Monday, August 31, 2015

ભાલછેલમાં ચંદન-સાગના 75 વર્ષ જૂ નાં કિંમતી વૃક્ષો કાપ્યાં, મામલતદારને રજુઆત

  • DivyaBhaskar News Network
  • Aug 28, 2015, 09:00 AM IST
જૂનાગઢજિલ્લા મહેશ તાલુકાના ભાલછેલ નામના ખેડુતને આઠ શખ્સોએ ખેતરનો રસ્તો બંધ કરી ચાલવાની ના પાડી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. રસ્તામાં 75 વર્ષ જુના કિંમતી સાગ-ચંદનના લાકડાઓ કાપીને મુકી દીધા હતા. બાબતે ખેડૂતે ખેતરમાં વાવેતર ભગવાન ભરોસે રહ્યુ છે અને સરકાર દ્વારા પગલાં નહીં લેવાય તો આત્મ વિલોપનને અંતિ માર્ગ કીધો હતો.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ભાલછેદ ગામના ખેડૂત ઓઘડભાઇ કંડારીયાએ જણાવ્યું હતુ કે, તેમનાં ખેતરમાં રસ્તાના સેઢે રહેતા આઠ લોકોએ હથિયાર સાથે રસ્તા પર ચાલવાની ના પાડી હતી. રસ્તો માલિકીનો નથી તમારે અહીથી ચાલવું નહીઅને જો ચાલશો તો તમને મારી નાખીશ અને ગાળો આપી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ખેતરમાં ખેતી કરવા જઇ હક્તા હોવાથી તેમજ તેઓએ રસ્તામાં સાગના તેમજ ચંદનના 75 વર્ષ જુના વૃક્ષો કાપી રસ્તાને આડે મુકી દીધા હતા. સામાવાળાએ મામલતદાર ઓફીસમાં ફરીયાદો કરતાં ઓઘડભાઇએ કલેકટર સમક્ષ રજુઆત કરી કાનુની કાર્યવાહી કરી પગલા લેવા માંગ કરી હતી.

તેમજ ખેડૂતે આગળ જણાવ્યું હતું કે. અમે આજની તારીખે ખેતરમાં જઇ શક્તા નથી. ખેતી રોજીરોટી હોય, ખેતરમાં કરેલું વાવેતર રામ ભરોસે રાખ્યું છે અને અમને ન્યાય નહીં મળે તો આત્મ વિલોપનનો અંતિ માર્ગ રહ્યો છે.

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં

તાલાલા : ઈકો ઝોન મુદ્દે ગીરનાં 25 સરપંચો હાઈકોર્ટમાં
  • Bhaskar News, Talala
  • Aug 28, 2015, 02:31 AM IST
- સેન્સેટીવ ઝોનને લઈ ગામોની અંદર ચાલતા મંજૂરી વગરનાં કામો અટકાવવા આદેશને પગલે રોષ
- સરપંચોની તાકીદે બેઠક મળી હાઇકોર્ટમાં લડત આપવાનું આયોજન કરાયું : ધારાસભ્યો પણ સાથે જોડાયા

તાલાલા : ગીર સમીપનાં તાલાલા તાલુકાની ગ્રામ્ય પ્રજા ઉપર સેન્સેટીવ ઝોનરૂપી વધુ એક આફત વરસી છે. ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ ફરિયાદ સંદર્ભે ગત તા.6 ઓગષ્ટનાં હાઇકોર્ટએ ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આપતા ગામોમાં મંજૂરી વગરનાં બાંધકામ બંધકરાવવા આદેશ કર્યો હતો. ત્યારે તાલાલાનાં 25 ગામોનાં સરપંચોની ધાવા (ગીર)માં તાકીદે મીટીંગ મળેલ જેમાં હાઇકોર્ટમાં લડત આપવા રણનિતી બનાવી હતી.
 

તાલાલાનાં ધાવા (ગીર) ગામે સરપંચ વિજયભાઇ કનેરીયા દ્વારા બોલાવવામાં આવેલી મીટીંગમાં પૂર્વ સાસંદ ગોરધનભાઇ જાવીયા અગ્રણી નરસિંહભાઇ મકવાણા આંકોલવાડી જિલ્લા પંચાયતનાં સદસ્ય જીકાભાઇ સુવાગીયા સહિત ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ આવતા 25 ગામોનાં સરપંચો ઉપસ્થિત રહેલ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્ય જીકાભાઇ સુવાગીયાએ ઇકો સેન્સેવીવ ઝોનથી ઉભી થનારી મુશ્કેલી જેમ કે ખેતરોનાં રસ્તા રીપેર કરવા, પાણીની લાઇનો નાંખવી, વીજપોલ નાંખવા, બાંધકામ કરવુ, આ ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને લગતા દરેક પ્રક્રિયામાં વન વિભાગનાી એનઓસી અને મંજૂરી મેળવી ફરજિયાત છે. હાલ તાલાલા તાલુકાનાં વિવિધ ગામોનાં બીનખેતીનાં 150 થી વધુ પ્રકરણ ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં પેન્ડીંગ છે.
 
 
લાંબા સમયથી મંજૂરી મળતી નથી જેની પાછળ ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચિત કાયદાથી વન વિભાગની મંજૂરી માંગવામાં આવે છે. વન વિભાગ સાથે ગીરની પ્રજાને જટીલ કાયદાથી છાશવારે ઘર્ષણ થાય જ છે. ત્યારે ઇકો સેન્સેટીવ ઝોન રૂપી આફત ગ્રામ્ય પ્રજાને બાનમાં લેવા સમાન હોય તાકીદે હાઇકોર્ટમાં આ અંગે કાયદાકીય લડાઇ આપવાની અપીલ કરતા તમામ સરપંચોએ સ્વિકાર કરીશ અને હાઇકોર્ટમાં લડત આપવા જરૂરી ફંડ ઉભુ કરવાની જરૂરિયાત સાથે આવતા મીટીંગમાં જ પાંચ લાખ રૂપિયાનું ફંડ સરપંચોએ પોતાના ગામોની સ્થિતી પ્રમાણે જાહેરાત કરી એકઠુ કરેલ અને ઇકો સેન્સેટીવ ઝોનનાં સુચીત કાયદા સામે સામૂહિત લડત આપવનો નિર્ધાર વ્યક્ત કરેલ છે.

લડત આપવા 5 ધારાસભ્યો હાઈકોર્ટમાં
ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં જંગલ સમીપનાં તાલુકા અને ગામડાને ઇકો સેન્સેટીવ ઝોનથી ભારે અસર થનાર હોય આ જિલ્લાઓનો વિકાસ અટકી જવા સાથે લોકોને ખેડૂતોને બાનમાં લેવા જેવા કાયદા સાથે લડત આપવા સોરઠનાં પાંચ ધારાસભ્યો જશુભાઇ બારડ (તાલાલા, સુત્રાપાડા), પુંજાભાઇ વંશ (ઊના), બાબુભાઇ વાજા (માંગરોળ-માળિયા), હર્ષદભાઇ રીબડીયા (વિસાવદર-ભેંસાણ), જવાહરભાઇ ચાવડા (માણાવદર-મેંદરડા) આ ધારાસભ્યો ઉપરાંત વિવિધ તાલુકાનાં 45 સરપંચો પણ હાઇકોર્ટમાં ગયા છે.

કાયદાકીય લડત માટે સરપંચો દ્વારા ફંડ
ધાવા (ગીર) નાં સરપંચ વિજય કનેરીયા (51,000), જશાપુરનાં સરપંચ પ્રવિણભાઇ ઠુમ્મર (51,000), બોરવાવ (ગીર) નાં સરપંચ પ્રકાશ બાપુ (51,000), ભીમદેવળનાં સરપંચ તનસુખપુરીબાપુ (31,000) ની જાહેરાત કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોન હેઠળ અા 25 ગામો
આંકોલવાડી, બોરવાવ, ધાવા, જાવંત્રી, ખીરદાર, જેપુર, રમળેચી, ચિત્રાવડ, હિરણવેલ, સાંગોદ્રા, ચિત્રોડ, બામણાસા, વાડલા, હડમતીયા, રાતીધાર, જશાધાર, ભોજદે, સુરવા, મોરૂકા, રસુલપરા, જશાપુર, લુશાળા, મંડોરણા, ધણેજ, અનીડા }જીતેન્દ્ર માંડવીયા

મેંદરડા-સાસણ વચ્ચેનો રોડ પહોળો થશે

  • DivyaBhaskar News Network
  • Aug 27, 2015, 07:45 AM IST
ઘણાલાંબા સમયથી માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની રસ્તાને લઇને માંગણી રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જેનું રાજ્ય સરકાર દ્વારા માણાવદરનાં વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં છે. કેટલા લાંબા સમયથી વનવિભાગો દ્વારા મેંદરડા-સાસણના રોડની મંજુરી આપવામાં આવતી હતી. તે માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ મેંદરડા-સાસણનો રોડ પહોળો અને નવનિર્માણ કરવાનું મંજુર કરાવ્યું છે.

માણાવદર તેમજ આજુબાજુના ગામના લોકોની ઘણાં લાંબા સમયથી જાંબુડા ગામનો રોડ બનાવવાની માંગણી કરવામાં આવી હતી. માંગણી મુજબ સરકારમાં સતત રજુઆત કરી પોતાની જનતા માટે સખત મહેનત કરનાર ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જાંબુડાના રોડ માટે રૂ. 60 લાખ મંજુર કરાવ્યા છે તેમજ માણાવદરના મેંદરડા ખડીયા રોડનું 17 કિમીનો રોડ 19 કરોડ 75 લાખના ખર્ચે ફોર ટ્રેક પહોળો થવાનું કામ પણ મંજુર કરાવ્યા છે. સરકારે કામ મંજુર કરી કાર્યપાલક ઇજનેરને તાત્કાલીક ટેનડર પ્રક્રિયા હાથ ધરાવાને આદેશ કર્યો છે. વનવિભાગ દ્વારા મેંદરડા-સાસણનાં રોડની મંજુરી ઘણાં કેટલાય સમયથી આપવામાં આવતી નહોતી તે મેંદરડા-સાસણનો 9 કિમીનો રોડ રૂ.37 કરોડ 25 લાખના ખર્ચે પહોળો તેમજ નવનિર્માણ કરવા માટે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. કામો તરત શરૂ કરવાનું ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું છે.

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે

જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે
  • DivyaBhaskar News Network
  • Aug 26, 2015, 05:50 AM IST
જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંત વિઠ્ઠલબાપુ તેમનાં સેવક સમુદાય સાથે જંગલનાં રસ્તેથી ભવનાથ અામકુ બીટમાં આવેલી કાશ્મીરીબાપુની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં બંને સંતોએ મળી એકબીજાનાં ખબરઅંતર પૂછ્યા હતા. તકે સેવક સમુદાય બે સંતોનાં અદ્ભુત મિલનનો સાક્ષી બન્યો હતો. સામાન્ય રીતે વિઠ્ઠલબાપુ જગ્યા છોડીને ક્યાંય જતા નથી. પરંતુ કાશ્મીરીબાપુ પ્રત્યેની તેમની અપાર લાગણી તેમણે ખેંચી લાવી હતી. }મેહુલ ચોટલીયા

સંતોનું મિલન

જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ

જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ
  • DivyaBhaskar News Network
  • Aug 25, 2015, 03:55 AM IST
જૂનાગઢ ગિરનારની ગોદમાં બિરાજમાન ચાર દાયકા જૂના ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર અત્યારે અપૂજ અને ખંઢેર હાલતમાં છે.જેને લઇ શિવભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ શ્રાવણ માસ નિમીતે પવિત્ર યાત્રા ધામ બોર્ડનાં સભ્ય યોગી પઢીયાર, શૈલેષ દવે સહિતનાં લોકોએ શીવની પૂજા કરી હતી. }મેહુલ ચોટલીયા

અપૂજ મહાદેવની પૂજા

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો

માણેકવાડા વાડી વિસ્તારમાંથી રાત્રે 8 ફૂટનો મગર પકડી લેવાયો
Bhaskar News, Keshod/ Manekvada

Aug 25, 2015, 00:20 AM IST
કેશોદ, માણેકવાડા: કેશોદ માણેકવાડા અને મઘરવાડાની સીમ નજીક આવેલ પરબતભાઈડાંગરના ખેતરમાં રાત્રે 11 વાગ્યે જોવા મળતા તેમણે ફોરેસ્ટવિભાગને જાણ કરી હતી. આથી અજાબ વનપાલ સહાયક સ્ટાફના એસ.બી. ચાવડા તેમની ટીમ સાથે માણેકવાડા સીમ ખાતે દોડી ગયા હતા અને ખેડૂત પરબતભાઈની વાડીમાં પહોંચી મગરને ઝડપી લેવા રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અને મગર કોઈ જાનહાનિ કે કોઈને ઈજા પહોંચાડે તે પહેલા ઝડપાઈ જતા માણેકવાડા અને મઘરવાડાના વાડી વિસ્તારના ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે માણેકવાડાના સરપંચ અલ્પાબેન મુકેશભાઈ સોનારાએ મગર પકડવા માટે વનવિભાગને રજુઆતો પણ કરી હતી.

શું કહે છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ?

રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.બી. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મગર વાડી વિસ્તારમાં આવ્યો હોવાની અમને રાત્રે 11:30 કલાકે જાણ કરવામાં આવી હતી. અને બે કલાકની જહેમત બાદ આ મગરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંદાજે 8 ફૂટ લંબાઈ ધરાવતો વિશાળકાય મગર 7 થી 8 વર્ષની ઉંમરનો અને માદા હોવાનું ફોરેસ્ટ અધિકારી ચાવડાએ જણાવ્યું હતું. રાણીંગપરા નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો તેને સાસણ મગર ઉછેર કેન્દ્રમાં મોકલી આપવામાં આવશે.

જાણો સિંહની મેટિંગ મેથડ: બારેમાસ સંવનન કરે, પણ ગર્ભધારણ ઓક્ટોબરમાં જ

Bhaskar News, Junagadh/ Liliya

Aug 24, 2015, 12:11 PM IST
- સિંહ બારેમાસ સંવનન કરે, પણ ગર્ભધારણ ઓક્ટોબરમાં જ
- મેટિંગ મેથડ: સંવનન કર્યા પછી પણ સિંહણનાં જનનાંગોમાં ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા થાય તો જ બચ્ચાંનો જન્મ થાય છે: જી સાયન્ટિસ્ટ

જૂનાગઢ લીલિયા: સિંહની વસતી સતત વધતી રહે એ માટે વનવિભાગ જ નહીં, સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે  છે, પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે. સિંહો બારેમાસ સંવનન કરે છે, પરંતુ ત્યાર પછી બચ્ચાં જન્મશે કે નહીં, એ બાબત સિંહણનાં જનનાંગોમાં થતી ઇન્ડ્યુસ પોરુલેશન નામની પ્રક્રિયા પર આધારિત હોય છે.

ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. એમ ડો. વાય. વી. ઝાલા કહે છે.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલા કહે છે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે.

આ પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. આ પ્રક્રિયા થાય તો જ સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે સંવનન થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આજ પ્રક્રિયા જવાબદાર
બચ્ચાં આપ્યા બાદ સિંહણ બે વર્ષ મેટિંગ કરતી નથી

બચ્ચાં આપ્યા બાદ સામાન્ય રીતે સિંહણ બે વર્ષ સુધી મેટિંગ કરતી નથી, કારણ કે જો કોઈ બીજા નર મેટિંગમાં આવે તો બચ્ચાંને મારી ન નાખે. અમુક કિસ્સામાં બે વર્ષ પહેલાં પણ સિંહણ હીટમાં આવી જાય છે અને મેટિંગ કરે છે.
જો કોઈ નર સિંહ બચ્ચાંનો પિતા હોય તો બચ્ચાં તેની સાથે રહે છે. સામાન્ય રીતે બીજા કોઈ સિંહ સાથે બચ્ચાં રહેતાં નથી તેમ ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટના રાજન જોષી જણાવે છે.

સિંહણ મેટિંગ બાદ 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે

ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા સિંહ ઉપરાંત વાઘ, દીપડામાં પણ થાય છે. સિંહણ મેટિંગ બાદ અંદાજે 110 દિવસ બાદ બચ્ચાંને જન્મ આપે છે. એટલે કે, તેનો ગર્ભાધાનકાળ 110 દિવસ હોય છે.

જૂનાગઢ શહેરમાં સિંહની લટારનો વિડીયો વાયરલ

DivyaBhaskar News Network

Aug 24, 2015, 04:50 AM IST
જૂનાગઢનાંવિલીંગ્ડન ડેમ ઉપર જવાનાં દાતાર રોડ ઉપર એક સિંહ લટાર માળવા નિક્યો હતો.જેનો વિડિયો વાયરલ થયો છે. દક્ષિણ ડુંગર રેન્જનાં ખોડિયાર રાઉન્ડમાં જવાનો તેનો કાયમીનો માર્ગ છે. અહીં અવાર નવાર સિંહ જોવા મળે છે.

ગિરનાર જંગલ નજીક વિસ્તારમાં અવાર-નવાર વન્ય પ્રાણી ચડી આવે છે.તેમજ સ્માર્ટ ફોન આવ્યા બાદ લોકો વન્ય પ્રાણીનાં ફોટા અને વિડિયો ઉતારી લેતા હોય છે.બાદ વિડિયો સોશ્યલ મિડિયા પણ મુકવામાં આવે છી. બાદ વિડિયો વાયરલ થયા છે. હાલ વિલીંગ્ડન ડેમ ઉપર જવાનાં દાતાર રોડ પર સિંહ લટાર મારવા નિકળ્યો હોય તેવો વિડિયો વાયરલ થયો છે.

સિંહનીવસતી સતત વધતી રહે માટે વનવિભાગ નહીં, સૌરાષ્ટ્રના લોકો

DivyaBhaskar News Network

Aug 24, 2015, 04:50 AM IST
સિંહનીવસતી સતત વધતી રહે માટે વનવિભાગ નહીં, સૌરાષ્ટ્રના લોકો ઇચ્છે છે, પરંતુ બચ્ચાંના જન્મ માટે સિંહણના જનનાંગોમાં થતી આંતરિક પ્રક્રિયા પણ એટલી જવાબદાર છે. સિંહો બારેમાસ સંવનન કરે છે, પરંતુ ત્યાર પછી બચ્ચાં જન્મશે કે નહીં, બાબત સિંહણનાં જનનાંગોમાં થતી ઇન્ડ્યુસ પોરુલેશન નામની પ્રક્રિયા પર આધારિત હોય છે.

ચોમાસા અને શિયાળા દરમિયાન ઇન્ડ્યુસ પોરુલેશનની પ્રક્રિયા બીજી સિઝન કરતાં વધુ થતી હોય છે. એટલે જે મેટિંગ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થાય તે દરમિયાન પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે, જેથી મેટિંગ સફળ રહે છે. એમ ડો. વાય. વી. ઝાલા કહે છે.

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો. વાય. વી. ઝાલા કહે છે, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે. તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે.

પ્રક્રિયા સિંહણની રજપીંડ ગ્રંથિમાં થતી હોય છે. પ્રક્રિયા થાય તો સિંહણને બચ્ચાં જન્મે. ઘણી વાર સિંહ-સિંહણ વચ્ચે સંવનન થવા છત્તાં તેની ફલશ્રુતિ થતી નથી. તેની પાછળ પણ આજ પ્રક્રિયા જવાબદાર છે.

પંચેશ્વરમાં યુવાન પર હૂમલો કરનાર દીપડો પાંજરે પુરાયો પંચેશ્વરમાં યુવાન પર હૂમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

DivyaBhaskar News Network

Aug 24, 2015, 04:50 AM IST
જૂનાગઢનાંપંચેશ્વરમાં તા.14 ઓગસ્ટનાં કુદરતી હાજતે ગયેલા યુવાન પર દીપડાએ હૂમલો કર્યો હતો.જેમાં યુવાનનું મોત નિપજ્યુ હતુ.બાદ વન વિભાગે દીપડાને પકડી પાડવા કવાયાત હાથ ધરી હતી. ગત મોડી રાત્રીનાં યુવાન પર હૂમલો કરનાર દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. પંચેશ્વર વિસ્તારમાં રહેતા જીતુભાઇ ખોડાભાઇ મકવાણા તા.14 ઓગસ્ટનાં કુદરતી હાજતે ગયા હતા. તે દરમિયાન દીપડાએ પાછળથી હૂમલો કર્યો હતો.હૂમલામાં ગંભીર ઇજા પહોચી હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ પી.જી.મારૂનાં માર્ગદર્શનમાં દીપડાને પડકી પાડવા માટે પાંજરૂ મકવામાં આવ્યો હતો.સાત દિવસ સુધી નીચલા દાતાર વિસ્તારમાં પાંજરૂ રાખવામાં આવ્યુ હતુ. ગત મોડી રાત્રીનાં યુવાન પર હૂમલો કરનાર દીપડો આવી ચડયો હતો અને પાંજરે પુરાઇ ગયો હતો.પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગે સક્કર બાગમાં મોકલી દીધો હતો. દીપડાની ઉંમર આશરે આઠ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ છે.

ઘાયલ સિંહ બતાવતા ગાર્ડનો મજુર પર હુમલો

DivyaBhaskar News Network

Aug 23, 2015, 07:15 AM IST
જૂનાગઢનાઇન્દ્રેશ્વર પાસેની ફોરેસ્ટ ઓફીસમાં મજુર તરીકે કામ કરતાં યુવાન પર ફોરેસ્ટ ગાર્ડે ઘાયલ સિંહ કેમ બતાવ્યો તે અંગે બોલાચાલી કરી અન્ય શખ્સને સાથે રાખી લાકડી તથા લોખંડના પાઇપથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે. સામે પક્ષે ગાર્ડ પર પણ મજુરે હુમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ જૂનાગઢના ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે આવેલી ફોરેસ્ટ ઓફીસમાં આજે સવારે ઘાયલ સિંહ અંગે કેમ જણાવ્યુ અને મને સિંહ કેમ બતાવ્યો તે મુદે ફોરેસ્ટ ગાર્ડ ડી.જે.વાંડા તથા જેતા પુંજા રબારીએ અલ્તાફ ઉર્ફે ડાડો મહમદ સીડા પર લાકડી અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. જેની જાણ 108ને થતાં પાયલોટ ભુપેન્દ્ર ગઢવી અને ડો. બાંભણીયાએ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

હુમલામાં પગ તથા હાથના ભાગે ફેકચર થયું હતું. અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ગાર્ડને પણ મજુરે માર મારી ભુંડી ગાળો આપી હોવાની ભવનાથ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવ અંગે પીએસઆઇ એસ.પી.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

જુસબ છોડવડીના જંગલમાંથી તમંચા અને ચાર કાર્ટીસ સાથે ઝબ્બે

જુસબ છોડવડીના જંગલમાંથી તમંચા અને ચાર કાર્ટીસ સાથે ઝબ્બે
  • Bhaskar News, Junagadh
  • Aug 23, 2015, 00:27 AM IST
- 21 ગુના, આઠ માસથી ત્રણ જિલ્લાની પોલીસને હંફાવનાર કુખ્યાત અને ભાગેડુ શખ્સ
- મહંતની હત્યાના ગુનામાં સાબરમતી જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ફરાર હતો : ભેસાણ પાસે ત્રણ માસ પહેલા પોલીસ પર ફાયરીંગ કર્યું હતું

જૂનાગઢ: જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસને હંફાવનાર હત્યા સહિતના 21 ગુન્હાનો કુખ્યાત આરોપી જુસબ અલ્લારખાને જડપી લેવામાં પોલીસને આખરે સફળતા સાંપડી છે. જૂનાગઢના મહંતની હત્યાના ગુન્હામાં સાબરમતી જેલમાં કાચાકામના કેદી તરીકે સજા ભાગવતો હતો બાદ પેરોલ પર છુટ્યા પછી ફરાર થઇ ગયો હતો. તે દરમિયાન ભેંસાણ પાસે પોલીસ પર ફાયરીંગ પણ કર્યુ હતું ત્યારે આજે ચોકકસ બાતમીના આધારે ભેંસાણના છોડવડીના જંગલ વિસ્તારમાંથી એક તમંચા અને ચાર જીવતા કાર્ટીસ સાથે એસઓજી એ દબોચી લીધો હતો. બનાવની મળતી વિગત મુજબ છેલ્લા આઠ માસથી કુખ્યાત આરોપી જુસબને પકડવા પોલીસે ત્રણ જિલ્લાઓ ખુંદી વાળ્યા  હતાં.

21 ગુન્હોઓની ક્રાઇમ કુંડળી ધરાવતો જુસબ 2012ની સાલમાં મહંત રામભારતીની હત્યાના ગુન્હામાં રામ ભારતીના ગુન્હામાં પ્રથમ જૂનાગઢની સેન્ટ્રલ જેલ બાદ સાબરમતી જેલના પાંજરે પુરાયો હતો. વર્ષ 2014ના નવેમ્બર માસમાં 22 દિવસનાં વચગાળાના જામીન પર છુટ્યા બાદ તે ફરાર થયો હતો. ફરાર થયા બાદ તેને અટક કરવા પોલીસે વિવિધ ટીમો બનાવી કોમ્બીંગ હાથ ધર્યું હતું. દરમિયાન ચાલુ વર્ષના મે માસમાં ભેંસાણ પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન છોડવડી ગામ પાસે તેને જોવામાં આવ્યો હતો. બાઇક પર પસાર થતા જુસબને પોલીસ ઓળખી જતાં પ્રથમ જુસબ બાઇક હંકારી ગયો અને પોલીસે તેનો પીછો કરતા તેની પાસે દેશી તમંચા વડે પોલીસ જવાન પર ફાયરીંગ કરી ઇજા પણ પહોંચાડી હતી.

દરમિયાન જુસબ જૂનાગઢના મેંદરડા, સાસણ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા અને અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાં દેખા દિધા હતા. અહીં પણ પોલીસને સચોટ માહિતી મળતા વિવિધ વિસ્તારોમાં છાપો માર્યો પરંતુ કુખ્યાત જુસબ દર વખતે પોલીસને હાથ તાળી આપી નાશી જવામાં સફળ રહ્યો હતો.

દરમિયાન જુસબને ઝડપાયા પોલીસના સતત પ્રયાસો વચ્ચે આજરોજ સચોટ મળેલી બાતમીના આધારે ના.પો.મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝાની સુચના અને એસ.પી. સૌરભ તૌલંબીયાના માર્ગદર્શન હેઠળ ના.પો.અધિ.એવી  ગખ્ખર લાઇઝનીંગ હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી. પીએસઆઇ આર.જે.ચૌધરી તથા ભેંસાણ પોલીસના સ્ટાફ દ્વારા ભેંસાણ વિસ્તારના રાણપુર અને છોડવડીના જંગલમાં ડુંગરાળ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી પોલીસટીમે ઝડપી પાડ્યો હતો. ત્યારે પ્રથમ જુસબ નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના નશીબે સાથ ન આપતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાદમાં પોલીસે તેને ઝડપી લેતા જુસબ પાસેથી એક દેશી તમંચો અને ચાર જીવતા કારતુસ
મળ્યા હતા.

પોલીસે જુસબને ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવશે. પેરોલ પર છુટ્યા બાદ એક માસ સુધી ફરાર કુખ્યાત આરોપી જુસબે આઠ માસ દરમિયાન ક્યાં-ક્યાં સ્થળોએ આશરો લીધો અને તેને કોણે-કોણે મદદગારી કરી તેમજ આઠ માસ દરમિયાન અન્ય કઇ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો. એ બાબતો પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવશે.

અશોક શિલાલેખ પાસે ઓટલે સુતેલા ભિક્ષુકને સુંઘી વનરાજે ચાલતી પકડી

DivyaBhaskar News Network

Aug 22, 2015, 09:00 AM IST
સિંહોજૂનાગઢ શહેરનાં પાદરે રોજબરોજ આંટા મારતા હોય હવે જૂનાગઢવાસીઓ માટે નવી વાત નથી. શહેરમાંથી ભવનાથ તળેટી જતા રસ્તે અશોક શિલાલેખ પાસેનો વિસ્તાર વનરાજોનો રોજીંદો રૂટ બન્યો છે. અને છાશવારે અહીં લોકોને મોડી રાત્રે કે પછી વ્હેલી પરોઢે સિંહદર્શન થતા હોય છે. જોકે, અાજે એક અજબ જેવી ઘટના બની હતી. જેનો આંખે દેખ્યો અહેવાલ શ્રાવણ માસ નિમીત્તે જટાશંકરનાં દર્શને જતા ભાવિકો વર્ણવતી વખતે રોમાંચિત થઇ ઉઠે એવો છે.

વાત જાણે એમ બની કે, જૂનાગઢ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેનનાં પીએ તરીકે ફરજ બજાવતા વિરાટ જગદીશભાઇ ઠાકર, કોમર્શીયલ કોઓપરેટીવ બેંકનાં મેેનેજર રાજુભાઇ મારડીયા અને વંથલી કોમર્શીયલ કોઓપરેટીવ બેંકમાં ફરજ બજાવતા કેતનભાઇ ઠાકર શ્રાવણ માસ નિમીત્તે રોજ સવારે જટાશંકર મહાદેવનાં દર્શને જાય. આજે સવારે તેઓ પાંચેક વાગ્યાનાં અરસામાં બે બાઇક પર સ્મશાન પાસે પહોંચ્યા. જ્યાં તેઓએ વીસેક કૂતરાને ભસતા દીઠા. કદાચ દિપડો આસપાસમાં હશે એમ તેઓએ માન્યુુું. અને બાઇક ત્યાંજ થંભાવી દીધી. જોકે, આગળ તેઓએ જોયું તો એક સિંહ અશોક શિલાલેખથી પાછળનાં ડુંગરમાંથી ઉતરી આવ્યો હતો. અને રામટેકરી પાસેનાં રોડ પર અસલ રજવાડી ઠાઠથી લટાર મારતો હતો. એવામાં અન્ય વાહન ચાલકો પણ ત્યાં ઉભા રહી ગયા. સહુએ જોયું કે, બીજા બે પાઠડા પણ એજ ડુંગરમાંથી રોડ પર ઉતરી આવ્યા. અને મેલડી માતાનાં મંદિર પાસે ઓટલા પર સુતેલા ત્રણેક ભિક્ષુક જેવા લોકો તરફ ગયા. બંને સિંહોએ ચાદર ઓઢીને નિદ્રાધીન થયેલા એક ભિક્ષુકની લગોલગ જઇ તેને સુંઘવા લાગ્યો. તરફ ઉભા રહી ગયેલા લોકોને લાગ્યું હમણાં પેલા ભિક્ષુકને ઉપાડી જશે. જોકે, એટલીવારમાં વીસેય કૂતરાં વધુ જોશથી ભસતાં એકસાથે સિંહો તરફ આગળ વધ્યા. વળી એકઠા થઇ ગયેલા વાહનોનાં અવાજ અને હેડલાઇટોનાં અજવાળાંને લીધે સિંહોએ નજર વાળી લીધી. અને સોનરખ નદીની ધારમાં ટબુડી વાવ તરફ ઉતરી જંગલમાં ચાલ્યા ગયા. આખી ઘટના પૂરી થયા બાદ કૂતરાંને ભસતા સાંભળી પેલા ભિક્ષુકની ઉંઘ ઉડી ગઇ. વાહન ચાલકોએ તેને બનેલી ઘટના કહેતાં તે અવાચક થઇ ગયો. નજરે જોયેલી ઘટના અંગે વિરાટભાઇ કહે છે, અાવું દૃશ્ય પહેલી વાર જોયું. ભિક્ષુક પાસે સિંહ પહોંચ્યો ત્યારે અમે તેને કાંઇ થાય માટે જટાશંકર મહાદેવને પ્રાર્થના કરતા હતા.

શ્રાવણ માસ નિમીત્તે રોજ જટાશંકર જતા ભાવિકોએ નજરોનજર નિહાળેલું દૃશ્ય

સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન

સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન
  • DivyaBhaskar News Network
  • Aug 19, 2015, 08:50 AM IST
સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી ગામના નવદુર્ગા મંદિરના પટાગણમાં કરવામાં આવી હતી. જેમાં વનવિભાગના આરએફઓ કેલીયા, તાલુકા વિકાસ અધિકારી જે.ડી.અગ્રાવત, મામલતદાર નસીમબેન, સુત્રાપાડા કોલેજના આચાર્ય આર.પી.પાઠક વગેરે સમાજના આગેવાનો સહિત લોકોએ ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. } સંજયઝાલા

સુત્રાપાડામાં 66માં વનમહોત્સવની ઉજવણી

ગીરગઢડા પાસે કેનાલમાંથી દીપડાનો મળ્યો મૃતદેહ

ગીરગઢડા પાસે કેનાલમાંથી દીપડાનો મળ્યો મૃતદેહ
Bhaskar News, Una

Aug 19, 2015, 01:01 AM IST
ઊના: ગીરગઢડા પાસે મચ્છુન્દ્રી કેનાલમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. બીમારીનાં લીધે તેનું મોત થયાનું વન વિભાગે જણાવ્યું હતું. ગીરગઢડા નજીક દ્રોણ રોડ પર વાડી વિસ્તારમાં આવેલ મચ્છુન્દ્રી કાંઠે ઘેટા-બકરાને ચરાવતા ગોવાળને કેનાલની અંદર દીપડાનો મૃતદેહ પડેલો જોવા મળતાં જિ.પં.નાં સદસ્ય બાલુભાઇ હિરપરાને જાણ કરતાં તેઓએ વનતંત્રને ટેલિફોનથી વાકેફ કરતાં જશાધારનાં આરએફઓ પંડયા, ફોરેસ્ટર પોપટાણી સહિતનાં સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જશાધાર લઇ આવ્યા હતાં. આ અંદાજે 14 વર્ષની ઉંમરનાં દીપડાનું મોત બીમારીને કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ વનતંત્રએ જણાવ્યું હતું.

ગીરનાં માલધારીઓને વનરક્ષક તરીકે નોકરી આપવા બુલંદ માંગ

DivyaBhaskar News Network

Aug 18, 2015, 04:45 AM IST
જૂનાગઢમાંકન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટમાં ગીરનાં માલધારીઓએ ધો.10 પાસ દિકરા-દિકરીને નોકીર આપવા માંગ કરી છે. ગીરમાં રહેતા નેસ વિસ્તારમાં વસતા ભણેલા વિદ્યાર્થીઓને જંગલ ખાતામાં ગર્વમેન્ટ સર્વિસ મળે તેવી માંગ કરી હતી. માલધારી સમાજે જણાવ્યું હતુ કે માલધારી સમાજને જંગલમાંથી બહાર મોકલી આપવામાં આવે છે. અને માલધારી સમાજને જંગલમાં રહીને માલ સિવાઇની અન્ય કોઇ આવક નથી તેની માલધારી સમાજનાં બાળકોને હેરાનગતિ થવાની રજૂઆત કરી હતી. તેમજ જંગલમાં રહેતા હોવાથી તેમના દિકરા-દિકરીઓમાં યોગ્ય લાયકાત છે અને જંગલનો પણ અનુભવ હોય છે. માલધારીઓ બહારનાં લોકોને બાતમી આપે છે અને ફેરણા પગાર વિના ઉપાડે છે. બહારનાં વનકર્મીઓ અમુક જગ્યાએ જઇ શકતા નથી તેથી પ્રાણીઓનું મૃત્યુ થાય છે. જો માલધારીઓને ભરતી કરવામાં આવે તો જંગલ કેમ બચાવવું વન્યપ્રાણીઓનું કેમ રક્ષણ કરવુ અને કેવી રીતે ફેરવણું કરવુ તેનો ખ્યાલ હોય છે. ટૂંકમાં વનરક્ષક તરીકે ગીરનાં માલધારીઓનાં ધો.10 પાસની લાયકાતવાળાને નોકરીમાં અગ્રતા આપવામાં આવે તેવી માંગ માલધારી વિકાસનાં પ્રમુખ કાનાભાઇ આપાભાઇ ચારણે કરી છે.

ગિરનાર પર્વત ઉપર દર મહિને બે યાત્રાળુનાં હદય રોગથી થઇ રહ્યા છે મૃત્યુ


ગિરનાર પર્વત ઉપર દર મહિને બે યાત્રાળુનાં હદય રોગથી થઇ રહ્યા છે મૃત્યુ

Sarman Ram, Junagadh

Aug 17, 2015, 01:51 AM IST
- ધુમ્મસ અને વાદળ છાયા વાતાવરણમાં વધુ અસર
- પર્વત ઉપર તાત્કાલીક સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરી શકાય

જૂનાગઢ: ગુજરાતનાં ઉંચા પર્વત એવા ગિરનાર ઉપર વર્ષે દહાડે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવી રહ્યા છે. પર્વતની ઉચાઇનાં કારણે 50 વર્ષથી ઉપરનાં યાત્રાળુનાં હદય રોગનાં હુમલાથી મોત થઇ રહ્યા છે. સરેરાશ દર મહિને બે યાત્રાળુ પોતાનાં જીવ ગુમાવી રહ્યા છે.ત્યારે યાત્રાળુને છાતીમાં દુ:ખાવો પડે ત્યારે જો તેને સારવાર મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવતો મહદઅંશે યાત્રાળુનાં જીવ બચાવી શકાય તેમ છે.

વૈશ્વણ દેવી કે તેના જેવા અન્ય સ્થળ ઉપર જતા યાત્રાળુઓની આરોગ્યકારી સેવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.તેમજ વૈશ્વણ દેવી ઉપર કોઇને તાત્કાલીક સારવારની જરૂર પડે તો મળી રહે છે.પરંતુ અતિ કઠીન ગિરનાર યાત્રા દરમિયાન કોઇ યાત્રાળુનો તાત્કાલીક સારવારની જરૂર ઉભી થઇ તો ફરજીયાત નીચે ઉતરવુ પડે છે.ત્યા સુધીમાં તો મોડુ થઇ ગયુ હોય છે. બે દિવસ પહેલા પુણેનાં યાત્રાળુનો હદય રોગનાં હૂમલાથી મોત નિપજ્યુ હતુ. તેમને છાતીમાં દુ:ખાવો ઉપડયા બાદ સારવાર માટે નીચે લાવ્યા હતા.પરંતુ સારવાર મળે તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતુ.

આ અંગે તપાસ કરતા છેલ્લા અઢિ માસમાં ગિરનાર પર્વત ઉપર આવેલા છ યાત્રાળુઓનાં હદય રોગનાં હૂમલાથી મોત નિપજ્યા છે. એટલે કે સરેરાશ દર મહિને બે યાત્રાળુનાં મોત થઇ રહ્યા છે.ત્યારે ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદીર,જૈન દેરાશર, કમંડલ કુંડ કોઇ પણ જગ્યાએ કાયમી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તો છાતીમાં દુ:ખાવો પડે ત્યારે તાત્કાલીક સારવાર મળી શકે.તેમજ શરૂઆતમાં પ્રાથમીક સારવાર મળી જાય બાદ નીચે વધુ સારવાર મળતા મહદઅંશે લોકોને બચાવી શકાય તેમ છે. તેમજ જેના મૃત્યુ થયા છે તમામની ઉમર 50ની ઉપરની છે. મોટી ઉંમરનાં લોકોએ ગિરનાર પર્વત ચડતી વખતે પણ તકેદારી રાખવાની જરૂર છે. તેમજ જે યાત્રાળુઓને હૃદયરોગ કે અન્ય બિમારી છે તેમને સાથે દવા વગેરે રાખવી જોઇએ જેથી કરીને સારવાર સ્થળ પર મળી રહે.

સુચનાત્મક બોર્ડ ગિરનાર સીડી પર મુકવા જોઇએ

ગિરનાર યાત્રાએ આવતા લોકો પર્વત ચડતી વખતે શારિરીક મુશ્કેલી પડે ત્યારે તેમને માહિતી મળી રહે તેમાટે સુચનાત્મક બોર્ડ મારવા જોઇએ.ઉપરાંત તાત્કાલીક સારવાર માટે હેલ્પલાઇન ચાલુ કરવી જોઇએ.અથવા  એક ટીમ તૈનાત રાખવી જોઇએ. જે આ ટીમ ઉપર કોઇ ઘટના બને તે તાત્કાલીક ઉપર પહોંચી દર્દીને નીચે લઇ આવવી શકે.

ડોળીવાળા મૃતકોને વિના મૂલ્યે નીચે ઉતારે છે

ગિરનાર પર્વ ઉપર આવતા યાત્રાળુઓને ડોળીવાળા ઉપર સુધી દર્શન કરવા લઇ જાય છે. જેની નક્કી કરેલી ફી લેશે. પરંતુ જયારે ગિરનાર પર્વત ઉપર કોઇ યાત્રાળુઓનું હૃદયરોગનાં હુમલાથી કે અન્ય રીતે મોત નિપજે છે. ત્યારે વિના મૂલ્યે નીચે ઉતારી માનવતા નિભાવી રહયાં છે.

પ્રાથમિક સારવાર કેન્દ્ર માટે રજૂઆત કરાશે

પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડનાં સભ્ય યોગીભાઇ પઢિયારે જણાવ્યુ હતુ કે, યાત્રાળુનાં હદય રોગનાં હુમલાથી મોત થયાની સમાચાર મળ્યા છે. મહિનામાં આવી ઘટનાઓ બની હોવાનાં  સમાચાર અખાબારનાં માધ્યમથી જાણવા મળ્યુ છે.યાત્રાળુઓને ગિરનાર પર્વત ઉપર સારવાર મળી રહે તે માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર માટે રજૂઆત કરાશે.
યાત્રાળુને સારવાર મળે તે માટે પ્રયાસ થશે

જૂનાગઢ જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ જણાવ્યુ હતુ કે, ગિરનાર યાત્રાળુ આવી રહ્યા છે.તેમાથી કેટલાક યાત્રાળુનો તબીય બગડતા નિધન થાય છે.ત્યારે આવા યાત્રાળુ માટે ગિરનાર પર્વત ઉપર પ્રાથમિક સારવાર  કેન્દ્ર ઉભુ થવું જોઇએ.ગિરનાર પર્વત ઉપર યાત્રાળુઓને સારવાર મળી રહે તે માટે હુ પ્રયાસ કરીશ.

છાતીમાં ભાર લાગતા ઉભા રહી જવુ જોઇએ

એમડી ફીઝિશયન ડો.અઘેરાએ જણાવ્યુ હતુ કે,ગિરનાર પર્વત જેવી ઉચાઇ પર જવાથી હદય રોગની તકલીફ હોય તેવા લોકોને છાતીમાં વજન લાગે તેવુ જાય છે.ત્યારે આવા લોકોએ ઉભા રહી જવુ જોઇએ.તેમજ પરત ફરી જવુ જોઇએ.તેમ છતા આગળ વધવાથી દુ:ખાવો વધી જાય છે.અને પછી તાત્કાલીક સારવાર ન મળતાની મૃત્યુ થઇ શકે છે.

ઠંડા વાતાવરણમાં વધુ અસર થાય છે

સામાન્ય રીતે હદય રોગની બીમારી ધરવાતા લોકોને ઠંડીની વાતાવરણમાં વધુ અસર થતી હોય છે.તેમજ ગિરનાર પર્વત ઉપર સામાન્ય દિવસોમાં પણ ઠંડુ વાતાવરણ હોય છે. ગિરનાર પર્વત ઉપર સૌથી વધુ શિયાળો અને સોમાચામાં બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને આ સમયે ધુમ્મસ અને વાદળો નીચા હોવાના કારણે વધુ અસર થાય છે.

ગિરનાર જંગલમાં સિંહની સુરક્ષામાં સીસીટીવી કેમેરા, સુરક્ષાને લઈને સરકાર સર્તક


ગિરનાર જંગલમાં સિંહની સુરક્ષામાં સીસીટીવી કેમેરા, સુરક્ષાને લઈને સરકાર સર્તક

  • Bhaskar News, Junagadh
  • Aug 17, 2015, 00:01 AM IST
- ગિરનાર જંગલમાં સિંહની સુરક્ષામાં સીસીટીવી કેમેરા
- સિંહને પજવણી કરનારા લોકો પર નજર રાખશે
- જાબુંડી અને બોરદેવીનાં નાકાએ બે કેમેરા લગાવાયા છે

જૂનાગઢ: ગીર અને ગિરનાર જંગલમાં સિંહનો વસાવટ છે. સિંહનાં સવર્ધન અને સુરક્ષાને લઈને સરકાર સર્તક છે ત્યારે ગિરનાર જંગલની બંને રેન્જમાં સિંહની સુરક્ષાને ધ્યાને રાખીને સીટીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. ગિરનારની ઉતર અને દક્ષિણ રેન્જના બોરદેવી અને જાબુંડી નાકાએ એક-એક સીસીટીવી કેમેરા લગાડાયા છે, જે સિંહ અને લોકોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.

એશિયાટિક સિંહના સંવર્ધન અને સુરક્ષા મુદ્દે સરકાર અને વન વિભાગે સિંહો પર નજર રહે તે માટે જંગલનાં જુદા-જુદા વિસ્તારમાં કેમેરા મૂકવાનું આયોજન કરાઈ રહ્યું છે. તાજેતરમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ગિરનાર જંગલ, ગીર, અમરેલી, ભાવનગરમાં સિંહની વસ્તીમાં વધારો નોંધાયો હતો. છેલ્લી વસતી ગણતરીમાં સિંહની સંખ્યા 523એ પહોંચી ગઈ હતી.

આગામી દિવસોમાં  નેટ સાથે કનેક્ટ કરાશે

હાલ માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે તેને નેટ સાથે કનેક્ટ કરાયા નથી. સીસીટીવી કેમેરાનું કાર્ડમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે. સમયાંતરે કાર્ડ કાઢી તપાસ કરવામાં આવે છે. આગામી દિવસોમાં કેમેરાને નેટ સાથે જોડાશે અને એક જગ્યાએથી બીજી જંગ્યાએ તેમની જંગલની મુવમેન્ટ જોઈ શકાશે.
બંને રેન્જમાં 10 જેટલી જગ્યાએ કેમેરાની જરૂર

હાલ તો બંને રેન્જમાં માત્ર બે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, પરંતુ હજુ બંને રેન્જમાં અંદાજે 10 જેટલા સ્થળ પર સીસીટીવી કેમેરા મૂકવાની જરૂર છે. આગામી સમયમાં આ 10 સ્થળે કેમેરા મૂકવામાં આવે તેવું આયોજન છે.

ગિરનારનાં પાટુરણ વિસ્તારમાંથી બીમાર હાલતમાં સિંહબાળ મળ્યું

DivyaBhaskar News Network

Aug 15, 2015, 09:45 AM IST
ગિરનારઉતર ડુંગર રેન્જનાં પાટુરણ વિસ્તારમાં બિમાર સિંહબાળ મળી આવ્યુ હતુ.તેની પગમાં ઇજા થઇ હોય વન વિભાગની ટીમ દોડી ગઇ હતી.અને સારવાર આપવા માટે કવાયત હાથ ધરી હતી.

ગિરનાર ઉતર ડુંગર રેન્જનાં બિમાર હાલતમાં સિંહબાળ જોવા મળ્યુ હતુ.જેની જાણ વન વિભાગે જતા વિન વિભાગની રેશ્યુટીમ , તબીબ ટીમ સાથે પહોચી ગયા હતા.તેમજ તેને પાંજરે પુરી સારવાર આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે આરએફઓ એસ.ડી.ટીલાળાએ જણાવ્યુ હતુ કે,15 મહિનાનું સિંહબાળ છે.તેનાં પગમાં ઇજા થઇ હોવાનાં કારણે લગડુ ચાલી રહ્યુ છે.તેને સારવાર આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગીરનાર સ્પર્ધાને સતાવાર રીતે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

ગીરનાર સ્પર્ધાને સતાવાર રીતે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
  • Bhaskar News, Junagadh
  • Aug 15, 2015, 00:13 AM IST
- અગાઉ ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં નોંધાયેલ

જૂનાગઢ: છેલ્લા 44 વર્ષથી ચાલતી ગીરનાર આરોહણ સ્પર્ધાને ચાલું વર્ષે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સતાવાર સ્થાન મળ્યું છે. અગાઉ આરોહણ સ્પર્ધાને ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં સ્થાન મળી જ ચુક્યુ છે. જ્યારે ગત 4 જાન્યુઆરીએ સ્પર્ધા યોજાઇ ત્યારે સ્થળ પરજ વહીવટીતંત્રને  અમેઝીંગ એવોર્ડ પણ મળ્યો હતો. જ્યારે હવે લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં ગીરનાર સ્પર્ધાને સ્થાન મળતા ફરી એક વખત ગીરનાર સ્પર્ધા રાષ્ટ્રીય સ્તરે ઝબુકી છે.

યુવાનો માટે સાહસ અને શૌર્યના પ્રતિક સમાન ગીરનાર આરોહણ સ્પર્ધાને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં જૂનાગઢ માટે ગૌરવપ્રદ બાબત છે. અગાઉ આ રેકોર્ડ નોર્વેમાં યોજાયેલી સ્પર્ધામાં 972 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે ગીરનાર સ્પર્ધામાં 22 જિલ્લાના 2324 સ્પર્ધકોએ ભાગ લઇ તે પૈકીના 2122 સ્પર્ધકોએ સ્પર્ધા નિયત સમય મર્યાદા એટલે કે 3 કલાકની અવધીમાં પુર્ણ કરી લેતા નોર્વેની સ્પર્ધાને ટક્કર મારી સાથી વધુ સ્પર્ધકો સાથે પર્વત સર કરવાનો રેકોર્ડ અંકીત કર્યો હતો.

જોકે, એવોર્ડ માટે જિલ્લાનાં કલેક્ટર આલોક કુમાર પાંડેનાં માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા ભારે તૈયારીઓ પણ કરાઇ હતી. તેમજ ગીરનાર સ્પર્ધાને રાષ્ટ્રીય સ્તરે નામનાં મળે એ માટે વહીવટી તંત્રના પ્રયાસો રહ્યા હતા. ગત 4 જાન્યુઆરીના યોજાયેલ સ્પર્ધામાં અમેઝીંગ એવોર્ડ પણ સ્થળ પર જ મેળવ્યા હતો. જયારે અગાઉ પણ ગીરનાર સ્પર્ધાએ ગીનીશ બુક ઓફ વર્લ્ડરેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા બાદ વધુ એક એવોર્ડ મળતા જૂનાગઢ વાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી.