Tuesday, May 20, 2008

પ્રવાસનને વેગ આપવા ૧૫૦ લાખના ખર્ચે કાર્યોનો પ્રારંભ

Bhaskar News, Junagadh
Sunday, May 18, 2008 22:58 [IST]

સોરઠમાં પ્રવાસનને વેગ આપવા પ્રવાસન વષ્ાર્ અંતર્ગત ફાળવાયેલી ગ્રાન્ટ માંથી હાલ રૂા.૧૫૦ લાખના ખર્ચે જિલ્લાનાં વિવિધ સ્થળોને જન સુવિધાનાં વિકાસ કાર્યોકાર્યરત કરાયા છે.

આ અંગે જિલ્લા આયોજન અધિકારી ડો.પારેખે જણાવ્યું કે, ભવનાથમાં શિવરાત્રીનાં રૂટ માટે રૂા.૮.૫૦ લાખ તથા આ વિસ્તારમાં રૂા.૧૫ લાખનાં ખર્ચે ગટરનું કામ કાર્યરત છે. વેરાવળ સોમનાથ ધાર્મિક સ્થળનાં વિકાસ માટે રૂા.૩૭.૬૦ લાખનાં ખર્ચે ગટર વ્યવસ્થા માટેના ત્રણ કામોને વહીવટી મંજુ રી આપવામાં આવી છે.

ઉપરાંત વાતાવરણ સુધારણા લક્ષી કાર્યક્રમ અન્વયે હરીહર વન માટે રૂા.૫ લાખની તેમજ સ્મશાનમાં જ જરૂરી સુવિધા માટે રૂા.૧૫ લાખની વહીવટી મંજુ રી આપવામાં આવી છે. ઊના તાલુકાનાં પ્રાચીન ધાર્મિક સ્થળ ગુપ્ત પ્રયાગના સ્મશાનમાં સુધારણા માટે રૂા.૧૫ લાખના ખર્ચે કામ કરવામાં આવશે. તેવી જ રીતે સુત્રાપાડા તાલુકાનાં પ્રાચીન ધાર્મિક સ્થળ ઘંટીયાના પ્રાચીન સ્મશાનમાં સુધારણા માટે પણ રૂા.૧૫ લાખના ખર્ચે કામ કરવામાં આવી રહ્યા છે.

કેશોદ તાલુકાનાં કલીમલહારી આશ્રમ જવા માટે રસ્તા તથા કોઝ વે રૂા.૫ લાખના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તેમજ મેંદરડા તાલુકાનાં ચોરેશ્વર ખાતે તથા વેરાવળ તાલુકાનાં આદ્રી ગામે રૂા.૮ લાખનાં ખર્ચે આધુનિક ટોયલેટ બ્લોક બનાવવામાં આવી રહ્યા છે.

વંથલી તાલુકાનાં પ્રખ્યાત ઉમિયા માતાજીનાં મંદિર ગાંઠીલા ગામ તરફ જવા માટે રૂા.૬ લાખના ખર્ચે રોડનું કામ થઇ રહ્યું છે. જયારે વેરાવળ તાલુકાનાં આદ્રી ગામે રૂા.૧૦ લાખનાં ખર્ચે પાણીનો સમ્પ બનાવવામાં આવી રહ્યો છે. અને વેરાવળ ચોપાટી પર રૂા.૧૦ લાખનાં ખર્ચે હાઇમોસ્ટ ટાવર કાર્યરત કરવામાં આવ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/18/0805182301_traveling_exp.html

કુતિયાણા-ખાગેશ્રી-જામજોધપુર વન વિસ્તારને સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવા જરૃરી

કુતિયાણા, તા.૧૯

કુતિયાણાથી ખાગેશ્રી થઈ જામજોધપુર જવાના માર્ગે કાલિન્દ્વી ડેમથી જામજોધપુરના પાદર સુધી ગીર અને બરડા જેવો ટેકરી અને મેદાનોવાળો જંગલ વિસ્તાર પથરાયેલો છે ખાગેશ્રી સ્થિત ઘાંસ વીડી તથા તે પછીનો જંગલ વિસ્તાર પડતર અને બિનપયોગી પડયો છે. તેથી આ વિસ્તાર સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવા માગણી ઉઠવા પામી છે. ચેમ્પિયન એન્ડ શેઠના વનના વર્ગીકરણ મુજબ આ વિસ્તારના વનનું વર્ગીકરણ સુકુ પાનખર ઝાંખરાયુકત જંગલ, સુકુ સવાના પ્રકારનું જંગલ, સુકો ઘાંસિયો વિસ્તાર, દેશી બાવળનું જંગલ, પલાશવન, ગોરડવન, બોરડીના ઝાંખરા, થોરવન મુજબ પ્રકાર પાડી શકાય. આ તમામ વર્ગીકરણ મુજબની ભૌગોલિક વનસ્પતિ સંપદા પરિસ્થિતિ આ વિસ્તારમાં મોજુદ છે જયારે આ વિસ્તારમાં પાણી માટેના કાલિન્દ્વી અને સારણ ડેમ છે. એજ રીતે જામજોધપુર પંથકમાં પણ જળ સિંચાઈને લગતા નાના-મોટા ડેમો તથા ચેકડેમો છે. આ વિસ્તારમાં કાળીયાર, નીલગાય, ચિંકારા, સસલા જેવા તૃણાહારી ઉપરાંત નાર એટલે કે વરૃ ઝરખ, શિયાળ, લોંકડી જેવા માંસાહારી તથા થોડાક વર્ષોથી દીપડા પરિવાર પણ કાયમી વસવાટ કરેલ છે. તેમજ વિવિધ જાતના પંખી અને શિકારી ક્ષીઓ છે. આ વન વિસ્તાર પણ સિંહોના વસવાટ માટે અનુકુળ હોય આ વિસ્તારને સંભવિત સિંહ અભયારણ્ય તરીકે વિકસાવવો જરૃરી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=77343&Keywords=Sorath%20Gujarati%20News

Monday, May 19, 2008

ગીર પંથકના ગામડાઓને સાત માસ પછી પણ ભૂકંપ સહાય મળી નથી

તાલાલા (ગીર) તા.૧૭
તાલાલા પંથકના છેવાડાના વિસ્તારના ભૂકંપનો ભોગ બનેલ હિરણવેલ-ચિત્રાવડ-હરીપુર-સાંગોદ્રા-ભાલછેલ ગીર સહિતના આઠ થી દશ ગામોના ગરીબ પરિવારોને સાત માસ પછી પણ સરકારી સહાયથી વંચિત હોય ભૂકંપને કારણે મકાન ગુમાવનાર-પરિવારનો સભ્ય ગુમાવનાર તથા મકાનમાં નુકસાનીનો ભાગ બનનાર અને ભૂંકપને કારણે ઈજા પામનાર પરિવારો નિરાશ થઈ ગયા છે. ભૂકંપનો સૌથી વધુ ભોગ બનનાર આખા હિરણવેલ ગામના ગરીબ નોંધારા પરિવારો છેલ્લા સાત માસથી સરકારી સહાય માટે સ્થાનિક વહીવટી તંત્રની કચેરીએ ધકકા ખાઈને થાકી જઈ સરકારી સહાય ભુલી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દિવાળીના તહેવારોના સમયે ગત તા.૬/૧૧/૦૮ મંગળવારે વહેલી સવારે અને બપોરના સમયે ભૂકંપના બે ભારે આંચકા આવેલ. જેના પરિણામે સાવ ગરીબ અને પછાત ૯૪૦ માનવ વસ્તીવાળા હિરણવેલ ગામને ભાંગીને ભુક્કો કરી નાખ્યું હતું. આખા ગામમાં કુલ રહેતા ૧૭૫ ગરીબ પરિવારોના મકાનો ધરાશાહી થઈ ગયા હતા. જે મકાનો બચ્યા હતા તે પણ રહેવા લાયક નથી. આ બનાવ બાદ તુરંત સરકારના પ્રતિનિધિ તરીકે તે વખતના જળસંપતિ મંત્રી રતિભાઈ સુરેજા તથા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી સહિતનું ઉચ્ચ વહીવટીતંત્ર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે દોડી આવ્યું હતું. ભૂકંપથી થયેલ ભારે તારાજી નિહાળી વ્યથિત થયેલ મંત્રીએ હિરણવેલ ગીર ગામને પુનઃવસન કરવા સરકાર કોઈ કચાસ રાખશે નહીં. ભૂકંપનો ભોગ બનેલ વિસ્તારોને મળવાપાત્ર સહાય માટે તુરંત સર્વે હાથ ધરવામાં આવશે. તેવી મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓએ ખાત્રી આપી હતી. પ્રધાનો તથા ઉચ્ચ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓએ નજરે નીહાળી છે. છતાં પણ આજ સુધી કોઈ સહાય મળી નથી. ભૂકંપને કારણે રહેઠાણ ગુમાવનાર પરિવારોને ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે. અસરગ્રસ્ત લોકોને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય તરત મળે માટે જે તે વખતે પ્રજાના પ્રતિનિધિઓએ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને આપેલ ધરપત પ્રમાણે ભૂકંપને કારણે નોંધારા થયેલ ગરીબ પરિવારોને યોગ્ય ન્યાય અપાવવા પ્રબળ લોકમાગણી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76912&Keywords=Sorath%20Gujarati%20News

Saturday, May 17, 2008

રાજકોટ ઝૂની 'બંસી'ની ડણક સદાને માટે શમી

રાજકોટ,તા.૧૬

રાજકોટ આજી ઝૂમાં ૧૯૯૨માં જન્મેલી અને અહીં વસતા સાવજોના પરિવારના વડલા સમાન સિંહણ 'બંસી'ને ગર્ભાશયમાં ગાંઠ થઈ જતાં માત્ર સાત દિવસની જ ટૂંકી બીમારીના અંતે આજે તેનું મૃત્યું નિપજ્યું હતું. 'પાર્થ'ની સગી બહેન 'બંસી' આજીવન 'કુંવારી' રહી હતી. વર્ષોથી અહીં ઝૂમાં ડણક દેતી 'બંસી' સાથે સ્ટાફને ઉંડી લાગણી બંધાઈ ગઈ હતી. તેની વિદાયથી સ્ટાફ એક આપ્તજન ગૂમાવ્યાના ઘેરા શોકમાં ડૂબી ગયો છે.

તા. ૨૦ ઓક્ટોબર ૧૯૯૨માં આજી ઝૂમાં જ માતા 'મસિહા' અને પિતા 'કેસર' થકી જન્મેલી સિંહણ આજી ઝૂમાં વટવૂક્ષ બનતા જતાં સાવજ પરિવારની વડીલ બની રહી હતી. બાળપણમાં તેના સગા ભાઈ 'પાર્થ' સાથે ઝૂમાં બાલ્યાવસ્થાને મનભરીને માણી હતી. તેનો રમતિયાળ સ્વભાવ જોવા એ વખતે શહેરીજનો મોટો સંખ્યામાં ઝૂની મુલાકાતે આવતા. દરમિયાન છેલ્લાં એકાદ અઠવાડિયાથી તેની તબિયત અચાનક લથડવા લાગતાં તબીબી પરિક્ષણમાં 'બંસી'ને ગભાર્શયમાં ગાંઠ થઈ ગઈ હોય અને તેનું ઇન્ફેક્શન લાગી જતાં માત્ર સાત દિવસની જ ટૂંકી બીમારીના અંતે ગઈકાલે રાત્રે તેણે અંતિમશ્વાસ લીધા હોવાનું મનપાના ડેપ્યુટી કમિશનર પી.પી.વ્યાસે જણાવ્યું હતું.

મૃત સિંહણનું પોસ્ટમોર્ટમ વેટરનર પોલિક્લીનિકના ડે. ડાયરેક્ટર ડો. ઉકાણીએ કરી વિસેરા લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. સાવજોનું સરેરાશ આયુષ્ય વિસેક વર્ષની હોય છે અને ૧૫ વર્ષ બાદ જીવલેણ બીમારીમાં સપડાવાના ચાન્સ વધી જતાં હોવાનું ઝૂના સુપિ. એમ.જી.મારડિયાએ જણાવ્યું હતું.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=48&NewsID=76784&Keywords=sfdklj

જંગલોમાં થતી ભેદી હિલચાલ પર વોચ રાખવા ‘જાસૂસ’ ટુકડી રચાઇ

Viral Vasavada, Rajkot
Saturday, May 17, 2008 00:24 [IST]

શંકાસ્પદ લાગતી વ્યકિતઓનો ડેટાબેઝ તૈયાર થઇ રહ્યો છે

ગીરના જંગલમાં ગત વર્ષ્ોએક સાથે આઠ આઠ સિંહોને ક્રૂરતાથી મોતને ઘાટ ઉતારી દેવાની ત્રણ-ત્રણ ઘટનાઓથી ચોંકી ઊઠેલી ગુજરાત સરકારે લાંબી કવાયતને અંતે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલની રચના કરીને જંગલોમાં ચાલતી ઝીણામાં ઝીણી ગતિવિધિઓ પર બાજનજર રાખવાનું શરુ કરી દીધું છે.

આ ખાસ ટુકડી જંગલ વિસ્તારની શંકાસ્પદ વ્યકિતઓનો આખો ડેટાબેઝ તૈયાર કરીને ગાંધીનગર મોકલશે. આ માટે આ ટુકડી પોલીસતંત્ર અને કોસ્ટગાર્ડ સાથે પણ સંકલનમાં રહેશે.

રાજયના વનખાતાના મુખ્ય વનસંરક્ષક પ્રદીપ ખન્નાએ આ અંગેની વિગતો આપતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ડબલ્યુસીસીની રચના કરી દેવાઇ છે. આ વિશેષ્ા ટુકડીએ વનસંપત્તિ પર કુઠારાઘાત કરતાં તત્ત્વોનો ડેટાબેઝ તૈયાર કરવાનું શરુ પણ કરી દીધું છે.

આ ટુકડીના સભ્યો કેન્દ્ર અને રાજયોની સરકારો સાથે સંકલન સાધશે. એટલું જ નહીં, વન સંપત્તિને નુકસાન પહોંચાડતાં તત્ત્વોને ડામી દેવા પોલીસ તંત્ર અને કોસ્ટગાર્ડનો પણ સહયોગ લેવાશે.

ખાસ કરીને આરક્ષિત વનવિસ્તારોની આસપાસ ચાલતી હરકતો પર આ ટુકડી વોચ રાખશે. ગત વર્ષ્ોગીરમાં સિંહોના શિકારની ઘટના બાદ રાજય સરકાર દ્વારા આવી ટુકડી રચવા ભલામણ કરવામાં આવી હતી.

ખન્નાએ ઉમેર્યું હતું કે, આ પગલાંથી વન્યજીવોની સુરક્ષા વધારી શકાશે અને વનસંબંધી ગુનાઓ કચડી શકાશે. આ સેલમાં એડિશનલ ડીજીપી, ગૃહવિભાગ, મુખ્ય વનસંરક્ષક (વન્ય), જૂનાગઢના વનસંરક્ષક (વન્યજીવો સંબંધી ગુનાઓ), ગાંધીનગર સંલગ્ન રહેશે.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/17/0805170027_forest_committee.html

Thursday, May 15, 2008

ગિરનારના જંગલને અભયારણ્યનો દરજજો

Bhaskar News, Junagadh
Wednesday, May 14, 2008 00:51 [IST]

ગિરનાર પર્વત સુધી સિંહોને મોકળાશ મળશે

ગીરનું જંગલ એશિયાટિક સિંહોને ટુંકુ પડવા લાગતાં છેલ્લાં કેટલાં વર્ષોથી સિંહોએ ગીરનારના જંગલમાં વસવાટ શરૂ કર્યોછે ત્યારે હવે ગીરનારનાં જંગલને અભયારણ્યનો દરજજૉ આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યોછે.રાજયનાં વન અને પર્યાવરણ વિભાગનાં સચિવ એસ.કે.નંદાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકાર ગીરનાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે ત્યારે ગીરનાં વિસ્તારને વધારવાનું અનિવાર્ય થઈ ગયું હતું.

સિંહો બચાવવાના અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ જાહેર કરેલ રૂા.૪૦ કરોડનાં પેકેજમાં અભયારણ્યનો વિસ્તાર વધારવાની યોજનાનો પણ સમાવેશ થઈ જાય છે. છેલ્લા કેટલાંક વખતથી સિંહોએ ગીરનારનાં જંગલમાં પણ વસવાટ શરૂ કર્યોહોઈ ગીરનારનાં ૧૮૦ ચો.કિ.મી. જંગલ વિસ્તારને આભ્યારણ્યનો દરજજૉ અપાયો છે.

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ૨૦૦૪માં મીતીયાળાનો પણ અભ્યારણ્ય વિસ્તારમાં સમાવેશ થયો હતો. જૉ કે, પગલાંથી જંગલમાં આવેલી ધાર્મિક જગ્યાઓને જવા માટેનાં ચાલવાનાં હક્કો અબાધિત રહેશે એમ પણ તેમણે જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે સિંહો માટેનાં અભયારણ્યનો વિસ્તાર ૧૬૪૦ ચોરસ કિ.મી.થઈ જશે. એમ પણ તેમણે જણાવ્યું હતું.

Source: http://www.divyabhaskar.co.in/2008/05/14/0805140053_zoo_position.html

ધ્રુવાળાને મોર અભયારણ્ય જાહેર કરી વન્ય જીવોની રક્ષા કરવા મગણી માગણી

કુતિયાણા તા.૧૪
તાલુકાના ધ્રુવાળામાં એકી સાથે અગિયાર જેટલા મોરની હત્યાના હિચકારા બનાવથી અરેરાટી ફેલાવા પામી છે.આ વિસ્તારમાં મોરની મોટા પ્રમાણમાં સંખ્યા છે અને અવારનવાર શિકારની ઘટનાઓ બનતી રહે છે આવા સમયે વનખાતુ સજજડ પગલાઓ લેવાને બદલે ઘોર નિંદ્રામાં રાચે છે.આ વિસ્તારને મોર અભયારણ્ય જાહેર કરીને શિકાર પ્રવૃતિઓ અટકાવવી જોઈએ.એવી પ્રકૃતિ પરિવારની માગણી છે. કુતિયાણા પંથક વન્ય સૃષ્ટિથી સમૃદ્ધ છે ઘાસ ઉત્પાદન ક્ષેત્રે પણ ખાગેશ્રી વીડી સમૃદ્ધ છે.અને ભોૈગોલિક સ્થિતિ બરડા ડુંગર વિસ્તારને મળતી આવે છે.અને ગીર પંથક જેવી સાનુકુળતાઓ છે.આ પંથકમાં વરૃ ઝરખ શિયાળ લોકડી કાળિયાર જેવા માંસાહારી અને તૃણાહારીઓ અજગર સાપ જેવા સરિસૃપો મોર સહિતના પક્ષીઓ વસવાટ કરે છે.પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી વન્ય જીવો અને પશુ પક્ષીઓના સ્વાદ માટે તેનો શિકાર કરનારી શિકારી ટોળી અસ્તિત્વમાં આવી છે અને આ ટોળકીના કરતૂતો બે રોકટોક ચાલી રહયા છે.જેટલી ખેવના શિકારની ઘટના વર્તમાનપત્રો અને ચેનલોમાં ન હાવે એટલી ખેવના જો શિકારને અટકાવવામાં કરવામાં આવે તો આવા બનાવો બનતા અટકે અને મૂંગા જીવોને રક્ષા મળી જાય પરંતુ આ બાબતને જરાપણ ગંભર લેખવામાં આવતી નથી. અને નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓનો બેરોકટોક શિકાર થઈ જાય છે.જો આ બાબતે વનઅધિકારીઓ કડક અભિગમ અપનાવવામાં આવે એવી કડક માગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76282&Keywords=Sorath%20Gujarati%20News

મોટી ધણેજની ગૌશાળામાં વનરાજો ત્રાટકયા : છ ગાયોનું મારણ કર્યું

આંબેચા, તા.૧૪
માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામે ગઈકાલે ગૌશાળામાં મોડીરાત્રે ત્રાટકેલાં પાંચ વનરાજોએ ત્રાટકી છ ગાયોનો શિકાર કર્યો હતો.ગૌશાળામાં અન્ય ગાયો પણ હોય આ ગાયોએ ભૂરાટા થઈ વનરાજોને શિકાર આરોગવા દીધો ન હતો અને શિકાર અધૂરો મૂકી ભાગવું પડયું હતુ. આ અંગે અત્રે મળતી વિગતો મુજબ મોટી ધણેજ ગામે આવેલા ગૌશાળાની પાંચ ફૂટ ઉંભી દિવાલ ટપી પાંચ વનરાજોનું ટોળું અંદર ખાબકયું હતુ ન ગાયો પર હુમલો કરી પાંચ ગાયોનો શિકાર કર્યો હતો. ગૌશાળામા એક સાથે પાંચ વનરાજો ત્રાટકતા ગાયો છાકટો કરવા લાગેલ અને વનરાજો પર શીંગડાના મારવા લાગી હતી. તેમ છતાં વનરાજોએ છ ગાયોને શિકાર કર્યો હતો પણ ગાયોએ શીંગડા વડે પ્રતિકાર કરતા વનરાજાને શિકાર અધૂકો મુકી ભાગવું પડયું હતુ. આ અંગે જંગલખાતાને જાણ કરતા આરએફઓ જી.એલ. બારડ, ફોરેસ્ટર એસ.પી. ચાવડા, ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જરૃરી કાર્યવાહી કરી હતી. દરમિયાન મોટી ધણેજમાં ગૌશાળામા વનરાજો ત્રાટકતાં ગૌશાળાની પાંચ ફૂટ ઉંચી દિવાલને તાત્કાલિક વધુ ઉંચી બનાવવાનો ગ્રામજનોએ નિર્ણય લીધો છે. દરમિયાન આંબેચાના ખેડૂત હાટી જીવાભાઈ ઓઘડભાઈની મેઘલ દીના કાંઠે આવેલ વાડીએ આંબાના બગીચામાં પાણીની કુંડીએ આજે વહેલી સવારે વનરાજો પાણી પીવા આવ્યા હતા વનરાજો સાથે ત્રણથી ચાર દીપડા પણ આવી જતા વાડીએ વસવાટ કરનારઓમાં ગભરાટ વ્યાપ્યો છે. વનરાજો કરતા દીપડા વધુ ખતરનાક હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. બાબરા (ગીર)થી પાણકૂવા (ગીર)વચ્ચે મહોબતગઢની ધાસની વીડીમાં ૧૮ થી ર૦ વનરાજ વસવાટ કરે છે.આ વિસ્તારને સફારીપાર્ક બનાવવો જોઈએ તેવી પ્રાણી અને પ્રકૃતિપ્રેમીઓએ માગણી કરી છે.
Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76284&Keywords=Sorath%20Gujarati%20News

Sunday, May 4, 2008

વાયરના ફાંસલામાં ફસાયા બાદ છૂટવા તરફડતા દીપડાને હૃદયના સ્નાયુઓમાં હેમરેજ થઈ ગયુ

જૂનાગઢ,તા.૩
ગીર (પૂર્વ) વન વિભાગની જસાધાર રેન્જના સીમર ગામ નજીકથી આજે મળી આવેલ દિપડાના મૃતદેહના પી.એમ. દરમ્યાન વાયરના ફાંસલામાં ફસાયા બાદ છુટવા માટે તરફડતા આ દિપડાને હૃદયના સ્નાયુઓમાં હેમરેજ થઈ જવાને લીધે તેનું મૃત્યુ થયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વન વિભાગે આ ઘટના સંદર્ભે બે શકમંદો સામે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાબતે ગીર (પૂર્વ) વન વિભાગના ડી.સી.એફ. જે.એસ. સોલંકીના જણાવ્યા અનુસાર આજે ગીર જંગલની જસાધાર રેન્જના સીમર ગામની સીમમાં આવેલ માધવભાઈ દેવસીભાઈ લાડુમોરના ખેતરની કાંટાળા તારની વાડ પાસેથી આશરે પ થી ૬ વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે.

આ બનાવની જાણ થતા જ જસાધાર આર.એફ.ઓ. સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પેટના ભાગે વાયરનો ફાંસલો ફસાઈ જવાને લીધે દીપડાનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ બહાર કાઢવામાં આવ્યુ હતુ. બાદમાં જસાધાર રેન્જના વેટરનરી તબીબ ડો.વાઢેર તથા વેટરનરી તબીબ ડો. અપારનાથીની પેનલ દ્વારા કરાયેલા પી.એમ. રિપોર્ટમાં વાયરના ફાંસલામાં ફસાયેલા દીપડાએ છુટવા માટે તરફડીયા માર્યા બાદ હૃદયના સ્નાયુઓમાં હેમરજ થવાને લીધે દિપડાનું મૃત્યુ થવા પામ્યુ હોવાનું બહાર આવ્યુ છે.

દીપડાના તમામ નખ અને અંગોઉપાંગો સહિ સલામત મળી આવેલ છે. વન વિભાગના જણાવ્યા મુજબ સાંયોગીક પુરાવાઓના આધારે આ ઘટનાના શકમંદ આરોપીઓ કાળુ લાખા ડાભી અને બાળુ ઉકા ડાભી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭ર ની વિવિધ જોગવાઈઓ અનુસાર ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73957&Keywords=Sorath%20Gujarati%20News

Saturday, May 3, 2008

ભવિષ્યમાં ઔષધિય દેશી દાતણો માત્ર ચિત્રોમાં જ જોઇ શકાશે!

Bhupendra Maheshwari, Madhapar
Wednesday, April 30, 2008 23:34 [IST]

આજે આ વ્યવસાય સાથે જૉડાયેલા લોકોનો ધંધો પડી ભાંગ્યો છે, જંગલમાં ૫૦ કિ.મી ફરવા છતાં સારા દાતણો હવે મળતાં નથી

ટૂથપેસ્ટના જમાનામાં આજે પણ ડોકટરો ખુદ દેશી બાવળોનો ઉપયોગ કરી દાંતની જાળવણી કરે છે. આજે પણ દેશી દાતણનો ઉપયોગ જૂની પેઢી કરી રહી છે અને નવી પેઢીમાં પણ આ આયુર્વેદિક ઔષધની મહતા સમજતા તેઓ પણ આ તરફ ડગ માંડી રહ્યા છે ત્યારે આ મહામૂલી ઔષધિનું ભકતનું નિકંદન બુદ્ધિજીવીઓમાં ચિંતાનો વિષય બન્યો છે. આ દાતણ વેચી રોજી-રોટી રળતા લોકોનો પેટનો ખાડો કેમ પુરાશે ? તે પ્રશ્ન પણ તેઓને સતાવી રહ્યો છે.

ગાંડા બાવળની સાથે દેશી બાવળનો સોથ વાળવામાં આવી રહ્યો છે. કદાચ એવો સમય આવશે કે, આવનારી પેઢીને ટૂથપેસ્ટનો એક સમયે દેશી દાતણ વિકલ્પ હતો તે સમજાવવા ફોટા બતાવવા પડશે. દાતણ વ્યવસાય સાથે સંકળાયેલા દેવીપૂજકોની જેમ તેમ ગાડી ગબડતી હતી પણ, ગાંડાબાવળ કાપવાની છૂટ મળતાંની સાથે દેશી બાવળનો સોથ વાળવામાં આવતા આ વ્યવસાય ભંગાણની અણીએ આવીને ઉભો છે. હાલમાં આ લોકોને દાતણ મેળવવા જંગલમાં પચાસ કિલોમીટર સુધી ભટકવું પડે છે.

એક સમયે કરછમાં નિંગાળ, ખડીર, છપરિયા આડેસર પાસે પુંગબીડ, નખત્રાણા, ભુજ, માંડવી વગેરે તાલુકાની રખાલોમાં વિપુલ પ્રમાણમાં દેશી બાવળોની ઝાડી હતી. કરછ હરિયાળું હતું, રાજાશાહીમાં દેશીબાવળનું વાવેતર થયું હતું. એ માટે પંજાબ સરકાર તરફથી લોન સર્વિસ ઉપર ખાસ ટેકનિકલ અધિકારી લાભુરામ શર્માની કરછના રાજાએ નિમણૂક કરી હતી. તેમની મહેનતથી આજે કરછમાં દેશી બાવળ દેખાય છે. વહેલી તકે દેશી બાવળનું થતું નિકંદન રોકવા લોકપ્રતિનિધિઓએ આગળ આવવું જૉઇએ જેથી દેવીપૂજકો પણ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરી શકે અને મહામૂલી ઔષધિ લુપ્ત થતી બચી જાય.

Source: http://www.divyabhaskar.co.in/2008/04/30/0804302336_natural_teeth_freshener.html

કરછમાં ગાંડા બાવળ અદૃશ્ય થતાં નિવસનતંત્રને વ્યાપક નુકસાન

Bhaskar News, Bhuj
Thursday, May 01, 2008 22:38 [IST]

ગાંડા બાવળના નાશથી આગામી વષ્ાર્ોમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી શકે ભાસ્કર ન્યૂઝ ા ભુજ જીયો પાર્ક બનાવવાની નેમ જાણીતા ભૂસ્તરશાસ્ત્રી એસ.કે. બિસ્વાસે વ્યકત કરી છે. કરોડો વષ્ાર્ પહેલા અહીં વિષ્ાુવવૃત પ્રકારના જંગલો હતા. ગાંડા બાવળમાંથી કોલસા બનાવવાની સરકારે છૂટ આપતા કરછમાં ગાંડા બાવળની ઝાડી સાફ થઇ ગઇ છે, જેથી જંગલની પેદાશ ગુંદરનું પ્રમાણ ઘટયું છે.

સામાન્ય રીતે ગાંડા બાવળની આસપાસ કોઇપણ પ્રકારની વનસ્પતિ થતી નથી. કારણ કે આ વનસ્પતિ અર્ધપરોપજીવી હોવાથી પાસેના ઝાડના મુડિયામાંથી પણ સત્વનું શોષ્ાણ કરી લે છે, જૉકે, રણની ખારાશને તે અટકાવે છે શુષ્કતા સહન કરતા મરુદ્ભિદ ક્ષુપ પ્રકારની વનસ્પતિમાં ગાંડા બાવળ, પીલુડી અને કેટલાક ઘાસ જેના મૂળતંત્ર ઉંડે સુધી ઉતરી શુષ્કતાપ્રતિરોધ ઉત્પન્ન કરે છે. આથી તેના પાંદડા ખરી પડે છે. અથવા સંકોચાયેલા જૉવા મળે છે. થોર જેવી વનસ્પતિમાં પર્ણ હોતા નથી.

વળી, નિવસનતંત્રમાં સજીવો માટે આવશ્યક બધા દ્રવ્યના બંધારણમાં રસાયણોનું ચક્રિય વહન થાય છે, જેમાં જૈવ ઘટક તેમજ ભૌતિકઘટક પરસ્પર સંકળાયેલા હોય છે. ગાંડા બાવળના નાસથી જૈવ ભૂ-રસાયણિક ચક્ર પણ ખોરંભાયું છે. ભૂમિનું ક્ષરણ થઇ રહયું છે, જેની અસર નાઇટ્રોજન ચક્ર પર થઇ છે. જૉ આ ક્ષરણને અટકાવવામાં નહી આવે તો ભવિષ્યમાં ફોસ્ફરસ ચક્ર પણ ખોરંભાશે.જૉ પર્યાવરણમાં એક પરિબળ નાશ પામે અથવા ઓછું થાય તો તેની અસર સમગ્ર આસપાસની વનસ્પતિ તથા પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો પર થાય છે. કરછમાં ગાંડા બાવળના જંગલો નષ્ટ થતાં પહેલા વાષ્િાર્ક ૧૦૦ ટન ગુંદર એકત્રિત થતો હતો, જે હાલ માત્ર ૫થી ૬ ટન થાય છે.

ગુજરાતમાં સારી જાતના મધના ઉત્પાદનમાં કરછ મોખરે હતું, વાષ્િાર્ક ૫૦૦ કિલો મધ ઉત્પાદન થતું હાલ માત્ર ૫૦થી ૭૦ કિલો મધ ઉતરે છે. મધમાખીનું પ્રમાણ ઓછું થતાં જંગલી વન્ય અૌષ્ાધિઓમાં પરાગનયનની પ્રક્રિયા ઓછી થઇ જતાં તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પર્યાવરણ પ્રેમીએ આ માટે વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે ગાંડાબાવળ નષ્ટ થઇ જતાં બાષ્પોસર્જનની પ્રક્રિયા બંધ થઇ ગઇ છે, જે જળચક્ર માટે મહત્ત્વનું પરિબળ છે, આગામી વષ્ાર્ોમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામે તો નવાઇ નહીં

Source: http://www.divyabhaskar.co.in/2008/05/01/0805012240_regional_govet_kutchh.html

આંબરડી વાઈલ્ડ લાઈફ ઈન્ટરપ્રિટેશન પાર્ક અમરેલીને વિશ્વના નકશા પર મૂકશે

અમરેલી, તા.૧
એશિયાટિક લાયન્સ-સિંહો માટેનું વિશ્વભરનું એક માત્ર આશ્રયસ્થાન એવા ગીર અભયારણ્યનો મોટો હિસ્સો અમરેલી જિલ્લાની હદમાં પણ આવે છે. અમરેલી એ ગીર અભયારણ્યમાં જવાનું પ્રવેશદ્વાર કહેવાય છે. ત્યારે પ્રવાસન વર્ષ દરમિયાન ગુજરાતના પ્રવાસન વિભાગે, ભારત સરકારને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી ખાતે ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૃપ અમરેલી જિલ્લામાં પણ મૂલાકાતીઓ મૂકતપણે વિહરતા સિંહોને જોઈ શકે તે માટે આંબરડી ખાતે વાઈલ્ડ લાઈફ પરિયોજના અમલી બનાવવા કેન્દ્રના પ્રવાસન મંત્રાલયે રૃ.૪૭૪.૨૫ લાખની ફાળવણી કરી છે. જે પૈકીની ૮૦ ટકા રૃ.૩૭૯.૦૦ લાખની રકમ ગુજરાત સરકારને ચૂકવી પણ દેવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ પરિયોજના સંદર્ભે ગુજરાતના પ્રવાસન વિભાગના વડપણ હેઠળ ગાંધીનગર ખાતે જાન્યુઆરી-૨૦૦૮ માં મળેલ બેઠકમાં એ.ડબલ્યુ.એલ.પી.આઈ. આંબરડી વાઈલ્ડ લાઈફ ઈન્ટરપ્રિટેશન પાર્કની જરૃરી ડિઝાઈન તૈયાર કરી કામના ટેન્ડરો મંગાવી, રાજય સરકારની મંજુરી મેળવી આગળ વધવા વન વિભાગોને જણાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકા મથકથી ૩ કિ.મી. અને અમરેલી-ધારી રોડથી ૬ કિ.મી.ના અંતરે આવેલ પ્રકૃતિ અને પાણીની વિપુલતાથી હર્યાભર્યા આંબરડીના આ પરિયોજના માટે પસંદ થવાના ઘણા કારણો છે. તેમાં એક તે, ધારી કેશોદ થી ૧૫૦ કિ.મી., જૂનાગઢથી ૧૧૫ કિ.મી., દિવથી ૬૦ કિ.મી. અને ભાવનગરથી ૧૩૫ કિ.મી.ના અંતરે રસ્તા માર્ગે આંબરડી જોડાયેલું છે.

ધારી(પૂર્વ) વન વિભાગના પરિપત્રમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અભયારણ્યો પણ આવેલ છે. આ અભ્યારણ્ય ૪૨૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ વિસ્તારને તારની મજબૂત વાડથી સુરક્ષિત કરીને પરિયોજના અમલી બનતાં અહીંથી પણ પ્રવાસીઓ સિંહો અને અન્ય વન્યજીવોને મૂકતપણે વિહરતા જોઈ શકશે. આ પરિયોજના માટે અહીં ૪૦૦ હેકટર જેટલી જમીનનો ઉપયોગ થશે. હકીકતમાં આંબરડી ગુજરાતભરથી તુલશીશ્યામ અને દિવ જતાં મોટી સંખ્યાના પ્રવાસીઓના માર્ગમાં આવે છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73746&Keywords=Saurashtra%20Gujarati%20News

વિચિત્ર નિયમથી સાસણગિરમાં માત્ર ૫૦૦ સહેલાણીઓ જ જંગલમાં જઈ શકશે

તાલાલા ગિર તા.૧

સિંહોના વતન એવા સાસણમાં આવતા સહેલાણીઓ માટે વનવિભાગે નવો નિયમ બનાવેલો છે જેમાં જંગલ વિસ્તારમાં જવા માટે આખા દિવસ દરમિયાન જિપ્સીના માત્ર ૯૦ ફેરાઓની પરમિટ આપવામાં આવશે.આના કારણે માત્ર ૫૦૦ જ સહેલાણીઓ જંગલ વિસ્તારમાં ફરવા જઈ શકશે બાકીના સહેલાણીઓ બાકી રહી જશે ..જો આ નિયમમાં ફેરબદલ કરવામાં નહીં આવે તો સહેલાણીઓ પરેશાન થઈ જશે અને ગેરકાયદેસર જનારો વર્ગ વધવા લાગશે આના કરતા અધિકૃત રીતે જંગલમાં ફરવા જઈ શકાય એવો સરળ નિયમ કરવા ફેરાઓની સંખ્યામાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે. ગિર અભયારણ્યમાં સિંહદર્શન કરવા આવતા સહેલાણીઓ માટે ગિર અભયારણ્યન આજુબાજુ પ્રાઈવેટ ફાર્મ અને હોટલ રેસ્ટોરન્ટમાં રહેવા માટે ૨૫૦ જેટલા રૃમોની સવલત છે અને બીજા ૪૦૦ પરિવારો રહી શકે એવી વ્યવસ્થા દિવાળી વેકેશન સુધીમાં થઈ જશે.આ રીતે જોઈએ તો નવો નિયમ રૃકાવટ લાવનારો બની રહેશે.એમ સહેલાણીઓ બોલી રહેલા છે.આ નિયમમાં તાકિદે બદલાવ લાવવા પગલા લેવા જરૃરી બનેલા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73543&Keywords=Sorath%20Gujarati%20News

Friday, May 2, 2008

ગીર વિસ્તારમાં ખાનગી રાહે થતા લાયન શો રોકવાની જવાબદારી હોટલ સંચાલકોના શીરે !

તાલાલા ગીર તા.૧
ગિર વિસ્તારમાં સિંહો શિકાર કરતા હોય એવા દ્રશ્યો દર્શાવતા પ્રાઈવેટ લાઈવ શો તાલાલા આસપાસ અને ગિરના ગામડામાં પ્રાઈવેટ દલાલો દ્વારા તગડાં નાણાં લઈને યોજાતા હોવાના પ્રસારિત થયેલા અહેવાલોના પગલે વન ખાતુ ચોંકી ઉઠેલું છે. આ બાબતે વનખાતાના ઉચ્ચ અધિકારીઓએ સાસણ અને ગિર વિસ્તારમાં આવીને આ વિસ્તારના ફાર્મ હાઉસના માલિકો અને હોટલ માલિકોને બોલાવીને એક મિટિંગ યોજી હતી આ બેઠકમાં ગિર વિસ્તારમાં અને આસપાસના વિસ્તારમાં થતાં પ્રાઈવેટ લાયન શો રોકવાની જવાબદારી હોટલ માલિકો અને મેનેજરો ઉપર લાદવામાં આવી છે .વન વિભાગની આ વિચિત્ર સુચનાના પગલે ભારે ઉહાપોહ થયો છે. આ બેઠકમાં વન વિભાગના વન સંરક્ષક ભરત પાઠક ,ડીએફઓ બી.પી.પતી ,સાસણના મનીવર રાજા અને આ વિસ્તારની હોટલોના સંચાલકો હાજર રહયા હતા.આ બેઠકમાં વન અધિકારીઓએ પ્રાઈવેટ લાયન શો જે થાય છે એમાં વધુ જવાબદાર હોટલ માલિકો અને મેનેજરો અને ફાર્મ હાઉસ સંચાલકો જ હોય એવો દેખાવ ઉપસ્યો હતો.

વન અધિકારીઓએ એમ કહયું હતુુ કે સાસણ ગીર વિસ્તારમાં ખાનગી લાયન શો કરવાની જે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે.આ પ્રવૃતી રોકવાની જવાબદારી તમારી છે.

તેની બાબતની તમામ માહિતિ વનવિભાગને લેખિતમાં આપવી ફરજિયાત છે.રોકાયેલા સહેલાણીઓ રાતના બહાર જાય નહીં તેની પણ તમારી જવાબદારી છે.જો ખાનગી લાયન શો રોકવામાં સહકાર નહીં આપો તો ના છૂટકે સાસણ વિભાગ આસપાસના ફાર્મ હાઉસ અને હોટલ રેસ્ટોરન્ટ બંધ કરાવવાની વન વિભાગને ફરજ પડશે. આ જવાબદારી હોટલ માલિકો અને ફાર્મ હાઉસ સંચાલકો ઉપર ઢોળી દેવામાં આવતાં વન વિભાગના આ રવૈયા બાબતે કચવાટની લાગણી ફેલાઈ છે. એ બધાનું કહેવું એમ છે કે સિંહોની હત્યા પછી વનવિભાગે વનમિત્રોની નિમણુંકો કરી છે. જંગલ બહાર ફરજ બજાવવા મોટરસાયકલો અને અધિકારીઓને નવા નકોર ફોર વ્હીલ વાહનો આપવામાં આવેલા છે. આ બધી બાબત પછી સ્ટાફની કોઈ જવાબદારી જ નહીં ? જવાબદારી ફેકી દેવાના બદલે યોગ્ય નિર્ણય લેવામાં આવે એ જરૃરી છે.અને લાયન શો માટે માત્ર હોટલમાલિકોને જ જવાબદાર ગણવા એ કેટલું વાહિયાત છે ?એવો સવાલ થઈ રહયો છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=73552&Keywords=Sorath%20Gujarati%20News