Thursday, December 31, 2015

સાસણની હોટલ - રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા, 35 કિલો વાસી સામગ્રીનો નાશ


સાસણની હોટલ -રીસોર્ટમાં ફુડ વિભાગનાં દરોડા

સાસણ(ગીર)માંહાલ નાતાલનાં તહેવાર દરમિયાન સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય ભીડ ભાડ વાળા પીરીયડમાં લોકોને ખાન-પાનમાં હાનીકારક પદાર્થો વેંચાય તેની તકેદારી રાખી જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં અધિકારીઓએ બુધવારે સાસણ અને આસપાસની હોટલો - રીસોર્ટમાં ફુડ ચેકીંગ હાથ ધરી અખાદ્ય સામગ્રીનો નાશ કરી શંકાસ્પદ ખાદ્ય વસ્તુઓનાં સેમ્પલ લઇ વડોદરા લેબમાં મોકલેલ. ફુડ વિભાગે સપાટો બોલાવતા હોટલ સંચાલકો અને ખાણી પીણીનાં ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જૂનાગઢ જિલ્લા ફુડ વિભાગનાં ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા અને ડેઝીગ્નેટેડ ઓફીસર જે.એચ.શાહએ સાસણ નજીક સ્ટાર હોટલો ફર્ન રીસોર્ટ, ગીર હોટલ, મહીન્દ્ર કલ્બ હોટલ, ગ્રીન પાર્ક, ગીર જંગલ લોજ, ગીર લાયન, સુખ સાગર હોટલમાં તપાસ હાથ ધરી ખાદ્યતેલ, અનાજ કઠોળ, મસાલા, મીલ્ક પ્રોડકટનાં સેમ્પલ લઇ ફુડ લેબ વડોદરા ખાતે ચકાસણી માટે મોકલી આપેલ., તેમજ સાસણમાં લારી - ગલ્લા - ફરસાણ- ઠંડાપીણા - મીઠાઇની દુકાનો - પાર્લર તેમજ રેસ્ટોરન્ટોમાં તપાસ હાથ ધરી વાસી મળી આવેલ 35 કીલો ખોરાકનો નાશ કરેલ તેમજ હાઇજીનીક કન્ડીશન તથા સ્વચ્છતા રાખવા નોટીસ આપેલ તેમજ હોટલો અને ખાણી - પીણીનાં ધંધાર્થીઓનાં ફુડ લાયસન્સ તથા રજીસ્ટ્રેશનની તપાસ કરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન કરાવનાર રેસ્ટોરન્ટ અને લારીવાળાને ફુડ વિભાગનાં કાયદા મુજબ નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરાવેલ.

જૂનાગઢ ફ્રૂડ વિભાગનાં અધિકારીએ રીસોર્ટ તેમજ લારી-ગલ્લામાં જઈ તપાસ કરી. }જીતેન્દ્ર માંડવીયા

નમુના લઇ વડોદરા તપાસ માટે મોકલાયા, 35 કિલો અખાદ્ય વાસી સામગ્રીનો કરાયો નાશ

કાર્યવાહીની પ્રસંશા : ટુરીસ્ટ

સાસણપંથકની હોટલોમાં લોકોને ખાદ્ય પદાર્થોમાં હાનીકારક વસ્તુઓ આવે તે માટે ટ્રાફીકવાળા પીરીયડ ફુડ વિભાગે હાથ ધરેલ ચેકીંગની ટુરીસ્ટોએ પ્રસંશા કરી હતી. ઉદયપુરનાં ટુરીસ્ટ અજય જૈનએ જણાવેલ કે ભારે ટ્રાફીકનાં પીરીયડમાં ગ્રાહકોનાં ઓર્ડરને પુરા કરવા અગાઉથી તૈયાર રખાયેલ વાસી ખોરાક લોકોની તબીયત બગાડે ત્યારે ફુડ વિભાગનાં ચેકીંગથી વાસી વસ્તુ સંગ્રહ કરનારા લોકોને સબક મળશે.

ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે


ડાયક્લોફેનેક વાળું માંસ આરોગવાથી ગીધ 48 થી 72કલાકમાં મોતને ભેટે છે

Bhaskar News, Junagadh
Dec 29, 2015, 23:20 PM IST
- જૂનાગઢની એમએસસીની છાત્રાએ સાત સુધી મહિના ગીધ ઉપર સંશોધન કરી તારણ કાઢ્યું

જૂનાગઢ: જૂનાગઢની એસએસસીની છાત્રાએ રાજયનાં જૂદા-જૂદા જિલ્લામાં લુપ્ત થતા ગીધ પ્રજાતી ઉપર સાત મહિના અભ્યાસ કર્યો છે. ખાસ કરની ગીધએ મૃત્યુ પામતા પશુઓનો માંસ આરોગે છે. વર્તમાન સમયમાં ડાયક્લોફેનેક દવાનો પશુમાં બેફામ ઉપયોગ થઇ રહ્યુ છે.ડાયક્લોફેનેક દવા વાળા માંસ આરોગ્યનાં 48 થી 72 કલાકમાં ગીધનું મૃત્યુ થયા છે.તેમ છાત્રાએ પોતાનાં સંશોધનમાં જણાવ્યુ હતુ.

નામષેશ થતા સફેદ પીઠવાળા ગીધ પર ગુજરાત યુનિ.માં અભ્યાસ દરમિયાન જૂનાગઢની છાત્રા મીતલ મોરડિયાએ સંશોધન કર્યુ છે. તેમણે અમદાવાદ,આણંદ, અમરેલી,ભાવનગર,સુરેન્દ્રનગર અને મહેસાણા,જૂનાગઢ જિલ્લામાં વસવાટ કરતા ગીધ પર સાત મહિના સંશોધન કરી રીપોર્ટ તૈયાર કર્યો છે. તેમણ સંશોધનમાં જણાવ્યુ છે કે સૌથી વધુ માળા સુરેન્દ્રનગરમાં આવેલા છે. અને સૌથી ઓછા માળા અમદાવાદ જિલ્લામાં આવે છે. મધ્ય ગુજરાતમાં સફેદ પીઠવાળા અને સૌરાષ્ટ્રમાં ગીરનારી ગીધ જોવા મળે છે.
 
છેલ્લા 20 વર્ષમાં સફેદ પીઠવાળા અને ગીરનારી ગીધની સંખ્યામાં ભારતમાં ભયજનક ઝડપે ઘટી છે. આ પ્રજાતિ 972 કરતા વધુ નષ્ટ થઇ છે અને હવે લુપ્ત થવાનાં આરે આવીને ઉભી છે. આ વિનાશનું એક માત્ર કારણ છે પશુઓની સારવાર માટે વપરાતી ડાયક્લોકેનાક સોડિયમ નામની દાવ . આ દવાનાં અંશ રહી ગયેલા પશુઓને ખાવાથી દવા ગીધનાં શરીરમાં પ્રવેશ કરે છે.જેને ગીધ પચાવી શકતા નથી. અને પરિણામ સ્વરૂપે માત્ર 48 થી 72 કલાકમાં મૃત્યુ પામે છે.

સૌથી વધુ માળા લીંબડાનાં વૃક્ષ ઉપર
ગીધનાં માળા સૌથી વધુ લીંબડાનાં વૃક્ષ પર જોવા મળ્યા છે.તેમજ વડ,તાડ,ખીજડો, નાળિયેરી,આસોપાલવ, જાંબુ સહિતનાં ઉંચા વક્ષુ ઉપર પણ માળા બાંધે છે.

ડાયક્લોફેનેક દવા ગીધનાં લીવર અને કિડનીને અસર કરે છે
ડાયક્લોફેનેશ દવા ગીધનાં લીવર અને કિડની ઉપર સીધી અસર કરે છે.જેના કારણે તેનુ મૃત્યુ થાય છે.સરકારે વર્ષ 2006માં પશુઓનાં ઉપચાર માટે ડાયક્લોફેનેકનાં ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. દવા ઉપર પ્રતિબંધ હોવા છતા તેનો દુરૂપયોગ મોટા પાયે થઇ રહ્યો છે.

ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડાઇ છે
ખુબ જ ઉંચા તાપમાનમાં ગીધનાં બચ્ચા ડીહાઇડ્રેશનથી પીડા છે. અને કયારેક માળામાંથી પડી જવાનાં કારણે મૃત્યુ પામે છે.તેમ મીતલ મોરડિયાએ જણાવ્યુ હતુ.

વિસાવદરમાં મધમાખીએ આધેડનો જીવ લીધો, માખીનું ઝૂંડ ત્રાટકતાં મોત


મધમાખીનો પૂળો

  • Bhaskar News, Visavadar
  • Dec 29, 2015, 23:13 PM IST
મધમાખીનો પૂળો
- સીમમાં ખેતીકામ દરમિયાન મધમાખીઓના ઝૂંડનાં આક્રમણથી લોકોમાં નાસભાગ મચી ગઇ

વિસાવદર: વિસાવદરની સીમમાં ખેતીકામ કરી રહેલા લોકો પર અચાનક મધમાખીઓનું ઝૂંડ ત્રાટકતા ત્રણ લોકો ઝેરી ડંખથી ઘાયલ થયા હતા અને જેમાં એક આધેડનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્તા અરેરાટી પ્રસરી ગઇ હતી.

વિસાવદરનાં રેલ્વે ટ્રેક નજીકની રામ વાડી પાસે ભૂપતભાઇ અરજણભાઇ વાઘેલાનાં ખેતરમાં મંગળવારનાં સવારનાં અરસામાં ઘઉંમાં પાણી વાળવાનું કામ ચાલી રહ્યું હોય શહેરનાં જીવાપરામાં રહેતા આધેડ નરશીભાઇ દેવજીભાઇ ચૌહાણ પોતાના કામમાં મશગુલ હતા ત્યારે અચાનક ઝેરી મધમાખીનું ઝૂંડ તેમની પર ત્રાટકેલ અને આખા શરીરમાં ચોંટી જઇ આડેધડ ડંખ માર્યા હતા. દરમિયાન તેમને બચાવવા ભૂપતભાઇ તથા પંકજભાઇ દોડી જતાં મધમાખીઓએ આ બંનેને પણ ઝપટમાં લઇ ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. આ બનાવનાં પગલે 108 નાં સ્ટાફે દોડી જઇ ત્રણેય ઘાયલને વિસાવદર હોસ્પિટલે લાવી રહ્યા હતા ત્યારે સારવાર મળે એ પહેલા જ નરશીભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવનાં પગલે લોકોનાં ટોળા હોસ્પિટલે ઉમટી પડેલ અને મધમાખીઓનાં આતંકમાંથી મુક્ત કરાવવા નક્કર યોજના ઘડાઇ એવી માંગ કરી હતી.

મધમાખીમાં એક બીજાને ખો આપતુ તંત્ર
મધમાખીઓ કીટાણુંમાં આવતી હોવાથી ખેતીવાડી તંત્રમાં આવે છે અેમ આરએફઓ વંશે જણાવ્યું હતું. જ્યારે ખેતીવાડી અધિકારીઓએ અમારામાં ન આવે એમ કહી હાથ ઉંચા કરી દીધા છે. જ્યારે કલેકટરમાં આ પ્રકરણ કોનામાં આવે એ બાબતની ગડમથલ ચાલી રહી છે.
 
મધમાખી બીજા રાજ્યની ઉત્પતીઓ
આ ઝેરી મધમાખીઓ બીજા રાજ્યમાંથી બોઇલર, પાઇપ તથા અન્ય સામાનમાં આવતી હોય અને ગુજરાતભરમાં ફેલાઇ ચૂકી હોવાનું વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. હાલ તેની વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો હોય જે ચિંતાનો વિષય છે.

ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર


ઉનાનાં રાજેશે 58.37માં અને પુનમે 41.38 મીનીટમાં ‘સર’ કર્યો ગિરનાર

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
જૂનાગઢમાં રાજ્યકક્ષાનાં મંત્રી હાજર પણ ગિરનાર સ્પર્ધામાં ગેરહાજર

અાજેયોજાયેલી 31મી રાજ્યકક્ષાનો ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. વહેલી સવારે નવા તેજ અને ઉમંગ સાથે 15 જિલ્લામાંથી આવેલા 809 સ્પર્ધકોએ પ્રથમ આવવાની મહેચ્છા સાથે દોટ મુકી હતી. દર વર્ષની જેમ સ્પર્ધા કુલ 4 વિભાગમા યોજાઇ હતી. જેમા સિનિયરભાઇઓમાં ઉનાના રાજેશ ચોેહાણે 58.37મીનીટમાં સ્પર્ધા કરી પ્રથમ ક્રમે રહ્યો હતો . જ્યારે સિનિયર બહેનોમાં 41.38 મીનીટ લઇ પુનમ સોલંકીએ મેદાન માર્યુ હતુ.તેમજ જૂનિયર ભાઇઓમાં ભાવેશ બારીયા62.27 અને બહેનમાં કથીરીયા 42.53મીનીટ સાથે પ્રથમ ક્રમે વિજેતા બની હતી.

આજે 31મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી . વહેલી સવારે કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયા મેયર જિતુભાઇ હિરપરા,અધિક કલેક્ટર આર.જી જાડજા તેમજ ગાંધીનગરથી યુથ બોર્ડના એમ એલ મણવાર વગેરેની હાજરીમાં સ્પર્ધા શરૂ કરાઇ હતી.સ્પર્ધામા 15 જિલ્લાના કુલ 1570 સ્પર્ધકોમાંથી 809 સ્પર્ધકોઅે ગિરનાર સેર કરવા દોટ મુકી હતી. ભારે ઉતેજના અને ઉત્સાહથી શરૂ થયેલી સ્પર્ધામાં નવ વાગ્યે બેહનો પણ જોડાઇ હતી. જેને કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારીયાઅે પ્રસ્થાન કરાવ્યુ હતું.ચાર વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં ઉનાના ખીલાવડ ગામના રાજેશ ચોહાણે ગિરનારના 5 હજાર પગથિયા 58.38મીનીટમાંજ ચઢી પરત થતા સ્પર્ધામાં વિજેતા બન્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં 2200 પગથિયા 41.38 મીનીટમાં ઉનાના મોટા દેસરગામની પુનમ ચોેહાણે પુરા કરી મેદાન માર્યુ હતું.જ્યારે જૂનિયરભાઇઓમાં બારૈયા ભાવેશે 62.27 મીનીટનો સમય લઇ સ્પર્ધા પુરી કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.તો જૂનિયર બહેનોમાં કથિરિયા શ્રધ્ધા 42.53 મીનીટમાં 2200 પગથિયા પૂર્ણ કરી વિજેતા બની હતી. સ્પર્ધા બાદ બપોરે ભવનાથ નજીક આવેલ મંગલનાથ બાપુની જગ્યામાં વિજેતાને ઇનામ વિતરણ કાર્યક્રમ કરાયો હતો.ચારેય વિભાગમાં પ્રથમ ક્રમ હાંસલ કરનારને રૂ5000 અને ટ્રોફી બીજા ક્રમના વિજેતાને 2500 તથા ત્રીજા ક્રમના વિજેતાને 1500 તેમજ ચોથા અને પાંચમાં નંબરના વિજેતાને 500 રોકડ રકમ મળી કુલ 45હજારના રોકડ ઇનામ તથા ટ્રોફી અને પ્રમાણપત્ર અેનાયત કર્યા હતા. દર વર્ષે યોજાતી કઠીન અને જોખમી સ્પર્ધામાં જૂનાગઢ અમરેલી પોરબંદર ગીર સોમનાથ તથા રાજકોટ મળી કુલ 15 જિલ્લાના સ્પર્ધકોએ ઉત્સાહ અને હિમત પૂર્વક પુરી કરી હતી.

રાજ્યકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ફરી એકવાર સોમનાથ જિલ્લાનો દબદબો

ગિરનાર સ્પર્ધામાં વિજેતા થયેલા સિનિયર અને જુનીયર ભાઈઓ-બહેનોને શીલ્ડ એનાયત. }મેહુલ ચોટલીયા

માતા-પિતા ખેતમજુરી કરે છે - શ્રધ્ધા

જામનગરતાલુકાના વિતાલીયા ગામે રહેતી અને હાલ રાજકોટ કડવીબાઇ વિરાણી હાઇસ્કુલમાં ધો.9માં અભ્યાસ કરતી શ્રધ્ધાબેન રજનીકાંતભાઇ કથીરીયા જણાવ્યુ હતુ કે, માતા-પિતા ખેતી મજુરી કરી ઘર ચલાવે છે રાજય કક્ષાની ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાંમાં પ્રથમ વખતમાં ફસ્ટ આવી એટલે ખુશ છુ અને માતા-પિતાના આશિર્વાદ સાથે રહ્યા.

ત્રણ વર્ષ પછી ફર્સ્ટ આવ્યો- ભાવેશ

ઉનાતાલુકાનાં દેલવાડા ગામે રહેતા અને જુનીયર સ્પર્ધકમાં પ્રથમ નંબરે આવેલા ભાવેશ કાનજીભાઇ બારીયાએ કહ્યુ હતુ કે, મારા પિતા માછીમારી કરે છે. માતા ખેતી કામ. ત્રણ વર્ષ પહેલા જુનિયર માં 10માં ક્રમાંકે, ગત વર્ષે જુનિયરમાં બીજા ક્રમાંકે, નેશનલમાં ત્રીજા ક્રમાંકે અને હવે ત્રણ વર્ષની મહેનત રંગ લાવી ત્યારે પ્રથમ ક્રમાંકે આવ્યો.

વિશ્વાસે અપાવી જીત- પુનમ

ઉનાતાલુકાનાં મોટા દેસર ગામની ખેડુત પરીવારની દિકરી ટી.વાય.બી.એ નો અભ્યાસ કરે છે તેમણે કહ્યુ હતુ કે ગત વર્ષે રાજયકક્ષાની સ્પર્ધક તરીકે ચોથા ક્રમાંકે આવી હતી. વર્ષની સ્પર્ધામાં જરા પણ પ્રેકટીસ કરી નથી પણ વિશ્વાસ હતોકે પ્રથમ આવીશ અને અવ્વલ થઇ હવે નેશનલમાં ફસ્ટ આવવું છે. આમ પોતાનાં આત્મબળને મહત્વ આપ્યું હતું.

ગત વર્ષ કરતા ઓછુ ઇનામ- રાજેશ

2008થીગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લઉ છુ, ત્રણ વર્ષ થી રાજયકક્ષાએ ફસ્ટ નંબરે આવ્યો છું, નેશનલ કક્ષાએ જુનિયરમાં ત્રણ વખત બીજા નંબરે સીનીયર તરીકે બે વખત ત્રીજા નંબરે અને બે વખત બીજો નંબર મેળવ્યો છે. વર્ષની સ્પર્ધામાં પ્રથમનંબર મેળવનાર ને માત્ર 16000 રૂપિયા ખુબ ઓછુ ઇનામ કહેવાય જે વધારવુ જોઇએ.

31મી ગીરનાર આરોહણ- અવરોહણ રાજયકક્ષાની સ્પર્ધામાં અવ્વલ નંબરે આવેલા સીનીયર ભાઇઓમાં રાજેશ ખાતુભાઇ ચૌહાણ , જુનિયર ભાઇઓમાં ભાવેશ કાનજીભાઇ બારીયા, સીનીયર બહેનોમાં સોલંકી પુનમ મેસુરભાઇ અને જુનિયર બહેનોમાં કથીરીયા શ્રધ્ધા રજનીકાંતભાઇ ચારેય સ્પર્ધકો સામાન્ય પરીવાર માંથી આવે છે. અને તેમના માતા-પિતા ખેતીકામ કરી ગુજરાન ચલાવી રહયા છે.

ખેડુતોના દિકરા-દિકરીઓએ ગિરનાર સ્પર્ધામાં માર્યુ મેદાન

િગરનાર આરોહણ ર્સ્પધા સમયે યાત્રાળુઓને કારણે ર્સ્પધકો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 28, 2015, 03:56 AM IST
આરોહણસ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને મુશ્કેલી પડે તે માટે કલેકટરે જાહેરનામુ બહાર પાડી રાત્રે 12વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી ગિરનાર પર પ્રવાસી તેમજ સામાન્ય લોકો માટે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતા કેટલાક પ્રવાસીઓ ગિરનારના પાછળના સેસાવન થઇને જતા પગથિયા પરથી ગિરનાર પર ચઢી ગયા હતા જૈન દેરાસરમાં સાથે થઇ ગયા હતા જેના કારણે સ્પર્ધકોને હાલાકી ભોગવવી પડી હતી.

આજે શરૂ થયેલી ગિરનાર સ્પર્ધાને લઇ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં ગિરનાર પર સામાન્ય લોકો માટે અવર-જવર બંધ કરાઇ હતી. જોકે જાહેરનામાનો પ્રવાસીઓએ ભંગ કર્યો હતો. શેશાવનથી જતાં પાછળનાં ભાગેથી કેટલાક પ્રવાસીઓ ચડી ગયા હતાં અને જૈન દેરાસર પાસે સ્પર્ધકો સાથે થઇ જતાં સ્પર્ધકોને ચડવા ઉતરવામાં મુશ્કેલી પડી હતી. તે સમયે પોલીસ અથવ અન્ય કોઇ કર્મચારી પણ હાજર હતું. ઉપરાંત તે સ્થળ પર અકસ્માત થવાનો ભય સ્પર્ધકોમાં ભય ફેલાયો હતો.

26મી જાન્યુઆરીએ ગીરનાં સીદીઓ દિલ્હીમાં કરશે ધમાલ

26મી જાન્યુઆરીએ ગીરનાં સીદીઓ દિલ્હીમાં કરશે ધમાલ
  • Bhaskar News, Talala
  • Dec 28, 2015, 00:51 AM IST
તાલાલા: ટીવી કલાકાર સુંદરલાલ(મયુર વાંકાંણી) આગામી 26 જાન્યુઆરીના દિલ્લી ખાતે ઉજવવામાં આવનાર પ્રજાસતાક દિવસની નેશનલ પરેડમાં ગીરના સીદી આદીવાસીની ધમાલ રજુ કરવાનું આયોજન હોય આજે તેઓ તાલાલાના જાંબુર (ગીર) ગામે આવે અને સીદી જવાનોની ધમાલ માટે ધમાલમાં એક્ષ્પર્ટ એવા દસ યુવાનોની ટીમ નક્કી કરેલ ધમાલની ટીમ આગામી 9 જાન્યુઆરીના દિલ્લી જશે અને 25 જાન્યુઆરી સુધી રીહર્સલ કરી 26 જાન્યુઆરીની પરેડમાં ધમાલ રજુ કરશે.

સાસણમાં ગીર સંગીત નૃત્યનું આયોજન થયું

  • DivyaBhaskar News Network
  • Dec 27, 2015, 05:17 AM IST
ગીરનાંપ્રવેશદ્વાર ભાલછેલ(ગીર) ખાતે આવેલ હોટલ ગ્રીન પાર્કમાં 25 ડીસે. થી 31 ડીસે. સુધી સાંજે આઠ થી રાત્રે બાર વાગ્યા સુધી ગીર નૃત્ય સંગીતનો કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી યોજાયેલ ગીર ફેસ્ટીવલમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ ગુજરાત અને ગીરની ભાતીગળ પરંપરાથી વાકેફ થઇ શકે તે હેતુથી મહોત્સવનું આયોજન કરાયું છે. સાસણ-જૂનાગઢ રોડ ઉપર ગ્રીનપાર્ક હોટલમાં યોજાનારા ગીર ફેસ્ટીવલમાં આવતા પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પ્રોગ્રામ રજૂ થશે. ગુજરાત રાજ્ય સંગીત એકેડેમીનાં ડાયરેક્ટર અમુદાનભાઇ ગઢવીએ ગીર ફેસ્ટીવલ માણવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. સાથે ફેસ્ટીવલને સફળ બનાવવા ગ્રીનપાર્ક હોટલનાં માલીક ટપારૂભાઇ વડસરીયા અને ફેસ્ટીવલ આયોજક અભીલાષ ઘોડા દ્વારા તડામાર તૈયારી કરાઇ છે.

સામતપરા ગામે બોર વીણતી મહિલાને, બાબરાવીડીમાં બાળકને સિંહે ફાડી ખાધા

  • DivyaBhaskar News Network
  • Dec 27, 2015, 05:11 AM IST
જૂનાગઢજિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા. મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આદિવાસીઓ અહીં વસવાટ કરે છે. જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. વખતે સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, ગીર અને ગિરનાર તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જંગલોમાં વન્ય પ્રાણી દ્વારા માનવી પર હુમલાની ઘટના અવાર-નવાર બનતી હોય છે ખરી પરંતુ સિંહ દ્વારા હુમલાની ઘટના ઓછી બને છે.

જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત


જૂનાગઢ: ભેંસાણ નજીક સાવજના માનવ પર હુમલાં, મહિલા-બાળકનું મોત

  • Bhaskar News, Bhesan/ Maliya Hatina
  • Dec 27, 2015, 00:52 AM IST
- ભેંસાણનાં સામતપરામાં બોર વીણતી મહિલાને, બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલા બાળકને ફાડી ખાધા
- સોરઠમાં વનરાજોનાં બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા
- બંનેનાં સ્થળ  પર જ મોત, લોકોએ હાકલા પડકારા કરતાં સિંહો ખસ્યા

ભેંસાણ, માળિયા હાટીના: જૂનાગઢ જિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા.

મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર જ હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો.

જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. આ મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આ આદિવાસીઓ અહીં વસવાટ કરે છે.

જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. એ વખતે એ સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું  ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો.

બાબરા વીડીનાં સિંહને પકડી લેવાયો

બાબરા વીડીમાં વનવિભાગની જ મજૂરી કામે આવેલા લોકો સાથેનો બાળક સિંહનો કોળિયો બની જતાં સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવાઇ હતી. અને મોડી રાત્રે 8:30 વાગ્યે બાબરા વીડીનાં ડો. અપારનાથી, સાસણની રેસ્ક્યુ ટીમનાં ડો. કમાણી, પ્રવિણભાઇ, મોહંમદભાઇ, હનીફભાઇ, રહીમભાઇ સહિતનાં સ્ટાફે તેને લોકેટ કરી બાદમાં ટ્રાન્ક્વીલાઇઝર ગન વડે બેભાન કરીને પકડી લઇ ઓબ્ઝર્વેશન હેઠળ સાસણ મોકલી આપ્યો હતો.

બાબરા વીડીમાં 6 વર્ષમાં બીજો બનાવ

બાબરા વીડીનાં જંગલમાં 6 વર્ષ પહેલાં માંગરોળનો એક ધોબી યુવાન સિંહ-સિંહણનાં સંવનનની મોબાઇલ ક્લિપ ઉતારતો હતો એ વખતે સિંહે તેને ફાડી ખાધો હતો. ત્યારબાદ માનવી પર સિંહનાં હુમલાની અહીં બીજી ઘટના બની છે.
મજૂરો પર પ્રથમ વખત હુમલો

વનવિભાગનાં મજૂરો વર્ષોથી અહીં ઘાસ કાપવા આવે છે. પરંતુ ક્યારેય કોઇ સિંહનાં હુમલાનો ભોગ બન્યું નથી. આમ આ મજૂરો પર હુમલાની 25 વર્ષમાં પ્રથમ ઘટના બની છે.

વનવિભાગે મજૂરો માટે રહેવાની વ્યવસ્થા કરવી જોઇએ

આ અંગે ખોરાસા ગિરનાં પ્રકૃતિ પ્રેમી તપન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વનવિભાગે ઘાસ કટીંગ માટે આવનાર મજૂરોને સલામત સ્થળે રહેવા માટેની વ્યયવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઇએ.

સામતપરામાં સિંહણ મહિલાને ખાતી રહી, વનકર્મીઓ જોતા રહ્યા

સામતપરા ગામની હંસાબેનને સિંહણ પાસેનાં ખેતરમાં ઢસડી ગઇ ત્યારે લોકોએ હાકલા પડકારા કર્યા હતા. એ વખતે વનવિભાગનાં 7 થી 8 કર્મચારીઓ હાજર રહી એ દૃશ્ય નિહાળી રહ્યા હતા. લોકોએ તેમને બોલાવ્યા હતા. પરંતુ તેઓ ડોકાયા નહોતા. અને મહિલાને સિંહણનાં પંજામાંથી છોડાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. સિંહણ હંસાબેનને પછાડી દઇ તેમના શરીર પર ચઢી બેસી તેને ખાવા લાગી હતી. આસપાસનાં લોકો માત્ર જોવા સિવાય કશું કરી શકી એમ નહોતા. આખરે પાણી વાળતો એક યુવાન પાવડો લઇને સિંહણ તરફ ગયો અને તેને ભગાડી મૂકી. આ દરમ્યાન વન કર્મીઓએ તમાશો નિહાળવા સિવાય કશું જ નહોતું કર્યું. બાદમાં ભેંસાણ દવાખાને કોંગ્રેસનાં નટુભાઇ, વજુભાઇ મોવલીયા દોડી ગયા હતા.

સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો

  • Bhaskar News, Sutrapada
  • Dec 27, 2015, 00:48 AM IST
સુત્રાપાડાનાં સરાની સીમમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો
- 11 માસનાં બચ્ચાનું બીમારીથી મોતનું તારણ

સુત્રાપાડા: સુત્રાપાડા નાં સરા ગામની સીમમાંથી  11 માસની વયનાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બચ્ચાનું બીમારીથી મોત થયાનું વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે. પીએમ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ જણાવ્યું હતું.

સુત્રાપાડા તાલુકાનાં સરા ગામની સીમમાં સિંહ બાળનો મૃતદેહ જોવા મળતાં લોકોએ  વન વિભાગને જાણ કરતા આરએફઓ કરંગીયાનાં માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર ગોસ્વામી, પંડયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ સિંહબાળનાં મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડયો હતો.

આ સિંહબાળનું મોત બીમારીને કારણે થયું હોવાનું વન વિભાગે અનુમાન કર્યુ છે. પરંતુ પીએમ રીપોર્ટ બાદ મોતનું ખરૂ કારણ જાણવા મળશે એમ વન વિભાગે જણાવ્યું હતું. સિંહ બાળનાં મોતથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી હતી.

આજથી ગિરનાર મહોત્સવ, કાલે ગિરનાર સ્પર્ધા

  • Bhaskar News, Junagadh
  • Dec 26, 2015, 00:00 AM IST
આજથી ગિરનાર મહોત્સવ, કાલે ગિરનાર સ્પર્ધા
- ઉત્સાહ: જૂનાગઢમાં પ્રવાસીઓને આકર્ષવા તંત્રનો પ્રયાસ : તમામ તૈયારીઓ પૂર્ણ
- સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા અને ઢળતી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ : 1170 સ્પર્ધકો ગિરનાર આંબવા દોટ મુકશે

જૂનાગઢ: જૂનાગઢમાં તા.26 ડીસેમ્બરથી ત્રિદિવસીય ગિરનાર મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં પ્રથમ દિવસે સવારનાં 8 વાગ્યે ગિરનાર પુજા થશે અને સાંજનાં સાંસ્કૃતિક કાર્યક્રમ ભવનાથમાં યોજાશે. જયારે ગિરનાર મહોત્સવ અંતર્ગત તા.27ડીસેમ્બરનાં 31મી રાજય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં રાજયનાં 15 જિલ્લાનાં કુલ 1170 સ્પર્ધકો ભાગ લેશે.ગિરનાર મહોત્સવને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જૂનાગઢમાં પ્રથમ વખત ગિરનાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ગિરનાર મહોત્સવનાં માધ્યમથી પ્રવાસીઓને જૂનાગઢ તરફ વાળવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જૂનાગઢમાં ત્રણ દિવસ જૂદા-જૂદા કાર્યક્રમનાં માધ્યમથી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.ગિરનાર મહોત્સવનો પ્રારંભ આવતીકાલ એટલે કે તા.26 ડીસેમ્બરને સવારે 8 કલારે ભવનાથ ખાતે થી થશે. સવારનાં ભવનાથમાં ઝોનલ ઓફીસની બાજૂમાં ગિરનાર પુજા કરવામાં આવશે.તેની સાથે જ  ગિરનાર મહોત્સવનો પ્રારંભ થશે. બાદ સાંજનાં છ વાગ્યે ઝોનલ ઓફીસની બાજૂમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તા. 27 ડીસેમ્બરનાં સવારે 6:30 કલાકે 31મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થશે.જેનો ઇનામ વિતરણ કાર્યક્રમા બપોરનાં 12 વાગ્યે મંગલનાથ બાપુની જગ્યામાં યોજાશે. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં રાજયનાં 15 જિલ્લામાંથી કુલ 1170 સ્પર્ધકો ભાગશે. તા. 28 ડીસેમ્બરનાં સાંજનાં સાત વાગ્યે ટાઉન હોલમાં રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જૂનાગઢમાં પાંચ કાર્યક્રમ કરી ગિરનાર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગિરનાર મહોત્સવને લઇ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

27 ડિસે. રાત્રીથી ગિરનાર પર જવા પર પ્રતિબંધ

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તા.27 ડીસેમ્બરનાં યોજાશે.જેને લઇ તા. 27 ડીસેમ્બરનાં રાત્રીનાં 12 કલાકથી બપોરનાં 12 કલાક સુધી ગિરનારની સીડી પર જવા પર પ્રતિબંધ મુકાવમાં આવ્યો છે.માત્ર સ્પર્ધકો અને સ્પર્ધા સાથે સંકળાયેલા લોકો જ પ્રવેશ કરી શકશે.

ગિરનાર મહોત્સવથી ભાજપનું એક જૂથ નારાજ

જૂનાગઢમાં ભાજપનાં નેતાઓ વિકાસની વાતો કરે છે.પરંતુ ગિરનાર મહોત્સવની શરૂઆતથી ભાજપનું એક જૂથ નારાજ થયુ છે. ભાજપનાં એક જૂથનાં નેતાઓને બંધે સ્થાન મળી રહ્યુ હોય તેના કારણે બીજા જૂથનાં નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યુ છે. હવે કાલથી શરૂ થતા ગિરનાર મહોત્સવમાં નારાજ જૂથ દેખાય કે કેમ તે જોવાનુ રહ્યુ.

ગિરનાર સ્પર્ધામાં કેટલા સ્પર્ધકો ભાગ લેશે

532  સિનિયર ભાઇ
80 સિનિયર બહેનો
424 સિનિયર બહેનો
134 સિનિયર બહેનો

આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ


આવતી કાલથી ગિરનાર મહોત્સવનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ

  • Bhaskar News, Junagadh
  • Dec 25, 2015, 00:37 AM IST
આવતી કાલથી ગિરનાર મહોત્સનો પ્રારંભ, પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
આરોહણ-અવરોહણ સ્પર્ધા,સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે : ભાજપમાંથી કચવાટનો સુર પણ ઉઠ્યો
 
જૂનાગઢ : જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઇ શકે તેમ છે. ત્યારે જૂનાગઢ તરફ પ્રવાસીઓનું આકર્ષ વઘે તે માટે તંત્રએ એક પ્રયાસ કર્યો છે.ત્રિદિવસીય કાર્યક્રમમાં ગિરનાર પુજા,ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ યોજાશે. ગિરનાર મહોત્સવનો તા.26 ડીસેમ્બરથી પ્રારંભ થશે.જે તા.28 ડીસેમ્બરનાં ટાઉનહોલમાં રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ થશે. રાજ્ય સરકારનાં ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર આયોજીત ગરવા ગિરનારની ગોદમાં ટીસીજીએલ  દ્વારા સંકલીત તા. ૨૬ અને તા. ૨૭ ડિસેમ્‍બર બે દિવસ ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૨૬ ડિસેમ્‍બરે જૂનાગઢનાં મેયર જીતુભાઇ હીરપરાનાં હસ્તે  અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને જૂનાગઢનાં ધારાસભ્ય મહેન્‍દ્રભાઇ  ગિરનાર પૂજન કાર્યક્રમથી ગિરનારોત્સવનો પ્રારંભ થશે. તા ૨૬ ડિસેમ્‍બરે ભવનાથ તળેટી ખાતે ઝોનલ કચેરી નજીક સરકારી સ્‍ટેજ ખાતે તા. ૨૬નાં સવારે ૮-૦૦ કલાકે સંતો, મહંતો અને સમાજશ્રેષ્‍ઠીઓ, કેળવણીકારો અને પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્‍થિતીમાં યોજાશે.
 
બે દિવસીય ગિરનારોત્સવ કાર્યક્રમ દરમ્યાન તા. ૨૬ ડિસેમ્‍બરનાં રોજ સવારનાં ૮-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી સ્‍ટેજ  ખાતે ગિરનાર પૂજન કાર્યક્રમ તેમજ  સાંજે ૬-૦૦ કલાકે ઝોનલ કચેરી પાસેનાં સરકારી  સ્‍ટેજ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૨૭ ડિસેમ્‍બરે સવારે ૬-૩૦ કલાકે ૩૧મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્‍પર્ધા  અને બપોરે ૧૨-૦૦ કલાકે મંગલનાથજી આશ્રમ ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.. તા. ૨૮ ડિસેમ્‍બરે સાંજે ૭-૦૦ કલાકે શહેરનાં ટાઉનહોલ  કાર્યક્રમ યોજાશે.

કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો

કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો
  •  Bhaskar News, Junagadh
  • Dec 24, 2015, 23:44 PM IST
કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો
મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ
 
કેશોદ : કેશોદનાં ડેરવાણ ગામની સીમમાં હમીરભાઇ હાદાભાઇ ધુળાની વાડીમાં 7 ફુટની લંબાઇ ધરાવતો મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતાં આરએફઓ જે.સી. હિંગરાજીયાનાં  માર્ગદર્શન હેઠળ જે.આર. ટાટમીયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ રેસ્કયુ ઓપરેશન ધરી મગરને દોરડાથી બાંધી સાસણ મોકલી આપ્યો હતો. આ માદા મગરની ઉંમર 22 વર્ષનું વન વિભાગે
જણાવ્યું હતું.

300થી 400 હેક્ટરમાં કર્યું નાળિયેરીનું વાવેતર, વર્ષમાં 6 લાખની કમાણી


300થી 400 હેક્ટરમાં કર્યું નાળિયેરીનું વાવેતર, વર્ષમાં 6 લાખની કમાણી
Sarman Ram, Junagadh Dec 24, 2015, 11:32 AM IST
જૂનાગઢ: સુત્રાપાડા તાલુકાનાં ઉંબરી ગામનાં એક ખેડૂતને ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવાનો લાભ સીધો ડબલ થયો છે. અગાઉ ધોરીયા પદ્ધતિથી પાકને પિયત આપતી વખતે માત્ર 5 વીઘા જમીનમાં સિંચાઇ મળતી. તેને બદલે હવે 10 વીઘામાં સિંચાઇ મળતી થઇ છે.
 
ઉંબરીનાં રમેશભાઇ છાત્રોડિયા અગાઉ 10 વીઘા જમીનમાં મગફળી, તલ અને કપાસ જેવા ચીલાચાલુ પાકની ખેતી કરતા. આધુનિક ખેતી માટે તેમણે બાગાયત વિભાગનો સંપર્ક સાધ્યો. બાગાયત અધિકારીઓએ તેમને સહાય તેમજ આધુનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું. જેને પગલે તેમણે ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવી.
 
રમેશભાઇએ પોતાની 10 વીઘા જમીનમાં નાળિયેરીનાં 400 રોપા વાવ્યા. અને તેને ટપક પદ્ધતિથી ઉછેરતાં ખર્ચ ઘટ્યો. અગાઉ ધોરીયા પદ્ધતિથી માત્ર 5 વીઘા જમીનમાં સિંચાઇ કરી શકતા. તેને બદલે હવે બમણી જમીનમાં સિંચાઇ કરી શકે છે. તેઓ કહે છે, આજે મને નાળિયેરીનું એક ઝાડ વર્ષે રૂ. 1500 રળી આપે છે. આ રીતે 400 નાળિયેરીથી વર્ષે છ લાખની આવક સાથે ચોખ્ખો નફો 5 લાખ થાય છે.
 
આગળ ક્લિક કરો અને વાંચો વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
 
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ 
વર્ષે 300 થી 400 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર વધે છે
 ગિર-સોમનાથ જિલ્લામાં નાળિયેરીનો પાક મુખ્ય છે. તેનું વાવેતર જિલ્લામાં દર વર્ષે 300 થી 400 હેક્ટર વધતું જાય છે. હાલ જિલ્લામાં 7200 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે.
વર્ષે 1થી 2 લાખ નાળિયેરીનાં રોપા તૈયાર થાય છે
 જિલ્લામાં બાગાયતની 3 અને 35 ખાનગી નર્સરી આવેલી છે. જે આંબાનાં 4 થી 5 લાખ અને નાળિયેરીનાં 1 થી 2 લાખ રોપા તૈયાર કરે છે.
સરકાર દ્વારા મળતી સહાય
 નાળિયેરી પાકમાં ખેડૂતને બાગાયત વિભાગ રૂ. 40 હજારની પ્રોત્સાહક સહાય આપે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નાળિયેરીનાં નવા વાવેતર માટે ખર્ચનાં 50 ટકા અથવા પ્રતિ હેક્ટર રૂ. 20 હજાર અને પાક નિદર્શન માટે ખર્ચનાં 50 ટકા અથવા રૂ. 35,000 પ્રતિ હેક્ટર અને ઓર્ગેનિક યુનિટ માટે પણ રૂ. 20,000 પ્રતિ હેક્ટર સહાય પણ ચૂકવાય છે.

ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ કરવા મેયરે કરી રજૂઆત

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 07:19 AM IST
જૂનાગઢગિરનાર રોપ-વેની મંજૂરી 2007માં મળી હતી. પરંતુ કોઇ કામગીરી થતાં મેયરે લોકસભાનાં 25 સાંસદ અને રાજ્ય સભાનાં 8 સાંસદોને રજૂઆત કરી હતી.

જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાની મોટી યોજના છે. વર્ષ 2007માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે યોજનાનું ખાતમૂર્હુત કર્યું હતું. ત્યારબાદ ગિરનાર કેન્દ્ર વન વિભાગ દ્વારા આરક્ષિત અભ્યારણ્ય જાહેર કરવામાં આવતા આયોજન અટકી હતી. જૂનાગઢમાં લોકો ગિરનારનાં દર્શનાર્થે આવતા હોવાથી યોજના સત્વરે શરૂ થાય તે માટે લોકસભાનાં 26 સાંસદ, રાજ્યસભાનાં 8 સાંસદને રોપ-વેની કામગીરી શરૂ કરવા માટે મેયર જીતુભાઇ હિરપરાએ રજૂઆત કરી હતી.

જૂનાગઢ સક્કરબાગ ઝૂનાં સિંહની નર-માદા જોડી જશે લંડનનાં ઝૂમાં

  • DivyaBhaskar News Network
  • Dec 23, 2015, 03:55 AM IST
જૂનાગઢનાંસક્કરબાગ ઝૂમાંથી સિંહની નર-માદા જોડીને લંડનનાં ઝૂમાં મોકલવા માટેની દરખાસ્ત કરાઇ છે. અને તેના બદલામાં ચિત્તા, ઝીબ્રા અને આફ્રિકન લેમુર જેવાં પ્રાણીઓ સક્કરબાગ આવશે.

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી નર-માદા સિંહની એક જોડી લંડનનાં ઝૂમાં મોકલવાની દરખાસ્ત ઝૂ દ્વારા મૂકવામાં આવ્યાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બદલામાં સક્કરબાગ ઝૂને ચિત્તાની એક નર-માદા જોડી, ઝીબ્રાની એક નર-માદા જોડી તેમજ 3 આફ્રિકન લેમુર નામનાં પ્રાણીઓ મળશે. પ્રક્રિયા એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ હાથ ધરાશે. જોકે, માટેની દરખાસ્ત હજુ મૂકવામાં આવી છે. જે કેન્દ્રિય ઝૂ ઓથોરિટીની લીલી ઝંડી મળ્યા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, સક્કરબાગ ઝૂમાંથી એશિયાટિક સિંહો દુનિયાભરનાં ઝૂમાં મોકલવામાં આવે છે. અને બદલામાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અહીં લાવવામાં આવે છે. અહીં તેનું બ્રિડીંગ પણ કરાતું હોય છે. હાલ ઝૂ દેશનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકીનું એક છે.

વર્ષો પહેલાં સીંગાપોરથી ચિત્તા લવાયા હતા

સક્કરબાગ ઝૂમાં વર્ષો પહેલાં સીંગાપુરનાં ઝૂમાંથી નર-માદા ચિત્તાની બે જોડી લાવવામાં આવી હતી. અને તેના બદલામાં 3 સિંહો સીંગાપુર મોકલાયા હતા. બાદમાં જોકે, એક ચિત્તાનું મોત થયું હતું. વખતે ચિત્તાને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનાં દર્શનાર્થે ખુલ્લા મૂક્યા હતા.

અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ


અમરેલી: ઇકો ઝોન મુદે 1000 ખેડૂતનું વિરોધ પ્રદર્શન, 18 ગામના ખેડૂત લાલઘુમ

  • Bhaskar News, Savarkundla
  • Dec 31, 2015, 00:18 AM IST
- સાવરકુંડલામાં ખેડૂતોએ બાઇક રેલી કાઢી આવેદન પાઠવ્યુ : વીજ કંપનીની તાનાશાહી સાથે પણ રોષ

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં છેલ્લા ચાર મહિનાથી ઇકોઝોનના મુદે ગ્રામ્ય વિસ્તારના લોકો લડત ચલાવી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવતો ન હોય આજે સાવરકુંડલામાં એક હજાર ખેડૂતોએ વિશાળ બાઇક રેલી કાઢી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડૂતોએ ઇકો ઝોનથી પડનારી તકલીફ ઉપરાંત વિજ કંપની દ્વારા થતી હેરાનગતી સામે પણ આક્રોશ વ્યક્ત કરી પગલા લેવા માંગ કરી હતી.

ઇકો સેન્સેટીવ ઝોનથી અમરેલી જીલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં પ્રભાવિત થાય તેમ હોય આ મુદે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગીર કાંઠા આસપાસના વિસ્તારો ઉપરાંત શેત્રુજી કાંઠાના વિસ્તારોનો ઇકો ઝોનમાં સમાવેશ થતો હોય આવનારા સમયમાં ખેડૂતોને તેમના ખેતીકામમાં પણ મુશ્કેલી પડશે તે આશંકાએ ધારી, ખાંભા, સાવરકુંડલા સહિતના શહેરોમાંથી ભારે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ધારીમાં તો આ મુદે લાંબા સમયથી પ્રતિક ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યુ છે. ત્યારે આજે સાવરકુંડલા પંથકમાં પણ ફરી આંદોલનના મંડાણ થયા હતાં અને ખેડૂતોએ પોતાની તાકાતનો સરકારને પરચો આપ્યો હતો. સાવરકુંડલામાં આજે ખેડૂતો દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ કરવા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયુ હતું.

સાવરકુંડલાના સુર્યોદય પેટ્રોલપંપથી 1000 જેટલા ખેડૂતોએ આ બાઇક રેલી યોજી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ આ કાયદાનું તાકીદે નિરાકરણ લાવવા ઉગ્ર માંગ કરી હતી. મયુરભાઇ સેલડીયા, હસુભાઇ સુચક, મહેશભાઇ જયાણી, વિપુલભાઇ જયાણી વિગેરેની આગેવાની નીચે ખેડૂતોએ અહિં મામલતદારને આવેદન પાઠવ્યુ હતું.

ખેડૂતોને વિજ કંપની દ્વારા થતી હેરાનગતી, પીજીવીસીએલ દ્વારા બીજુ વિજ જોડાણ અપાતુ ન હોય, નવા વિજ કનેક્શનો ચેકીંગની હેરાનગતિ ઉપરાંત ભુંડ-રોઝનો ત્રાસ, 7-12 અને 8-અના ઉતારાની નકલમાં પડતી અગવડતા જેવા પ્રશ્નોને લઇને પણ રોષપૂર્ણ રજુઆત કરવામાં આવી હતી. આ તકે બાબુભાઇ કુબાવત, રાઘવભાઇ સાવલીયા, કિશોરભાઇ ગજેરા, મનુભાઇ ડાવરા, સતીષભાઇ મહેતા, હિંમતભાઇ ગુર્જર, અશ્વિનભાઇ ધામેલીયા વિગેરે ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ચોક્કસ કંપનીની મોટર ખરીદવા આગ્રહ કેમ

ખેડૂતોએ આજે મામલતદારને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ હતું કે હાલમાં જે ખેડૂતના નવા વિજ જોડાણ મંજુર થાય છે તેને વિજ કંપની દ્વારા ચોક્કસ કંપનીની જ ઇલેકટ્રીક મોટર ખરીદવા ફરજ પડાય છે જે વ્યાજબી નથી.

હિંસક પશુના હુમલામાં પુરૂ વળતર આપો

આવેદનપત્રમાં એમ પણ જણાવાયુ હતું કે ખેડૂતો અને તેના મજુરો ઉપરાંત ગાય, બળદ, ભેંસ જેવા પશુઓ પર સિંહ, દિપડા અને ભુંડ જેવા હિંસક પશુઓ હુમલા કરી ઇજા પહોંચાડે છે કે જાનહાની સુધીની ઘટના બને છે. પરંતુ તેમાં વનતંત્ર પુરતુ વળતર આપતુ નથી. જે મળવુ જોઇએ.

બીરાઓએ સિંહને શિકાર સમયે કર્યો પરેશાન

  • DivyaBhaskar News Network
  • Dec 30, 2015, 03:46 AM IST
અમરેલીજીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો દ્વારા મારણની ઘટનાઓ રોજ બને છે. મારણના સ્થળે સિંહ દર્શન માટે ટોળેટોળા ઉમટી પડે છે અને અવાર નવાર સાવજોને હેરાન કરવાની ઘટનાઓ પણ બને છે. શેત્રુજી નદી વિસ્તારમાં ગઇકાલે નબીરાઓએ મારણ કરી રહેલા સાવજને પરેશાન કર્યાનો વિડીયો વાયરલ થતા ચર્ચા જાગી છે. રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ આક્રમક બની પગલા લેવામાં ઉણુ ઉતરી રહ્યુ છે. શેત્રુજીના પટમાં અવાર નવાર સાવજો આવતા રહે છે. બલ્કે શેત્રુજી કાંઠાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે. તાજેતરમાં અહિં સાવજ દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે સિંહ દર્શન માટે પહોંચેલા નબીરાઓએ તેની વિડીયો ક્લીપ ઉતારી હતી.

અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ

 Bhaskar News, Amreli
Dec 29, 2015, 00:48 AM IST
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ 
અમરેલી: સલડીના યુવકે 520 જેટલા પક્ષીઓનાં અવાજ કર્યા રેકોર્ડ
- ઉભરતી પ્રતિભા: પક્ષીઓના અવાજ રેકોર્ડ કરતુ ઉપકરણ પણ વિકસાવ્યું,  યંગ નેચરાલીસ્ટ એવોર્ડ મેળવી સન્માન કરાયું

અમરેલી: લીલીયા તાલુકાના સલડી ગામે રહેતો વિરલ જોષી નાનપણથી જ પક્ષી અને પ્રકૃતિ પ્રત્યે ભારે સહાનુભુતી ધરાવે છે. તેણે પક્ષી બચાવો અંગેની જાગૃતિ માટે નાની ઉંમરમા ઘણુ મોટુ કામ કર્યુ છે. પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવા છતા પણ તેણે મહેનત અને લગનથી આજે સફળતા મેળવી છે. તેણે અત્યાર સુધીમાં 520 જેટલા પક્ષીઓના અવાજ રેકોર્ડ કરી ભારતભરમાં નામ રોશન કર્યુ છે જે બદલ તેને તાજેતરમાં યંગ નેચરાલીસ્ટ એવોર્ડ-2015થી સન્માન કરાયુ છે.
નાના એવા સલડી ગામે રહેતા અને કર્મકાંડ કરતા અરવિંદભાઇના પુત્ર વિરલે સમગ્ર ભારતભરમાં સલડી ગામ અને પરિવારનુ નામ રોશન કર્યુ છે. વિરલ નાનપણથી જ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. તેણે લોકોમાં પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ આવે તે માટે પણ અભિયાન ચલાવ્યું છે. પક્ષી વિજ્ઞાનમા આગળ વધવુ હોય અને એમાય તેનો અવાજ રેકાર્ડ કરવો હોય તે કઠીન કામ છે અને તેના ઉપકરણો પણ અતિ ખર્ચાળ છે. વિરલની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેને આવા ઉપકરણો ખરીદવા પરવડે તેમ ન હતા.


છતા વિરલે મહેનત અને લગનથી તેણે પોતે જ એક ઇન્સ્ટુમેન્ટ બનાવ્યું અને તે પણ માત્ર 350 રૂપિયામા જે પક્ષીઓના અવાજ રેકાર્ડ કરી શકે. બજારમાં તો આવા ઉપકરણો ખુબ મોંઘા મળે છે. વિરલે હિમાલય, ગોવા તેમજ ગુજરાતમા વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ખુબ જ મોટુ યોગદાન આપ્યું છે.

તાજેતરમાં તેની આ કામગીરીની નોંધ લઇ મુંબઇ ખાતે યોજાયે ‘ધ સેન્ચુરી વાઇલ્ડ લાઇફ એવોર્ડ 2015’મા ભારતમા સૌથી નાની ઉંમરના 22 વર્ષીય વિરલ અરવિંદભાઇ જોષીને ‘યંગ નેચરાલીસ્ટ એવોર્ડ’ અર્પણ કરી તેને સન્માનિત કરાયો છે.

ભારતમાં અત્યાર સુધીમાં 1200 પક્ષીઓના અવાજ રેકોર્ડ થયા છે

ભારતમા અત્યાર સુધીમાં આશરે 1200 જેટલા બર્ડ કોલ રેકોર્ડ થયા છે જેમાથી 520 જેટલા પક્ષીઓના અવાજ વિરલ જોષીએ રેકોર્ડ કર્યા છે. વિરલ જોષીની પક્ષીઓ અને પ્રકૃતિ પ્રત્યેની આવી કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે.
 

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

ઠંડીમાં ઓળો-રોટલો મળી જાય એટલે બસ, સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો
- દેશી ભાણું: બાબરા પંથકમાં શીયાળાની ઋતુમાં સીઝનલ વાનગીઓ આરોગતા સીમ વિસ્તારનાં ખેડૂતો

બાબરા: હાલ શિયાળો બરાબર જામ્યો છે. થોડા દિવસોથી બાબરા પંથકમા વધુ ઠંડી પડતી હોય તેવુ લાગી રહ્યુ છે. લોકો પોતાની તંદુરસ્તીને સુધારવામા લાગી ગયા છે. સવારે વહેલા ઉઠી કસરતો કરતા જોવા મળી રહ્યા છે. વાડી ખેતરમા લોકો હવે તાપણા કરતા પણ નજરે ચડી રહ્યા છે. સાથે સાથે આ ઋતુમા લોકો દેશી ખાણી-પીણીમા ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. લોકો તેના પરીવારજનો સાથે ખેતરમા જુદા-જુદા દેશી ખાણુ બનાવી તેનો આસ્વાદ માણી રહ્યાં છે.  

 બાબરા પંથકમા ઠંડીનો દોર શરૂ થયો છે. કડકડતી ઠંડીથી લોકો થરથર કંપી ઉઠયાં છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ એટલે આરોગ્ય બનાવવાની ઋતુ છે. લોકો વહેલી સવારથી શિયાળાની ઠંડીમા વિવિધ કસરતો કરતા નજરે ચડી રહ્યા છે. અને પોતાના સ્વાથ્યને તંદુરસ્ત બનાવવામા લાગી ગયા છે અને શરીરને નિરોગી બનાવી રહ્યા છે. ગામડાઓમા લોકો તાપણુ કરતા જોવા મળી રહ્યા છે.

 બાબરા પંથકની મોટા ભાગની વાડીઓ ખેતરોમા લોકો દેશી ખાણુ આરોગીને ઠંડીમાંથી રાહત અનુભવી રહ્યા છે. લોકો ખેતરોમા બાજરાનો રોટલો અને ઓળો, પંચરત્ન દાળ, મેથીના ભજીયા, પટ્ટી મરચાના ભજીયા વિગેરે બનાવી આરોગી રહ્યા છે. આમ આ પંથકની વાડીઓમા પરીવાર સાથે લોકો કાતીલ ઠંડીમા પણ દેશી ખાણુ આરોગી જમાવટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં દરેક સીઝન વખતે લોકો અલગ-અલગ ખાણી-પીણીનો શોખ રાખે છે. ત્યારે િશયાળામાં પણ કાઠીયાવાડમાં ઓરો અને રોટલો ફેવરીટ છે અને શિયાળામાં વાડી વિસ્તારમાં મોટા ભાગે આવી વાનગીઓ બનતી રહે છે.

ચાંદગઢમાં હવામાં ફાયરીંગ અંગે વનકર્મી દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

  • DivyaBhaskar News Network
  • Dec 24, 2015, 09:14 AM IST
મરેલીતાલુકાના ચાંદગઢ ગામની સીમમાં ગઇરાત્રે સાવજોની રક્ષા માટે પેટ્રોલીંગ કરી રહેલા એક વનકર્મી સામે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સે હવામા ફાયરીંગ કર્યાની ઘટના બાદ આજે વનકર્મી દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ આપવામા આવી હતી. દરમિયાન ફાયરીંગના સ્થળથી થોડે દુર વનવિભાગને શિકાર કરાયેલા સસલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો પર નજર રાખવા વનકર્મચારીઓને રાત્રે પણ પેટ્રોલીંગ કરવુ પડે છે. અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં વનવિભાગના કર્મચારી મેરાભાઇ ભગવાનભાઇ જાપડા ગઇરાત્રે સીમમા પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સોની શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડતા તેમણે તેના પર બેટરીનો પ્રકાશ ફેંકી પડકાર્યા હતા.

દરમિયાન સંભવત: શિકારના ઉદ્દેશ્યથી આવેલા બંને શખ્સોના હાથમા દેશી બંદુક જેવુ હથિયાર હોય તેનાથી તેણે હવામા ફાયરીગ કરી વનકર્મચારીને ડરાવ્યા હતા. અને બાદમાં બાઇક પર બંને નાસી છુટયા હતા. જે અંગે આજે મેરાભાઇ જાપડાએ અમરેલી તાલુકા પોલીસમા લેખિત ફરિયાદ આપી હતી.

બીજી તરફ વનકર્મચારીઓ દ્વારા રાત્રે શખ્સોની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન આજે ફાયરીંગના સ્થળની નજીકથી એક સસલાનો શિકાર કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ચાર્જ આરએફઓ આર.એમ.હેરભાએ જણાવ્યું હતુ કે સસલાને સળીયા વડે મોતને ઘાટ ઉતારવામા આવ્યુ હોવાનુ જણાઇ રહ્યું છે. વનતંત્રએ દિશામા પણ તપાસ શરૂ કરી છે.

અવાર-નવાર જંગલ વિસ્તારમાંથી પ્રાણીઓનાં શિકાર થતાં હોય અને મૃતદેહો મળી આવતા હોય આવી પ્રવૃત્તિ અટકાવવા વનપ્રેમીઓમાંથી તંત્ર દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે એવી માંગ પણ ઉઠાવવામાં આવી છે.

લીલીયા પંથકમાં બે દિવસમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ


  • DivyaBhaskar News Network
  • Dec 18, 2015, 02:45 AM IST
લીલીયાનાબૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો. સાવજો દ્વારા પશુઓના મારણની ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.

જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


લીલીયા પંથકમાં સિંહે કર્યું ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ


  • Bhaskar News, Amreli
  • Dec 17, 2015, 23:49 PM IST
લીલીયા: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવાનવાર સાવજો વાડી ખેતરોમાં આવી ચડે છે અને પશુઓનુ મારણ કરે છે. ત્યારે અહી બે દિવસમાં સાવજોએ જુદાજુદા સ્થળોએ ત્રણ પશુઓનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ દોડી ગયો હતો.  સાવજો દ્વારા પશુઓના મારણની આ ઘટના લીલીયા પંથકમાં બની હતી. અહી લીલીયાથી અમરેલી માર્ગ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પસો આવેલ મનુપરી બાપુના ખેતરમાં બે સાવજો આવી ચડયા હતા. અહી સાવજોએ એક પાડીનું મારણ કર્યુ હતુ. આ ઉપરા઼ત સનાળીયા માર્ગ પર આવેલ ફુલજીભાઇ ઝીંઝુંવાડીયાના ખેતરમાં પણ સાવજો આવી ચડયા હતા અહી સાવજોએ એક બળદનું મારણ કરી મિજબાની માણી હતી.  જયારે ધીરૂભાઇ શીંગાળાના ખેતરમાં સાવજોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. કડકડતી ઠંડીમાં સાવજોની ડણકોથી લોકો થથરી ઉઠયાં હતા. મારણની ઘટના અંગે જાણ થતા ફોરેસ્ટર કે.જી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સાવજો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમા આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે.

ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


ખાંભા: આધેડને બચાવવા વનકર્મીએ સિંહણ સાથે બાથ ભીડી, થયો ઈજાગ્રસ્ત


  • Hirendrasinh Rathod, Khambha
  • Dec 16, 2015, 12:33 PM IST
ખાંભા: ખાંભા તાલુકાના નસેડી-સમઢિયાળા ગામે સવારથી એક સિંહણ ઘુસી ગઈ હતી અને ગામને બાનમાં લીધું હતું. જોતજોતામાં સિંહણે એક આધેડ પર હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ વનકર્મી વચ્ચે પડતાં આધેડ બચી ગયા હતા. સિંહણે વનકર્મીને ઈજા પહોંચાડતા તે હાલ અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વનકર્મીનાં ઉમદા કાર્યની નોંધ લીધી હતી. વનવિભાગ દ્વારા વનકર્મીને બહાદુરી માટે એવોર્ડથી નવાજવામાં આવશે તેવી ચર્ચા વનવિભાગના સુત્રો તરફથી મળી રહી છે.
 
ખાંભા તાબાના સમઢિયાળા-2 ગામે મંગળવારે સવારે એક સિંહણ ગામમાં ઘૂસતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો, જેની વનવિભાગને જાણ કરાતા વનવિભાગની રેસ્કયુ ટીમ દોડી આવી હતી અને સિંહણને ગામની બહાર ખસેડવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સિંહણ એક આધેડ વયની વ્યક્તિ પર હુમલો કરવા જતી હોવાનું જોતાં રેસ્કયુ ટીમના કર્મચારી બચાવવા જતાં સિંહણે તેમની પર હુમલો કકી ઘાયલ કર્યા હતા. ઇજાગ્રસ્ત વનકર્મીને પ્રથમ ખાંભા અને બાદમાં અમરેલી રિફર કરાયા હતા. બાદમાં રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ સિંહણને ગામ બહાર ખસેડાઈ હતી.
 
નિતલીમાં કરંટથી સિંહણનું મોત :
 
તુલસીશ્યામ રેંજના કોઠારિયા રાઉન્ડ હેઠળ આવતા નિતલી ગામે એક સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. સિંહણનું મોત વાડીમાં તાર ફેન્સિંગમાં વીજ કરંટથી થયાનું ખૂલતાં વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

Monday, November 30, 2015

ગિરિતળેટીના ઉંબરે કુમકુમ-અક્ષતના સાથિયા પુરી પરિક્રમાર્થીઓની વિદાય.

Nov 26, 2015 00:02

  • પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી !! : બસ અને ટ્રેનમાં હજૂ ભીડ
જૂનાગઢ : ધાર્મિક માન્યતાઓ અને પરંપરા અનુસાર ગિરનાર પરિક્રમા માર્ગની બહાર નિકળતા પહેલા કુમકુમ અને અક્ષતના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવી દેવતાઓના પગલાના પૂજન સાથે આજે વધ્યા-ઘટયા પરિક્રમાર્થીઓએ વિદાય લીધી હતી. સાંજ સુધીમાં જંગલ વિસ્તાર તો ઠીક ભવનાથ તળેટી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. આ વખતે પરિક્રમા પાંચના બદલે આઠ દિવસ લાંબી ચાલી હતી. જો કે બસ અને ટ્રેનમાં હજૂ પણ યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે.
પૌરાણિક સમયથી યોજાતી ગિરનારની પાવનકારી પરિક્રમાનો ઉતાવળિયા યાત્રિકોએ ગત બુધવારથી જ પ્રારંભ કરી દીધો હતો. ત્યારથી લઈને આજે બુધવારે સત્તાવાર રીતે પરિક્રમાની પૂર્ણાહૂતિ થઈ હતી. આઠ દિવસમાં નવ લાખ યાત્રિકો ઉમટી પડયા હતાં. ગઈકાલે રાત્રે પરિક્રમાના છેલ્લા પડાવ બોરદેવીમાં રોકાણ કરનાર યાત્રિકો આજે વહેલી સવારથી જ બહાર નિકળવા માંડયા હતાં. સાંજ સુધીમાં મોટાભાગના યાત્રિકો જંગલની બહાર આવી ભવનાથ તળેટી છોડી જતા રહ્યા હતાં. ધાર્મિક માન્યતા અનુસાર દેવતાઓએ આ પરિક્રમા કરી હોય તેના પડેલા પગલા અને આ ક્ષેત્રમાં વસવાટ કરતા દેવતાઓના પૂજન માટે યાત્રિકોએ બોરદેવી થાણા નજીકના જંગલના માર્ગ ઉપર ચોખા અને ઘઉં તથા કુમકુમના સાથિયા પુરી દિવડાઓ પ્રગટાવ્યા હતાં. અન્નક્ષેત્રોના સંચાલકો સામાન સમેટીને જતા રહ્યા છે. સામાન્ય રીતે પરિક્રમા પાંચ દિવસની હોય છે. આ વખતે એક તિથિનો ક્ષય હોવાથી સત્તાવાર રીતે ચાર દિવસ હતાં. પરંતુ પરિક્રમા આગોતરી શરૂ થઈ જતા આઠેક દિવસ જેટલી લાંબી ચાલી હતી. પરિક્રમા પુરી થઈ જતા તમામ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાઓ સંકેલાઈ રહી છે. જો કે પરત જતા યાત્રિકોની ભીડ હજૂ પણ બસ અને ટ્રેનમાં દેખાઈ રહી છે. આવતીકાલ સુધી આ ભીડ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Saturday, October 31, 2015

દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ થયો શરૂ

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:15 AM IST
જૂનાગઢ ઐતિહાસીક નગરી છે. જૂનાગઢમાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે દેશ-વિદેશનાં પ્રવાસીઓને વધુ આકર્ષી શકાય તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. જેની તૈયારી માટે આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં મિટીંગ યોજાશે.

જૂનાગઢનાં ભવનાથમાં યોજાતા શિવરાત્રીનાં મેળા અને ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ રજા અને વેકેશનનાં દિવસોમાં પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા રહે છે. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરી શકાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં દેશ-વિદેશનાં પ્રવાસીઓ આવે તે માટે ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર પર્વત પર અંબાજી માતા, ગુરૂ દતાત્રેય, વગેરે ધાર્મિક સ્થળો તેમજ ઉપરકોટ, મહોબ્બત મકબરા, બૌદ્ધ ગુફા, અશોકનો શિલાલેખ જેવા ઐતિહાસીક તથા પ્રાચીન સ્મારકો આવેલા છે.

તેમજ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારોને આવરી લઇ મહોત્સવ યોજવામાં આવશે. આગામી ડિસેમ્બર માસનાં અંતિમ સપ્તાહમાં ગિરનારોત્સવ યોજાશે. ગિરનારોત્સવમાં સ્વચ્છ ભારત અભિયાન કલ્ચરલ પ્રોગ્રામ અને પરેડ જેવી જુદી-જુદી એક્ટિવીટીને સાંકળી લેવામાં આવે છે. હાલ ગિરનારોત્સવને લઇ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેને લઇ આગામી તા. 2 નવેમ્બરે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાશે. જેમાં ગિરનારોત્સવનું આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બરનાં અંતમાં ગિરનારોત્સવ

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે

DivyaBhaskar News Network

Oct 31, 2015, 06:10 AM IST
ગિરનારનીલીલી પરિક્રમા આગામી 22 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ ચાલુ વર્ષે અોછા વરસાદનાં કારણે જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત ઓછા છે. પરિણામે પરિક્રમામાં પાણીની તંગી સર્જાશે. એવી રજૂઆત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેક્ટરે કરી છે.

ગિરનારની લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢિયારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી કહ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ પીવાનાં પાણીની તંગી છે. ત્યારે વન વિભાગ હસ્તકનાં પાણીનાં બોર ચાલુ કરવા જોઇઅે. પરિક્રમામાં ત્રણ ઘોડી વિકટ છે. જગ્યાએ પાણી અને દવાની વ્યવસ્થા કરવી જોઇએ. પરિક્રમાનો સમગ્ર રૂટ તાત્કાલિક રીપેર કરવો જોઇએ. પરિક્રમામાં આવતી સેવાકીય સંસ્થાને એકજ જગ્યાઅેથી પરમીટ મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. અને પાણીની વ્યવસ્થા પણ કરી દેવી જોઇએ. પરિક્રમા રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યાઓ પર સીસી ટીવી કેમેરાની વ્યવસ્થા કરવી જેથી કરીને યાત્રાળુની સલામતી જળવાઇ રહે.

લોકો વન્ય સંપદાને નુકસાન કરે તે માટે સુત્રો લખવા જોઇએ. તેમજ તમામ તૈયારીઅો પૂર્ણ થયા બાદ વહિવટી તંત્ર, વન વિભાગ, સાધુ-સંતો, સામાજીક સંસ્થાઓ, રાજકીય પ્રતિનિધીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવું જોઇએ. તેમજ જે ભયજનક ઘોડીઓ છે ત્યાં દુર્ઘટના સર્જાય તે માટે બંદોબસ્ત ગોઠવવો જોઇએ.

2જી નવેમ્બરે પરિક્રમાને લઇ બેઠક

ગિરનારનીપરિક્રમાને લઇ તૈયારીઓ ચાલી રહી છે. યાત્રાળુઓની સુખાકારી તેમજ સુવિધા માટે આયોજન થઇ રહ્યું છે. જેને લઇ તા. 2 નવેમ્બરનાં રોજ કલેક્ટર કચેરીમાં એક મિટીંગનું આયોજન કરાયું છે.

ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત ભાવનગરનાં યાત્રાળુનું ગિરનાર જંગલમાં મોત

DivyaBhaskar News Network

Oct 30, 2015, 06:15 AM IST
ગિરનારજંગલનાં અસાયબાપીરની જગ્યાની બાજૂ માંથી ભાવનગર જિલ્લાનાં યાત્રાળુનો મૃતદેહ મળી આવ્યો હતો.ભવનાથ પોલીસે તેનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.

ગિરનાર જંગલમાં આવેલા અસાયબાપીરની જગ્યાથી 200 મીટર અંદર જંગલમાં મૃતદેહ પડયાની જાણ ભવનાથ પોલીસને જતા પીએસઆઇ એસ.બી.પરમાર અને સ્ટાફ દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તપાસ કરતા મૃતક ભાવનગર જિલ્લાનાં પાલડી ગામનાં ગોયાણી ધરમસીભાઇ હરજીભાઇ હોવાની જાણા મળ્યુ હતુ.પોલીસ તેના પરિવાર જનનો સંર્પક કરી જાણ કરી હતી.તેમજ કયા કારણે મોત થયુ તેની તપાસ હાથ ધરી હતી.

ગીર અભયારણમાં હવે 100 ટકા ઓનલાઇન બુકીંગ થશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
ગીરનેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા આગામી તા.1 લી નવેમ્બરે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકે તેવી સુવિધા પૂરી પાડી હતી. કેમકે મુલાકાતીઓને બુકીંગમાં પરેશાની થતી હતી પગલાને ધ્યાને લઇ વન વિભાગે આયોજન કર્યુ છે.

એશીયાઇ સિંહોની વાસહત ધરાવતા ગીર અભ્યારણની સુવિધમાં વધારો કર્યો હતો. જેમાં ગીર નેશનલ પાર્ક ઓથોરીટી દ્વારા અભ્યારણની સવારની વહેલી (6 થી 9 કલાકની) ટ્રીપ માટે 100 ટકા ઓનલાઇન બુકીંગ કરી શકશે. પહેલા 50 ટકા સુવિધા આપવામાં આવતી હતી. જેમાં વધારો કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં દેશ વિદેશથી સિંહ દર્શન માટે લાખો સહેલાણીઓ આવતા હોય છે અને તાજેતરમાં એક ખુલાસો થયો હતો કે અભ્યારણમાં કાળાબજાર થાય છે. મુલાકાતીઓ પાસેથી મસમોટી ફી લઇ તેમને કાળા બજારીયાઓ લૂંટી રહ્યા છે અને ચાર્જ કરતા વધુ ચાર્જ ચૂકવવો પડે છે. સાસણ આવતા ટૂરીસ્ટો લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમંથી મૂક્તિ મળશે અને જરૂરી ડોક્યુમેન્ટની માહિતી ઓનલાઇન મૂકી શકશે તેમવન્યપ્રાણી વિભાગનાં નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું.

ગિરનારમાં લીલી પરિક્રમા માટેની તૈયારીઓ માટે બેઠક

DivyaBhaskar News Network

Oct 28, 2015, 04:00 AM IST
જૂનાગઢનાંગિરનારમાં લીલી પરિક્રમા માટે લાખો યાત્રાળુઓ અવર જવર કરતા હોય છે. ત્યારે અા કાર્યક્રમની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે તા. 30નાં રોજ અધિકારીઓની બેઠક મળશે. અને તા. 22 નવેમ્બરે લીલી પરિક્રમાં પ્રવાસીઓ માટે પ્રારંભ કરાશે.

જૂનાગઢનાં ગરવા ગિરનારની પરંપરાગત લીલી પરિક્રમાં તા. ૨૨ થી શરૂ થનાર છે. પરિક્રમામાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે. ત્યારે માટે આગામી સમયમાં માટેની પ્રક્રિયા કરવામાં આવશે. લીલી પરીક્રમાનાં સુચારૂ આયોજનાર્થે વિવિધ ખાતા- કચેરીઓનો લગત કામગીરીના આયોજનાર્થે અને અમલીકરણ સંબંધે કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને કલેકટર કચેરીનાં મીટીંગ હોલમાં તા. 30નાં રોજ 11:30 કલાકે બેઠક યોજાશે. બેઠકમાં લીલી પરિક્રમાં સંલગ્ન વિભાગોનાં અમલીકરણ અધિકારીઓએ તેમનાં વિભાગને લગત આધુનિક માહિતી સાથે બેઠકમાં ઉપસ્‍થિત રહેવા માટે અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી આર.જી.જાડેજાની યાદીમાં જણાવાયુ છે

સક્કરબાગની જેમ ભોપાલમાં લાયન સફારી, સિંહો મોકલાશે

DivyaBhaskar News Network

Oct 28, 2015, 03:55 AM IST
જૂનાગઢમાંસક્કરબાગ ઝુનાં નર-માદા સિંહોની જોડીને મધ્યપ્રદેશનાં પાટનગર ભોપાલ ખાતેનાં સફારી પાર્કમાં મોકલવામાં આવનાર છે. ભોપાલનાં વન વિહાર ખાતે માટે ખાસ 20 હેક્ટરનો વિસ્તાર ખાસ લાયન સફારી માટેજ સુનિશ્ચિત કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને વિહરતા સિંહોને નિહાળી શકે. મધ્યપ્રદેશનાં વનવિભાગે સમાચારને પુષ્ટિ આપી છે. જ્યારે ગુજરાતનો વનવિભાગ બાબતે મૌન સેવી રહ્યો છે.

મધ્યપ્રદેશ વનવિભાગનાં વડા નરેન્દ્રકુમારે અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે, ભોપાલ સ્થિત 445 હેક્ટરમાં પથરાયેલા વન વિહાર નામનાં સફારી પાર્કમાં ખાસ લાયન સફારી શરૂ કરવા માટે 20 હેક્ટર વિસ્તારને ખાસ લાયન સફારી માટે તૈયાર કરાયો છે. જેમાં લોકો જીપમાં બેસીને સિંહોને નિહાળી શકે. અહીં જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાંથી નર-માદા સિંહોની જોડી મોકલવામાં આવનાર છે. માટે બંને રાજ્યોનાં વનવિભાગે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પાસે મંજૂરી માંગી હતી. જેને મંજૂરી આપી દેવાઇ છે. અંગે નરેન્દ્રકુમારે કહ્યું હતું કે, આગામી મહિને સિંહો ભોપાલનાં વન વિહારમાં જોવા મળી શકશે. જોકે, મામલે ગુજરાતનું વનવિભાગ મૌન સેવી રહ્યું છે. અા વાતને પુષ્ટિ પણ નથી આપી તો નકારી પણ નથી. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીએ જોકે, મંજૂરી ગત વર્ષેજ આપી દીધી હોવાનું પણ મ.પ્ર.નાં વનવિભાગે જણાવ્યું હતું.

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

Bhaskar News, Talala

Oct 27, 2015, 00:17 AM IST

પરમીટ માટે 100 ટકા ઓન લાઇન બુકીંગ

પ્રવાસીઓને લાઇનમાં ઉભા રહેવા છતાં પરમીટ મળશે કે કેમ તે અંગે મુશ્કેલી પડતી હોય ગીર ઓથોરીટી સમિતીની તાકીદની મળેલી બેઠકમાં સિંહ દર્શન માટે સવારનાં 6 થી 9 ની ટ્રીપનું 100 ટકા બુકીંગ 1 નવેમ્બરથી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવાયો હતો. વન વિભાગની WWW.girlion.inની સાઇટમાંથી તા.27 નાં મધરાતથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે એમ ડો.સંદિપકુમારે જણાવ્યું હતું.

ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિનિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ સગ્રહાલયદ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલવામાં આવ્યા છે.

ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

મકવાણા ભાવિક, ગોપાલ વઘાસિયા. જૂનાગઢ

જૂનાગઢજિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતુું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતુુું.

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં

યુરોપે કરી ગીરનાં સાવજોની માંગ, મંગળવારે પ્રાગની ટીમ જૂનાગઢમાં
  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
સિંહને ત્યાં વાતારણ અનુકૂળ આવશે કે કેમ ? તેની તપાસ થશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિ નિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ દ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલાયા છે. જૂનાગઢ સક્કરબાગમાંથી વિશ્વનાં મોટા ભાગનાં ઝૂમાં સિંહ મોકલવામાં આવ્યા છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

ચાલુ વર્ષમાં પાંચ સિંહોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલાયા

સક્કરબાગપ્રાણીસગ્રહાલય દ્વારા એક વર્ષમાં 5 સિંહને રાજ્યનાં તેમજ આંતરરાજ્ય પ્રાણીસંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ નરસિંહ અને બે માદાનો સમાવેશ થાય છે.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર


વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં સાવજોએ કર્યા 4 ગાયનાં શિકાર

  • DivyaBhaskar News Network
  • Oct 26, 2015, 06:10 AM IST
વિસાવદરનાંમોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ચાર ગાયનો શિકાર કર્યો હતો. જયારે એક ગાયને ભરવાડે સામનો કરી બચાવી લીધી હતી.

વિસાવદરનાં મોટી પીંડીખાઇમાં મધરાતનાં પાંચ સિંહોએ ગામમાં પ્રવેશી ભરવાડ નારણભાઇ લીંબાભાઇ જાખડાનાં મકાનનાં વંડામાં ત્રાટકી એક પછી એક એમ ત્રણ ગાય અને એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યા હતાં. ગાયોનાં ભાંભરવાનાં અવાજથી નારણભાઇ જાગી ગયેલ અને ગોફણ, લાકડીથી સિંહો પાછળ દોટ મુકી એક ગાયને મોતનાં મુખમાંથી બચાવી લીધી હતી. બનાવનાં પગલે વન તંત્રનાં સ્ટાફે સ્થળ પર રોજકામ કરી ચારેય મારણને ભરી જંગલમાં લઇ ગયા હતાં. રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવર-જવર વધી હોય વન તંત્ર દ્વારા પુરતું પેટ્રોલીંગ ગોઠવાય એવી લોકોમાંથી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાની પશુઓનાં ગામમાંથી હુમલાનાં બનાવો વધી રહ્યાં છે ત્યારે ગ્રામજનોમાં ભય જોવા મળે છે.

સદનસીબે એક ગાયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. }વિપુલ લાલાણી

એક ગાયને ભરવાડે મોતનાં મુખમાંથી બચાવી

જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો


જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો

  • Bhavik Makvana, Gopal Vaghasiya, Junagadh
  • Oct 26, 2015, 00:02 AM IST
- કેશોદનાં ખેડૂતનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી
- ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ કર્યુ હતું.

 જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નિવાસી અર્જૂનભાઇ મોહનભાઇ પાધડાર ખેડૂત છે. પણ તેઓએ પર્યાવરણને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. ચક્લીઓ પ્રત્યેનાં પ્રેમને કારણે તેઓએ મોબાઇલ ચબૂતરો અને છાણાનો માળો બનાવ્યો છે. આશરે બે વર્ષનાં ટૂંકાગાળામાં 9000 જેટલા મોબાઇલ ચબૂતરાનું નિ:શુલ્ક વિતરણ કર્યુ છે. તેમજ 1000 જેટલા છાણાનો માળો બનાવી વિતરણ કર્યું હતું. તેઓ પર્યાવરણનાં જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો સર્જનાત્મક વિચારોને કારણે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તું બનાવવામાં માહેર છે. જેમાં પ્લાસ્ટિકની બોટલમાં મોબાઇલ ચબૂતરો બનાવ્યો અને ગાયનાં છાણમાંથી ચક્લીનો માળો બનાવ્યો હતો.

ચક્લી આપણી સાથે રહેવા ટેવાયેલી છે

ચકલીએ આપણી સાથે સાથે રહેવા ટેવાયેલું પ્રાણી છે. તેને દૂષિત પર્યાવરણથી બચાવી ઘરમાં તેનો મીઠો ટહુકાર સંભળાય તો કુદરત સાથે હોય તેવી લાગણી થાય.
- અર્જૂનભાઇ પાઘડાર, ખેડૂત

રાષ્ટ્રપતિ  એવોર્ડ એનાયત

દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એકઝીબીશનમાં બ્રિક અેન્ડ બ્લોક મશિન પ્રદર્શન કરવામાં આવતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાષ્ટ્ર લેવલે બીજા નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મોબાઇલ ચબૂતરો કેમ કહે છે

મોબાઇલની જેમ હરતું ફરતું રાખી શકાય છે. આ ચબૂતરો પ્લાસ્ટિકની બોટલમાં બનેલો હોય છે. એક સપ્તાહ સુધી ચકલી ચાંચ મારી અનાજનું ચણતર કરી શકશે.
 



છાણમાંથી બનાવે છે લાકડા અને કુંડી
જૂનાગઢ: પર્યાવરણપ્રેમી ખેડૂત ચક્લી માટે બનાવે છે છાણાનો માળો
ગાયનાં છાણનાં ઘણાં ફાયદા છે. છાણમાંથી માળો બનાવવાથી ચક્લીઓને ત્રણેય રૂતુમાં માફક આવે છે. તેમજ લાકડાં બનાવવાને કારણે ગેસ, બળતણનો બચાવ થાય છે. અને કુંડીમાં વૃક્ષ વાવવાથી તેનો ઓર્ગેનિક વિકાસ થાય છે.

અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા


અમરેલી: ઠંડીનો ચમકારો શરૂ, શેત્રુંજીના પટમાં સાવજો મસ્તીએ ચઢ્યા

  • Bhaskar News, Amreli
  • Oct 31, 2015, 11:27 AM IST
અમરેલી: અમરેલી જિલ્લાનો લીલીયા તાલુકો એટલે બૃહદ ગિરનો હિસ્સો. અહીં છેલ્લા થોડા વર્ષોથી સાવજો ડણક દેવા લાગ્યા છે. ગત જૂન માસમાં શેત્રુંજીમાં આવેલા ભારે પુરને પગલે અનેક સાવજોનાં મોત થયાં હતા. પરીણામે સાવજોની ડણક આ વિસ્તારમાં જવલ્લેજ સાંભળવા મળતી હતી. પરંતુ શિયાળાનો ચમકારો શરૂ થતાંજ સાવજો શેત્રુંજીનાં પટમાં અવરજવર કરવા લાગ્યા છે. વન્યપ્રાણી પ્રેમીઓને તે અચૂક આ વિસ્તારમાં મોજ મસ્તી કરતા જોવા મળી જાય. ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટનાં રાજન જોષીએ અહીં મસ્તી કરતા વનરાજોની તસ્વીર પોતાનાં કેમેરામાં આબાદ કંડારી લીધી હતી.

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ

ગીર પૂર્વના ડીએફઓનો વિદાય સમારોહ : જંગલ રેઢું પડ
  • Bhaskar News, Amreli
  • Oct 30, 2015, 00:46 AM IST
- ગીર પૂર્વની તમામ સાત રેન્જનાં કર્મચારીઓ ઉપસ્થિત રહેતા જંગલ વિસ્તારમાં કોઇ હાજર ન હતું

અમરેલી : ગીર પૂર્વના ડીએફઓ તરીકે ફરજ બજાવી આ વિસ્તારમાં ભારે લોકચાહના મેળવનાર ડીએફઓ અંશુમન શર્માની ગોધરા ખાતે બદલી થતા ધારીમાં તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પોતાના કાર્યકાળ દરમીયાન તેમણે ચંદન ચોર ગેંગને પકડવા ઉપરાંત લાયન શો પર પણ લગામ કસી હતી.
 
ડીએફઓ અંશુમન શર્માએ ગીરપૂર્વના પોતાના કાર્યકાળ દરમીયાન ભારે લોકચાહના મેળવી હતી. ખાસ કરીને જંગલમાં ચાલતી અનેક પ્રકારની ગેરરીતીઓ પર તેમણે પોતાની આગવી સુઝથી કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત સિંહની વસતી ગણતરી દરમીયાન પણ યશસ્વી કામગીરી નિભાવી હતી. ગીર જંગલ તથા આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં લાયન શોની પ્રવૃતિ બેફામ બની હોય તેના પર કાબુ મેળવવા તેમણે અસરકારક પગલા લીધા હતાં. ધારી ખાતે વન કર્મચારીઓ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગીર પૂર્વની જુદી જુદી સાત રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

મોડી રાત સુધી કાર્યક્રમ ચાલુ રહ્યો
સાત રેન્જનો મસમોટો સ્ટાફ આ વિદાય સમારોહમાં ઉમટી પડતા જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ વિદાય સમારોહમાં ભાગ લેવા માટે ગીર પૂર્વની સાતે સાત રેન્જનો સ્ટાફ અને અધિકારીઓ દુર દુરથી આવ્યા હતાં. જેના કારણે જંગલ જાણે રેઢા પડ જેવું બન્યુ હતું. આ કાર્યક્રમ પણ મોડે સુધી ચાલ્યો હતો.

રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


ક્રાંકચમાં ચાર કલાકની જહેમત બાદ કોલર આઇડી સિંહણને સારવાર અપાઇ


Bhaskar News, Amreli

Oct 26, 2015, 10:37 AM IST
ચાર કલાકની જહેમત બાદ વનવિભાગે સારવાર આપી : બે સિંહણો વચ્ચે ઇનફાઇટમા ઇજા પહોંચી હતી

અમરેલી: અમરેલીના રેવન્યુ વિસ્તારમાં ખાસ કરીને ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના શેત્રુજી નદીકાંઠાના વિસ્તારોમાં બૃહદગીરમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં બે સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા અહીની રાજમાતા કહેવાતી કોલર આઇડી સિંહણને ગંભીર ઇજા પહોંચી હતી. વનવિભાગને જાણ થતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને ચાર કલાકનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધરી આ સિંહણને સારવાર આપી હતી.

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં ક્રાંકચના શેત્રુજી નદીના કાંઠાળ વિસ્તારોમાં પ્રથમ કોલર આઇડી સિંહણે દેખા દીધી હતી અને ત્યારથી અહી સાવજોનુ આધિપત્ય સ્થપાયુ હોવાનુ જાણકારો કહી રહ્યાં છે. અહી રાજમાતા ગણાતી કોલર આઇડી સિંહણ અને અન્ય એક સિંહણ વચ્ચે ઇનફાઇટ થતા બંને સિંહણો ઘાયલ થઇ ગઇ હતી.

આ અંગે અહીના સિંહપ્રેમી મહેન્દ્રભાઇ ખુમાણે વનવિભાગને જાણ કરતા ડીએફઓ ગુર્જરની સુચનાથી આરએફઓ હેરભા, કે.જી.ગોહિલ, ટીનુભાઇ ખુમાણ, તુષારભાઇ મહેતા સહિત અહી દોડી આવ્યા હતા. અને આ કોલર આઇડી સિંહણની શોધખોળ આદરી હતી. બાદમાં આ સિંહણને લોકેટ કરી ચાર કલાકની જહેમત બાદ તેને સારવાર આપવામા આવી હતી. ડો. હિતેષ વામજાએ આ સિંહણને સારવાર આપી હતી. સિંહણને મો, આંખ નીચે, કાન નીચે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જયારે અન્ય એક ઘાયલ સિંહણની પણ શોધખોળ આદરવામા આવી છે.

સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં સાવરકુંડલામાં કોટડીયાના પૂતળાનું દહન

  • Bhaskar News, Savarkundala
  • Oct 18, 2015, 01:03 AM IST
સિંહોને મારી નાખવાની વાત કરનાર કોટડીયા સામે તેમના જ પક્ષમાંથી ઉઠતો ઉગ્ર વિરોધ

સાવરકુંડલા : ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક સમયથી તેમના જ પક્ષની રાજ્ય સરકાર સામે બાંયો ચડાવેલી છે અને ગઇકાલે તાલાળામાં તેમણે સિંહોને મારી નાખવાની વાત કરતા આજે સાંસદ કાછડીયા, ધારાસભ્ય વઘાસીયાની ઉપસ્થિતીમાં ભાજપના કાર્યકરો દ્વારા સાવરકુંડલાના રિધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય કોટડીયાના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતું. આમ ભાજપના જ આગેવાનો પાછલા કેટલાક સમયથી એકબીજાની સામસામે આવી રહ્યા હોય અમરેલી જીલ્લામાં રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી છે.

ધારીના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયા દ્વારા ઇકો સેન્સેટીવ ઝોનના મુદે પાછલા કેટલાક સમયથી રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવાઇ રહ્યુ છે. ગઇકાલે તાલાળામાં આ મુદે મળેલી સભામાં ધારાસભ્ય કોટડીયાએ સિંહોને મારી નાખવાની વાત કરતા આ મુદે ખુદ ભાજપમાંથી જ ખુદ તેમની સામે ઉગ્ર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભાજપના આગેવાનો આજે સાવરકુંડલામાં તેમના જ પક્ષના ધારાસભ્યના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

આજે અમરેલીના  સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વી.વી. વઘાસીયા, અમરેલીના પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયા, સાવરકુંડલા પાલીકાના પ્રમુખ ડી.કે. પટેલ, હેમાંગભાઇ ગઢીયા, જયસુખભાઇ નાકરાણી, અરવિંદભાઇ યાદવ સહિતના આગેવાનો તથા સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના કાર્યકરોએ સાવરકુંડલાના રીધ્ધી-સિધ્ધી ચોકમાં ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનું દહન કર્યુ હતું. આ સમયે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા કોટડીયા વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે જીલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
 
પોલીસ ચોકી સામે જ મંજુરી વગર કાર્યક્રમ
સાવરકુંડલામાં આજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આજે પોલીસ ચોકી સામે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પોલીસની મંજુરી વગર જ કાર્યક્રમ યોજાયો હતો. વળી પુતળા દહન સમયે ખુદ પીઆઇ પણ હાજર હોવાનું જાણવા મળેલ છે.

ભાજપ આગેવાન અને કાર્યકરો સામે ગુનો નોંધાયો
સાવરકુંડલામા આજે સાંજે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધારીના તેમના જ પક્ષના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાના પુતળાનુ દહન કરવામા આવતા મંજુરી વગર આ કાર્યક્રમ યોજયો હોય સાવરકુંડલા સીટી પોલીસે મોડીસાંજે અમરેલી તથા સ્થાનિક ભાજપના આગેવાનો તથા કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો
Bhaskar News, Mendarda/Rajula

Oct 18, 2015, 00:43 AM IST
- ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળક પર ત્રાટકયો હતો
 
મેંદરડા : મેંદરડાનાં અંબાળા ગામે શુક્રવારનાં રાત્રીનાં ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળકને દીપડો ઢસડીને લઇ જતો હતો ત્યારે પિતાએ હિંમતપુર્વક સામનો કરી પુત્રને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. મેંદરડાનાં અંબાળા ગામે દેવીપુજક ચનાભાઇ જીવરાજભાઇ સોલંકી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય શુક્રવારનાં રાત્રીનાં પરિવાર ઘરમાં નિંદ્રાધીન હતો ત્યારે 11 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘુસી આવેલ અને સાત વર્ષનાં અજયને ડોક પાસેથી પકડીને ઢસડીને લઇ જતો હતો ત્યારે અજયે બુમાબુમ કરી મુકતા પરિવારનાં સભ્યો જાગી ગયેલ.

દીપડો અજયને ઘરની બહાર સુધી ખેંચી ગયેલ પરંતુ પિતા ચનાભાઇએ બહાદુરીપુર્વક સામનો કરી દીપડાનાં જડબામાંથી પુત્રને છોડાવવામાં સફળ રહયાં હતાં. જયારે દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત અજયને 108નાં પાયલોટ પ્રકાશ અગ્રાવત અને ડો.મનીષ ડોબરીયાએ મેંદરડા હોસ્પિટલે ખસેડેલ જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ અને અહિંયાથી રાજકોટ રીફર કરાયેલ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય બની રહેશે કે, ગીર વિસ્તારનાં ગામોમાં વન્ય પ્રાણીઓ આવી ચઢી માનવ ભક્ષી બની હુમલા કરતા હોય લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે.
 
- રાજુલાના માંડરડીની સીમમાંથી ખુંખાર દીપડો પાંજરે પૂરાયો : દિપડાના ભયથી ખેડૂતો સીમમાં જતા પણ ડરતા હતાં

રાજુલા : રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં દિપડાની રંજાડ હોય ખેડૂતો દ્વારા અવાર નવાર વનતંત્રને રજુઆત કરાતા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરે પુરાઇ જતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. આ દિપડાને કાનમાં જીવાત પડી ગઇ હોય તેની સારવાર શરૂ કરાઇ હતી.

રાજુલા પંથકમાં દિપડાની વધી રહેલી સંખ્યાથી સીમમાં વાડી-ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે. રાજુલાના માંડરડીની સીમમાંથી દિપડાના ત્રાસની ફરીયાદ ઉઠતા વનતંત્ર પણ દોડતુ થયુ હતું. અગાઉ આ વિસ્તારમાં દિપડાએ એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. જેના કારણે ખેડૂતો સીમમાં જવાનું પણ ટાળતા હતાં. દિપડાના ભયથી ફફડતા ખેડૂતો દ્વારા વનતંત્રને વારંવાર આ દિપડો પાંજરે પુરવા રજુઆત કરાઇ હતી. જેને પગલે ગામના માજી સરપંચ ભુપતભાઇ મકવાણાની વાડીમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું.
 
દરમીયાન આ દિપડો આજે વહેલી સવારે પાંજરામાં સપડાઇ ગયો હતો. દિપડાના કાનમાં જીવાત પડી ગઇ હોય તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. માંડરડીની સીમમાં હજુ પણ એક દિપડો આટા મારતો હોય તેને પકડવા લોકોએ માંગ ઉઠાવી છે.

ઇકો સેન્સેટીવ ઝોનને લઇ મેંદરડામાં પણ વિરોધનો વંટોળ

DivyaBhaskar News Network

Oct 13, 2015, 04:40 AM IST

તાજેતરમાંસરકાર દ્વારા ગીર જંગલનાં આસપાસનાં 10 કિમી વિસ્તારને ઇકો સેન્સેટીવ ઝોન જાહેર કરાતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. તેમજ ગામે ગામ આંદોલનાત્મક લડત અપાઇ રહી છે ત્યારે મેંદરડામાં પણ મુદે 15મી ખેડૂત હિતર રક્ષક સમિતી દ્વારા મામતદારને આવેદન પત્ર પાઠવશે.

ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવશે. ફોરેસ્ટ વિભાગ તેમજ સરકાર દ્વારા ગીર જંગલની આસપાસનાં 10 કિમીનાં વિસ્તારને ઇકો સેન્સેટીજ ઝોન તરીકે જાહેર કરવાનો નિર્ણયને પગલે વિસ્તારોમાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લાનાં અનેક ગામો સમાવિષ્ટ થાય છે. જેના લીધે ત્રણેય જિલ્લાઓનાં તાલુકા તેમજ ગામો કે જે ઇકોસેન્સેટીવ ઝોનમાં આવે છે. ત્યારં નિર્ણયનો વિરોધ કરવામાં આવે છે. જેને પગલે મેંદરડામાં પણ હવે ખેડૂત હિત રક્ષક સમીતી દ્વારા નિર્ણયનો વિરોધ કરી 15મીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, ફોરેસ્ટડીપાર્ટમેન્ટ દ્વારા જાહેર ખબરોથી તેમજ ગામોમાં મીટીંગો યોજી મુદે લોકોને સમજણ આપી હતી અને કાયદાથી ખેડૂતો કે રહીશોને કોઇપણ નુકશાન થવાની ખાતરી આપી હોવા છતાં વિરોધ સમવાનું નામ નથી લેતો.

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા

DivyaBhaskar News Network

Oct 10, 2015, 03:35 AM IST

બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર નાટકો લખી ભજવ્યા
ચલાલામાંશાંતી નિકેતન પરિસરમાં બે દિવસીય સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ. વર્કશોપમાં બાળ નાટકની અનેકવિધ કૃતિઓ રજુ કરવામા આવી હતી. ઉપરાંત બાળકોએ પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા સહિતના વિષયો પર પ્રકાશ પાડતા નાટકો પણ બાળકોએ લખ્યા હતા અને નાટકની ભજવણી કરવામા આવી હતી. બાળ સાહિત્યમાં ઉપેક્ષિત વિષય જો રહી ગયો હોય તો તે છે બાળ નાટક. એનો અર્થ નથી કે બાળ નાટકો લખાયા નથી કે લખાતા નથી. પણ જે લખાય છે નિષ્ણાંતોના મતાનુસાર બાળનાટક હોતા નથી. બાળ નાટકો લખાય, ભજવાય એવી ચિંતા, ખેવના બાળ સાહિત્યકારો કરે છે. એટલુ નહિ પણ બાળ સાહિત્ય અકાદમી અમદાવાદના પ્રતિ વર્ષ ભરાતા અધિવેશનમા પણ ડો. કુમારપાળ દેસાઇ માટે ચિંતા સેવે છે.

ત્યારે અમરેલીના શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાધ્યાપક વાસુદેવભાઇ સોઢાએ ચલાલા ખાતે સ્વયં સંચાલિત બાળનાટય લેખન વર્કશોપનુ આયોજન કર્યુ હતુ. અહીના શાંતી નિકેતન પરિસરમા ડો. કાલિન્દીબેન પરીખ, ગણપતભાઇ ઉપાધ્યાય, રવજીભાઇ કાચાએ બાળનાટય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત નાટક કઇ રીતે લખાય તે વિશે પણ ચર્ચા કરી હતી.

બાદમાં બાળ નાટકની કૃતિઓ રજુ કરવામા આવી હતી. વર્કશોપના બીજા દિવસે ડો. ભારતીબેન બોરડે બાળ કાવ્યથી માહોલ બાંધ્યો હતો. કેટલાક બાળકો પર્યાવરણ, વ્યસનમુકિત, અંધશ્રધ્ધા જેવા વિષયો પર પ્રકાશ પાડતા હતા. બાદમાં નાટક, પ્રહસન, નાટયાંશની ભજવણી કરવામા આવી હતી.

મધમાખી કરડવાથી મોતની બીજી ઘટના

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
ભંડારિયાના વૃધ્ધ ખેડૂતનું મધમાખીના હુમલાથી મોત

હજુબે દિવસ પહેલા વડીયા તાલુકાના દેવગામ ગામના એક કોળી વૃધ્ધાનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના હજુ તાજી છે ત્યાં આવી વધુ એક ઘટનામાં અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખી કરડવાના કારણે મોત થયાની ઘટના બની છે.

અમરેલી જીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

મધુભાઇ પટેલને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

ભંડારીયાના વૃધ્ધ ખેડૂતનું જંગલી મધમાખીના ઝુંડે હુમલો કરતા મોત

DivyaBhaskar News Network

Oct 08, 2015, 04:40 AM IST
અમરેલીજીલ્લામાં દર વર્ષે જંગલી મધમાખીઓ આંતક મચાવે છે. વાડી-ખેતરોમાં કામ કરતા લોકો પર મધમાખીનું ઝુંડ તુટી પડયુ હોય તેવી અનેક ઘટનાઓ બને છે. અનેક કિસ્સામાં મોતની ઘટના પણ સામે આવે છે. હાલમાં અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આવી બીજી ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામના મધુભાઇ જીવરાજભાઇ પટેલ (ઉ.વ. 75) નામના ખેડૂત પોતાના ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જંગલી મધમાખીનું ઝુંડ તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતાં.

સારવાર દરમીયાન મોત થયુ હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરાતા હેડ કોન્સ્ટેબલ એચ.એન. રવૈયાએ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે.

લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ


લાઠીનાં ગાગડીયા નદીનાં ચેકડેમમાંથી યુવાનો દ્વારા ગાંડીવેલ કાઢી સફાઇ કરાઇ

  • DivyaBhaskar News Network
  • Oct 07, 2015, 05:40 AM IST
યુવા ગ્રૃપનાં સભ્યોએ પાલિકા અને સેવાભાવી લોકોને સાથે રાખી જળાશયમાંથી ગંદકી દૂર કરી

અમરેલીનાકામનાથ ડેમમાં ગત વર્ષે ગાંડીવેલે કબજો જમાવ્યો હતો. ગાંડીવેલનો આવો ઉપદ્રવ ચાલુ વર્ષે લાઠીમાં ગાગડીયા નદીના ચેકડેમોમાં ચાલુ થતા આજે લાઠીના યુવા ગૃપના સભ્યોએ પાલીકા અને સેવાભાવી લોકોની મદદ લઇ ગાંડીવેલ હટાવવા અભીયાન હાથ ધર્યુ હતું. ગાંડીવેલ હટાવવા માટે જેસીબીની મદદ પણ લેવાઇ હતી.

સ્વચ્છતા અભીયાનની ઉજવણી ચાલી રહી છે. ત્યારે લાઠીમાં યુવાનોએ આજે ચેકડેમમાં અભીયાન હેઠળ ગાંડીવેલને દુર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ હતું. અમરેલીના કામનાથ ડેમનું પાણી ગત વર્ષે ગાંડીવેલે બગાડી નાખ્યુ હતું. ચોમાસામાં આવેલા ભારે પુરમાં ગાંડીવેલ ધોવાઇ તો ગઇ પરંતુ ચાલુ સાલે ફરી કામનાથ ડેમમાં ગાંડીવેલ છવાવા લાગી છે. વર્ષે પણ કામનાથ ડેમમાં પુરેપુરી સપાટી પર ગાંડીવેલ છવાઇ જાય તો આશ્ચર્ય નહી રહે તેવી સ્થિતી જોવા મળી રહી છે. હવે લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં પણ આવી સ્થિતી જોવા મળી રહી છે. લાઠીમાં ગાગડીયા નદી પર બનેલા ચેકડેમોમાં ધીમે ધીમે ગાંડીવેલનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજે ડેમના સમગ્ર પાણી પર તે છવાય જાય તે પહેલા લાઠીના યુવા ગૃપ દ્વારા તેને દુર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવા ગૃપના સભ્યોને નગરપાલીકા દ્વારા પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ચેકડેમમાંથી ગાંડીવેલ દુર કરવા માટે જેસીબીની પણ મદદ લેવાઇ હતી અને સ્વચ્છતા અભીયાનને અહિં અનોખી રીતે પાર પડાયુ હતું.

યુવાનોએ અથાગ મહેનત કરી ચેકડેમમાંથી ગાંડીવેલને દૂર કરી ફરીથી જળાશયને રમણીય બનાવી દીધું હતું. જેસીબીએ પણ ગાંડી વેલને દૂર કરી હતી. }કલ્પેશખેર

અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ

DivyaBhaskar News Network

Oct 05, 2015, 07:40 AM IST
અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો

અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
Bhaskar News, Amreli

Oct 05, 2015, 01:42 AM IST
- અમરેલીમાં સ્વર્ગ સમો શેત્રુંજીનો પટ્ટ હવે સાવજો વીના સુનો સુનો
- પુર હોનારતની અસર થતાં સાવજો નદીના પટથી દુર જ રહે છે
 
અમરેલી: અમરેલી જીલ્લાનો રેવન્યુ વિસ્તાર એટલે સાવજોનું નવું ઘર. તેમાં પણ લીલીયા તાલુકાનો ક્રાંકચ વિસ્તાર એટલે સાવજો માટે સ્વર્ગ. ગીરમાં સાવજોની વસતિ વધી એટલે તેમને નવું ઘર શોધવાની ફરજ પડી.ગીરમાંથી નીકળતી શેત્રુજી નદીના સથવારે આગળ વધી સાવજો ક્રાંકચ પંથકના બાવળના જંગલમાં પહોંચી ગયા અને અહીં કાયમી વસવાટ બનાવી લીધો. આ નદી સિંહોને રહેઠાણ, રક્ષણ અને ખોરાક પુરો પાડી જીવનદાયિની સાબિત થઇ. નદીના પટમાં આઠ-દસ સિંહ બેઠા હોય તેવા દ્રશ્ય થોડા સમય પહેલા સામાન્ય હતાં. પરંતુ હવે તેવું નથી. પુર હોનારતમાં બચી ગયેલા સાવજો નદીના પટથી દુર જ રહે છે. એકલ દોકલ સાવજ જરૂર નજરે પડે છે, આ તસવીર અમેરલીનાં વાઇલ્ડ લાઇફ ફોટો ગ્રાફર અમજદ કુરેશીએ ખેંચી હતી.

અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ


અમરેલી: નાની ધારીનાં જંગલમાં વહેતા પાણીમાં બેસી શિકારની શોધ કરતા વનરાજ

Bhaskar News, Amreli

Oct 04, 2015, 00:37 AM IST

અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જંગલ અને ગીરકાંઠાના વિસ્તારોમાં ચોતરફ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. નદી, તળાવો અને ઝરણાઓ વહેતા થયા છે. ત્યારે ખાંભાના નાની ધારીના જંગલ વિસ્તારમાં આવા જ વહેતા પાણી પાસે એક સિંહ બેસીને ખળખળ વહેતુ પાણી નિહાળી રહ્યો હોય આ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ.

Wednesday, September 30, 2015

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે
  • DivyaBhaskar News Network
  • Sep 30, 2015, 05:20 AM IST
ચોમાસાદરમિયાન ગીર જંગલનો રસ્તા ખરાબ હોવાથી તેમજ સિંહનો સંવનનકાળ ચાલતો હોવાથી દર વર્ષની16જુનથી1400ચોરસ કિમીમાં ફેલાયેલ ગીર અભ્યારણને 4માસ સુધી અભ્યારણમાં પ્રવાસીઓ માટે બંધ કરવામા આવ્યુ હતુ જે 16 ઓકટોબરથી ફરી શરૂ કરાશે

ગીર જંગલમાં સિંહ દર્શન માટે તલપાપડ થતા પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે. 4માસના વેકેશન માણ્યા બાદ ડાલામથ્થા હવેની ડણક સાંભળવા પ્રવાસીએ વધુ રાહ નહી જોવી પડે અાગામી 16 ઓકટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ફરીથી ચાલુ થશે 16જૂનથી 16ઓક્ટોબર 4માસ દરમિયાન ચોમાસાની સીઝનમાં ગીરના કાચા રસ્તા પર વાહનો ચાલી શકતા નથી તેમજ ચાર માસ દરમિયાનજ સિહોનો સંવનનકાળ ચાલતો હોય છે અને સમયગાળામાં સિંહો વધુ આક્રમક બની જતા હોય છે અને પ્રવાસી પર હુમલા કરવાની શક્યતા વધી જાય છે તેથી વન્યપ્રાણી (સંરક્ષણ)અધિનિયમ 1972 હેઠળ પ્રવેશબંધી લાદી દેવાય છે જેથી પ્રવાસીઓને સિંહ દર્શન માટે ચાર માસ રાહ જોવી પડે છે.આ અતુરતા હવે આગામી 16તારીખથી અંત આવી જશે. ફરીથી ગીરના જંગલમાં પ્રવાસીનો દોર શરૂ થઇ જશે.

જૂનાગઢમાં વન્યપ્રાણી સપ્તાહ નિમિતે ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે

  • DivyaBhaskar News Network
  • Sep 30, 2015, 05:20 AM IST
જૂનાગઢમાંતા 2 ઓકટોબરથી 61માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે સપ્તાહ દરમિયાન સકકરબાગ ખાતે વન્યપ્રાણીની જાણકારી સામાન્ય લોકો સુધી પહોચાડવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે જેના ભાગ રૂપે તા 4 ઓકટોબરના રોજ વન્યજીવ ફોટોગ્રાફીસ્પર્ધા તથા 7 ઓકટોબરે વિચારમંચ કાર્યક્રમનુ આયોજન કરાયુ છે

જૂનાગઢમાં દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને સામાન્ય પ્રજાને વન્યપ્રાણી અંગે જાગૃતી ફેલાય તેવા વિવિધ કાર્યક્રમો કરાય છે દર વર્ષની માફક વર્ષે પણ61માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓકટોબરથી થતી હોય છે ઉજવણીમાં જિલ્લા કક્ષા તથા વનવિભાગ દ્વારા કાર્યક્રમ થતા હોય છે પરંતુ તેની સાથે જૂનાગઢ સ્થિત સક્કરબાગમાં શાળા કોલેજો તથા સામાજીક સંસ્થાને સાથે રાખી વન્યપ્રાણીને લગતા વિવિધ કાર્યક્રમ થાય છે. વર્ષે પણ સકકરબાગ દ્વારા શાળા કોલેજોના છાત્રો માટે 2અને5 ઓકટોબકરના રોજ શારિરિક વિકલાંગ બાળકોમાટે ખાસ સકકરબાગ ઝુ ની મુલાકાત, તા 3 ગીરનાર જંગલ વિસ્તારમાં છાત્રો દ્વારા રેલી ,તા4 ઓક્ટોબરે વન્યજીવ ફોટોગ્રાફી સ્પર્ધા,તા 6ના રોજ ચિત્ર સ્પર્ધા,તથા તા.7વિચારમંચ જેવા કાર્યક્રમનુ આયોજન કરાયુ છે કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા શાળા કોલેજના છાત્રોઅે તા 1 ઓકટોબર સુધીમાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયની ઓફીસેથી વિનામુલ્યે ઓફીસ સમય દરમિયાન ફોર્મ મેળવી સંપુર્ણ વિગત સાથે જમા કરાવાનુ રહેશે તેવુ સંગ્રાહલયના નિયામક એસજે પંડીતે જણાવ્યુ હતુ.

મોતનો સકંજો: અજગર ગળી ગયો આખી બકરી, જૂનાગઢના હરમડીયાની ઘટના


બકરીને પોતાના સકંજામાં લઈ રહેલો અજગર

  • Bhaskar News, Junagadh
  • Sep 29, 2015, 10:01 AM IST
 
બકરીને પોતાના સકંજામાં લઈ રહેલો અજગર
 
બકરીને ગળી ગયેલા 12 ફૂટના અજગરને જોવા લોકોના ટોળાં ઉમટ્યાં
- વનવિભાગે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને પાંજરે પુર્યો
 
 જૂનાગઢ: ગીરગઢડાનાં હરમડીયા ગામે સાંગાવાડી નદીનાં કાંઠે 12 ફૂટના અજગરે બકરીનો શિકાર કર્યો હતો. આ નિહાળવા લોકો ઉમટ્યા હતા. બકરીને ગળી ગયેલા અજગરને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને વન વિભાગને જાણ કરી હતી. સ્ટાફે આવી રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વન તંત્રનાં સોલંકી, ઓળકીયા, હકાભાઇ સહિતનાં સ્ટાફે બે કલાકનું દીલધડક રેસ્કયુ કરી અજગરને બાંધી પાંજરે પુર્યો હતો.