Tuesday, September 30, 2014

બાબરા તાલુકાનાં નડાળામાં સાવજનો બળદ પર હુમલો.

Bhaskar News, Babara | Sep 28, 2014, 00:12AM IST
બાબરા તાલુકાનાં નડાળામાં સાવજનો બળદ પર હુમલો
- વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયો, ખેડૂતોમાં ફફડાટ

બાબરા: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. બાબરા તાલુકાના નડાળા ગામે ગતરાત્રીના એક વાડીમાં સાવજ આવી ચડયો હતો. વાડીમાં બાંધેલા એક બળદ પર સાવજે હુમલો કર્યો હતો. જો કે લોકોએ રાડારાડ કરતા સાવજ નાસી છુટયો હતો. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને સાવજની શોધખોળ આદરી હતી.

બળદ પર હુમલાની આ ઘટના બાબરા તાલુકાના નડાળા ગામે બની હતી. અહી જેશીંગભાઇ બકોતરાની વાડીમા ગતરાત્રીના એક સાવજ ચડી આવ્યો હતો. વાડીએ બાંધેલ એક બળદ પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જો કે બળદે ભાંભરડા નાખતા લોકોએ રાડારાડ કરતા સાવજ ત્યાંથી નાસી છુટયો હતો. આસપાસના વાડી ખેતરોમાં પણ લોકો એકઠા થઇ ગયા હતા.

આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ હેરભા, ફોરેસ્ટર ડી.જી.દાફડા સહિતનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગને અહી સાવજના સગડ મળી આવ્યા છે. સાવજ કઇ દિશામા ગયો તે નકકી થયા બાદ સાવજને પકડવા પાંજરૂ પણ ગોઠવવામા આવશે. સાવજ દ્વારા હુમલો કરવામા આવતા આસપાસના વાડી ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોમાં હાલ તો ભય ફેલાયો છે. રાત્રીના સમયે ખેડૂતો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે.

લાઠીમાં પંખીઓની ચણ માટે થાય છે નાટક.

Bhaskar News, Lathi | Sep 26, 2014, 00:01AM IST

- જીવદયા: 146 વર્ષથી ચાલી આવતી પરંપરા, પેઢીઓ બદલાઇ ગઇ પણ ઉત્સાહ હજુ એટલો જ છે
- મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા નવ દિવસ સુધી જુદાજુદા નાટકો ભજવાશે

લાઠી: લાઠીમાં છેલ્લી દોઢ સદીથી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દ્વારા પક્ષીઓના ચણ માટે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી નાટકો યોજવામા આવે છે. 146 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા જાળવી રાખી ચાલુ સાલે પણ લાઠીમાં વિર હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, જય ચિતોડ, સત્યવાન સાવિત્રી જેવા નાટકો યોજાશે. લાઠીમા રાજાશાહીના વખતથી આ પરંપરા શરૂ થઇ હતી. અબોલ પંખીડાઓના ચણની વ્યવસ્થા કરવા માટે 146 વર્ષ પહેલા શેરી નાટક ભજવવાનો આરંભ થયો. પાંચ પાંચ પેઢીઓ બદલાઇ ગઇ પરંતુ નવી નવી પેઢીઓ દ્વારા પણ ભારે ઉત્સાહ અને ખંતથી આ પરંપરાને જાળવી રાખવામા આવી છે.

અહી દર વર્ષે નવરાત્રીમાં મહાકાળી નવરાત્રી નાટક મંડળના સભ્યો દ્વારા જુદાજુદા નાટકો ભજવવામા આવે છે અને એ દરમિયાન મળેલી રોકડ રકમ કે અનાજનો પંખીઓની ચણ માટે ઉપયોગ કરવામા આવે છે. મંડળ દ્વારા અહી અનુદાન આપવાની ઇચ્છા વ્યકત કરનાર પાસેથી મકરસંક્રાંતિના દિવસે અનાજ એકઠુ કરવામા આવે છે. લાઠીમાં લુવારીયા દરવાજા પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આ ચણ નાખવામા આવે છે. ચાલુ સાલે વિર હમીરસિંહજી ગોહિલ, સોમનાથની સખાતે, સત્યવાન સાવિત્રી જેવા જુદાજુદા નાટકો ભજવવામા આવશે.

અમરેલીમાં લાયન્સ કલબ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

DivyaBhaskar News Network | Sep 23, 2014, 04:35AM IST

અમરેલીમાંપર્યાવરણ જાળવણીના શુભ હેતુ સાથે લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલીમાં હરિકૃષ્ણ ઓઇલ મીલ ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી મેઇન દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. ખોડલધામ સમિતીના ઉપપ્રમુખ કાંતીભાઇ વઘાસીયા તેમજ લાયન પ્રમુખ એમ.પી.કાબરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃતિ માટે નાણાકીય વર્ષ 2014-15 માટે રૂ. 5 લાખ જેવી માતબર રકમનું બજેટ મંજુર થયા બાદ સમગ્ર જિલ્લામાં એક પછી એક એમ વિવિધ સેવાકીય પ્રવૃતિ ઉપરાંત પર્યાવરણ સુરક્ષાના આશયે શહેરના જુદાજુદા સ્થળે વૃક્ષારોપણ કરી આબોહવાને શુધ્ધ કરવાનુ કામ પણ કરવામા આવે છે. મેગા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુભાષભાઇ ઢોલરીયા, સહજાનંદભાઇ સખરેલીયા, રાજુભાઇ પરીખ, ગોરધનભાઇ માંડલીયા, હરેશભાઇ બાવીશી, આર.પી.કાબરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

{ ~ 5 લાખ જેવી રકમનું બજેટ મંજૂર થયા બાદ સમગ્ર િજલ્લામાં વિવિધ સેવાકીય અને પર્યાવરણ બચાવોના કાર્યક્રમો યોજાશે

કમી કેરાળામાં ઝુંપડામાં નિદ્રાધીન મહિલા પર દીપડો ત્રાટક્યો.

Bhaskar News, Dhari | Sep 22, 2014, 00:06AM IST
 
- શિકાર સમજી હુમલો કરી લોહીલુહાણ કરી દીધી

ધારી: ધારી તાલુકાના કમી કેરાળા ગામની સીમમાં ખેત મજુરીનુ કામ કરતી એક દેવીપુજક મહિલા ગઇરાત્રે ઝુંપડામા સુતી હતી ત્યારે શિકારની શોધમાં નીકળેલા દિપડાએ ઝુંપડામા ઘુસી આ મહિલા પર હુમલો કર્યો હતો. અને ઘાયલ કરી દીધી હતી. જો કે બાદમાં દેકારો થતા દિપડો નાસી છુટયો હતો. ઘાયલ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડાઇ હતી. અમરેલી જિલ્લામાં દિપડાની સંખ્યા સતત વધી રહી છે. રેવન્યુ વિસ્તારમાં દિપડાઓની વસતી ખુબ જ વધી છે જેને પગલે શિકારની શોધમાં નીકળતા દિપડા દ્વારા અવારનવાર માણસ પર હુમલો કરવાની ઘટનાઓ બહાર આવતી રહે છે. આવી જ એક ઘટના ગઇરાત્રે ધારી તાલુકાના કમી કેરાળા ગામની સીમમાં  બની હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર કમી કેરાળાની સીમમાં ભાગીયુ વાવવા રાખી ખેતીકામ કરતી ભાવનાબેન દિલુભાઇ દેવીપુજક (ઉ.વ.30)નામની મહિલા પર આ હુમલો થયો હતો. ભાવનાબેન અને તેનો પરિવાર અહી ખેતીકામ કરી રાત્રે ઝુંપડામા સુઇ રહે છે.  આ પરિવાર ગઇરાત્રે ઝુંપડામા સુતો હતો ત્યારે શિકારની શોધમા નીકળેલો દિપડો ઝુંપડામા ઘુસ્યો હતો.

આ દિપડાએ ભાવનાબેન પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતા. જો કે તેમણે દેકારો કરતા તેમના પરિવારજનો જાગી જતા દિપડો નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ આરએફઓ યુ.એન.લલીયા સ્ટાફના એસ.કે.પરમાર, યાસીનભાઇ વિગેરે સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.  ઘાયલ ભાવનાબેનને સારવાર માટે ચલાલા દવાખાને ખસેડવામા આવ્યા હતા. તેમને જમણા પગમા ઇજા થઇ હતી. અમરેલી જિલ્લામાં ખેતીની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે સીમ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.

દાઢીયાળીની સીમમાં ઝોકમાં ઘુસી દીપડાએ 5 બકરાનું મારણ કર્યુ.

Bhaskar News, Dhari/ Khambha | Sep 22, 2014, 00:06AM IST
વારંવાર દિપડો ગામમા ઘુસી આવતો હોય લોકોમાં ફફડાટ

ધારી,ખાંભા: ખાંભા તાલુકાના દાઢીયાળી ગામની સીમમાં ગઇરાત્રે શિકારની શોધમાં નીકળેલા એક દિપડાએ ભરવાડની ઝોકમાં ખાબકી એકસાથે પાંચ બકરાને મારી નાખતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ગામમા દિપડો અવારનવાર દેખાતો હોય તેને પાંજરે પુરવામા આવે તેવી માંગ ઉઠી છે. સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓ દ્વારા માલધારીઓના ઉપયોગી પશુઓના મારણની ઘટના સતત વધતી જ જાય છે. અમરેલી જિલ્લામાં સિંહ અને દિપડાની વસતી જેમજેમ વધતી જાય છે તેમતેમ આવી ઘટનાઓ વધી રહી છે. ગઇરાત્રે ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે દિપડા દ્વારા પાંચ  બકરાના મારણની ઘટના બની હતી.

દાઢીયાળીના વાઘાભાઇ ગોકળભાઇ ભરવાડ દ્વારા ગામના પાદરમાં ઝોક બનાવવામા આવી છે. જેમાં 50 બકરા કાયમ બાંધેલા રહે છે. ગઇરાત્રે એક દિપડો શિકાર માટે વાડ કુદી અંદર ઘુસ્યો હતો અને પાંચ બકરા  મારી નાખ્યા હતા. આ અંગે સવારે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ બી.જે.ઝાલાની સુચનાથી સ્ટાફના એ.કે.વાળા, બી.વી.વાળા વિગેરે  ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામમા આ રીતે શિકારની શોધમાં અવારનવાર દિપડો ચડી આવતો હોય તેને પાંજરે પુરવામા આવે તેવી ગામલોકોએ માંગ ઉઠાવી છે.

સરસિયાની સીમમાં કૂવામાં પડી જતાં સિંહબાળનું મોત.

Bhaskar News, Dhari | Sep 21, 2014, 03:21AM IST
- વધુ એક સિંહબાળ કાળનો કોળિયો બન્યું

ધારી: ગીરપુર્વ જંગલ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સરસીયા ગામની સીમમાં બની હતી. અહી 70 ફુટ ઉંડા કુવામા એક સિંહબાળ પડી જતા મોતને ભેટયું હતુ. ધારી ગીરપુર્વની સરસીયા રેંજમા નાગજીભાઇ નાથાભાઇ પરમારની વાડીમાં ખુલ્લો કુવામાં શુક્રવારે રાત્રિના સિંહબાળ ખાબકયું હતુ. સવારે નાગજીભાઇએ આ અંગે વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે  ફોરેસ્ટર.વેગડા, સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. 70 ફુટ ઉંડા કુવામા 25 ફુટ પાણી ભરેલુ હોય કુવામાંથી સિંહબાળના મૃતદેહને બહાર કાઢવામા આવ્યો હતો. બાદમાં ડો. વામજા દ્વારા પીએમ કરાયુ હતુ. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે સિંહબાળ અઢી માસનુ હતુ. અને ગઇકાલે તેની માતા સાથે આ વિસ્તારમાં જોવા મળ્યું હતું

ગીરના વાડી ખેતરોમાં ખુલ્લા કૂવાઓ જોખમી

ગીરકાંઠાના અનેક ગામોમાં આવેલા વાડી ખેતરોમાં હજુ પણ મોટી સંખ્યામાં ખુલ્લા કુવાઓ આવેલા છે. ખુલ્લા કુવાઓમાં અનેક વખત વન્યપ્રાણીઓ પડી જાય છે અને મોતને ભેટી રહ્યાં છે. વનવિભાગ દ્વારા પણ ખેડૂતોને અનેક વખત સુચનાઓ આપવામા આવે છે તેમ છતા ખુલ્લા કુવાઓને ઢાંકવાની કોઇ કામગીરી કરવામા નથી આવતી. જેના કારણે આવા બનાવો વધી રહ્યાં છે.

તાલાલામાં વિજળી પડતા બેનાં મોત, પાટીદાર સમાજમાં ઘેરો શોક.

Bhaskar News, Talala | Sep 30, 2014, 01:56AM IST
- ધણેજમાં વીજળી પડતાં બેનાં મોત
- ગીરપંથકમાં વીજળીના કડાકા સાથે શરૂ થયેલા વરસાદે ખાના ખરાબી સર્જી
- દાઝી જતાં અન્ય ત્રણ ગંભીર: કડવા પાટીદાર અને કોળી સમાજમાં ઘેરો શોક

તાલાલા: તાલાલા તાલુકામાં આજે બપોરે સાડા ત્રણ વાગ્યાનાં સુમારે ભારે મેઘગર્જના અને વિજળીનાં જોરદાર કડાકા સાથે વરસાદ શરૂ થતાં વરસાદથી બચવા ઝડાની બનાવેલી ઝૂપડી હેઠળ ઉભેલા પાંચ લોકો ઉપર વિજળી ત્રાટકતા બે ખેડૂતનાં મોત થઇ ગયા હતા. અને ગંભીર ઇજા પામેલા ત્રણ લોકોને સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિદાય લઈ રહેલા ચોમાસાએ જતાં જતાં તાલાલા પંથકમાં બે િજંદગીનો ભોગ લીધો છે. તાલાલા પંથકનાં ધણેજ (બાકુલા)ગામનાં કડવા પાટીદાર ખેડૂત અતુલભાઇ ખુશાલભાઇ સંતોકી (ઉ.વ.40)આજે બપોરે ખેતરે હતા ખેતરમાં પાકને પાણી આપવા મોટર ચાલુ કરેલ ત્યાં વરસાદ શરૂ થતા બાજુમાં રામજીભાઇ લખમણભાઇ વાઢેર કોળીનાં ખેતરમાં ઝાડની બનાવેલી ઝૂપડી હેઠળ વરસાદથી બચવા ગયેલ ત્યાં ઝૂપડી હેઠળ રામજીભાઇ અને તેમનો પુત્ર રણજીતભાઇ રામજીભાઇ વાઢેર (ઉ.વ.22) તેમના પત્ની મંજુલાબેન રામજીભાઇ વાઢેર (ઉ.વ.42) અને સંબંધીનો પુત્ર જયેશ દેવાભાઇ ચુડાસમા (ઉ.વ.15) રહે. ઘુંસીયા આ બધા ઉભા હતા પરંતુ એજ ઝૂંપડી પર વીજળી ત્રાટકતા  અતુલભાઇ ખુશાલભાઇ સંતોકી (ઉ.વ.40) અને રણજીતભાઈ વાઢેરના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા.

10 કિ.મી.નો સૂચિત નવો ઝોન વિકાસ માટે અવરોધરૂપ હોય તાલાલા.

DivyaBhaskar News Network | Sep 28, 2014, 05:50AM IST
10 કિ.મી.નો સૂચિત નવો ઝોન વિકાસ માટે અવરોધરૂપ હોય તાલાલા તાલુકા પંચાયતનાં ભાજપ-કોંગ્રેસનાં સદસ્યોએ એક સૂરે ઝોનનો પ્રચંડ વિરોધ કર્યો
તાલાલાસહિત ગીર-સોમનાથનાં ઊના-કોડીનાર-ગીરગઢડા, જૂનાગઢનાં મેંદરડા માળીયા-વિસાવદર, અમરેલીનાં ધારી-ખાંભા સહિતનાં તાલુકા અને તાલુકા હેઠળનાં 250 થી વધુ ગામડાઓનો વિકાસ અવરોધવા સમાન 10 કિ.મી.ની ત્રીજ્યાવાળા સુચિત બફર વિલેજ ઇકો સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ તાલાલા તાલુકામાં ભાજપ-કોંગ્રેસ એકી સાથે થયું છે. સુચિત ઝોનનો વિરોધ કરતો ઠરાવ તાલાલા તાલુકા પંચાયતમાં સર્વાનુમતે ઠરાવી કરી પ્રચંડ વિરોધ દર્શાવ્યો છે.

શુક્રવારે તાલાલા તાલુકા પંચાયતની બેઠક મહિલા પ્રમુખ ભાવનાબેન રાજેશભાઇ વાગડીયાનાં અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં ઉપપ્રમુખ પુનાભાઇ મનુભાઇ બાંભણીયા (પીખોર), આંબળાશ બેઠકનાં સદસ્ય રાધાબેન બચુભાઇ ચાંડેરા, આંકોલવાડી બેઠકનાં રતીભાઇ બોરીચા, ધણેજ-બાકુલા બેઠકનાં ગીતાબેન વિજયભાઇ કામળીયા, બોરવાવ બેઠકનાં હેમલતબેન ભીમજીભાઇ બાબરીયા, ચીત્રાવડ બેઠકનાં નીજારભાઇ મમદભાઇ સમનાણી, ગાભા બેઠકનાં પાનીબેન દેવસીભાઇ સોલંકી, ઘુંસીયા બેઠકનાં પાનીબેન ભરતભાઇ વાળા, હડમતીયા બેઠકનાં વૃજલાલ પોપટભાઇ હિરપરા, જાવંત્રી બેઠકનાં જમનભાઇ પરબતભાઇ અજુડીયા, માધુપુર-જાંબુર બેઠકનાં બચુભાઇ રીમભાઇ મકવાણા, રમળેચી બેઠકનાં છગનભાઇ હરીભાઇ ત્રાંબડીયા, રામપરા બેઠકનાં વિજયભાઇ સવદાસભાઇ ગોહેલ, સાસણ બેઠકનાં દેવાયતભાઇ દેવશીભાઇ વાઢેર, સેમરવાવ બેઠકનાં દુદાભાઇ હમીરભાઇ સોંદરવા, સુરવા-જશાપુર બેઠકનાં કિશોરભાઇ દુદાભાઇ કપુરીયા તમામ સદસ્યો ઉપરાંત તાલાલા તાલુકા વિકાસ અધિકારી બિજલભાઇ મકવાણા બેઠકમાં ઉપસ્થિત રહેલ. બેઠકમાં 10 કિ.મી. વાળા નવા ઝોનથી નિયંત્રણ હેઠળનાં વિસ્તારોમાં મોટા ડેમ, તળાવો, ઉદ્યોગો, વીજલાઇનો સ્થાપિત કરવા ઉપરાંત બિનખેતી અને બાંધકામની પ્રક્રીયા મુશ્કેલીરૂપ બને તેમ હોય વિકાસને અવરોધવા સમાન 10 કિ.મી.ની ત્રીજ્યાવાળા સુચિત ઇકો સેન્સેટીવ ઝોન તાલાલા તાલુકા સહિત સંબંધિત તાલુકા અને ગામડાઓનો વિકાસ રૂંધાઇ જાય અને લોકો મુશ્કેલીમાં મુકાઇ શકે તેવી સ્થિતીનું નિર્માણ થવાની શકયતાઓને ધ્યાને લઇ તાલાલા તાલુકા પંચાયતનાં ભાજપ-કોંગ્રેસનાં મળી કુલ સત્તર સદસ્યોએ અેકી સૂરે સુચિત ઝોનનો વિરોધ કરી સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવનું પ્રોસેડીંગ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે.

તાલાલામાં બફરઝોનનો વિરોધ

વિરોધ| ઇકો સેન્સેટીવ ઝોન વિરૂ

ઇકો ફ્રેન્ડલી |ગિરનાર પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીક જતું રોકવા.

DivyaBhaskar News Network | Sep 28, 2014, 05:50AM IST
ગિરનારનીપાવનકારી પરિક્રમામાં દર વર્ષે લાખ્ખો ભાવિકો આવે છે. અને સાથે લાવેલી ખાદ્ય સામગ્રી તેમજ અન્ય પોલિથીન બેગ જ્યાં ત્યાં ફેંકે છે. જેને લીધે પરિક્રમા બાદ એનજીઓનાં સાથની વનવિભાગ સફાઇ અભિયાન શરૂ કરી ટનબંધ પ્લાસ્ટીક એકઠું કરે છે. બાબતને લઇને જૂનાગઢની પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાએ વખતે પરિક્રમાનાં પ્રવેશ માર્ગ પર ભાવિકોને કાગળ અને શણની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલી ત્યજીને ભાવિકો જંગલમાં પ્રવેશે માટેનું અભિયાન શરુ કર્યું છે. દરમ્યાન બાબતને લઇને શહેરની વન મેન આર્મી સંસ્થાએ મામલે જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ દર્શાવી છે.

જૂનાગઢમાંથી દર વર્ષે યોજાતી ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓ પ્લાસ્ટીકની બેગ ત્યજીને જંગલમાં પ્રવેશે તે માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનાં પ્રો. ચિરાગ ગોસાઇ દ્વારા પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાનાં બેનરતળે ઝૂંબેશ હાથ ધરાઇ છે. જે મુજબ, દાતાઓ પાસે કાગળ અને શણની થેલી તૈયાર કરાવી પરીક્રમાનાં પ્રવેશમાર્ગ પર ભાવિકોને તેનું વિતરણ કરવામાં આવશે. માટે શહેરમાં હોર્ડીંગ્ઝ અને બેનરો પણ લગાવાશે.

દરમ્યાન વનમેન આર્મીનાં સંયોજક અને એડવોકેટ કિરીટ બી. સંઘવીએ જણાવ્યું છે કે, પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીકની વસ્તુઓનાં કારણે ગિરનારનાં જંગલનાં પર્યાવરણમાં પૂરી શકાય એવું નુકસાન થઇ રહ્યું છે. ખાસ કરીને ગિરનારનાં જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે ત્યારે કાયદાની જોગવાઇ મુજબ પણ પ્લાસ્ટીકની વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ વનવિભાગ અને પોલીસ બાબતે ગંભીર હોતા નથી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સિવાય તેઓ બાબતે અાવનાર યાત્રાળુઓની કોઇ તપાસ કરતા નથી. તેમણે સરકારનાં સંબંધિત ખાતાઓમાં એકશન પ્લાન તૈયાર કરવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે. જો વનવિભાગ અને પોલીસનો સહયોગ નહીં સાંપડે તો એક્શન પ્લાન માટે પર્યાવરણ બચાવવા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ તેમણે દાખવી છે.

ગિરનાર પરિક્રમાનાં પ્રવેશ માર્ગે પ્રકૃતિ મિત્ર યાત્રાળુઓને કાગળ-શણની થેલી આપશે

સાસણ(ગીર)ની હોટેલને વાઈન શોપની મંજૂરી, પ્યાસીઓને પસંદગીનો મળશે દારૂ.

Jitendra Mandavia, Talala | Sep 28, 2014, 02:09AM IST
સાસણ(ગીર)ની હોટેલને વાઈન શોપની મંજૂરી, પ્યાસીઓને પસંદગીનો મળશે દારૂ
- તાજ રિસોર્ટસને મંજૂરી મળી : પ્રવાસનને વેગ આપવા માટેનો મહત્ત્વનો નિર્ણય
- અન્ય રાજ્યોના અને વિદેશી પ્રવાસીઓ માટે સાસણગીરમાં  વધારાનું આકર્ષણ ઉપલબ્ધ થશે

તાલાલા: ગીર જંગલની મુલાકાતે આવતા અને દારૂની  પરમીટો ધરાવતા પ્રવાસીઓ માટે જંગલમાં મંગલ થઇ શકે તેવા સમાચારો આવ્યા છે. સાસણ(ગીર)માં હોટલ ઉદ્યોગનાં ટોચનાં તાજ ગૃપની માલીકીનાં તાજ રીસોર્ટમાં દારૂ વેંચવાની છૂટ મળી હોય ટુંક સમયમા વાઇન શોપ શરૂ થશે અને પ્યાસીઓને પસંદગીનો દારૂ મળી શકશે.

 સાસણ(ગીર) હોટલ એસોસીએશન દ્વારા પ્રવાસનને વધારવા અને ગુજરાત બહારનાં અન્ય રાજયોનાં ટુરીસ્ટો અને વિદેશી ટુરીસ્ટોને ગીર જંગલ પર્યટન તરીકે ખુબ ગમતું હોય પરંતુ ગીર અભયારણની મુલાકાતે આવતા પ્રવાસીઓને સાસણની ટોચની હોટલમાં વાઇન શોપ ન હોવાથી પ્રવાસની પુરતી મજા આવતી ન હોય ટુરીસ્ટ પોઇન્ટને લગતી તમામ સુવિધા પુરી પાડવા દેશ-વિદેશનાં પ્રવાસીઓમાંથી થતી રજૂઆતને સાસણ હોટેલ એસો.ને સાસણની મુલાકાતે આવેલા પર્યટન મંત્રી  સૌરભભાઇ પટેલ સમક્ષ અસરકારક રજૂઆતો કરેલ ત્યારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને પ્રવાસીઓને કે જેમની પાસે દારૂની પરમીટો છે તેમને સાસણમાં જ વિદેશી દારૂ મળી શકે તે માટે તાજ ગૃપની તાજ રીસોર્ટને  વાઇન શોપની મંજૂરી અપાઇ હોવાનું તાજ રીસોર્ટનાં સુત્રો અને હોટલ એસોસીએશનનાં પ્રમુખ મુકેશભાઇ મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું.  15 ઓકટોબરે ગીરનાં દ્વાર ખુલશે ત્યારે સંભવત: તાજ રીસોર્ટમાં વાઇન શોપ કાર્યરત થઇ જશે.
હજુ બે હોટેલોને મંજૂરીની સંભાવના

સાસણની તાજ ઉપરાંત ગીર જંગલ લોજ અને અમીધારા રીસોર્ટએ પણ દારૂનાં વાઇનશોપની મંજૂરીઓ માંગી હતી અને આ બંને હોટેલને પણ મંજૂરી મળવાની સંભાવના છે.

એસલ-1, એસલ-ર બંને પરમિટો મળી

વાઇન શોપની મળેલી મંજૂરીમાં એસલ-1 અને એસલ-2 બંને પ્રકારનો સમાવેશ થાય છે.  હોટલમાં રોકાણ કરનાર પરમીટ ધારકોને મનગમતો દારૂ તેમજ ઇમ્પોર્ટેડ અને ભારતીય દારૂ પણ મળશે તેમજ હોટલમાં રોકાણ કરનાર પ્રવાસીઓને તો દારૂ મળશે જ પણ ગુજરાત સરકારનાં નશાબંધી વિભાગનાં નિયમો મુજબ  હોટલમાં નહી રોકાનાર લોકો કે જેમની પાસે દારૂની પરમીટો છે તેમને નિયમ મુજબની ફોર્માલીટી બાદ તાજ હોટેલમાં દારૂ મળી શકશે.

ગિરનાર પરિક્રમાનાં પ્રવેશ માર્ગે પ્રકૃતિ મિત્ર યાત્રાળુઓને કાગળ-શણની થેલી આપશે.

Bhaskar News, Junagadh | Sep 28, 2014, 01:17AM IST
ગિરનાર પરિક્રમાનાં પ્રવેશ માર્ગે પ્રકૃતિ મિત્ર યાત્રાળુઓને કાગળ-શણની થેલી આપશે
- ઇકો ફ્રેન્ડલી |ગિરનાર પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીક જતું રોકવા
- સમગ્ર શહેરમાં હોર્ડીંગ્ઝ-બેનરો લગાવાશે : દર વર્ષે પરિક્રમા બાદ 10 થી 15 હજાર કિલો કચરો એકઠો કરાય છે

જૂનાગઢ: ગિરનારની પાવનકારી પરિક્રમામાં દર વર્ષે લાખ્ખો ભાવિકો આવે છે. અને સાથે લાવેલી ખાદ્ય સામગ્રી તેમજ અન્ય પોલિથીન બેગ જ્યાં ત્યાં ફેંકે છે. જેને લીધે પરિક્રમા બાદ એનજીઓનાં સાથની વનવિભાગ સફાઇ અભિયાન શરૂ કરી ટનબંધ પ્લાસ્ટીક એકઠું કરે છે. આ બાબતને લઇને જૂનાગઢની પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાએ આ વખતે પરિક્રમાનાં પ્રવેશ માર્ગ પર જ ભાવિકોને કાગળ અને શણની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલી ત્યજીને જ ભાવિકો જંગલમાં પ્રવેશે એ માટેનું અભિયાન શરુ કર્યું છે. દરમ્યાન આ બાબતને લઇને શહેરની વન મેન આર્મી સંસ્થાએ આ મામલે જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ દર્શાવી છે.

 જૂનાગઢમાંથી દર વર્ષે યોજાતી ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓ પ્લાસ્ટીકની બેગ ત્યજીને જંગલમાં પ્રવેશે તે માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનાં પ્રો. ચિરાગ ગોસાઇ દ્વારા પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાનાં બેનરતળે ઝૂંબેશ હાથ ધરાઇ છે. જે મુજબ, દાતાઓ પાસે કાગળ અને શણની થેલી તૈયાર કરાવી પરીક્રમાનાં પ્રવેશમાર્ગ પર ભાવિકોને તેનું વિતરણ કરવામાં આવશે. આ માટે શહેરમાં હોર્ડીંગ્ઝ અને બેનરો પણ લગાવાશે.

 દરમ્યાન વનમેન આર્મીનાં સંયોજક અને એડવોકેટ કિરીટ બી. સંઘવીએ જણાવ્યું છે કે, પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીકની વસ્તુઓનાં કારણે ગિરનારનાં જંગલનાં પર્યાવરણમાં ન પૂરી શકાય એવું નુકસાન થઇ રહ્યું છે. ખાસ કરીને ગિરનારનાં જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે ત્યારે કાયદાની જોગવાઇ મુજબ પણ પ્લાસ્ટીકની વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ વનવિભાગ અને પોલીસ આ બાબતે ગંભીર હોતા નથી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સિવાય તેઓ આ બાબતે આવનાર યાત્રાળુઓની કોઇ તપાસ કરતા નથી. આ તેમણે સરકારનાં સંબંધિત ખાતાઓમાં એકશન પ્લાન તૈયાર કરવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે. જો વનવિભાગ અને પોલીસનો સહયોગ નહીં સાંપડે તો આ એક્શન પ્લાન માટે પર્યાવરણ બચાવવા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ તેમણે દાખવી છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-girnar-parikrama-start-in-junagadh-latest-news-4759074-NOR.html

શહેરનાં પ્રવાસન વિકાસ માટે 2010 પછી ગ્રાન્ટ નથી આવી.

શહેરનાં પ્રવાસન વિકાસ માટે 2010 પછી ગ્રાન્ટ નથી આવી

DivyaBhaskar News Network | Sep 27, 2014, 06:35AM IST
25સપ્ટેમ્બર ને વર્લ્ડ ટુરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇતિહાસમાં જૂનાગઢનું નામ પ્રાચીન ધરોહર અને સંસ્કૃતિની જાળવણીમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. દર વર્ષે 10 લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસન વિભાગ હસ્તકનાં ઉપરકોટ અને ગિરનાર-ભવનાથની મુલાકાતે આવે છે. પ્રવાસન સ્થળનાં વિકાસ માટે વર્ષ 2010 પછી ગ્રાન્ટ મળી નથી. પરીણામે જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઇ પ્રકારની સુવિધા મળતી નથી.

જૂનાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વર્ષે લાખ્ખો લોકો ગિરનાર-ભવનાથ, ઉપરકોટ જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લે છે.પરંતુ જૂનાગઢનાં પ્રવાસન સ્થળની હાલત એવી છે કે પ્રવાસીઓને નિરાશા સાંપડી રહી છે. એક તરફ સ્થળો જૂનાગઢની આર્થિક કરોડરજજુ પણ છે. છતા આજ સુધી જૂનાગઢનાં પ્રવાસન સ્થળોનો વિકાસ જેવો જોઇએ એવો થયો નથી. જૂનાગઢમાં પ્રવાસન વિભાગની એન્ટ્રી થતાં આવા સ્થળનાં વિકાસ અંગે ચોંકાવનારી વિગતો મળી છે. વર્ષ 2010 પછી એક પણ રૂપિયાની ગ્રાન્ટ આવી નથી. જેના કારણે પ્રવાસન સ્થળનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. અહીં આવતા પ્રવાસીઓને સુવિધા પણ મળતી નથી. જૂનાગઢનાં ઉપરકોટ, ભવનાથ, ગિરનાર પર વર્ષે દહાડે 10 લાખ કરતાં વધારે લોકો મુલાકાત લેશે. ગ્રાન્ટનાં અભાવે પ્રવાસન સ્થળનો વિકાસ થઇ શકતો નથી.

ઉપરકોટમાં હાલની સ્થિતી

જૂનાગઢમાંઉપરકોટનીહાલતની સ્થિતી ખરાબ છે. અહીં ઠેર-ઠેર દબાણ થઇ ગયું છે. મેઇન ગેઇટ થી લઇને છેક અડી કડી વાવ સુધી લારી-ગલ્લા ખડકી દેવામાં આવ્યા છે. તેમજ શૌચાલય પણ બંધ છે. બગીચાની હલાત દયનીય બની ગઇ છે. પાર્કીંગની પણ યોગ્ય વ્યવસ્થા નથી.

લાઇટસાઉન્ડ શો પણ બંધ

જૂનાગઢનાંઉપરકોટમાંબે કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ બનાવવામાં આવ્યો છે. જે હાલ બંધ હાલતમાં પડ્યો છે. જેનાં કારણે અહીં આવતા પ્રવાસીઓ નિરાશ વદને પરત થાય છે.

પ્રવાસન ક્ષેત્રનેવેગવંતું કરવા માટે મહત્વનો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ વર્ષોથી લટકી રહ્યો છે. પ્રોજેકટ આગળ વધતો નથી. જેના કારણે અન્ય સ્થળનો પણ વિકાસ રૂંધાઇ રહ્યો છે.

રોપ-વે અદ્ધરતાલ

શહેરનાં ફરવાલાયક સ્થળનો વિકાસ ક્યારે ?

ઉપરાંતનરસિંહ મહેતા તળાવ, વિલીંગ્ડન ડેમ, ડેમની બાજૂનો બગીચો વગેરે સ્થળ કોર્પોરેશન હસ્તક આવે છે. છતા તેનો જોઇએ એવો વિકાસ થયો નથી. સ્થળો પણ વિકાસ ઝંખે છે.

પુરાતત્વ હસ્તકનાં સ્થળ પણ ઝંખે છે વિકાસ

પ્રવાસનવિભાગઉપરાંત પુરાતત્વ હસ્તકની બોદ્ધ ગુફાઓ, અશોક શિલાલેખ, મકબરા, વગેરે સ્થળની
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-063505-619511-NOR.html

ઘુંસીયા-ગુંદરણ પંચાયતોએ ઈકો ઝોન વિરૂધ્ધ ઠરાવ કર્યો.


DivyaBhaskar News Network | Sep 26, 2014, 07:45AM IST
નવિભાગ દ્વારા 10 કિ.મી.ની ત્રીજ્યાનો નવો બફર વિલેજ ઝોન તૈયાર કરાયો હોય ઇકો સેન્સેટીવ ઝોન અમલમાં આવે તો જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ જિલ્લાનાં આઠ તાલુકા અને 250 થી વધુ ગામડાઓનો વિકાસ રૂંધાઇ જાય તેવી સ્થિતી બનવાની સંભાવના હોવા અંગે ગત તા.22 તારીખે દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થતાં ગીર પંથકનાં ગામડાઓમાંથી વિરોધનો વંટોળ શરૂ થઇ ગયેલ ચીત્રોડ ગ્રામ પંચાયત બાદ તાલાલા તાલુકાનાં ઘુંસીયા અને ગુંદરણ ગ્રામ પંચાયતોએ નવા ઇકો સેન્સેટીવ ઝોન સામે વિરોધ દર્શાવતા ઠરાવો કર્યા છે.

ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને નેશનલ પાર્કથી 10 કિ.મી.ની ત્રીજ્યાનો નવો બફર વિલેજ ઝોન વન વિભાગે તૈયાર કર્યો હોય સેન્સેટીવ ઝોન અમલમાં આવે તો ત્રણ જિલ્લાનાં આઠ તાલુકા અને 250 થી વધુ ગામડાઓમાં નવા કાયદા અસ્તિત્વમાં આવે જેમાંથી ઉદ્યોગો, ખનન, ડેમ, તળાવ, હેવી વીજલાઇનો સ્થાપિત કરવા ઉપર નિયંત્રણ આવી જાય તેમજ બીનખેતી અને બાંધકામો માટે જટીલ સમસ્યાઓ ઉભી થાય તેવી સ્થિતી ઉત્પન્ન થવાની સંભાવના અંગે દિવ્યભાસ્કરે રજૂ કરેલા અહેવાલો બાદ નવા સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ વિરોધ ઉઠવાનું શરૂ થયેલ ગુંદરણ ગ્રામ પંચાયતનાં સરપંચ ભીમશીભાઇ બારડની અધ્યક્ષતામાં મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઇકો સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ ઠરાવ કરવામાં આવેલ ઘુંસીયા ગ્રામ પંચાયતની સરપંચ ભરત વાળાની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં પણ ઇકો સેન્સેટીવ ઝોનથી લોકોને મુશ્કેલી પડનારી હોય આઅંગે નવા 10 કિ.મી.ની ત્રીજ્યા વાળા ઇકો સેન્સેટીવ વિલેજ બફર ઝોન વિરૂદ્ધ ઠરાવ કરી બંને ગ્રામ પંચાયતોએ સંબંધીત વિભાગોને ઠરાવની વિગતો મોકલી આપવાની કામગીરી કરેલ.

ઉલ્લેખની છે કે, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાની સાથે તાલાલા પંથકનાં ગામડાઓમાં પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનો દોર શરૂ થયો છે. અને સરપચં સહિત હોદ્દેદારો દ્વારા નવા ઝોન ગામડાનો વિકાસ રૂંધસે તેમ કહી વિરોધ દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી રહ્યાં છે.

{ વનવિભાગનાં સૂચિત બફર વિલેજ ઝોનની દરખાસ્ત થતાની સાથે વિરોધ
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-074503-614143-NOR.html