Friday, December 13, 2013

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની.

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની
Bhaskar News, Talala   |  Dec 11, 2013, 13:18PM IST
- મંડોરણામાં છ ભેંસનો કર્યો શિકાર
- તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો ટોળારૂપે ઘૂમી રહ્યા છે
- ગામનું પાદર પરોઢીયે સાવજોની ડણકોથી ગુંજી ઉઠયું

તાલાલાનાં મંડોરણા (ગીર) સામે આજે પરોઢીયે આઠ સાવજોએ આવી ચઢી પાદરમાં છ ભેંસનો શિકાર કરી નિરાંતે મારણની મીજબાની માણતાં ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગીર પંથકનાં મંડોરણા ગામે ભરતભાઇ પરસોતમભાઇ ડોબરીયાનાં ખેતરમાં નજીકનાં પાણીકોઠા ગામેથી ચરીયાણમાં નિકળેલી હનીફભાઇ દોસમામદભાઇ મકરાણીની છ ભેંસો આંબાવાડી પાસે ચરતી હતી ત્યારે ત્રણ સિંહણ, બે સિંહ અને ત્રણ બચ્ચા સાથેનું આઠ સિંહનું ટોળુ આવી ચઢેલ અને ચરી હુમલો કરી ચાર પાડી અને બે પાડાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મારણની મીજબાની માણી હતી.
પરોઢીયે સાવજોની ડણકથી પાદર ગુંજી ઉઠયું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે આંકોલવાડી રેન્જને જાણ કરતા આરએફઓ ડી.એન.પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ ત્યારે એક સિંહણ મારણ ઉપર જોવા મળી હતી.

જયારે સવાર પડતા અન્ય સિંહો મારણ પડતુ મૂકી વાડી વિસ્તાર તરફ ચાલ્યા ગયા હતાં. તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનાં ટોળા ફરી રહ્યા હોય અને માનવ વસાહત તરફ આવી ચઢતાં હોવાનું ઘણા સમયથી જોવા મળી રહયું છે.

એકી સાથે શિકારની ઘટનાથી એસીએફ દોડી ગયા
 
એકી સાથે છ માલઢોરનાં શિકારની ઘટના મળતાં જ એસીએફ કંડોરીયા મંડોરણા ગામે દોડી ગયાં હતાં અને આ સિંહ ગૃપનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.



કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા.

Bhaskar News, Kodinar   |  Dec 13, 2013, 03:47AM IST
- કોટડા બંદર પાસેથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો
કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા
- શંકા - કુશંકા : બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીને કારણે મોતનું પ્રાથમિક તારણ
વન વિભાગ લાકડાની ચોરી મુદ્દે પેટ્રોલીંગ હતો ત્યારે વાસથી ખબર પડી
- ત્રણ વર્ષ આસપાસનો સિંહ બાળનો મૃતદેહ મળી આવતા સ્થળ પર જ પીએમ કર્યુ


કોડીનાર તાબાનાં કોટડા બંદરનાં જંગલમાંથી ત્રણ વર્ષીય બાળ સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિંહ બાળનું મોત બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીથી થયાનાં પ્રાથમિક તારણ વચ્ચે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

પ્રાપ્ત માહિ‌તી મુજબ, કોડીનારથી ૨પ કિ.મી. દૂર કોટડાના જંગલમાં ગઢડા ફોરેસ્ટ વિભાગ લાકડાની ચોરી અંગે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે કોટડા બંદર પાસે આવેલા જંગલમાં બાવળની ઝાડીમાં વાસ આવતાં વન કર્મીઓએ અહીં તપાસ કરી હતી. જેમાં આશરે ત્રણ વર્ષનાં સિંહબાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે જામવાળા ફોરેસ્ટમાં જાણ કરાતાં આરએફઓ એલ. ડી. પરમાર સ્ટાફ સાથે છારા બીટ અને સાસણ વેટરનરી ડોકટરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને મૃતક સિંહબાળનું ઘટનાસ્થળેજ પીએમ કરવામાં આવ્યું હતું.

સિંહબાળનો મૃતદેહ વિખેરાયેલી સ્થિતીમાં હોઇ તેને આજે સાંજે ઘટનાસ્થળેજ અગ્નિ‌દાહ આપવામાં આવ્યો હતો.બીજી બાજુ હાલ તો પીએમની કાર્યવાહી બાદ વિશેરા લઇ જવાયા છે. તેનાં પરિક્ષણ બાદ સિંહબાળનાં મોતનું કારણ જાણવા મળશે.પરંતુ જામવાળા આરએફઓએ બિમાર અથવા બાવળની ઝાડીમાં ફસાવાથી આવું બન્યું હોય એવું પ્રાથમિક તારણ આપ્યું હતું.

Tuesday, December 10, 2013

અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને બેસ્ટ પ્રોટેકટેડ એરીયા ૨૦૧૩ એવોર્ડ મળ્યો.

અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને બેસ્ટ પ્રોટેકટેડ એરીયા ૨૦૧૩ એવોર્ડ મળ્યો
Bhaskar New, Talala | Dec 10, 2013, 02:59AM IST
- મહેનત ફળી : સેન્ચુરી એવોર્ડ ગીરનાં ફાળે
- મુંબઇમાં જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષકએ બહુમાન સ્વિકાર્યુ : વન કર્મી - લોકોમાં આનંદ


ગુજરાતની શાન ગણાતા એશિયાટીક સિંહો સહિ‌ત વન્યજીવો જ્યાં વસવાટ કરે છે તે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉઘાનને સેન્ચુરી મેગેઝીન દ્વારા નેશનલ સેન્ટર સેન્ટર ફોર પરફોમીંગસ બદલ બેસ્ટ પ્રોટેકટીક એરીયા ૨૦૧૩ નો બેસ્ટ સેન્ચુરી એવોર્ડ એનાયત કરવામાં આવતા વન વિભાગ સાથે ગીરમાં વસતા માલધારીઓ અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ પુરસ્કાર ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ બોર્ડ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.સી.એન.પાંડે વતી વન્યગણી વર્તુળ જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ સ્વીકારેલ હતો.

સીસીએફ આર.એલ.મીનાએ જણાવેલ કે, આ એવોર્ડ સંરક્ષક અને સંવર્ધનનાં સતત પ્રયત્નોની ઓળખ છે. જે ગીરનાં અધિકારીઓ, કર્મચારીઓ અને ગીરની આસપાસ રહેતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો સિંહ અને વન્યજીવોની પરિવારનાં સભ્યોની જેમ સંભાળ લે છે તેની પ્રતીતી કરાવે છે. સિંહોની સંખ્યા ૨૦૧૦ નાં વસ્તી અંદાજે પ્રમાણે ૪૧૧ થઇ માત્ર સિંહ અને અન્ય વન્યજીવોની સંખ્યા જ નથી વધી પરંતુ ખૂબ મોટા વિસ્તારનું મજબૂત, સામાજિક, સાંસ્કૃતિક વારસા સાથે સિંહનાં નિવસન તંત્રનું સ્ટેનેબલ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ થી બાયોડાયવર્સીટી કન્ઝર્વેશન એન્ડ રૂરલ લાઇવલી હુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ (બીસીઆરએલઆઇપી) એ વચન નિભાવે છે કે વન્ય જીવોની વસ્તી વધતા સ્થાનિક લોકો અને સમુદાયોને પણ આજીવીકાની તકો વધારવાનો લાભ મળનાર છે.

અહીં સિંહ પ્રેમ સરાહનીય છે

ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા બાબતે ગીરનાં માલધારીઓએ વિરોધ કર્યો હતો. ગીરનાં જંગલમાં સિંહોની સાથે આ માલધારીઓનાં ૬૦૦૦ માલઢોર પણ રહેછે. તેમ છતાં સિંહો પ્રત્યેનો તેમનો લગાવ-પ્રેમ સરાહનીય છે. ગીરનું જંગલ ૧૯૬પ માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ધીમે-ધીમે સિંહોની સંખ્યા વધતી ગઇ સિંહો જંગલની બહારનાં વિસ્તારમાં ભ્રમણ કરતા થયા આથી ૧૯૮૯ માં પાણીયા અભયારણ્ય ૨૦૦૪ માં મીતીયાળા અભયારણ્ય અને ૨૦૦૮ માં ગીરનાર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા આજે સિંહો ૧૦ હજાર વર્ગ કિ.મી.થી વધુ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યા છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-award-of-best-product-area-to-sanctuary-and-national-park-4459496-NOR.html

Monday, December 9, 2013

કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત.


કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત
Bhaskar News, Amreli | Dec 08, 2013, 02:09AM IST
- ઉના-ભાવનગર હાઇવે પર વહેલી સવારે બનેલી ઘટના

પુરપાટ ઝડપે દોડતા વાહનોના અકસ્માતમાં માણસના મોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. વાહન હડફેટે પાલતુ તથા વન્ય પશુઓના મોતની ઘટના પણ વારંવાર બને છે. પરંતુ આજે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક અજાણ્યા ટ્રક હડફેટે ચડી જતા બે રાષ્ટ્રીય પક્ષી મોર અને એક ઢેલનું મોત થયુ હતું.

વાહન હડફેટે ચડી જવાથી મોરના મોતની ઘટના જવલ્લે જ બનતી હોય છે. પરંતુ આજે આવી એક ઘટના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક બની હતી. આ ગામ ઉના-ભાવનગર હાઇવે પર આવેલુ ગામ છે અને કોસ્ટલ હાઇવે પર આખો દિવસ ટ્રાફીક પણ સતત ધમધમતો રહે છે. આજે સવારે કથીરવદર નજીક કોઇ અજાણ્યા ટ્રક ચાલકે બે મોર અને એક ઢેલને કચડી નાખતા ત્રણેયનું મોત થયુ હતું.
આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની પણ મોટી વસતી છે. અવાર નવાર વાહન હડફેટે નિલગાય પણ ચડી જાય છે. અગાઉ સાવરકુંડલા પંથકમાં વાહન હડફેટે ચડી જતા દિપડાનું તથા ખાંભા પંથકમાં વાહન હડફેટે ઝરખનું મોત થયુ હતું. ત્યારે હવે કાગવદર નજીક ટ્ક હડફેટે એક સાથે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના બની છે. ઘટનાની જાણ થતા કાગવદર અને નાગેશ્રીના લોકો અહિં દોડી આવ્યા હતાં. જો કે અકસ્માત સર્જનાર ટ્ક ચાલક નાસી છુટયો હતો.

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં.

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં
Bhaskar News, Amreli   |  Dec 08, 2013, 01:25AM IST
- પ્રેમાલાપમાં મસ્ત સાપ યુગલ કુવામાં ખાબક્યું
- સાવરકુંડલાના વીજપડી ગામની સીમમાં ખેડૂતની વાડીમાં
-
સર્પ સંરક્ષક મંડળે બન્નેને બચાવી લઇ કુવામાંથી બહાર કાઢયા

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં ખડચિત્તલ પ્રજાતીનો સાપ માદા સાથે પ્રેમાલાપમાં મસ્ત હતો ત્યારે અકસ્માતે બન્ને ઉંડા કુવામાં ખાબક્યા હતાં. જો કે સર્પ સંરક્ષક મંડળના સભ્યોએ બે કલાકની જહેમત બાદ નર અને માદા સાપને કુવામાંથી બહાર કાઢી પુન: મુક્ત કરી દીધા હતાં.

સામાન્ય રીતે ખડચિતલ (રસેલ્સ વાઇપર) પ્રજાતીના સાપ ખડકાળ પ્રદેશમાં રહે છે. પરંતુ સાવરકુંડલાના વિજપડીની સીમમાં નર અને માદા સાપ કનુભાઇ ભીમાણીની વાડીના કુવામાં જોવા મળ્યા હતાં. એવું મનાઇ છે કે નદીમાં તણાઇને આ સાપ આ વિસ્તારમા આવી ચડયા હશે. નર અને માદા બન્ને પ્રણયમાં વ્યસ્ત હતાં તે વખતે બન્ને કનુભાઇની વાડીના કુવામાં ખાબક્યા હતાં.

દરમીયાન ઉંડા કુવામાં નર અને માદા સાપ હોવાની જાણ થતા રાજુલા સર્પ સંરક્ષક મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ અને તેની ટીમના સભ્યો ત્યાં પહોંચી ગયા હતાં. તેમણે કુવામાં ઉતરી બે કલાકની ભારે જહેમત બાદ બન્નેને બહાર કાઢ્યા હતાં અને ફરી તેમના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધા હતાં.

આ પ્રજાતીનો સાપ માણસને કરડે તો સારવાર ન લેવાય તો સાતથી આઠ દિવસમાં માણસનું મોત થાય છે. વળી આ સાપનો અવાજ કુકરની સીટી વાગતી હોય તેવો હોય છે.

Saturday, December 7, 2013

સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા.


સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા
Sarman ram, Junagadh | Dec 07, 2013, 01:34AM IST
- બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરાઇ : ગાંડા બાવળ સૌથી વધુ, બીજા ક્રમે આંબાનાં ઝાડ

ટ્રી આઉટસાઇડ વન વિભાગે બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરી હતી. દર પાંચ વર્ષે વૃક્ષોની ગણતરી કરવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૧૩માં કરવામાં આવેલી ત્રીજી બિન જંગલ વિસ્તારની વૃક્ષ ગણતરીનાં આંકડા વન વિભાગે જાહેર કર્યા છે. આ ગણતરી દરમ્યાન સોરઠમાં ૧૮૯.૯૧ લાખ વૃક્ષ હોવાનું માલુમ પડયું છે. જેમાં સૌથી વધારે વૃક્ષ ગાંડા બાવળનાં ૨૯.૭પ લાખ છે. બીજા ક્રમે આંબાનાં ૨૦.૬૪ લાખ છે. છેલ્લા ૧૦ વર્ષમાં સોરઠમાં ૧૮.પ૩ લાખ વૃક્ષનો વધારો થયો છે.

સોરઠની એક બાજુ સમુદ્ર અને બીજી બાજુ લીલી વનરાજી આવેલી છે. કૃદરતી સાંૈદર્યથી સોરઠ ભરપુર છે. સોરઠનાં બે ભાગ પડી જાય છે. એક જંગલ વિસ્તાર અને બીજો બીન જંગલ વિસ્તાર. ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ ( ટીઓએફ) દ્વારા દર પાંચ વર્ષે બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩, ૨૦૦૮ અને છેલ્લે ૨૦૧૩માં બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી. સોરઠમાં મુખ્ય આંબા, ગાંડા બાવળ, નાળિયેરી, દેશી બાવળ અને લીમડાનાં મુખ્ય વૃક્ષો છે. છેલ્લા દસકામાં સોરઠમાં સરેરાશ ૪૪ ઇંચ વરસાદ થયો છે. જેનાં કારણે વૃક્ષોની સંખ્યામાં પણ વધારો થયો છે. બિન જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી વૃક્ષોને છેલ્લી ગણતરીમાં સોરઠમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૩ની ગણતરીમાં વૃક્ષોની કુલ સંખ્યા ૧૮૯.૯૧ લાખ નોંધાઇ છે. જેમાં સૌથી વધારે ૨૯.૭પ લાખ ગાંડા બાવળ અને તેની પ્રજાતીનાં છે. જ્યારે બીજા ક્રમે ૨૦.૬૪ લાખ આંબાનાં વૃક્ષ આવેલા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૮૬,૨૭,૨૯૦ વૃક્ષ છે. અને શહેરી વિસ્તારમાં ૩,૬૩,૮૬૦ વૃક્ષ નોંધાયા છે.તેમજ કોસ્ટલ એરીયામાં ગાંડા બાવળ તથા માંગરોળ પંથકમાં નાળિયેરીનાં વૃક્ષો વધારે છે. જ્યારે ગાંડા બાવળની સંખ્યામાં ઘટાડો થયો છે.

પાંચ વર્ષમાં આંબાનાં ઝાડ વધ્યા
સોરઠની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. કેસર કરીનુ સૌથી વધારે ઉત્પાદન સોરઠમાં થાય છે. ત્યારે છેલ્લા પાચ વર્ષમાં આબાનાં વૃક્ષોમાં નોંધપાત્ર સંખ્યાનો વધારો થયો છે.

સોરઠમાં આંબાનાં વૃક્ષ સૌથી વધારે
સોરઠ કેસર કેરીનો ગઢ ગણાય છે. રાજયમાં સોરઠમાં સૌથી વધારે આંબાનાં ૨૦.૬૪ લાખ વક્ષ્² છે. જયારે બીજા ક્રમે ૧૬.૪૮ લાખ સાથે નવસારીનો સમાવેશ થાય છે. તમામ વૃક્ષોની સૌથી વધારે સંખ્યા સુરેન્દ્ર નગર જિલ્લામા ૧૨,૮૦૦ વૃક્ષોની છે. જયારે રાજયમાં પાંચમા ક્રમે આંબાનાં વક્ષ્² છે. રાજયમાં કુલ આંબાનાં વૃક્ષ ૧૩૧.૬૬ છે.

સોરઠમાં કયાં કેટલા વૃક્ષ ?
વૃક્ષ સંખ્યા ( લાખમાં)
ગાંડા બાવળ ૨૯.૭પ
આંબા ૨૦.૬૪
નાળિયેરી ૧પ.૮૪
દેશી બાવળ ૧૧.૩પ
લીમડો ૧૦.૪૪
સુબાવળ ૮.૬૯
ગોરસ આંબલી ૬.૬૩
સીતાફલ પ.૩૧
શરૂ ૪.પ૦
ખાખરા ૪.૧૦
અન્ય ૭૨.૬૭
કુલ ૧૮૯.૯૧

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી.

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી
Arjun Dangar, Junagadh   |  Dec 07, 2013, 03:47AM IST
- સદીઓ પૂર્વે ગિરનાર પર નેમિનાથ મંદિરને રા’માંડલીકે સુવર્ણથી મઢયું’તું
- સોમનાથ શિખરને સુવર્ણથી સજાવાઇ રહ્યું છે ત્યારે
- ૧૧ મી સદીમાં સોમનાથ મંદિરમાં ૨૦૦ મણ સોનાનાં ઘંટ સહિતની સમુદ્ધિ શોભતી હતી
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં શિખરને સુવર્ણથી મઢવાનું કાર્ય આરંભાયું છે. ત્યારે આ મંદિરનો સમૃદ્ધ અને ભવ્ય સુવર્ણકાળ હવે ફરીથી જીવંત થઇ રહ્યો છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો સદીઓ પૂર્વે જૂનાગઢનાં ચુડાસમા વંશનાં રાજા રા’માંડલીક પહેલાએ ગિરનાર પર નેમિનાથ મંદિરને પણ સુવર્ણથી સુશોભિત કર્યું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.

સોમનાથ મંદિરનાં શિખરને ૧૦ કિલો સોનાથી મઢવાનું કાર્ય શરૂ થયું છે.ત્યારે સદીઓ પૂર્વે મંદિરોની સમુદ્ધિ વિશે પરિમલ રૂપાણી કહે છે કે, ગિરનાર પર્વત પર પ્રથમ ટૂંકમાં જૈન દેવાલયો આવેલા. જેમાંના મુખ્ય ભગવાન અરિષ્ટ નેમિનાં સાંપ્રત કાલીન મંદિરનો પુરાણો ભાગ ગૂર્જર નરેશ જયસિંહદેવ સિદ્ધરાજ દ્વારા નિયુકત દંડનાયક સજજન (ઇ.સ.૧૧૨૯)નાં ઉદધારક સમયનો છે. ગિરનાર પરનાં રા’માંડલીક ત્રીજાનાં શિલાલેખમાં ઉલ્લેખ મુજબ રા’માંડલીક પહેલા (ઇ.સ.૧૩૦૬)એ તેના સમયગાળામાં નેમિનાથના મંદિરને સુવર્ણથી સુશોભિત કર્યું હતું.

એવી જ રીતે ૧૧મી  સદીના પ્રવાસી અલબેરૂની અને તેરમી સદીનાં પ્રવાસી માર્કો પોલોએ સોમનાથને મહત્વનાં વેપાર કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. એ ઉલ્લેખ મુજબ, સોમનાથ મંદિર અકલ્પનીય ધનવાન હતુ. તેનાં નિભાવ માટે દસ હજાર ગામડાંઓ આપવામાં આવેલા.અને ત્યાં ૨૦૦ મણ સોનાના ઘંટ સહિત કિંમતી વસ્તુઓ લગાવેલી હતી.

જે નિયત સમયે દર્શાવવામાં આવતી. તેની બાજુમાં ગ્રહની અંદર હિરા રત્નો જડિત સોના-ચાંદીની મૂર્તિઓ રાખવામાં આવતી. આ મંદિરની સમુદ્ધિ જોઇ મહમદ ગઝનીએ સોમનાથ પર ચડાઇ કરી હતી.


અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી.

અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી
Bhaksar News, Amreli | Dec 07, 2013, 01:18AM IST
- તંત્ર જાગે : ગીરકાંઠાના ગામોમાં વસતા પરપ્રાંતિયો દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર ?
- લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા પગલા લેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત: તત્કાળ પગલાં લેવા માંગ


ભુતકાળમાં પરપ્રાંતિય શિકારી ગેંગે ગુજરાતની શાન સમા સાવજોનો શિકાર કરી હાહાકાર મચાવ્યો હતો. ત્યારબાદ પણ વહીવટીતંત્ર જાગ્યુ ન હોય તેવી સ્થિતિ છે. હાલમાં ખાંભા-ધારી પંથકમાં ધાવડીયા પરપ્રાંતિય મજુરોના ધાડેધાડા ઉતર્યા છે. લાયન નેચર ફાઉન્ડેશને આજે મુખ્ય વન સંરક્ષક અને જીલ્લા પોલીસ વડાને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે આ પરપ્રાંતિય શખ્સો દ્વારા સસલા, મોર, હોલા, તેતર જેવા જીવોનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડે અહિં આવતા પરપ્રાંતિયોનો કોઇ હિ‌સાબ નથી.

તે અંગે તાત્કાલીક પગલા લેવાવા જોઇએ.લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને અમરેલી જીલ્લા પોલીસ વડાને આજે આ બારામાં રજુઆત કરી હતી. તેમણે કરેલી રજુઆતમાં જણાવાયુ હતું કે ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા થવી ખુબ જ જરૂરી છે. આ વિસ્તારમાં હાલમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો આવીને વસ્યા છે. ખાંભા તથા ધારી તાલુકાના ગામડાઓમાં ગીર કાંઠાના વિસ્તારમાં સરકારી કામોમાં તથા વાડી-ખેતરોમાં ખેતીકામમાં આ પરપ્રાંતિય લોકો રોકાયેલા છે. તેઓ અહિં ક્યારે આવે છે અને જાય છે તેની દરકાર રાખનારૂ કોઇ નથી.

ગીર કાંઠાના ગામડાઓમાં વસતા કેટલાક પરપ્રાંતિય માંસાહારના શોખીન હોય તેતર, હોલા, મોર, સસલા, રોઝ અને સુરવ સહિ‌તના પ્રાણીઓનો ખુલ્લેઆમ શિકાર કરવામાં આવી રહ્યો છે. ભુતકાળમાં ગીરના અમુલ્ય સાવજોની પરપ્રાંતિય શખ્સોએ હત્યા કરી હતી. હાલમાં પણ આ વિસ્તારમાં ગેરકાયદે શિકારની પ્રવૃતિ ખુબ મોટા પ્રમાણમાં ફુલીફાલી છે. તેમણે એવી માંગ ઉઠાવી છે કે ગેરકાયદે શિકારની પ્રવૃતિ કરનારા આવા તત્વો સામે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવે. વળી પરપ્રાંતિય મજુરોને કામે રાખવા છતાં વહીવટીતંત્રને જાણ કર્યા વગર આશરો આપનારા સામે પણ પગલા લેવાવા જોઇએ.

માંસભક્ષીઓને ગીરકાંઠામાંથી ખદેડી મૂકો
ભીખુભાઇ બાટાવાળાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ગીર કાંઠામાં આ પરપ્રાંતિય શખ્સોના વસવાટના કારણે વન્ય પ્રાણીઓ સલામત નથી. જેથી વહેલામાં વહેલી તકે નામ-ઠામ કે ઓળખ વગર રહેતા આ પરપ્રાંતિયોને ગીરકાંઠાના વિસ્તારમાંથી ખદેડી મુકવા જોઇએ.

Friday, December 6, 2013

શિકારી ખુદ શિકાર હો ગયા: નાનકડી શાહુડીએ કર્યો ખૂંખાર દીપડાનો શિકાર.


શિકારી ખુદ શિકાર હો ગયા: નાનકડી શાહુડીએ કર્યો ખૂંખાર દીપડાનો શિકાર
Bhaskar News, Khmbha   |  Dec 06, 2013, 03:40AM IST
- શિકારને જડબામાં લઈને ઝાડ પર ચડી જતો દીપડો શેઢાડી સામે માર્યો ગયો
- જીવ સટોસટના જંગમાં શેઢાડીનું અણીદાર પીંછું છેક હૃદયમાં ઘૂસી ગયું
- શાહુડીનો શિકાર કરવા જતા ખૂંખાર દીપડો શિકાર થઈ ગયો

દીપડાની શક્તિ અમર્યાદ હોય છે. ગાય કે હરણ જેવા વજનદાર પ્રાણીનો શિકાર કર્યા બાદ તેને જડબાથી પકડી વૃક્ષ ઉપર ચડી જતો દીપડો ગમે તેવો ખૂંખાર હોય તો પણ કયારેક નાના પ્રાણીઓ સામે પણ પરાજયનો સ્વાદ ખમવો પડે છે. એટલું જ નહીં ખાંભાના માલકનેસની સીમમાં તો શેઢાડીનો શિકાર કરવા તત્પર બનેલા એક દીપડાનું એ જંગમાં મૃત્યુ પણ નિપજયું હતું.

ખાંભાના માલકનેસની સીમમાં શિકારની શોધમાં નિકળેલા દિપડાએ શેઢાડી સાથે બાથ તો ભીડી પરંતુ ખોરાકને બદલે દિપડાને મોત મળ્યુ. શેઢાડીનું પીછુ દિપડાના શરીરમાં ઘુસી હ્દયમાં પેસી જતા તેનો જીવ નિકળી ગયો. કુદરતે શિકારી પ્રાણીઓ બનાવ્યા તો તેની સામે શિકારને બચવા માટે પણ જાતજાતના હથીયારો આપ્યા.

શેઢાડીના શરીર પર શિકારી પ્રાણીઓથી બચવા માટે ધારદાર મજબુત પીછાઓ ઉગી નિકળે છે. આ પીછાઓએ જ ખાંભાના માલકનેસની સીમમાં એક દિપડાનો ભોગ લઇ લીધો. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તુલશીશ્યામ રેન્જની રબારીકા બીટમાં ભીમભાઇ દેવાયતભાઇની બીડમાં આ ઘટના બની હતી.

શિકારની શોધમાં નિકળેલા એક દિપડાની નઝરે શેઢાડી ચડતા જ શિકાર પર તેણે તરાપ મારી હતી. જો કે શેઢાડીનો શિકાર કરવાના પ્રયાસમાં તેનું એક પીંછુ દિપડાની છાતીમાં ઘુસી ગયુ હતું. જેને પગલે દિપડાનું તરફડીને ઘટના સ્થળે જ મોત થયુ હતું. ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ એન.બી. પરડવા, સ્ટાફના ડી.બી. વાળા, પરમારભાઇ, અમીત ઠાકર, વેટરનરી ડો. હિ‌તેષ વામજા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.અને ખાંભા ખાતે દિપડીનું પોસ્ટ ર્મોટમ કર્યુ હતું.ખૂંખાર દીપડાનું હદય વીંધાઈ ગયું
દિપડાની છાતીમાં શેઢાડીનું પીછુ ખુપી જતા તેણે શેઢાડીને પડતી મુકી દીધી હતી અને બાદમાં આ પીંછુ કાઢવા માટે દિપડાએ ધમપછાડા કરતા પીંછુ વધુ ઉંડે સુધી છાતીમાં ખુપ્યુ હતું. આ પીંછાએ દિપડાના હદયની દિવાલ તોડી નાખતા તેનું તરફડીને મોત થયુ હતું.

ખાંભામાં વાડીમાં ૯ સિંહે રોઝનું કર્યુ મારણ.


ખાંભામાં વાડીમાં ૯ સિંહે રોઝનું કર્યુ મારણBhaskar News, Khmabha   |  Dec 04, 2013, 00:57AM IST- ફફડાટ : ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર સાવજો આવી ચઢતા મારણની ઘટના વધી
- વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવા છતા તંત્ર ડોકાયુ નથી


ખાંભામા જુના ગામથી સાતપડા નજીક આવેલ એક વાડીમાં ગતરાત્રીના નવ સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી એક રોઝડાનુ મારણ કરી મિજબાની માણી હતી. આ અંગે વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા નથી. હાલ તો આ પંથકમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે. નવ સાવજો દ્વારા રોઝના મારણની ઘટના ગતરાત્રીના ખાંભામા બની હતી. અહી જુના ગામથી સાતપડા નજીક આવેલ ભોજુભાઇ જીવાભાઇ જાંજડાની વાડીમા બે સાવજ, ત્રણ સિંહણ અને બે બચ્ચા સહિ‌તનો પરિવાર અહી આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક રોઝનુ મારણ કર્યુ હતુ.

આ અંગે ભોજુભાઇએ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા ન હતા. અને કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. હાલ તો વાડીમા સાવજો દ્વારા મારણની ઘટના બનતા લોકો પણ સિંહ દર્શન માટે આમથી તેમ હડીયાપાટી મચાવી રહ્યાં છે. આ ઉપરાંત આ વિસ્તારમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો પણ રાત્રીના સમયે વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરવાની ઘટનાઓ બનતી રહે છે.

ડાંગાવદરના પાદરમાં પાંચ સાવજોએ ધણખુંટ અને વાછરડાનું મારણ કર્યુ
સાવજોના ટોળા દ્વારા મારણની આ ઘટના આજે વહેલી સવારે ધારી તાલુકાના ડાંગાવદર ગામે બનવા પામી હતી. આ ગામ આંબરડી અભ્યારણ્ય નજીક આવેલુ ગામ છે. આંબરડી અભ્યારણ્યમાં રહેતા સાવજો અહિં અવાર નવાર આવી ચડે છે. આજે વહેલી સવારે એક સાથે પાંચ સાવજોનું ટોળુ ગામના પાદરમાં આવી ચડયુ હતું. ભુખ્યા સાવજોનું આ ટોળુ શીકારની શોધમાં હતું. અહિં એક વાછરડુ અને ત્રણ ધણખુંટ તેની ઝપટે ચડી જતા સાવજોએ તેના રામ રમાડી દીધા હતાં. બન્ને પશુને મારી સાવજના આ ટોળાએ પોતાનું પેટ ભર્યુ હતું. સવારે ગામલોકોને બન્ને પશુ અર્ધ ખવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. સીમમાં સાવજોની હાજરીને પગલે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન.


Bhaskar News, Veraval   |  Dec 01, 2013, 03:25AM IST
- ચોરવાડમાં કુવામાંથી બે સિંહનાં બચ્ચાને ઉગારવા રેસ્કયુ ઓપરેશન
સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન- કાંઠા વગરનાં કુવામાં અઢી વર્ષની ઉંમરનાં સિંહ બાળ ખાબક્યા હતા : વેરાવળ વનવિભાગ પહોંચ્યું હતું

ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં આવેલ ખેતરનાં કુવામાં આજે વ્હેલી સવારે અઢી વરસની ઉંમરનાં સિંહનાં બે બચ્ચા પડી જતાં વન વિભાગે બંને બચ્ચાઓને રેસ્કયુ હાથ ધરી હેમખેમ બચાવી લઇ બચ્ચાની માતા સિંહણ સાથે મિલન કરાવેલ હતું.

આ ઘટના અંગે વેરાવળ રેન્જનાં આરએફઓ ડીડીયાએ જણાવેલ હતુ કે, ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં ખેડૂત ગોવિંદ રાઠોડનું ખેતર આવેલ છે આજે વ્હેલીસવારે તે વિસ્તારમાં ટહેલતી બે સિંહણત અને તેના બે બચ્ચા ફરી રહેલ હતા.

સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશનત્યારે આ ખેતરનાં કાંઠા વગરનાં કુવા નજીકથી પસાર થતાં અકસ્માતે સિંહણનાં બંને બચ્ચા કુવામાં ખાબકી ગયેલ હતા. દરમિયાન આઠેક વાગ્યે એક માલધારી તે વિસ્તારમાંથી પસાર થતા તેની નજરે કુવામાં બે બચ્ચા પડેલ હોવાનું જણાતા તેમણે ખેડૂતને જાણ કરેલ હતી અને ત્યારબાદ ખેડૂતે વેરાવળ વન વિભાગનાં અધિકારીઓને ઘટનાની જાણ કરતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી જઇ સિંહણનાં બંને બચ્ચાઓને કુવામાંથી બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરેલ હતું. ઓપરેશન દરમિયાન વનકર્મીઓ કુવામાં ઉતરી ટીપણામાં સિંહણનાં બંને બચ્ચાઓને હેમખેમ બહાર કાઢેલ હતા.
બંને બચ્ચાઓને બહાર કાઢી તેઓનું વન વિભાગનાં તબીબો પાસે તપાસ કરાવતા બચ્ચાઓને કોઇપણ જાતની ઇજા કે નુકશાન થયેલ ન હોવાનું જણાવેલ હતું. સિંહણનાં બંને બચ્ચાઓને બહાર કાઢયા બાદ દસેક વાગ્યા આસપાસ બચ્ચાઓનું તેમની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવેલ હતું અને આજે દિવસભર બચ્ચા તથા તેમની માતા સિંહણ પર વન વિભાગનાં ફોરેસ્ટર દ્વારા નજર રાખવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.

દીપડાનો વધતો ત્રાસ, તલાલામાં માસુમ બાળકીને ફાડી ખાધી.

દીપડાનો વધતો ત્રાસ, તલાલામાં માસુમ બાળકીને ફાડી ખાધી
Bhaskar News, Talala   |  Nov 30, 2013, 01:20AM IST
- નિદ્રાધીન ભાઇના માથામાં પંજો મારી પાંચ વર્ષની માસૂમને ઉપાડી ગયો
-તાલાલાના સુરવામાં દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધી

તાલાલાનાં સુરવા ગામે દીપડાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.તાલાલાનાં સુરવા(ગીર) ગામે હડમતીયા રોડ પર ધીરૂભાઇ ભીમજીભાઇ ચોવટીયાનાં ખેતરમાં શેરડીમાંથી ગોળ બનાવવા રાબડો શરૂ કરવામાં આવ્યો હોવાથી મધ્યપ્રદેશનાં અલીરાજપુત જિલ્લાનાં ચોકી ગામથી ૨૦ જેટલા શ્રમિકોનો સમુહ આવેલ છે.

ગતરાત્રિનાં ખેતરમાં બનાવેલા કાચા ઝુંપડામાં સુતા હતા ત્યારે મધરાતે ચાર વાગ્યાની આસપાસ દીપડો અહીંયા આવી ચઢેલ અને પ્રતાપભાઇ કલછાની પાંચ વર્ષની પુત્રી રેખાને નિંદ્રાધીન અવસ્થામાંજ મોઢામાં દબોચી ઉપાડી જવા લાગતાં બહેનની ચીસથી બાજુમાં જ સુતેલો તેનો ભાઇ હીરૂ (ઉ.વ.૧૮) જાગી જતાં દીપડાએ તેના માથા પર તીક્ષ્ણ ન્હોરવાળો પંજો મારી ઘાયલ કરી દીધો હતો અને બાળકીને ઉપાડી નજીકનાં શેરડીનાં વાડમાં નાસી છુટેલ.
આ ઘટનાને પગલે પરપ્રાંતિય શ્રમિકોમાં ભારે રોક્કળ સાથે દેકારો બોલી ગયેલ. આ બનાવને પગલે વાડી માલીક ધીરૂભાઇએ દોડી આવી વિગતો જાણી તાલાલા રેન્જ કચેરીને જાણ કરતાં એસીએફ કંડોરીયા, આરએફઓ બી.કે. પરમાર કાફલા સાથે દોડી ગયેલ. તપાસમાં નજીકમાંજ આવેલ રસીકભાઇ વલ્લભભાઇ નસીતની વાડીનાં શેરડીના પાકમાંથી માસુમ બાળાનો મોઢુ અને ખંભો ખવાઇ ગયેલ અર્ધમૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર ભાંગી પડયો હતો. દીપડાથી ઘાયલ યુવાનને પ્રથમ તાલાલા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો હતો.
પહેલા જવાબદારી નક્કી કરો પછી જ મૃતદેહનો કબજો
દીપડાથી મોતને ભેટેલી બાળાનાં મૃતદેહનો વનવિભાગ કબજો લેવાની તૈયારી કરતું હતું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ અધિકારીઓને અટકાવી પહેલા જવાબદારી નક્કી કરો કે અમારી માલિકીનાં ખેતરમાં વન્યપ્રાણી હૂમલા કરે તો તેની જવાબદારી કોની ? આ ઉપરાંત ખેતરમાં પાંજરા મુકવામાં પાકને નુકસાન પણ થાય છે. આ મુદ્દે ઘર્ષણ વધવા લાગતાં આંકોલવાડી ઓપીનાં જમાદાર અમરસિંહભાઇ રાઠોડ અને કિસાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ ખેડૂતોને સમજાવ્યા બાદ પીએમ માટે મૃતદેહને લઇ જવા દીધો હતો.બાળકને ફાડી ખાવાની આ પાંચમી ઘટના
તાલાલા પંથકમાં એક વર્ષ દરમિયાન ભોજદે, ગુંદરણ, ચીત્રોડ, સાસણ અને હવે સુરવામાં માસુમને દીપડાએ ફાડી ખાધાની આ પાંચમી ઘટના ઘટી છે. સુરવા, હડમતીયા, આંકોલવાડી, માધુપુર, જશાપુર સહિ‌તનાં ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી સિંહ - દીપડા જેવા વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે.

આદમખોરને કરાયો પાંજરામાં કેદ
આ બનાવને પગલે વન વિભાગે પાંજરા ગોઠવી દેતાં શેરડીની વાડમાં છુપાયેલો આ માનવભક્ષી દીપડો મારણની લાલચે ફરી આવી ચઢી પાંજરામાં કેદ થઇ જતાં ખેડૂતો, શ્રમિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

વંથલીમાં અધુરું મારણ ખાવા આવેલો દીપડો ઓરડીમાં કેદ.


વંથલીમાં અધુરું મારણ ખાવા આવેલો દીપડો ઓરડીમાં કેદ
Bhaskar News, Vanthali | Nov 29, 2013, 23:42PM IST
-ફફડાટ : પંથકમાં દીપડાની રંજાડથી ભયનું સામ્રાજ્ય
-
સાંતલપુરની ગારીમાં વાડીએ પાડરડાનો શિકાર કર્યો હતો

વંથલીનાં સાંતલપુરની ગારીમાં આવેલી વાડીમાં ગતરાત્રિનાં દીપડાએ ભેંસનાં બચ્ચાનો શિકાર કર્યા બાદ આજે પરોઢીયે અધુરૂ મારણ ખાવા આવતાં ઓરડીમાં પુરાઇ ગયો હતો. ત્યારબાદ વનવિભાગે તેને બેભાન કરી પાંજરામાં કેદ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં સાંતલપુરની ગારી પાસે ઉબેણ નદીનાં કાંઠે સ્મશાનની પાછળ અનવરભાઇ મહંમદભાઇ બડુની વાડી આવેલી છે. ગત રાત્રિનાં અરસામાં આ વાડીમાં દીપડાએ આવી ચઢી ઓરડીમાં રહેલા ભેંસનાં બચ્ચાનો શિકાર કરી મારણની મિજબાની માણી હતી. આ બનાવનાં પગલે વન વિભાગનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ જરૂરી રોજકામ પણ કર્યુ હતું. જોકે દીપડો અધુરૂ મારણ મુકી ચાલ્યો ગયો હતો. આ અધુરૂ મારણ ખાવા દીપડો પરોઢીયે પરત ઓરડીમાં પહોંચી ગયો હતો.

 દરમિયાન વહેલી સવારનાં અનવરભાઇ ભેંસોને દોહવા માટે વાડીએ જતાં ઓરડીમાં લાઇટ જેવો પ્રકાશ જોતા અને નરી આંખે નિહાળતાં દીપડો હોવાનો ખ્યાલ આવતાં તાત્કાલીક ઓરડીનું બારણું વાસી દઇ સાંકળ મારી દીધી હતી અને ઘરે પહોંચી વન વિભાગને જાણ કરતાં ખાન, મકવાણા સહિ‌તનો સ્ટાફ ૧૧ વાગ્યે સ્થળ પર દોડી ગયેલ અને દોઢ કલાકની જહેમતથી રેસ્કયુ ઓપરેશન કરી દીપડાને ટ્રાન્કવીલાઇઝરથી બેભાન કરી પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. વંથલી પંથકમાં ત્રણેક જેટલા દીપડા હોય અને સીમ વિસ્તારમાં અવર જવર કરતા રહેતા હોવાથી ખેડૂતો સવારે વાડીએ જતાં ડર અનુભવી રહયાં છે. ત્યારે વન વિભાગે લોકેશન મેળવી તેને પાંજરે પુરવા કાર્યવાહી થાય એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

દીપડીથી વિખૂટુ પડેલું બચ્ચુ મા પાસે પહોંચી ગયું.


દીપડીથી વિખૂટુ પડેલું બચ્ચુ મા પાસે પહોંચી ગયું
Bhaskar News, Junagadh | Dec 02, 2013, 01:42AM IST
-શનિવારે સાંજે ખોરાસા-ગડુ રોડ પર દીપડીએ બચ્ચા સાથે ધામા નાંખ્યા હતા

શનિવારે સાંજનાં સમયે માળીયાહાટીના તાલુકાનાં ખોરાસા-ગડુ રોડ પર એક દીપડીએ બચ્ચા સાથે ધામા નાંખ્યા હતા. જેમાં એક બચ્ચુ અલગ પડી ગયું હતું. જો કે, બાદમાં વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો એ દરમિયાન વિખુટુ પડેલુ બચ્ચુ પોતાની માતા પાસે પહોંચી ગયું હતું.
શનિવારે સાંજનાં સમયે ખોરાસા-ગડુ રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે એક દીપડી અને બચ્ચા આવી ચઢયા હતા. આ વિસ્તારનાં રહીશ તપનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લાંબો સમય સુધી દીપડી ત્યાં જ બેસી રહી હતી. જેમાંથી એક બચ્ચુ થોડુ આગળ જતાં અલગ પડી ગયું હતું. જો કે વન વિભાગનાં અપરનાથીભાઇએ કહ્યુ કે, દીપડી અને બચ્ચા રોડ પર આવ્યાની વાત મળતા અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો બાદમાં વિખુટુ પડેલ બચ્ચુ પણ દીપડી પાસે પહોંચી ગયું હતું અને જંગલ તરફ જતાં રહ્યા હતા.

Friday, November 29, 2013

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર.

ઊના પંથકનાં સણોસરીમાં ત્રણ સાવજોએ કર્યા બે ગાયના શિકાર
Bhaskar News, Junagadh | Nov 29, 2013, 01:39AM IST
પરોઢીયે ગામમાં લટાર મારી નિરાંતે માણી મારણની મિજબાની : ગભરાટ

ઊનાનાં સણોસરીમાં પરોઢીયે ૩ સિંહોએ આવી ચઢી ગામમાં લટાર મારી બે ગાયોનાં શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણતાં લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો.
ઊના તાલુકો ગીરજંગલની નજીક હોવાથી વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચઢતા હોવાની ઘટનાં સામાન્ય બની છે. ત્યારે જંગલ બોર્ડરની નજીક આવેલ સણોસરી ગામમાં આજે પરોઢીયે ૩ સિંહોએ ર્મોનિ‌ગ વોકમાં નિકળી ગામમાં લટાર મારી બે ગાયોનો શિકાર કરી નિરાંતે મારણની મિજબાની માણી જંગલની વાટ પકડી હતી. પરોઢીયે ૩ સાવજોએ ડણકોથી ગામની ગલીઓ ગજવી દેતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે સવારે વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારી સહિ‌તનો કાફલો ગામમાં દોડી આવેલ અને સાવજોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી.

Thursday, November 28, 2013

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો.

લીલીયા: અગિયાર માસમાં છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યોBhaskar News, Amreli   |  Nov 28, 2013, 01:03AM IST
- લીલીયા બૃહદગીર વિસ્તારમાં સિંહબાળનો ખીલખીલાટ
-
સિંહોનાં આ વસવાટ વાળા વિસ્તારને એકાદ દાયકાથી કાયમી રહેઠાણ બનાવ્યું છે
કલીલીયાના બૃહદગીર વિસ્તારમાં પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી અહીના વિવિધ વિસ્તારોમાં સિંહ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. અહીના આંબા, ભેંસવડી, લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા, શેત્રુંજી નદીના કાંઠાના ગામોમા મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ જોવા મળે છે. ત્યારે પાછલા અગિયારેક માસ દરમિયાન આ વિસ્તારમાં છ સિંહણોએ મળી કુલ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે. જેના લીધે બૃહદગીર વિસ્તાર સિંહબાળના ખીલખીલાટથી જાણે ગુંજી ઉઠયો છે.


ગીર જંગલમાં વસતા સાવજોએ લીલીયાના બૃહદગીર વિસ્તારને પાછલા એકાદ દાયકા ઉપરાંતના સમયથી પોતાનુ નવુ રહેઠાણ બનાવી લીધુ છે. આ વિસ્તારમાં હાલ ૪પ જેટલા સાવજ પરિવાર વસવાટ કરે છે. અહી ગીર જંગલમા ન વધે તેટલી વસ્તી વધી રહી છે. અહી પાછલા અગિયારેક માસમા છ સિંહણોએ ૧૭ સિંહબાળને જન્મ આપ્યો છે.
અહી વસવાટ કરતી રેડીયો કોલર સિંહણે જાન્યુઆરી માસમા બે સિંહબાળને જન્મ આપ્યો હતો. બાદમાં માર્ચમા ક્રાંકચમાં ખાટની ઓઢ વિસ્તારમાં રાતડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભુરી સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. મે માસમાં ચાંદગઢની સીમમાં વાંજણી સિંહણે બે બચ્ચાને જન્મ આપી વાંજીયામેણુ ભાંગ્યુ હતુ. ત્યારબાદ સપ્ટેમ્બર ઓકટોબર માસમા માકડી સિંહણે ક્રાંકચ ગાગડીયા નદીના કાંઠે ખોડીયારની ખાણ વિસ્તારમા સરેડામા ચાર બચ્ચા અને બાદમાં બે બચ્ચાને જન્મ આપ્યો હતો. અગિયાર માસમાં ૧૭ સિંહબાળ ખીલખીલાટ કરી રહ્યાં છે. વસ્તી વધતા પંથકમા સિંહપ્રેમીઓમા આનંદની લાગણી જોવા મળી રહી છે. હાલમાં સ્થાનિક આરએફઓ બી.પી.અગ્રવાલ, ફોરેસ્ટર બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિ‌લ, બીપીનભાઇ ત્રિવેદી સહિ‌તનો સ્ટાફ આ સિંહબાળની સંભાળ લઇ રહ્યો છે.
દોઢેક માસ પહેલા જન્મેલા છ બચ્ચા પ્રથમ વખત દેખાયા
બૃહદગીર વિસ્તારમાં માકડી સિંહણે ચાર બચ્ચાને તેમજ ભોડી સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યા બાદ આ છ સિંહબાળ શેત્રુજી નદીના કાંઠે પ્રથમ વખત જોવા મળ્યાં હતા. આ વિસ્તારમાં સિંહબાળનો સતત ઉમેરો થતા સિંહપ્રેમીઓ ખુશખુશાલ જોવા
મળ્યા હતા.

સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું ઘાયલ.


સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું ઘાયલ
Dilip Raval, Amreli | Nov 26, 2013, 16:38PM IST
લોકોનું ટોળું એકઠું થઇ જતા નસીબદાર બચ્ચું બચી ગયું
 
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે આજે સવારે એક સિંહણે દિપડીના બચ્ચા પર હુમલો કર્યો હતો. સિંહણે દિપડીના બચ્ચાને કમરના ભાગેથી દબોચી લેતા તેણે ચીસાચીસ કરી હતી. જેને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોકોનું ટોળું એકઠું થતાં સિંહણ ઘાયલ બચ્ચાને પડતું મુકી નાસી ગઇ હતી. હાલમા આ બચ્ચાની સારવાર શરૂ છે.
 
સિંહ અને દિપડાનો આમનો સામનો થઇ જાય તો ચૌક્કસ જંગ જામે છે. જો કે વિજય હંમેશા સિંહનો થાય છે. દિપડાના ભાગે મોટે ભાગે મોત આવે છે. પરંતુ આજે સિંહણના હુમલામાં દિપડીનું બચ્ચું માંડ બચી શક્યું હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામની સીમમા આજે સવારે સાતેક વાગ્યાના સુમારે એક સિંહણે દિપડાના બચ્ચા પર હુમલો કર્યો હતો.
 
આ સિંહણે દિપડાના બચ્ચાને કમરના ભાગેથી પકડી મોઢામા દબાવી દેતા તેને ઇજા પહોંચી હતી. જો કે દિપડીના બચ્ચાનો શોર સાંભળી આસપાસમા કામ કરતા લોકો એકઠા થઇ જતા સિંહણે હેબતાઇ ગઇ હતી. અને લોકો એકઠા થતા દિપડાના બચ્ચાને પડતુ મુકી સિંહણ નાસી છુટી હતી. ઘાયલ બચ્ચા અંગે વનતંત્રને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ બચ્ચાને સારવાર માટે સાસણના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામા આવ્યુ હતુ. આરએફઓ રાજપુતે જણાવ્યુ હતુ કે આ બચ્ચુ છ માસનુ હતુ અને હાલમા બચી ગયુ છે.

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત.

ધારાબંદરમાં ઝેરી ચારો ખાવાથી પંદર પ્રવાસી પક્ષીઓના મોત
Bhaskar News, Amreli   |  Nov 26, 2013, 03:46AM IST
- સૂકી માછલીના ખાતરમાં જંતુનાશક નખાતા પક્ષીઓને મોત મળ્યુ
- હજુ ૨પ પક્ષીઓનાં શિકારની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં


જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ૨પથી વધુ પ્રવાસી પક્ષીઓનો એક શિકારી ટોળકીએ શીકાર કર્યાની તંત્રને રજુઆત થયાને હજુ જાજો સમય થયો નથી ત્યાં જાફરાબાદ તાલુકાના ધારાબંદરના દરીયાકાંઠે પંદર પ્રવાસી પક્ષીઓના મોત થયા છે. અહિં માછલીઓના ખાતરમાં ઝેરી દવા નખાતા આવો ચારો ખાવાથી પક્ષીઓના મોત થયાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રજુઆત કરવામાં આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે વિસ્તરણ વિભાગના ડીએફઓને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે જાફરાબાદના ધારાબંદર ખાતે સમુદ્ર કિનારે પંદર જેટલા યાયાવર પક્ષીઓનું ઝેરી પદાર્થ ખાવાથી આજે મોત થયુ હતું. તેમણે રજુઆતમાં એમ જણાવ્યુ હતું કે ધારાબંદર તથા આસપાસના વિસ્તારોમાં મૃત માછલીઓમાંથી ખાતર બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે.

સુકવેલી આ માછલીઓનું ખાતર અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. સુકવણી દરમીયાન આ માછલીઓમાં સડો કે જીવાત ન પડી જાય અને બગાડ ન થાય તે માટે તેના પર જંતુનાશક દવા છાંટવામાં આવે છે. આવી જંતુનાશક દવા છાટેલી સુકી માછલીઓનો ચારો ખાવાથી આ પક્ષીઓના મોત થયાનું મનાય છે. અહિં પાછલા ઘણા સમયથી રોજ એક-બે પક્ષીના મોત થાય છે.

પરંતુ આજે ધારાબંદર અને રાજપરાના દરીયાકાંઠે પંદર જેટલા પક્ષીઓના કમોત થયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે જાફરાબાદના બાબરકોટમાં હજુ ત્રણ દિવસ પહેલા જ શીકારોઓએ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યાની પણ લાયન નેચર ફાઉન્ડેશને રજુઆત કરી હતી.

આ અંગે જાફરાબાદનાં આર.એફ.ઓ. રાજપૂત સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતું કે, તપાસ કરતા ધારાબંદર વિસ્તારમાંથી પક્ષીઓના મૃત્યુ થયા હોય તેવી વાત ધ્યાને આવી નથી.

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા.

લાયન શોની ઘેલછા, સિંહની ડણકથી યુવકો ઊભી પૂંછડીયે ભાગ્યા
Bhaskar News, Khmbha   |  Nov 25, 2013, 01:06AM IST
-
બેરોકટોક : રેવન્યુ વિસ્તારમાં સાવજોનો પડાવ હવે પજવણીમાં ફેરવાયો હોય તેવો તાલ સર્જા‍યો છે
-
સાવરકુંડલાનાં યુવકને સાવજે ડણક દેતા બાઇક છોડી નાસી જવુ પડયું

ગુજરાતને નામના અપાવનાર સાવજો માત્ર જંગલમા વસતા નથી. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા પણ ખુબ મોટી સંખ્યામા વસવાટ છે. આ સાવજો રસ્તા પર પણ નજરે પડે છે અને વાડી ખેતરોમા પણ નજરે પડે છે.

જેને પગલે લોકોમા સિંહ દર્શનની મોટી ઘેલછા જોવા મળે છે. આ ઘેલછાના પરિણામે જ ખાંભા પંથકમાં લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. સિંહ દર્શન માટે ગમે ત્યાં લોકોનુ ટોળુ એકઠુ થઇ જાય છે. સાવજોની પજવણીના કારણે હુમલાની ઘટના પણ વધી છે. ખાંભા નજીક એક બાઇક ચાલકને સિંહ આવી જતા પોતાનુ બાઇક મુકી નાસી જવુ પડયુ હતુ.

ખાંભા પંથકમાં ગેરકાયદે લાયન શોનુ પ્રમાણ વધ્યું છે. લોકોમા સિંહ દર્શન માટેની ઘેલછા વધુ પ્રમાણમા જોવા મળી રહી છે. આ ઘેલછા જ કેટલાક લોકોને લાયન શો માટે પ્રેરી રહી છે. અહી દુરદુરના પ્રદેશોમાંથી સિંહ દર્શન માટે લોકો આવે છે. છેક રાજકોટથી પણ લોકો લાયન શો ગોઠવાઇ ત્યારે સિંહ જોવા પહોંચી જાય છે. ખાંભા પંથકમાં વીડી વિસ્તારમાં ગઇકાલે એક સાવજ દ્વારા મારણ કરવામા આવ્યુ હતુ ત્યારે અહી જોતજોતામા ટોળુ એકઠુ થઇ ગયુ હતુ. મોબાઇલ પર એકબીજાને સંદેશાની ઝડપથી આપલે થતી હોય આવા સમયે જ જોતજોતામા લોકોના ટોળા એકઠા થઇ જાય છે. ગેરકાયદે સિંહ દર્શન દરમિયાન કાંકરીચાળાની પણ ઘટના બનતી હોય છે.

જાણવા મળતી વિગત અનુસાર ગઇકાલે અહી સાવરકુંડલાથી એક બાઇક ચાલક સિંહ દર્શન માટે પહોંચી ગયો હતો. બાઇક મુકીને બધા સિંહ દર્શનમા વ્યસ્ત હતા તે સમયે સિંહ અચાનક બાઇક પાસે પહોંચી જતા તેણે બાઇક મુકીને ત્યાંથી નાસી જવુ પડયું હતુ. આખી રાત બાઇક તે સ્થળે પડયુ રહ્યું હતુ. અને છેક સવારે ફરી ત્યાં પહોંચી તે શખ્સ પોતાનુ બાઇક લઇ ગયો હતો. અહી મોટી સંખ્યામા સિંહ દર્શન માટે લોકો એકઠા થયા હતા. ત્યારે અહી વનવિભાગનો સ્ટાફ ડોકાયો પણ ન હતો. સિંહ દર્શનની આ પ્રવૃતિ અટકાવવા સ્થાનિક વનકર્મચારીઓ નાકામ રહેતા હોય ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપવાની જરૂર છે.

કાયદાથી કડક હાથે કામ લેવાશે-ડીએફઓ શર્મા
ગીરપુર્વના ડીએફઓ શર્માએ જણાવ્યુ હતુ કે જો કોઇ વ્યકિત લોકોના ટોળા એકઠા કરી સિંહ દર્શન કરાતા માલુમ પડશે તો કાયદાથી તેની સામે કડક હાથે કામ લેવાશે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે ખાંભાના કોટડામા એક સપ્તાહ પહેલા સિંહ દર્શન કરનારાઓ પાસેથી ૨પ હજારનો દંડ વસુલાયો હતો.

સાવજની એક ડણકથી સિંહપ્રેમીઓ ભાગ્યા
ખાંભા નજીક ગઇરાત્રે અહી સિંહ દર્શન માટે ટોળુ એકઠુ થયુ ત્યારે સાવજ છેક એક બાઇક નજીક પહોંચી ગયો હતો. અને બાઇક નજીક ઉભા રહી તેણે એક જ ડણક દેતા અહી એકઠુ થયેલુ ટોળુ જોતજોતામા વિખેરાઇ ગયુ હતુ. અગાઉ અહી બાઇકની લાઇટ ડીમફુલ કરી સાવજોને પરેશાન કરાયા હતા.

સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાં.



સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંBhaskar News, Amreli   |  Nov 25, 2013, 01:01AM IST
- બે ભાગીયાઓએ જ ફાંસલો ગોઠવ્યો 'તો
-
ભેદ ઉકેલાયો : બે દિવસ પૂર્વે ફિફાદની સીમમાં વાડીનાં કુવામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલ સિંહણના મૃતદેહનું રહસ્ય ખુલ્યું
-
આ પ્રકરણમાં બેની ધરપકડ : હજુ વધુ નામ ખૂલે તેવી વન વિભાગે દર્શાવી શકયતા

સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમા બે દિવસ પહેલા એક વાડીના કુવામાંથી ગળામા ફાંસલા સાથે સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ વનવિભાગની તપાસમા વાડીમા કામ કરનાર બે ભાગીયાઓએ જ ફાંસલો મુકયો હોવાનુ ખુલતા આજે વનતંત્ર દ્વારા બંનેની ધરપકડ કરવામા આવી હતી. આ કેસમા હજુ વધુ કેટલાક શખ્સોની સંડોવણી ખુલી શકે તેવી શકયતા વનવિભાગે દર્શાવી હતી. ફિફાદની સીમમા જે વાડીના કુવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો તે વાડીના ભાગીયાઓએ જ મુકેલા ફાંસલામા ફસાવાથી સિંહણનુ મોત થયાનુ વનવિભાગની તપાસમા બહાર આવ્યુ છે.
સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંરાજકોટમા રહેતા ગણેશભાઇ રંગાણીની વાડી ફિફાદની સીમમા આવેલી છે. તેમણે પોતાની આ વાડી મુકેશ નાથા કથીરીયા અને ભીમા લાખા વાઘેલાને ભાગીયુ વાવવા આપી હતી. દરમિયાન બે દિવસ પહેલા ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામા એક સિંહણનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, આ ઘટના બની ત્યારથી ડીએફઓ અશુંમન શર્માએ જુદી-જુદી ટૂકડી બનાવી અને હાથ ધરેલી કવાયત આખરે સફળ થઇ છે.

આ સિંહણના ગળામા વનવિભાગને ફાંસલો પણ મળ્યો હતો. વન્યપ્રાણીઓથી પાકના રક્ષણ માટે ગોઠવવામા આવેલા ફાંસલામા ફસાઇ જવાથી આ સિંહણનુ મોત થયુ હતુ. સિંહણના ગળામા ફાંસલોએટલો મજબુત ખેંચાઇ ગયો હતો કે શ્વાસ રૂંધાઇ જવાથી તે મોતને ભેટી હતી. બાદમા આ ઘટના છુપાવવા ગળામા ફાંસલા સાથે પતરાનો ડબ્બો બાંધી લાશને કુવામા નાખી દેવામા આવી હતી.

પાપ છાપરે ચઢીને પોકારતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. દરમિયાન આ કૃત્ય કોણે આચર્યુ તે જાણવા વનવિભાગ દ્વારા અનેક શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામા આવી હતી. દરમિયાન આજે આ વાડી ભાગવી વાવવા રાખનાર મુકેશ નાથા કથીરીયા અને ભીમા લાખા વાઘેલાએ આ ફાંસલો પોતે મુકયો હોવાની કબુલાત આપી હતી. જેને પગલે વનતંત્ર દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી. સમગ્ર ઘટના કઇ રીતે બની અને તેને કઇ રીતે છુપાવવા પ્રયાસ થયો તેનો તાગ મેળવવા એસીએફ મુની અને આરએફઓ ભાલોડીયા દ્વારા વધુ પુછપરછ કરાઇ રહી છે.સિંહણના મોતનો પર્દાફાશ: ડબ્બામાં પૂરીને સિંહણને ફેંકી દીધી કૂવામાંવધુ કોઇની સંડોવણી છે કે કેમ તપાસ થશે-એસીએફ
એસીએફ મુનીએ જણાવ્યુ હતુ કે આ કેસમા બે શખ્સોની ધરપકડ કરાઇ છે. ઉપરાંત સિંહણની લાશને ઉંચકીને કુવામા નાખવામા કોઇએ મદદ કરી છે કે કેમ તે દિશામા પણ તપાસ ચાલુ છે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે બંનેની પુછપરછ બાદ વધુ વિગતો ખુલશે.

કુવામાં ખાબકેલા છ માસના સિંહબાળને બચાવી લેવાયું.

કુવામાં ખાબકેલા છ માસના સિંહબાળને બચાવી લેવાયું
Bhaskar News, Amreli | Nov 25, 2013, 00:58AM IST- સિંહણ વિહવળ બની કુવા આસપાસ ટળવળતી હતી

સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામની સીમમા આજે સિંહણનુ છ માસનુ બચ્ચુ કુવામા પડી જતા વનવિભાગની રેસ્કયુ ટીમે બચ્ચાને સહીસલામત કુવામાંથી બહાર કાઢી તેની માતા સાથે મિલન કરાવ્યુ હતુ.

કોઇ માતાથી તેનુ બચ્ચુ છુટુ પડી જાય તો તેની પીડા દેખાયા વગર રહે ખરી ? પછી તે માતા સિંહણ કેમ ન હોય. સાવરકુંડલા તાલુકાના મિતીયાળા ગામની સીમમા એક વાડીના કુવા પાસે સિંહણ વિહવળ બની તેના બે બચ્ચા સાથે આંટા મારતી હોય કંઇક અજુગતુ હોવાની આશંકા જતા સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી.

જસાધારની રેસ્કયુ ટીમનો સ્ટાફ તાબડતોબ અહી દોડી ગયો હતો અને વીસ ફુટ ઉંડા કુવામા તપાસ કરવામા આવતા સિંહણનુ એક બચ્ચુ તેમા પડી ગયુ હોવાનુ જાણમા આવ્યુ હતુ. વનવિભાગના સ્ટાફે સાવચેતીથી આ બચ્ચાને સહીસલામત કુવામાંથી બહાર કાઢયુ હતુ. પોતાની માતા સાથે અહીથી પસાર થતી વખતે કોઇ રીતે આશરે છ માસની ઉંમરનુ સિંહબાળ કુવામા પડી ગયુ હતુ. આ સિંહબાળનુ તેની માતા સાથે મિલન કરાવાયા બાદ સિંહણ બચ્ચાને લઇ ત્યાંથી ચાલી ગઇ હતી.

દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો.


દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો
Bhaskar News, Amreli | Nov 25, 2013, 00:58AM IST
- સિઝનલ ટૂર : જિલ્લાના કાંઠા અને જળાશય વિસ્તારમાં ચાર મહિ‌ના સુધી મૂકામ કરે છે
-
વિકટર ચાંચબંદર ખેરા પટવા વિસ્તારમાં હજારોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓનું આગમન

અમરેલી જિલ્લાનો સાગરકાંઠો પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રવાસી પક્ષીઓનુ આગમન શરૂ થઇ ચુકયુ છે. જો કે આવનારા દિવસોમા આ પક્ષીઓની સંખ્યામા ધરખમ વધારો થશે. હાલમા વિકટર, ચાંચ બંદર, ખેરા, પટવા વિગેરે વિસ્તારના દરિયાકાંઠામા ખુબ મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ આવ્યા છે. દર વર્ષે સાઇબીરીયા તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહી શિયાળો ગાળવા માટે આવે છે.

હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી આ પક્ષીઓ અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પર તથા અન્ય જળાશયો પર ચારેક માસ સુધી રોકાઇ છે. અને ઉનાળો શરૂ થાય તે પહેલા પોતાના પ્રદેશ તરફ પરત ઉડી જાય છે. વર્ષોથી ચાલતો આ સીલસીલો જળવાતો હોય તેમ ઓણસાલ પણ પ્રવાસી પક્ષીઓના આવવાની શરૂઆત થઇ ચુકી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા જળાશયો પર હજુ મોટી સંખ્યામા આ પ્રવાસીઓ નજરે નથી પડયા પરંતુ અહીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પક્ષીઓનુ મોટી સંખ્યામા આગમન થઇ ચુકયુ છે જેને પગલે દરિયાકાંઠા પર પક્ષીઓનો કોલાહલ મચ્યો છે. અહી કુંજ, કરકરા, સારસ સહિ‌તના પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે.
પક્ષીઓને અહીના દરિયાકાંઠે ભરપુર ખોરાક મળી રહે છે. વિકટર, ચાંચ, ખેરા પટવા અને આસપાસના દરિયાકાંઠે માછલી અને અન્ય દરિયાઇ જીવોનો ખોરાક તેમને સરળતાથી મળી રહે છે. એવુ નથી કે આ વિસ્તારમાં આ પ્રવાસી પક્ષીઓ માત્ર દરિયાકાંઠે આવે છે. બલકે અમરેલી જિલ્લાના અનેક જળાશયો પર પણ તેનુ દર વર્ષે નિયમિત આગમન થાય છે. ખોડીયાર ડેમ ઉપરાંત ધાતરવડી, મુંજીયાસર ડેમ સહિ‌ત મોટી સંખ્યામા આ પક્ષીઓ આવે છે. અનેક નાના મોટા તળાવો પર પણ તેમનો પડાવ જોઇ શકાય છે.

સિંહણના હત્યારાઓને શોધવા કોમ્બીંગ.

સિંહણના હત્યારાઓને શોધવા કોમ્બીંગ
Bhaskar News, Amreli, Sawarkundla | Nov 24, 2013, 03:11AM IST
- ભેદ અકબંધ: ફીફાદમાં બનાવના સ્થળે વાડીઓમાં તપાસનો દોર
-
વન વિભાગની ટીમો દ્વારા શંકાસ્પદોની પૂછપરછ : જો કે હવામાં હવાતીયા

સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમા ગઇકાલે સિંહણને ફાંસલામા ફસાવી તેનુ મોત નિપજાવ્યા બાદ અજાણ્યા શખ્સો તેની લાશ વાડીના એક કુવામા નાખી ગયા બાદ આ સિંહણને કોણે મારી તે જાણવા આસપાસની વાડીઓમા વનવિભાગ દ્વારા કોમ્બીંગ કરાઇ રહ્યું છે. પરંતુ વનતંત્રને હજુ સુધી આ અંગે કોઇ કડી મેળવવામા સફળતા મળી નથી. તંત્ર દ્વારા કેટલાક શંકાસ્પદ લોકોની પુછપરછ કરાઇ છે.

વનતંત્રની ઘોર બેદરકારીથી એકપછી એક સાવજો મોતને ભેટી રહ્યાં છે. તેની વચ્ચે સાવરકુંડલાના ફિફાદમા સિંહણના મોતની ઘટનાનો તાગ મેળવવામા હજુ તંત્રને કોઇ સફળતા મળી નથી. ગઇકાલે ફિફાદની સીમમા રાજકોટના ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામાથી ગળામા ફાંસલો બાંધેલી હાલતમા સિંહણનો મૃતદેહ મળ્યો હતો. આ સિંહણનુ ફાંસલામા ફસાઇ જતા શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયુ હતુ. અહી સિંહણના મૃતદેહના ગળામા ફાંસલાની સાથે પતરાનો ડબ્બો પણ બાંધેલો હતો.
સ્વાભાવિક રીતે જ આ ઘટના અન્ય કોઇ સ્થળે બની હતી અને બાદમા કુવામા મૃતદેહ નાખીજવાયો હતો.
કુવાની દિવાલ પણ સાડાત્રણ ફુટ ઉંચી હોય મૃતદેહ નાખવા માટે ત્રણ ચાર કે વધુ વ્યકિતીની જરૂર પડી હશે. તેવુ વનવિભાગનુ માનવુ છે. હાલમા આસપાસની વાડીઓમા વનવિભાગે કોમ્બીંગ કરી ઘટનાના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતુ કે શંકાના આધારે કેટલાક શખ્સોની પુછપરછ પણ કરવામા આવી રહી છે.

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર.

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર
Bhaskar News, Amreli   |  Nov 24, 2013, 03:00AM IST
- વન તંત્ર નિદ્રામાં : ૨પથી વધુ પક્ષીઓનો શિકાર કરાયાની રજૂઆત પછી તંત્ર દોડતુ થયું
-
લાયન નેચર ફાઉન્ડેશને કરી વિસ્તૃત રજૂઆત : વન તંત્ર દોડયુ પણ શિકારીઓ હાથમાં ન આવ્યા

દર શીયાળામાં સાયબેરીયા સહિ‌ત દુર દુરના પ્રદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ સૌરાષ્ટ્રમાં આવે છે. અમરેલી જીલ્લાના દરીયાકાંઠો પણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિકારીઓ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો અવાર નવાર શિકાર કરવામાં હોવાની ભુતકાળમાં ફરીયાદો ઉઠી હતી ત્યારે જાફરાબાદના બાબરકોટમાં પણ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનતંત્રને ચોંકાવનારી રજુઆત કરાઇ છે. જો કે વનતંત્રનો સ્ટાફ અહિં દોડયો ત્યારે શિકારીઓ ગાયબ થઇ ગયા હતાં.
અમરેલી જીલ્લામાં વન્યપ્રાણીઓ અને પક્ષીઓના શિકારની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. માંસભક્ષીઓ દ્વારા નિલગાયના શિકારની પણ ઘટનાઓ બની ચુકી છે. અહિંના માંસભક્ષીઓ દરીયાઇ કાચબાના ઇંડાને પણ બક્ષતા નથી. ત્યાં પ્રવાસી પક્ષીઓની શું વિસાત ? અમરેલી જીલ્લાના જળાશયો પર અને દરીયાકાંઠે આ પ્રવાસીપક્ષીઓ પર કોઇ ચોકી પહેરો હોતો નથી. જેને પગલે શીકારીઓને જાણે ખુલ્લુ મેદાન મળે છે. શીયાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે કેટલાક દિવસોથી પ્રવાસી પક્ષીઓ પણ આવવાની શરૂઆત થઇ ચુકી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરીયાકાંઠા પર મોટી સંખ્યામાં પ્રવાસીપક્ષીઓ આવી ચુક્યા છે.

દરમીયાન લાયન નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની વન વિભાગને રજુઆત કરાઇ છે. ગત ૧૮મી તારીખે જાફરાબાદ તાલુકાના બાબરકોટની સીમમાં ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શીકાર કરાયો હતો. ભીખુભાઇ બાટાવાળા દ્વારા એવી પણ રજુઆત કરાઇ હતી કે અહિં પાંચ શિકારીઓએ ધામા નાખ્યા હતાં અને પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યો હતો.

લાયન નેચર ફાઉન્ડેશનની રજુઆત બાદ આરએફઓ દ્વારા વન કર્મચારીઓને અહિં દોડાવવામાં આવ્યા હતાં. જો કે વન વિભાગના હાથમાં આ શિકારીઓ આવ્યા ન હતાં. ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે પશુ-પક્ષીઓની રક્ષા માટે આમ જનતામાં જાગૃતિ આવી રહી છે. પ્રાણી અને પક્ષીના રક્ષણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે શિકારની આવી ઘટના બને તો લોકો દ્વારા પણ હવે તુરંત જાણ કરવામાં આવે છે. ગ્રામીણ પ્રજા પણ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે આગળ આવી રહી છે. આવા સમયે ડેમ, નદીઓ, તળાવ અને સમુદ્ર કિનારે આવતા કુંજ, કરકરા, સારસ સહિ‌તના પ્રવાસી પક્ષીઓના શિકારને અટકાવવા તંત્ર દ્વારા નક્કર પગલા લેવાની જરૂર છે.

મુખ્ય મંત્રી સુધી કરાઇ રજૂઆત
લાયન નેચર ફાઉન્ડેશન વતી ભીખુભાઇ બાટાવાળા દ્વારા શિકારની આ પ્રવૃતિ અંગે આજે રાજ્યના મુખ્યમંત્રીને ફેક્સ દ્વારા રજુઆત કરાઇ હતી. તેમણે એવી માંગ ઉઠાવી હતી કે પ્રવાસી પક્ષીઓના રક્ષણ માટે ઉચીત કદમ ઉઠાવવામાં આવે.

એક પક્ષીના બે હજાર રૂપિયા
ભીખુભાઇ બાટાવાળાએ એવી ચોંકાવનારી વિગત આપી હતી કે રાજુલા-જાફરાબાદ પંથકમાં પરપ્રાંતિયોની વસ્તી વધારે છે અને આવા પરપ્રાંતિય શખ્સો પોતાની માંસભક્ષીતા પોંશવા માટે એક એક પક્ષીના રૂા. બે - બે હજાર ચુકવતા હોવાનું કહેવાય છે. આ અંગે તપાસ થવી જોઇએ.

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત.

રાજુલાના વડની સીમમાં ન્યૂમોનિયાથી દિપડીનું મોત
Bhaskar News, Amreli | Nov 24, 2013, 02:56AM IST
દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મૃત્યુ પામ્યા
સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓની જાણે માઠી દશા બેઠી હોય તેમ ગઇકાલે ફીફાદમાં એક સિંહણનું કમોત થયા બાદ આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં એક સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયુ હતું. આ દિપડીના પેટમાં રહેલા ત્રણ બચ્ચા પણ મોતને ભેટયા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ અહિં દોડી ગયો હતો. દિપડીના મોતની આ ઘટના આજે રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં બાબુભાઇ જીવણભાઇ વાળાના ખેતરમાં બની હતી.

અહિં ખેતરમાં એક દિપડીનો મૃતદેહ પડયો હોવાનુ જણાતા તેમના દ્વારા વન વિસ્તરણ વિસ્તારના એસીએફ ભાવસારને જાણ કરવામાં આવી હતી. એસીએફની સુચનાને પગલે આરએફઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીના મૃતદેહને કબજે લઇ પોસ્ટ ર્મોટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.એસીએફ ભાવસારે જણાવ્યુ હતું કે મૃત્યુ પામનાર દિપડી આશરે ત્રણ વર્ષની ઉંમરની છે અને આ સગર્ભા દિપડીનું ન્યૂમોનીયાના કારણે મોત થયાનું પ્રાથમીક દ્રષ્ટિએ જણાય રહ્યુ છે. જો કે મોતનું સચોટ કારણ જાણવા જરૂરી નમુનાઓ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. પીએમ દરમીયાન દિપડીના પેટમાં ત્રણ બચ્ચા હોવાનું ખુલ્યુ હતું. આ ત્રણેય બચ્ચા પણ મૃત્યુ પામ્યા હતાં. દિપડીના મૃતદેહને ધારીના કેર સેન્ટરમાં અગ્નીદાહ અપાયો હતો. એકાદ દિવસ પહેલા મોતને ભેટેલી આ દિપડીના તમામ નખ સલામત મળ્યા હતાં.

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ.

સિંહણને ફાંસો આપી હત્યા બાદ લાશ કૂવામાં નાખી દેવાઇ
Bhaskar News, Amreli, Sawarkundla | Nov 23, 2013, 04:02AM IST
- સાવરકુંડલાના ફીફાદ ગામની સીમમાં મૃતદેહ મળ્યો

સૌરાષ્ટ્રની અમુલ્ય ધરોહર સમા સાવજોની રક્ષા કરવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યુ છે. જેને પગલે સાવજોના કમોતની ઘટનાઓ વધી રહી છે. સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામની સીમમાં ફાંસામાં ફસાઇ જતા એક સિંહણનું મોત થયા બાદ અજાણ્યા શખ્સો તેને વાડીના કુવામાં નાખી ગયાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. આજે ગળામાં ફાંસા સાથે આ સિંહણનો મૃતદેહ કુવામાં તરતો મળી આવ્યો હતો.
અહિં શેત્રુજી નદીના કાંઠે રાજકોટના ગણેશભાઇ રંગાણીની વાડીના કુવામાંથી ગળામાં ફાંસલા સાથે એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે છ વર્ષની ઉંમરની આ સિંહણના મૃતદેહને કોઇ અજાણ્યા શખ્સો અહિં વાડીના કુવામાં ફેંકી ગયા હતાં. હાલમાં ખેતીની સિઝન ચાલુ છે ત્યારે કેટલાક ખેડૂતો કાયદાનો ભંગ કરી પશુઓથી પાકના રક્ષણ માટે ફાંસા ગોઠવે છે. ત્યારે આવા જ એક ફાંસામાં આ સિંહણનું ગળુ ફસાઇ ગયુ હતું. ફાંસલામાંથી બહાર નિકળવા સિંહણે ધમપછાડા કરતા તેની આંખો અને જીભ પણ બહાર નિકળી ગઇ હતી અને સ્વાસ રૂંધાઇ જવાથી તેનું મોત થયુ હતું.

સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?


સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છતા કેટલા સલામત છે આપણા સાવજો ?
Bhaskar News, Amreli   |  Nov 22, 2013, 23:55PM IST
- બેદરકારી : ખૂલ્લા અને ફાંસલા બન્યા જોખમી : મારણમાં ઝેર, નખ માટે શિકાર પણ સાવજોને બચાવવામાં વનતંત્ર લાચાર
-
સરકાર સાવજોની રક્ષા પાછળ કરોડો ખર્ચે છે આમ છતાં તંત્રની નિષ્ફળતાથી સાવજોના મોત થાય છે

સમગ્ર દેશમાં સૌરાષ્ટ્ર ગૌરવ લઇ શકે તેવી વાત એ છે કે તેની પાસે સાવજો છે. એશીયાના બીજા કોઇ પ્રદેશમાં નથી પરંતુ અહિં છે. અહિંના લોકોપણ સાવજોને પ્રેમ કરે છે. સરકાર સાવજોની રક્ષા માટે કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં તંત્રની નિષ્ફળતાના પગલે સાવજોના કમોત થતા રહે છે. ખુલ્લા કુવા અને ફાંસલાના કારણે અનેક સાવજોના કમોત થયા છે. આ ઉપરાંત તાર ફેન્સીંગમાં વિજ પ્રવાહ, મારણમાં ઝેર, નખ માટે શિકાર બિમાર સાવજોની સમયસર સારવારનો અભાવ વિગેરે કારણેથી પણ કમોતની ઘટનાઓ બનતી જ રહે છે. જો સરકાર સમયસર નહી જાગે તો આ પ્રકારની ઘટનાઓ અટકાવી નહી શકાય.

થોડા સમય પહેલા વિસાવદર પંથકમાં સાવજના કમોતની ઘટનાએ વિવાદ જગાવ્યો હતો. હવે સાવરકુંડલાના ફીફાદમાં સિંહને ફાંસલામાં ફસાવી મારી નખાતા ફરી તંત્રની ઘોર નિષ્ફળતા ખુલીને સામે આવી છે. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ગીરના સાવજો કેટલા સલામત છે ? ભુતકાળમાં પણ સિંહના નખ માટે શિકારની અસંખ્ય ઘટનાઓ બની ચુકી છે. શિકારી ગેંગે નખ માટે કેટલા સાવજનો શિકાર કર્યો તેનો હિ‌સાબ કિતાબ વનતંત્ર પાસે પણ નથી.

થોડા વર્ષ પહેલા ધારીના પાદરમાં તાર ફેન્સીંગમાં ખેડૂતે મુકેલા વિજશોકના કારણે એક સાથે પાંચ સાવજોના મોત થયા હતાં અને બાદમાં આ ખેડૂતે આ ઘટના છુપાવવા ખાડો ખોદી પાંચેય સાવજોની લાશ દાટી દીધી હતી. તાર ફેન્સીંગમાં વિજશોકથી સાવજોના કમોતની આ સૌથી મોટી ઘટના હતી. ગીર જંગલ તથા આસપાસમાં મારણમાં ઝેર ભેળવીને પણ સાવજને મારી નખાયાની ઘટનાઓ બની ચુકી છે. તો બીજી તરફ ગીર આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખેતીવાડીના ખુલ્લા કુવા પણ સાવજોના કમોત માટે નિમિત બની રહ્યા છે. શેત્રુજી નદીના પુરે પણ એક દાયકા પહેલા ત્રણ સાવજોનો ભોગ લીધો હતો.

વાત આટલેથી અટકતી નથી. સાવજને નાની મોટી ઇજા કે બિમારીની સમયસર સારવાર ન થાય તો તે જીવલેણ નિવડે છે. જંગલખાતાના મસમોટા સ્ટાફને સાવજોની ભાળ મેળવવા ફેરણાની જવાબદારી સોંપાઇ છે. પરંતુ નિયમીત ફેરણુ થતુ ન હોય સાવજોની બિમારી કે ઇજા અંગે સમયસર જાણકારી મળતી નથી. જેના કારણે ભુતકાળમાં અનેક સાવજો મોતને ભેટી ચુક્યા છે. એક તરફ ગુજરાતના સાવજોને મધ્યપ્રદેશમાં ખસેડવાની તજવીજ ચાલી રહી છે. તેને અટકાવવા ધમપછાડા થઇ રહ્યા છે. વનતંત્રની આ ઘોર બેદરકારી અદાલતમાં પણ નબળી કડી સાબીત થઇ રહી છે. સૌરાષ્ટ્રની આ અમુલ્ય ધરોહરને બચાવવા માટે નક્કર પગલા જરૂરી છે.

પ્રકૃતિ પ્રેમીઓને સિંહના મોતની જાણ થાય થાય પણ વનતંત્રને કેમ ન થાય ?-બાટાવાળા
લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ ફીફાદની ઘટના અંગે જણાવ્યુ હતું કે સિંહના મોતની ઘટના બને ત્યારે સિંહ પ્રેમીઓને સૌથી પહેલા જાણ થાય છે અને બાદમાં વનતંત્રને જાણ થાય છે. એ જ બતાવે છે કે કર્મચારીઓ કેટલા કામચોર છે. આવી ઘટનાઓમાં વનતંત્ર યોગ્ય તપાસ કરતુ નથી. ઉલ્ટુ રાજકીય દબાણના કારણે આરોપીઓને છાવરે છે અને બાદમાં સબસલામતની આલબેલ પોંકારે છે. વિસાવદરમાં તમામ સિંહને મારી નાખવાની ધમકી અપાય તે જ તંત્રની નિષ્ફળતા સુચવે છે. આજની ઘટના અંગે પણ તેમણે વન અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ બાદમાં લાયન નેચર ફાઉન્ડેશનના સભ્યોને ઘટનાસ્થળે જતા વનતંત્રએ અટકાવ્યા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક સમયમાં જ સાવજોના કમોતની દસ ઘટનાઓ બની છે.

ભાવનગર અને અમરેલીની બોર્ડર પર બની ઘટના
ફીફાદમાં ગણેશભાઇ રંગાણીની વાડી શેત્રુજી નદીના કાંઠે આવેલી છે અને નદીના સામાકાંઠાથી ભાવનગર જીલ્લાની હદ શરૂ થાય છે ત્યારે ફાંસલો મુકવાની આ ઘટના ભાવનગરની હદમાં બની હોય તેવી પણ શક્યતા છે. જેને પગલે અહિં ભાવનગરના ડીએફઓ પણ દોડી આવ્યા હતાં અને બન્ને જીલ્લાના આસપાસના વાડી-ખેતરોમાં કોમ્બીંગ શરૂ કરવામાં આવ્યુ હતું.

શેત્રુજીના કાંઠે બે માસમાં ત્રણ સાવજના કમોત

હજુ થોડા સમય પહેલા જ લીલીયાના ક્રાંકચમાં શેત્રુજીના કાંઠે એક સિંહબાળનું કમોત થયુ હતું. ત્યારબાદ આ જ વિસ્તારમાં કુવામાં પડી જતા સિંહનું મોત થયુ હતું. શેત્રુજીના કાંઠે વસતા સાવજ પરિવારમાંથી કમોતની
આજે ફીફાદ ખાતે ત્રીજી ઘટના બની હતી.

સ્વાસ રૂંધાઇ જવાથી સિંહણનું મોત
ફીફાદમાં સિંહણનું મોત કુવામાં ડુબવાથી નહી પરંતુ ફાસલાના કારણે સ્વાસ રૂંધાઇ જવાના કારણે થયુ છે. આ સિંહણનું વડાળ ખાતે વેટરનરી ડોક્ટર વાઢેર અને ડો. વામજા દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતું. ફાસલામાં ગળુ ફસાયા બાદ સિંહણે તેમાંથી છુટવા જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ ફાંસલો વધુ મજબુત બનતો ગયો હતો.

ફીફાદમાં સિંહણનું મોત ત્રણ દિવસ પહેલા
ફીફાદની ઘટના અંગે ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ સિંહણનું મોત વધુમાં વધુ ત્રણ દિવસ પહેલા થયુ હશે. તેની લાશ પર અન્ય કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતાં. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે સિંહણના મોત બાદ મૃતદેહ અહિં નાખી જવા માટે વાહનનો ઉપયોગ પણ થયો હશે.

સિંહનું ટોળું આવ્યું ગામમાં, આવી હાલત થઈ, લોકોમાં ફફડાટ.


Pix: સિંહનું ટોળું આવ્યું ગામમાં, આવી હાલત થઈ, લોકોમાં ફફડાટ
Dilip Raval, Amreli   |  Nov 22, 2013, 17:16PM IST
નવા આગરીયા ગામને સિંહના ટોળાએ બાનમા લીધુ
એક ગાયનું મારણ કરી ગામમા ચક્કર લગાવ્યા : ગ્રામજનોમાં ફફડાટ
 
રાજુલા તાલુકાના નવા આગરીયા ગામે આજે વહેલી સવારે સાતેક વાગ્યાના સુમારે સિંહનું ટોળું છેક ગામમાં ઘુસી ગયું હતું. આ ટોળાએ જાણે ગામમા આતંક મચાવ્યો હોય તેમ એક ગાયને ફાડી ખાધી હતી. બાદમાં આ સિંહના ટોળાએ ગામની શેરીઓમાં આમથી તેમ આંટાફેરા માર્યા હતા. જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

સિંહનુ ટોળું ગામમાં આંટાફેરા મારતું હોય લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. અને બપોર સુધી કોઇ બહાર નીકળ્યુ ન હતુ. બાદમાં આ ટોળુ ગામથી દુર જતુ રહ્યું હતુ. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે અમોએ અગાઉ પણ વનવિભાગને આ વિસ્તારમાં સિંહ આંટા મારતા હોવાની જાણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી.

હાલ એકતરફ ખેતીની સિઝન ચાલી રહી છે. ખેડુતોને આખો દિવસ ખેતરોમાં રહેવું પડતું હોય છે. ત્યારે આ સિંહનું ટોળું આ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યું હોય ખેડુતો અને મજુરો વાડીએ જતા ભય અનુભવી રહ્યાં છે. આ વિસ્તારમાં તાત્કાલિક પાંજરૂ ગોઠવી આ સિંહોને પકડી જંગલમાં છોડે તેવી લોકોએ માંગ ઉઠાવી રહ્યાં છે.

સાવરકુંડલાના ફિફાદમાં સિંહનું શંકાસ્પદ મોત, ગળામાં ફાંસલો?


Dilip Raval, Amreli | Nov 22, 2013, 14:35PM IST

કુવામાંથી લાશ મળી : ગળામાં ફાંસલો ?
 
ગીરપુર્વમા વધુ એક સિંહના શંકાસ્પદ મોતની ઘટના બહાર આવી છે. સાવરકુંડલાના ફિફાદની સીમમા એક વાડીના કુવામાંથી સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમા મળી આવતા ચકચાર મચી છે. સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમાં રાજકોટ રહેતા ગણેશભાઇની વાડીના કુવામાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. 
 
વનવિભાગને જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા સહિ‌ત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે. એવુ કહેવાય છે કે આ સિંહના ગળામા ફાંસલો લગાવેલો છે. જો કે સત્ય હકિકત સિંહનો મૃતદેહ કુવામાંથી બહાર આવ્યા બાદ ખબર પડશે.

રાજુલાના છતડીયામાં ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત.


રાજુલાના છતડીયામાં ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત
Bhaskar News, Rajula | Nov 22, 2013, 00:08AM IST
- પાંચ દિવસથી ઘેંટા ટપોટપ મરી રહ્યા છે : પશુ ચિકિત્સકોની ટીમ દોડાવવા ગામલોકોની માંગ

રાજુલા તાલુકાના છતડીયા ગામે માલધારીઓના ઘેટામાં કોઇ ભેદી રોગચાળો ફેલાતા ટપોટપ ૨પ ઘેંટાના મોત થયા હોવાનું બહાર આવ્યુ છે. અહિંના ઘેંટામાં છેલ્લા પાંચ દિવસથી આ રોગચાળો જોવા મળે છે અને દરરોજ ઘેંટા મરે છે અને આજે પણ પાંચ ઘેંટાના મોત થયા હતાં. જો કે પશુપાલન વિભાગના અધિકારીઓ હજુ સુધી અહિં ડોકાયા ન હતાં.

ગત વર્ષે ગીર જંગલમાં ભેંસોમાં એક ભેદી રોગચાળો જોવા મળ્યો હતો. તો ઓણ સાલ રાજુલા તાલુકાના છતડીયા ગામે ઘેંટામાં આવો રોગચાળો હોવાનું બહાર આવ્યુ છે. અહિં રહેતા બે ભરવાડના ઘેંટાઓ આ રોગચાળાનો ભોગ બન્યા છે. છતડીયા ગામના ભલાભાઇ કાનાભાઇ ભરવાડ અને કાળાભાઇ સુખાભાઇ ભરવાડ એમ બન્ને માલધારી પાસે ૮૦-૮૦ ઘેંટા છે. પરંતુ પાછલા પ દિવસથી ફેલાયેલા ભેદી રોગચાળામાં ૨પ ઘેંટાના મોત થઇ ચુક્યા છે.

આ શું રોગચાળો છે તેની માલધારીઓને કોઇ જાણ નથી. અચાનક જ ઘેંટુ તરફડીને મરી જાય છે. તેની આંખો સોજી જાય છે, ગળામાં પણ સોજા જોવા મળે છે અને બાદમાં તે મોતને ભેટે છે. ભલાભાઇ ભરવાડે જણાવ્યુ હતું કે છેલ્લા પાંચ દિવસથી આ રીતે ટપોટપ ઘેંટા મરી રહ્યા છે. આજે પણ સીમમાં ઘેંટા ચરી રહ્યા હતા ત્યારે પાંચ ઘેંટાનું મોત થયુ હતું. અહિં પશુપાલન વિભાગના કોઇ અધિકારી કે પશુ ચિકિત્સકો હજુ સુધી ડોકાયા નથી. અહિંના માલધારીઓએ માંગ ઉઠાવી છે કે પશુ ડોક્ટરોની ટીમ ગામની મુલાકાત લે અને પશુઓને બચાવે.

ખાંભાના કોટડાની સીમમા સિંહે કર્યો યુવાન પર હુમલો.

ખાંભાના કોટડાની સીમમા સિંહે કર્યો યુવાન પર હુમલોBhaskar News, Khmbha   |  Nov 22, 2013, 00:04AM IST વાડીમાં ખેતીકામ કરી રહેલા યુવાનને સાવજે લોહીલુહાણ કરી દેતા સારવારમાં
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો દ્વારા સીમમા કામ કરતા ખેડુતો પર હુમલાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આવી જ એક વધુ ઘટનામા ખાંભા તાલુકાના કોટડા ગામની સીમમા આજે બપોરે વાડીમા પાણી વાળી રહેલ યુવાન પર એક સિંહે હુમલો કરી તેને ઘાયલ કરી દેતા આ યુવકને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યો છે. વાડી ખેતરમાં કામ કરતા અન્ય લોકોએ હાકલા પડકારા કરી સિંહને ભગાડયો હતો.


સિંહ દ્વારા ખેડુત પર હુમલાની આ ઘટના આજે ખાંભા તાલુકાના કોટડા ગામની સીમમા બની હતી. અહીના નજુ દિલુભાઇ વાળા (ઉ.વ.૧૮)નામનો યુવાન પોતાની વાડીએ ખેતીકામ માટે ગયો હતો. બપોરના ચારેક વાગ્યાના સુમારે તે પોતાની વાડીએ જાર વાઢી રહ્યો હતો. તે સમયે અચાનક જ એક સિંહ ત્યાં આવી ચડયો હતો. અને સીધો જ નજુ વાળા પર હુમલો કરી દીધો હતો

સિંહે નજુ વાળાના હાથ પર ઇજા પહોંચાડતા તે લોહીલુહાણ થઇ ગયો હતો. જો કે આ સમયે દેકારો થતા આસપાસમા કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સાવજને ત્યાંથી દુર ખસેડયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે ખાંભાના સરકારી દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયા તેના હાથ પર નવ ટાકા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે માસ પહેલા પણ કોટડામા એક સિંહે બ્રાહ્મણ યુવાન પર હુમલો કર્યો હતો. હાલમા ખેતીની સિઝન ચાલી રહી છે આવા સમયે સીમમા સાવજનો પડાવ રહેતો હોય અને હુમલાની ઘટના પણ બનતી હોય ખેડુતોમાં ફફડાટ છે.

ડાભાળીની સીમમાં સિંહ પરિવારે કર્યુ ગાયનું મારણ
સીમમાં સિંહ પરિવારના ધામાથી ખેડુતોમાં ફફડાટ


ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં ગઇકાલે ધોળે દિવસે અહી જંગલમાંથી સિંહ પરિવાર આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. વાડીમા સાવજોએ મારણ કર્યુ હોવાના સમાચાર ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા.

ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને સાવરકુંડલા, લીલીયા, ખાંભા સહિ‌તના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના ગામડાઓમાં પણ હવે સાવજોએ રહેઠાણ બનાવ્યુ હોય તેમ વસવાટ કરી રહ્યાં છે. ગીરકાંઠાના ગામડાઓમાં અવારનવાર સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓનુ મારણ કરે છે.
ત્યારે ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં પણ ગઇકાલે ધોળે દિવસે એક સિંહ પરિવાર આવી ચડયો હતો. અને અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. સિંહ દ્વારા ગાયનુ મારણ કરવામા આવતા અહી સિંહ દર્શન માટે લોકો એકઠ થયા હતા અને સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

ડાભાળીની સીમમાં સિંહ પરિવાર દ્વારા એક ગાયનું મારણ.


Dilip Raval, Amreli | Nov 21, 2013, 14:30PM IST
ધારી તાલુકાના ડાભાળી ગામની સીમમાં ગઇકાલે ધોળે દિવસે જંગલમાંથી સિંહ પરિવાર આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. વાડીમા સાવજોએ મારણ કર્યુ હોવાના સમાચાર ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અહી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. 
 
ગીરકાંઠાના ગામોમાં અવારનવાર વન્યપ્રાણીઓ આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. ડાભાળીની સીમમાં સિંહ પરિવાર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા.

બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા
Bhaskar News, Rajula | Nov 21, 2013, 04:57AM IST
- પાછલા ત્રણ ચાર દિવસથી સિંહોએ ધામા નાખતા ફફડાટ
-
વનવિભાગ દ્વારા સાવજોને પકડવા કવાયત હાથ ધરવામાં આવી

બાબરા પંથકમાં પાછલા ત્રણ ચાર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના આંટાફેરાથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. અહીના ચરખા, ઘુઘરાળા અને કણુર્‍કી ગામની સીમમાં સાવજો આંટા મારી રહ્યાં હોય ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાછલા ત્રણ ચાર દિવસથી બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજો
નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હજુ બે દિવસ પહેલા અહીના ચરખા ગામે રાત્રીના સાવજોએ એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. ત્યારબાદ ગઇકાલે વહેલી સવારે આ સાવજો ઘુઘરાળા ગામની સીમમાં પહોંચી ગયા હતા. અહી મોટી સંખ્યામાં ખેડુતો એકઠા થઇ જતા આ સાવજો અહીથી ભાગી છુટયા હતા. બાદમાં આ સાવજોએ કણુર્‍કી ગામની સીમમાં ધામા નાખ્યા હતા. અહી મનુભાઇ વાળાની વાડીએ બાંધેલ એક વાછરડીનુ આ સાવજોએ મારણ કર્યુ હતુ. બાદમાં આ સાવજો અહીથી અન્ય સ્થળે જતા રહ્યાં છે.

સાવજો બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા મારી રહ્યાં હોય રાત્રીના ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં કામ કરવા જતા ભય અનુભવી રહ્યાં છે. એકતરફ હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ખેડુતોને હાલાકી પડી રહી છે. વનવિભાગ દ્વારા પણ આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ફોરેસ્ટર પી.આર.મોરડીયાએ જણાવ્યુ હતુ કે ગામની સીમમાં સાવજોના સગડ મળી રહ્યાં છે. ત્યારે આ સાવજોને હાલ કયા વિસ્તારમાં પહોંચ્યા છે તેને શોધવા કામગીરી કરવામા આવી રહી છે. આ કામગીરીમાં અન્ય કર્મચારી ત્રિપાલસિંહ ગોહિ‌લ, આર.વી.ચાવડા, યુ.એમ.રાઠોડ સહિ‌ત જહેમત ઉઠાવી રહ્યાં છે.

સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ.


સાવજો પંચાળના પાદરમાં, ચરખાની સીમમાં વાછરડીનું મારણ
Bhaskar News, Amreli | Nov 20, 2013, 01:21AM IST
- નવા વિસ્તારોની શોધમાં નિકળેલા બે સાવજોના બાબરા પંથકમાં ધામા

ગીર જંગલ બહાર રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો નવા નવા વિસ્તારોમાં પગ પેસારો કરી રહ્યા છે ત્યારે ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં એક સાવજ દેખાયા બાદ મોડી રાત્રે અહિં ગામના પાદરમાં બે સાવજો દ્વારા એક વાછરડીનું મારણ કરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ છે. આ વિસ્તારમાં પ્રથમ વખત સાવજો દેખાયા છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા સાવજોના સગડ મેળવવા માટે દોડધામ શરૂ કરાઇ છે.


ગીર જંગલના સાવજો છેક હવે પંચાળ પ્રદેશના પાદર સુધી પહોંચ્યા છે. સાવજોની જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ તેના વસવાટ માટે નવા નવા પ્રદેશોની જરૂર પડી રહી છે. આ સાવજો પોતાની જાતે જ પોતાના નવા રહેણાંકો શોધી લે છે. હાલમાં કેટલાક સાવજો નવા પ્રદેશની શોધમાં લટાર મારવા નિકળી પડયા છે. આ સાવજો થોડાક સમય પહેલા વડીયા અને ગોંડલ પંથકમાં નઝરે પડયા હતાં. હાલમાં તેમનો બાબરા પંથકમાં પડાવ છે. ગઇકાલે બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં નઝરે પડયા હતાં.

દરમીયાન ગઇરાત્રે બે સાવજોએ ચરખાના પાદરમાં હાઇસ્કૂલની પાછળના ભાગે બે સાવજોએ એક વાછરડીનું મારણ કર્યુ હતું અને બાદમાં ભરપેટ ભોજન લીધુ હતું. સવારે આ વાછરડીના અવશેષો હાઇસ્કૂલની પાછળ પડયા હતાં. જાણ થતા આ વિસ્તારના ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હાલમાં ખેતીની સિઝન ચાલુ હોય અને સાવજો આ વિસ્તારમાં પ્રથમ વખત દેખાયા હોય ખેડૂતોમાં ચિંતા છે. બીજી બાજુ બનાવની જાણ થતા વન વિભાગના આર.વી. ચાવડા, પી.આર. મોરડીયા, ક્રિપાલસિંહ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અહિંથી બે સાવજોના પગના સગડ મળ્યા હતાં. આ વિસ્તારમાં કપાસનું વાવેતર વધારે હોય અને હાલમાં કપાસનો પાક ઉંચો હોય સાવજોની વન વિભાગને ભાળ મળી ન હતી.

દિપડાએ ફાડી ખાનાર મૃતક બાળકીના પરિવારજનોને સહાય.

Bhaskar News, Amreli | Nov 20, 2013, 01:12AM IST
-
ઘંટીયાણ ગામે બેસતા વર્ષના દિવસે જ દિપડાએ બાળકીને ફાડી ખાધી હતી

બગસરા નજીક આવેલા ઘંટીયાણ ગામે નુતન વર્ષના દિવસે જ વહેલી સવારે ખેતીકામ કરતા પરપ્રાંતિય પરિવારની તેર વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધાની ઘટના બની હતી. જે અંતર્ગત વનવિભાગ દ્વારા સહાય માટે ઝડપી કામગીરી કરી મૃતક બાળકીના પરિવારજનોને રૂ. દોઢ લાખની સહાયનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.

રેવન્યુ વિસ્તારમાં પણ હવે દિપડાઓની સંખ્યા વધી રહી હોય તેમ માણસ પરના હુમલાની ઘટનાઓ વધવા લાગી છે. બેસતા વર્ષના દિવસે બગસરા નજીક આવેલ ઘંટીયાણ ગામની સીમમાં દિપડાએ તેર વર્ષની બાળકીને ફાડી ખાધી હતી.અહી ધાર જિલ્લાના લીમખેડાના વતની અને પાછલા કેટલાક વર્ષોથી ઘંટીયાણમા રહી ખેતર ભાગીયુ વાવી ખેતીકામ કરી રહેલા જાલમસિંગ ગુલાબસિંગ અલાવા અને તેનો પરિવાર રાત્રે વાડીએ સુતા હતા ત્યારે આ ઘટના બની હતી.
જામલસિંગની તેર વર્ષની પુત્રી ભુરબાઇને દિપડાએ દુર સુધી ઢસડી જઇ ફાડી ખાધી હતી. બાદમાં પરિવારજનોને જાણ થતા તેઓ દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. બાદમાં વનવિભાગ દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને મળતી સહાય માટે ઝડપી કામગીરી કરી હતી. ડીએફઓ જે.કે.મકવાણા તેમજ આરએફઓ એમ.બી. માલવીયા દ્વારા મૃતક બાળકીના પરિવારજનોને સહાયનો રૂ. દોઢ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

બોણીના દૂષણને અટકાવવા ગીર બોર્ડર પર ડીએફઓએ લગાવ્યા બોર્ડ.

Bhaskar News, Amreli | Nov 17, 2013, 23:43PM IST
- જંગલમા પ્રવેશ વિનામુલ્યે હોવાની પ્રવાસીઓને આપી સુચના

દિપાવલીના વેકેશનમા પ્રવાસીઓનું વિશેષ આકર્ષણ ગીરનુ જંગલ રહ્યું હતુ. સિંહની એક ઝલક જોવા મળી જાય તેવી આશા સાથે મોટાભાગના પ્રવાસીઓએ ગીર જંગલમાંથી પસાર થતા રસ્તાની પસંદગી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લાના ગીરપુર્વ જંગલમાંથી પસાર થતા પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અને ખાસ કરીને દિપાવલીમા બોણીના દુષણને ડામવા અહીની ચેકપોસ્ટ પર ડીએફઓ દ્વારા જંગલમાં પ્રવેશ વિનામુલ્યે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ લગાવવામા આવ્યા હતા.

દિપાવલીના પર્વે રજાઓ માણવા માટે પ્રવાસીઓએ ફરવા માટે જંગલ વિસ્તાર પર જ પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત દિવ અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓએ પણ જંગલમાંથી પસાર થતા રસ્તામાથી જ પસાર થવાનુ પસંદ કર્યુ હતુ. જંગલમાંથી પસાર થતી વખતે સિંહની એક ઝલક જોવા મળી જાય તે માટે આ રસ્તાની પસંદગી કરી હતી. ગીરપુર્વના સેમરડી, જસાધાર અને ટીંબરવા ચેકપોસ્ટ પરથી દિપાવલીથી અત્યાર સુધી લાખો પ્રવાસીઓ પસાર થયા હતા.

અહી દિપાવલીથી અત્યાર સુધીમાં ૧પ હજાર જેટલા વાહનો પણ પસાર થયા હતા. અહીથી પસાર થતા પ્રવાસીઓને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા પણ પુરતા પ્રયાસો કરવામા આવ્યા હતા. અહીની ચેકપોસ્ટ પર વાહનનો પાસ આપવા માટે વધુ કર્મચારીઓ પણ ગોઠવી દેવામા આવ્યા હતા.

આ ઉપરાંત ધારી વનવિભાગના ડીએફઓ અંશુમન શર્મા દ્વારા અહીની ચેકપોસ્ટ પર જંગલમાં વિના મુલ્યે પ્રવેશ મળે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ પણ લગાવી દીધા હતા. દિપાવલીના તહેવાર પણ બોણીનુ દુષણ વધુ જોવા મળે છે ત્યારે વનવિભાગનો સ્ટાફ આ દુષણથી દુર રહે તેવા આશયથી ડીએફઓ શર્મા દ્વારા આ અનુકરણીય કામગીરી કરવામા આવી હતી.

વડીયા પંથકમાં સાવજોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ.


વડીયા પંથકમાં સાવજોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ
Bhaskar News, Vadia | Nov 15, 2013, 00:05AM IST
-
થોડા દિવસ પહેલા ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કર્યુ હતુ
- સાવજો હજુ પણ આ વિસ્તારમા હોવાની અફવાથી ખેડૂતોમાં ભયનો માહોલ
-
ભય : ગીર જંગલમાંથી સિંહોનાં વાડી વિસ્તારમાં આંટાફેરા

ગીર જંગલમાં વસતા સાવજો હવે જાણે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે થોડા દિવસ પહેલા વડીયાના ખડખડની સીમમાં ત્રણ સાવજોએ પશુઓનુ મારણ કરવાની ઘટના બની હતી. હજુ પણ સાવજો હોવાની અફવાઓ ફેલાતા આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે.

લીલીયા, સાવરકુંડલા, ચાંદગઢ સહિ‌તના વિસ્તારોમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારના લોકો તો જાણે સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. અહીના સાવજો અન્ય વિસ્તારોમાં પણ સ્થળાંતર કરે છે. આ સાવજો થોડા દિવસો પહેલા છેક વડીયા પંથકમાં પહોંચી ગયા હતા. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના મારણની ઘટના બની હતી. આ વિસ્તારમાં સાવજોએ પ્રથમ વખત દેખાદીધા હોય લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ સાવજોએ પશુઓનુ મારણ કરી બાદમા અહીથી જતા રહ્યાં હતા. પરંતુ આ વિસ્તારમાં હજુ પણ સાવજો વાડી ખેતરોમાં આંટાફેરા મારતા હોવાની દરરોજ અફવા ફેલાઇ રહી છે. જેના કારણે આ વિસ્તારના ખેડુતો વાડી ખેતરોએ જતા પણ ભય અનુભવી રહ્યાં છે. અહી વાડીઓમા મજુરો પણ રાત ઉજાગરા કરી રહ્યાં છે. આ પંથકના ખેડુતો સાવજોની હાજરીથી ટેવાયેલા ન હોય ફફડાટ ફેલાઇ રહ્યો છે.

ફતેગઢની સીમમા સાવજોએ કર્યું બળદ અને ગાયનું મારણ.

ફતેગઢની સીમમા સાવજોએ કર્યું બળદ અને ગાયનું મારણ
Bhaskar News, Amreli | Nov 14, 2013, 00:06AM IST
-લોકોના ટોળેટોળા સિંહ દર્શન માટે ઉમટયા

ધારી તાલુકો ગીરકાંઠાનો તાલુકો છે. જેને પરિણામે અહી રેવન્યુ વિસ્તારમા તો સાવજોનો વસવાટ છે જ સાથેસાથે ગીર જંગલમા વસતા સાવજો પણ અવારનવાર શિકારની શોધમા ગીર બહાર રેવન્યુ વિસ્તારમા આવી ચડે છે. ગઇકાલે ધારી તાલુકાના ફતેગઢ ગામની સીમમા ચાર સાવજો દ્વારા એક બળદ તથા એક ગાયનુ મારણ કરવામા આવ્યુ હતુ.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા સાવજો દ્વારા જયારે પણ પશુઓનુ મારણ કરવામા આવે છે ત્યારે આ વાત વાયુવેગે આસપાસના વિસ્તારમા ફરી વળે છે.

ફતેગઢની સીમમા ગઇકાલે ચાર પાઠડા સાવજ આવી ચડયા હતા. અને એક બળદ તથા એક ગાયનુ મારણ કર્યુ હતુ. આ વાત વાયુવેગે ફેલાતા સિંહ દર્શન માટે અહી લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જો કે મોડે સુધી અહી વનવિભાગનો સ્ટાફ પહોંચ્યો ન હતો. સાવજો દ્વારા રેઢીયાર ગાયનુ મારણ કરાયુ હતુ જો કે બળદ કોની માલિકીનો હતો તે અંગે વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ ન હોય સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. ગીરકાંઠાના ગામોમા સાવજો દ્વારા આ પ્રકારે મારણની ઘટનાઓ સતત બનતી જ રહે છે. અને આ જ રીતે સિંહ દર્શન માટે લોકોના ટોળેટોળા પણ જામતા રહે છે. 

બાંટવા જંગલ વિસ્તારમાંથી બાવળનું કટીંગ કરતા બે ઝબ્બે.


બાંટવા જંગલ વિસ્તારમાંથી બાવળનું કટીંગ કરતા બે ઝબ્બે
Bhaskar News, Bantva | Nov 28, 2013, 01:50AM IST
- વનવિભાગે રફાળા વિડી વિસ્તારમાંથી ઝડપી લીધા

બાંટવાનાં જંગલ વિસ્તારમાંથી વન વિભાગે રાણાવાવનાં બે શખ્સોને લાકડાનું કટીંગ કરતા ઝડપી લઇ ૧પ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા. ૨૭નાં વહેલી સવારે ૩ વાગ્યાનાં અરસામાં વન વિભાગનાં ગાર્ડ વી. કે. શામળાને બાતમી મળી હતી કે, રફાળા બીન અનામત વીડીમાંથી કોઇ ગાંડાબાવળનાં વૃક્ષોનું કટીંગ કરી રહ્યું છે. જેથી ગાર્ડે માણાવદર રાઉન્ડ ફોરેસ્ટ કે. એન. ચાવડાને જાણ કરી હતી. જેને પગલે આરએફઓ વંશ સહિ‌તનો સ્ટાફ રાત્રિનાં રફાળા વીડી વિસ્તારમાં રેઇડ પાડતાં જયેશ વેલજી (ઉ. ૨૭, રે. રાણાવાવ), તથા દેવા ભીખા (ઉ.૨પ, રે. રાણાવાવ)ને ઝડપી લઇ તેમની પાસેથી ૩૦ થી ૪૦ મણ જેટલા ગાંડાબાવળનાં કટીંગ કરાયેલા લાકડા કબ્જે કરી ભારતીય વન અધિનિયમ એકટ અંતર્ગત ૧પ હજારનો દંડ ફટકારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના આ ગામની મુલાકાત લઈ લો, વિદેશ જવાની જરૂર નથી.

ગુજરાતના આ ગામની મુલાકાત લઈ લો, વિદેશ જવાની જરૂર નથી
ડિસ્કવરી કે એનિમલ પ્લેનેટ્સ પર ઘાસિયા મેદાનોમાં કે આફ્રિકાના સફારી પાર્કમાં જોવા મળતા દ્રશ્યો રોમાંચક હોય છે. વેલ, આ તસ્વીરો તો છે ભાવનગરથી નજીક આવેલા દેશના પ્રખ્યાત બ્લેક બક નેશનલ પાર્કની. કાળિયારોનો સંવનકાળ પૂર્ણ થતાં જ દિવાળી બાદ ઉદ્યાન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવતા દૂર-દૂરથી આવતા પ્રવાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે. 
 
દેશના એકમાત્ર ઘાસિયા મેદાનોને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો પ્રાપ્ત થયો હોય અહીંના દ્રશ્યો નિહાળીને પ્રવાસીઓ આફ્રિકન સફારીની જેમ ઝુમી ઉઠે છે. વિશ્વમાં સૌથી ઝડપી મમલ્સ એવા કાળિયારોની વધુ સંખ્યા તેમજ ૧૪૦થી વધુ પ્રકારના પક્ષીઓની જાતિ અહીં જોવા મળે છે તે મુખ્ય આકર્ષણ છે. વિદેશી પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરોને તો અહીં સ્વર્ગ જેવો આહલાદ્દક અનુભવ થાય છે. શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં સરકારી ખર્ચે નિવાસી શિબિરો પણ ગોઠવાઈ છે

http://www.divyabhaskar.co.in/article/GUJ-GNG-balckbug-bhavnagar-national-park-4445542-PHO.html?OF23=

Tuesday, November 26, 2013

જંગલની સફાઇ પરિક્રમા : એક હજાર કીલો પ્લાસ્ટીકનો કર્યો નાશ.

જંગલની સફાઇ પરિક્રમા : એક હજાર કીલો પ્લાસ્ટીકનો કર્યો નાશ
Bhaskar News, Junagadh | Nov 25, 2013, 01:27AM IST
- વન વિભાગ, રાજકોટની સ્કુલનાં છાત્રો અને સર્વોદય નેચર કલબે સફાઇ અભિયાન શરૂ કર્યુ

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ જંગલને ફરી સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત કરવા સફાઇ પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમા પ્રથમ દિવસે વન વિભાગ, રાજકોટની સ્કુલનાં છાત્રો અને સર્વોદય નેચર કલબ દ્વારા સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમા એક હજાર કીલો પ્લાસ્ટીક એકઠુ કરી તેનો નાશ કર્યો છે.

જંગલ મધ્યે ૩૬ કીમીનાં રૂટ પર ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. જેમા નવ લાખ ભાવીકો ઉમટી પડયા હતા. તેમજ ૧૦૦ થી વધુ અન્નક્ષેત્રો શરૂ થયા હતા. તેમજ યાત્રાળુઓ જંગલમાં પ્લાસ્ટીક ન ફેકે તે માટે વન વિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યુ હતુ . છતા પણ લોકોએ જંગલમાં ઠેર - ઠેર પ્લાસ્ટીક ર્વેયુ હતુ. પ્લાસ્ટીકનાં કારણે વન્યપ્રાણી અને જંગલને નુકશાની થતી હોય ડીએફઓ આરાધના શાહુ, એસીએફ ગાંધી , આરએફઓ મારૂ, કનેરીયા સહિ‌તની વન વિભાગની ટીમે પ્લાસ્ટીક દુર કરવાની શરૂ આત કરી છે. જેમા વન વિભાગ ઉપરાંત સામાજીક સંસ્થાઓ, સ્કુલ વગેરે જોડાશે. આજે બોરદેવી ગેઇટ થી ખોડીયાર ઘોડી સુધી સફાઇ કરવામાં આવી હતી. જેમા વન વિભાગ , રાજકોટ પાલવ સ્કુલનાં ઘોરણ ૧૦નાં પ૦ છાત્રો, જૂનાગઢ સર્વોદય નેચર કલબનાં અમૃત દેસાઇ સહિ‌તનાં લોકોએ સફાઇ શરૂ કરી હતી. આજે ત્રણ કીમીનાં રૂટની સફાઇ થઇ હતી. જેમાથી હજાર કીલો પ્લાસ્ટીક મળી આવ્યુ હતુ. જેનો નાશ કરવામાં આવ્યો હતો. સફાઇ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહશે.

આજે આહીર કન્યા છાત્રાલય દ્વારા સફાઇ
પરિક્રમા રૂટની સફાઇમાં શાળા કોલેજનાં છાત્રોને પણ જોડવામાં આવનાર છે. ત્યારે આવતી કાલે કાંબલીયા આહીર કન્યા છાત્રાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ કરવામાં આવનાર છે.

સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત.


સાસણ પાસે કાર ખાડામાં ખાબકતા રાજકોટની યુવતીનું મોત
Bhaskar News, Junagadh | Nov 24, 2013, 03:23AM IST- ગીરમાં સિંહ દર્શન કરવા આંકોલવાડી આવેલા ટુરીસ્ટો સાથે અકસ્માત સર્જા‍યો
- ત્રણ યુવતીઓ અને બે યુવકો ઘાયલ


ગીરમાં સિંહદર્શન કરવા સાથે મોજ મસ્તીનો પોગ્રામ બનાવી આંકોલવાડી નજીક આવેલા ફાર્મ હાઉસમાં રોકાઇ રાજકોટ પરત જવા બે ગાડીમાં નીકળેલા ૧૪ યુવક-યુવતીઓનાં ગૃપની એક આઇ-ઝેડઓ કાર ફુલ સ્પીડમાં તાલાલા - સાસણ રોડ પર સાંગોદ્રા ફાટક પાસે કાર ટર્ન ન કાપી શકતા પુરઝડપે ખાડામાં ખાબકતા ચાર યુવતીઓ અને બે યુવકોમાંથી એક યુવતીનું ઘટના સ્થળે મોત થયેલ. ઘવાયેલા યુવતીઓને ૧૦૮માં તાલાલા સારવારમાં લાવવામાં આવેલ. જયારે કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં સારવાર માટે જૂનાગઢ ખાનગી દવાખાનામાં દાખલ થયા હોવાનું જાણવા મળે છે. જોકે ખાનગી વાહનમાં ચાલ્યા જતા કયાં પ્રકારનાં સંબંધો ધરાવતુ ગૃપ સાથે ફરવા નિકળ્યું હતું. તેની તાલાલા હોસ્પિટલે ઉપસ્થિત લોકોમાં ભારે ચર્ચા થતી હતી.
અકસ્માતની જાણ થતા તાલાલાથી ૧૦૮નાં પાયલોટ રાજેન્દ્ર પટેલ, ડો. ભરતભાઇ વાઢેર ઘટના સ્થળે દોડી ગયેલ અને ૧૦૮માં ગંભીર ઇજા પામેલ રાજકોટની યુવતી ધ્રુવી બી.ટાંક (ઉ.વ.૨૧), હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને તાલાલા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ. કારમાં રહેલા બે યુવકોને ઇજા થઇ હોય છતાં તાલાલા હોસ્પિટલે સારવારમાં આવવાનાં બદલે ખાનગી વાહનમાં બંને યુવકો જૂનાગઢ તરફ નીકળી ગયેલ. ગંભીર ઇજા પામેલ ધ્રુવી ટાંકને હોસ્પિટલમાં ફરજ ઉપરનાં ડો.કોડીયાતર, નર્સ મનીષાબેન, બાનુબેન અને ભરતભાઇ વાણીયાએ તાકીદે સારવાર આપી હતી. હિ‌રવા દેવશીભાઇ નંદાણીયા અને કૃશાલી દેવદાનભાઇ હુંબલને સામાન્ય ઇજા થઇ હતી. બનાવની જાણ થતાં તાલાલા પાલિકાનાં ઉપપ્રમુખ અમીત ઉનડકટ, સેવાભાવી સંસ્થા શિવસેના ગૃપનાં યુવકો મદદ માટે હોસ્પિટલે દોડી ગયા હતાં.

કારમાં રહેલા યુવકોનાં યુવતીઓ નામ નહોતી આપતી
અકસ્માત બાદ ૧૦૮માં તાલાલા હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવેલ યુવતીઓમાં હિ‌રવા નંદાણીયા અને કૃશાલી હુંબલે તબીબ અને હે.કો. કિશોરભાઇ ચાવડાને કારમાં સાથે રહેલા બે યુવકો કોણ હતા તેના નામ કે વિગતો પુરી ન પાડતા અનેક ચર્ચાઓ થવા લાગી હતી કે કયા પ્રકારના સંબંધો ધરાવતા યુવક - યુવતીઓનું ગૃપ ફરવા આવેલ.

માહી ફાર્મમાં અગાઉ રાજકોટનો યુવાન ડુબ્યો હતો
આંકોલવાડી નજીક આવેલ માહી ફાર્મમાં મોટાભાગે રાજકોટનાં લોકો આવતા હોય થોડા સમય પહેલા રાજકોટથી ફરવા આવેલ ગૃપમાંથી એક યુવક અહિંયાનાં સ્વીમીંગ પુલમાં ડુબી જતા મોત થયું હતું. આ ફાર્મ હાઉસ સામાન્ય રીતે લોકોને ભાડે અપાતુ નથી. પરંતુ ફાર્મમાં સંબંધીત પરિચીત લોકો વધુ આવતા હોવાનું જાણવા મળે છે.

બીજી કાર અકસ્માત બાદ કયાં ગઇ
રાજકોટનાં ૧૪ લોકોનું ગૃપ મોટાભાગે બધા યુવક -યુવતીઓ હોય એક કારને અકસ્માત નડયો ત્યારે બીજી કારમાં બેસેલા લોકો કોણ હતા અને કાર કયાં ગઇ ? તે ચર્ચા તાલાલા હોસ્પિટલે ચર્ચાતી હતી.

આંકોલવાડી(ગીર) નજીક રાજકોટનાં એક વ્યકિતનું વાડલા - બામણાસા ગામ વચ્ચે આવેલ અને માહી ફાર્મમાં રાજકોટથી ૧૪ યુવક-યુવતીઓનું ગૃપ સિંહ દર્શન કરવા અને મોજ મજા કરવા આવેલ આજે સાંજે રાજકોટ પરત બે ગાડીમાં જતા હતા ત્યારે સાંગોદ્રા ફાટક પાસે આઇ-ઝેડઓ કાર નં.જીજે-૩-ઇઆર-૬૦૬૨ ફુલ સ્પીડમાં હોય ચાલક ટર્ન ન કાપી શકતા કાર પુરઝડપે રોડ ઉપરથી ફાટક પાસેનાં ખાડામાં ખાબકતા કારમાં સવાર શ્વેતાબેન પુરોહીત (ઉ.વ.૨૨)નું ઘટના સ્થળે મોત થયેલ.