Saturday, September 30, 2017

ગીરગઢડાના જુડવડલી ગામે દીપડાનું બચ્ચું આખી રાત મકાનમાં પુરાઇ રહ્યું

Bhaskar News, Una | Last Modified - Sep 23, 2017, 12:59 AM IST
ઘરનાં સભ્યોએ બિલાડી ઘુસી હોવાનું માન્યું હતું, બેટરીનો પ્રકાશ કરતા ઘટસ્ફોટ થયો
+1 બીજી સ્લાઈડ્સ જુઓ
ઉના: ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામેના છેવાડે આવેલા ધનજીભાઇ અરજણભાઇ રામાણીના મકાનના ડેલાની દિવાલ કુદી દીપડાનુ બચ્ચુ ઘરમાં ઘુસી ગયું હતું. આ ઘરમાં નાના બાળકો સુતેલા હોય ઘરના સભ્યોએ બિલાડી આવી હોવાનું માની ધ્યાન આપેલ નહી પણ મોડી રાત્રીના દીપડાના બચ્ચાએ ઉધામો કરતા ઘરમાં રહેલ ધનજીભાઇએ અંધારામાં બેટરીનો પ્રકાશ મારી જોતા આ બિલાડી નહી પરંતુ દીપડીનું આઠ થી નવ માસનું બચ્ચુ હોવાનું જોવા મળતા
આ બાબતે જશાધાર રેન્જના વનવિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમના અધિકારી ભીમજીભાઇ મયાત્રા, માનસીંગભાઇ, મામદભાઇ ભાવીન સોલંકી, પ્રતાપભાઇ સહીતનો સ્ટાફ દોડી ગયો હતો.
વહેલી સવારે રૂમમાં પાંજરૂ મુકી દીપડાના બચ્ચાને કોઇપણ નુકશાન કે ઇજા ન પહોચે તેમજ રૂમમાં સુતેલા પરિવારના બાળકોની સલામતીને ધ્યાને રાખી વનવિભાગે આ દીપડાના બચ્ચાંને પકડવા રેસક્યુ કર્યુ હતું અને એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યું હતું.
બાળકો બિલાડી સમજી દીપડાના બચ્ચાને જોતા રહ્યા
દીપડાનુ બચ્ચુ ઘરમાં ઘુસી તેજોરી પાસે બેસી ગયુ અને ઘરમાં રહેલા નાના બાળકો તેને જોઇ બિલાડી સમજી જોતા રહ્યા આખીરાત્રી દરમ્યાન આ દ્રશ્ય પરિવારના સભ્ય ભય હેઠળ નજરે નિહાળી હતી અને વનવિભાગના અધિકારીઓએ આજના ટેકનોલોજીક સાધનનો ઉપયોગ કરી લેઝર સ્ટીકના આધારે દીપડાના બચ્ચાને શોધી કાઢેલ હતું.
બચ્ચાંની માતાને શોધવા વનવિભાગની કવાયત

દીપડાના બચ્ચાને પકડી લીધા બાદ આ વિસ્તારમાં તેની માતાનું પણ આગમન થયુ હોય તેવુ લોકો માનતા હોય વનવિભાગે દીપડીના પણ શોધવા માટે કવાયત હાથ ધરવી જોઇએ.

જીવિત મચ્છરાજને દરિયામાં મુકત કરાઇ ને નાંદણ કાંઠે મૃતદેહ મળ્યો

મૃત માછલીની પુંછ, મીણ, અન્ય અંગની લાખોની કિંમત ગણાઇ છે
 
જૂનાગઢ:ઉના તાલુકાના નવાબંદરનાં દરિયા કિનારે બે દિવસ પહેલા ત્રીસ ફુટ લાંબી અને દશ ટન વજન ધરાવતી મચ્છરાજ માછલી જીવીત મળી આવ્યા બાદ બોટની સહાયતાથી દરિયામાં મુકત કરી દેવાઇ હતી. આ મહાકાય માછલી નાંદણ દરિયાકાંઠે મૃત અવસ્થામાં મળી આવતા લોકોમાં અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.
ઊનાનાં નવાબંદરનાં દરિયામાં મચ્છરાજ નામની શક્તિશાળી માછલી અચાનક કુદરતી રીતે તણાઇ જીવીત આવી ચડતા બંદર કાંઠા પર કાદવ કિંચડમાં ફસાઇ જતાં માછીમારોએ તેને બહાર કાઢવા પ્રયત્નો કરાયેલ પરંતુ ખસેડી શકાતી ન હતી. 10 ટન વજન અને 30 ફુટની લંબાઇની મચ્છરાજ અચાનક નવાબંદરના દરિયા કાંઠે આવી ચડતા લોકો અને માછીમારો તેને જોવા ઉમટી પડેલ હતા. જીવીત માછલીને બચાવવા લોકોએ સતત મહેનત કરી ઉંડા પાણીમાં ધકેલવા પ્રયાસ કરવા છતાં માટીમાં ખુંચી જવાના કારણે બહાર કાઢવા અને સુરક્ષીત રીતે પાણીમાં ઉતારવા પ્રયાસ શરૂ કરાયાં છે.
ફિણ બની જાય છે મીણ

મચ્છરાજ મોં માંથી ફિણો કાઢે ત્યારે સેંકડો કિ.મી. સુધી ફેલાઇ અને આ ફિણો મીણ બની જાય છે. આ મીણ લોકોના શરીરના સ્નાયુ માટે મહત્વનાં ઉપયોગી બનતા હોય છે. મચ્છરાજ પોતાના શ્વાસ ક્રિયા મારફત પરંત પણ લઇ લેવાની શક્તિ ધરાવે છે.

પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો

Bhaskar News, Medarda | Last Modified - Sep 26, 2017, 04:04 AM IST
મેંદરડાનાં દાત્રાણામાં રવિવારનાં રાત્રીની ઘટનાથી હાહાકાર
પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો
પિતા પાસે સુતેલા બાળકને દીપડાએ 200 મીટર દૂર ઢસડી જઈ ફાડી ખાધો
મેંદરડા: મેંદરડાનાં દાત્રાણા ગામે ગૌચરની જગ્યામાં રહેતા શ્રમિક પરિવારોનાં ઝુંપડામાં રાત્રીનાં કાળ બનીને આવેલા દિપડાએ એક માસુમ ફુલને પીંખી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાનાં દાત્રાણા ગામે ગોધમપુર જવાનાં રસ્તા પર છેલ્લા 20 વર્ષથી ઝુંપડા બનાવીને રહેતા નાથબાવા સમાજનાં શ્રમિકોનાં વિસ્તારમાં ગત રાત્રીનાં 12 વાગ્યાનાં અરસામાં દિપડો જાણ કાળ બનીને ત્રાટક્યો હતો અને આ ઝુંપડાઓમાંથી એક ઝુંપડામાં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ બાંભણીયા તેના એક પુત્ર અને પુત્રી સહિતનાં પરિવાર સાથે સુતા હતા.
તેવામાં મોડી રાત્રે 12 વાગ્યાનાં અરસામાં દિપડાએ આવી દિનેશભાઈની સાથે સુતેલા તેમનાં 3 વર્ષનાં માસુમ પુત્ર ચના ને કમરનાં ભાગેથી ઉપાડી લીધેલ અવાજ થતા દિનેશભાઇની ઉંઘ ઉડતા તેમણે હાકલા પડકારા કરતા દિપડો માસુમને લઇને ત્યાંથી નાસી ગયેલ જે બાદ આસપાસનાં ઝુંપડાઓમાં રહેતા લોકોએ દિપડાનો પીછો કરતા 200 મીટર દુર માસુમને છોડી દિપડો નાસી ગયેલ બાદમાં લોકો માસુમ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં દિપડાએ તેને વિંખી નાખ્યો હતો.
તેમનાં બન્ને પગ શરીરથી અલગ પડી જતા બાળકની લાશ વિકૃત બની ગયેલ,ઘટનાની જાણ ગામલોકોને થતા લોકો એકત્ર થઇ ગયેલ અને બાદમાં વનવિભાગને જાણ કરાતા આરએફઓ વી.પી.ગઢવી સહિતનાં સ્ટાફે સ્થળ પર આવી પંચ રોજકામ કરી પાંજરું મુકવાની વ્યવસ્થા ગોઠવેલ,અત્રે નોંધનિય છે કે આ વિસ્તારમાં અવાર નવાર દિપડાનો ત્રાસ વધતો જાય છે થોડા સમય અગાઉ જ દાત્રાણા પાસેનાં નાગલપુરમાંથી સતત 3 દિવસ દિપડા પાંજરે પુરાયા હતા જ્યારે આ વખતે દિપડાએ માસુમને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ છે.

દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય

Bhaskar News, Mendarada | Last Modified - Sep 27, 2017, 04:49 AM IST
મેંદરડાનાં દાત્રાણામાં સોમવારે ઘટના બની હતી
દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય
દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય
મેંદરડા: દાત્રાણા ગામે સોમવારે દીપડાએ ફાડી ખાતા ત્રણ વર્ષનાં બાળકનું મોત નિપજયું હતું. મેંદરડાનાં દાત્રાણા ગામે ગોધમપુર રોડ પર રહેતા દિનેશભાઈ મનસુખભાઈ બાંભણીયાનાં 3 વર્ષનાં પુત્ર ચનાનું દીપડાનાં હુમલામાં મોત નિપજયાં બાદ સરકાર દ્વારા મંગળવારે મૃતકનાં પરિવારને 4લાખની સહાયનો ચેક અપાયો હતો. આ તકે ધારાસભ્ય જવાહર ચાવડા, ડીએફઓ સિંઘ,આરએફઓ ગઢવી , સરપંચ વિઠ્ઠલભાઈ સહિત ઉપસ્થિત રહેલ અને પરિવારને સાંત્વના આપી હતી.
બાળકનો ભોગ લેનાર દીપડી પાંજરે પુરાઇ

3 વર્ષનાં માસુમનો ભોગ લેનાર દીપડીને પકડવા વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવેલ અને મંગળવારે વહેલી સવારે દીપડી પાંજરે પુરાઇ જતાં તેને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી. દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો સેંકડો બકરા બન્યા રોગનો ભોગ

Bhaskar News, Khambha | Last Modified - Sep 25, 2017, 12:55 AM IST
ટુંકી બિમારી બાદ બકરાઓ ટપોટપ મરી રહ્યાં છે : રોગ કાબુમાં નથી આવતો, માલધારીઓ મુંઝવણમાં મુકાયા
ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો  સેંકડો બકરા બન્યા રોગનો ભોગ
ખાંભામાં બકરામાં ભેદી રોગચાળો સેંકડો બકરા બન્યા રોગનો ભોગ
ખાંભા: ખાંભા તાલુકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે. અને અહીં તાલુકાના લોકો ખેતી અને દૂધ ઉપર જ નિર્ભર છે. ત્યારે ખેતીમાં પણ આ વર્ષ નબળી થવાની ભીતિ છે ત્યારે બીજી તરફ પશુમાં પણ રોગચાળો ફેલાતા માલધારીઓ પણ વિસામણમાં મુકાયા છે. પોતાના મહામુલા પશુઓ ટૂંકી બીમારીમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે ખાનગી ડોકટરો પાસે કરાવવામાં આવતી સારવાર કારગત નથી નીવડતી ત્યારે આ રોગ કાબુમાં લેવામાં નહીં આવે તો દુધાળા પશુનો સફાયો થવાના એંધાણ વર્તાય રહ્યા છે.
ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં રહેતા મંજુબેન પોતાની પાસે માલિકીના 50 જેટલા બકરાંઓ છે. આ ઉપરાંત તેની બાજુમાં રહેતા બાલાભાઈ ભરવાડ નામના માલધારીને પણ માલિકીના બકરાં ધરાવે છે ત્યારે પાછલા થોડા દિવસોથી આ બંને માલધારીના બકરાંમાં ઉટાટીયા નામનો ગંભીર રોગ હાવી થયો છે. અને પોતાના તંદુરસ્ત રહેતા બકરામાં આ રોગ દિવસેને દિવસે વકરી રહ્યો છે. અને આ રોગના ઝાપટમાં આવતા બકરાંનું આયુષ્ય ઘટતું હોઈ તેમ લાગી રહ્યું છે.

માત્ર ટૂંકી બીમારીમાં જ બકરાં મોતને ભેટી રહ્યા છે ત્યારે મંજુબેનને ચાર દિવસમાં 30 જેટલા બકરાં આ રોગની ઝાપટમાં આવી ગયા છે. અને મંગાભાઈના બકરાં પણ 40 જેટલા આ રોગની ઝાપટમાં આવી ગયા છે અને મંજુબેનના 3 બકરાં મોત થયા છે. અને મંગાભાઈના 4 બકરાં ત્રણ દિવસમાં મોત નિપજયા છે. ત્યારે પોતાના બકરાંને બચાવવા આ બને માલધારી પશુ ડોકટરોના જણાવ્યા પ્રમાણે દવા પણ કરાવે છે તેમ છતાં આ રોગ કાબુમાં આવવવાને બદલે વધારે વકરી રહ્યો છે.
અને બીજા સાજા બકરાંમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. જ્યારે આ રોગથી મૃત્યુ પામેલા બકરાંના કારણે માનવ વસાહત પર પણ ગંભીર બીમારી મંડરાઈ રહી છે જ્યારે આ રોગમાં આવી ચૂકેલા બકરાંના લોહી અને મૃત પામેલા બકરાંના માસને લેબોરેટરીમાં મોકલી આ રોગને કઈ રીતે કાબુમાં લેવાઈ તેવી માલધારી માંગ કરી રહ્યા છે.

મચ્છરાજને બોટથી દરિયામાં મુકત કરાઇ ને નાંદણ કાંઠે મૃતદેહ મળ્યો

Bhaskar News, Amreli | Last Modified - Sep 23, 2017, 11:40 PM IST

ઉના તાલુકાના નવાબંદરનાં દરિયા કિનારે બે દિવસ પહેલા ત્રીસ ફુટ લાંબી અને દશ ટન વજન ધરાવતી મચ્છરાજ માછલી જીવીત મળી
મચ્છરાજને બોટથી દરિયામાં મુકત કરાઇ ને નાંદણ કાંઠે મૃતદેહ મળ્યો

રાજુલામાં ગીરના 9 સિંહોએ બળદનું મારણ કરી માણી મિજબાની: જુઓ તસવીરો

Bhaskar News, Rajula | Last Modified - Sep 20, 2017, 12:37 AM IST

માર્ગ પરથી નિકળતા વાહન ચાલકોએ કર્યા મફતમાં જ સિંહ દર્શન
 
રાજુલા: રાજુલાના મીરાદાતાર નજીક નવ સિંહો શિકારની શોધમા આવી ચડયા હતા. અહી રોડની સામેની સાઈડમાં એક બળદનો શિકાર કરી મિજબાની માણી હતી. માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોએ કર્યા સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
સિંહો રોડ પર પસાર થાય તે વિસ્તાર સૌરાષ્ટ્રના રાજુલા પંથક દિવસે દિવસે હવે પ્રખ્યાત થતો જાય છે. આ વિસ્તાર અને આ વિસ્તારના સિંહોને જંગલ નહીં પરંતુ ખુલ્લા વિસ્તારમા રહેવુ પસંદ આવ્યું છે. તે પ્રકારની ફરીવાર ઘટના સામે આવી છે. રાજુલાના દાતાર નજીક 9 સિંહોનું ટોળુ આવી ચડયું હતું અને રોડ ક્રોસ કરી રોડની સામે જ બળદનો શિકાર કરી અડિંગો જમાવી મિજબાની માણી હતી.
જેને લઇને કેટલાક વાહન ચાલકોએ સિંહ દર્શન કર્યા હતા અને મોડી રાત સુધી સિંહોના ટોળા આ વિસ્તારમાં જોવા મળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોના ગામડાઓ અને સીમમા પણ અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી સાવજો અવારનવાર માર્ગો પર આવી જતા હોય સિંહપ્રેમીઓમા ચિંતાની લાગણી વ્યાપી ઉઠી છે.

અમરેલી: રેલવે ટ્રેક પર માલગાડીની અડફેટે સિંહણનું મોત, થયા બે ટૂકડાં

Jaidev Varu, Rajula | Last Modified - Sep 16, 2017, 12:01 AM IST
તપાસનો ધમધમાટ શરૂ,વન વિભાગે કડક વલણ દાખવ્યું: સિંહ પ્રેમીઓમાં રોષ
+4 બીજી સ્લાઈડ્સ જુઓ
અમરેલી: રાજુલા પંથકના રેલવે ટ્રેક સિંહો માટે મોતનું સ્થાન બની રહ્યા છે. ભૂતકાળમાં અનેક વખત પીપાવાવ પોર્ટ વિસ્તારમાં સિંહોના માલગાડી હડફેટે મોત થયા હતા ત્યારે ફરીવાર ખતરનાક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકામાં વડલી ગામ નજીક આવેલ સિટી જંક્શન આસપાસ રાતે 2 વાગે 5 સિંહોનું ટોળું આવી ચડ્યું હતું, જેમાં 2 વર્ષ આસપાસની સિંહણ પાટા પરથી પસાર થતી વખતે પીપાવાવ પોર્ટ તરફ જતી માલગાડીના હડફેટે આવી જતાં રીતસરની સિંહણ કપાય ગઈ હતી અને બાજુમાં રહેલ સિંહોએ ત્રાડો પાડી હતી. માલગાડી સામે સિંહોનું ગ્રુપ ભારે રોષે ભરાયું હતું, અહીં આવેલ સિટી જંક્શનના રેલવે કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાને પગલે રાજુલા વન વિભાગનો સ્ટાફ અમરેલી ડી.એફ.ઓ.શકિના સહીત ઘટના સ્થળ પહોંચી ગયા હતા, ચારે તરફ તપાસ હાથ ધરી હતી. રોષે ભરાયેલ સિંહોનું ગ્રુપ વહેલી સવાર સુધી અહીં પાટા આસપાસ આંટાફેરા કરતું હતું. વન વિભગે જંગલ તરફ ખસેડ્યા હતા. સમગ્ર ઘટના ડી.એફ.ઓ. જાતે જોતા તે પણ ચોંકી ઉઠ્યા હતા અને ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ રેલવે તંત્ર સામે કાર્યવહી કરવા કડક સૂચનાઓ આપી હતી. જેને લઇને માલગાડીના કર્મચારીનું નિવેદન અને પૂછપરછ હાથ ધરી છે. માલગાડીની સ્પીડ કેટલી હતી તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મોત સમાન દોડતી માલગાડી પીપાવાવ પોર્ટમાં આવે છે તે માલગાડીથી અનેક વખત સિંહોના મોત થયા છે. મોતને લઇને સિંહ પ્રેમીઓ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગનો જંગી કાફલો રાતથી રેલવે ટ્રેક પર જોવા મળી રહ્યો હતો. રાજુલા વન વિભાગ દ્વારા વારંવાર માલગાડીને સૂચના આપેલી છે કે સિંહોના વિસ્તારમાં માલગાડી ધીમી ચલાવી તેમ છતાં કેમ સ્પીડ વધુ હતી તેને લઇને આકરી તપાસ ચાલી રહી છે. બીજી તરફ વડલી આસપાસ તારફેન્શીંગ કેમ નથી. માત્ર પીપાવાવ પોર્ટ વિસ્તારમાં તાર ફેન્સીંગ લગાડવામાં આવ્યા છે.