Wednesday, March 31, 2010

પ્રાણીઓને ગરમીથી રક્ષણ આપવા દૈનિક રપ૦ કિલો બરફનો ઉપયોગ.

જૂનાગઢ, તા.૩૦:

ઉનાળાની શરૃઆતમાં જ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પાણીના છંટકાવ દ્વારા પ્રાણીઓને અપાતી ઠંડકમાં નવતર પ્રયોગના ભાગરૃપે પાણીને વધુ ઠંડુ બનાવવા માટે દરરોજ રપ૦ કિલો બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમજ આ પાણી વાઘ અને રીંછના પાંજરામાં છાંટવામાં આવી રહ્યું છે.

દેશના અગ્રણી પ્રાણીસંગ્રહાલયોમાં સ્થાન ધરાવતા સક્કરબાગ ઝૂમાં દરવર્ષે ઉનાળા દરમિયાન પ્રાણીઓ સહિતના વન્યજીવો માટે ઠંડકની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પરંતુ આ વખતે ઝૂ સત્તાવાળાઓ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ઉનાળામાં બપોરના સમયે પાણી પણ ગરમ થઈ જતું હોવાથી છંટકાવ કરવા છતા ઓછુ અસરકારક રહેતું હતું. માટે પાણીની ટાંકીમાં દરરોજ રપ૦ કિલો જેટલો બરફ નાખીને વધારે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાઘ અને કાળા રીંછના પાંજરામાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે હાલમાં ગરમી ઓછી થઈ હોવાથી બરફ એકકાંતરા ઉમેરવામાં આવે છે.

ઝૂ ડાયરેક્ટર વી.જે.રાણાના કહેવા પ્રમાણે વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહના પાંજરામાં ખાસ ફૂવારા અને પક્ષીઓનાં પાંજરામાં કંતાનો લપેટીને વ્યવસ્થા ઉભી કરાઈ છે. કંતાનો પર દર બે કાલકે પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે. તેમજ વન્યજીવોને ઠંકડ આપવા માટે પાંચ કર્મચારીઓને માત્ર આ કામગીરી જ સોંપવામાં આવી છે. સક્કરબાગ ઝૂના દરેક પ્રાણી, જળચર, પક્ષી અને સરીસૃપો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બ્લડ લાઈન ચેન્જ માટે માદા હિપો, સારસ અને વરૃ લવાયા
જૂનાગઢ તા.ર૯ : સકકરબાગછ ઝુ મા ચાલી રહેલા વન્ય પ્રાણીઓના બ્રિડીંગ સેન્ટર માટે ૧૪ વર્ષની માદા હિપોપોટેમસ તેમજ એક જોડી સારસ પક્ષી અને એક જોડી વરૃને લાવવામાં આવ્યા છે. જૂનાગઢના સકકરબાગ ઝૂ માં આ તમામ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરંતુ બ્લડ લાઈન ચેન્જ કરવા માટે અઠવાડીયા અગાઉ આ નવા જીવો લવાયા છે. જેમાં ૧૪ વર્ષનો માદા હિપો કાનપુર ઝુ તેમજ બે સારસ અને એક વરૃ લખનૌ તથા એક વરૃ જયપુરથી લાવવામાં આવ્યું છે. ઝુ માં ડાયરેકટર રાણાના જણાવ્ય પ્રમાણે બ્રિડીંગમાં જાતોમાં વિવિધતા આવે તેના માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173236

ગિર જંગલમાં પ્રાણીઓની તરસ છીપાવવા માટે દોડાવાતા ટેન્કરો.

રાજકોટ તા.૩૦ :

ગત વર્ષનાં પ્રમાણમાં આ વર્ષે સોરઠમાં થયેલા અપુરતા વરસાદના કારણે જંગલમાં વસતા પ્રાણીઓને પાણીની શોધમાં ભટકવુ ન પડે તે માટે વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારની સળંગ સરહદ ઉપર કુંડ મુકીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાસણના વન અધિકારી અપારનાથીએ આપેલી વિગતો મુજબ, ગિરજંગલની સળંગ સરહદ ઉપર એક થી દોઢ કિ.મી. ના અંતરે આવા ૬૦ જેટલા પાણીના કુંડ મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે વનતંત્ર દ્વારા આવી વ્યવસ્થા ફેબ્રુઆરીથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિકટ સ્થિતિ ધ્યાનમાં લઈ ડિસેમ્બરથી જ આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જંગલ વિસ્તારના બોરદેવીથી રામનાથ વચ્ચે નદીઓના હજુ પાણી છે. પરંતુ જંગલના બાઉન્ડ્રી વિસ્તારમાં ૭ વધુ ગંભીર સ્થિતિ હોય એકાંતરા ટેન્કરો મારફત કુંડમાં પાણી ઠલવવામા આવે છે. વનખાતા દ્વારા બે અલગ અલગ પ્રકારના કુંડ મુકવામાં આવ્યા છે. જેમાં રકાબી આકારના કુંડમાં એક હજાર લીટર પાણી ભરાઈ શકે છે. આ કુંડમાંથી નાના પ્રાણીઓ પાણી પી શકે તેવી વ્યવસ્થા છે. જયારે અવેડા પ્રકારના કુંડમાં ત્રણ હજાર લીટર પાણી સમાઈ શકે છે જેમાં નિલગાય, હરણ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ પાણી પી શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173336

બાળકીને દીપડાએ ફાડી ખાધી.

Tuesday, Mar 30th, 2010, 3:55 am [IST]
Bhaskar News, Amreli

ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં કૂવો ગાળવાની મજૂરી કામ કરતો રાજસ્થાની પરિવાર વાડીનાં ઝૂંપડામાં સૂતો હતો ત્યારે વહેલી સવારે ત્રાટકેલો દીપડો ઝૂંપડામાંથી આઠ વર્ષની બાળકીને ઉપાડીને ભાગી ગયો હતો. જાગી ગયેલા મજૂર પરિવારે શોધખોળ કરતા ૩૦૦ મીટર દૂર આંબાવાડીમાં દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી ભાડ તથા આજુબાજુના ગામોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં વનતંત્રના ઉરચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.

અમરેલી પંથકમાં વધુ એક દીપડો માનવભક્ષી બનીને સામે આવ્યો છે. આ વખતે ખાંભા તાલુકાના ભાડ ગામની સીમમાં બાળકી ભોગ બની છે. રાજસ્થાનનાં ભીલવાગ જિલ્લાનાં આશન તાલુકામાં રહેતો ભવરસિંહ મોરસિંહ ચૌહાણ હાલમાં પોતાનાં પરિવાર સાથે ભાડ ગામના પટેલ મનુભાઇ કેશુભાઇ સોરિઠયાની વાડીમાં રહે છે અને કૂવો ગાળવાની મજૂરી કરે છે.

રાત્રે ઝૂંપડામાં તેનો પરિવાર સૂતો હતો ત્યારે ચોરી છૂપીથી દીપડો અંદર પ્રવેશ્યો હતો. રાત્રે સાડા ત્રણેક વાગ્યાનાં સુમારે દીપડો ભવરસિંહની આઠ વર્ષની પુત્રી લહેરીને ગળામાંથી પકડી નાસ્યો હતો. બાજુમાં સૂતેલી લહેરીની માતા અને નાની બહેન જાગી જતાં અને દીપડો આ બાળાને ઉપાડી ગયાની જાણ થતાં દેકારો બોલી ગયો હતો.

રાત્રે જ બેટરીના પ્રકાશમાં શોધખોળ હાથ ધરાતા આ વાડીથી ૩૦૦ મીટર દૂર આવેલી ઇંગોરાળા ગામના જગાભાઇ દુર્લભજીભાઇ તંતીની વાડીમાંથી બાળાની લાશ મળી આવી હતી. દીપડો આ લાશને ખાતો હતો પરંતુ લોકોને જોઇ નાસી છૂટયો હતો.

શ્વાસ નળી કપાઇ જતાં મોત થયું
પોતાની દીકરીની અર્ધ ખવાયેલી લાશ જોઇ લહેરીના મા-બાપ કાળો કલ્પાંત કરી મૂકયો હતો. બનાવની જાણ થતાં ખાંભાના આરએફઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાગળો કરી બાળાની લાશને પોસ્ટ મોટર્મ માટે ખાંભા દવાખાને ખેસેડી હતી. બાળાનું મોત શ્વાસનળી કપાઇ જવાનાં કારણે થયાનું જાહેર થયું હતું. ધારીના ડીએફઓ મુનિશ્વર રાજા પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં.

નરભક્ષી દીપડાને પકડવા પાંજરું મૂકાયું
ભાડની સીમમાં માનવ લોહી ચાખી ગયેલો દીપડો એ ગમે ત્યારે ગમે તે માણસ પર હુમલો કરે તેવી ભીતિ હોય ભાડ અને આજુબાજુનાં ગામ લોકોમાં ચિંતાનું મોજું વળ્યું છે. ગામ લોકોની માગણી અનુસાર આ દીપડાને પકડવા માટે જંગલખાતા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/30/leopard-kills-child.html

અને દીપડી ચણાઈ ગઇ...!

Wednesday, Mar 31st, 2010, 3:27 am [IST]
Bhaskar News, Junagadh

કોડીનાર તાલુકાનાં કડોદરા ગામે એક રાજકીય આગેવાનનાં નવાબની રહેલા બિલ્ડીંગની ગેલેરીનાં ચણતરમાં એક દિપડી મારણ સાથે ઘુસી ગયા બાદ છેક ૨૫ દિવસે ખ્યાલ આવતા વનવિભાગે સ્લેબમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

અત્યંત રસપ્રદ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કોડીનારનાં રાજકીય આગેવાન નટુભાઈ વાળાનું એક બહુમાળી બિલ્ડીંગ કડોદરા ગામે બંધાઈ રહ્યું છે. આ બિલ્ડીંગની ગેલેરીની છતને નળીયાનો આકાર આપવા ખાસ પ્રકારનું ચણતર કામ ૨૫ દિવસ પહેલા ચાલી રહ્યું હતું. એ વખતે રાત્રીના સમયે એક દિપડી મારણ સાથે ત્રણ ફુટ પહોળી અને ૧૫૦ ફુટ લાંબી ગેલેરીમાં ઘુસી ગઈ હતી. સવારનાં સમયે તેના પર સ્લેબ ભરાઈ ગયો હતો.

દરમ્યાન આજરોજ આ ગેલેરીમાં પ્લાસ્ટરની કામગીરી કરતી વખતે અચાનક ચણતર કામની એક ઈટ નીકળી ગયેલી અને અંદરથી વન્ય પ્રાણીનો ઘુરકાંટ કામ કરતા મજુરોને સાંભળવા મળ્યો હતો. આ અંગે નટુભાઈને જાણ કરાયા બાદ તેમણે સાસણનાં ડિસીએફ સંદીપ કુમારને જાણ કરી હતી. આથી તેમણે જામવાળાનાં આરએફઓ એલ.ડી.પરમારને સ્ટાફ સાથે કડોદરા ગામે મોકલાયા હતા. આરએફઓ પરમારે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ દીપડી છેક ત્રીજા માળે ગેલેરીમાં ફસાઈ હોવાનું માલુમ પડયું હતું. આથી તેમણે પાંજરામાં મારણ મુકાવી પાંજરાને સીડી અને સ્લેબ વચ્ચેનાં ભાગમાં લટકાવ્યું હતું. બાદમાં ચણતરમાં કાણુ પાડી દીપડીને બહાર કાઢી હતી.

તેમણે આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, દીપડી સંપૂર્ણ પણે તંદુરસ્ત હાલતમાં મળી આવી છે. નવ વર્ષની આ દીપડી ૨૫ દીવસથી અંદર હોઈ તે કદાચ મારણ સાથે અંદર ઘુસી હોઈ શકે અને સ્લેબમાંથી પડતુ પાણી પી તેણે પોતાનું અસ્તિત્વ ટકાવ્યું હોઈ શકે. બહાર નીકળવા માટે કદાચ તેણે દીવાલ પર પંજૉ માર્યોહોઈ ઈટ નીકળી આવી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/leopard-built-in-a-building.html

સિંહની પ્રથમ વસતિ ગણતરી ૧૯૫૦માં થઈ’તી.

Wednesday, Mar 31st, 2010, 3:12 am [IST]
Jitendra Mandaviya, Talala

ભારતને આઝાદી મળ્યા પૂર્વે ૧૯૩૬માં સિંહોની ગણતરી દરમિયાન ગીર જંગલમાં ૨૮૭ સિંહો વસવાટ કરતા હોવાની નોંધ થઇ હતી. આઝાદી બાદ થયેલી ગણતરીમાં ૨૧૯ સિંહો નોંધાતા સિંહોની સંખ્યામાં ૨૪ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો હતો.

બાદમાં સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં અમલમાં આવેલા વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બાદ સિંહોની સંખ્યા બમણી થઇ હતી. આઝાદી પૂર્વે શિકાર થતો હોવા છતાં જેટલી સંખ્યા હતી તે આઝાદી બાદ ૧૯૬૮માં ઘટી જતાં ૧૯૭૪માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

આઝાદી પહેલા રાજાશાહી અને અંગ્રેજૉનાં શાસન દરમિયાન ગીર જંગલમાં સિંહોનાં શિકાર થતા રહેતા હોવાથી સિંહોની સંખ્યા ઘટે એ સ્વાભાવિક છે. પરંતુ ૧૯૬૩માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં થોડો વધારો થયો હતો. પણ ૧૯૬૮માં હાથ ધરાયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૨૯ ટકાનો ઘટાડો થવા સાથે ૭૩ સિંહો ઓછા થયા હતા.

છ વર્ષ બાદ ૧૯૭૪માં થયેલી ગણતરીમાં સિંહોની સંખ્યામાં માત્ર દોઢ ટકા એટલે માત્ર ત્રણ સિંહોનો વધારો થતા સફાળી જાગેલી કેન્દ્ર સરકારે સિંહોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે ૧૯૭૪માં વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એકટ બનાવી અમલમાં મુકતા ૧૯૭૪ થી ૨૦૦૫ સુધીમાં સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષ નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ.

આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યામાં દર પાંચ વર્ષે નોંધપાત્ર વધારો થવા સાથે ગીર જંગલમાં સિંહોની સંખ્યા બમણી થઇ ગઇ. આઝાદી પહેલા થયેલી ગણતરીમાં જે સિંહોની સંખ્યા હતી તે આઝાદી બાદ થયેલી ગણતરીમાં ઘટાડો નોંધાયો તેનાથી વધુ ઘટાડો ૧૯૬૮માં સિંહોનો ઘટાડો જૉવા મળ્યો હતો. આથી કેન્દ્ર સરકારે સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવવા ૧૯૭૪માં કાયદો અમલમાં મુકયો. ગીર જંગલ તથા અભ્યારણ્યમાં સિંહો સાથે વસવાટ કરતાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન વધારવા સાથે સંરક્ષણ પુરૂં પડાતા સિંહોની સંખ્યામાં ક્રમશ: વધારો થતો ગયો. વન વિભાગે શિકારીઓ દ્વારા થતાં શિકાર પર રોક તેમજ ખેડૂતો દ્વારા શેઢે બંધાતા ફેન્સીંગ વાયર દૂર કરવા કાર્યવાહી હાથ ધરતાં સિંહોનાં મોતનાં બનાવો ઓછા થવા લાગ્યા હતા. તેના ફલ સ્વરૂપે દર પાંચ વર્ષે સતત વધારો થવા સાથે ૨૦૦૫માં થયેલી છેલ્લી ગણતરીમાં સિંહોની સંખ્યા બમણી એટલે ૩૫૯ની થઇ ગઇ. ત્યારે આગામી એપ્રિલ માસમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યા ૪૦૦થી વધુ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/lion-census.html

ચંદનનાં લાકડાં ચોરતી ટોળકી ઝડપાઈ.

Wednesday, Mar 31st, 2010, 3:08 am [IST]
Bhaskar News, Junagadh

ગીરનાર અભયારણ્ય વિસ્તારમાં દાતારનાં ડુંગરમાં જંગલમાંથી ચંદનનું લાકડુ કાપી જતી ટોળકીને વનવિભાગે ઝડપી લીધી છે.

ગીરનાર અભયારણ્યમાં આવતી દક્ષિણ ડુંગર રેન્જનાં જંગલમાં ખોડીયાર વિસ્તારમાંથી આજે વનવિભાગે ચંદનનાં લાકડાં કાપીને લઈ જતી ટોળકીને ઝડપી લીધી હતી. ડી.એફ.ઓ. અનિતા કર્ણ અને એ.સી.એફ. પી.એસ. બાબરીયાએ પેટ્રોલીંગ દરમ્યાન થેલામાં લાકડાં ભરીને જતી ૪ મહિલાઓ સહિત પાંચ વ્યકિતઓનું ચેકીંગ કરતાં તેઓ પાસેથી રૂ.૮ હજારની કિંમતનું ૮ કિલો ચંદનનું લાકડું મળી આવતા તમામની અટક કરી હતી.

તેઓ પાસેથી એક મૃત સાબરનું શીંગડું અને એક કુહાડી પણ મળી આવી હતી. પકડાયેલા શખ્સોમાં પેટલાદ તાલુકાનાં શિરવઈ ગામના ભીખા ગોવિંદ પટેલ, કાંતાબેન મથુર, રઈબેન વિનુભાઈ , ઉજમબેન મણિભાઈ અને જશોદાબેન નાથાભાઈનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોએ છેલ્લા દોઢથી બે માસ દરમ્યાન ઉપલા દાતારે જતા યાત્રાળુનાં સ્વાંગમાં આવતા હતા અને ૫૦૦ પગથિયાં ચઢી ત્યાંથી જંગલમાં જઈ ચંદનનાં લાકડાં કાપી જતા હતા.

અત્યાર સુધીમાં આ ટોળકીએ ચંદનનાં ૧૫ ઝાડ કાપી નાંખ્યાનું પણ વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. વનવિભાગની કાર્યવાહી દરમ્યાન અમુક શખ્સો નાસી છૂટયા હતા. જૉ કે, આ વાતને મોડે સુધી આફએફઓ દીપક પડંયાએ સમર્થન આપ્યું ન હોતું. પકડાયેલા શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/31/sandalwood-thieves-arrested.html

Thursday, March 25, 2010

સિંહ દર્શન કરવા રાજયપાલ સાસણમાં.

Thursday, Mar 25th, 2010, 2:28 am [IST]
\danik bhaskar
Bhaskar News, Talala

ગુજરાતનાં રાજયપાલ સિંહ દર્શન કરવા માટે આવતીકાલે તા.૨૫નાં રાજયપાલ સાસણ પધારશે. તેઓ હેલીકોપ્ટર મારફત કેશોદ આવ્યા બાદ કાર રસ્તે સાસણ આવી સિંહસદનમાં રાત્રી રોકાણ કરશે. રાજયપાલની આ મૂલાકાતને લઇ વનતંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.

ગુજરાતનાં રાજયપાલ ડૉ. કમલા બિનીવાલનો તા.૨૫નાં સિંહદર્શન કરવાનો કાર્યક્રમ નક્કી થયો છે. આ અંગે ગીર નેશનલ પાર્ક અને ગીર પિશ્ચમનાં ડીએફઓ સંદીપકુમારે જણાવ્યું હતું કે, આવતીકાલે સાંજે ૫ વાગ્યે મીઠાપુર એરસ્ટ્રીપ ખાતે રાજયપાલ પધારશે. ત્યાંથી હેલીકોપ્ટર મારફત કેશોદ એરપોર્ટ આવી પહોંચશે. ત્યાંથી કાર મારફત સાત વાગ્યે સાસણ પહોંચશે. બાદમાં સિંહસદન ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

૨૬ તારીખે સવારે રાજયપાલને ગીર જંગલમાં સિંહ દર્શન બાદ રાજયપાલનો કાફલો ૧૧ વાગ્યે કેશોદ પરત જવા રવાના થશે. રાજયપાલની સાસણ મુલાકાતને અનુલક્ષીને સિંહ દર્શન કરાવવા માટે ડી.એફ.ઓ. સંદીપ કુમારની રાહબરી હેઠળ વનતંત્રના સ્ટાફે તમામ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે. રાજયપાલની સાસણ મુલાકાત દરમ્યાન સિંહ દર્શન થઈ શકે તે માટે વનતંત્ર દ્વારા સિંહોના લોકેશનની તજવીજ હાથ ધરાઈ રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/25/100325022856_governor_to_watch_lions.html

ગીરમાં સિંહ સિંહણ કરતાં બચ્ચા વધારે.

Wednesday, Mar 10th, 2010, 4:16 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ. રાજક�
ગીરના જંગલમાં સિંહ સિંહણ કરતા બચ્ચાની વસ્તી વધારે છે. ૩૧/૧૨/૦૯ની સ્થિતિએ ગીર અભયારણ્યમાં ૬૮ નર, ૧૦૦ માદા અને ૧૨૩ બચ્ચા હોવાનું પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતું.

તેમજ સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સિંહ સંરક્ષણ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે માટે બજેટમાં રૂ. ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

સિંહોના જતન માટે બૃહદગીરની યોજના અમલમાં મૂકીને મહેકમમાં નોંધપાત્ર વધારો કરી જતન કરવામાં આવી રહ્યું છે. વન અને વન્ય પ્રાણીના રક્ષણનેસુર્દઢ બનાવવા માટે ફોરેસ્ટર તથા વીરવાગાર્ડને મોટર સાઇકલની ફાળવણી સહિત અધ્યતન સાધનોથી સુસજજ કરવામાં આવ્યા છે. અને જરૂùરી વાહનો ઉપરાંત અધ્યતન સાધનો ફાળવવામાં આવ્યા છે.

ગીર વિસ્તાર ફરતે આવેલા ખેતરોમાં ગેરકાયદેસર વિધ્યુત કેિન્સંગ અંગે વીજ વિભાગ સાથે સંકલન કરી રક્ષણ માટે પગલાં લેવામાં લેવામાં આવી રહ્યાં છે. ગીર જંગલ વિસ્તારમાં ૬ કિ.મી. વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આવેલ ખુલ્લા કૂવાને પેરાપેર વોલ્વ બનાવી સુરક્ષિત કરવામાં આવે છે. ૧૩,૫૫૪ કૂવાઓને સુરક્ષિત દીવાલથી સુરક્ષિત કરાયા છે.

બે વર્ષમાં ૭૨ સિંહનાં મૃત્યુ
છેલ્લાં બે વર્ષમાં અકસ્માતે તેમજ શિકારની ઘટનાઓ અને કુદરતી રીતે ૭૨ સિંહના મૃત્યુ થયા હોવાનું જણાવાયું હતું. વન્ય પ્રાણી અકસ્માત નિવારવા વાહનોની ગતિ ૨૦ કિ.મી. અને ગતિ અવરોધક પણ બનાવવામાં આવ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/10/100310041621_348149.html

સિંહની હત્યામાં ત્રણની ધરપકડ.

Wednesday, Mar 24th, 2010, 12:19 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગઇકાલે બિલખા નજીક સ્વબચાવમાં જંગલનાં રાજાનું ઢીમ ઢાળી દેનારા ત્રણ શકસોની વન વિભાગે ધરપકડ કરી ત્રણ કુહાડી કબજે કરી છે. આ ત્રણેય શખ્સોને આવતીકાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આજે મૃત સિંહની સક્કરબાગ ઝૂ ખાતે અંતિમવિધી કરવામાં આવી હોવાનું વન વિભાગે જણાવ્યું હતું.

બિલખા તાબેનાં ચોરવાડી ગામ પાસે ઉપસરપંચ, ફોરેસ્ટ સહિત સાત લોકોને ઘાયલ કર્યા બાદ જૂનાગઢનાં મુસ્લિમ આધેડ મહમદખાંએ ભાઈ અને ભત્રીજાને સિંહથી બચાવવા જૉરદાર ચીસ પાડી હતી. જેનાથી સિંહ તેના પર આવ્યો હતો તેણે સ્વબચાવમાં કુહાડીનો ઘા ઝીંકી સિંહની હત્યા કરી હતી. આ બનાવમાં વન વિભાગે આજે મહમદખાં, અબ્દુલખાં અને સલીમ હબીબની ધરપકડ કરી હતી. અને સિંહની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ત્રણ કુહાડી પણ કબજે કરવામાં આવી હતી.
સ્પેશ્યલ ડયુટી ફોરેસ્ટર કનેરીયાએ કહ્યું કે, ૨૪ કલાકની મુદ્દત પૂર્ણ થયા બાદ આવતીકાલે આ ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તેમજ આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.

આજે સક્કરબાગ ઝૂ ખાતે પેનલ ડોકટર મારફત મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું. બાદમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ચોક્કસ જગ્યાએ મૃતક સિંહની અંતિમવિધી કરવામાં આવી હતી. એટલે કે વનરાજનાં મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો.

આજે ફોરેન્સિક લેબોરેટરીમાં વિશેરા મોકલાશે
કનેરીયાએ જણાવ્યું હતું કે, ‘‘મૃત સિંહનાં વિશેરા આવતીકાલે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવામાં આવશે.’’

ઘટના સ્થળ પર અન્ય શખ્સોની હાજરીની શંકા
આર.એફ.ઓ. દિપક પંડયાએ જણાવ્યું હતું કે, ‘‘સિંહની હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે અંગેની તપાસ ચાલુ છે. તેમજ ઘટના સ્થળે આ ત્રણ શખ્સો સિવાય અન્ય શખ્સોની હાજરી હોવાની પણ અમને શંકા છે.’’
Source: http://www.divyabhaskar.co.in/2010/03/24/100324001936_three_arrested_for_lion_hunting.html

મેં બૂમ પાડી એ સાથે...

Tuesday, Mar 23rd, 2010, 2:51 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

બિલખા નજીક એક મજૂરની કૂહાડીથી સિંહનું મૃત્યુ થવાની ઘટનાએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ગીર અને સોરઠ પંથકમાં સાવજૉ અને મનુષ્યો સહઅસ્તિત્વ માણતા રહ્યાં છે. સ્થાનિક લોકો સાવજને પ્રેમ કરે છે. વારે તહેવારે સાવજૉ દ્વારા માનવીઓ ઉપર હુમલા થવાની ઘટના થતી હોવા છતાં માણસોએ સિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો એવું ભાગ્યે જ બને છે. આ ઘટનામાં પણ સિંહે હુમલો કરતા શ્રમિકે સ્વક્ષણમાં વિંઝેલી કૂહાડીથી સાવજનું મૃત્યુ થયું હતું. એ ઘટનામાં ઘવાયેલા મહમદખાએ વર્ણવેલો ઘટનાક્રમ રૂવાડા ઊભા કરે દે તેવો છે.

સ્વબચાવમાં ડાલામથ્થાને ઢેર કરી દીધો
મહંમદખાંએ હોસ્પિટલનાં બિછાનેથી જણાવ્યું હતું કે, સિંહે પહેલા મારા ભાણેજ અને ભાઈ તરફ આવતો જૉઈ મેં તેમને ચેતવવા રાડ પાડી. જૉ કે, એ વખતે બંને પર સિંહનો પંજૉ પડી ચૂકયો હતો. બાદમાં મારી રાડ સાંભળી સિંહ મારા પર ઘસી આવ્યો. મેં મારી જાતને બચાવવા કુહાડી વીંઝી. જૉ કે, એ વખતે મને એવી ખબર ન હોતી કે તેના અહીં જ રામ રમી જશે.

શિકારની કલમ લાગશે
અધિકારીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનીયમ ૧૯૭૨ની કલમ ૯ મુજબ ગુનો નોંધાયો છે. આ કલમ હેઠળ વધુમાં વધુ છ વર્ષ સુધીની કેદની સજા અને રૂ.૨૫ હજાર સુધીનાં દંડની જૉગવાઈ છે. જૉ કે, સ્વ બચાવમાં સિંહનું મોત થયું હોય કેસ કેવો વળાંક લેશે તેના પર સજાનો આધાર રહેશે.

૮ સિંહોની અવર જવર
ચોરવાડીનાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આશરે આઠેક સિંહોનાં ગૃપની અવર જવર રહે જ છે. આ અંગેની વનતંત્રને જાણ હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું.

એકલો ડાલામથો ટોળું જૉતા વિફર્યો હતો
ઉત્તર ડુંગર રેન્જનાં આર.એફ.ઓ.દીપક પંડયા કહે છે, ‘સિંહ એક જ હતો. અને લોકોનું ટોળું થઈ જતાં તે વિફર્યો. માત્ર દોઢ કલાકના સમય ગાળામાં એક થી દોઢ કલાકનાં સમય ગાળામાં એકથી દોઢ કિમી વિસ્તારમાં તેણે હુમલાઓ કર્યા. જેમાં વનકર્મી ઉપર હુમલાનું અને જયાં તે મરાયો એ સ્થળ વરચે માત્ર ૫૦૦ મીટરનું જ અંતર છે.’ અત્રે નોંધનીય છે કે, ફોરેસ્ટ ગાર્ડ ઘરસંડાએ સિંહણ હોવાનું જયારે ઉપસરપંચે સિંહ હોવાનું જણાવ્યું હતું.
source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323025129_attacker_narrates_his_story.html

મારણ હોય કે માર્ગ, વનરાજને ખલેલ પસંદ નથી

Tuesday, Mar 23rd, 2010, 2:41 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગીરનારનાં જંગલમાંથી નીકળી આવતા સિંહોએ છેલ્લાં ચારેક વર્ષોમાં જૂનાગઢથી ભેંસાણ તરફનાં ગ્રામ્ય વિસ્તારોમાં માનવી ઉપર હુમલો કર્યા છે.
આજે બિલખા તરફનાં વિસ્તારો સપાટામાં આવ્યા. મોટાભાગનાં બનાવો રાત્રે રેવન્યું વિસ્તારોમાં મારણ કર્યા બાદ જંગલમાં પરત જતી વખતે મોડું થાય અને માર્ગમાં માનવીનો ભેટો થાય એ વખતે બન્યાં છે. આજનો બનાવ પણ એ જ રીતે બન્યાનું વન વિભાગનું કહેવું છે. ખાસ કરીને સિંહ-દીપડાની ખાસિયતથી અજાણ વ્યકિતનો તેની સાથે ભેટો થાય ત્યારે આવા બનાવો વધુ બનતા હોય છે. આ અંગે એસીએફ પી.એસ.બાબરીયાએ જણાવ્યું હતું કે, ‘ચોરવાડીનાં બનાવમાં સિંહ રાત્રિનાં સમયે જંગલની બહાર નીકળી આવ્યો હતો.

મારણ કર્યા બાદ તેને જંગલમાં પરત જતાં મોડુ થયું. દિવસ ચઢયા બાદ સીમ વિસ્તારોમાં પણ લોકો ખેતરમાં કામ કરતા હોય. વળી આ લોકો એ બાબતે અજાણ હોય છે કે સિંહ જૉવા મળે તો ટોળામાં ભેગા ન થવાય કે ખોટા દેકારા ન કરાય. કમનસીબે તેઓ એવું જ કરે છે. પરિણામે સિંહ ભડકી ઉઠે છે. તેમાંયે તેને પરત જવાનાં માર્ગ ઉપર કોઈનો ભેટો થાય એટલે તે અચુકપણે માનવીને ઈજા પહોંચાડી બેસે છે.’

જયારે અમુક વનકર્મીઓ નામ ન આપવાની શરતે કહે છે, ‘ચોરવાડીનાં બનાવમાં મારણ કરતા સિંહને જૉવા ગામલોકો તો ઠીક હાઈવે પરથી પસાર થતા ખાનગી વાહન ચાલકો પણ ઉભા રહી ગયા. હજારેક લોકોએ હાકોટા પાડયા. કોઈ કે કાંકરીચાળો કર્યો.

તો અમુક જડસુ લોકોએ તેની પાછળ પોર વ્હીલર દોડાવી હોર્ન વગાડી ભોજન વખતે વિક્ષેપ પાડયો. આ લોકોની સજા નિર્દોષ લોકોને મળી. બાકી સિંહ એટલો શાંતિપ્રિય હોય છે કે, તે ચાલ્યો જતો હોય અને માર્ગમાંથી તમે હટી જાવ તો તમારી સામે નજર સુદ્ધાં ન કરે. ભોજન વખતે વિક્ષેપ માનવી સહન ન કરી શકે તો આતો જંગલનો રાજા છે.’ આવી રીતે જંગલ અને માનવ વસાહતોમાં બનાવો બની જાય છે.

તો વનકર્મીઓ જંગલમાં જ ન જઈ શકે

જંગલમાં રાત-દિવસ ફરજ બજાવતા વનકર્મીઓનો રોજેરોજ સિંહ દીપડાં જેવા પ્રાણીઓ સાથે ભેટો થાય છે. માલધારીઓ પણ ભેંસો ચરાવવા રોજ જંગલમાં જાય છે.’ જૉ આ પ્રાણીઓ માણસમાત્રને જૉઈને હુમલો કરતા હોય તો કોઈ જંગલમાં પ્રવેશી જ ન ખતાં હોત’ એમ પણ વનવિભાગનાં સુત્રોનું કહેવું છે.
source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323024100_lion_does_not_likes_interference.html

સાત લોકો પર હુમલા બાદ સિંહની હત્યા.

Tuesday, Mar 23rd, 2010, 3:54 am [IST]
danik bhaskar
Bhaskar News, Junagadh

ગીરનારનાં જંગલમાંથી નીકળી આવેલા સિંહો સવારનાં સમયે જૂનાગઢ તાલુકાનાં બીલખા પાસેનાં સીમ વિસ્તારોમાં ખેતરમાં લોકોની હાજરી જૉઈને ભડકયા હતા. બાદમાં એક પછી એક ૪ લોકો ઉપર જુદા જુદા સ્થળોએ હુમલા કર્યા હતા. જે પૈકી એક વાડીમાં લાકડા કાપતા ૩ મજુરો ઉપર હુમલો કરતાં મંજુરોએ સ્વબચાવમાં કુહાડી ઝીંકી દીધી હતી. જે એક સિંહ માટે જીવલેણ નીવડી હતી. આ બનાવોમાં ઘાયલ થયેલા કુલ ૪ લોકોને જૂનાગઢ સીવીલ હોસ્પિટલે ખસેડાયા છે. વનવિભાગે સ્વબચાવમાં સિંહને કુહાડી ઝીંકવા બદલ ૩ શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં બીલખા નજીક ચોરવાડી, નવાગામ અને માંડણપરા ગામની સીમમાં ગીરનારનાં જંગલમાંથી રાત્રે શિકારની શોધમાં નીકળી આવેલા સિંહોએ કાળો કેર વર્તાવી દીધો હતો. સવારે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં ચોરવાડીનાં ઉપસરપંચ મહેશભાઈ સોંડાભાઈ બલદાણિયા (ઉ.વ.૩૦) પોતાની વાડીએથી એક વ્યકિત સાથે ઘર તરફ આવી રહ્યાં હતા. ત્યારે અચાનક જ એક ડાલામથ્થો રસ્તામાં ટપકી પડયો હતો. સિંહે પરબારો જ મહેશભાઈનો જમણો પગ પીંડીમાંથી પકડયો. મહેશભાઈ અને તેનાં મિત્રએ હાકોટો પાડતાં તે નાસી છુટયો.

બીજા બનાવમાં ફોરેસ્ટગાર્ડ પરબતભાઈ ઘરસંડા (ઉ.વ.૫૦)ને રામનાથ રાઉન્ડનાં કે.એલ.દવે, પંડયાભાઈ, અપારનાથીભાઈ, વગેરે સાથે ચોરવાડીનાં પાટિયા પાસે સિંહ જૉવા મળ્યા હોઈ તેને જંગલ તરફ દોરી જવાનો આદેશ મળતાં તેઓ ત્યાં દોડી ગયા. પરબતભાઈ, કે.એલ. દવે ચોરવાડી સીમ તરફ ગયા. દરમ્યાન નવાગામનાં ચંદુભાઈ ગોબરભાઈ ચોવટીયા (ઉ.વ.૪૫) તેમની સાથે થઈ ગયા. તેઓ સિંહને શોધેએ પહેલાં સિંહે તેઓને શોધી લીધા. પાંચથી આઠ વર્ષની સિંહણે ચંદુભાઈને પીઠ પાછળ પંજૉ માર્યોઉધા મોંએ જમીન પર પટકાયેલા ચંદુભાઈની પુંઠ ઉપર બચકું ભર્યુ. ત્યાર પછી તે ચંદુભાઈનાં શરીર પર બેસી ગઈ.

ફોરસ્ટગાર્ડ પરબતભાઈ અને કે.એલ. દવેએ તેને હાંકવાની કોશીષ કરતાં સિંહણે પરબતભાઈ ઉપર તરાપ મારી તેનું ગળું પકડવા કોશીષ કરી. સમય સુચકતા વાપરી તેમણે પોતાનો જમણો હાથઆડો ધરી દીધો. સાથોસાથ તેઓ પણ જમીન ઉપર પટકાયા. જૉ કે તેમણે ડાબા હાથે સિંહણનું માથું પકડી તેને જૉરથી ધક્કો મારતાં સિંહણે તેમનાં ડાબા પડખે પંજૉ મારી બાદમાં રસ્તો ક્રોસ કરી માંડણપરાની સીમ તરફ નાસી ગઈ.સીમમાં બનેલા આ બનાવોને પગલે ત્રણેય ગામોમાં દેકારો બોલી ગયો.

વાડીઓમાં કામ કરતા લોકોએ જયાં જયાં સિંહોને જૉયા ત્યાં ત્યાં હાકોરા પાડતાં સિંહો ભડકયા. ત્રીજા બનાવમાં બપોરે ૧૧:૪૫ વાગ્યાના અરસામાં ચોરવાડી બસ સ્ટેન્ડે પાણીનું પરબ ચલાવતા ગોપાલભાઈ વાલાભાઈ મોર (ઉ.વ.૭૨)ને સિંહોની સીમમાં હાજરીનાં સમાચારો મળતા તેઓ પાસે જ વિનુભાઈ નામનાં ખેડૂતને તેમનાં બળદોને બચાવવા જાણ કરવા અને વનવિભાગને જાણ કરવા એ તરફ ચાલ્યા. પરંતુ રસ્તામાં જ તેમને સિંહ ભેટી ગયો. સિંહે અચાનક જ પંજૉ મારી પછાડી દીધા અને પુંઠમાં બચકું ભરી બાદમાં નાસી છુટ્યો હતો.

ચોથો વારો બપોરે બાર વાગ્યાના અરસામાં ડામરરોડથી ૧૦૦ મીટર દૂર પરસોત્તમભાઈની વાડીમાં ઝાડી ઝાંખરા અને ઝાડ કાપવાનું કામ કરતા છ મજુરોનો આવી ગયો. સિંહે દોડતા આવી સીધા જ સલીમ હબીબ ઠયમ (ઉ.વ.૩૨) અને અબ્દુલખાં કરીમખાં પઠાણ (ઉ.વ.૪૫)ઉપર તરાપ મારી પંજૉ મારી પછાડી દીધા. એ જ વખતે અબ્દુલખાંના ભાઈ મહેનદખાં (ઉ.વ.૪૦)એ તેમને ચેતવવા બુમ પાડી. સિંહ એ બંનેને પડતા મુકી મહંમદખા ઉપર ઘસી આવ્યો અને તેના કપાળ ઉપર પંજૉ માર્યો. બીજૉ ઘા કરવા જાય એ પહેલાં મહંમદખાંએ પોતાના હાથમાંની કુહાડી આડી ધરી દીધી. જે સિંહ માટે જીવલેણ નીવડી. સિંહ ત્યાં જ ઢળી પડયો.

* સિંહ-દીપડાના હુમલામાં ૨૨ વ્યકિત ઘાયલ: બે બાળકોનાં મોત
* ગોંડલ પાસે બે સિંહ આવ્યાની ચર્ચા
* ગીરમાં સિંહ સિંહણ કરતાં બચ્ચા વધારે
બીજી બાજુ તડકામાં કપાળેથી લોહીની ધાર થતાં મહંમદખાં પણ ચક્કરખાઈ જમીન ઉપર પટકાયો. આ બનાવોમાં ધવાયેલા લોકોને એક પછી એક જૂનાગઢ સિવીલ હોસ્પિટલે ખસેડાયા. બનાવોની જાણ થતાં એ.સી.એફ.પીએસ બાબરીયા, આર.એફ.ઓ. દીપક પંડયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો. અને સિંહનાં મૃતદેહનું પંચનામું કરી તેનું ઘટના સ્થળે જ પી.એમ કરાયા બાદ સલીમ, અબ્દુલખાં અને મહંમદખાં (રે.ત્રણેય, ધારાગઢ દરવાજા પાસે, જૂનાગઢ) સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/23/100323001021_lion_killed_by_man_as_lion_attacked.html

હૂમલો કરતા સ્વબચાવમાં ખેડૂતોએ સિંહની હત્યા કરી.

Monday, Mar 22nd, 2010, 10:31 pm [IST]
danik bhaskar
Devasi Barad

જૂનાગઢ જિલ્લાના બિલખા તાલુકાના ચોરવાડી ગામે સિંહે ખેડૂતો ઉપર હૂંમલો કરતા સ્વબચાવમાં પુખ્યવયના સિંહનું મોત થયું છે. આજે સવારે ગુસ્સે ભરાયેલા સિંહે ચોરવડી ગામે ખેતરમાં કામ કરી રહેલા ગામમાં ઉપ સરપંચ મહેશભાઇ બલદાણીયા ઉપર હુમલો કર્યો હતો.

મહેશભાઇ ઉપર હૂંમલો થતા તેના બચાવમાં ચોરવાડી ગામ આખું ભેગુ થઇ ગયું હતું અને સિંહને ત્યાંથી ખચેડવાનો પ્રય‚ કર્યો હતો. જો કે મોટા ટોળાને જોઇ સિંહ વધારે ગુસ્સે ભરાયો હતો અને બીજા બે ખેડૂત ઉપર હુંમલો કર્યો હતો.

આ સમયે સ્વબચાવમાં ખેડૂતે પોતાની પાસે રહેલી કુહાડી સામે ધરતા સિંહના ગળાના ભાગે ઇજા થઇ હતા. ગળામાં ઉપર ઉપરી ત્રણ ભાગ વાગતા સિંહનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાદમાં વન વિભાગે ઘાયલ ખેડૂતોની ધડપકડ કરી છે. આ ત્રણે ખેડૂત અત્યારે હોસ્પીટલમાં છે.


(તમામ તસવીરો-મેહુલ ચોટલિયા)
source: http://www.divyabhaskar.co.in/2010/03/22/100322142833_attack_of_lions.html

મૃત સિંહના ગુમ થયેલા બે નખમાંથી એક નખ મળ્યો.

Monday, Mar 22nd, 2010, 2:24 am [IST]

danik bhaskarBhaskar News, Una

ઉના નજીક બાબરીયા રેન્જ વિસ્તારનાં જંગલમાંથી ગઇકાલે અત્યંત કોહવાયેલી હાલતમાં મળી આવેલા નર સિંહનું સ્થળ પર જ પી.એમ. કરાયું હતું. આ વૃદ્ધ સિંહનું બિમારીને કારણે મોત થયાનું તારણ બહાર આવ્યું છે. મૃત સિંહનાં ગુમ થયેલા બે નખ પૈકી એક નખ મળી આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
બાબરીયા રેન્જનાં જાખીયા રાઉન્ડમાં મરછુન્દ્રી ડેમ નજીકથી ગઇકાલે એક નર સિંહનો અત્યંત કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આર. એફ. ઓ. વાધેલાએ આ અંગેની વિગત આપતાં જણાવ્યું હતું કે, મૃત સિંહની ઉમર ૧૪ વર્ષની હતી. બિમારીને કારણે આ વૃદ્ધ સિંહ મોતને ભેટયો હોવાનું તારણ નીકળ્યું છે.

સક્કરબાગ ઝુનાં વેટરનરી તબીબ ડો. ભુવા દ્વારા મૃત સિંહનું સ્થળ પર જ પી.એમ. કરાયું હતું. ત્યારબાદ મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થયેલા બે નળ પૈકી એક નખ મળી આવ્યો છે. સિંહ વયોવૃદ્ધ હોવાથી કદાચ એક નખ અગાઉથી જ ધરાઇ જવાને નીકળી ગયો હોઇ શકે. છતાં બીજા નખને શોધવા પ્રયત્નો કરાઇ રહ્યા છે.

બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું જ નથી?
આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણત્રીનો પ્રારંભ થનાર હોઇ વનખાતા દ્વારા સિંહનું લોકેશન મેળવવા પેટ્રોલિંગ કરવું પડતું હોય છે. પરંતુ વનખાતા દ્વારા બાબરીયા રેન્જમાં પેટ્રોલિંગ થતું નહીં હોય કે સિંહનો મૃતદેહ ૧૦ દિવસ સુધી રઝળતો રહ્યો એવો સવાલ સંબંધિતોમાં ચર્ચાઇ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/22/100322022442_dead_lion_in_gir_forest_nail_found_babaria_range.html

તળાજા નજીક શેત્રુંજી કાંઠામાં હાહાકાર મચાવતા વનરાજા

Thursday, Mar 25th, 2010, 2:03 am [IST]

danik bhaskarBhaskar News, Talaja

રોયલ ગામની સીમમાં ત્રાટકી સાવજે બે બકરા અને એક ગાયનું મારણ કરી નાંદવાની વાડીમાં વાછરડાનું ભક્ષણ કર્યું

તળાજા નજીક શેત્રુંજી કાંઠાનાં ગામોમાં હાહાકાર મચાવતા વનરાજાએ ગત મોડી રાત્રી બાદ રોયલ ગામની સીમ વાડીઓમાં ત્રાટકીને બે પાલતુ બકરી અને એક રેઢીયાળ ગાયનું મારણ કરી નાંદવાની વાડીમાં એક વાછરડીનું મારણ કરી ભક્ષણ કરતા વન વિભાગ સક્રિય થઇ ગયેલ છે.

મંગળવારની વહેલી સવાર દાત્રડ ગામનાં ધીરૂભાઇ પ્રેમજીભાઇ પંડ્યાની વાડીમાં આરામ ફરમાવ્યા બાદ મોડી સાંજે હબુકવડ ગામની સીમ વાડીઓમાં ગામનાં વેલજીભાઇએ બે સિંહોને જોયા હતા. જે વનરાજા મોડીરાત્રિ બાદ હબુકવડ વટીને રોયલ ગામની સીમમાં આવેલ માધવજી છગનભાઇ ભટ્ટની વાડીમાં બેસારેલ બીજલભાઇ હમીરભાઇ રાઠોડનાં બકરા-ધેટાનાં ઝોકમાં ત્રાટકી બે બકરાને ઝપટે લઇ મારી નાંખ્યા હતા. આ સમયે હોહા થતાં લોકો જાગી જતાં શિકારી નાસી છૂટેલ.

તેમજ રોયલની સીમમાં ભીખાભાઇ ખરડની વાડીમાં ફરતી એક રેઢીયાળ ગાયનું પણ થાયો મારીને મારણ કર્યું હતું. આ બનાવોની જાણ રોયલનાં સરપંચ મુકેશભાઇ બેચરભાઇ ગાંગાણીએ તળાજા વન વિભાગને કરતા આરએફઓ આર.યુ. જોષીની સુચનાથી વન રક્ષક એસ.પી. વાળાએ બે સિંહોનાં સગડ મેળવી રોયલ હબુકવડનાં રસ્તે તપાસ કરતા કાગબાઇની ધાર પાછળ ચુનીભાઇ કેશવજીભાઇ નાંદવાની વાડીમાંઅકે વાછરડાનું મારણ અને ભક્ષણ કરી ક્ષુધા તૃપ્ત કરી હોવાનું જાણવા મળતા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/25/100325020301_fear_of_lion_at_sentruji.html

પાંચ સિંહે યુવાનોના જાપ્તા વચ્ચેથી ૪ ગાયોને ઉઠાવી.

અમરેલી,તા.ર૦ :

અમરેલી નજીકના ચાંદગઢ ગામના પાદરમાંથી ગઈરાતે પાંચ સિંહોના ટોળાએ ત્રણ ગાયોને ખેંચી જઈ ખાઈ ગયા હતા જયારે એકને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. અમરેલીથી ૧ર કિ.મી. દૂર આવેલા ચાંદગઢ ગામના પાદરમાં ગ્રામજનોની ૧૦૦ જેટલી ગાયોનું કુંડાળુ કરી તેનું લોકો રક્ષણ કરી સુતા હતા ત્યારે રાતના સમયે પાંચ જેટલા સિંહો આવી ચડયા હતા અને ગાયોના કુંડાળામાંથી ચાર ગાયોને ખંચી લીધી ગાયોના રક્ષણ માટે સુતેલા
યુવાનોએ હાંકાલ પડકારા કરી સિંહના મુખમાંથી એક ગાય છોડાવી હતી. પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. જયારે ત્રણ ગાયોનું સિંહોએ ગામના પાદરમાં જ મારણ કરી મિજબાની ઉઠાવી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=170235

દીપડાનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો.

અમરેલી તા.ર૦ :

ધારીના પાદરમાંથી પાંચ દિવસ પહેલાં મૃત્યુ પામેલા પુખ્તવયના એક દિપડાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. દિપડાનું મૃત્યુ ઈનફાઈટના કારણે થયાનું વનવિભાગનું અનુમાન છે.

ધારીના પાદરમાં આવેલા ખોખરા મહાદેવ મંદિરના પાછળના ભાગના રેવન્યુ વિસ્તારમાંથી ગઈ સાંજના જાહેર જનતાની બાતમીના આધરે વનવિભાગે એક પુખ્તવયના દિપડાનો મૃતદેહ કબ્જે કર્યો હતો.

સ્થળ પરથી મળી આવેલ દીપડાનું સ્થળ પર જ પી.એમ. કરવું પડતુ હતુ. કારણ કે તેનું મોત ચાર-પાંચ દિવસ પહેલા જ થઈ ચુકયુ હોવાથી તે કોહવાઈ ગયો હતો. આખા શરીરમાં જીવાત પડી ગઈ હતી અને દુર્ગધ મારતો હતો.પી.એમ.બાદ તેના શરીર જમણા પડખામાં ગંભીર ઈજાઓ જણાઈ આવતા તેનું મૃત્યુ ઈનફાઈટ લડાઈના કારણે થયાનું વનવિભાગનું અનુમાન છે. તેમ છતાં તેના વિસેરા જુનાગઢ ખાતે પરીક્ષણ માટે મોકલાવાયા છે. પીએમ બાદ તેનું સ્થળ પર જ અગ્નિદાહ આપી દેવાયો છે.નવાઈની વાત એ છે કે જે સ્થળેથી દિપડાનો મૃતદેહ મળી આવ્યો તે સ્થળથી ધારી વનવિભાગની કચેરી માત્ર પાંચ કિ.મી. દુર આવેલી છે તેમ છતાં ચાર-પાંચ દિવસથી મૃત હાલતમાં પડેલ દીપડાની જાણ વનવિભાગને થઈ શકી ન હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=170236

સિંહની હત્યા કરનાર ત્રણ મજુરોના ૧ દિ’નાં રિમાન્ડ.

જૂનાગઢ,તા.૨૪

સોમવારે સવારે માંડણપરા ગામની સીમમાં સિંહને મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ મજુરોની ધરપકડ બાદ વન વિભાગે એક દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી છે.વનવિભાગના જણાવ્યા પ્રમાણે હત્યામાં કુહાડી સિવાય અન્ય કોઈ હથિયાર વપરાયુ છે કે કેમ તેમજ અન્ય શખ્સોની સંડોવણી છે કે નહી તે દિશામાં તપાસ માટે રિમાન્ડ મેળવાયા છે. સિંહના હુમાલા બાદ મહમદ કરીમ પઠાણે જ કુહાડીના બે પ્રહારો સિંહ પર કર્યા હોવાનું પણ રિમાન્ડ દરમિયાન બહાર આવ્યુ છે. ત્રણે મજુરો અને સિંહ વચ્ચે આશરે સાતેક મિનિટ જેટલા સમય માટે ઝપાઝપી થઈ હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે. દરમ્યાનમાં બિલખાના સામાજીક કાર્યકરોએ મુખ્ય મંત્રી સમક્ષ પત્ર પાઠવીને રજુઆત કરતા જણાવ્યુ છે કે, ગત તા.ર૧ ની રાત્રે બિલખાની ખાણમાં સિંહે મારણ કર્યુ હોવા વિશે તેમજ આખી રાત સિંહ બિલખાની સીમમાં હોવાની વનવિભાગને જાણ હોવા છતા આ દિશામાં કોઈ પગલા ન લેવાતા સમગ્ર બનાવ બન્યો છે. ત્યારે જવાબદારો સામે કડક પગલા લેવાની માગણી તેઓએ કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=171556

Thursday, March 18, 2010

આ મગર ભાગ્યે જ જોવા મળે છે.

Wednesday, Dec 2nd, 2009, 4:18 pm [IST]
Agency

વિશ્વમાં ભાગ્યેજ જોવા મળતા સફેદ રંગના મગરનું એક બચ્ચું લુઈસિઆનાના દરિયાકાંઠામાં જોવા મળ્યું હતું. લુઈસિઆનાના એક માછીમારે તેને જોયા બાદ તુરત જ તેને અન્ય સ્થળે લઈ ગયો હતો. આ પ્રકારના મગરને લેઈસિસમ પ્રજાતિના મગર કહેવામાં આવે છે.

આ પ્રકારના મગરો માત્ર હવે અડુબોન ઝૂમાં જ જોવા મળે છે. આ બાળકને પણ તેમની સાથે આ ઝૂમાં મોકલવામાં આવ્યું છે. આ સાથે સફેદ મગરની સંખ્યા 10 થઈ છે. તેનું નામ કેનલ આઈગોટર રાખવામાં આવ્યું છે. માછીમારે જણાવ્યું હતું કે આ સફેદ મગરનું બચ્ચું પણ એ જ સ્થળેથી મળી આવ્યું હતું. જ્યાંથી 1987માં અન્ય 18 સફેદ મગર મળી આવ્યા હતા. જેમાંથી હાલ 10 જ બચ્યા છે.


Source: http://www.divyabhaskar.co.in/2009/12/02/091202161805_white_gators.html

કોડીનાર પંથકમાં ખેતરમાંથી મગર મળી.

Monday, Mar 15th, 2010, 2:46 am [IST]
Bhaskar News, Kodinar

જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં સિંહ, દિપડા, જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવર-જવર સામાન્ય બની છે. ત્યારે હવે જળચર પ્રાણીઓ પણ ગામની સીમમાં દેખાવા લાગ્યા છે. કોડીનાર તાલુકાનાં નવાગામની સીમમાં એક ખેતરમાંથી સાડા ચાર ફુટ લાંબી મગર મળી આવતા આ મગરને નિહાળવા લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. વન વિભાગે ઘટના સ્થળે દોડી જઇ મગરને પાંજરે પુરી હતી.

આ અંગેનીમળતી વિગત મુજબ કોડીનાર તાલુકાનાં નવાગામની સીમમાં ભગતભાઇ રાજાભાઇ પરમારનાં ખેતરમાં મહિલાઓ ખેતીકામ કરી રહી હતી ત્યારે એક મગર જૉવા મળતા ગભરાઇ ગઇ હતી. તાત્કાલીક તેમણે વાડી માલીક ભગતભાઇને જાણ કરતા તેમણે વનવિભાગને જાણ કરી હતી.

જામવાળા રેન્જનાં ફોરેસ્ટ ઓફિસર આર.એમ.સીડા, પ્રકતિ નેચર કલબનાં પ્રમુખ દિનેશભાઇ ગોસ્વામી, જીતેશભાઇ ગોહિલ સહિતની ટીમ નવાગામ ખાતે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ મગરને પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. આ મગર ચાર થી પાંચ ફુટ લાંબી હતી. જળચર પ્રાણી મગરને નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/15/100315024635_crcolile_recovered.html

ચકલીઓ બચાવવા શાળા મેદાને.

Thursday, Mar 18th, 2010, 2:20 am [IST]
Milap Ramprasadi, Junagadhi

હાલ બદલાતા જતા વાતાવરણનાં કારણે ચકલીઓ અને અન્ય પક્ષીઓ ઓછા જૉવા મળી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં ચકલીઓ માટેના માળા ઉપલબ્ધ કરાવી સંરક્ષણ આપવા પ્રયાસો થઈ રહ્યાં છે.

જેના અનુસંધાને જૂનાગઢનાં ટીંબાવાડીમાં આવેલી એક શાળા ખાતે આગામી ૨૦ માર્ચના પ્રથમ વિશ્વ ચકલી દિવસ ઉજવાશે. આ કાર્યક્રમ નિમીતે પક્ષીઓના ખોરાક અને માળાના સ્થાનની જાણકારી બાબતના વ્યાખ્યાન અને ચર્ચા સભાનું આયોજન કરાયું છે.ચકલીઓ માટેના માળા ઉપલબ્ધ કરાવી ચકલીઓને સંરક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટી અને જૂનાગઢ કરૂણા ઈન્ટરનેશનલ કેન્દ્ર અને અન્ય પર્યાવરણીય સંસ્થાઓ દ્વારા આગામી ૨૦ માર્ચના પ્રથમ વિશ્વ ચકલી દિવસ ઉજવાશે. ચકલી દિવસ નિમીતે ટીંબાવાડી પ્રમુખનગર ખાતે આવેલા કષ્ણ વિધામંદિરમાં વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં પક્ષીઘર બનાવવાની કાર્યશાળા, પક્ષી મિત્રોનું સંગ્રહ, પક્ષી સીડીનું નિદર્શન, પક્ષીના માળા માટેની જરૂરિયાત પર વાર્તાલાપ તેના ખોરાક પર જાણકારી અને માહિતી પક્ષીની અગત્યતા અને પક્ષી આપણાં મિત્રો પર નિબંધ સ્પર્ધા, પક્ષી અને પર્યાવરણ પર ચર્ચા સ્પર્ધા, પક્ષી પરના ગીતો સંગ્રહ અને પક્ષી ઓળખ માટે પ્રકતિ ભ્રમણ સહિતનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે કરૂણા ઈન્ટરનેશનલના રમેશભાઈ પંડયાનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે, ચકલીઓ માટે સંરક્ષણ માટે માળાઓની સગવડ આપવીએ આપણા માનવીય અભિગમનું ઘાતક છે અને આપણો પ્રાકતિક વારસો છે. તેમજ જીવદયા સાથે ઉપકારક કામ છે. જેથી પક્ષીઘર બનાવવાના વર્કશોપ અને પક્ષીઓના ઘર ,ખોરાકની જાણકારી અંગેના વ્યાખ્યાન ચર્ચા સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મનુષ્યની મિત્ર ચકલીઓને બચાવીયે
- ચકલીઓ મનુષ્યની મિત્ર ગણાઈ છે. આ પક્ષી પોતાનો માળો પણ મનુષ્ય વસાહતોની નજીક જ બાંધે છે.
- વિજ્ઞાનિઓનું માનવું છે કે આ ચકલી જન્મ પછી પંદર દિવસ સુધી ફકત જીવ
-જંતુનો ખોરાક લે છે અને ગ્લોબલ વોર્મિગને કારણે તેનો આ ખોરાક છીનવાઈ ગયો છે, જેથી તેનું મૃત્યુ થાય છે.
- અભ્યાસમાં એવું જણાયું છે કે ચકલી સતત ૧૩ વર્ષ સુધી જીવે છે.
- ચકલીઓનો મુખ્ય ખોરાક મનુષ્યો દ્વારા અપાતું અનાજ છે.- ચકલીઓ જંગલમાં કયારેય જૉવા મળતી નથી, બલ્કે મનુષ્ય વસાહતની આસપાસ જ જૉવાં મળે છે.
- ઈગ્લેન્ડના યોર્કશાયરમાં ૧૯૭૭માં ૨૧૦૦ ફૂટ જમીન નીચે કોલસાની ખાણમાં ચકલીઓ જૉવા મળી હતી.
- ૨૦૦ વર્ષ પહેલાં પૃથ્વી પર ચકલીઓનું અસ્તિત્વ નોહતું. જૉકે ત્યાર બાદ ૧.૫૦ લાખ ચકલીઓ હોવાનું નોંધાયું હતું.
- ફરી એક વખત ભારતીય ચકલીઓની જાતિ નષ્ઠ થઈ રહી હોવાનો ભય વ્યકત થઈ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/18/100318022052_school_comes_forward_to_save_sparrows.html

‘તમે સિંહ આપો, હું તમને વાઘ આપીશ’.

Wednesday, Feb 17th, 2010, 7:00 pm [IST]

Agency, New Delhi
પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ડાંગમાં અભયારણ્ય સ્થાપવા મુખ્યમંત્રી મોદીને કરેલું સૂચન

ગીરના સિંહ મઘ્યપ્રદેશને સોંપવા સામે ગુજરાતના જોરદાર વિરોધને પગલે કેન્દ્રએ ગુજરાતને એશિયન લાયનના બદલામાં ડાંગમાં ફરી વાઘનું અભયારણ્ય ઊભું કરવા માટેની ઓફર કરી છે.

પર્યાવરણ મંત્રી જયરામ રમેશે મંગળવારે કહ્યું હતું કે તેમણે ગુજરાતના ડાંગ ક્ષેત્રમાં વાઘ માટે ફરીથી અભયારણ્ય રચવા માટે ઓફર કરી છે, જ્યાં ૨૫ વર્ષ પહેલાં વાઘ મોટી સંખ્યામાં હતા. ભારતમાં વન્યજીવો માટેના કાયદા પરની હેન્ડબુકના વિમોચન કાર્યક્રમ જયરામે કહ્યું કે ‘મેં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૂચન કર્યું છે કે રાજ્યના સિંહને ખસેડવાના ઈન્સેન્ટીવ સ્વરૂપે નેશનલ ટાઈગર કોન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) ડાંગમાં વાઘનું અભયારણ્ય તૈયાર કરવા માટે કામ કરશે.’

જોકે જયરામ રમેશે મઘ્યપ્રદેશમાં સિંહની સુરક્ષા અંગેની ગુજરાતના મુખ્યમંત્રીની દલીલનો યોગ્ય જવાબ તેઓ આપી શકે તેમ નથી. ગુજરાતે ગીરના સિંહને મઘ્યપ્રદેશ ખસેડવાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ સિંહ અભયારણ્ય ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે.

ગુજરાતનો માલધારી સમાજ તેના જીવના જોખમે પણ સિંહની રક્ષા કરવા માટે જાણીતો છે. કેન્દ્રએ ગુજરાતના સિંહ મઘ્યપ્રદેશના શિવપુર જિલ્લાના કુનોપાલપુર ખાતે ખસેડવાની દરખાસ્ત કરી છે અને હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગીરના સિંહના શિકાર બાદ તેને અન્યત્ર ખસેડવા માટેનો વિવાદ ચાલી રહ્યો છે. મઘ્યપ્રદેશ સરકાર પોતાના ત્યાં સિંહ લેવા તૈયાર છે પણ ગુજરાત તેનો વિરોધ કરી રહ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/17/100217000550_offer_of_tiger_sanctuary.html

સિંહ-વાઘના શિકારીને દસ વર્ષની કેદ,એક કરોડનો દંડ.

Wednesday, Feb 24th, 2010, 3:22 am [IST]

Gautam Purohit, Gandhinagar
વન્યપ્રાણીના શિકારીને આકરી સજા માટે કાયદો ઘડાશે

છેલ્લાં ૨૫ વર્ષમાં ૨૬૦૦ જેટલા વાઘનો શિકાર થયો છે, અભયારણ્યોમાં શિકાર અટકાવવા કાયદાઓમાં ધરખમ ફેરફારોની તૈયારી, ગાંધીનગરમાં નેશનલ વાઇલ્ડ લાઇફના ૨૨ ફિલ્ડ ઓફિસરોનું ચિંતન

ભારતમાં શિકારી ગેંગ દ્વારા જુદા જુદા ૩૯ જેટલા વાઘના રક્ષિત અભયારણ્યોમાં કરવામાં આવતા શિકારના ગુનાઓ અટકાવવા કેન્દ્ર સરકાર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એકટના શિડ્યુલ વનમાં ધરખમ ફેરફાર કરીને વાઘ અને સિંહની હત્યાના ગુનામાં સજાની જોગવાઈ પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ સુધી કરવા જઈ રહી છે. એટલું જ નહીં દંડની જોગવાઈ પણ એક કરોડ સુધીની વધારવાનું વિચારી રહી છે.

ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે હાલ ‘નેશનલ વાઇલ્ડ લાઇફ : ક્રાઇમ મેનેજમેન્ટ એન્ડ પ્રિવેન્શન’ વિષય પર રાષ્ટ્રીય શિબિર યોજવામાં આવી છે. જેમાં રણથંભોર, જિમ કોર્બેટ પાર્ક, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મઘ્યપ્રદેશ, સુંદરવન, સિમીવિયાલ જેવા અભયારણ્યોમાં વાઘના રક્ષણ માટે ફરજ બજાવી રહેલા વન વિભાગના ૨૨ ફિલ્ડ ઓફિસરો ઉપરાંત નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ના વરિષ્ઠ અધિકારીઓ વન્યપ્રાણીઓ વિશે બંધબારણે ચિંતન કરી રહ્યા છે.

નેશનલ વાઇલ્ડ લાઇફના ફિલ્ડ ઓફિસરોના જણાવ્યા મુજબ, વાઘ અને સિંહનો વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટના શિડ્યુલ-૧માં સમાવેશ થાય છે. આ વન્યજીવોની શિકારની ઘટનાઓ રોકવા કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલય કેદની સજાની જોગવાઈ હાલની પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ સુધી કરવા માગે છે. ઉપરાંત ફરીથી કોઈ વન્યપ્રાણીના શિકારની હિંમત ન કરે તેટલી હદે દંડની જોગવાઈ પણ વધારવામાં આવશે. આ માટે એક કરોડ સુધીના દંડની ભલામણ છે. સંસદમાં આ અંગેનો કાયદા સુધારો મંજૂર કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૯૮૪માં ૪૦૦૫ વાઘ હતા પરંતુ શિકારની વધતી જતી ઘટનાઓના કારણે હાલમાં માત્ર ૧૪૧૧ જેટલા વાઘ બચ્યા છે. આમ ૨૫ વર્ષમાં ૨૬૦૦ જેટલા વાઘનો શિકાર થઈ ચૂક્યો છે. જો કે ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે, છતાં ત્રણ વર્ષ પહેલાં બનેલી શિકારની ઘટનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સાવધાની રાખી રહી છે.

સિંહ અને વાઘની કિંમત બે કરોડ !

વનવિભાગના તપાસકર્તા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ડ્રગ્સની હેરાફેરી પછી બીજા ક્રમે વન્યજીવોના જુદા જુદા અવયવોનો વાર્ષિક વેપાર ૨૦ બિલિયન યુ.એસ. ડોલર જેટલો છે. બીજી તરફ ભારતમાં જો એક વાઘ કે સિંહની હત્યા કરવામાં આવે તો શિકારી ગેંગના માફિયાઓને અંદાજે બે કરોડ જેટલો વકરો થાય છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં હત્યા કરાયેલા વાઘના ગુપ્તાંગનો સૂપ બનાવાય છે, જે જાતીયશક્તિમાં વધારો કરતો હોવાની માન્યતા છે.

ડાંગમાં વાઘના વસવાટ માટે અભ્યાસ

ગુજરાતમાં ૨૦૦૭ના વર્ષમાં આઠ જેટલા સિંહોના શિકારની ઘટના બાદ રાજ્ય સરકારે સિંહોના રક્ષણ માટે ૪૦ કરોડનો એકશન પ્લાન બનાવ્યો છે. વનવિભાગમાં અલગથી રચવામાં આવેલા વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ સેલના ચીફ કન્ઝર્વેટર ડી.કે. શર્માએ જણાવ્યું હતું કે, ગીરના રક્ષિત વિસ્તારમાં સિંહોની સલામતી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં વાઘનું પુન: વસન કરવાની કેન્દ્રની દરખાસ્તના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, દહેરાદુનની વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લે ૧૯૮૫માં ડાંગ જિલ્લાના પૂર્ણા અભયારણ્યમાં વાઘ જોવા મળ્યો હતો. તેથી આ અભયારણ્યમાં વાઘને વસાવી શકાય કે કેમ તે શક્યતા ચકાસવામાં આવી રહી છે.

દાણચોરી માટે નેપાળ સરહદ સંવેદનશીલ

વાઘ અને સિંહનાં હાડકાંમાંથી દવાઓ બનાવવામાં આવે છે. કેટલાક લોકો વાઘ-સિંહના નખ તેમજ દાંતનું પેન્ડલ બનાવી ગળામાં પહેરે છે. આ પ્રાણીઓની ચામડીનો ઉપયોગ જેકેટ, પર્સ, લેધર બેલ્ટ તેમજ અન્ય સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ થાય છે. અમેરિકા અને ચીનમાં વાઘને પાલતુ પ્રાણી તરીકે ફાર્મહાઉસમાં રાખવાની કાયદામાં છૂટ આપવામાં આવેલી છે, તેથી અમેરિકામાં ૪૬૯૨ અને ચીનમાં ૪૦૦૦ કરતાં વધુ વાઘને રાખવામાં આવે છે. ભારતમાં વાઘની હત્યા કર્યા પછી તેના અંગોની દાણચોરી માટે નેપાળ બોર્ડર અને મ્યાનમાર સાથે સંકળાયેલી મોરેહ બોર્ડરનો ઉપયોગ થઇ રહ્યો છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/24/100224031238_hunter_of_lion-tiger.html

ગીરમાં સિંહ સિંહણ કરતાં બચ્ચા વધારે

Wednesday, Mar 10th, 2010, 4:16 am [IST]

ભાસ્કર ન્યૂઝ.

ગીરના જંગલમાં સિંહ સિંહણ કરતા બચ્ચાની વસ્તી વધારે છે. ૩૧/૧૨/૦૯ની સ્થિતિએ ગીર અભયારણ્યમાં ૬૮ નર, ૧૦૦ માદા અને ૧૨૩ બચ્ચા હોવાનું પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતું. તેમજ સિંહોના સંરક્ષણ માટે ગુજરાત સિંહ સંરક્ષણ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે માટે બજેટમાં રૂ. ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.

સિંહોના જતન માટે બૃહદગીરની યોજના અમલમાં મૂકીને મહેકમમાં નોંધપાત્ર વધારો કરી જતન કરવામાં આવી રહ્યું છે. વન અને વન્ય પ્રાણીના રક્ષણનેસુર્દઢ બનાવવા માટે ફોરેસ્ટર તથા વીરવાગાર્ડને મોટર સાઇકલની ફાળવણી સહિત અધ્યતન સાધનોથી સુસજજ કરવામાં આવ્યા છે. અને જરૂùરી વાહનો ઉપરાંત અધ્યતન સાધનો ફાળવવામાં આવ્યા છે.

ગીર વિસ્તાર ફરતે આવેલા ખેતરોમાં ગેરકાયદેસર વિધ્યુત કેિન્સંગ અંગે વીજ વિભાગ સાથે સંકલન કરી રક્ષણ માટે પગલાં લેવામાં લેવામાં આવી રહ્યાં છે. ગીર જંગલ વિસ્તારમાં ૬ કિ.મી. વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આવેલ ખુલ્લા કૂવાને પેરાપેર વોલ્વ બનાવી સુરક્ષિત કરવામાં આવે છે. ૧૩,૫૫૪ કૂવાઓને સુરક્ષિત દીવાલથી સુરક્ષિત કરાયા છે.

બે વર્ષમાં ૭૨ સિંહનાં મૃત્યુ

છેલ્લાં બે વર્ષમાં અકસ્માતે તેમજ શિકારની ઘટનાઓ અને કુદરતી રીતે ૭૨ સિંહના મૃત્યુ થયા હોવાનું જણાવાયું હતું. વન્ય પ્રાણી અકસ્માત નિવારવા વાહનોની ગતિ ૨૦ કિ.મી. અને ગતિ અવરોધક પણ બનાવવામાં આવ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/03/10/100310041621_348149.html

danik bhaskarમોણવેલ અને ધારગણી ગામમાં ચાર પશુનું મારણ કરતા સિંહ.

Thursday, Mar 11th, 2010, 4:19 am [IST]
ભાસ્કર ન્યૂઝ.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો રોજેરોજ માલધારીઓના માલઢોરનું મારણ કરી રહ્યા છે. આજે સાવજોએ મોણવેલ અને ધારગણી ગામમાં ચાર પશુનું મારણ કર્યું હતું. જે પૈકી બળદ અને બકરીને ફાડી ખાધા હતા. જયારે બે ઘેંટાને ઉપાડી ગયા બાદ તેનો કોઇ અતોપતો નથી.

રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા સાવજો પોતાના પેટની આગ ઠારવા દરરોજ કાળો કેર વર્તાવી પશુઓનું મારણ કરી રહ્યા છે અને બીજા શબ્દોમાં જંગલ બાદ હવે રેવન્યુ વિસ્તારમાં પણ પોતાની આણ વર્તાવી રહ્યા છે. ધારી તાલુકામાં ગઇકાલે સાવજો દ્વારા ચાર પશુનું મારણ કરવામાં આવ્યું હતું. મોણવેલની સીમમાં બળદ તથા ધારગણીની સીમમાં બે ઘેટાં અને એક બકરીનું મારણ કરાયું હતું.જંગલ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળતી વગિત મુજબ, ધારીના મોણવેલ ગામની સીમમાં લાખાભાઇ ગોરધનભાઇ દેવીપૂજકનો બળદ સીમમાં બાંધ્યો હતો ત્યારે ધોળા દિવસે ચાર સાવજો તેના પર તૂટી પડ્યા હતા અને તેના રામ રમાડી દીધા હતા. બનાવની જાણ થતાં આર.એફ.ઓ. એ.ડી. અટારા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.અન્ય એક ઘટનામાં ચલાલા તાબાના ધારગણી ગામના મામૈયાભાઇ ભરવાડની ઝોકમાં ગઇ વહેલી સવારે ત્રાટકેલા સિંહોએ એક બકરીને ફાડી ખાધી હતી. જયારે બે ઘેટાંને સાવજો ઉપાડી ગયા હતા. આજુબાજુ શોધખોળ કરવા છતાં ઘેટાંના અવશેષો પણ હાથ નહીં લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.

Source:http://www.divyabhaskar.co.in/2010/03/11/100311041940_351929.html

બે સિંહ ગોંડલ પાસે પહોંચી ગયાની ચર્ચા.

Bhaskar News, Rajkot

ગોંડલ નજીક આવેલા નવાગામની સીમમાં બે સિંહ આવ્યાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે કોઈએ વનવિભાગને જાણમાં કરતા આરએફઓ માદડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે. અને રાની પશુના પગના નિશાનના આધારે ખરેખર સિંહ આવે છે કે કેમ તે અંગેની ખરાઈ કરવાની કોશિશ શરૂ કરવામાં આવી છે.

ગોંડલ નજીક આવેલા નવાગામથી જલારામ બાપાના વીરપુર જવાના રસ્તા પર આવેલા ગાળાવાળા હનુમાનજી મંદિરના પૂજારી બુધવારે મોડીસાંજે મંદિરના પટાંગણમાં હતા ત્યારે બાજુમાંથી બે સિંહ પસાર થયા હોવાનું તેઓને જણાઈ આવતા તાત્કાલિક લાગતા વળગતાઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં વનવિભાગને ઉપરોકત ઘટનાથી વાકેફ કરવામાં આવતા આરએફઓ પણ પોતાની ટીમ સાથે ગારિયા હનુમાન મંદિર પાસે પહોંચી ગયા હતા.

માદડિયાએ જણાવ્યું હતું કે, હનુમાનજી મંદિર આસપાસ જંગલી જનાવરોના ફૂટવર્ક મળ્યા છે પરંતુ સિંહ છે કે અન્ય કોઈ પ્રાણી તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. તેમજ લોકોની અવરજવર પણ આ રસ્તા પર વિશેષ હોય અમુક જગ્યાએથી ફૂટવર્કના નિશાન ભૂંસાઈ ગયા હતા. જૉ કે આમ છતાં કાર્યવાહી ચાલુ છે અને જૉ સિંહ હશે તો પાંજરા મુકવામાં આવશે.

અગાઉ દિવાળીના દિવસોમાં સિંહ પરિવાર આવ્યો હતો

દોઢેક વર્ષ પહેલાં દિવાળીના દિવસોમાં સ્ટેટની વીડીમાં એક સિંહણ અને ત્રણ બચ્ચાંએ ધામા નાખ્યા હતા. આ સમયે સતત ત્રણ દિવસ સુધી વનવિભાગે પાંજરા મૂકીને કાર્યવાહી કરતા સિંહણ અને તેના બચ્ચાં મહામહેનતે પકડાયા હતા.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/18/100318014706_two_lions_entered_in_gondal_terrorterty.html

Thursday, March 11, 2010

આઠ ફૂટ લાંબો ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો.

વેરાવળ તા.૯ :

વેરાવળ નજીક ઇશ્વરીયા, મંડોર, ભેરાળા સહિતનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે તરખાટ મચાવનારા દીપડા પૈકી એક દીપડો ગઇ રાત્રે ૪ કલાકે પાંજરા પૂરાઇ ગયો હતો. આ દીપડો માનવભક્ષી છે કે નહી તે ચકાસવા લેબોરેટરીમાં તપાસાર્થે મોકલાશે.

હજુ પણ સાત જેટલા દીપડા આ વિસ્તારમાં હોવાનંુ ગામલોકો જણાવી વિગત મૂજબ ગઇ રાત્રિના મંડોર ગામથી એક કિમી દૂર આવેલા મેરામણભાઇ રામભાઇ ડોડીયાના શેરડીના વાડમાં દીપડો હોવાનંુ જાણવા મળતા વન વિભાગે ત્યાં ધામા નાખી બકરાનું મારણ મૂકી પાંજરૃ ગોઠવતા સવારે ૪ કલાકે એક્ દીપડો પાંજરામાં પૂરાયો હતો. સાત વર્ષની ઉંમર ધરાવતો તંદુરસ્ત એવા દીપડાની લંબાઇ આઠ ફૂટ તેમ જ ઉંચાઇ અઢી ફૂટ અને ૬૫ થી ૭૦ કિલોગ્રામ વજન છે.

વન વિભાગના કહેવા અનુસાર આ દીપડાને જોતા તે કદાચ માનવભક્ષી હોય તેવા જ લક્ષણો છે છતાં અહિંથી સાસણ લઇ જઇ તેને લેબોરેટરી પરિક્ષણમાં મોકલાશે. જ્યાં આ અંગે ખબર પડશે કે, માનવભક્ષી દીપડો છે કે નહી. ભારે ચબરાક એવા દીપડાએ વન વિભાગને ૨૫ દિવસ સુધી કસરત કરાવ્યા બાદ પકડાયો છે ત્યારે વન વિભાગમાં રાહતની લાગણી જોવા મળી હતી. આ દીપડાને પકડવા માટે જૂનાગઢ ફોરેસ્ટ અધિકારી અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ ગઇ કાલથી જ જૂનાગઢ મદદનીશ વનસંરક્ષક પ્રવિણસિંહ બાબરીયા, વેરાવળ ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ, સાસણગીરના ફોરેસ્ટર મનુભાઇ સોલંકી, ગિરનાર વન વિભાગ સ્ટાફના જી.બી.ચૌહાણ, બી.એમ.ભારાઇ, સાસણ વન વિભાગ સ્ટાફના મહમદ જુમાભાઇ, હનીફ ઇબ્રાહીમભાઇ, વન્ય પ્રાણી પ્રેમી સુનીલકુમાર પરમાર ખડેપગે રહ્યા હતા.

રામશીભાઇ ખેરના જણાવ્યા મૂજબ હજુ પણ સાત આઠ દીપડા આંટાફેરા મારતા હોઈ પકડાયેલો દીપડો જો માનવભક્ષી ન નિકળે તો ઓપરેશન ચાલુ રાખવા માંગ કરી હતી. જૂનાગઢ મદદનીશ વન સંરક્ષક બાબરીયા સંદેશને જણાવ્યું હતું કે, છેલ્લા એક માસથી સતત આ દીપડો પકડવા મહેનત કરતા હતાં. પણ, દીપડો ભારે ચબરાક હોય પાંજરૃ સુંઘીને ચાલ્યો જતો હતો. પકડાયેલો દીપડો માનવભક્ષી હોય તેવુ લાગે છે. અને આ દીપડો માનવભક્ષી નહી હોય તો હજ પણ વન વિભાગ તેનુ ઓપરેશન ચાલુ રાખશે તેવુ જણાવ્યું હતું.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166649

ઇશ્વરિયામાં હિરણ નદી કાંઠે ખૂંખાર દીપડી પાંજરે પૂરાઇ.

વેરાવળ તા.૧૦

વેરાવળ પંથકમાં ખૂંખાર દીપડા-દીપડીનાં ત્રાસ વચ્ચે ગઇ કાલે એક ખૂંખાર દીપડો પકડાયા બાદ આજે ઈશ્વરિયામાં હિરણ નદીનાં કાંઠેથી એક દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડીને પણ જૂનાગઢ સક્કરબાગ ખાતે ખસેડવામાં આવી હતી. અને તેને પણ લેબોરેટરીમાં તપાસાર્થે મોકલવામાં આવશે.ઇશ્વરિયામાં હિરણ નદીનાં કાંઠે બે મહિલાને જ્યાં દીપડીએ ફાડી ખાધી હતી તે જગ્યાથી ૫૦ મીટર દૂર વન વિભાગે પાંજરૃ મૂક્યુ હતું ત્યાં આજે સવારે પાંચ કલાકે સાડા ત્રણ વર્ષની ઉંમરની, સામાન્ય કદની, ચાર ફૂટ લંબાઇ અને બે મીટર ઉંચાઇ ધરાવતી દીપડી પાંજરે પૂરાઇ ગઇ હતી. આ દીપડીને ઇશ્વરીયામાં લઇ જઇ ગામ લોકોને દેખાડવામાં આવી હતી. જેનાં કારણે ગામ લોકોનો ભય ઓછો થયો હતો. વન વિભાગને પણ હાશકારાની લાગણી અનુભવાઇ હતી.

આ દીપડીને પણ જૂનાગઢ સક્કરબાગ ઝુ ખાતે ખસેડવામાં આવી છે. આ દીપડી પણ માનવભક્ષી છે કે નહી તે અંગે તપાસ કરાશે. જેનો રિપોર્ટ ચાર દિવસે આવશે. ગામ લોકોના કહેવા અનુસાર આ દીપડી અને દીપડો પકડાયા બાદ ભય ઓછો થયો છે. પરંતુ માનવભક્ષી છે કે નહી તે જાણવા ન મળે ત્યાં સુધી ભય થોડા ઘણા અંશે રહેશે તો ખરી જ. તેમ જ વનખાતાને ઇશ્વરિયા હનુમાન મંદિર પાસે એક ખેડૂતની વાડીમાં ગઇ કાલે પકડાયો હતો તેવો દીપડો જ જોવા મળ્યો હોવાનું જણાવતા વન વિભાગ દ્વારા ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરૃ મૂકાવવાની વ્યવસ્થા કરાઇ હતી. જિલ્લા ફોરેસ્ટ અધિકારી અનિતા કર્ણના માર્ગદર્શન હેઠળ એસીએફ પ્રવિણસિંહ બાબરીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઘાસિયા, ફોરેસ્ટર નાનજીભાઇ કોઠીવાલ અને તેમનો સ્ટાફ આ દીપડીને પકડવામાં સફળ રહ્યા હતા. ગામ લોકોના કહેવા અનુસાર હજુ પણ બે દીપડા આ વિસ્તારમાં આંટાફેરા કરે છે અને વન વિભાગે પણ તેમણે કહેવા અનુસાર જ સંબધિત જગ્યાઓમાં પાંજરા ગોઠવી દીધા છે.

દીપડાની ઉંમર તેના દાંત પરથી ખબર પડે છે.

વન વિભાગ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યા મુજબ દીપડાની ઉંમર તેના દાંતના કલર અને સાઇજ તેમજ તેના શરીરના કદ પરથી ખબર પડે છે. દાંતનો કલર વધુ પિળાશ ધરાવતો હોય અને એકદમ ધારદાર અને દાંત બહાર નિકળેલા હોય તો આ દીપડો પાંચ વર્ષની ઉપરની ઉંમર ધરાવતો હોય છે તેમજ દાંત સફેદ કલરના અને હજુ વધારે વિકસીત નહોય ત્યારે તે પાંચ વર્ષથી નાની આયુ ધરાવે છે. તે ઉપરાંત જેમ શરીરનું કદ વધારે તેમ તેની ઉંમર અંકવામાં આવે છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166996

ખડિયામાં લોકોને બટકા ભરતો તોફાની વાનર પાંજરે પૂરાયો.

જૂનાગઢ તા.૧૦ :

જૂનાગઢ પાસેના ખડિયા આસપાસ લોકોને બચકા ભરી કેર વર્તાવનાર વાંદરો પાંજરે પુરાયા બાદ સ્થાનિક પશુ-પક્ષી પ્રાણી કલ્યાણ મંડળ સંસ્થાએ તેને સક્કરબાગ ઝુ ખાતે મોકલી આપવા રજુઆત કરતા ઝુ અધિકારીઓએ આ મામલો વન વિભાગના નોર્મલ ડિવિઝન હેઠળ હોવાનું જણાવી કાયદેસર કાર્યવાહી બાદ ઝુ દ્વારા વાંદરાને સ્વીકારી શકાય તેમ જણાવતા તોફાની વાનર પ્રશ્ને સ્થાનિક સંસ્થા અવઢવમાં આવી જવા પામી છે.

વર્ષ ર૦૦૮ દરમિયાન જૂનાગઢ પાસેના ખડીયા ગામ સહિત આજુબાજુના વિસ્તારમાં લોકોને બચકા ભરી તોફાને ચઢેલ લાંબા મોઢાવાળો એક વાનર ઈજાગ્રસ્ત થતા ડુંગરપુરની પશુ-પક્ષી પ્રાણી કલ્યાણ મંડળ સંસ્થામાં તેને સારવાર માટે લવાયો હતો. ત્યારબાદ આ સંસ્થાએ નાયબ વનસંરક્ષક જૂનાગઢ અને સક્કરબાગ ઝુ ને લેખિત રજુઆત કરી આ વાનરને લઈ જવા જણાવેલ પરંતુ દોઢ વર્ષ સુધી આ અંગે કોઈ કાર્યવાહી ન થવા પામતા

વાનર ડુંગરપુર ખાતેની સ્થાનિક સંસ્થામાં જ પાંજરામાં રખાયો હતો.દરમિયાનમાં થોડા દિવસ પહેલા આ વાનરે પાંજરામાંથી છુટી નાસી જઈ ફરીથી લોકોને બચકા ભરવાનું શરૃ કરી પાંચ વ્યકિતઓને કરડી લીધા બાદમાં તેને ફરીથી પાંજરે પુરી સ્થાનિક સંસ્થામાં રાખવામાં આવેલ. જે અંગે સ્થાનિક સંસ્થાના પ્રમુખ આર.જે.અપારનાથીએ વનવિભાગને સકક્રબાગ ઝુ ને રજુઆત કરી વાનરને સોંપવા તજવીજ હાથ ધરી હતી અને તેમની રજુઆતના પગલે વનવિભાગે દીપડો પકડવાના પાંજરા સાથે મજૂરોને મોકલી આપેલ. જેનો સંસ્થાએ વિરોધ કરી રેસ્કયુ ટીમ દ્વારા વાનરને સક્કરબાગ ઝૂ માં લઈ જવામાં આવે તેમ આગ્રહ રાખ્યો હતો. સામા પક્ષે સક્કરબાગ ઝૂ સુપ્રિટેન્ડેન્ટ વી.જે.રાણાએ આ મામલો વનવિભાગની નોર્મલ ડિવીઝન અંતર્ગતનો હોય કાયદેસરની કાર્યવાહી બાદ જ ઝુ દ્વારા વાનરને સ્વીકારી શકાય તેમ જણાવ્યુ હતું.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166998

તાલાળા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવમાં કમોસમી વરસાદ.

રાજકોટ, તા.૧૦ :

તાલાળા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજના સમયે આકાશમાં ચડી આવેલા વાદળોમાંથી હળવું વરસાદી ઝાપટું વરસી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં મોડી રાત્રે વીજળી સાથે ઝરમર વરસાદ શરૃ થયો હોવાનું જાણવા મળેલ છે.તાલાલા પંથકમાં આજે સાંજે સાડા છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે આકોલવાડી, સુરવા,મોરૃકા, જસાપુર અને રસુલપરા ગામમાં વરસાદનું હળવું ઝાપટું પડી ગયું હતું.તાલાલા પંથકમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ઉનાળાની ઋતુંની શરૃઆત થઈ ગઈ હોવા છતા કમોસમી વરસાદી માહોલ જારી રહેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. કેસર કેરીનો પાક તૈયાર થવામાં છે તેવી સ્થિતિ વચ્ચે જ જો વધારે વરસાદ પડે તો કેસરનો કચ્ચરઘાણ નિકળી જવાની ભીતિ પણ ખેડૂતોમાં પ્રસરી ગઈ છે.મોડી રાત્રે મળતા અહેવાલો અનુસાર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના ઝબકારાઓ સાથે ઝરમર વરસાદ શરૃ થતા ખેડૂતોમાં તૈયાર પાકને લઈને ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=167006

Tuesday, March 9, 2010

અમદાવાદમાં રોજના ૨૦ ફણસના ફળ વેચાય છે

ગુજરાત સમાચાર પ્લસ
આના લેખક છે GS NEWS
સોમવાર, 08 માર્ચ 2010

ફણસની ઉપેક્ષા એટલી હદે કરાઈ છે કે હવે બારાખડીમાં પણ ફ ફટાકડાંનો ‘ફ’ એમ ભણાવાય છે

પહેલી ચોપડી ભણતાં હતા ત્યારે કક્કો બારાખડીમાં ‘‘ફ’’ ફણસનો ‘‘ફ’’ શીખવાડવામાં આવતું હતું. શિક્ષક ફણસના ચિત્ર પર આંગળી મૂકીને ફ શબ્દ સમજાવવાની કોશિષ કરે અને બાળકો ફ એટલે ફણસ નામનું ફળ કહેવાય તેમ સમજી પણ જાય. પરંતુ આજના બાળકાને ફણસ ફળ છે કે શાક અને તે કેવું લાગે તેનો ખ્યાલ સુદ્ધાં પણ નથી.તેમના માતા પિતાએ પણ કોઇદિવસ ફણસ જ ચાખ્યું ના હોય ત્યારે બાળકોને કઈ રીતે ખબર પડે.

plus-4.gif ફણસ વિશે ગૃહિણી સુરીલી મહેતા કહે છે કે,આ ફળને જોતાં આકર્ષણ લાગતું નથી.લગભગ એક મણનું એક ફળ ફણસનું હોય છે એટલે સ્વાભાવિકપણે સામાન્ય નાનું કુટુંબ આટલું મોટું ફણસ ખરીદવાનું જોખમ લેતું જ નહીં.જો કે ફણસ કાપવા-સમારવા માટે તેલ અને ચપ્પૂ સામે કાટ મેલવું પડતું હોવાથી ગૃહિણીઓ માટે તિરસ્કારનો ભોગ બની ગયું છે. ફણસ એટલી હદે ચિકણું ફળ છે કે એકવાર તેને સમારવા મુકેલો ચપ્પુનો ચીરો ફળમાંથી બહાર કાઢ્યા બાદ કોપરેલ કે તેલ લગાવીને સાફ કરો ત્યારે જ બીજીવાર કામમાં લઇ શકાય છે.

આ ફણસ ઉપયોગી ફળ છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે અને સ્ત્રીઓને પજવતી વિવિધ સમસ્યાઓમાં આશિર્વાદરૂપ ભૂમિકા ભજવે છે.અત્યારના વિવિધ પ્રકારના રોગચાળાના જમાનામાં ફણસ એક માત્ર એવું ફળ છે. જે પકાવવા માટે કોઈ ખાતર કે કેમિકલ ઉપયોગમાં લેવાતા નથી. ફણસ પર કોઈ પણ એગ્રીકલ્ચરલ કે બાગાયત ખાતાએ સંશોધન કર્યું નથી. તે પૂરેપુરૂં આપમેળે ઊગી નીકળતું સંપૂર્ણ પણે કુદરતી ફળ કહી શકાય છે

અમદાવાદના ભદ્ર-લાલદરવાજાથી માર્કેટમાં છેલ્લાં ત્રણ દાયકાથી માત્ર ફણસનો વ્યવસાય કરતો જશોદાબેન કહે છે કે ફણસના ૨૦ કિલોના ફળને કાપી તેમાંથી બીયા અલગ પાડવા ઘણાં અઘરા થઈ પડે છે. પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓને માટે અત્યંત ઉપયોગી હોવાથી ફળ કરતાં રૂા. પાંચથી ઓછા ભાવે અમે મેળવીએ છીએ.

અંગ્રેજીમાં જેકફ્રૂટ હિન્દીમાં ચંપાકલી અને ગુજરાતીમાં ફણસના નામે ઓળખાતા ફળને સુરતમાં વસતા લોકો ચંપાકલી, ચાંપાં એવા નામે ઓળખે છે.

લગભગ પાંચ વર્ષ અગાઊ માત્ર મંગ્લોર, ગોવા, કર્ણાટક, કેરાલા, આંધ્રપ્રદેશ અને ઊત્તરપ્રદેશમાં ફણસ ઊગતું હતું. ફણસની ત્યારબાદ વ્યાપક માંગણી જોઈ કેટલાંક વેપારીઓની દાઢ પણ સળવળતાં તેઓને નવસારી-માઊન્ટ આબુમાં ફણસનું અનુકૂળ વાતાવરણ શોધીને ઉત્પાદન શરૂ કરી દીઘું છે. ફણસ એક ઉપયોગી ફળ હોવાની સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘણું જ ગુણકારી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/58027/153/

જો પ્રાકૃતિક સંપતિનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તો ગ્લોબલ વોર્મિગથી બચી શકાય

ભાવનગર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 08 માર્ચ 2010

ગઢડા, તા.૮
આબોહવામાં થતા ફેરફારો અને તેનાથી બચવાના ઉપાયો અંગે ગઢડા જે.સી. કુમારબા મહાવિદ્યાલય ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.
ગઢડામાં આબોહવામાં ફેરફાર એ વિષય ઉપર એક રસપ્રદ સેમિનાર સંપન્ન થયો

કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા પર્યાવરણના મુદ્દે લોકજાગૃઋત આવે તેવા ઉદ્દેશથી રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વૈચ્છિક સંગઠનો, શૈક્ષણિક સંકૂલો ઉપરાંત અલગ-અલગ સામાજિક જૂથોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે. આ અભિયાનની રાજ્ય સ્તરના સમગ્ર સંકલનની જવાબદારી વિકસત, નહેરૃ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ-અમદાવાદને સોંપવામાં આવી છે. જેમાં આ વખતના અભિયાનનો વિષય હતો 'આબોહવામાં થઇ રહેલા ફેરફારો'

આબોહવામાં થઇ રહેલા ફેરફારો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે ગઢઢા ખાતે કાર્યશાળાનું આયોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં જાણીતા કર્મશીલ, કેળ વણીકાર અને પર્યાવરણ વિદ્દ ડો.અરૃણભાઇ દવે આબોહવામાં થઇ રહેલા ફેરફારો વિશે સાદી અને સરળ ભાષામાં વિસ્તૃત સમજૂતિ આપી હતી. ગ્લોબલ વોર્મિગનો રામબાણ ઇલાજએ ગાંધીવિચાર છે. દરેક માણસ પ્રાકૃતિક સંપત્તિનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરે અને રોજીંદી જરૃરિયાતો ઘટાડે તો આબોહવામાં થઇ રહેલા ફેરફારોને ઘણાખરા અંશે હળવ બનાવી શકાય એમ તેમણે જણાવ્યુ ંહતું.

આ કાર્યક્રમમાં વિકસત, નહેરૃ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ-અમદાવાદથી વિજયભાઇ કૌશલે હાજરી આપી આબોહવા અને હવામાનમાં શુ તફાવત છે ? તે મુદ્દે વિવિધ દાખલા-દલીલો સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આબોહવામાં થઇ રહેલા ફેરફારોને નકારાત્મક અસરો અંગે તાજેતરના બનાવો ટાંકી રસપ્રદ વિગતો આપી હતી. જાગ્યા ત્યાંથી સવાર સમજી સૌ વિદ્યાર્થીઓને પર્યાવરણના કાર્યમાં પ્રતિબધ્ધ થવા માટેની હાકલ કરી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે મૌસમ પરિવર્તનનો સામનો કરવા પૃથ્વી આપણો સાથ માંગે છે તે વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ડો.અરૃણભાઇ દવે અને વિજયભાઇ કૌશલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મહાવિદ્યાલયના બી.આર.એસ. અને એમ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહભાગી બન્યા હતા.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/58027/153/

પક્ષીઓની અજબગજબની દુનિયા...


આના લેખક છે GS NEWS
ગુરુવાર, 04 માર્ચ 2010

ઘરની બાલ્કનીમાં દાણા વેરી અબોલ પંખીઓનું સ્વાગત

સવાર પડતાં જ પક્ષીઓનો મઘુર કલરવ શરૂ થઈ જાય છે. ચકલી ચીં ચીં કરતી આવે છે અને કબૂતરોનું ધૂં ધૂં તથા કાગડાના કા.કા.કા.થી વાતાવરણ ગુંજી ઊઠે છે. ડેલ કાર્નેગીએ કહ્યું છે કે, ‘શું તમે ક્યારેય કોઈ ચકલીને ઉદાસ જોઈ છે? ના, કારણ કે એક ચકલી બીજી ચકલી પર ધાક જમાવવાનો પ્રયાસ કરતી નથી.’


07-01.gif ખરેખર, આ મૂંગા પક્ષીઓની દુનિયા આપણા કરતાં વઘુ સુંદર હોય છે. તેઓ વ્યવહારની બાબતે એકદમ સરળ હોય છે પરંતુ ખાવા-પીવાના મામલે આમ કરી શકતા નથી. તેમણે પોતે જ પોતાના ખોરાકની શોધમાં નીકળવું પડે છે એટલે જો તમે ખરેખર પક્ષીપ્રેમી હોય તો તેમના ખાન-પાનની સંભાળ રાખવી જોઈએ. આજે શહેરમાંથી મોટા ફળિયા અને અગાસીઓ ગુમ થઈ ગઈ છે.

છતાં સવારના દાણાની શોધમાં નીકળેલી ચકલી ચીં ચીં કરતી ઘરની બાલ્કનીમાં તો પહોેંચી જ જાય છે. આપણે સવારના મોડે સુધી પથારીમાં પડ્યા રહીએ છીએ. પરંતુ પક્ષીઓ આવી આળસ કરી શકતા નથી. સવારના સૂર્યોદય થતાં જ ચકલી, કબૂતર, કાગડા, પોપટ, મૈના જેવા પક્ષીઓ ‘ભૂખ લાગી છે’નો કલશોર કરતાં દાણાની શોેધમાં નીકળી પડે છે.

આપણે પક્ષીઓ સાથે વાત કરી શકતા નથી છતાં તેમની સાથે એક અનોખો સંબંધ બંધાયેલો હોય છે. આથી જ કડકડતી ઠંડી, બળબળતી ગરમી અને અનરાધાર વરસાદ વરસતો હોય ત્યારે પક્ષીઓને આપણી મદદની જરૂર પડે છે. પક્ષીઓને દાણા નાંખતી વખતે સાથે પાણીની વ્યવસ્થા કરવાનું ભૂલવું નહીં. પક્ષીઓને દાણા નાંખવાથી મનને સંતોેષ અને આનંદ થાય છે. તે ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર પણ પક્ષીઓને દાણા નાંખવાની સલાહ આપે છે.
આ ક્રિયા આત્મસંતોેષ આપવા સાથે પુણ્ય કમાવાની તક પણ આપે છે. વાસ્તુશાસ્ત્રીના મત મુજબ દરરોજ પક્ષીઓને દાણા નાંખવાથી ઘરમાં અનાજની અછત નહિ થાય. પક્ષીઓને ચણ આપવાથી જન્મકુંડળી રહેલા દોષો પણ દૂર થાય છે. જેમ કુંડળીમાં રાહુ દોષ હોય તો કબૂતરને બાજરો ખવડાવવો જોઈએ અને શનિદોષના નિવારણ માટે કીડીઓને લોેટ નાંખવો જોઈએ. જોે પક્ષીઓને દાણા નાંખવામાં આળસ કે કંટાળો આવે તો વિચાર કરજો કે તમે એક દિવસ ભૂખ્યા રહી શકો છો?

આપણા ઘરે મહેમાન આવે છે ત્યારે આપણે તેમને તેમની પસંદનું ભોેજન જમાડીએ છીએ. તે જ રીતે પક્ષીઓને પણ તેમની પસંદના જ દાણા નાંખવા જોઈએ. જેમ કે ચકલીને સૂરજમુખીના બી ભાવે છે. તમામ પ્રકારના મોટા પક્ષી મકાઈના દાણા ખાય છે. જ્યારે બાજરી તેમના માટે બટેટા સમાન છે. બધા જ પક્ષીને બાજરી ભાવે છે. શક્ય હોય તો બાલકનીમાં બાજરી, મકાઈ અને સૂરજમુખીના દાણા મિક્સ કરીને નાંખવા. તે ઉપરાંત ભાત, રોટલીના નાના નાના ટુકડા, ફળના બી, વટાણા અથવા ચોેળીના દાણા પણ નાંખી શકાય.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/57728/252/

મહેસાણામાં ૨૬ વૃક્ષો કાપવા બદલ મામલતદાર સામે ફરિયાદ




ઉત્તર ગુજરાત સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 08 માર્ચ 2010

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન

મહેસાણા, તા. ૮
મહેસાણામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે ૨૬ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના આરોપમાં મેળાના સ્થળ નજીકના ખેતરના માલિકે મહેસાણાના મામલતદાર સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાનો ભંગ કરવાના આરોપમાં મહેસાણા કોર્ટે મામલતદાર સહિત બે આરોપીઓ સામે પોલીસ તપાસનો હુકમ કર્યો છે. કોર્ટે મહેસાણા શહેર પોલીસને તપાસ કરી રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યંત્રીના ગરીબ કલ્યાણ મેળામાં વૃક્ષો કાપી નાખવાનો મામલતદાર સામે જ આરોપ મુકાતાં ચકચાર ફેલાઈ છે.
ખેતર માલિકે પોતાના સર્વે નંબરમાં મેળો ન યોજવા લેખિત અરજી આપી હતી ઃ અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ

આ કેસની વિગત એવી છે કે એક મહિના પહેલા તા. ૩-૦૨-૨૦૧૦ના રોજ મહેસાણામાં વિસનગર રોડ ઉપર આવેલી એક નવી બનતી વસાહતમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વસાહતની બાજુમાં જ રામનગરમાં રહેતા પટેલ નારણભાઈ પીતાંબરદાસની ખેતીલાયક જમીન આવેલી છે. આ જમીન તેમના ભાઈ નટુભાઈ પટેલના નામે ચાલે છે અને તેમણે તા. ૨૯-૧-૨૦૧૦ના રોજ મામલતદારને પોતાના નામે ચાલતા સર્વ નંબર ૭૨૪નો ગરીબ મેળા માટે ઉપયોગ ન કરવા લેખિતમાં અરજી આપી હતી.

પરંતુ તેમની લેખિત અરજીની અવગણના કરી મામલતદાર કચેરીએ ૨૬ વૃક્ષો મુખ્યમંત્રીના ગરીબ મેળાના ઉપયોગ માટે કપાવી નાખ્યા હતા. આ અંગે જાણ થતાં મામલતદાર કચેરીને લેખિતમાં અરજી આપતાં સ્થળ ઉપર પંચનામું પણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં ખાનગી માલિકીના ખેડૂતના રૃપિયા ૭૦ હજારના ૨૬ વૃક્ષો કાપી નાખવામાં આવતા પટેલ નારણભાઈ પીતાંબરદાસે એડવોકેટ આર.એન. બારોટ મારફત મહેસાણાના મામલતદાર હરગોવનભાઈ ભીખાભાઈ પરમાર અને વેપારી કનુભાઈ બાબુભાઈ પટેલ વિરૃધ્ધ મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે મહેસાણા શહેર પોલીસને તપાસનો હુકમ કરી અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો છે.
Source: http://gujaratsamachar.com/beta/

ઝાકળે ખાખડીનો ભાવ તોડયો

Monday, Mar 8th, 2010, 12:51 am [IST] Bhaskar News, Junagadh

ચાર દિવસમાં ભાવ તળિયે જઈ કિલોએ રૂપિયા એક થઈ ગયો : બજારમાં મબલખ આવક થઈ

ગીર પંથકમાં છેલ્લા ૪ દિવસો દરમ્યાન સવારનાં સમયે પડતી ઝાકળને પગલે આંબા પરથી ખરી પડતી કેરીનું પ્રમાણ વઘ્યું છે. પરિણામે કચુંબર માટે વપરાતી ખાખડીની બજારમાં ભારે આવક થઇ રહી છે. આ સ્થિતિ હજુ બે ત્રણ દિવસ ચાલુ રહી શકે છે, એવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે. તાલાલા તાલુકાનાં આંકોલવાડીનાં ખેડૂત અને કેરીનાં સપ્લાયર મનસુખભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે ‘અમારે ત્યાં છેલ્લાં ૪ દિવસથી ઝાકળ પડવા લાગતાં આંબા પરથી માલ ખરવાનું પ્રમાણ વધી ગયું છે. પરિણામે બજારમાં ખાખડી ઢગલામોંઢે ખડકાઇ રહી છે. હાલ ખાખડીનો ભાવ એક રૂપિયે કિલો થઇ ગયો છે.’હવામાનની આ સ્થિતિ અંગે જૂનાગઢ કષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો. ડી. ડી. શાહુનું કહેવું છે કે ‘રાત્રે ઠંડી અને દિવસે ગરમીને લીધે સવારે ઝાકળની સ્થિતિ સર્જાય છે. હાલની આ પરિસ્થિતિ હજી બે-ત્રણ દિવસ ચાલું રહેશે. દર વર્ષે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત હોય ત્યારે આવા દિવસો આવી જાય છે. આ વખતે તો ઠંડીનો ગાળો પણ લાંબો ચાલ્યો છે. વાતાવરણની આ સ્થિતિ આપણે ત્યાં વેસ્ર્ટન ડિસ્ર્ટબન્સને આભારી હોય છે.’
Source: http://www.divyabhaskar.co.in/2010/03/08/100308005117_fog_junagadh.html

સિંહોની ગણતરી માટે જીપીએસ સિસ્ટમ.

Bhaskar News, Talala

ગીર પંથકમાં વિહરતા એશીયાટીક સિંહોની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. ૨૦૦૫માં થયેલી ગણતરીમાં ૩૫૯ સિંહોની નોંધ થઈ હતી. જયારે આગામી એપ્રિલમાં થનારી ગણતરીમાં સિંહોની સંખ્યામાં ૧૫ ટકા જેટલો વધારો થવાની સંભાવના સાથે સિંહોની સંખ્યા ૪૦૦ ઉપર પહોંચવાનો પ્રાથમિક અંદાજ છે.

ત્રણ દિવસ ચાલનારી આ ગણતરીનું જટીલ કામ ચોકસાઈ સાથે સંપન્ના થાય તે માટે જી.પી.એસ.સીસ્ટમનો ઉપયોગ કરાશે. આ માટેની તાલિમ પણ કર્મચારીઓને અપાઈ રહી છે. હાલ વનવિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.ચાલુ વર્ષે થનારી ગણતરીમાં જૂની પઘ્ધતિ ઉપરાંત નવી ટેકનોલોજી જીપીએસ સીસ્ટમ સાથે સિંહના ડાયોગ્રામ નાં માઘ્યમથી ગણતરી કરાશે. જેના લીધે સિંહોની ચોક્કસ સંખ્યા અને વિસ્તાર માલુમ પડશે. હાલ વનવિભાગ દ્વારા ગીર જંગલ અને જંગલની બોર્ડરના રેવન્યુ વિસ્તારો કે જયાં સિંહોની અવર જવર વધુ રહેલી હોય તેવા પોઈન્ટ ઉપર પાણીના અવેડા, કુંડીના સિંહો માટે પાણી પીવાના પોઈન્ટ બનાવી પાણીનો પોઈન્ટ ચોખ્ખો દેખાય તેવા સ્થળોએ ૮ થી ૧૦ ફુટ ઉચા માંડવા બનાવવામાં આવશે. ગણતરી માટે જનારા વન વિભાગના સ્ટાફને દુરબીનનો ઉપયોગ કરવાની અને ફોટો પાડવા માટેની જરૂરી તાલીમ અપાઈ રહી છે. સાથે નવી કોમ્પ્યુટર ટેકનોલોજીથી લોકેશન શોધવા અને ગણતરી કરવા જીપીએસ સિસ્ટમ ઓપરેટ કરી શકે તે માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પાંચ વર્ષ બાદ થનારી સિંહોની ગણતરી પૂર્વે પ્રાથમિક અનુમાનમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના સમાચારથી વન્ય પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.

રેવન્યુ વિસ્તારોમાં વધુ ચોકસાઈથી ગણતરી કરાશે

જંગલ વિસ્તારમાં ફરતા સિંહો ઉપરાંત નજીકનાં ગ્રામ્ય પંથકોની બોર્ડર ઉપરના રેવન્યુ વિસ્તારોમાં ઘણા સમયથી સિંહો ધામા નાંખી પશુઓનું મારણ કરતા હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં સિંહોએ કરેલા મારણની વિગતો એકઠી કરી તે વિસ્તારોમાં છેલ્લા આઠ માસથી વનવિભાગ સિંહોની અવરજવરનું અવલોકન કરી રહ્યું છે. જંગલ ઉપરાંત રેવન્યુમાં ફરતા સિંહોની ચોકકસાઈથી ગણતરી કરવા વિશેષ આયોજન હોવાનું ગિરનારનાં ઈન્ચાર્જ ડીએફઓ મીત્રીએ જણાવ્યું છે.

કયા કયા વિસ્તારોમાં ગણતરી થશે? ગીર પશ્વિમ વિસ્તાર હેઠળની નવ રેન્જ, તાલાલા, સાસણ, દેવડીયા, વિસાવદર, મેંદરડા, આંકોલવાડી, જામવાળા, છોડવડી, બાબરીયા રેન્જનાં જંગલ વિસ્તાર તેમજ આરક્ષીત ગીર નેશનલ પાર્કના સાગી જંગલના ૨૫૬ ચો સ્કેવર કી.મી.નો વિસ્તાર સાથે ગીર પૂર્વે ડીવીઝનની સાત રેન્જ જશાધાર, તુલશીશ્યામ, સાવરકુંડલા, હડાળા, સરસીયા, દલખાણીયા, પાણીયા, રેન્જની જંગલ વિસ્તાર અને ગીરનારના જંગલ વિસ્તાર, કોડીનાર તાલુકાના છારા ગામ સુધીનો દરીયાકાંઠાનો વિસ્તાર ઉપરાંત ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તારમાં શેત્રુજી નદીનો કાઠો અને શેત્રુજી ડુંગરના વિસ્તારમાં સિંહો વિચરતા હોય આ દરેક વિસ્તારોમાં સિંહોની ગણતરી કરવા ૧૦૦૦ થી વધુ માંડવા ઉભા કરાશે.

કેવી રીતે થશે ગણતરી? સિંહોની અવર જવર વાળા વિસ્તારોમાં અવેડા, કુંડી, તળાવ, નદી જેવા પાણીના સ્થળોએ સિંહોના પાણી પીવાના પોઈન્ટ બનાવી ગણતરી માટે વહેલી સવારે પાંચ વાગ્યે સુર્યોદય પહેલા ગણતરી માટેનો સ્ટાફ પોઈન્ટ ઉપર પહોંચી જાય છે. અને સિંહો પાણી પીવા આવે ત્યારે તેમની સંખ્યા, કેટલાનું ગૃપ છે. નર છે કે માદા બરચા કેટલા..? સિંહોના શરીરે કોઈ નિશાન, ઘાવ, કે ડાઘ હોય તો તે સિંહાના ડાયોગ્રામમા ટપકાવવાના તેમજ સિંહોનું પાણી પીતી વખતેની સ્થિતિનું અવલોકન કરી પોઈન્ટ ઉપરથી સિંહો કઈ દિશા તરફ જાય છે. તેનું નીરક્ષણ કરવામાં આવે છે. ઘણા સિંહો પાણી પીવા પોઈન્ટ ઉપર આવ્યા ન હોય તો તેના અવર જવર વાળા વિસ્તારોમાં જી.પી.એસ. સિસ્ટમની મદદથી તેમનું લોકેશન જણાવી ગણતરી થશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/09/100309022629_lion_census_from_next_month.html

તાલાળામાંથી ત્રણ, વંથલીમાંથી બે તબક્કે કેરી બજારમાં આવશે.

રાજકોટ, તા.૮ :

બગીચાઓ સાથે સંકળાયેલા ખેડૂતો અને નિષ્ણાંતોએ એવો મત પણ વ્યક્ત કર્યો છે કે, આ વર્ષે કેસર કેરીની સિઝન દર વર્ષના પ્રમાણમાં થોડી લાંબી ચાલશે. તેમજ તબક્કાવાર કેરીનો પાક બજારમાં આવશે.

અનુકુળ વાતાવરણ તથા યોગ્ય હવામાનને કારણે આ વર્ષે આંબા પર વ્યવસ્થિત રીતે મોર બેઠા છે. જો કે વચ્ચે થોડા સમય માટે કમોસમી વરસાદને કારણે થોડી નૂકશાની થઈ હોવા છતા આંબા પરથી મોર ખર્યા નથી. તાલાળા વિસ્તારનાં ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યારે આંબા પર ત્રણ પ્રકારના ફળ બંધાયેલા છે. નાના, થોડા મોટા અને તૈયાર એમ ત્રણ પ્રકારના ફળો તબક્કાવાર રીતે બજારમાં આવશે. તેમજ ત્રણ માસ સુધી લાંબી સિઝન ચાલશે. માટે બજારમાં ફળોનો ભરાવો થવાની ઓછી શક્યતા છે. વંથલી પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અહીંના આંબાઓ પરથી બે તબક્કામાં ફળ બજારમાં આવશે. મે અને જૂન માસમાં બજારમાં કેરી આવી ગયા બાદ વધીને કદાચ જૂલાઈ માસની પ તારીખ સુધી વંથલી પંથકની કેરી બજારમાં આવશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166262

કેસર કેરીનું ઉત્પાદન વધશે ભાવ નીચા રહેવાની શક્યતા.

રાજકોટ, તા.૮

મીઠી, મધુરી, સોડમદાર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક સમયથી ઘટી રહ્યું છે ત્યારે આ વર્ષે ઉત્પાદન વધે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. બાગાયત નિષ્ણાતો, ખેડૂતો અને વેપારીઓનાં અંદાજ પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૫ લાખ બોક્ષ જેટલું કેસર કેરીનું ઉત્પાદન વધે તેવા સંજોગો છે. પરિણામે, કેસર આ વર્ષે પ્રમાણમાં થોડી સસ્તી રહે તેવી આશા સેવાઈ રહી છે. પાંચ વર્ષથી સતત ઘટી રહેલા ઉત્પાદનને કારણે ચિંતાગ્રસ્ત ખેડૂતોનાં ચહેરા પર નવી રોનક આવી ગઈ છે.

ઉનાળાની શરૃઆત થતા જ સોરઠની મધમધતી કેસર કેરી પણ લોકોને યાદ આવી જાય છે. કેસરના મુહૂર્તના સોદાઓ થઈ ચૂક્યા છે. એવી સ્થિતિ વચ્ચે સરવાળે બહાર આવેલી પરિસ્થિતિ પ્રમાણે આ વર્ષે કેસરનું ઉત્પાદન વધશે. ગત વર્ષે ૨૬.૫૧ લાખ બોક્ષ જેટલી કેસરનું ઉત્પાદન થયું હતું. જે આ વર્ષે વધીને ૩૬ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

એકંદરે ઉત્પાદન વધવાને કારણે ભાવ પણ ઘટીને સિઝન પૂરબહારમાં હશે, ત્યારે રૃ. ૩૦ પ્રતિ કિલો સુધીના રહેશે. તેવું વેપારી વર્ગ માની રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના તાલાળા અને વંથલી બન્ને પંથક કેસર કેરીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. જેમાંથી તાલાળા પંથકની કેરી પહેલા અને વંથલી વિસ્તારની કેરી પછીથી બજારમાં આવે છે. સરેરાશ ત્રણેક માસ સુધી કેસર ફ્રૂટ બજારમાં છવાયેલી રહે છે. તાલાળા પંથકમાં પાકતી કેસરની સિઝન એપ્રિલ માસની શરૃઆત સાથે ચાલુ થઈને જૂનનાં અંત ભાગ સુધી ચાલે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાંથી ગત વર્ષના પ્રમાણમાં સાડા છ લાખ બોક્ષ જેટલું ઉત્પાદન વધીને કુલ ર૮ લાખ બોક્ષ ઉત્પાદન થવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વંથલી પંથકની કેસર કેરીની સિઝન મે મહિનાની શરૃઆતમાં ચાલુ થઈને જૂલાઈ માસની શરૃઆત સુધી ચાલશે. ગત વર્ષની સરખામણીએ અહી પોણા ત્રણ લાખ બોક્ષ વધીને કુલ ઉત્પાદન ૮ લાખ બોક્ષ સુધી પહોંચી જવાની આશા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ ૨૦૦૫ થી કેસરનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. વર્ષ ર૦૦૫ માં બન્ને પંથકોમાંથી કુલ મળીને ૪૨,૫૯,૫૦૦ બોક્ષનું ઉત્પાદન થયું હતું. જે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી વધુ ઉત્પાદન ગણાવાઈ રહ્યું છે.

તાલાળા અને વંથલીની કેસર વચ્ચે એક માસનો તફાવત !!

રાજકોટઃ તાલાળા અને વંથલી પંથકમાં પાકતી કેસર કેરી વચ્ચે એક માસ જેટલા સમયનો તફાવત રહે છે. તાલાળામાંથી એપ્રિલ માસની શરૃઆત સાથે જ બજારમાં કેરી બહાર આવવા માંડે છે. જ્યારે વંથલીની કેરી છેક મે માસમાં બજારમાં આવે છે. વંથલીની જમીન કાંપ વાળી હોવાથી આવું બની રહ્યું છે. વંથલીની જમીનનું બંધારણ તાલાળાથી અલગ છે. ઠંડી જમીન હોવાથી મોર ઝડપથી બંધાતા નથી. તેમજ આંબા મોડા ફૂટે છે. આ હાલતને કારણે વંથલીના ખેડૂતોએ થોડી મુશ્કેલી પણ વેઠવી પડે છે. કારણ કે સારો એવો પાક આંબા પર ત્યાં જ વરસાદ પડી જાય છે. તેમજ મોટા પ્રમાણમાં પાકનો કચ્ચરઘાણ નિકળી જાય છે.

કેસરનું કાઉન્ટ ડાઉન, છેલ્લા પાંચ વર્ષનું ઉત્પાદન

વર્ષ

તાલાળા પંથક(બોક્ષ)

વંથલી પંથક(બોક્ષ)

સરેરાશ ભાવ(રૃ.)

૨૦૦૫

૩૩,૭૮,૦૦૦

,૮૧,૫૦૦

૮૭

૨૦૦૬

૩૦,૯૬,૦૦૦

૧૦,૭૮,૦૦૦

૯૦

૨૦૦૭

૨૯,૦૩,૦૦૦

,૬૩,૪૦૦

૧૪૦

૨૦૦૮

૨૬,૧૪,૦૦૦

૧૨,૬૮,૦૦૦

૧૨૯

૨૦૦૯

૨૧,૩૧,૦૦૦

,૧૯,૦૦૦

૨૦૮

૨૦૧૦(અંદાજીત)

૨૮,૦૦,૦૦૦

,૦૦,૦૦૦

-

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=166261

Saturday, March 6, 2010

શિકારની શોધમાં નીકળેલી દીપડી ખુલ્લા કૂવામાં ખાબકી

Saturday, Feb 27th, 2010, 3:45 am [IST]
Bhaskar News, Amreli amrel
ગીર પૂર્વની જસાધાર રેન્જમાં ગીરગઢડા નજીક એક દીપડી રાત્રે શિકારની શોધમાં નીકળી હતી ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતાં વન વિભાગની રેસ્કયુ ટીમે મહામહેનતે આ દીપડીને કૂવામાંથી બહાર કાઢી પાંજરે પૂરી છે. ગીર પૂર્વ વિભાગમાં એક જ દિવસમાં એક દીપડો અને એક દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે.

ગુરુવારે રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં બાર દિવસની લાંબી જહેમતના અંતે એક દીપડો પાંજરે પૂરાયા બાદ જસાધાર રેન્જમાં ગીરગઢડાની સીમમાં એક વાડીમાંથી દીપડીને પણ પાંજરે પૂરાઇ છે. જંગલ ખાતાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, સીમમાં જેઠાભાઇ ભગાભાઇ વાઢેરની વાડીમાં ગઇરાત્રે આશરે બે વર્ષની ઉમરની એક દીપડી શિકારે નીકળી હતી.

પરંતુ, તે અકસ્માતે કૂવામાં ખાબકી હતી. સવારે જયારે વાડી માલિક વાડીએ આવ્યા ત્યારે તેમને દીપડી કૂવામાં હોવાની જાણ થઇ હતી. આ બારામાં જંગલ ખાતાને જાણ કરવામાં આવતા રેસ્કયુ ટીમના ડીએફઓ મિસ્ત્રીએ ખાસ ટીમ દોડાવી હતી.

આરએફઓ મુલાણી પણ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા. કૂવામાં ખાટલો અને કાંઠે પાંજરું રાખી આ દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી. ત્યાં સુધી પાણીમાં અને કૂવાની ભેખડ પર રહી દીપડીએ પોતાનો જીવ બચાવ્યો હતો. દીપડીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે. જયાં તેનું મેડિકલ ચેકઅપ કરાશે બાદમાં ફરી તેને જંગલમાં મૂક્ત કરી દેવાશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/27/100227033936_lepord_fall_in_well.html

ખેડૂત પર ચાર સિંહનો હુમલો.

Sunday, Feb 28th, 2010, 3:01 am [IST]
Bhaskar News, Rajula
રાજુલાથી ૧૫ કિલોમીટર દૂર આવેલા નાગેશ્રી ગામની સીમમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર ચાર સિંહે ધેરી લઇ હુમલો કરતા ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નાગેશ્રી ગામમાં રહેતા પાંચાભાઇ જીવાભાઇ કોળી શનિવારે સવારે પોતાની વાડીએ ગયા હતા અને રાબેતા મુજબ કામકાજ કરી રહ્યા હતા. આ સમયે ત્રણ સિંહ અને એક સિંહણ ત્યાં ચડી આવ્યા હતા. પાંચાભાઇ કંઇ સમજે-વિચારે તે પહેલાં તેના પર ચારેય બાજુથી હુમલો કરી દેવાયો હતો. એક સિંહનો પંજો પાંચભાઇને છાતીમાં લાગતા ઊંડો ઘા પડી ગયો હતો.

આ ઉપરાંત હાથમાં પણ ગંભીર ઇજા થઇ હતી. હુમલો કરીને સિંહ-સિંહણ આરામથી ચાલ્યા ગયા હતા. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ અજયભાઇ પાંચાભાઇની વાડીએ દોડી ગયા હતા. રાજુલા ખાતે ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર આપીને કોળી ખેડૂતને ભાવનગર લઇ જવાયા હતા.

એક સાથે ચાર-ચાર સાવજ દ્વારા હુમલાની ઘટના બનતા રાજુલા અને આસપાસના વિસ્તારોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. વન વિભાગે રેવન્યૂ વિસ્તારમાં આવી ગયેલા સાવજોને પરત જંગલમાં ખદેડી મુકવા જોઇએ. તેવી માગણી ગ્રામજનોએ કરી છે.

ને યુવક ઝાડ પર ચઢી જતાં બચી ગયો...

ખુંખાર બનેલ સિંહણ પાંચાભાઇ પર હુમલો કરી રહી હતી ત્યારે મનુભાઇ ભગવાનભાઇ ભાલીયા નામનો યુવાન ત્યાંથી સાયકલ લઇને પસાર થતો હતો ત્યારે સિંહણે પાંચાભાઇને મૂકી મનુભાઇની સાયકલ પાછળ દોડ મૂકી હતી. સદ્દનસીબે બન્ને વચ્ચે અંતર હોય મનુભાઇ સાયકલ મૂકી ઝાડ પર ચઢી જતાં તે બચી ગયા હતા. બાદમાં સિંહણ દૂધાળાનાં રસ્તે નહેરમાં ચાલી ગઇ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/28/100228024346_lion_attack_on_four_farmer.html

ઓળિયા ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો.

Monday, Mar 1st, 2010, 3:33 am [IST]
Bhaskar News, Savarkundla

સાવરકુંડલા પંથકના ઓળિયાના ખેડૂત રવિવારે તેમની નેસડીની વાડીએ જઇ રહ્યા હતા ત્યારે વાડમાં સંતાઇને બેઠેલા ઝનૂની પ્રાણી દીપડાએ હસમુખભાઇ પર હુમલો કર્યો હતો અને તેમને ડાબા હાથના બાવડે દાંત બેસાડી દીધા હતા.

ઇજાગ્રસ્ત ખેડૂતને તાકીદે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે આ વિસ્તારના લોકો ભયના માર્યા ફફડી રહ્યાં છે.સાવરકુંડલાથી દસ કિલોમીટર દૂર આવેલાં ઓળિયા ગામના યુવાન ખેડૂત હસમુખભાઇ પોપટભાઇ મોરડિયા (ઉ.વ.૩૨) તેમના નેસડી ગામની સીમમાં આવેલાં ખેતરે જઇ રહ્યાં હતા.

આ દરમિયાન નેસડીના બન્ને બાજુ વાડવાળા રસ્તે ચડ્યાં ત્યાં જ વાડમાં સંતાઇને બેઠેલા ઝનૂની રાનીપશુ દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. દીપડાએ તેમને ડાબા-હાથના બાવડે ઊડા બે દાંત બેસાડી દીધા હતા. શરીરના અન્ય ભાગે પણ દાંતથી ઇજા પહોંચાડી હતી.

ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે સાવરકુંડલાની કે.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નોંધનીય છે કે, સાવરકુંડલાની મહુવા રોડ પરની અને હાથસણી રોડ પરની સોસાયટીઓમાં વારંવાર દીપડાઓ ચડી આવતા હોવા છતાં જંગલખાતુ ઠાગા-ઠૈયા કરી રહ્યું છે ત્યારે હવે યોગ્ય પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. જો કે આ બનાવ બાદ આ પંથકના લોકો ભયના કારણે ફફડી રહ્યાં છે.

દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છેસાવરકુંડલા પંથકમાં વર્ષ ૧૯૯૮ પછીથી સમયાંતરે ગીરના રાજા સિંહ ચડી આવે છે. હાલ પણ આ પંથકમાં ૩૫ જેટલા સિંહો છે પરંતુ ગીરના રાજાસિંહ હંમેશા સામેથી આવે છે જયારે ઝનૂની દીપડો હંમેશા પાછળથી હુમલો કરે છે.
હુમલા સ્થળેથી થોડે દૂર બાળકો રમતા હતાઓળિયાના યુવાન ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો ત્યારે થોડે દૂર બે નાના બાળકો રમી રહ્યાં હતા. જો કે દીપડાની નજરે ખેડૂત ચડી જતાં બન્નો બાળકો બચી ગયા હતા.

હાલરિયા ગામની સીમમાં યુવાન પર સાવજ ત્રાટક્યો.

Monday, Mar 1st, 2010, 3:46 am [IST]
Bhaskar News, Amreli
નાગેશ્રીમાં ગઇકાલે યુવાન પર સિંહે હુમલો કર્યાની ઘટના તાજી છે ત્યાં આજે બગસરા તાબાના હાલરિયા ગામની સીમમાં રબારી યુવાન પર એક સિંહે હુમલો કરી ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.

સિંહ દ્વારા માણસ પર હુમલાના બનાવો અમરેલી પંથકમાં હવે વધતા જ જાય છે. રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા સતત વૃઘ્ધિ પામતી જતી હોવાથી માણસો સાથે તેનો સામનો થઇ રહ્યો છે. આવી જ એક ઘટના આજે બગસરા તાલુકાનાં હાલરિયા ગામની સીમમાં બની હતી.

જયાં એક કાઠી ખેડૂતની વાડીમાં જામનગર પંથકના માલધારી આલાભાઇ રાયમલભાઇ પોતાનાં માલઢોર લઇને ઉતર્યા હતા. ધેટા-બકરા આજુબાજુ ચરતા હતાં ત્યારે આલાભાઇએ ખેતરમાં જ લંબાવ્યુ હતું. આ વખતે અચાનક કયાંકથી ચડી આવેલા એક સિંહે ધેટાં બકરા પર હુમલો કર્યો હતો.

સિંહે બકરાં અને એક ધેટાંને મારી નાખ્યું હતું. આ સમયે આલાભાઇ જાગી જતાં તેમણે પોતાના માલઢોર પર હુમલો થયેલો જોઇ તુરંત સિંહને હાંકલા પડકારા શરૂ કર્યા હતાં. જેથી ઉશ્કેરાયેલા સિંહે ધેટાં-બકરાંને પડતા મૂકી સીધો જ આલાભાઇ રબારી પર હુમલો કર્યો હતો.

સિંહે તેનો હાથ મોઢામાં લઇ બટકું ભરી લીધું હતું. તેમણે દેકારો કરી મૂકતા આજુબાજુનાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા જેથી સિંહ તેમને પડતા મૂકી નાસી છૂટ્યો હતો. તેમને સારવાર માટે પ્રથમ બગસરા દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.

જયાંથી વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં રિફર કરવામાં આવેલ છે. પોલીસ સ્ટાફ સ્થળ પર આવી કાર્યવાહી હાથધરી હતી.

અમરેલી પંથકમાં છ માસમાં દીપડા સિંહના ૧૪ હુમલા

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડા મોટી સંખ્યામાં વસતા હોવાથી માણસ અને સિંહ-દીપડાની ટક્કર વધી પડી છે. પાછલા છ-સાત માસમાં એકલા અમરેલી પંથકમાં જ સિંહ-દીપડા દ્વારા માણસ પર હુમલાની ૧૪ ઘટના બની છે.

જેમાં ૧૪ વ્યક્તિ ઘાયલ થઇ છે જયારે એક બાળકીનું મોત થયું હતું. થોડા મહિના પહેલા સાવરકુંડલા રેન્જમાં સિંહે એક બાળકીને ફાડી ખાધી હતી. જેના માત્ર અવશેષ મળ્યા હતા. જંગલખાતા દ્વારા તેના પરિવારજનોને એક લાખનું વળતર ચૂકવાયું હતું.

એકાદ માસ પહેલાં ચલાલાના ઝરમાં બીમાર સિંહે ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધા હતા. બગસરાના ઝાંઝરિયામાં મુસ્લિમ યુવાન પર સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડવા પડ્યા હતા. બગસરાના જ ઘંટિયાણમાં પણ પટેલ યુવાન પર સિંહે હુમલો કર્યો હતો.

ચલાલા તાબાના નાના સમઢિયાળા અને દિતણની સીમમાં બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જયારે ધારીના કાંગસમાં છ વર્ષની બાળા પર દીપડાએ હુમલો કરતા સારવાર માટે દવાખાને ખસેડવી પડી હતી. આ ઘટના ગત ભાદરવા માસમાં બની હતી.

કાંગસામાં જ ત્રણેક માસ પહેલાં દીપડાએ કોળી મહિલા પર હુમલો કર્યો હતો. ચાલાલાના મોરઝરમાં વાડીમાં એક બળદ પર ચારેક માસ પહેલાં દીપડાએ હુમલો કર્યો હતો. જયારે ધારીના મોણવેલમાં પાંચ માસ પહેલાં દીપડાએ હુમલો કરી દેવીપૂજક યુવાનને ઘાયલ કર્યા હતા.

જયારે ડાંગાવદરના ભરડ ગામ વચ્ચે એક આહીર પ્રૌઢ પર સિંહે હુમલો કર્યો હતો. ધારીની વીરપુરની સીમમાં અમરેલીના હરિજન યુવાન પર પણ સિંહ દ્વારા હુમલાની ઘટના બની હતી. જયારે પાછલા ૪૮ કલાકમાં નાગેશ્રીએ ચાર સિંહના ઝૂંડે યુવાન પર અને હાલરિયામાં રબારી યુવાન પર તો ઓળિયામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યાના બનાવ બન્યા છે.

આમ સિંહ-દીપડાની વસ્તી રેવન્યુ વિસ્તાર તરફ આગળ વધતી રહેશે તો માણસ પર હુમલાની ઘટનાઓ રોજિંદી બની જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાણી છે.

ગીર કાંઠાના દવાખાનાઓમાં ઇન્જેકશન નથી

ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ દ્વારા હુમલાની ઘટના સતત બનતી રહે છે. ઘાયલોને આપવા માટે આજુબાજુનાં દવાખાનાઓમાં લઇ જવામાં આવે છે પરંતુ હડકવા વિરોધી અને અન્ય ઇન્જેકશંનો પૂરતા પ્રમાણમાં ન હોય ઘાયલોને સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરવા પડે છે. ધારીના પ્રકત્તિપ્રેમી હસુમખ દવેએ જિલ્લાના તમામ દવાખાનામાં હડકવા વિરોધી રસી ફાળવવામાં આવે તેવી માગ ઉઠાવી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/03/01/100301033201_lion_attack_on_youngman.html