Friday, September 30, 2016

ગીર: સિંહના મુખમાંથી બાળકને ખેંચી લાવતી માતા, બે મીટર દૂર હતું મોત

ગીર: સિંહના મુખમાંથી બાળકને ખેંચી લાવતી માતા, બે મીટર દૂર હતું મોત,  junagadh news in gujarati divyabhaskar.com | Sep 27, 2016, 16:05 PM IST
  • મલીબાઇએ કંઇ પણ વિચાર કર્યાં વગર દોટ મુકીને ઘોડીયામાં રહેલા વ્હાલસોયા પુત્રને સહી સલામત લઇ આવી
જૂનાગઢ:ગીરના જંગલમાં નેસમાં મારણ પર બેસેલા સિંહની નજીક બે મીટર દુર ઘોડીયામાં નાનું બાળક સૂતું હોય કોઇની પણ ત્યાં જવાની હિંમત ચાલતી ન હતી પરંતુ માતા મલીબાઇએ કંઇ પણ વિચાર કર્યાં વગર દોટ મુકીને ઘોડીયામાં રહેલા વ્હાલસોયા પુત્રને સહી સલામત લઇ આવી હતી. મલીબાઇની હિંમતની સૌકોઇએ પ્રશંસા કરી હતી.

સિંહે વાછરડાનું મારણ કરીને ભૂખ મિટાવી

ગીરના જંગલમાં વન અને વન્યજીવોની સાથે જ વસ્તા માલધારીઓની વસાહત એટલે કે નેસમાં જાનવરોથી રોજનો પનારો રહેતો હોઈ સિંહનું આવી ચડવું બહું અસામાન્ય ગણાતું નથી પરંતુ રવિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ જે ઘટના બની તે બિલકુલ અસામાન્ય હતી. જંગલમાં માલ ઢોર નિરાંતે નેસથી દૂર ચરતા હોય અને નાના વાછરડા નેસમાં હોય આવા સમયે અચાનક એક સિંહ ઝૂંપડાના પાછળના ભાગેથી આવી પહોંચ્યો ત્યારે નેસમાં બે વાછરડાં બાંધેલા હતાં જ્યાં સિંહે મારણ કરીને ભૂખ મિટાવતો હતો.

સિંહથી માત્ર બે જ મીટર દૂર ઘોડિયામાં સૂતું હતું બાળક

આ વાતની જાણ થતાં જ માલધારીઓનું ટોળુ વળી ગયું હતું. આવીને જોયું તો સિંહ જ્યાં બેઠો હતો તેનાથી માત્ર બે જ મીટર દૂર એક ઘોડિયામાં બાળક સૂતું હતું. સિંહ સામાન્ય રીતે માનવી ઉપર હુમલો નથી કરતો પરંતુ ભૂખ્યો સિંહ અને તે પણ આટલું નજીક બાળક સૂતું હોય. આ જોઈને બાળકની માતા મલીબાઈએ મદદ માટે નેસમાં નજર કરી પરંતુ સિંહ બહું ઉગ્ર મિજાજ દર્શાવતો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતા દોટ મૂકીને ઘોડિયામાં સુઈ રહેલા બાળકને બચાવ્યું)
 
તસવીરો - રવિ ખખ્ખર, વેરાવળ
માતા દોટ મૂકીને ઘોડિયામાં સુઈ રહેલા બાળકને બચાવ્યું

એક યુવાને સિંહની નજીક જઈ તેને ઊભો કરવાની કોશીશ કરી તો સિંહ તેના પર હુમલો કરીને સાથળ પર પંજો માર્યો હતો. જ્યારે બીજા યુવાને હિંમત બતાવીને સિંહને લાકડી મારી પરંતુ સિંહ મિજબાની માણી રહ્યો હતો માટે ત્યાંથી હટ્યો નહીં. જ્યારે સિંહની બે મીટર દૂર બાળક સૂતું હતું ત્યારે તેની માતાને લાગ્યું કે મારે જ કંઈક કરવું પડશે. માતા બાળકને બચાવવા માટે ઘોડિયા સુધી દોટ મૂકી, માતાએ બાળકને ઘોડિયામાંથી લઈને સિંહની નજર સામેથી જ નીકળી ગઈ. માલધારીઓએ વનવિભાગને જાણ કરતા ટીમ નેસ આવી પહોંચી હતી અને  સિંહને ઈંન્જેકશન વડે બેહોશ કરી સાસણ લઈ જવાયો હતો.

માતાની હિંમત જોઈ સૌ કોઈએ કરી પ્રશંસા

મલીબાઈની આ હિંમત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં જ્યારે માલધારીઓ અને વનખાતાના કર્મચારીઓએ ઘોડિયામાંથી સુઈ રહેલા બાળકને દોટ મૂકીને લાવવાની હિંમતની પ્રશંસા કરી હતી. 
સિંહે બે વાછરડના કર્યા મારણ, એક યુવાનના સાથળ પર માર્યો પંજો

ગીરપશ્ચિમ વનતંત્રનાં ગંગાજળીયા નેસમાં રવિવારનાં સાંજે સિંહએ એક ઝુંપડામાં ઘુસી જઇ બે વાછરડાનાં મારણ કર્યા હતા. તેમજ એક યુવાન પર હુમલો કરી ઘાયલ કર્યો હતો. ઘાયલ યુવાન રાજાને મેંદરડા હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો. ગંગાજળીયા નેસમાં એક ઝુપડામાં સાવજ આવી ચઢ્યા બાદ મારણ પર બેસી ત્યાંથી જવાનું નામ લેતો હતો. તંત્રને તેને ઘાયલ કરીને પકડવો પડ્યો હતો.

વંથલી પંથકમાં 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Sep 26, 2016, 07:20 AM IST

    વંથલી પંથકમાં 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું,  junagadh news in gujarati
વંથલીશહેર અને તાલુકામાં 67માં વન મહોત્સવને લઇને ઔષધીય ફળાવ વૃક્ષોનાં રોપાઓનું વાવેતર કરી ઔષધીવન બનાવવાની જગ્યાનું ભુમિપુજન કરાયું હતુ.

વંથલીમાં જનસેવા સમાજ તથા ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જૂનાગઢ દ્વારા 67માં વન મહોત્સવ વંથલી મનોહરભાઇ નિમાવત બાપુનાં મનોરથ મુજબ લોકોનાં સહકારથી 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતુ. તેમજ ઔષધીય વન બનાવવા માટેની જગ્યાનું 70 દંપતિઓએ શાસ્ત્રોકત વિધીથી ભુમિપુજન કર્યું હતુ.

સાથે પાંચ પરીવારોને રેકડી વિતરણ કરી અનાજ વિતરણતેમજ વ્યસમુકિત કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સ્વામી નારાયણ ગુરૂકુળનાં ભકિત સ્વામી સંજયકુમાર મંચદ, રવિભાઇ ઠાકર, નિમાવત બાપુ, વિનુભાઇ કથીરીયા, કુમનભાઇ ખુંટ, દીપકભાઇ ઢેબરીયા, ભીખુભાઇ માલવીયા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા.

જગ્યા પર ફળાવ વૃક્ષોનાં રોપાનું વાવેતર થશે. તસવીર- હાર્દિક કારીયા

70 દપંતી શાસ્ત્રોક્ત વિધીમાં જોડાયા

ઔષધીય વન બનાવવાની જગ્યાનું ભૂમિપુજન કરાયું

અસામાજીક તત્વો સામે વન સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધો

DivyaBhaskar News Network | Sep 25, 2016, 04:50 AM IST
મંદિરની મૂર્તિમાં નુકસાન ની ઘટના બાદ

રાત્રીના વિસ્તારમાં રોકાવુ ગુનો બને છે

જૂનાગઢનાજંગલ વિસ્તારમાં રાત્રી સમયે પ્રવેશ કરવા કે રાત્રી રોકાણ કરવો વન સંરક્ષણ ધારા અન્વયે ગુનો બને છે. છતા થોડા દિવસ પહેલા કેટલાક અસામાજિક તત્વો છેક 3 કિમી જેટલા અંતર સુધી પ્રવેશી અને સરકડીયા હનુમાન મંદીર સુધી પહોચી ગયા હતા. અને હનુમાનજીની પ્રતિમા તથા જનરેટર મશીન,સોલાર સીસ્ટમમાં પણ તોડફોડ કરી હતી.આ અંગે ભેસાણ પોલીસમાં ગુનો નોધાયા બાદ તેના પર યોગ્ય કાર્યવાહી થતા સાધું સતો અને ભક્તો આજે કલેક્ટર,આઇજી તથા વન વિભાગને લેખિત રજૂઆત કરી હતી. અને અા અંગે તટસ્થ તપાસ કરવા તેમજ વન વિભાગ દ્વારા વન સંરક્ષણ ધારા 1972ની કલમ 27 હેઠળ ગુનો નોધી કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું વૈશ્નવ હરિદાસ ગુરૂ રાઘવદાસે જણાવ્યુ હતુ.

તાલાલાના કમલેશ્વર ડેમનું 50 ટકા લીકેજ બંધ થયું, તંત્ર ઉંધા માથે

divyabhaskar.com | Sep 25, 2016, 00:51 AM IST

તાલાલાઃગીર જંગલ મધ્યે આવેલ કમલેશ્વર (હિરણ-1) ડેમમાં ગઇકાલે સવારથી લીકેજ થયેલ તંત્રએ અટકાવવા તનતોડ પ્રયત્નો કર્યા હોય લીકેજની  ઘટનાનાં  છત્રીસ કલાક બાદ પચાસ ટકા લીકેજ બંધ કરાવી શકાયુ છે. હજુ લીકેજથી પાણી ડેમમાંથી  બહાર જઇ રહયું છે.
કમલેશ્વર ડેમમાં થયેલા લીકેજને બંધ કરાવવા સિંચાઇ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ ગતરાત્રે જનરેટર સહિતનાં જરૂરી સાધનો અને મટીરીયલ્સ  ગતરાત્રે ડેમ સાઇડ ખાતે મંગાવી  રાત્રે પણ કામગીરી ચાલુ રખાવેલ. સવારે ક્રેઇન અને વધુ જેસીબી મંગાવી ત્રણ ભાગોમાંથી  કામ શરૂ કરાવેલ.. ડેમનાં પાણીમાં ભમરી થઇ નિકળતું પાણી અટકાવવા  લોખંડની જાળી ભમરીનાં ખાડામાં ઉતારી રેતી, કપચી, મોરમ ભરેલ થેલીઓ જાળીમાં નાંખવાનું શરૂ કર્યું હતું.
 
ડેમનું પાણી જયાં બહાર આવે ત્યાં ક્રેઇન મારફત પાળા સુધી રસ્તો કરી લીકેજનું બહાર આવતું પાણી અટકાવવા બોગદાને દબાવવા  નવો પાળો બનાવવાનું  શરૂ કરવામાં આવેલ ડેમનાં પાળા ઉપરથી જેસીબી મારફત મોરમ ભમરી સુધી નીચે નાંખવાનું શરૂ કરેલ. સિંચાઇ વિભાગની રાત – દિવસની મહેનત છતા ડેમમાં થયેલ લીકેજ પચાસ ટકા ઓછુ થયું છે. હજુ ડેમમાંથી પાણી વહી જતું હોય તાલાલા પંથકનાં ખેડુતો અને લોકોમાં ચિંતા પ્રસરી છે.

પાઇપ પાસેની જમીનથી લીકેજ થયું
 
ડેમનાં અધિકારી હરસુખભાઇએ  જણાવેલ કે ડેમનો દરવાજો તૂટયો નથી સીમેન્ટનો પાઇપ પાસેની  જમીનથી લીકેજ થયેલ છે. ડેમમાંથી  પાણી લીકેજથી વહી ગયું તેની સામે પાણીની આવક હોય ડેમની સપાટી 28 ફૂટ જળવાઇ રહી છે.
 
ડેમ લીકેજ થતા પાણી કેનાલથી હિરણ નદી અને ખેતરોમાં વહયું

કમલેશ્વર ડેમનાં કેનાલનાં પાળા નીચે જમીનમાં બે ફુટથી વધુનાં બની ગયેલા બોગદામાંથી  સવારથી જ ડેમની બહાર પાણી વહેવાનું શરૂ થયેલ અને કેનાલથી  હિરણ નદી, ખેતરો તરફ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. કમલેશ્વર ડેમમાં પાણીની આવક માટે કોઇ નદીનું વહેણ લાગુ પડતું નથી અને કુદરતી રીતે બંધાયેલા  ડેમની ફરતે આવેલા ડુંગરો અને જંગલની જમીનમાંથી  વહેતા વરસાદી પાણીથી જ ડેમમાં નવા નીર આવે છે. આમ મેઘકૃપાથી  જ દર વર્ષે ડેમ ભરાતો હોય છે.
 
ત્રણ પાણ વહી જતાં ખેડુતોમાં નિરાશા

ડેમનાં લીકેજથી  ત્રણ પાણ જેટલું પાણી વેડફાઇ જતાં પંથકનાં ખેડુતો અને લોકોમાં નિરાશા છવાઇ જવા પામી છે.
 
તાલાલાથી હિરણ-2 સુધી અવર-જવર ન કરવી

હિરણ-1 લીકેજ હોવાથી હિરણ -2 સુધી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જવાની સંભાવના હોય તાલાલાથી  હિરણ-2 ડેમ સુધી નદીમાં લોકોને અવર-જવર ન કરવા, પશુધનની કાળજી લેવા તંત્રએ સુચના આપી છે.

તાલાલામાં ઝેરી મધમાખીનો આતંક : પાંચને ડંખ મારતા હોસ્પિટલે ખસેડાયા

Bhaskar News, Talala | Sep 24, 2016, 01:11 AM IST

તાલાલા:તાલાલા પંથકમાં આજે પાંચ લોકોને ઝેરી મધમાખીએ ડંખ મારતા સારવારમાં ખસેડવામાં આવતા ધાવા ગામનાં પ્રવિણભાઇ જેરામાઇ સાંગાળી, બોરવાવ રોડ ખાતે આવેલી વાડીથી આવતા હતા. જેથી મધમાખીઓ કરડી ગયેલ હતી. ગામનાં મહંમદ આમદ (ઉ.વ.70), સુલેમાન ફતે મહંમદ (ઉ.વ.40) જંગલનાં રસ્તે કટડી વિસ્તારમાં ઢોર ચરાવવા જતા હતા. ત્યારે મધમાખીઓ ત્રાટકતા ઇજાગ્રસ્ત થયેલ. કેશોદથી તાલાલા તરફ આવી રહેલ મગનભાઇ કરશનભાઇ (ઉ.વ.70) રે.કેશોદ વાળાને સાસણ પાસે મધમાખીએ ડંખ મારી ઇજા કરેલ જયારે જંગલમાં આવેલ જાંબુડીનાં તારાબેન રામભાઇ (ઉ.વ.70) ઉપર પણ મધમાખીઓ ત્રાટકતા ઇજા થતા તાલાલ સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ જયાં ફરજ પરનાં તબીબ ડો.આશિષ માંકડીયાએ સારવાર આપતા મધમાખીનાં ડંખથી રાહત થઇ હતી.

આંબાનાં થડથી મુખ્યડાળીઓ 3 ફુટી કાપી નાખો,3 વર્ષમાં ઉત્પાદન આપશે

Bhaskar News, Junagadh | Sep 22, 2016, 01:45 AM IST

    આંબાનાં થડથી મુખ્યડાળીઓ 3 ફુટી કાપી નાખો,3 વર્ષમાં ઉત્પાદન આપશે,  junagadh news in gujarati
જૂનાગઢઃકૃષિ યુનિવર્સિટીમાં આંબાનું નવિનીકરણ અંગે યોજાયેલા સેમિનારમાં કુલપતિ ડો.એ.આર.પાઠકે જણાવ્યું હતુ કે, ગયા વર્ષ તથા ચાલુ વર્ષે  કેરીનાં ભાવ ન મળતા બગીચાવાળા ખેડૂતો નિરાશ થયા છે.હવે ઘણાં પ્રોસેસીંગ પ્લાન બની ગયા છે. તેના કારણે કેરીનાં ભાવ મળી રહે છે.તેમજ ભાવ ન મળવાનાં કારણે ખેડૂતો આંબા કાપી રહ્યા છે.પરંતુ ખેડૂતો જુના આંબા કાઢવાની જરૂર નથી.
 
સોરઠનાં ખેડૂતોએ આંબા કાપવાની જરૂર નથી નવિનીકરણ કરો
 
આંબાને થડ ઉપર જયાંથી મુખ્ય ડાળીઓ ફુટેલ હોય તે ડાળીને ત્રણ ફુટથી કાપી નાખવાથી તે ફરી કોળાશે અને તે ત્રણ વર્ષમાં ઉત્પાદન આપતો આંબો તૈયાર થઇ જશે.નવેસરથી વાવેતર કરેલી કલમ પાંચ થી છ વર્ષ આર્થિક લાભ આપતો થાય છે. તેના બદલે આ આંબાનું નવીનીકરણથી ખેડૂતોને ધણા ફાયદાઓ થશે. આંબાની મુખ્ય ડાળીઓ કાપ્યા બાદ વચ્ચેની જગ્યામાં પુરક પાક લઇ શકાશે.
 
50 ખેડૂતોએ આંબા ન કાપવાની ખાતરી આપી
 
આ સેમિનારમાં હાજર 50 ખેડૂતોએ આંબા ન કાપવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એ.એમ.પારખિયા, ડો.આર.એસ.ચોવટિયા, ડો.ડી.કે.વરૂ. ડો. ડી.કે. દેલવાડિયા, ડો. વિરડિયા, ડો. એમ.એફ. આચાર્ય, ડો.જી.આર. ગોહિલ હાજર રહ્યા હતા.

ગિરનાર પરીક્રમાનાં રૂટ પર મળેલી મૂર્તિઓ ખંડિત કરાતાં સાધુ-સંતોમાં ભારે રોષ

Bhaskar News, Junagadh | Sep 21, 2016, 01:38 AM IST

જૂનાગઢઃ જૂનાગઢમાં ગીરનારની પરિક્રમાનુ મહાત્મ્ય છે. ત્યારે અા રૂટ પરની પવિત્ર માળવેલાની જગ્યાએ ભગવાન હનુમાનજીની મુર્તિઅો ખંડીત જોવા મળી હતી. જે બાબતે પોલીસે બે અજાણ્યા સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
 
ભેંસાણ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢમાં શીવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા સાથે લોકલાગણી જોડાયેલી છે. ભેંસાણની પાછળનાં ભાગમાં પરીક્રમા રૂટ પર માળવેલાની જગ્યા આવે છે. જ્યાં આવારા તત્વોએ રાત્રિનાં સમયમાં મુર્તિઓને ખંડીત કરી હતી. સવારે કરીયા ગામના અશોકભાઇ ડાંગર જ્યારે પુજાપાઠ માટે ગયા ત્યારે ત્યાં આવી હાલત જોતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી. માળવેલાનાં મહંત બલરામપુરી બાપુને જાણ કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ભેંસાણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બે અજાણ્યા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવનાં પગલે સાધુ-સંતો રોષે ભરાયા હતા. આવા તત્વો સામે ઝડપી કાર્યવાહી કરી તાત્કાલિક પકડી લેવા માંગણી કરી હતી. તેમજ ભવિષ્યમાં ક્યારેય લાગણી દુભાવે તેવી ઘટના ન બને તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને F

ગિરનાર ડોળી એસો.અે કલેકટર સમક્ષ માંગ કરી હતી

DivyaBhaskar News Network | Sep 20, 2016, 04:00 AM IST

    ગિરનાર ડોળી એસો.અે કલેકટર સમક્ષ માંગ કરી હતી,  junagadh news in gujarati
રોપ-વે બનવા સામે વાંધો નથી પરંતુ રોજગારી છીનવાઇ જશે

હાઇકોર્ટે રોપ-વેનાં લીધે બેરોજગારી અંગે પુન:વસવાટનો હુકમ કર્યો હતો

જૂનાગઢનાંગીરનાર ખાતે એક સદી કરતા વધુ સમયથી પગથિયા ચડી માલસામાન પહોંચાડી ડોળીવાળા આવક કમાઇ છે. જેમાં હાઇકોર્ટે દસકા પહેલા રોપ-વે આવવાને કારણે લોકોની આવકને અસર પહોંચતા પુન: વસવાટનો હુકમ કર્યો હતો, જેની માંગણી કલેકટર કચેરી સમક્ષ ગીરનાર ડોળી એસોસીએશને કરી હતી. રાજ્યમાં સૌથી ઉંચુ શિખર જૂનાગઢમાં ગીરનાર પર આવેલું છે. સ્થળ આદિ-અનાદિ કાળથી હયાત છે. જ્યાં ડોળીવાળા સભ્યો પગથિયા ચડી શકતા યાત્રાળુઅોને ઉપર સુધી ચડાવી દે છે. રોપ-વેની માંગ ત્રણ દસકાથી કરવામાં આવી હતી. જેને તાજેતરમાં મંજુરી મળી ગઇ હતી. બાબતે ગીરનાર ડોળી એસોસીએશનનાં સભ્યોઅે કલેકટર સમક્ષ રજુઆત કરી હતી કે, રોપ-વે બને તેની સામે જરાય વાંધો નથી. પરંતુ આર્થિક સ્થિતી નબળી હોવાને કારણે બેરોજગાર બની જઇશું. ત્યારે પ્રશ્નનાં નિરાકરણ માટે ડોળીવાળાઓએ જમીન, દુકાન કરવાની પરવાનગી માંગી હતી. જે વર્ષ 2006માં મળી ગઇ હતી, અા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરી ડોળીવાળા સભ્યોને હાઇકોર્ટનાં હુકમ મુજબ ફાળવણી કરાય તેવી માંગ છે.

જૂનાગઢ ડોળી એસોસીએશનનાં સભ્યોએ પ્રમુખ રમેશભાઇ બાવળીયાની આગેવાનીમાં એક દિવસીય હડતાળ પાડી હતા. જેમાં સમગ્ર ડોળીનાં સભ્યો સાથે અશ્વિન ભારાઇ, મનસુખભાઇ ગોહેલ, દાહાભાઇ, કિશોર વગેરેનું સમર્થન મળ્યું હતું. તસ્વીર- મેહુલ ચોટલીયા

એક દિવસીય હડતાળ પાડી

જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે ગિરનારનાં જંગલમાં

DivyaBhaskar News Network | Sep 21, 2016, 05:00 AM IST

    જૂનાગઢ તાલુકાનાં ગલીયાવડ ગામે ગિરનારનાં જંગલમાં,  junagadh news in gujarati
ગળી ગયા બાદ શરીરમાં થઇ આંતરિક ઇજા

અજગર નીલગાય ગળી ગયો, પણ પચાવી શક્યો : મોત

જૂનાગઢનાંગલીયાવડમાં જંગલમાંથી આવી ચઢેલા અજગરે નીલગાયનાં બચ્ચાંને પોતાની લપેટમાં લઇ ભીંસી નાંખ્યા બાદ ગળી ગયો. પણ ત્યારપછી તેને પચાવી શક્યો. રોડ પરજ નીલગાયને ઓહિયાં કરી ગયા બાદ દૂર જવા માટે તેણે હલનચલન કરતાં તેના શરીરમાં આંતરિક ઇજાઓ થઇ હતી. અને અંતે તે મોતને ભેટ્યો હતો. ગિરનારનાં જંગલમાં વસતા એક 15 ફૂટ લાંબા અજગરે જૂનાગઢ તાલુકાનાં ગલીયાવાડ ગામે રેવન્યુ વિસ્તારમાં આવી ચઢી ગભરૂભાઇ નામનાં ખેડૂતની વાડીમાં એક નીલગાયનાં બચ્ચાંને ભીંસમાં લઇ લીધું. અને ત્યારબાદ ધીમે ધીમે તેને આખીને આખી ગળી ગયો. પોતાનાં વજન કરતાંયે મોટો શિકાર તે ગળી તો ગયો. પણ પછી ત્યાંને ત્યાં પડ્યો રહેવાને બદલે તેણે હલનચલન કર્યું. પોતાની વાડીમાં અજગર જોતાં ગભરૂભાઇએ વનવિભાગને જાણ કરી. આથી આરએફઓ એસ. ડી. ટીલાળા સ્ટાફ સાથે ધસી ગયા. અને આજે સવારે અજગરને હળવે રહીને વાહનમાં મૂકી સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યો. જોકે, અજગરે ખોરાકને હજમ કર્યા પહેલાંજ હલનચલન કરતાં તેના શરીરનાં આંતરીકભાગોમાં ઇજા થઇ. જે તેના માટે જીવલેણ નિવડી. આજે બપોરે સક્કરબાગ ખાતેજ તેણે દમ તોડ્યો. અજગર જંગલમાં પોતાનાથી મોટા પ્રાણીનો શિકાર કર્યા બાદ એજ સ્થળે દિવસો સુધી પડ્યો રહીને ખોરાકને પચાવે છે. ત્યાં સુધી તે હલનચલન કરી શકતો નથી. પરંતુ તે રેવન્યુ વિસ્તારમાં હોવાથી માનવીની અવરજવરથી બચવા તેણે હલનચલન કર્યું જે તેના માટે કદાચ જીવલેણ નિવડ્યું હોઇ શકે. એમ આરએફઓ ટીલાળાએ જણાવ્યું હતું

સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં મેઘમહેર, પશુઓ તણાયા, અનેક ગામો થયા સંપર્કવિહોણા

Rajesh Rana, Navsari | Sep 20, 2016, 00:50 AM IST
સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં મેઘમહેર, પશુઓ તણાયા, અનેક ગામો થયા સંપર્કવિહોણા,  navsari news in gujarati
જૂનાગઢ/સુરત:ભાદરવામાં જામેલા અષાઢી માહોલથી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.રાજ્યમાં બીજા દિવસે પણ સાર્વત્રિક એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી હતી. જેમાં જૂનાગઢ 2, ભેંસાણ 1, કેશોદ1, માળિયા હાટીના-મેંદરડા અડધો ઇંચ, વંથલી 1, વિસાવદર 3, ઉના 1 અને તાલાલા તેમજ ગિર જંગલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
 
નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ, પલસાણા 4, તળાજામાં 3.5, ગીર જંગલમાં 3 ઈંચ

અમરેલી જિલ્લામાં અમરેલી, બગસરા, લાઠીમાં પા ઇંચ, ધારીમાં ઝાપટાં,જાફરાબાદમાં પોણો ઇંચ, ખાંભામાં અડધો ઇંચ, લીલીયા-રાજુલા 1.25ઇંચ અને સાવરકુંડલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.પોરબંદર જિલ્લાના કુતિયાણા 1 અને માધવપુર 3 ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદર શહેરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. તળાજામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના સાત તાલુકાઓમાં પણ અડધોથી દોઢ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં પલસાણામાં 4 ઈંચ અને માંગરોળ તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્યત્ર અડધોથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત  અને વડોદરામાં ઝાપટાં પડ્યાં હતાં.
 
જામલાપાડામાં યુવક તણાયો

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા જામલાપાડા ગામે રવિવારે ખેતરેથી ઘરે આવતા આદિવાસી ખેડૂત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લાગુ કોતરમાં તણાઈ ગયા જતાં તેમનું મોત નિપજ્યું હતું.
  ડભોઈના 4 ગામ સંપર્કવિહોણા

પંચમહાલના ઉપરવાસમાં મેઘમહેર થતાં ઢાઢર નદીમાં પૂર આવતાં ડભોઇ તાલુકાનાં દંગીવાડા, મગનપુરા, પ્રયાગપુરા, નારણપુરા ગામ હાલ પુરની લપેટમાં આવી ગયાં છે અને તેમનો સંપર્ક તુટી ગયો છે. નદીકાંઠે આવેલી આશરે 300 વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળતાં તુવર, દિવેલાં અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું છે.

તળાજામાં વીજપુરવઠો ઠપ

તળાજામાં ભારે વરસાદને કારણે મહુવા ચોકડી, મહુવા રોડ અને ગોપનાથ રોડ પર આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર બળી જતાં આ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
 
દાતરડી નદીમાં ત્રણ ભેંસ તણાઈ

રાજુલાની દાતરડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં ઉતરેલી ત્ર ભેંસો ધસમસતા પૂરમાં લાચાર બની હતી અને એક પછી એક ત્રણ ભેંસ પાણીમાં વહી ગઈ હતી.
 
( તસવીર - રાજેશ રાણા )

તાલાલાનાં માધુપુરમાં સિંહ અને સિંહણે કર્યો પશુઓનો શિકાર

Bhaskar News, Talala | Sep 18, 2016, 00:56 AM IST

    તાલાલાનાં માધુપુરમાં સિંહ અને સિંહણે કર્યો પશુઓનો શિકાર,  junagadh news in gujarati
તાલાલાઃતાલાલાનાં માધુપુર ગામને છેલ્લા ચાર દિવસથી એક સિંહ અને સિંહ-સિંહણની જોડીએ રહેઠાણ બનાવી દીધુ હોય તેમ ગામની બજારોમાં આવી રખડતા ઢોરનાં શિકાર કરવા લાગતા ભયની લાગણી પ્રસરી છે.
 
બળદ, વાછરડી અને ભુંડનું મારણ કર્યું, મારણને અધુરા છોડી ભાગી ગયા
 
માધુપુર(ગીર)માં છેલ્લા ત્રણ દિવસથી દરરોજ સિંહ-સિંહણ ગામમાં આવવા લાગ્યા છે. ગુરૂવારે રાત્રે ગામની મુખ્ય બજારમાં આવેલ સિંહોએ કાળુભાઇ કરીયાણાવાળાની દુકાન પાસે એક બળદ ઉપર હુમલો કરી મારી નાખેલ બળદનું મારણ થોડું ખાધુ ત્યાં લતાવાસી જાગી જતાં સિંહો ચાલ્યા ગયેલ. ગામમાંથી રોડ ઉપર આવેલા સિંહોએ પ્રાંચીરોડ ઉપર બેન્કની સામે બેસેલ એક વાછરડી અને એક ભુંડનો શિકાર કરેલ સવારે વનકર્મીઓએ સિંહોએ અધુરા છોડેલ મારણને ગામ બહાર ખસેડ્યા હતા.  નિર્દોષ માનવીનો ભોગ લે તે પહેલા સિંહોને જંગલ તરફ ખદેડવા ગામનાં યુવા અગ્રણી સંદિપ સુચકે માંગ કરી છે.

સેમરડી નાકેથી માલધારીઓને જવા દેવાતાં બસ સ્ટેન્ડમાં રાત વિતાવી

DivyaBhaskar News Network | Sep 17, 2016, 05:35 AM IST
અનેક વિનંતી બાદ પણ વનવિભાગે તેના જડ નિયમો છોડ્યા

માલધારીઓનેઅનુસુચીત જનજાતીનાં દાખલાઆો વારસાઇઓ, અછતનાં સમયે સ્થાનાંતરની મંજુરીઓ સરકારી પરીપત્રોમાં સુધારાઓ કરવા જેવા અનેક પ્રશ્નોને લઇ બે દિવસથી મામલતદાર કચેરી સામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. ગઇકાલે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે રૂબરૂ આવી ઉપવાસી છાવણીની મુલાકાત લઇ માલધારીઓનાં પ્રશ્નો સાંભળી જરૂરી તમામ પ્રયત્નો કરવાની ખાત્રી આપી તા.20નાં રોજ પ્રભારી મંત્રીને રજૂઆત કરવાની બાદમાં મુખ્યમંત્રીને માલધારીઓને સાથે લઇ રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. પ્રશ્નનું ત્રણ માસમાં નિરાકરણ થાય તો હું પણ તમારી સાથે સરકાર સામે ઉપવાસ પર બેસી જઇસ. તેવી ખાત્રી આપી માલધારીઓને પારણા કરાવ્યા હતા. જેથી તમામ માલધારીઓ ખુશ-ખુશાલ થઇ પોત પોતાનાં નેસડાઓમાં જવા રવાના થયા હતા.

ત્યારે અમરેલી જિલ્લાનાં ધારી ડીવીઝન હેઠળનાં દલખાણીયા નજીક આવેલ સાયનેસ, બલીયાટનાં માલધારીઓને વન વિભાગનાં અધિકારીઓ દ્વારા સેમરડી ચેકનાકાથી પોતાનાં નેસડાઓમાં જવા દીધા હતા. જેથી પાંચથી માલધારીઓએ અનેક વિનંતી કરવા છતાં પોતાનાં જડ નિયમો બતાવી હેરાન કરેલ હતા. જેથી માલધારીઓએ પોત-પોતાનાં સગ્ગાઓ તથા અમુક માલધારીઓએ દલખાણીયા પરત આવી બસસ્ટેન્ડ રાત વિતાવી હતી. જેથી આંદોલનનાં પારણા થયાને થોડી કલાકોમાં વન વિભાગે ભાજપને પડકાર ફેંક્યો હોય તેમ માલધારીઓને હેરાન કરી પોતાની જોહુકમીનો પરચો બતાવી દીધેલ હતો.

અગ્ર મુખ્ય વન સંરક્ષકનાં પરીપત્રનો ઉલાળીયો

વનવિભાગનાં અગ્રમુખ્ય વન સંરક્ષક ડો.જે.એ.ખાને તા.20/5/2016નાં રોજ જંગલમાં રહેતા માલધારીઓને પોતાનું ઓળખકાર્ડ બતાવી 24 કલાક અવર-જવર કરવાની છુટ આપતો પત્ર બહાર પાડવામાં આવ્યો છે.

મફતદુધ બંધ કર્યું હોવાથી ઉશ્કેરાયાનો આક્ષેપ

માલધારીઓએજણાવ્યું હતું કે, અગ્ર મુખ્ય વન સંરક્ષકનો પરીપત્ર હોવા છતાં સેમરડી ચેકનાકા પર આઠ વાગ્યા બાદ સ્થાનિક માલધારીઓને અંદર કે બહાર આવવા દેતા નથી. થોડા સમયથી આવો જડ નિયમ લાગુ કરાયો છે. કારણ કે, મફત દુધ આપવાનુ બંધ કરતા નિયમો લાગુ થયા નો આક્ષેપ કર્યો હતો.

વિસાવદરમાં માલધારીઓને ભાજપે આપેલી ખાતરીનું 5 કલાકમાં સુરસુરીયું

સાવરકુંડલાઃ દીપડાએ બાળકીને ફાડી ખાધી, શોધખોળ કરતાં માત્ર હાડકાં મળ્યા

Bhaskar News, Savarkundala | Sep 29, 2016, 02:16 AM IST

    સાવરકુંડલાઃ દીપડાએ બાળકીને ફાડી ખાધી, શોધખોળ કરતાં માત્ર હાડકાં મળ્યા,  amreli news in gujarati
સાવરકુંડલાઃ અમરેલી પંથકના રેવન્યુ વિસ્તારમા અવારનવાર વન્યપ્રાણીઓ માનવભક્ષી બની જઇ લોકોને ફાડી ખાય છે. આવી એક વધુ ઘટના સાવરકુંડલા તાલુકાના રબારિકા ગામે બની હતી જયાં આજે સવારે એક દિપડાએ દેવીપુજક પરિવારની ચાર વર્ષની બાળકીને ઉપાડી જઇ ફાડી ખાધી હતી. આ બાળકીના માત્ર અવશેષો હાથ લાગ્યા હતા. ગામ લોકોમા આ ઘટનાથી ભારે ફફડાટ છે.
 
માતા-પિતા બહાર ગયા હતા ત્યારે દીપડો ઘરમા ધૂસ્યો હતો
 
ધારીના આંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ આ બાળકીનો શિકાર કર્યો હતો. વનવિભાગના સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર રબારીકાનો દેવીપુજક દિલીપ પરમાર તળાવના પાળે ઝુંપડુ બનાવી રહે છે અને મજુરીકામ કરે છે. સવારે તે મજુરીકામે ગયો હતો અને તેની પત્ની પણ બહાર ગઇ હતી. આ સમયે  દિપડો તેમના ઝુપડામા ઘુસી આવ્યો હતો અને ચાર વર્ષની પુત્રી દયાને ઉપાડી લઇ ગયો હતો.
 
વનતંત્રએ પણ શોધખોળ કરી હતી
 
દયાની માતા ઝુપડે આવતા પુત્રીને ન જોઇ તેણે આસપાસ શોધખોળ આદરી હતી. પરંતુ દિપડાએ દયાને ફાડી ખાધી હોય માત્ર તેના અવશેષો હાથ લાગ્યા હતા. તાબડતોબ આ બારામાં વનતંત્ર અને પોલીસને જાણ કરવામા આવી હતી. જેને પગલે તંત્ર પણ દોડતુ થયુ હતુ. ગીરકાંઠાના તાલુકાઓમા અવારનવાર વન્યપ્રાણીઓ આ પ્રકારે માણસનો પણ શિકાર કરી નાખે છે જે ચિંતાનો વિષય છે.

સિંહ બાદ હવે દિપડાનો આતંક
ધારીના આંબરડી પાર્ક વિસ્તારમા સાવજોએ ટુંકાગાળામા ત્રણ લોકોને ફાડી ખાધાની ઘટનાને હજુ બહુ જાજો સમય થયો નથી ત્યાં હવે સાવરકુંડલાના રબારીકામા આજે સવારે દિપડાએ આ બાળકીનો શિકાર કર્યો હતો.
 
બાજુના ખેતરમાં લઇ જઇ બાળકીને ફાંડી ખાધી
દિપડો ચાર વર્ષની દયાને ઝુપડામાથી ઉપાડી બાજુના ખેતરમા ઢસડી ગયો હતો અને તેને ફાડી ખાતા આ બાળકીના માત્ર છુટાછવાયા હાડકા સહિતના કેટલાક અવશેષો જ મળ્યા હતા.
 
દિપડાને પકડવા ત્રણ પાંજરા મૂકાયા
દિપડો માનવભક્ષી બનતા રબારીકાના લોકોમા ભારે ફફડાટ છે. લોકોની માંગણીને પગલે વનવિભાગ દ્વારા આ નરભક્ષી દિપડાને પકડવા માટે અલગ અલગ દિશામા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા છે.
 
ત્રણ મહિના બાદ ફરી દિપડાએ દેખા દીધી
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રબારીકા નજીકનાં વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના પહેલા દિપડાઓ જોવા મળતા હતા અને ત્રણ મહિના બાદ ફરી દિપડાએ દેખા દેતા અને ચાર વર્ષની બાળકીને ઝુપડામાંથી ઉઠાવી લેતા ફાડી ખાદ્યાની ઘટનાથી સીમ અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિચિત્ર ઘટનાઃ બે માસના સિંહબાળ છતાં સાવરકુંડલામાં સિંહણ સંવનન માટે તૈયાર

Bhaskar News, Savarkundala | Sep 24, 2016, 03:38 AM IST

સાવરકુંડલાઃસામાન્ય રીતે સિંહણ બચ્ચાવાળી હોય તો તે બચ્ચાના ઉછેર માટે લાંબા સમય સુધી સંવનન માટે તૈયાર થતી નથી. પરંતુ મીતીયાળા અભ્યારણ્યમાં એક સિંહણને માત્ર બે માસના બચ્ચા હોવા છતાં રેડીયોકોલરવાળી આ સિંહણ સંવનન માટે તૈયાર હોવાનું જોઇ શકાય છે. સિંહપ્રેમીઓ તથા તંત્ર માટે પણ સિંહણની આ વર્તણુંક અભ્યાસનો વિષય બની છે.
 
મિતીયાળા અભયારણ્યમાં જોવા મળી વિચિત્ર ઘટના

સાવરકુંડલા નજીક મીતીયાળા અભ્યારણ્યમાં અને કૃષ્ણગઢ, બગોયા સહિતના વિસ્તારોમાં ફરતી એક રેડીયોકોલર સિંહણને હાલમાં બે નાના બચ્ચા છે. બે માસ પહેલા કૃષ્ણગઢના બોડીયા ડુંગર વિસ્તારમાં તેણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. આ બન્ને સિંહબાળ હાલમાં તંદુરસ્ત છે અને સિંહણનંં દુધ પણ પી રહ્યા છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સિંહણ બચ્ચાના ઉછેરમાં ધ્યાન કેન્દ્રીત કરે છે અને સંવનન માટે તૈયાર હોતી નથી. પરંતુ અહિં એક આશ્ચર્યજનક ઘટના એ નઝરે પડી હતી કે આ સિંહણ સંવનન માટે તૈયાર થતી નઝરે પડી હતી.
 
સિંહણની આ વર્તણુંક અભ્યાસનો વિષય બની

ગત તા. 4 થી 10 દરમીયાન આ પ્રકારના દ્રશ્યો નઝરે પડતા કૃષ્ણગઢ નર્સરીના ભયલુભાઇ ખુમાણ અને સંજયભાઇ પટેલ દ્વારા સાસણ રીસર્ચ સેન્ટરના અધિકારીઓને જાણ કરાઇ હતી. જેથી રીસર્ચ સેન્ટરની ટીમે પણ અહિં બે દિવસ ધામા નાખી સિંહણનું લોકેશન મેળવી તેની વર્તણુંકનું અધ્યયન કર્યુ હતું. સામાન્ય રીતે સિંહબાળ દોઢ થી બે વર્ષના થાય ત્યાં સુધી સિંહણ સંવનન કરતી નથી. પરંતુ કોલરઆઇડી સિંહણની આ વર્તણુંકે વનતંત્રને પણ ચોંકાવ્યુ છે.

'યુધ્ધ થાય તો લડવા જવા તૈયાર છું': કુંકાવાવનાં RFOનો CMને પત્ર

Bhaskar News, Amreli | Sep 22, 2016, 23:27 PM IST

    'યુધ્ધ થાય તો લડવા જવા તૈયાર છું': કુંકાવાવનાં RFOનો CMને પત્ર,  amreli news in gujarati
અમરેલીઃઉરી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાનની નાપાક હરકતો સામે લોકોમાં ભારોભાર રોષ છે. જેના પડઘા ઠેર ઠેર પડી રહ્યા છે. કુંકાવાવના ઇન્ચાર્જ આરએફઓએ આજે સીએમને પત્ર પાઠવી યુધ્ધના સંજોગો થાય તો પોતાને સરહદ પર લડવા મોકલવા અપીલ કરી છે અને જો પોતે શહીદ થાય તો પોતાનો પરિવાર પણ દેશની સંપતીમાંથી રાતીપાઇ નહી માંગે તેવી ખાતરી આપી છે.
 
NCCની રાઇફલ શુટીંગમાં તેઓ ડીસ્ટ્રીક્ટ ફર્સ્ટ રહ્યા હતાં
 
કુંકાવાવના ઇન્ચાર્જ આરએફઓ વી.એમ. ડવે આજે રાજ્યના મુખ્યમંત્રીને આ પત્ર પાઠવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યુ હતું કે એનસીસીમાં રાઇફલ શુટીંગમાં તેઓ ડીસ્ટ્રીક્ટ ફર્સ્ટ રહ્યા હતાં. સ્વરક્ષણ માટે 32 બોરની ગન પણ ધરાવે છે, રમત-ગમત, વોટર સ્પોર્ટસ, ટ્રેકીંગ, સમુદ્ર પ્રવાસ અને અનેક કેમ્પમાં તેમણે ભાગ લીધો છે. પેરા જમ્પીંગ પણ જાણે છે અને દરેક પ્રકારનું ડ્રાઇવીંગ પણ કરી શકે છે. જો બોર્ડર પર જવાની જરૂર પડે તો આવી જગ્યાઓ તેઓ સંપૂર્ણપણે સંભાળી શકે છે અને શારીરીક રીતે પણ સંપૂર્ણ ફીટ છે. જરૂર પડે તો મેડીકલ સર્ટીફીકેટ પણ રજુ કરશે.
 
શહિદ થઇ જાઉ તો પરિવાર રાતિપાઇ નહિં માંગે

તેમણે સીએમને લખ્યુ હતું કે હું મારા પોતાના ખર્ચે અને જોખમે આ સેવા આપવા તૈયાર છુ અને શહીદ થાવ તો પણ મારી તૈયારી છે અને મારો પરિવાર શહીદ થાવ તો મારો એક માસનો પગાર પણ રાષ્ટ્રને અર્પણ કરી દેશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને જાણ કરી રાષ્ટ્ર હિતમાં પોતાનો ઉપયોગ કરે તેવી તેમણે અપીલ કરી છે.

હોમગાર્ડમાં 23 વર્ષ માનદ સેવા આપી છે

ઇન્ચાર્જ આરએફઓ વી.એમ. ડવે પત્રમાં જણાવ્યુ હતું કે તેમણે વન વિભાગ દ્વારા અવાર નવાર અપાતી તાલીમ તો લીધી છે. સાથે સાથે હોમગાર્ડમાં પણ 23 વર્ષ સુધી માનદ સેવા આપી છે. અગ્નીશામકદળની પણ તાલીમ લીધેલી છે. યુધ્ધની સ્થિતીમાં તેમના આ અનુભવનો ઉપયોગ કરવા તેમણે જણાવ્યુ છે.

ભારત સરકારને સેવા લેવા ભલામણ કરો

તેમણે મુખ્યમંત્રીને પત્રમાં એમ પણ જણાવ્યુ છે કે મારી શહીદી રાષ્ટ્રસેવામાં કામ આવતી હોય તો હુ તે માટે સમર્પીત છું. આ સેવાનો લાભ લેવા ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને ભલામણ કરવામાં આવે.

ગીરમાં વસતા સિંહોની સંભાળ માટે એક સિંહે સરેરાશ બે કર્મી

DivyaBhaskar News Network | Sep 15, 2016, 03:35 AM IST

ગીર,ગીરનાર અને બૃહદગીરમાં થઇ એક હજારથી વધુ કર્મીઓ સિંહોની સુરક્ષા માટે ફરજ બજાવતા હોવા છતા 523 વનરાજોની સાર-સંભાળ અને સુરક્ષાને કારણે સિંહો કમોતે મરી રહયા છે. ત્યારે જૂનાગઢ ગીર પશ્ચિમનાં ડીસીએફનાં આશ્ચર્યજનક નિવેદન લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

દુનીયાભરમાં એશીયન સિંહનાં અંતીમ નિવાસ તરીકે જાણીતા ગીરમાં સિંહો તથા અન્ય વન્યપ્રાણીઓની રક્ષણ માટે વનવિભાગ દ્વારા વનમિત્રો, ગાર્ડ, ફોરેસ્ટર, રેન્જર, એસીએફ, ડીસીએફ, સીસીએફ, ટ્રેકરો, મજુરો અને વનમિત્રો સહિતનાં અંદાજીત એક હજારથી વધુ કર્મીઓ ગીર પશ્ચિમ, ગીર પુર્વ, ગીરનાર, ગીર સોમનાથ અને અમરેલી ડીવીઝનમાં ફરજ બજાવી રહયા છે. વનકર્મીઓને વન અને વન્યપ્રાણીઓની સાર-સંભાળ અને સુરક્ષાની જવાબદારી હોય છે. જેમાં ગત સિંહ ગણતરી મુજબ 523 સિંહોની પણ મહત્વની જવાબદારીની પણ ફરજ છે. છતા પણ વનકર્મીઓની ઘોર બેદરકારી તથા ઉચ્ચઅધિકારીઓના માનીતા હોવાનાં કારણે ફરજમાં બેદરકારનાં કારણે સિંહો કમોતે મોતને ભેટી રહયા છે. જેમાં ત્રણ દિવસ પહેલા વિસાવદરનાં રાજપરાનાં જંગલ વિસ્તારમાં સારવારનાં અભાવે બે સિંહણોનાં કમોત થયા થોડા દિવસો પહેલા તાલાલાનાં સાંગ્રોદ્રા નજીક ઇલેકટ્રીક શોર્ટનાં કારણે સિંહણનું મોત થયું જેનાં આરોપી હજુ ઓળખાયા નથી. છતા પણ ઉચ્ચઅધિકારીઓ દ્વારા આવા કિસ્સાઓમાં જવાબદારોને છાવરવામાં આવી રહયા છે. જો એકવાર દાખલારૂપ કામગીરી કરવામાં આવે તો સિંહોનાં કમોતમાં ચોક્કસ ઘટાડો આવે તેમ છે.

ગીર પશ્ચિમ ડીવીઝન હેઠળ કુલ નવ રેન્જ અને 35 રાઉન્ડ અને 97 બીટસમાં કુલ દોઢસોથી વધારે વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. ગીર પુર્વ ડીવીઝન હેઠળ સાત રેન્જ, 27 રાઉન્ડ અને 61 બીટસમાં કુલ દોઢસો જેટલા વનકર્મીઓ છે. જયારે સાાસણ ડીવીઝન હેઠળ ત્રણ રેંજ 16 ફોરેસ્ટર, અને 20 ગાર્ડ, મજુરો ટ્રેકરો થઇ 100 થી વધુકર્મીઓ ફરજ પર છે. જયારે ગીર-સોમનાથ અને અમરેલી ડીવીઝનમાં પણ કુલ 200 થી વધુ વનકર્મીઓ ફરજ બજાવી રહયા છે. જયારે ગીરની બોર્ડર પરનાં ગામડાઓમાં સ્થાનિક વ્યક્તિને વનમિત્ર તરીકે ભરતી કરી સિંહો તથા વન અને વન્યપ્રાણીઓની રક્ષણની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

છતાં પણ સિંહો કમોતે મરી રહયા છે. તે શરમ જનક ઘટના કહેવાય સરકાર દ્વારા વન અને વન્યપ્રાણીઓનાં તેમાં ખાસ કરીને સિંહોનાં સરક્ષણ માટે કેટલા સાધનો, ઉપકરણો પણ વનકર્મીઓને ફાળવવામં આવ્યો હોવા છતા સિંહોની સુરક્ષા અને સાંભળવામાં કેટલાક છીંડાઓ ઉડીને આંખે વળગી રહયા છે.

વનકર્મીઓની નજર બહાર સિંહો કેમ ?

મોટાભાગેપોતાની બીટમાં રહેતા સિંહો વિશે વનકર્મીઓ માહિતગાર હોય છે. પોતાના વિસ્તારનાં સિંહો એક -બે દિવસ દેખાય તો તુંરત તપાસ કરે તો ખ્યાલ આવે કે અન્ય વિસ્તારમાં ગયા છે કે કેમ તથા આસપાસનાં ગ્રામજનો ખેડુતો પણ સિંહો વિશે માહિતી આપતા હોય છે પરંતુ સ્ટાફને પોતાના વિસ્તારમાં ફેરણુ કરવું ચોક્કસ જરૂરી હોય છે.

1 હજારથી વધુ કર્મીઓ છતા 523 સિંહોની સંભાળ લઇ શકાતી નથી

રાજુલાના વડ ગામે બે સાવજોએ બે ગાયનું મારણ કર્યું, રાત્રે બજારમાં લટાર મારી

રાજુલાના વડ ગામે બે સાવજોએ બે ગાયનું મારણ કર્યું, રાત્રે બજારમાં લટાર મારી,  amreli news in gujarati Bhaskar News, Amreli | Sep 14, 2016, 00:03 AM IST

રાજુલા:રાજુલા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો અવાર નવાર મારણ માટે જે તે ગામમાં ઘુસી આવે છે. આવી જ એક ઘટનામાં રાજુલા તાબાના વડ ગામમાં ગઇરાત્રે એક સાથે બે સાવજો શીકારની શોધમાં આવી ચડયા હતા અને પાંચ પશુઓ પર હુમલો કર્યો હતો. જે પૈકી બે ગાયને સાવજોએ મારી નાખી હતી.
 
બે સાવજો શીકારની શોધમાં આવી ચડયા હતા

જે વિસ્તારમાં સાવજોનો વસવાટ છે તે વિસ્તારના ગામોના લોકોને કાયમ ફફડતા રહેવુ પડે છે. કારણ કે રાત પડતા જ અવાર નવાર સાવજો શિકારની શોધમાં ગામમાં પણ આવી ચડે છે અને રસ્તે રખડતા રેઢીયાર ઢોરનું મારણ પણ કરેલ છે. રાજુલા તાલુકાના વડ ગામમાં દસેક વાગ્યાના સુમારે જ એક સાથે બે સાવજો ઘુસી આવ્યા હતાં. આ સાવજોએ ધડાધડ ગામમાં રખડતા પશુઓ પર હુમલો કરી દીધો હતો. જોતજોતામાં સાવજે પાંચ પશુને લોહી લુહાણ કરી દીધા હતાં.
 
લોકોએ જાણ કરતા પશુ ડોક્ટર પણ વડ ગામે દોડી આવ્યા

ઘટનાને લીધે ગામ લોકો ફફડી ઉઠ્યા હતાં. સાવજોએ પાંચ પૈકી બે ગાયને મારી નાખી હતી જ્યારે ત્રણ ગાય ઘાયલ થઇ ગઇ હતી. ગામ લોકોએ જાણ કરતા પશુ ડોક્ટર પણ વડ ગામે દોડી આવ્યા હતાં.

લીલીયા પંથકમાં અંટાળીયા નજીકથી પકડેલા ઇજાગ્રસ્ત સિંહબાળનું મોત

Bhaskar News, Liliya | Sep 08, 2016, 23:42 PM IST

    લીલીયા પંથકમાં અંટાળીયા નજીકથી પકડેલા ઇજાગ્રસ્ત સિંહબાળનું મોત,  amreli news in gujarati
લીલીયાઃલીલીયા પંથકમાં વસતા સાવજ ગૃપમાંનુ એક સિંહબાળ બે દિવસ પહેલા ઘાયલ અવસ્થામાં મળી આવ્યુ હતું. આ સિંહબાળના પગમાં ઘારૂ પડી ગયાની જાણ થતા વન વિભાગે તેને પાંજરે પુરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું પરંતુ સિંહબાળનું સારવાર દરમીયાન મોત થયુ હતું.
 
સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું

બૃહદ ગીર વિસ્તારમાં આવતા લીલીયામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે. અવાર નવાર કોઇને કોઇ સાવજો ઘાયલ કે બિમાર થતા રહે છે. બે દિવસ પહેલા લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આશરે સાત માસની ઉંમરનું એક સિંહબાળ બિમાર હાલતમાં આટા મારતુ હોવાનું વન વિભાગને બાતમી મળી હતી. જેને પગલે વન વિભાગના સ્ટાફે અહિં દોડી જઇ મહામુસીબતે આ સિંહબાળને પાંજરે પુર્યુ હતું.
 
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં દમ તોડ્યો
 
સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યુ હતું. આ સિંહબાળનું જસાધારના એનિમલ કેર સેન્ટરમાં માત્ર બે જ દિવસની સારવારમાં આજે મોત થયુ હતું. જેના પગલે સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. સ્થાનિક આરએફઓ વિઠ્ઠલાણીએ જણાવ્યુ હતું કે આ સિંહબાળને ઇનફાઇટમાં ઇજા થઇ હતી અને ઇજા વધારે પ્રમાણે હોય તેનું મોત થયુ હતું.

ખાંભામાં ઘેટા બકરામાં ફૂટરોટ નામનો રોગચાળો જોવા મળ્યો

DivyaBhaskar News Network | Sep 08, 2016, 05:35 AM IST
જિલ્લામાં 566 પશુઓને સારવાર આપવામાં આવી

ખાંભાપંથકમા નાના પશુઓ ઘેટા અને બકરામા ફુટરોટ નામનો રોગચાળો જોવા મળતા પશુપાલકોમા ચિંતા જોવા મળી રહી છે. ચોમાસામા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો ફેલાતો હોય પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામા 566 પશુઓને સારવાર આપવામા આવી હતી.

નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું હતુ કે ઘેટા બકરામા ફુટરોટ નામનો રોગચાળો જોવા મળી રહ્યો છે. ભેજવાળા વાતાવરણને કારણે ઘેટા બકરામા જીવાણુથી રોગ થાય છે.

ઘેટા બકરાના પગની ખરી પોચી પડી જાય છે અને તેમા ચીરા પડે છે. બેકટેરિયલ ચેપ લાગે છે જેથી પશુ લંગડાય છે અને તાવ રહે છે. રોગમા પશુપાલકોએ અસરગ્રસ્ત પશુઓને પગે લંગડા થયેલ હોય તો પશુઓને એન્ટીસેપ્ટીક દવાથી પગની સફાઇ રાખવી જરૂરી છે.

બીજા પશુઓમા રોગચાળો ફેલાઇ નહી તે માટે તંદુરસ્ત પશુઓને બિમાર પશુઓ ઘેટા બકરાથી અલગ રાખવા જોઇએ.

ઉપરાંત તેમને સાથે ચરવા લઇ જવા જોઇએ અને પુરતી સારસંભાળ રાખવા જણાવાયું છે. પશુપાલન ખાતા દ્વારા કુલ 524 બકરા અને 42 ઘેટા મળી કુલ 566 પશુઓને સારવાર આપવામા આવી છે.

તાલાલાઃ બામણાસા ગામે ઇનફાઇટમાં ઘાયલ સિંહબાળનું રેસ્કયુ કરાયું

Bhaskar News, Talala | Sep 07, 2016, 01:29 AM IST

    તાલાલાઃ બામણાસા ગામે ઇનફાઇટમાં ઘાયલ સિંહબાળનું રેસ્કયુ કરાયું,  amreli news in gujarati
તાલાલાઃતાલાલા તાલુકાનાં બામણાસા ગામે રેવન્યુ અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા વનપાલ જે.પી.પટાટનાં ધ્યાને અંદાજે દોઢથી બે વર્ષની ઉંમરનું નરસિંહ બાળ ઇજાગ્રસ્ત આવતા સિંહબાળને તાકીદે સારવારની  જરૂરીયાત  જણાતા આંકોલવાડી રેન્જનાં આરએફઓ ડી.જે.અગ્રાવતનાં માર્ગદર્શન હેઠળ રેસ્કયુની કામગીરી હાથ ધરવામાં આવેલ સાસણ એનીમલ કેર સેન્ટરનાં વેટરનરી ડો.સોલંકી અને બામણસા રાઉન્ડ સ્ટાફ અને ટ્રેકર્સએ સિંહબાળનું રેસ્કયુ કરી પાંજરે પુરેલ અન્ય વન્ય પ્રાણી સાથે ઇનફાઇટમાં સિંહ બાળને ઇજા થયેલ હોવાનું જણાતા તાકીદે સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે સારવારમાં મોકલી આપવામાં આવેલ હતું.આમ એક સિંહબાળનો જીવ બચાવ્યો હતો.

બાબાપુરમાં નદીના પટમાં સિંહણ દ્વારા બકરીનું મારણ

DivyaBhaskar News Network | Sep 06, 2016, 04:35 AM IST
સિંહણ આવી ચઢતા ગામલોકોમાં ફફડાટ

અમરેલીતાલુકાના બાબાપુર તથા આસપાસના વિસ્તારમાં હવે સાવજોએ કાયમી ઘર વસાવી લીધુ છે. વિસ્તારમાં અવાર નવાર સાવજો દ્વારા મારણની ઘટના બનતી રહે છે. આવી વધુ એક ઘટનામાં મોડી સાંજે સાતલડી નદીના પટમાં એક સિંહણ અને તેના બે બચ્ચા દ્વારા બકરીનું મારણ કરાતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. બાબાપુરની આસપાસની બાવળની કાંટ સાવજોને રહેણાંક માટે માફક આવી ગઇ છે. સાતલડી નદીના કાંઠેનો બાવળનો કાંટના વિસ્તારમાં અવાર નવાર સાવજો આવી ચડે છે અને મારણ પણ કરતા રહે છે. આજે મોડી સાંજે સાડા છએક વાગ્યાના સુમારે વિસ્તારમાં એક સિંહણ અને તેના બે બચ્ચા આવી ચડયા હતાં. સાતલડી નદીના પટમાં ખીમજીભાઇ ભરવાડની માલીકીની એક બકરી ચરી રહી હતી જેનું સિંહણે મારણ કર્યુ હતું. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે અને લોકોને સતત સીમમાં અવર જવર કરવી પડે છે. રાતવાસો પણ કરવો પડે છે.

અમરેલીમાં પિતપટિત સર્પે દેખાદીધા, ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારમા જોવા મળે છે

Bhaskar News, Amreli | Sep 07, 2016, 00:49 AM IST

    અમરેલીમાં પિતપટિત સર્પે દેખાદીધા, ખાસ કરીને નદીકાંઠાના વિસ્તારમા જોવા મળે છે,  amreli news in gujarati
અમરેલીઃઅમરેલીના હનુમાનપરા વિસ્તારમા પિતપટિત પ્રજાતિના સર્પે દેખાતા આ અંગે અહીના સર્પવિદ્દ જયદીપભાઇ લેઉવાને જાણ કરવામા આવી હતી. તેમના દ્વારા વનવિભાગને જાણ કરી આ સર્પને સલામત રીતે મુકત કરી દેવાયો હતો. જયદીપભાઇએ જણાવ્યું હતુ કે આ સાપ દક્ષિણ તથા ઉતર ગુજરાતમા વધુ જોવા મળે છે. ડાંગર, તમાકુ , ચોખાના ખેતરમા તેમજ નદીકાંઠાના વિસ્તારમા જોવા મળે છે.

બૃહદગિરમાં બોખો સિંહ 14 માસથી ગુમ, સિંહ, સિંહણ અને બચ્ચાઓને શોધવા માંગ ઉઠી

બૃહદગિરમાં બોખો સિંહ 14 માસથી ગુમ, સિંહ, સિંહણ અને બચ્ચાઓને શોધવા માંગ ઉઠી,  amreli news in gujarati Bhaskar News, Lilia | Sep 03, 2016, 00:12 AM IST

  • ફાઇલ ફોટો
લીલીયા:લીલીયા નજીક આવેલ ચાંદગઢ બૃહદગીર શેત્રુજી નદીકાંઠા વિસ્તારમા કાયમી રહેઠાણ બનાવી પાછલા સાતેક વર્ષથી વસવાટ કરી રહેલ બોખો સિંહ અને કાયમી તેમની સાથે જોવા મળતી સિંહણ અને તેના બે બચ્ચા 24મી જુન 2015મા શેત્રુજી નદીમા આવેલ ઘોડાપુર બાદ આ વિસ્તારમા જોવા મળ્યાં નથી ત્યારે તેને શોધવા માંગ ઉઠી છે. મોટી સંખ્યામા અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ચાંદગઢ નજીકથી પસાર થતી શેત્રુજી નદીકાંઠા વિસ્તારમા એક બોખો સિંહ તેમજ એક સિંહણ અને તેના બે બચ્ચા અહી 24મી જુન 2015ના રોજ આવેલ ઘોડાપુર બાદ અહી દેખાયા જ નથી. આટલો સમય વિતી ગયો હોવા છતા હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા તેને શોધવા કોઇ કાર્યવાહી કરવામા આવી નથી.
 
સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓને શોધવામા આવે તેવી માંગ ઉઠી

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24મી જુન 2015મા અહી ઘોડાપુર આવ્યું હતુ. જેમા અનેક સાવજો તણાઇ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. અહી બોખો સિંહ, સિંહણ અને બે બચ્ચા પુરમા તણાયા છે કે કેમ તેના કોઇ પુરાવા હજુ સુધી તંત્રને હાથ લાગ્યા નથી. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામા આવે અને સિંહ, સિંહણ અને તેના બચ્ચાઓને શોધવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.