભોજન ડીશ ફેવરીટ હોય એમ હિંસક પશુઓને પણ ચોકકસ પ્રાણીના માંસ પ્રત્યે લગાવ હોય છે. તાજેતરમાં વનવિભાગે વનરાજને કયો ખોરાક વધુભાવે અને એ શિકારમાં કયાં તૃણાહારીની પસંદ પહેલી કરે છે એ માટે સર્વેક્ષણ કરતા એવુ નકકી થયુ છે કે વનરાજને ચીતળનું માંસ બહુ જ ભાવે છે. તેને અને નીલગાયને શિકારમાં અગ્રતા આપે છે. વનરાજોના મળ દ્વારા સંશોધન કરી વનવિભાગે શિકારના દરેક પાસાઓનો રસપ્રદ સરવે કર્યો હતો.
  • વનરાજના મળના પૃથ્થકકરણ દ્વારા વનવિભાગે મેળવેલી વિગત
  • વનવિભાગના સર્વેક્ષણ મુજબ
સિંહો જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં સૌથી વધુ કયાં પ્રાણીનો શિકાર કરીને આરોગે છે એ અંગે સાસણ વિભાગ દ્વારા એક રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોના એકત્ર કરેલા મળના પૃથ્થકરણ દ્વારા પ્રાણીઓના મળેલા વાળના આધારે એમ નકકી થયું હતુ કે વનરાજને શિકાર માટે ચીતળ બહુ જ ફેવરિટ છે. જેનો શિકાર વનવિસ્તારમાં ૩૧.૦૬ ટકા છે.આ ઉપરાંત નીલગાય બીજા નંબરે આવે છે. જે વનવિસ્તારમાં ૨૪.૦૫ ટકા અને રેવન્યુ વિસ્તારમાં ૪૫.૭૨ ટકા છે. માલઢોર માત્ર ૩.૫ ટકા, છે એને ફેવરિટ શિકાર ચિતલ નીલગાય છે. અને એ પછી ચિંકારા આવે છે. તેને સાબરનું માંસ પણ બહુ જ ભાવે છે. જો વનરાજ બહુ જ ભૂખ્યો હોય અને શિકારની કોઈ ઉપલબ્ધતા ન હોય તો જ જંગલી ભુંડનો શિકાર કરે છે. એની ટકાવારી ૦.૭૫ ટકા આવી હતી. રેવન્યુ વિસ્તારમાં શિકારની પેટર્ન બદલી જાય છે. ત્યાં વધુ નીલગાયને પસંદ કરે છે. જેનો રેશિયો ૪૫.૭૨ ટકા છે. સાબર ૬.૪૧ ટકા, ચિતલ ૯.૨૫ ટકા, માલઢોર ૪૫.૭૨ ટકા ચીકારા ૧૦.૨૨ ટકાનો શિકાર થાય છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ર૦૧૦ની સિંહ વસતિ ગણતરી મુજબ કુલ ૪૧૧ સિંહો નોંધાયા હતા. જેમાં ૯૭ નર,૧૬૨ માદા, અને ૧૫૨ બચ્ચા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=68505

Tuesday, June 26, 2012

ડંખ મારે એટલે વીજશોક જેવો ઝટકો લાગે મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ.


સાવરકુંડલા, તા. ૨૫
વરસાદ પડતા જ સાવરકુંડલાના મિતિયાળાના અભ્યારણ સહિત ગીરકાંઠાના ગામોમાં પત્થરીયા ઝેરી વિંછીઓનો રાફડો ફાટયો છે. સીમમાં, ગામતળમાં ઝેરી વિંછીઓથી લોકો પરેશાન બની ગયા છે.
ચોમાસાની સિઝન શરૃ થવાના આરે છે ત્યારે સાવરકુંડલા તાલુકાના મીતીયાળાના જંગલ વિસ્તાર સહિત ગીરકાંઠાના આસપાસના ગામોમાં હાલ એક નવીનતમ સમસ્યા સર્જાઇ રહી છે. અહીં ચોમાસાની શરૃઆતમાં ઇયળોનો ઉપદ્રવ રહે તો પરંતુ ચાલુ ચોમાસાની શરૃઆતમાં પત્થરીયા વિંછીના ઝુંડો જોવા મળતા સીમ ખેતરોમાં કામ કરતાં ખેડૂતો, માલધારીઓ હાલ આ વિંછીના ઝુંડોનો સામનો કરી રહ્યા છે.
ત્યારે જંગલ વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂતના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે જ આ વિંછી જોવા મળી રહ્યા છે અને દેખાવમાં એકદમ ભુરા આકારના લાગતા આ વિંછી કરડે તો શોટ લાગે તેવો અનુભવ થાય છે. હાલમાં જ તેના મજૂરને કરડી જતા ખાનગી દવાખાને સારવાર કરાવી હતી. ત્યારે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારોમાં ઇયળોનો ઉપદ્રવ વધુ હોય છે પરંતુ આ વિંછીના ઝુંડ ક્યાંકથી આવી જતા લોકો, ખેડૂતો અને માલધારી આ વિંછીઓથી ફફડી રહ્યા છે.
Source: http://www.gujaratsamachar.com/20120626/gujarat/sau3.html

ડંખ મારે એટલે વીજશોક જેવો ઝટકો લાગે
મીતીયાળા પંથકના ગામોમાં ઝેરી વીંછીઓનો ઉપદ્રવ
પથ્થરીયા વીંછીઓના જોવા મળતા ઝુંડના ઝુંડ

જંગલની જડીબુટીમાંથી દવા બનાવી પગભર બનતી આદિવાસી સીદી બાદશાહ મહિલાઓ.


જૂનાગઢ, તા.૨૩
આજના પુરૂષ પ્રધાન સમાજમાં આત્મનિર્ભર બનવવા માટે મહિલાઓમાં પણ હોડ લાગી છે. આ હોડમાં ગિર જંગલની મધ્યે રહેતી આદિવાસી મહિલાઓ પણ પાછળ નથી. ગિર જંગલની મધ્યે રહેતી સીદી બાદશાહ કોમની મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટેનો અનોખો માર્ગ શોધી કાઢયો છે. જંગલમાંથી જડીબુટીઓ લાવીને તેમાંથી દેશી દવા બનાવીને હવે આ મહિલાઓ પગભર બનવા માંડી છે.
  • સ્થાનિક કક્ષાએ લોકપ્રિય બનેલી દવાઓ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં મોકલાશે
રાત-દિવસ જ્યાં સાવજોની ડણકો સંભળાતી રહે છે તેવા ગિર જંગલમાં આવેલા માધુપુર ગામની સીદી બાદશાહ સમાજની મહિલાઓએ એક સખી મંડળ બનાવ્યું છે. અને આ મહિલાઓ ગિર જંગલમાં આવેલી જડીબુટીઓનો ઉપયોગ કરીને શુદ્દ આયુર્વેદિક દવાઓ બનાવે છે.
ક્યાં રોગ માટે કંઈ દવા અસરકારક રહે છે તેનું માર્ગદર્શન આ મહિલાઓ આયુર્વેદના નિષ્ણાંતો પાસેથી મેળવે છે. અને બાદમાં આયુર્વેદ શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય તેવી ઔષધિઓ ઓળખીને જંગલમાંથી લાવે છે. બાદમાં તેમાંથી દવા બનાવી જુદી જુદી બોટલો તથા પેકેટોમાં તેને ભરીને તેનું વેંચાણ કરે છે. ગિર વિસ્તારની મહિલાઓ પેઢીઓથી આ દેશી દવાઓ વિશે જાણે છે. સરકાર દ્વારા આ મહિલાઓને રૂ.૧૦ હજારનું રીવોલ્વિંગ ફંડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.
આ દવાની ગુણવત્તાને ધ્યાને લેતા ભાવનગરમાં યોજાયેલા ભારત ઉત્સવમાં પણ મંડળની મહિલાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. હાલમાં આ મહિલાઓનો દેશી દવાનો ર્વાિષક વેપાર રૂ.૧ લાખ સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં આ દેશી દવાઓ પહોંચાડીને કારોબાર વધારવામાં આવશે. અનેક મહિલાઓ દેશી દવાના આ વ્યવસાયમાં રોજગારી મેળવી રહી છે.

દૂધાળામાં યુવકને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પૂરાયો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:15 AM [IST](26/06/2012)

દુધાળા ખીસરી રોડ પર ગત મોડીરાત્રીના એક અસ્થિર મગજના કોળી યુવક પર દપિડાએ હુમલો કરી ફાડી ખાધો હતો. યુવકને ફાડી ખાનાર માનવભક્ષી દપિડાને પકડી પાડવા વનવિભાગ દ્રારા બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે આ માનવભક્ષી દિપડો પાંજરે પુરાઇ જતા આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જળજીવડી ગામે રહેતો હકા શામજીભાઇ કોળી (ઉ.વ.૪૨) નામનો યુવાન છેલ્લા પંદરેક વર્ષથી અસ્થિર મગજનો હોય અને ગમે ત્યાં આંટાફેરા મારતો હોય ગત રાત્રીના આ યુવાન દુધાળા રસ્તા પાસે સુતો હતો. ત્યારે દપિડો આવી ચડતા તેના પર હુમલો કરી દપિડો તેને દોઢસો મીટર દુર આવેલ કાંતિભાઇ બાલધાની આંબાની વાડીમાં ઢસડી ગયો હતો. અને યુવકને ફાડી ખાધો હતો.

જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ એ.વી.ઠાકર, નિલેષ વેગડા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ દપિડાને પકડી પાડવા કાંતિભાઇની વાડીએ બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં હતાં. ત્યારે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે દપિડો પાંજરે પુરાઇ ગયો હતો. માનવભક્ષી દપિડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Saturday, June 23, 2012

સિંહના પગમાંથી પાંચ દી’ બાદ કાંટો કઢાયો.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 1:31 AM [IST](23/06/2012)
વિસાવદર રેન્જનાં ખાંભડા રાઉન્ડનાં હળદરવા નેસ નજીક રાઉન્ડનાં સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન લંગડાતો સિંહ જોવા મળતાં આરએફઓ એન.એમ. જાડેજાને વાકેફ કર્યા હતા અને તેમણે ઉપલા અધિકારીઓનું ધ્યાન ર્દોયુ હતું પરંતુ એક પણ વેટરનરી ડોક્ટર ન હોવાથી પાંચ દિવસ સુધી ખાંભડા રાઉન્ડનો સ્ટાફ તથા વનરક્ષક સહાયક એચ.કે. વર્માએ સતત દેખરેખ રાખેલ હતી.

પાંચ દિવસ બાદ જશાધાર રેન્જના વેટરનરી ડોકટરને બોલાવી સારવાર અપાઇ હતી. આ સિંહનાં જમણાં પગમાં કાંટો ખુંપી ગયો હોવાથી પ્રથમ તેને બેભાન કરી કાંટો બહાર કાઢવામાં આવ્યો હતો.

પુરતી સરવાર અપાયા બાદ આ આઠ વર્ષનાં સિહને ફરી જંગલમાં મૂકત કરી દેવાયો હતો. જોકે સિંહના પગમાંથી કાંટો કાઢવા પાંચ દિવસનો સમય વિતી ગયો હતો.

ચાર સાવજોની શોધખોળ માટે વનતંત્ર ઉંધા માથે.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:51 AM [IST](23/06/2012)

સાવજોએ ઝેર વાળું મારણ ખાધું હોય તો ખતરાની આશંકાથી વન વિભાગ ચિંતીત : વન વિભાગે બે દિશામાં તપાસ શરૂ કરી

ખાંભાના પાટીની સીમમાંથી ગઇકાલે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ બાજુમાં જ પડેલા ગાયના મારણમાં કોઇએ ઝેર ભેળવ્યાની આશંકા છે ત્યારે વનવિભાગે આ સિંહણ સાથે આંટા મારતા તેના ગ્રુપના અન્ય ચાર સિંહોની શોધખોળ શરૂ કરી છે. જો અન્ય ચાર સિંહોએ આવુ મારણ ખાધુ હોય તો તેના પર ખતરો હોવાની આશંકાએ વનવિભાગ ચિંતિત છે.

ગીરપુર્વની ખાંભા વન કચેરીનો સ્ટાફ પાંચ સાવજના ગ્રુપના છુટા પડી ગયેલા ચાર સાવજોની ભારે શોધખોળ કરી રહ્યો છે. ગઇકાલે ખાંભાના પાટી ગામની સીમમાંથી દુલાભાઇ માણસુરભાઇ વાઘની વાડીમાંથી આશરે દોઢથી બે વર્ષની ઉંમરની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. થોડે દુરથી એક ગાયનો મૃતદેહ પણ મળ્યો હતો.

આ સિંહણે ગાયનું મારણ ખાધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંહણના મોઢામાંથી લોહી પણ નીકળી ગયું હતું. ત્યારે હવે વનવિભાગે બે દિશામાં તપાસ શરૂ કરી છે. એક તો આ ગાયના મારણમાં કોઇએ ઝેર ભેળવ્યું હતું કે કેમ તેની તપાસ થઇ રહી છે. તથા બીજી તરફ આ સિંહણ પાંચ ગ્રુપના સભ્યોમાંની એક હોય બાકીના ચાર સાવજોની પણ શોધખોળ થઇ રહી છે. જો ચાર સાવજોએ આ મારણ ખાધુ હોય તો તેના પર પણ ખતરો હોય તેનાથી વનવિભાગ ચિંતિત છે.

Friday, June 22, 2012

ધારીનાં ભાયાવદર-ડાંગાવદરની સીમમાં જંગલી પ્રાણીના ત્રસ્તથી ખેડૂતો હેરાન


ધારી તા.૨૧
ધારી તાલુકાના ભાયાવદર અને ડાંગાવદર ગામના લોકો કે જેઓ માત્ર ખેતીકામ કરે છે, તેઓ જંગલી પ્રાણીઓથી ત્રાસી ગયાં છે. અને જો ટુંક સમયમાં ઘટતા પગલાં ન લેવાય તો ધારીની વન વિભાગની કચેરી સામે આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
  • ઘટતું ન થાય તો ધારી કચેરી ખાતે આંદોલનની ચીમકી
ગામડાઓમાં ભૂંડ અને નિલગાયનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.ખેતરમાં ઉભેલા પાકને આ પ્રાણીઓ ખુબ મોટું નુકશાન પહોંચાડી રહ્યાં છે. આ પ્રાણીઓ દ્વારા ખેતીને થતું નુકશાન અટકાવવા ખેડૂતોને રાત-દિવસ ખેતરનું રખોપું કરવું પડે છે. પરંતુ ગીર કાંઠાના વિસતારમાં આવેલા ગામડાઓમાં ભૂંડ, નિલગાય, સુવર ઉપરાંત સિંહ અને દીપડાની રંજાડ પણ ખુબ વધી ગઈ છે. સિંહ અને દીપડા જેવા રાની પશુઓ ખેતરનું રખોપુ કરવા ગયેલા કે ખેતી કામ કરતા ખેડૂતો અને ખેત મજુરો પર અવાર નવાર હુમલા કરતા હોવાથી ખેતી કામ અને રખોપુ કરવું અતી મુશ્કેલ બની ગયું છે.ત્યારે ધારી તાલુકાના ભાયાવદર અને ડાંગાવદર ગામે પણ આવી જ સ્થિતિથી ગામજનો તંગ આવી ગયાં છે.આ ગામના લોકો માત્ર ખેતી પર જ જીવન નિર્વાહ ચલાવતા હોવાથી ગ્રામજનોની સ્થિતિ દયનીય બની ગઈ છે.આખરે કંટાળેલા ગ્રામજનો વતી ભાયાવદરના સરપંચ ભાયાભાઈ મતવડાએ વન વિભાગના ગાંધીનગર, અમરેલી અને ધારીના અધિકારીઓને રજુઆત કરી આ પ્રશ્નનો નિવેડો લાવવા માગણી કરી છે.
જો આ પ્રશ્ને દસ દિવસમાં કોઈ ઘટતા પગલાં ન લેવાય તો ધારીની કચેરી ખાતે આંદોલન કરવાની ચીમકી આપી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=66826

Thursday, June 21, 2012

મોતને પણ હંફાવી નામ સાર્થક કર્યું આ દીપડાએ : જુઓ તસવીરો

Jun 21, 2012

પ્રાણી હોય કે માણસ, બધાને જીવન વહાલું છે. જીવન મુશ્કેલીમાં હોય ત્યારે જ તેની જીવવાની ઇચ્છા વધુ પ્રબળ બને છે. સિલિગુરી નજીક હશ્ખોવામાં ચાના એક બગીચામાં આવેલી પાણીની ટાંકીમાં પડી ગયેલા એક દીપડા માટે પણ આ બાબત એટલી જ યથાર્થ હોય તેમ જણાય છે. અગાઉ પાણી અથવા ખાડામાં પડી ગયેલાં પ્રાણીને બહાર કાઢવા દોરડાનો ઉપયોગ કરાતો હતો, પરંતુ તેનાથી તેમના પર જીવનું જોખમ રહેતું હતું,

પરિણામે હવે વન્ય અધિકારીઓ દ્વારા નેટનો ઉપયોગ કરાય છે, એ જ રીતે સુકના વન્યમાં સ્થિત મહાનંદા વન્યજીવ અભયારણ્યના અધિકારીઓએ દીપડાને બચાવી લીધો હતો.








 

લુવારા પાસે સૂરજવડી ડેમમાંથી બે દીપડાના મૃતદેહ મળી આવ્યા.


Source: Bhaskar News, Saverkundla   |   Last Updated 12:37 AM [IST](21/06/2012)
- વનવિભાગના અધિકારીઓ રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામથી બે કિમી દુર આવેલ સુરજવડી ડેમની કેનાલમાંથી આજે સવારે બે દપિડાના મૃતદેહ મળી આવતા વનવિભાગના અધિકારીઓ રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા છે. સવારમાં અહીથી પસાર થતા ખેડુતની નજરે આ મૃતદેહો ચડતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી.

સવારમાં વનવિભાગને જાણ થતા જ ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી સી.બી.ધાંધીયા રેસ્કયુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દપિડા ડેમની કેનાલમાં પડી ગયાના સમાચાર મળતા જ લોકો જોવા માટે એકઠા થયા હતાં. વનવિભાગની રેસ્કયુ ટીમે દોરડાઓની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢયા હતા.

વન્યપ્રાણીઓની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક પ્રાણીઓના મોતની ઘટનાઓ બની રહી છે. હજુ ગઇકાલે જ ખાંભા નજીક વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં આજે બે દપિડાના મૃતદેહો ડેમની કેનાલમાંથી મળી આવતા વન્યપ્રેમીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી. બંને દપિડાઓ અંદાજિત એક વર્ષની ઉંમરના હોય રમતા રમતા તેઓ ડેમની કેનાલમાં પડી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન જણાવાય રહ્યું છે. આ વિસ્તારમાં આઠેક દપિડાઓ અને પાંચથી છ સિંહો આંટાફેરા મારતા હોવાનું વન્યપ્રેમીઓએ જણાવ્યું હતું.

Wednesday, June 20, 2012

વેરાવળનાં સવની ગામે દીપડો પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:12 AM [IST](20/06/2012)
વેરાવળ તાલુકાનાં સવની ગામની સીમમાંથી આજે મોડી રાત્રિનાં દીપડો પાંજરે પુરાતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. તાલુકાનાં સવની ગામની સીમમાં દીપડાની અવર-જવર જોવા મળતાં આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય નરશીંગભાઇ ઝાલાએ વનવિભાગને જાણ કરતાં સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી આજે સાંજે પાંજરૂ ગોઠવ્યું હતુ.

ત્યારબાદ રાત્રિના ૯:૩૦ વાગ્યાની આસપાસ દીપડો પાંજરે પુરાઇ જતા વનવિભાગ અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દીપડાને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર થતી હોય રાત્રિના સમયે ખેડૂતો તેમના ખેતરમાં પિયત કરવા જઇ શકતા નથી તેમજ હાલમાં શેરડીના વાડ મોટા થતાં જાય છે અને તેમાં દીપડાઓ વસવાટ કરતા હોય આ વિસ્તારમાં દિવસના સમયે વીજ પુરવઠો આપવા નરશીંગભાઇ ઝાલાએ માંગણી કરી છે.

બિલખા પાસે વિહરતા વૃદ્ધ સિંહની દેખરેખ રાખવા આગેવાનની માંગ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:57 AM [IST](20/06/2012)
- વનરાજ ભૂખ્યા ન રહે તે જોજો: વનવિભાગને પત્ર પાઠવતા ન.પં.નાં પૂર્વ સભ્ય

સોરઠ એટલે સિંહનો ‘મુલક’. સિંહ એક દિલેર પ્રાણી છે. તો અહીંનાં માનવી પણ એટલા જ દિલેર છે. તેને જેટલી બીજા માનવીની ચિંતા હોય એટલી જ ચિંતા વજરાજની પણ હોય છે. જેની પ્રતિતી કરાવતા પ્રસંગો અવારનવાર બનતા રહે છે. તાજેતરમાંજ બિલખા પાસેનાં ગિરનારનાં જંગલમાં એક વૃદ્ધ સિંહ વહિરતો હોઇ નગરપંચાયતનાં એક પૂર્વ સદસ્યએ એ સિંહની પૂરતી દેખરેખ રાખવા અને વૃદ્ધત્વને લીધે તે ભૂખ્યો ન રહે તે જોવા વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવ્યો છે.

બિલખા પાસે રામનાથ મથુરા અને રણશીવાવ વિસ્તારમાં વહિરતો એક ‘વનકેસરી’ વૃદ્ધ થઇ ગયો છે. હાલ તે મારણ કરી શકવાની સ્થિતીમાં નથી. આ સિંહ ક્યારેય વિસ્તારમાંથી બહાર ગયો નથી. હાલ તેની હાલત ખુબજ દયાજનક હોવાનું અને તેનાં દાંત પડી ગયા હોવાનું બિલખા નગર પંચાયતનાં માજી સભ્ય કિશોરભાઇ જોષીનાં ધ્યાને આવ્યું. આથી તેમણે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે એવી માંંગણી કરી છે કે, બિલખા પાસેનાં મંડલીકપુર, ઉમરાળા, મેવાસા, હડમતીયા, થુંબાળા, બેલા, વિરપુર શેખવા બધા ગામોમાંજ જોવા મળતા વૃદ્ધ વનરાજને પૂરતું રક્ષણ આપવાની જરૂર છે. વૃદ્ધ હોવાથી ગૃપનાં અન્ય સાવજોએ તેને એકલો પાડી દીધો છે. હાલ તે જંગલને બદલે રેવન્યુ વિસ્તાર અને ગામડાંઓમાં ફરે છે.

આથી તેનું પૂરતું લોકેશન રાખી તે ભૂખ્યો ન રહે તેની વ્યવસ્થા અને તકેદારી રાખવાની માંગ પત્રમાં કરાઇ છે. વધુમાં જણાવાયું છે કે, તેનું ગામડાંમાં કોઇ જગ્યાએ મૃત્યુ થાય એ યોગ્ય નથી. આથી તેને પૂરા સન્માન સાથે જંગલમાં સાચવવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે. સિંહને નિહાળવો એ એક લ્હાવો છે. ખુશ્બુ ગુજરાત કી બાદ સિંહને જોવા આવનારા વધ્યા છે તો ખુદ સોરઠવાસીઓ પણ સિંહનાં સંરક્ષણ માટે જાગૃત છે એ વાતને આ કિસ્સો પુષ્ટિ આપે છે.

ખાંભા નજીક વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:36 AM [IST](20/06/2012)
- સિંહણના મૃતદેહ પાસેથી મળેલો વાછરડીના મૃતદેહના નમૂના લેવાયા

ખાંભા નજીક પાટી રેવન્યુ વિસ્તારમાં આજે સવારે એક વાડીમાંથી દોઢ વર્ષની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. રાયડી આદસંગ રોડ પર આવેલ પાટી ગામના સરપંચ દુલાભાઇ માણસુરભાઇ વાઘની વાડીમાંથી દોઢેક વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. દુલાભાઇ સવારે પોતાની વાડીએ મજુરો સાથે ગયા હતા. ત્યારે સિંહણનો મૃતદેહ નજરે પડતા તેઓએ તુરત વનવિભાગને જાણ કરી હતી.

વાડીમાં સિંહણનો મૃતદેહ પડ્યાના સમાચાર ગામમાં ફેલાતા ગામલોકો જોવા માટે અહી એકઠા થયા હતા. ધારી વનવિભાગના ડીએફઓ અંશુમન શર્મા તેમજ આરએફઓ પરડવા, ફોરેસ્ટર ભટ્ટી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સિંહણનો મૃતદેહ કબજે લીધો હતો. સિંહણના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. બીજી બાજુ સિંહણના મૃતદેહ પાસેથી મળી આવેલી વાછરડીના મૃતદેહના નમૂના લઇને વાછરડીના માંસમાં ઝેર છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરાઇ છે.

Tuesday, June 19, 2012

ગિરનારની સીડી અને પરિક્રમા રૂટ રૂ.૬૯.૩૩ લાખના ખર્ચે રિપેર કરાશે.


જૂનાગઢ, તા.૧૭
વર્ષ દરમિયાન જ્યાં લાખ્ખો યાત્રિકો આવે છે તેવા ગરવા ગિરનારની સીડી અને પરિક્રમા માર્ગને રિપેર કરવા માટે સરકાર દ્વારા રૂ.૬૯.૩૩ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. ગિરનાર યાત્રાધામના વિકાસ માટે લાંબા સમયથી સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહેલી માગણીઓના પ્રતિભાવ રૂપે આ રકમ ફાળવવામાં આવી છે. જેમાંથી ટૂંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
  • જરૂરિયાત અંગેની ચર્ચા-વિચારણા કરીને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે
  • સાધુ-સંતોની માગણીને ધ્યાને લઈ રકમ ફાળવાઈ
ગિરનાર ઉપર દેશભરમાંથી લાખ્ખો યાત્રિકો આખા વર્ષ દરમિયાન આવતા રહે છે. આ ઉપરાંત કારતક મહિનામાં યોજાતી પરિક્રમામાં પણ લાખ્ખો યાત્રિકો ઉમટી પડે છે. વરસાદના કારણે અને આખુ વર્ષ પડયા રહેતા પરિક્રમા માર્ગને રિપેરીંગની જરૂર હોય છે. જેના માટે સાધુ-સંતો અને ભાવિકો દ્વારા અનેક વખત રજૂઆતો તથા માગણીઓ કરવામાં આવી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટર મનિષ ભારદ્વાજ દ્વારા આ કામગીરી અંગેની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જેના પગલે ગિરનાર પરિક્રમા રૂટની કામગીરી માટે રૂ.૪૪.૩૩ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. જ્યારે ગિરનારની સીડી રિપેરીંગ માટે રૂ.રપ લાખની રકમ ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા પરામર્શ તથા ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ કલેક્ટર દ્વારા આ રકમ ફાળવવામાં આવશે. નજીકના સમયમાં જ આ કાર્યવાહી હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સરકાર દ્વારા યાત્રાધામના વિકાસ માટે રકમ ફાળવવામાં આવતા ભાવિકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી છે.

‘ગીરના સાવજો’ એ ગુજરાતનું વધાર્યું ગૌરવ.

Source: Jitendra Mandaviya, Sasan (Gir)   |   Last Updated 2:47 AM [IST](19/06/2012)
- પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો - વિદેશી પર્યટકોની સંખ્યા પણ ૩૮ ટકા વધી: વન વિભાગને સવા ચાર કરોડની ધીંગી આવક થઇ
સમગ્ર એશીયા ખંડમાં માત્ર ગીરનાં જંગલમાં વિચરતા એશીયાટીક સિંહોનું સત્તાવાર વેકેશન ૧૬ જૂનથી ચાર માસ માટે શરૂ થઇ ચૂક્યું છે. ગીર જંગલનાં દ્વાર ૧૫ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. વનરાજોને વેકેશન પહેલા જોઇ લેવા પ્રવાસીઓનો રીતસર રાફડો ફાટતા ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો તોતીંગ વધારો થયો હોય ગીરનાં સિંહોએ દેશ-વિદેશમાં પ્રવાસીઓને ઘેલુ લગાડી ગુજરાતનું ગૌરવ વધાયું છે. વનરાજોનું તા. ૧૬ જૂનથી ચાર માસનું વેકેશન શરૂ થઇ ચુકયુ છે. ૧૫ ઓક્ટોબરથી ૧૬ જૂન સુધીનાં આઠ માસમાં સિંહદર્શન કરવા આવતા પ્રવાસીઓએ સાસણમાં રીતસરની કતારો લગાવી હોય તેમ ગતવર્ષની તુલનામાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૪ ટકાનો ધરખમ વધારો નોંધાયો હોવાનું વનવિભાગે જણાવ્યું છે. આ અંગેની વિગતો આપતા વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ. સંદપિકુમારે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતો જાય છે.

ચાલુ વર્ષે ગત સાલ કરતા પ્રવાસીઓ ૪૪ ટકા વધ્યા છે. તેમાં વિદેશી પ્રવાસીઓએ પણ સાસણ ગીર જંગલની વીઝીટ કરવાનું વધુ પસંદ કરતા ૩૮ ટકા વિદેશી પ્રવાસીઓનો વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થતા વનવિભાગને સવા ચાર કરોડની માતબર રકમની આવક થઇ છે અને ગીરનાં સ્થાનિક લોકોની રોજગારી મળવા સાથે લોકોની આવક વધી છે. સિંહપ્રજાતિનાં સંરક્ષણ અંગે વન વિભાગની સતત સર્તકતાનાં પરિણામે સિંહોની સંખ્યામાં વધારો થતો રહે છે. ગીર જંગલમાં સિંહદર્શન કરવા આવતા ટુરીસ્ટોને સિંહો જોવા મળતા હોય લોકોનું આકર્ષણ ગીર જંગલ અને સાવજો પ્રત્યે વધ્યું હોવાનું ડૉ. સંદીપકુમારે જણાવેલ હતું.

- પ્રવાસીઓની સંખ્યા ૪,૩૨,૭૧૩એ પહોંચી

દેવળીયા પરીચય ખંડ પ્રવાસીઓની સંખ્યા ૨, ૩૮,૫૮૦ વન વિભાગને થયેલી આવક ૨, ૩૦,૦૬,૭૩૦ ગીર નેશનલ પાર્ક પ્રવાસીઓની સંખ્યા ૧, ૯૮,૧૩૩ વન વિભાગને થયેલી આવક ૨, ૦૦,૭૦,૬૬૦ કુલ પ્રવાસીઓ ૪,૩૨,૭૧૩ કુલ આવક ૪,૩૦,૭૭,૩૯૦ રૂપિયા.

કરમદડીના પાદરમાં સાવજોએ બે ગાય ફાડી ખાધી.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:14 PM [IST](18/06/2012)

ધારી તાલુકાના ગામડાઓના માલધારીઓએ સાવજોના આતંકનો સામનો કરી રહ્યાં છે. આ વિસ્તારના સાવજો પેટની આગ ઠારવા માટે ગમે ત્યારે માલધારીઓના દુધાળા પશુઓનું મારણ કરે છે. આવી જ એક ઘટના ધારી તાલુકાના કરમદડી ગામના પાદરમાં બની હતી. જ્યાં એક સિંહણ અને તેના બે બચ્ચાએ બે ગાય ફાડી ખાધી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કરમદડી ગામના બીજલભાઇ રબારીની ગાયને એક સિંહણ અને તેના બે બચ્ચાએ ગામથી થોડે દુર ફાડી ખાધી હતી. એવી જ રીતે હિરાભાઇ બધાભાઇ કોળીની ગાયને પણ સાવજોએ ફાડી ખાધી હતી.

સવારે ગામલોકોને મારણની જાણ થતા વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આમ છતા વનવિભાગનો સ્ટાફ અહીં ડોકાયો પણ ન હતો. આ વિસ્તારના ગરીબ માલધારીઓને સાવજો આ રીતે વારંવાર નુકશાન પહોંચાડે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-hunt-by-lions-3428088.html

Monday, June 11, 2012

જૂનાગઢ-મેંદરડા બાયપાસ સીધો નેશનલ હાઈ વે સાથે જોડાશે, રૂ.૭.૩૦ કરોડ મંજૂર.


જૂનાગઢ, તા.૯
રાજકોટ કે વેરાવળ તરફથી આવતા લોકોને મેંદરડા-સાસણ તરફ જવા માટે અત્યારે જૂનાગઢ શહેરમાંથી ફરજીયાત પસાર થવું પડે છે. પરિણામે જૂનાગઢના શહેરીજનો અને બહારથી આવતા લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢ-મેંદરડા બાયપાસ રોડને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે આ સમસ્યાઓ હલ થવાની આશા લોકોમાંથી વ્યક્ત કરવામાં આવી રહી છે.
  • જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટશે : બહારથી આવતા લોકોને હવે શહેરમાં નહી આવવું પડે
જૂનાગઢથી ઈવનગર થઈને મેંદરડા તરફ જતો બાયપાસ રસ્તો લોકો માટે ભારે સુવિધારૂપ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધેલા ટ્રાફિકના કારણે આ રસ્તો જૂનાગઢના શહેરીજનો માટે સમસ્યા રૂપ બની ગયો છે. કારણ કે રાજકોટ કે વેરાવળ તરફથી આવતા અને મેંદરડા-તાલાળા તરફ જતા લોકોને ફરજીયાત શહેરમાંથી પસાર થવું પડતું હતું. જેના કારણે શહેરના કોલેજ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. ખાસ કરીને ભારે વાહનોને લીધે ગંભીર અકસ્માતોની ભીતિ રહેતી હતી. માટે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડીને જૂનાગઢ શહેરનો ટ્રાફિક ઘટાડવા અને બહારથી આવતા લોકોની મૂશ્કેલી નિવારવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. જેના પગલે મેંદરડા બાયપાસને સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડવા માટે રૂ.૭.૩૦ કરોડની રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હોવાનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તથા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરૂભાઈ ટાંકે જણાવ્યું છે. એક રીંગરોડ તરીકે આ રસ્તાનું જોડાણ આગામી દિવસોમાં ખુબ જ મહત્વનું બની રહેશે. તેવી આશા બન્ને આગેવાનોએ વ્યક્ત કરી છે. તેમજ આ નવા જોડાણથી શહેરનો ટ્રાફિક ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ ઘટશે.
સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે
મેંદરડા બાયપાસ સીધા જ નેશનલ હાઈ વે સાથે જોડાઈ જવાથી પ્રવાસીઓને સાત કિ.મી.નું અંતર ઓછું કાપવું પડશે. અત્યારે મેંદરડા તરફથી આવીને રાજકોટ તરફ જવા માગતા કે પછી રાજકોટ તરફથી તાલાળા તરફ જવા માગતા લોકોને હવે જૂનાગઢ શહેરમાં નહી પ્રવેશવું પડે. અને આ વાહન ચાલકો બારોબાર થઈને પસાર થશે. માટે જૂનાગઢમાં આવવા-જવાનું સાત કિ.મી.નું ઓછું અંતર પ્રવાસીઓને કાપવું પડશે.

ખેતર અને વાડીમાં એક લાઈન બાજરા-જુવારની વાવવા અપીલ.


રાજકોટ, તા.૯ :
પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. પક્ષીઓ આપણી આહાર જાળની મહત્વની કડી છે. તેની સંખ્યા જળવાય રહે તે માટે નવરંગ નેચર ક્લબે ખેડૂતોને ખેતર અને વાડીમાં જુવારની એક લાઈન વાવવા અપીલ કરી છે. આવતીકાલની ચિંતામાં માનવે પર્યાવરણનું શોષણ કર્યું છે. સમય જતાં રોકડીયા પાકની ઉપજ લેવામાં અને જંતુનાશક દવાના ઉપયોગથી પ્રણાલીગત ખેતીની પધ્ધતિમાં ફેરફાર થયો છે. જુવાર અને બાજરા જેવા બરછટ અનાજની ખેતી ઘટતા પક્ષીઓનો ખોરાક ઘટયો અને પરિણામે
  • નવરંગ નેચર ક્લબનું સ્તુત્ય કાર્ય
  • નિર્દોષ અને અબોલ પક્ષીઓ કાજે
પક્ષીઓ ઘટયા. ચોમાસુ નજીકમાં છે ત્યારે કોઈપણ પાક લેતા ખેડૂત ખેતરના શેઢે બે-ત્રણ ચાસમાં જુવાર કે બાજરો વાવે તેવી અપીલ ક્લબે કરી છે. જેની લણણી કર્યા વગર ભગવાનના ભાગ તરીકે રાખી મૂકવાથી પક્ષીઓને ખોરાક મળતો રહેશે. ખેતરમાં આવનારા પક્ષીઓ આ અનાજના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઈયળોનો પણ નાશ કરશે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘટશે.૨૦૦૯થી શરૂ થયેલા આ અભિયાનમાં સૌરાષ્ટ્રના ૧૮,૦૦૦ ખેડૂતોએ તેમના ખેતરમાં એક ચાસ પક્ષીઓ માટે અનામત રાખ્યો હતો.
૨૦૧૦માં આ સંખ્યા વધીને ૪૦,૦૦૦, ૨૦૧૧માં ૫૦,૦૦૦ થઈ હતી. હવે ચાલુ વર્ષમાં એક લાખ ખેડૂતો જોડાય તેવી આશા વ્યક્ત થઈ છે.

કેસરનાં ઘટતા ઉત્પાદન અને ભાવ અંગે ચિંતા.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:44 AM [IST](11/06/2012)
- સાસણ(ગીર)માં પ્રવાસન નિગમ સહિતનાં સહયોગથી મેંગો ફેસ્ટીવલનો પ્રારંભ : ૮૦ જાતની કેરી પ્રદર્શનમાં મુકાઈ

ગુર્જર ટૂરીઝમ ડેવલપમેન્ટ સોસાયટી આયોજિત અને ગુજરાત પ્રવાસન નિગમ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગથી ત્રિદિવસીય મેંગો ફેસ્ટિવલનો કેસરી સિંહોના રહેઠાણ સાસણ(ગીર) પાસે અક્ષર ફાર્મ (સૂરજગઢ) માં આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજ્યનાં ૧૦૮ ખેડૂતોએ ૮૦ જાતની કેરી પ્રદર્શિત કરી છે. આ સેમિનારમાં કેસરનાં ઘટતાં ઉત્પાદન અને ભાવો અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.

મેંગો ફેસ્ટિવલના પ્રારંભે ગુર્જર ટુરીઝમ ડેવલપમેન્ટ સોસાયટીનાં પ્રમુખ મનિષ શર્માએ સ્વાગત કરી ગીર ખાતે ફેસ્ટિવલનું આયોજન કરવા પાછળનો હેતુ સમજાવતા કહ્યુ હતુ કે, જગવિખ્યાત કેસરી સિંહોની જેમ કેસર કેરી પણ દેશ-વિદેશમાં પ્રચલિત થાય તે છે. આ પ્રસંગે ઉપસ્થિત સંસદીય સચિવ એલ.ટી.રાજાણીએ કેરીના ઉત્પાદન અને ભાવમાં થતાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી તે વિશે સંશોધન કરવા ઉપર ભાર મૂક્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમનાં ચેરમેન કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યનાં વિવિધ વિસ્તારનાં ૧૦૮ ખેડૂતોએ સ્ટોલ ઉભા કરી વિવિધ જાતની ૮૦ કેરી પ્રદર્શિત કરી છે. વિશ્વમાં ૧૯૭ પ્રકારની કેરીનું ઉત્પાદન થાય છે જેમાં કેસર કેરીનું આગવું સ્થાન છે.

છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પ્રવાસીઓ આકર્ષિત થતાં એક વખત નુકશાન કરતું ગુજરાત ટુરીઝમ આજે વર્ષે ૧૮ કરોડથી પણ વધુ નફો કરતું થયું છે. પ્રવાસન વિભાગ દ્વારા આ મેંગો મહોત્સવનો નવતર પ્રયોગ સાસણમાં પ્રવાસીઓનું ઘોડાપુર લાવવા માટેનો એક અસીમ પ્રયાસ છે અને સ્થાનિક લોકોને નવી રોજગારીની તકો ઉભી થશે. ઉતર પ્રદેશથી આવેલ તજજ્ઞ કલીમુલ્લાખાન કે જેમણે ૧૭૦૦ થી વધુ જાતની કેરી તથા કલમોનો ઉછેર તેમજ એક જ આંબામાં ૩૧૫ જાતની કેરીનું ઉત્પાદન કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી આવેલા અરવિંદ અમૃતે એક વર્ષમાં ૨૫ લાખ આંબા અને કાજુની કલમનું ઉત્પાદન અને વાવેતર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના કિસાનોને કેરીની વિવિધ જાતની લાખો કલમો દર વર્ષે પુરી પાડે છે. જ્યારે ગુજરાતનાં ઠાકોરભાઇ પટેલે ઉપસ્થિત કિસાનોને કેરી તથા આંબાની માવજત વિશે ઉપયોગી માહિતી આપી હતી.

- કેસર કેરીને પાક વિમામાં સામેલ કરો : સંસદીય સચિવ રાજાણી

કેસર કેરીના પાકને પાકવિમાથી સુરક્ષિત કરવા લાંબા સમયથી તાલાલા પંથકના કિસાનો માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર તરફથી કિસાનોને ન્યાય આપવામાં આવતો નથી ત્યારે આ ફેસ્ટિવલમાં ઉપસ્થિત પ્રધાનમંડળના સભ્ય એલ.ટી.રાજાણીએ ખુદ સ્વીકાયું છે કે, છેલ્લા પાંચ વર્ષથી પ્રતિકુળ આબોહવાના લીધે કેસર કેરીનો પાક અવિરત નિષ્ફળ જતો હોય કિસાનો આંબા કાપવા લાગ્યા છે ત્યારે સરકારે કેસર કેરીનાં પાકનો પાક વિમામાં સમાવેશ કરવો જોઇએ.

- મહારાષ્ટ્રમાં કેસર કેરી નંગમાં વેંચાય છે

મહારાષ્ટ્રના રત્નાગીરીથી આવેલા અમૃત ઇકોફાર્મના માલિકે તાલાલા પંથકમાં વજનનાં ભાવે વેંચાતી કેસર કેરી અંગે ભારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતુ. અમારે ત્યાં એપ્રીલ માસમાં કેસર કેરી પાકે છે. અમે ડઝનનાં લેખે કેસર કેરી વેંચીએ છીએ. જેથી ગુજરાતનાં કિસાનો કરતા મહારાષ્ટ્રના કિસાનોને દશગણા કેસર કેરીના ભાવ મળે છે. ગુજરાતમાં એપ્રીલ માસમાં કેસર કેરીનો પાક બજારમાં આવે તે માટે સરકાર દ્વારા પણ યોગ્ય સંશોધન કરી મહારાષ્ટ્રના કિસાનોની હરોળમાં ગુજરાતના કિસાનોનોે લાવવા જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

ખારાપાટમાં વસતા સાવજો પર પુરનો ખતરો.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:29 PM [IST](11/06/2012)

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં વસતા સાવજો પર ફરી આ ચોમાસામાં ખતરો ઉભો થયો છે. અહીંના ખારાપાટ વિસ્તારમાં ચોમાસામાં શેત્રુજી તથા ગાગડીયો નદીના પાણી ભરાઇ જતા હોય ભુતકાળમાં અનેક સિંહ મોતને ભેંટ્યા છે. ન્યૂમોનીયાથી અનેક સિંહબાળના મોત થઇ ચૂક્યા છે.અહીં સાવજો માટે સલામત સ્થળ ઉભા કરવા માંગ ઉઠી છે.

ચોમાસામાં ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, વગેરે ગામની સીમમાં ખારાપાટ વિસ્તારમાં ચોમાસાના ચાર મહીના પાણી ભરાઇ જાય છે. શેત્રુંજી તથા ગાગડીયો નદી અવાર નવાર કાંઠા તોડીને વહેતી હોય સાવજો પર ખતરો રહે છે.વર્ષ ૨૦૦૫ અને ૨૦૦૮માં આવા પુરમાં ત્રણ સાવજો તણાઇને મોતને ભેંટ્યા હતાં. સતત પાણીના કારણે સિંહબાળનું ન્યૂમોનીયા થવાથી મોત થયાની પણ એકથી વધુ ઘટના બની છે.

ખારાપાટ વિસ્તારમાં જો માટીના ઉંચા ટીલા બનાવાય તો ભારે પુરના સંજોગોમાં આ સાવજો ત્યાં આશરો લઇ બચી શકે.પાછલા ત્રણ વર્ષથી તંત્રમાં આ બાબતે માત્ર વિચારણા જ ચાલી રહી છે.

અનેક લોકોની નજર સામે આઠ સાવજોએ કર્યો ભુંડનો શિકાર.


Source: Dilip Raval, Amreli   |   Last Updated 2:20 PM [IST](11/06/2012)

સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામની સીમમાં ગઇકાલે આઠ સાવજના ટોળાએ અનેક લોકોની નજર સામે જ એક ભૂંડનો શિકાર કરી તેને આરોગી ગયાં હતા. આ વિસ્તારમાં અનેક સાવજોનો વસવાટ છે. રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવારનવાર ખેડૂતોની વાડી ખેતરમાં આવી ચડે છે.

ગઇરાત્રે હાથસણી અને શેલખંભાળીયા ગામ વચ્ચેની સીમમાં એકસાથે આઠ સાવજો ચડી આવ્યાં હતા. સાવજોએ નદીના પટમાં જ ધામા નાખ્યા હતાં. નદીના પટમાં સાવજ બેઠા હોવાના વાવડ મળતા સિંહ દર્શન માટે લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. આ સમયે જ ભુખ્યા થયેલા સાવજોએ અનેક લોકોની નજર સામે ક્યાંકથી આવી ચડેલા એક ભુંડનું મારણ કર્યું હતું. એટલુ જ નહી જોતજોતામાં આ ભુંડને આરોગી ગયા હતા.

સિંહ દર્શન માટે લોકોની ભીડ ભલે એકઠી થતી હોય પરંતુ અહીંના ખેડુતોમાં ફફડાટ છે. કારણ કે સાવજોનો જ્યાં વસવાટ છે. ત્યાંથી જ સીમમાં જવાનો તેમનો રસ્તો નીકળે છે. ગઇરાતની ઘટના વખતે વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો.

અમિત જેઠવાના પરિવારને ફોન પર પતાવી દેવાની ધમકી.

Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:45 AM [IST](10/06/2012)
- સાંસદ દિનુ સોલંકી સામેની લડતને અવરોધવા પ્રપંચ કરાતો હોવાનો આક્ષેપ

આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવાની હત્યા બાદ હવે તેના પિતા ભીખુભાઇ બાટાવાળા અમીત જેઠવાની ઝુંબેશને આગળ ધપાવી રહ્યા છે ત્યારે હવે તેમના પરિવારને ટેલીફોન પર ધમકીઓ મળી રહી હોવાની તેમણે ખાંભા પોલીસને રજુઆત કરી છે.

ભીખુભાઇ બાટાવાળાએ ખાંભાના પીએસઆઇને આપેલી લેખીત રજુઆતમાં જણાવ્યુ છે કે મોબાઇલ પર તેમના પરિવારને સતત ધમકી મળી રહી છે. અગાઉ પણ તેમના પરિવારને મોબાઇલ પર ધમકીઓ મળી હતી અને આ બારામાં પોલીસને ફરીયાદ આપવામાં આવી હતી. આમ છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે તેમના પત્નીને મોબાઇલ પર છ વખત કોલ કરી અજાણ્યા શખ્સે તારા છોકરાને પુરો કરી નાખેલ છે હવે તારા ધણીને કહે કે આ કેસમાં આગળ ન વધે નહીતર તેને પણ પુરો કરી નાખવો પડશે. તેમણે એમ જણાવ્યુ છે કે જુનાગઢના સાંસદ દિનુભાઇ સોલંકી સામે તેમની લડત ચાલુ છે ત્યારે તેમાં અવરોધો પેદા કરવા અનેક પ્રપંચ થઇ રહ્યા છે.

સાથે સાથે તેમણે પોતે કોડીનાર તાલુકાના વતની હોય અને તેના સગા સબંધીઓ પણ કોડીનાર તાલુકામાં રહેતા હોય તેમના કોડીનાર તાલુકાના પ્રવાસ માટે પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે. અમીત જેઠવાની હત્યા થઇ ગયા બાદ તેમના પરિવારને ફોન કરીને મારી નાખવાની ધમકી અપાઇ છે ત્યારે પોલીસે તાકીદે તપાસ કરી ગુનેગારોને પકડી લેવા જોઇએ.

Saturday, June 9, 2012

કુદરતની મહેરબાનીથી સાવજોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 6:42 PM [IST](08/06/2012)
અમરેલી જીલ્લાના લોકો ભલે પાણીની કારમી સમસ્યાનો સામનો કરી રહ્યા હોય પરંતુ સાવરકુંડલા તાલુકાના મીતીયાળા અભ્યારણ્યની આસપાસના વિસ્તારમાં વસતા અઢારથી વીસ જેટલા સાવજોનો પાણી પ્રશ્ન કુદરતે એક જ ઝાટકે હલ કરી નાખ્યો છે. ગઇકાલે આ વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડી જતા અનેક ચેકડેમો છલકાઇ ગયા છે. અનેક નદી નાળા વહેવા લાગતા આ સાવજોને હવે પાણી માટે ગામડાઓની અંદર ઘુસવું નહી પડે.

સાવરકુંડલા તાલુકામાં પંદરથી વધુ ગામોમાં ગઇકાલે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી જતા જેવી રીતે લોકો અને ખેડૂતોએ હાંસકારો અનુભવ્યો છે તેવી રીતે સાવજો માટે પણ આ વરસાદ પાણીની સમસ્યાનો હલ લઇને આવ્યો છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ઘણી મોટી છે. સાવરકુંડલા-લીલીયા પંથકમાં વસતા સાવજો માટે ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ હતી.

સાવજો અવાર નવાર પાણીની શોધમાં કોઇને કોઇ ગામમાં ઘુસી જતા હતાં. ગામના પાદરમાં આવેલા અવેડા સુધી સાવજોને લાંબા થવું પડતુ હતું. સાવરકુંડલાના નાળકેદારીયા, ઠવી, રબારીકા, ભમોદરા સહિત પંદર મિતીયાળા અભ્યારણ્યની આસપાસના ગામડાઓમાં અઢારથી વીસ સાવજો વસે છે. ગઇકાલના ભારે વરસાદના કારણે કુત્તીશેલ નદી બે કાંઠે વહી હતી જેને લીધે અનેક ચેકડેમ છલકાઇ ગયા હતાં. હીપાવડલીનો મોટો ડેમ પણ ભરાઇ ગયો હતો. આ તમામ ગામો આસપાસના ચેકડેમોમાં પાણી આવતા સાવજોનો પાણી પ્રશ્ન હલ થયો છે.

સિંહણનાં જમણાં પગમાં ખીલી વાગતાં મોત.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 1:03 PM [IST](08/06/2012)
-તો ઘાયલ સિંહણને અધિકારીઓ બચાવી શક્યા હોત

માણસને પગમાં ખીલી વાગે તો સારવાર કરાવવા જાય પણ સાવજને પગમાં ખીલી વાગે તો? સાવરકુંડલાના નાની વડાળ ગામની સીમમાં ગઇકાલે સિંહણનો મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ દરમીયાન આ સિંહણનું મોત પગમાં ખીલી ઘુસી જતાં આખા શરીરમાં રસી થઇ જવાના કારણે થયાનું ખુલ્યુ છે. સીમમાં જ સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નીકાલ કરાયો હતો.

નાની વડાળની સીમમાં મૃત્યુ પામેલી સિંહણના પોસ્ટમોર્ટમ દરમીયાન તેના પગમાંથી ખીલી મળી આવી હતી. આ સિંહણને થોડા સમય પહેલા કોઇ રીતે જમણા પગમાં ખીલી ઘુસી ગઇ હતી. જેના પગલે સિંહણના પગમાં રસી થઇ ગયું હતું. જો વન વિભાગના નજરે આ સિંહણ ચડી ગઇ હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત પરંતુ તે કોઇના નજરે ન ચડતા સિંહણના આખા શરીરમાં રસી ફેલાઇ ગયું હતું. જેના પરિણામે આ સિંહણ ગઇકાલે મૃત્યુ પામી હતી.

બીજી તરફ નાની વડાળ પંથકમાં ગઇકાલે ધોધમાર વરસાદ હોય સિંહણના મૃતદેહને સલામત સ્થળે લઇ જઇ તેનુ પોસ્ટમોર્ટમ કરવુ પડયુ હતું.ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ ધામી તથા વેટરનરી ડૉ. હિતેષ વામજા વગેરેની ઉપસ્થિતિમાં સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ગીરના સિંહને એમના ઘરમાં જ રહેવા દો : પઠાણબંધુ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:59 AM [IST](09/06/2012)
સાસણમાં પત્રકારોને ખાસ મુલાકાત આપી : વન્યપ્રાણી અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની તૈયારી બતાવી

'ગીરનાં સિંહને એમનાં ઘરમાં જ રહેવા દો’ એવી લાગણી સાસણ(ગીર)ની મુલાકાતે આવેલા ટીમ ઇન્ડીયાનાં સ્ટાર ક્રિકેટર પઠાણ બંધુઓએ વ્યકત કરી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની પ્રતિબધ્ધતા બતાવી હતી.

ટીમ ઇન્ડીયામાં ગુજરાતનું ગૌરવ વધારતાં વડોદરાનાં વતની એવા જાણીતા યુવા ક્રિકેટર પઠાણબંધુ યુસુફ અને ઇરફાન એમનાં પરિવાર સાથે સાસણ(ગીર)ની મુલાકાતે આવ્યા છે. વન વિભાગનાં આમંત્રણને માન આપી સિંહ સદનમાં રોકાણ કર્યુ છે. આજે પત્રકારોને આપેલી ખાસ મુલાકાતમાં પઠાણબંધુએ જંગલમાં મુક્ત મને વિહરતા સાવજ પરિવાર અને કુદરતી સૌંદર્યથી આચ્છાદીત જંગલની સુંદરતાની પ્રશંસા કરી ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

તેઓને મધ્યપ્રદેશનાં કુનો જંગલમાં ગીરનાં સાવજોનાં સ્થળાંતર અંગેની ઘણા સમયથી હિ‌લચાલ ચાલી રહી છે તે અંગે પુછતા આ રાજય-કેન્દ્રનો નીતિ વિષયક મુદો હોય તે અંગે કહેવાનું ટાળ્યું હતું પરંતુ ગુજરાત સાવજોનું ઘર છે અને એમને એમનાં ઘરમાં જ રહેવા દેવા જોઇએ એવી લાગણી વ્યકત કરી હતી.

રાજયનાં બ્રાન્ડ એમ્બેસેડર અને 'બીગ બી’ બચ્ચનની 'ખુશ્બુ ગુજરાત કી’ ડોક્યુમેન્ટ્રી બાદ સાસણ જંગલ અને સાવજ સમગ્ર દેશમાં જ નહી વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા છે. રાજય સરકાર, પ્રવાસન વિભાગ અને વન વનતંત્રની આ કામગીરી કાબીલે તારીફ હોવાનું જણાવી વન, વન્યપ્રાણી- પક્ષીઓનાં સંવર્ધન- સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે તમામ પ્રકારનો સહયોગ આપવાની અને એક ગુજરાતી તરીકે આ મુવેમેન્ટમાં જોડાઇ શકીએ તો તે અમારા માટે ખુશીની વાત બની રહેશે તેમ કહયું હતું.

સાવજનું ટોળું જીપ નજીકથી પસાર થયું ને બાળકો ડરી ગયા

સાસણ જંગલમાં બે દિવસ દરમિયાન ર૭ જેટલા સાવજને વિવિધ એંગલથી નિહાળ્યા એ જીવનની યાદગાર ક્ષણ બની રહેશે. એક સમયે તો સાવજનું ઘુરકીયા કરતું ટોળું અમારી જીપની સાવ નજીકથી પસાર થઇ ગયું ત્યારે મારી માતા અને બાળકો ડરી ગયા હતા. જોકે, આ અમારા પરિવાર માટે એક અનેરા રોમાંચની ઘટના હતી અને તેનું વિડીયો શૂટિંગ પણ મેં કરી લીધુ હતું તેમ ઇરફાન પઠાણે જણાવ્યું હતું.

પ્રાણી - પક્ષીઓને દત્તક લેવાનો યુસુફને શોખ

પ્રાણી - પક્ષીઓ પ્રત્યે મોટાભાઇ યુસુફ ખાસ લગાવ - પ્રેમ ધરાવે છે અને તેમને દત્તક લઇ સાર- સંભાળ રાખે છે તેમ તેનાં નાનાભાઇ ઇરફાને જણાવ્યું હતું.

Friday, June 8, 2012

ઇરફાન, યુસુફ સહપરિવાર સાથે ગીર જંગલની મુલાકાતે.


જૂનાગઢ, તા. ૭
ભારતીય ક્રિકેટ ટીમના બે સ્ટાર ખેલાડીઓ ઇરફાન અને યુસુફ પઠાણ સહપરિવાર ગીર અભયારણ્યના મહેમાન બન્યા છે. આગામી ત્રણ દિવસ સુધી તેઓ અહીં રોકાશે. બન્ને ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઇરફાન પઠાણ અને યુસુફ પોતાના પરિવાર સાથે આજે સવારે ગીરનાં જંગલમાં આવી પહોંચ્યા હતા. તેઓ ગીરના હેડક્વાર્ટર સાસણ ખાતે રોકાયા છે. આજે સવારે પઠાણ પરિવારે જંગલમાં નજીકમાં જ દશ સિંહો જોયા હતા તથા બન્ને ક્રિકેટર ભાઈઓ સિંહદર્શન કરીને રોમાંચિત બન્યા હતા. બપોર બાદ સાડા ચારેક વાગ્યાના અરસામાં આ પરિવાર ફરી વખત જંગલમાં સિંહદર્શન માટે પહોંચી ગયો હતો. વન વિભાગનો સ્ટાફ પણ તેઓની સાથે રહ્યો હતો. ત્રણ દિવસ સુધી આ પરિવાર અહીં રોકાઈને પ્રકૃતિની મજા માણશે. બન્ને સ્ટાર ક્રિકેટરો સ્થાનિક ગ્રામજનો અને અન્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
http://www.sandesh.com/article.aspx?newsid=62704

ગીર અભયારણ્યમાં ૧૬ જૂનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 4:30 PM [IST](06/06/2012)

ગીર અભ્યારણમાં સિંહ મેટિંગ પીરીયડમાં હોય તેમા ખલેલ ન પહોંચે તે માટે અભ્યારણમાં ૧૬ જુનથી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. ગીર અભ્યારણ સહિત જંગલ વિસ્તારમાં ૧૬ જૂનથી ચોમાસાની ઋતુ દરમિયાન સિંહ મેટિંગ પીરીયડ હોય છે અને સિંહ સંવર્ધન માટે ચોમાસા દરમિયાન કોઈ વિક્ષેપ કે ખલેલ ન પહોંચે તેને ધ્યાને લઈ પ્રવાસીઓ માટે ગીર અભ્યારણમાં સહેલાણીઓ માટે પ્રવેશ બંધ કરાવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સાસણના નાયબ વન સરંક્ષક ડૉ.સંદપિ કુમારે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર વન્ય પ્રાણી અભ્યારણ અને રાષ્ટ્રીય ઉધ્ધાન સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ ઋતુ ચોમાસા દરમિયાન તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ઘટતી જતી સિંહોની વસ્તીને ધ્યાને લઈને દેશભરનાં અભ્યારણોમાં સંવર્ધનની મૌસમ દરમિયાન પ્રવેશબંધી રહેતી હોય છે.

Tuesday, June 5, 2012

રાજકોટ ઝૂમાં તાજેતરમાં જ લાવેલા હોગ ડીયરે બચ્ચાને જન્મ આપ્યો.




રાજકોટ, 4 જૂન

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ખાતે  આજે હોગ ડીયરે એક બચ્ચાને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ પાંચ હોગ ડીયર પંજાબના છપદીર ઝૂ ખાતેથી લાવામાં આવ્યા હતા.

આ હોગડીયર પૈકી એક માદાએ આજે બચ્ચાને જનમ આપતા ઝૂમાં હોગ ડીયરની સંખ્યા 6 થઈ છે.
http://www.sandesh.com/article.aspx?newsid=61804