Saturday, December 31, 2016

બવાડીયાની સીમમાં બીમાર સિંહ-સિંહણને સારવાર અપાઇ

DivyaBhaskar News Network | Dec 07, 2016, 02:35 AM IST
સ્થળ પર સારવાર આપી મુકત કર્યા

અમરેલીરેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ બીટમા એક સિંહણ અને સિંહ બિમાર હોવાનુ વનવિભાગને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંનેને સારવાર આપી સ્થળ પર મુકત કરી દીધા હતા. બિમાર સિંહ અને સિંહણને સારવાર આપ્યાની ઘટના અમરેલી રેંજના બવાડીયા ગામે રેવન્યુ વિસ્તારમા ક્રાંકચ બીટમા બની હતી. સિંહણ અને સિંહ બિમાર હાલતમા આંટાફેરા મારતા હોય અંગે વનવિભાગને જાણ થતા આરએફઓ વિઠ્ઠલાણી તેમજ સ્ટાફના મેરાભાઇ, પિયુષભાઇ, એન.પી.સોલંકી, ડો.વામજા વિગેરે અહી દોડી ગયા હતા. સિંહ અને સિંહણને બેભાન કરી સ્થળ પર સારવાર આપવામા આવી હતી. બંનેને ગુમડા થયા હોવાનુ વનવિભાગે જણાવ્યું હતુ. બાદમાં બંનેને સ્થળ પર મુકત કરી દેવામા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ તેમજ રેવન્યુ વિસ્તારમાં અનેક વખત સિંહ, સિંહણ બિમાર પડવાની ઘટનાઓ બનતી રહે છે.

ગુજરાતના સિંહોનું નવું રહેઠાણઃ આંબરડીના વિસ્તારમાં જીવન માફક આવી ગયું

Bhaskar News, Amreli | Dec 12, 2016, 02:08 AM IST

અમરેલીઃ ધારી તાલુકાના આંબરડી ગામ નજીક આવેલ જંગલ વિસ્તારમા આઠ માસ પહેલા સાવજોની એક ટોળીએ હાહાકાર મચાવ્યો હતો. ટુંકાગાળામા એક પછી એક ત્રણ લોકોને ફાડી ખાધા બાદ લાંબા સમય સુધી 16 સાવજોને આંબરડી પાર્કમા કેદ કરી લેવામા આવ્યા હતા પરંતુ એકાદ માસ પહેલા તેને હડાળા જંગલમા મધ્યગીરમા મુકત કરવાનો નિર્ણય લેવાયો હતો. 

સામાન્ય રીતે નવા વિસ્તારમા સાવજો જલદીથી સેટ થઇ શકતા નથી પરંતુ આશ્ચર્ય રીતે સાવજની આ ટોળીને હડાળાનુ જંગલ માફક આવી ગયુ છે અને અહી સેટ થઇ ગયા છે.હડાળાનુ મધ્યગીરમા આવેલુ આ જંગલ આમપણ અન્ય સાવજોનુ નિવાસ સ્થાન છે. ત્યારે અહી નવા સાવજોના આગમનથી તેમના વચ્ચે ઘર્ષણની પણ શકયતા જોવાતી હતી. હડાળાના જેનગર જંગલમા આંબરડી પાર્કથી લવાયેલા આ પંદર સાવજો અહીના વાતાવરણ સાથે અનુકુલન સાધી શકશે કે નહી.? તે પ્રશ્ન વનવિભાગના અધિકારીઓને પણ સતાવી રહ્યો હતો. 

અને તેના કારણે જ અહી છોડાયેલા સાવજો પર દેખરેખ પણ રખાઇ રહી હતી. આ સાવજો આંબરડી પાર્ક વિસ્તારમા રેવન્યુ પંથકમા રહેવા ટેવાયેલા હતા. આ ઉપરાંત જંગલની ઝાડીઓ પણ તેનુ ઘર હતુ. તેના કારણે જ કદાચ તેમને આ નવો વિસ્તાર માફક આવી ગયો છે. વળી સૌથી મહત્વની વાત એ છે કે નવા વિસ્તારમા તેમને અન્ય સાવજો સાથે ઘર્ષણની કોઇ ઘટના બની રહી નથી. એકાદ માસથી નવા વિસ્તારમા આ સાવજો ફરી રહ્યાં છે.
ત્રણ લોકોનો કર્યો હતો શિકાર

આંબરડી વિસ્તારમાથી અહી લવાયેલા પંદર સાવજો પર વનવિભાગે અગાઉ પણ ઘણી દેખરેખ રાખવી પડી હતી કારણ કે આ સાવજ ગૃપે અગાઉ આંબરડી વિસ્તારમા ત્રણ લોકોનો શિકાર કર્યો હતો. જો કે આદમખોર ગણાતી મુખ્ય સિંહણને હજુ પણ કેદ રખાઇ છે. 

વનવિભાગ રાખી રહ્યું દેખરેખ

અહી મુકત કરાયેલા સાવજો પર બાજ નજર રાખવી જરૂરી છે. હડાળા જંગલમા સાવજોને મુકત કરાયા ત્યારથી વનવિભાગ અહી તેમના પર સતત દેખરેખ રાખી રહ્યું છે. આજદિન સુધી નવા ઘરમા સાવજોને કોઇ તકલીફ પડી નથી કે તેમના પર ખતરો ઉભો થયો નથી.

સાવજોને માફક આવી રહ્યો છે ગુજરાતનો આ દરિયાકાંઠો, જંગલ છોડી પહોંચ્યા સાગરકાંઠે

Jaidev Varu, Amreli | Dec 14, 2016, 19:35 PM IST
સાવજોને માફક આવી રહ્યો છે ગુજરાતનો આ દરિયાકાંઠો, જંગલ છોડી પહોંચ્યા સાગરકાંઠે,  amreli news in gujarati
અમરેલી,રાજુલાઃ કુદકેને ભુસકે વધી રહેલા સાવજોની એ મજબુરી છે કે ગમે તેવા સંજોગોમા પણ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની ક્ષમતા એ તો ભગવાન જ જાણે પરંતુ હકિકત એ છે કે ગીરના અડાબીડ જંગલમા વસતા ડાલામથ્થાઓએ જંગલ છોડી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વાડી ખેતરો અને સતત ધમધમતા રસ્તાઓ વચ્ચે પણ નવુ ઘર શોધી લીધુ. 

હવે આ જ સાવજો દરિયાકાંઠાને પણ અપનાવી રહ્યાં છે. જેમ જેમ સાવજોની વસતી વધી રહી છે તેમ તેમ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા આ સાવજો નવા નવા પ્રદેશ સર કરી રહ્યાં છે. કોઇ તેમને રોકવાવાળુ નથી. અને રોકવાની જરૂર પણ નથી. કારણ કે સામાન્ય સંજોગોમા આ સાવજો માણસ માટે કોઇ ખતરો પણ નથી. બલકે જંગલી પશુઓથી પાકને બચાવવા મથતા ખેડૂતો માટે સાવજો ઉપયોગી છે

સવાલ એ છે કે સાવજો કઇ દિશામા આગળ વધતા રહેશે. જેવી રીતે ક્રાંકચ અને આસપાસના વિસ્તારમા આગળ વધી રહ્યાં છે તેવી જ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પણ આ સાવજોએ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી દીધો છે. દરિયાકાંઠાના ગામોમા વસવાટ કરી લીધો છે. થોડા સમય પહેલા તો એક સાવજે જાફરાબાદના દરિયામા પણ ઝંપલાવી દીધુ હતુ. સાવજો સમુદ્રના પાણીમા પણ થોડો સમય તરી શકે છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમા સાવજોના જુદાજુદા ગૃપ છે અને વારંવાર લોકેશન બદલતા રહે છે.

વનવિભાગ પાસે અપુરતો સ્ટાફ 

ગીરકાંઠા ઉપરાંત રેવન્યુ વિસ્તાર અને છેક દરિયાકાંઠા વિસ્તારમા સાવજોના પરિભ્રમણ પર દેખરેખ રાખવા માટે પુરતો સ્ટાફ નથી. સાવજો વારંવાર લોકેશન બદલતા રહે છે. ઉદ્યોગોના કારણે વાહન વ્યવહાર વધુ છે. રોડ અને રેલ અકસ્માતમા સાવજો મરી રહ્યાં છે પરંતુ સ્ટાફના અભાવે વનતંત્ર દેખરેખ માટે લાચાર છે.

દરિયાકાંઠે કયાં છે સાવજોની વસતી 
પીપાવાવ ઉપરાંત નાગેશ્રી, લુણસાપુર, બાલાની વાવ, ભટ્ટવદર, વડ, ભેરાઇ, ઉચૈયા, વાવેરા, આગરીયા, ઇકોમ્પ્લેક્ષ વિસ્તાર, ફોરવે, બાબરકોટ, કાતર, કંથારીયા, બારપટોળી, ભંડારીયા રોડ વિગેરે વિસ્તારમા સાવજો પરિભ્રમણ કરે છે અને મારણ પણ કરતા રહે છે.

સુત્રાપાડ પંથકમાં વાણિયાવાવની સીમમાંથી દીપડો પૂરાયો,લોકોમાં ભયનો માહોલ

Bhaskar News, Amreli | Dec 16, 2016, 02:29 AM IST
    સુત્રાપાડ પંથકમાં વાણિયાવાવની સીમમાંથી દીપડો પૂરાયો,લોકોમાં ભયનો માહોલ,  amreli news in gujarati
સુત્રાપાડાઃસુત્રાપાડામાં વાણીયાવાવ સીમ વિસ્તારમાં દીપડો આટાંફેરા કરતો હોય અને સીમ શાળાની બાજુમાં હરતો ફરતો જોવા મળતો હોય અને રોજ કુતરા તેમજ અન્ય પ્રાણીઓનો શિકાર કરતો હોય જેને લીધે આજુબાજુ વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયેલ. જેથી સુત્રાપાડા ફોરેસ્ટર વિભાગને અરજી મળતા સાથે ફોરેસ્ટર વિભાગ દ્વારા ગત રાત્રીનાં દીપડાને પાંજરે પુરવા પાંજરૂ મુકેલ જેમાં રાત્રીનાં સમયે દીપડો ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ ખુમાણભાઇ અને ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ હેલ્થકેર સેન્ટર ખાતે મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
દિપડાને સાસણ એનિમલ કેર ખાતે ખસેડાયો
રાત્રીનાં સમયે દીપડો ખોરાકની શોધમાં આવેલ ત્યારે પાંજરે પુરાઇ જતા ઇન્ચાર્જ આરએફઓ ખુમાણભાઇ અને ગાર્ડ વિરાભાઇ દ્વારા દીપડાને પાંજરે પુરી સાસણ એનિમલ હેલ્થકેર સેન્ટર ખાતે મોકલી આપેલ હતો. દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નાના લીલીયા ગામની સીમમાં ચાર સાવજોએ રાતે કર્યું પાડરૂનું મારણ

Bhaskar News, Lathi | Dec 22, 2016, 02:44 AM IST

    નાના લીલીયા ગામની સીમમાં ચાર સાવજોએ રાતે કર્યું પાડરૂનું મારણ,  amreli news in gujarati
લાઠી: લીલીયા તાલુકાના નાના લીલીયા ગામની સીમમા આજે ચાર સાવજના ટોળાએ એક માલધારીના પાડરૂનુ મારણ કરતા માલધારીઓમા ફફડાટ વ્યાપી ગયો છે. લાઠીના દેવળીયા, જરખીયા વિગેરે વિસ્તારમા સાવજોના આંટાફેરા વધી ગયા છે. 

દેવળીયા, જરખીયાની સીમમાં પણ સાવજોના આંટાફેરા

લીલીયા તાલુકાના ક્રાંકચ પંથકમા તો સાવજોની મોટી વસતી છે. પરંતુ હવે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ સાવજોના આંટાફેરા વધ્યા છે. થોડા દિવસ પહેલા લાઠી તાલુકાના દેવળીયા, જરખીયાની સીમમા સાવજોએ ચક્કર માર્યાના સગડ મળ્યાં હતા જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમા ફફડાટ ફેલાયો છે. રાત્રીના સમયે ખેડૂતોને સીમમા કામ કરવુ પડી રહ્યું છે અને રાત્રીના સમયે આ વિસ્તારના સાવજોના આંટાફેરા પણ રહે છે. આજે લીલીયા તાલુકાના નાના લીલીયા અને વાઘણીયા ગામની સીમમા ચાર સાવજના ટોળા દ્વારા એક પાડરૂનુ મારણ કરવામા આવ્યું હતુ. નાના લીલીયાના આદિલહુશેન અહેમદહુશેનની માલિકીનુ આ પાડરૂ સીમમા ચરી રહ્યું હતુ ત્યારે સાવજોએ તેને મારી નાખ્યુ હતુ. બનાવથી સીમમા કામ કરતા લોકોમા ફફડાટ છે.

રાજુલાઃ રમત-રમતમાં સિંહ બાળ પડ્યું કુવામાં, 1 કલાકની જહેમતે બહાર કઢાયુ

Jaydev Varu, Rajula | Dec 23, 2016, 22:45 PM IST

રાજુલાઃ રમત-રમતમાં સિંહ બાળ પડ્યું કુવામાં, 1 કલાકની જહેમતે બહાર કઢાયુ,  amreli news in gujarati
  • નાગેશ્રી ગામે 3 માસનું સિંહ બાળ કુવામાં ખાબક્યું
રાજુલા:જાફરબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં સિંહોનુ પ્રમાણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે. ત્યારે નાગેશ્રી ગામ નજીક હમીરભાઈ પરમારની વાડીમાં બપોરે 3 માસનું સિંહ બાળ કુવામાં ખાબકતા ગામના પૂર્વ સરપંચ અજયભાઈ વરૂ અને પ્રકૃતિ પ્રેમી વિજયભાઈ વરૂ, સતુભાઈ વરૂ અહીં દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગ સ્ટાફ રાજ્યગુરૂ, સારલા સહીત રેસ્ક્યુ ટિમ નાગેશ્રી ગામ પોહચી અંદાજીત 1 કલાક જેટલા સમયમાં રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળને બચાવી લેવામાં આવ્યું હતુ.

સિંહ બાળને બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું

સિંહ બાળને બાબરકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું કેમ કે પાણી હોવાને કારણે સિંહ બાળને ઠંડી લાગી ગઈ હોવાને કારણે તાત્કાલિક બાબરકોટ નર્સરી ખાતે ખસેડયું હતું પરંતુ ગામના આગેવાનો અને પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગની કામગીરી બિરદાવી હતી બીજી તરફ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો અને સિંહ બાળનો વસવાટ છે અગાવ પણ અનેક વખત વન્ય પ્રાણી કુવામાં ખાબક્યા હતા.

અમરેલી: ધારીમાં ઘૂસ્યા પાંચ સિંહો, 4 ગાયોનું મારણ કરી મિજબાની માણી

અમરેલી: ધારીમાં ઘૂસ્યા પાંચ સિંહો, 4 ગાયોનું મારણ કરી મિજબાની માણી,  amreli news in gujarati Jaidev Varu, Amreli | Dec 27, 2016, 01:36 AM IST

  • ગાયનું મારણ કરવામાં આવ્યું
ધારી: ધારીમા વેકરીયાપરામા નર્મદેશ્વર મંદિર નજીક ગતરાત્રીના શિકારની શોધમા ચાર સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી ત્રણ વાછરડાઓનુ મારણ કર્યુ હતુ જયારે એક ગાયને ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો.

સાવજો દ્વારા ત્રણ પશુઓના મારણની આ ઘટના ધારીમા બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીના વેકરીયાપરામા ખીચા રોડ પર નર્મદેશ્વર મહાદેવ મંદિર નજીક ગતરાત્રીના ચાર સાવજો આવી ચડયા હતા.

અહી સાવજોએ ત્રણ રેઢીયાર વાછરડાઓનુ મારણ કર્યુ હતુ. આ ઉપરાંત એક માલિકીની ગાયને ઇજા પહોંચાડી હતી. બનાવની જાણ થતા વનવિભાગના વેટરનરી ડો.વામજા, ચાંદુભાઇ સહિતનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને ગાયને સારવાર આપી હતી. આ ઉપરાંત વનવિભાગે તપાસ હાથ ધરતા અહી બે સાવજોના સગડ મળ્યા હતા. સાવજો છેક પાદર સુધી આવી ચડતા ગ્રામજનોમા ફફડાટ ફેલાયો હતો.

રાયડીમા બે પશુઓનુ મારણ
ખાંભા તાબાના રાયડી ગામની સીમમા ગતરાત્રીના ત્રણ સાવજો આવી ચડયા હતા. અહી પણ સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. બાદમા સાવજોએ જંગલ તરફ વાટ પકડી હતી. સાવજો છેક ગામની સીમમા આવી ચડતા લોકોમા ભય ફેલાયો હતો.

રાજુલાના યુવાને 100 ફૂટના ઉંડા કૂવામાં કૂદી સાપને સહી સલામત બહાર કાઢ્યો

Bhaskar News, Amreli | Dec 29, 2016, 01:51 AM IST

    રાજુલાના યુવાને 100 ફૂટના ઉંડા કૂવામાં કૂદી સાપને સહી સલામત બહાર કાઢ્યો,  amreli news in gujarati
અમરેલી:રાજુલા તાલુકાના કાતર ગામે એક ખેડૂતની વાડીમાં ત્રણ દિવસથી રેડસ્નેક પડી ગયો હોય સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખે જીવની પરવા કર્યા વગર 100 ફુટ ઉંડા કુવામાં ઝંપલાવી આ બિનઝેરી સાપને સહી સલામત બહાર કાઢી મુક્ત કરી દીધો હતો. રાજુલામાં સર્પ સંરક્ષણ મંડળ દ્વારા સરીસૃપો તથા વન્ય જીવોની રક્ષા માટે પાછલા ઘણા સમયથી કામ કરવામાં આવી રહ્યુ છે.

રાજુલાના કાતર ગામે બારપટોળી રોડ પર આવેલ ગભરૂભાઇ શીયાળના કુવામાં છેલ્લા ત્રણ દિવસથી એક સાપ પડી ગયો હતો. 100 ફુટ ઉંડા આ કુવામાં બિનઝેરી રેડ સ્નેક પડયો હોય જીવીત બહાર નિકળે તેવી શક્યતા ઓછી હતી. આ અંગેની જાણ થતા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અહિં દોડી ગયા હતાં. અશોકભાઇએ 100 ફુટ ઉંડા કુવામાં સાપને બચાવવા માટે ઝંપલાવી દીધુ હતું અને જીવના જોખમે તેને બહાર કાઢી ફરી પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધો હતો. અશોકભાઇએ આ રીતે અત્યાર સુધીમાં 447 સાપને બચાવ્યા છે.

ચોકલીનાં છાત્રોઅે ગિરનાર પરિક્રમા રૂટની કરી સફાઇ

DivyaBhaskar News Network | Dec 25, 2016, 03:50 AM IST
    ચોકલીનાં છાત્રોઅે ગિરનાર પરિક્રમા રૂટની કરી સફાઇ,  junagadh news in gujarati
સ્વચ્છતા અભિયાનમાં પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકને એકત્ર કર્યુ

જૂનાગઢનીચોકલી પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફે પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વનની સફાઇ કરી હતી. પરિક્રમા રૂટમાં જાંબુડી ડુંગર, ઉત્તર રેન્જ, જીણાબાવાની મઢી, હસ્નાપુર ડેમ પરથી પ્લાસ્ટિકનાં કચરાને દૂર કર્યો છે. અા કામમાં જાંબુડી રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ.કોડિયાતર, ફોરેસ્ટ ગાર્ડ એસ.એ.મુળિયા, એ.વી.નંદાણિયા, ભરતભાઇ સોયગામા અને મેહૂલભાઇ મકવાણાએ પર્યાવરણની જાળવણી અંગે સમજ આપી હતી.

ગિરનાર ઉપર લાઇટ બંધ રહેતા યાત્રાળુઓને મુશ્કેલી

DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
પ્રવાસીઓનો ધસારો રહેતા અકસ્માતનો ભય

જૂનાગઢનાંગિરનાર પર્વત પર લાઇટો બંધ રહેવાને કારણે યાત્રાળુઅોને મુશ્કેલી પડે છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં યાત્રાળુઓની સંખ્યા વધવાને કારણે જૈન મંદિરથી અંબાજી મંદિર સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની માંગ ડોળી પ્રમુખે કરી છે.

જૂનાગઢ પ્રવાસન સ્થળ હોવાને કારણે વારતહેવારે પ્રવાસીઓ આવતા હોય છે. ડીસેમ્બર માસનાં અંતિમ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. દિવસોમાં મીની વેકેશનનો માહોલ સર્જાતા શહેરનાં જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓની અવરજવર રહે છે. ગિરનાર પર્વત પર વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ ચડતા હોય છે. પરંતુ લાઇટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી પડે છે. તેમજ પ્રવાસીઓનાં ધસારાને કારણે જૈન મંદિરનાં 2500 પગથિયાથી અંબાજી મંદિરની ટુંક સુધી પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂર છે. ડીસેમ્બરનાં છેલ્લા સપ્તાહ સુધી યાત્રિકોની સુખાકારી માટે પગલા ભરવા જોઇએ. તેમજ સમયમાં શાળાની પ્રવાસી ટુર આવતી હોવાને કારણે સુવિધા કરવી જોઇએ તેમ ડોળી એસોસીએશનનાં પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું છે.

જૂનાગઢમાં કેન્દ્રની મંજૂરી બાદ તૈયાર થશે સફાઇ પાર્ક,ટુરિઝમને વેગ મળશે

Bhaskar News, Junagadh | Dec 26, 2016, 00:57 AM IST

જૂનાગઢઃમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં આવેલા રૂપાણી પરિવારનાં  સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક સમયમાં જ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે.

તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.  આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ આ જ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. આ કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે.

ગિરનારમાં 3 માસમાં સફારી પાર્ક બનશે : વિજય રૂપાણી

DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST

મુખ્યમંત્રીવિજય રૂપાણીએ રવિવારનાં ભેંસાણનાં ચણાકામાં આવેલા રૂપાણી પરિવારનાં સૂરાપુરા અને કેળદેવીનાં દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તકે કહ્યું હતું કે, ગિરનારનાં જંગલમાં ટુંક સમયમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તેવુ આયોજન રાજય સરકારે કર્યુ છે. તેના માટે રાજય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી ત્રણ માસમાં કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ફોરેસ્ટ એરીયા ટુરિઝમનો પ્રોજેકટ ખુલ્લો મુકાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગિરનારનાં જંગલમાં સિંહ દર્શન માટે સફારી પાર્ક બનાવાશે.તેમજ પ્રકારે ધારીમાં પણ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સફારી પાર્ક બનાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વધુમાં કહ્યું હતું કે, ગિરનાર રોપ-વેની કામગીરી પણ ઝડપ ભેર ચાલી રહી છે. કામ પણ બે વર્ષમાં પૂર્ણ થશે. મુખ્યમંત્રી 9 નવેમ્બર 2016નાં જૂનાગઢ આવ્યા હતા. ત્યારે ગિરનાર દર્શનને લઇ કહ્યું હતુ કે, હજુ આગળ વધી રહ્યા છીએ.

વન રોજમદારોને કાયમી નહિ કરાય તો આંદોલન : યુનિયન

DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
26 દિવસ કામ કરાવી 19 દિવસનો પગાર અપાય છે

નોકરીનાંપ્રથમ વર્ષમાં 240 દિવસથી વધારે હાજરી હોય તેવા વન રોજમદારોને તા.17-10-1988નાં ઠરાવ મુજબ કાયમી કરવા અને વર્ગ4ને મળવા પાત્ર તમામ ભથ્થા આપવા એવો કોર્ટે ચુકાદો આપ્યા છતા છેલ્લા 10 થી 15 વર્ષથી કામ કરતા રોજમદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. અને જે રોજમદારો કામ કરી રહ્યા છે તેને નિયમ મુજબ પગાર આપવામાં આવતો હોય રોષ પ્રવર્તી રહ્યો છે.

આજે જૂનાગઢ બહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયનની બેઠકમાં યુનિયન પ્રમુખને રોજમદારોએ એવી રજુઆત કરી હતી કે 26 થી 30 દિવસ સુધી તેઓ પાસે કામ કરાવવામાં આવે છે અને 299.20 પૈસા પગારને બદલે માત્ર 19 દિવસનાં 288.20 પૈસા રૂપિયા અપાાય છે એને જો રોજમદાર બાબતે અવાજ ઉઠાવે તો તેને મૌખિક છુટા કરી દેવાય છે અથવા એવી જગ્યાએ પોસ્ટ અપાય છે કે જે રોજમદારાને પોષાય તેમ નથી. સુપ્રિમકોર્ટનાં એસ.એલ.પીનં 13619/2012 અને 13620/2012નાં તા.09-07-2013નાં ચુકાદા મુજબ દરેક રોજમદારોને તા.15-09-2014નાં નવા ઠરાવ મુજબ વેતન અને સવલતો આપવામાં આવે એવી રજુઆત કરાઇ છે. વન રોજમદાર યુનિયનનાં પ્રમુખ પ્રવિણ આર.વ્યાસ અને મંત્રી શેનસિંહ જી.ડામોરે એવું જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરીમાં અમદાવાદમાં કારોબારીની બેઠક મળશે અને તેમા પ્રશ્નને ઉકેલ નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.

યુનિયન લીડર અને વન અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો રોજમદારોનો આક્ષેપ

જૂનાગઢબહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી વનરોજમદારોની બેઠકમાં આવેલા ઘણા રોજમદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે વન અધિકારીઓ અને અમારા યુનિયન લીડરો વચ્ચે સાંઠગાંઠ છે. દર વર્ષે સભ્ય ફી લેખે રૂપિયા ઉઘરાવી યુનિયન લીડરો ભાગ બટાઇ કરે છે અને વનઅધિકારીઓને બ્લેકમેઇલ કરીને તેની પાસેથી પણ રૂપિયા ખંખેરી રહ્યા છે. અને બેઠકમાં અમોને બધુ બરોબર થઇ જશે એવું ગાણું ગાઇ રહ્યા છે.

સાસણની હોટલોમાં ફૂડ વિભાગે 80 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો

DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:05 AM IST
સાસણસહિત ભાલછેલ, હરીપુર ગામમાં આવેલ મોટા રીસોર્ટ, હોટલો અને રેસ્ટોરન્ટમાં આજે ફુડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને ચેકિંગ દરમિયાન હાથ લાગેલ 80 કિલો અખાદ્ય ખાદ્ય વસ્તુનો નાશ કરી ખાન-પાનની વિવિધ ચીજોનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં મોકલેલ. ફુડ વિભાગએ ચેકિંગ હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અંગેની મળતી વિગત મુજબ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જૂનાગઢનાં ઓફીસર જે.એચ.શાહ, ફુડ ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા સહિતની ફુડ વિભાગની ટીમએ સાસણ નાતાલનાં વેકેશનમાં આવતા પ્રવાસીઓને અખાદ્ય અને વાસી ખોરાક મળે તે માટે આજે ચેકિંગ હાથ ધરેલ ચેકીંગ દરમિયાન 80 કિલો અખાદ્ય ખોરાકનો નાસ કરેલ અને અનાજ, કઠોળ, તેલ, ઘી, ડ્રીન્કીંગ વોટર, મસાલા, તથા તૈયાર રાંધેલા ખોરાકનાં સેમ્પલો લઇ વડોદરા ફુડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપેલ લેબોરેટરી તપાસમાં નમુનામાં ભેળસેળ કે હલકી ગુણવતા આવશે.

તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટમાં હાઇઝીનીક કંડીશન, ચોખ્ખાઇ તથા એફએસએસએઆઇનાં નિયમોનું પાલન કરનાર રેસ્ટોરન્ટ, હોટલને નોટીસ આપવામાં આવશે.

પ્રકૃતિની રક્ષાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ કરાયો

DivyaBhaskar News Network | Dec 28, 2016, 04:05 AM IST
જૂનાગઢની સંસ્થા દ્વારા ચિરોડા કન્યાશાળામાં દલિત ઉદ્ધાર દિવસની કરાઇ ઉજવણી

જૂનાગઢઆર્ય સમાજ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. તેમજ મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસની ઉજવણી કરાઇ હતી.

જૂનાગઢમાં આર્ય સમાજે સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસની ઉજવણી કરી હતી. મેંદરડાનાં ચિરોડા કન્યાશાળામાં દલીત ઉદ્ધાર દિવસ તરીકે ઉજવણી કરી હતી. પ્રકૃતિને બચાવવાનાં સંકલ્પ સાથે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. યજ્ઞ બાદ 11 વિદ્યાર્થીઓએ સ્વામી શ્રદ્ધાનંદ વિશે ટૂંકું વકત્વય રજૂ કર્યુ હતું. દરેક વિદ્યાર્થીને આર્ય સમાજ દ્વારા વૈદિક સાહિત્ય, પેન, પોસ્ટર, નામ સ્લીપ, પ્રમાણપત્ર વગેરેથી પ્રોત્સાહિત કરાયા હતા. સ્વામી દ્વારા સામાજિક સુધારણાનાં કાર્યક્રમો જેવા કે, દલીત ઉદ્ધાર, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી અભિયાન, વેદ પ્રચાર અને નારી શિક્ષા જેવા વિષયોમાં યોગદાન હોવાનું જણાવ્યું હતું. પ્રસંગે પ્રવીણાબેન, દીપક આર્ય વગેરેેએ આર્યવીરદળની પ્રવૃતિ વિશે વિચારો રજૂ કર્યા હતા.

ગિરનાર સ્પર્ધાને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

DivyaBhaskar News Network | Dec 29, 2016, 05:10 AM IST

16 જિલ્લાનાં 1030 ભાઇઓ અને 265 બહેનો ભાગ લેશે

ગિરનારપર્વતની અતિજોખમી સ્પર્ધાને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દર વર્ષે જાન્યુઆરીનાં પ્રથમ રવિવારે સ્પર્ધા યોજાતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ બીજા રવિવારે ગિરનારની સ્પર્ધા યોજાશે. તા. 8 જાન્યુઆરી 2017નાં યોજનાર સ્પર્ધાને લઇ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રાજયભરમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. અંગે જયાબેન ખાંટે જણાવ્યું હતું કે, રાજયનાં 16 જિલ્લામાંથી અરજીઓ આવી છે.જેમાં સિનિયર ભાઇઓ 547, જુનિયર ભાઇઓ 483, સિનિયર બહેનો 117, જુનિયર બહેનો 148 મળી કુલ 1295 સ્પર્ધાકો ભાગ લેશે. સ્પર્ધાને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગિરનાર સ્પર્ધાની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સ્પર્ધકો વધુને વધુ ચીવટતાપૂર્વક પ્રેકટીસ પર ધ્યાન આપી રહ્યા છે.

Wednesday, November 30, 2016

10 કિ.મી.ના જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર થશે

DivyaBhaskar News Network | Nov 30, 2016, 05:05 AM IST
ગીર-સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાનાં 294 ગામો અને દસલાખથી વધુ ગ્રામિણ માનવ વસાહતને અસરકર્તા ઇકોઝોનનાં કાયદા અંગે સોમવારે ગીર પંથકમાંથી એક પ્રતિનિધી મંડળ ગાંધીનગર મંત્રીમંડળ સમક્ષ રજૂઆત કરવા ગયેલ અને ઇકોઝોનની મર્યાદા દસ કીમીથી ઘટાડી 100 મીટર સુધી કરવા મુદાસર રજુઆત કરેલ. રજૂઆત સાંભળી મંત્રીમંડળએ 100 મીટરની મર્યાદા કરવાની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ મોકલી યોગ્ય નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.

ગીર-સોમનાથ અને જૂનાગઢનાં આગેવાનો ગાંધીનગર ખાતે પાંચ મંત્રી બાલુભાઇ બોખીરીયા, ગણપતભાઇ વસાવા, ચીમનભાઇ સાપરીયા, વલ્લભભાઇ વઘાસીયા, જશાભાઇ બારડ, દરેક વિભાગોનાં સચિવોની ઉપસ્થિતિમાં ઇકોઝોનનાં નવા કાયદાથી ઉભી થનારી મુશ્કેલી વર્ણવી હતી અને ગુજરાત રાજયમાં ગીરનાર, બરડા ડુંગર જયાં સિંહોનો વસવાટ છે. ત્યાં ઇકોઝોનની મર્યાદા 100 થી લઇ 1000 મીટરની રેન્જ કરવામાં આવી છે. તો ગીર પંથકનાં ત્રણ જિલ્લાનાં 294 ગામો અને દસ લાખથી વધુ ગ્રામિણ માનવ વસ્તીને અસરકર્તા અને વિકાસને અવરોધતા નવા ઇકોઝોનની રેન્જ દસ કિલોમીટરથી ઘટાડી 100 મીટર સુધી કરવા પ્રતિનિધી મંડળએ અસરકારક રજૂઆત કરેલ. રજૂઆત જાણી મંત્રીમંડળએ જણાવેલ કે 100 મીટરની રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રાજય સરકાર મોકલી ઇકોઝોનની રેન્જ ઘટાડવા પ્રયત્નો કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

વેરાવળના દરિયાકિનારે વ્હેલ જાગૃતિ કાર્યક્રમ, રેતીમાં ઉપસાવી માછલીની આકૃતિ

Ravi Khakhkhar, Veraval | Nov 30, 2016, 18:40 PM IST

વેરાવળઃ લુપ્ત થતી દરીયાઇ પ્રજાતી વ્હેલ શાર્ક ના સરંક્ષણ અને સંવર્ઘન અભિયાન અર્તગત વનવિભાગ દ્વારા કાર્યક્રમ ગીર સોમનાથના સુત્રાપાડા મુકામે યોજાયો હતો.વિદેશ માથી સૈારાષ્ટ્રના સાગરકાંઠે પ્રજનન માટે આવતી વ્હેલ શાર્કની મોટી માત્રામાં માછીમારીના પગલે લુપ્ત થતી પ્રજાતી માં સમાવેશ થાય છે. સુત્રાપાડાના સાગરતટે બાળકોએ ૧૦૦ થીવઘુ વ્હેલ શાર્કના રેત શિલ્પ તૈયાર કરી અભિયાન માં સહભાગી બન્યા હતા. 
 
વ્હેલ શાર્ક સમગ્ર વિશ્વ માં સૌથી મોટી પ્રજાતીની માછલી ગણાય છે. ખાસ કરીને ડીસેમ્બરથી માર્ચ સુઘીના સમયગાળામાં આ વિદેશી દરીયાઇ પ્રજાતીની માછલી સૌરાષ્ટના દરિયાકિનારે પ્રજનન માટે પ્રતિવર્ષ આવે છે પરંતુ વર્ષ ર૦૦૧ પહેલા મોટીમાત્રામાં આ માછલીના શિકારના પગલે  ઘીમે ઘીમે આ દરીયાઇ પ્રજાતી લુપ્ત થવાના આરે આવી જતાં ભારત સરકાર દ્વારા વ્હેલ શાર્કને શેડયુલ વનના પ્રાણી માં સમાવેશ કરી તેના સંવર્ઘન અને સંરક્ષણ માટે મહા અભિયાન હાથ ઘરેલું. જેમાં સ્થાનીક માચ્છીમાર સમુદાયનો સહકાર જરૂરી બન્યો હતો. વર્ષ ૨૦૦૭ માં પ્રખર રામાયણી મોરારીબાપુએ આ અભિયાન અંર્તગત એક જાહેર કાર્યક્રમ યોજી વ્હેલ ને વ્હાલી દીકરી નો દરજજો આપી તેના રક્ષણ માટે માચ્છીમાર સમુદાયને આહવાન કરેલ હતું. જેને માચ્છીમાર સમુદાયે હોંશે હોંશે આવકારી વ્હેલ શાર્ક ના બચાવ અભિયાન માં સહભાગી બન્યા હતા.

ગિરનારની સીડી પર છાપરા માટે દરખાસ્ત થશે

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:45 AM IST

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેને જૂનાગઢની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે જૂનાગઢની મુલાકાત લીધી હતી.જૂદા-જૂદા વિભાગનાં અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી.જૂનાગઢ અને જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળનાં વિકાસ માટે જરૂરી સુચનો અને દરખાસ્ત કરવા અધિકારીઓને જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને ગિરનાર, ભવનાથ, દામોદરકુંડ,ઉપરકોટ, દાતાર પર્વત સહિતનાં વિકાસ માટે સુચનો કરવા કર્યુ હતુ. તેમજ ગિરનાર ઉપર પાણી પહોચાડવા અને સીડી ઉપર છાપરા અને વિસામો તૈયાર કરી શકાય તે માટે અધિકારીઓને દરખાસ્ત કરવા કહ્યું હતુ.

દામોદરકુંડની મુલાકાત લીધી

પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન રાજુ ધ્રુવે દામોદરકુંડની મુલાકાત લીધી હતી. તેમજ અહી અસ્થિ વિસર્જન માટે આવેલા સૈયદરાજપરાનાં પરિવારને મળ્યા હતા.અને દામોદરકુંડનાં વિકાસ માટે શું કરી શકાય તે અંગે તેની સાથે ચર્ચા કરી હતી.

ઊનામાંથી દીપડી અને કોડીનારમાંથી એક દીપડો પાંજરે પુરાયો

Bhaskar News Junagadh | Nov 30, 2016, 01:07 AM IST

ઊનાઃ લોકજાગૃતિને પગલે ઊનામાં માનવ વસતીમાં ફરતી દીપડીને વનતંત્રે પાંજરે પુરી હતી.  ઊના શહેરનાં દેલવાડા રોડ પર માનવવસતી  ધરાવતા શ્રીનગર સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે દીપડીનાં આંટાફેરાથી લોકો ભયગ્રસ્ત બન્યાં હતાં. આ દીપડીએ જોધાભાઇ રાજાભાઇ નામનાં વ્યકિત પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં જાગૃત લોકોએ જશાધાર રેન્જ ઓફિસને જાણ કરતાં નવાબંદરનાં વીરાભાઇ ચાવડા, પી.કે.દમડીયા, વી.ટી.જાદવ સહિતનાં સ્ટાફે અહિંયા પાંજરા ગોઠવી દેતા બે દિવસની જહેમત બાદ દીપડી પાંજરે પુરાઇ જતાં જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી.

કોડીનારનાં મુળદ્વારકામાંથી દીપડો પાંજરે પુરાયો

કોડીનારનાં મુળદ્વારકામાંથી  દીપડો પાંજરે પુરાયો હતો. મુળદ્વારકામાં સિમેન્ટ કંપનીની જેટી વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા જોવા મળતાં વનતંત્રને જાણ કરાતા અહિંયા મારણ સાથે પાંજરૂ ગોઠવી દેવામાં આવતાં સોમવારનાં રાત્રીનાં 6 વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાયો હતો.

વડાલમાં સિંહોએ લટાર મારી, વિડીયો વાઇરલ

DivyaBhaskar News Network | Nov 29, 2016, 05:40 AM IST
જૂનાગઢશહેરની બાજુમાં આવેલા વડાલ ગામે સિંહો લટાર મારી રહ્યા છેે. એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો છે.જૂનાગઢ અને આજુબાજુનાં વિસ્તારમાં રાની પશુઓનું સામ્રાજ્ય છે. અહીંનાં જંગલમાં સદીઓથી સિંહોએ વસાહત કરી છે. એશિયાઇ સિંહોનું ઘર ગિરનાર વિસ્તારમાં છે. જેને જોવા માટે દેશ વિદેશનાં સહેલાણીઓ આવતા હોય છે. પરંતુ જૂનાગઢની આજુબાજુનાં વિસ્તારમાં સિંહો અવારનવાર આવતા હોય અચાનક જોવા મળે છે. સોશિયલ મીડીયામાં આવો એક વિડીયો વાઇરલ થયો છે. જો કે બાબતે વન વિભાગનાં આરએફઓ ટીલાળાએ જણાવ્યુ હતું કે, અફવા છે. વડાલમાં સિંહએ લટાર માર્યા હોવાની જાણ થતાં વન વિભાગના કહેવા મુજબ વિડિયો અન્ય કોઇ સ્થળનો છે. વડાલમાં સિંહોની કોઇ પ્રકારની હલચલ જોવા મળી નથી.

ઇકોઝોનમાં 291 ગામને અસર, ગાંધીનગરમાં બેઠક

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:00 AM IST
ઊનાનાં ધારાસભ્ય રજુઆત કરશે, ખેડુતો સાથે બેઠક કરી નિર્ણય લીધો

ઇકોસેન્સેટીવ ઝોનનો કાળો કાયદો જંગલ બોર્ડરનાં ગામોને વિપરીત અસર કરનાર હોય નાઘેર પંથકમાં તેનો ઉગ્ર વિરોધ થઇ રહયો છે. ત્યારે આવતીકાલે સરકારે ગાંધીનગરમાં બેઠક બોલાવી હોય ઊનાનાં ધારાસભ્ય અસરકારક રજુઆત કરનાર છે. કેન્દ્ર સરકારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ, પાણીયા વન્યજીવ આમ ત્રણ પ્રકારનાં અભયારણ હેઠળ ગીરપંથકનાં વિસ્તારોને ઇકોસેન્સેટીવ ઝોન હેઠળ આવરી લેવા જાહેરનામું પ્રસિધ્ધ કરતાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લાનાં જંગલ બોર્ડર નજીક આવતાં 291 જેટલા ગામોને તેની વિપરીત અસર થનાર હોય ભારે વિરોધ વંટોળ ઉઠવા પામ્યો છે. આવતીકાલે રાજય સરકારે ગાંધીનગરમાં મુદ્દે બેઠક યોજેલ છે ત્યારે રવિવારે કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઊના - ગીરગઢડા પંથકનાં 40 ગામનાં આગેવાનો, ખેડુતો સાથે બેઠક યોજી હતી. 40 ગામો ઇકોઝોન હેઠળ આવે તો કાયમી માટે જંગલ ખાતાનાં જડ નિયમોનો ભોગ બનવું પડે તેમ છે. ગીર સંરક્ષીત હેઠળનાં વિસ્તારોની જીપીએસ લોકેશન યંત્ર દ્વારા માપણી કરાઇ છે અને ઊના, ગીરગઢડા, વિસાવદર, માળિયા, મેંદરડા, તાલાલા, કોડીનાર, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ધારી તાલુકાનાં ગામો 5 થી 10 કિમી અંતરનાં તમામ જંગલને અડીને આવેલા છે. તમામ રાજકીય પક્ષનાં લોકો કાળા કાયદા સામે નારાજગી બતાવી રહયાં છે.

સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’

DivyaBhaskar News Network | Nov 28, 2016, 05:05 AM IST
    સોરઠનાં દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓ ‘મોંઘેરા મહેમાન’,  junagadh news in gujarati
સોરઠનોદરિયાકાંઠો એટલે છેક સાઇબીરીયાથી ઉડાન ભરી શિયાળો ગાળવા આવતા પ્રવાસી પક્ષીઓ માટેનુ સ્વર્ગ. શાંત અને નયનરમ્ય દરિયાકાંઠો દર વર્ષે પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે. એટલે કોઇ નાની સુની સંખ્યામા નહી લાખોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહીના દરિયાકાંઠે શિયાળો ગાળવા આવે છે. છેલ્લા એક પખવાડીયાથી આવા પક્ષીઓના ઝુંડના ઝુંડ અહી ઉતરી રહ્યાં છે. સોરઠ ઉપરાંત રાજુલા, જાફરાબાદ તાલુકામા વિકટરનો ખારો હોય કે ચાંચબંદરનો દરિયાકાંઠો હોય કથીરવદરનો દરિયાઇ વિસ્તાર હોય કે પીપાવાવ પંથકનો વિસ્તાર હોય હાલમા માત્રને માત્ર સંભળાઇ રહ્યો છે. પંખીઓનો કોલાહલ. આકાશમાથી જાણે કોઇ ઇન્ટરનેશનલ ફલાઇટ ઉતરતી હોય તેમ પ્રવાસી પક્ષીઓના ઝુંડના ઝુંડ દરિયાકાંઠે ઉતરી રહ્યાં છે. આમપણ દર વર્ષે કુંજ, સુરખાબ, પેલીકન સહિતના પ્રવાસી પક્ષીઓ દર વર્ષે અહી શિયાળો ગાળવા માટે આવે છે. સોરઠનાં દરિયાકાંઠે પક્ષીઓને ભરપુર ખોરાક મળી રહે છે. વળી સૌથી મોટી વાત છે કે ઔદ્યોગિક વિકાસના યુગમા પક્ષીઓને માણસની સૌથી મોટી કનડગત રહે છે.

આદર્શ સ્મારકમાં જૂનાગઢનું એકપણ સ્મારક નહી, યાદી જાહેર કરવામાં આવી હતી

Bhaskar News Junagadh | Nov 28, 2016, 03:25 AM IST

    આદર્શ સ્મારકમાં જૂનાગઢનું એકપણ સ્મારક નહી, યાદી જાહેર કરવામાં આવી હતી,  junagadh news in gujarati
જૂનાગઢઃપુરાતત્વ વિભાગ દ્વારા દેશનાં 100 આદર્શ સ્મારકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દેશનાં આદર્શ સ્મારકોની યાદી પુરાતત્વ વિભાગે જાહેર કરી છે. શરૂઆતનાં તબક્કામાં 25 સ્મારકોનો સમાવેશ કર્યો હતો, પરંતુ સંશોધન કરતા કરતા અન્ય 75 સ્મારકોની યાદી જાહેર કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી દીવના કિલ્લાનો સમાવેશ કર્યો છે એ ગૌરવની બાબત છે. પરંતુ ઐતિહાસિક શહેર તરીકે જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, ખાપરા કોડીયાની ગુફા, બૌદ્ધગુફા, નવઘણકૂવો વગેરે સ્મારકો આવેલા છે. જેેને નિહાળવા માટે દરવર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. 

પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર બને તે માટે આદર્શ સ્મારકની જાહેરાતો કરવામાં આવતી હોય છે. ખાસ તો આદર્શ સ્મારક બને તો પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા શૌચાલય, પીવાનું પાણી, સ્વચ્છતાને લગતી સવલતો આપી પ્રવાસીઓની યાત્રામાં સુખાકારી વધારે છે. જેમાં જૂનાગઢનાં એકપણ સ્મારકની નોંધ કરવામાં આવી નથી. પુરાતત્વ વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે માટે આદર્શ સ્મારક જાહેર કર્યા હતા. ગુજરાતનાં કેટલાક નામી સ્મારકોનો પણ સમાવેશ થયો નથી.

આદર્શ સ્મારકો માટે મોબાઇલ એપ્લીકેશન બનાવી

પ્રવાસન વિભાગે આદર્શ સ્મારકો માટે સ્વચ્છ પર્યટન મોબાઇલ એપ્લીકેશન જાહેર કરી છે. જે આગામી ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશેે. જેમાં પર્યટકો સ્મારક વિશે રજૂઆત કરી શકશે અને તાત્કાલિક અધિકારી પગલાં લેશે.
 
સ્મારક જાહેર થાય તો 300 મીટર સુધી પ્લાસ્ટિક નહીં
પ્લાસ્ટિકનાં કચરાનો નાશ કરવો મુશ્કેલ છે. આદર્શ સ્મારક જાહેર થાય તો પુરાતત્વ વિભાગ 300 મીટરનાં વિસ્તારને પ્લાસ્ટિકમુક્ત ઝોન જાહેર કરી દે છે.

નાયબ મામલતદારે શાળામાં સાપ પકડ્યો

DivyaBhaskar News Network | Nov 26, 2016, 04:55 AM IST
ભેંસાણતાલુકાનાં સુખપુર ભાટ ગામની પ્રાથમિક શાળામાં અાજે ચાલુ ક્લાસમાં સાપ ઘૂસી જતાં વિદ્યાર્થીઅો-શિક્ષિકાઓ ભયભીત થઇ ગઇ હતી. જોકે, નાયબ મામલતદારે સાપને પકડી બાદમાં દૂર જંગલમાં મુક્ત કર્યો હતો. મેંદપરા ગામે સેવા સેતુનો સરકારી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આથી શાળનાં પ્રિન્સિપાલે ત્યાં ઉપસ્થિત નાયબ મામલતદાર કનકસિંહ પરમારને જાણ કરતાં કરી હતી. જેથી ના. મામલતદાર કનકસિંહ અને ટીડીઓ શાળાએ પહોંચી ગયા હતા અને બાળકોને બહાર કાઢી તેમણે સાપને પકડી લઈ જંગલમાં મુક્ત કર્યો હતો.

રોપ-વે માટે અોછામાં ઓછા વૃક્ષ કપાશે

DivyaBhaskar News Network | Nov 26, 2016, 05:00 AM IST
ગરવાગીરનારને રોપ વે માટેની તમામ મંજુરીઓ મળી ગયા બાદ રોપ વે પ્રોજેક્ટના ઇન્ચાર્જ દિનેશ નેગી ઉષા બ્રેકો કંપનીના અને ઓસ્ટ્રિયાની કંપની મળી કુલ 12 મેમ્બરોએ હાથ ધરેલી કામગીરી પુરી થઇ છે. હવે એક માસ બાદ ફરી ટાવરના એલાઇન્મેન્ટ માટે બીજા ચરણનો સર્વે કરશે. રોપ વે લાઇનમાં આવતા વૃક્ષો કાપવા મુદ્દે દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ જરૂરી હોય એવા વૃક્ષો કાપવાનો રહેશે. ઇલેક્ટ્રીકલ લાઇન માટે જરૂરી માળખાકીય સુવિધા બાબતને સર્વેમાં આવરી લેવાશે. ઉપરાંત ટાવર ઉભા કરવાની કામગીરી સાતથી આઠ મહિના બાદ શરૂ કરાશે. સમયગાળામાં જરૂરી અન્ય કામગીરી પણ સાથે ચાલુ રહેશે.

એસટીનાં નિવૃત કર્મીઓની રેલીની આગળ સીદીનું ધમાલ નૃત્ય: મતદાન ન કરવાની ચિમકી

Bhaskar News Junagadh | Nov 25, 2016, 02:30 AM IST

 જૂનાગઢઃ જૂનાગઢ એસટીનાં નિવૃત કર્મચારીઓને સામાન્ય પેન્શન આપવામાં આવે છે. ત્યારે એસટીનાં નિવૃત કર્મચારીઓમાંથી લઘુતમ પેન્શન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મધુર સોશ્યલ ગૃપનાં નેજા હેઠળ એસટીનાં નિવૃત કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. ગુરૂવારનાં એસટીનાં નિવૃત કર્મચારીઓની  વિશાળ રેલી નિકળતી હતી. રેલી દરમિયાન નવતર પ્રયોગ કર્યો હતો. 
 
રેલીની આગળ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ધમાલ નૃત્ય સાથેની રેલી કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે મધુર સોશ્યલ ગૃપનાં સલીમ ગુજરાતી, રાજેશ શ્રીવાસ્તવ, નરેશ સાશીયા સહિતનાં હાજર રહ્યા હતા. સરકાર નિવૃત કર્મચારીઓનાં  પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં  મતદાન ન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

વન વિભાગનાં મજુરોનાં પગારમાં વિલંબ

DivyaBhaskar News Network | Nov 23, 2016, 05:10 AM IST
જૂનાગઢનીબેંકમાં 500ની અને 1000ની નોટ બદલાવવાની કામગીરીને કારણે વનવિભાગનાં મજુરોનો પગાર થયો નથી. જેનાં કારણે મજુરોને હાલાકી વેઠવી પડે છે. જૂનાગઢ વનવિભાગમાં કામ કરતા મજુરોનાં પગારમાં વિલંબ થયો છે. બેંકમાં 500ની અને 1000ની નોટ બંધ રહેવાને કારણે સમસ્યા થઇ હોવાનું માનવામાં આવે છે. ખાલી ખીસ્સાને કારણે આર્થિક રીતે તફલીફ પડી રહી છે. મહિનાનો અંત આવવા છતાં પગારની ચૂકવણી કરવામાં આવી નથી. મજુરોએ જણાવ્યુ હતુ કે હાલ કરકસર કરીને પૈસા વાપરવા પડે છે. હવે આર્થિક રીતે મુશ્કેલી પડી રહી છે.

વિસાવદર: એકને બદલે બે બિમાર નર સિંહ મળ્યા, ગામલોકોને નજરે ચઢ્યા

Bhaskar News, Visavadar | Nov 24, 2016, 03:11 AM IST
વિસાવદર: એકને બદલે બે બિમાર નર સિંહ મળ્યા, ગામલોકોને નજરે ચઢ્યા,  junagadh news in gujarati
વિસાવદર: વિસાવદરનાં રાજપરા રાઉન્ડ પાસે એક બિમાર સિંહ આંટાફેરા મારતો હોવાનાં અહેવાલો તા. 20 નવે.નાં દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા હતા. જેને પગલે હરકતમાં આવેલા વનતંત્રએ એ સિંહની શોધખોળ આદરી હતી. જેમાં બીજો એક સિંહ પણ બિમાર જોવા મળ્યો હતો. તેને પણ સારવાર અપાઇ હતી.

વન તંત્ર હરકતમાં આવ્યું

વિસાવદર રેન્જનાં રાજપરા રાઉન્ડનાં જંગલમાં એક બિમાર ડાલામથ્થો ગામલોકોને નજરે ચઢ્યો હતો. તેને જોવા માટે લોકોનાં ટોળા ઉમટ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતાં વનવિભાગ જાગૃત થયું હતું. અને બિમાર સિંહની શોધખોળ શરૂ કરી હતી. 3 દિવસની જહેમત બાદ રાજપરા રાઉન્ડનાં ઘોડીયા વિસ્તારમાંથી તેની ભાળ મળી હતી. જોકે, તેની સાથે તેનાજ ગૃપનો બીજો એક નર સિંહ પણ બિમાર હાલતમાં જોવા મળ્યો હતો. આથી રાજપરા રાઉન્ડનાં ફોરેસ્ટર આર. એમ. સીડાએ આરએફઓ આર. ડી. વંશને જાણ કરી હતી.

રેસ્ક્યુ ટીમે સારવાર આપી સ્થળ પરજ મુક્ત કરી દીધા

એસીએફ કપટાને જાણ કરતાં તેમણે સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી હતી. આ ટીમનાં તબીબ ડો. સોલંકીને એક સિંહને નાકનાં ઉપરનાં ભાગે, ડોકમાં તેમજ જમણા પગમાં ઇજાઓ હોવાનું જ્યારે બીજા સિંહને માથાનાં ભાગે અને પગનાં પંજામાં ઇજા થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આથી બંનેને ટ્રાન્કવીલાઇઝ કરી સ્થળ પર જ સારવાર અપાઇ હતી. અને બાદમાં મુક્ત કરી દેવાયા હતા.

રોજ દેખરેખ રખાશે: એસીએફ

બંને સિંહોને સારવાર આપીને મુક્ત કરાયા છે. પરંતુ જ્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી તેના પર સતત દેખરેખ રાખવાની સ્ટાફને સુચના અપાઇ છે. એમ એસીએફ કપટાએ જણાવ્યું હતું.

અંબાજીથી ટોપોગ્રાફિકલ સર્વે હાથ ધરાયો, રોપ વે નું સપનું થશે સાકાર

Bhaskar News Junagadh | Nov 23, 2016, 02:11 AM IST
    અંબાજીથી ટોપોગ્રાફિકલ સર્વે હાથ ધરાયો, રોપ વે નું સપનું થશે સાકાર,  junagadh news in gujarati
જૂનાગઢઃ ગરવા ગિરનાર પર રોપ વેનું જૂનાગઢ વાસીઓનું વર્ષો જુનું સપનું હવે સાકાર થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોપવે નો પ્રોજેક્ટ જે કંપનીને સોપાયો છેે. તે ઉષા બ્રેકો તથા અોસ્ટ્રીયાની કંપનીના કુલ 12 સભ્યોએ વહેલી સવારે અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ સર્વે શરૂ  કર્યો હતો. 
 
આ સર્વે આગામી ચાર દિવસ સુધી ચાલશે. જોકે હાલ આ કામગીરી ફરી શરૂ થતા જૂનાગઢ વાસીઓમાં નવી આશા જાગી છે. રોપ વેને તમામ પ્રકારની દસ્તાવેજી મંજુરી મળી ગયા બાદ હવે જમીન પરની કામગીરી આજથી શરૂ થઇ રહી છે. આ કામગીરીનો પ્રોજેક્ટ જે કંપનીને સોંપાયો છે. તે ઉષા બ્રેકોના પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીના માર્ગદર્શનમાં આજે ઓસ્ટ્રીયાની ડેપલમેન કંપનીના સહયોગથી કુલ 12 સભ્યોએ અંબાજી મંદિરથી ડીજીપીએસ મશીન દ્વારા ટોપોગ્રાફિકલ પ્રકારની સર્વે શરૂ કરાયો છે.

અંબાજી પર 4 પોઇન્ટ સીલેક્ટ કરાયા

સર્વેના પ્રથમ દિવસે  અંબાજી મંદિરથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પ્રકારના પોઇન્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે અલગ અલગ એન્ગલથી 4 પોઇન્ટ સીલેક્ટ કરવામાં આવ્યા હતા.
 
ડીજીપીએસ મશીન શું છે.. ?
ડિજીપીએસનું પુરુ નામ ડિફ્રેન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ છેે.જે સેટેલાઇટ સાથે જોડાયેલુ હોય છે. અને નિશ્ચિત પોઇન્ટનું લોકેશન બતાવે છે.

ગિરનાર રોપ-વેની કામગિરી આજથી શરૂ, બે વર્ષે કામગીરી પૂર્ણ થશે

Bhaskar News Junagadh | Nov 22, 2016, 03:06 AM IST

    ગિરનાર રોપ-વેની કામગિરી આજથી શરૂ, બે વર્ષે કામગીરી પૂર્ણ થશે,  junagadh news in gujarati
જૂનાગઢઃ ગિરનાર રોપ-વેને તમામ તબક્કે મંજૂરી મળી જતાં હવે ઉષા બ્રેકો કંપની દ્વારા આવતીકાલ તા. 22 નવે. થી જમીન પરની કામગિરી શરૂ કરવામાં આવનાર છે. જેમાં રોપ-વેનાં કેબલ માટેનાં જંગલમાંથી પસાર થતા ટાવર, લોઅર સ્ટેશન, અપર સ્ટેશન, વગેરે અનેક બાબતોનો સર્વે કરવામાં આવશે.

આ અંગેની વિગતો આપતાં ઉષા બ્રેકોનાં ગિરનાર રોપ-વે માટેનાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ દિનેશ નેગીએ જણાવ્યું હતું કે, આવતીકાલ તા. 22 નવેમ્બરે સવારે 6 વાગ્યાથી આ કામગિરી શરૂ કરી દેવામાં આવશે. આ માટે અમારો સ્ટાફ અને અમે રોપ-વેનો જેની પાસેથી ટેક્નીકલ સપોર્ટ લેવાનાં છીએ એ ઓસ્ટ્રિયાની કંપની ડોપલમેરનાં અધિકારીઓ પણ જૂનાગઢ આવી ગયા છે. આ એક પ્રકારનો ટેક્નીકલ બાબતોને લગતો સર્વે છે. જેમાં ટોપોગ્રાફિકલ બાબતોનો પણ સમાવેશ થાય છે. આ સર્વેનાં આધારે આગળની કામગિરીનાં નિર્ણયો લેવામાં આવશે.

અગાઉનાં ડેટા કન્ફર્મ કરાશે

ગિરનાર રોપ-વેનું અગાઉ ડીમાર્કેશન થઇ ગયું હતું. ત્યારે તેને લાંબો સમય વિતી ગયો હોવાથી હવે ફરીથી એ ડેટા કન્ફર્મ કરવા સર્વે જરૂરી છે. એમ પણ દિનેશ નેગીએ જણાવ્યું હતું.

અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરાશે

હાલનાં ટોપોગ્રાફિકલ સર્વે માટેની જે ટીમ આવતીકાલથી ઓન ગ્રાઉન્ડ સર્વે શરૂ કરશે તેની પાસે આ માટેનાં અત્યાધુનિક સાધનો હશે. અત્રે નોંધનીય છે કે, થોડા મહિના પહેલા અંબાજી ખાતે પવનની ગતિ અને દિશા માપવા માટે ઉષા બ્રેકો કંપની દ્વારા થોડા દિવસ માટે ખાસ યંત્ર પણ ગોઠવવામાં આવ્યું હતું.

સાસણનાં ટુરિઝમ ઝોનમાં સૌથી મોટી ટેરીટરી મૌલાનાની હોવાથી તે ખાસ હતો

DivyaBhaskar News Network | Nov 21, 2016, 04:15 AM IST
અંગોનો વેપાર થઇ શકે માટે સિંહને અગ્નિદાહ આપવાનો કાયદો

સાસણમાંવર્ષો સુધી ડીએફઓ તરીકે ફરજ બજાવનાર ડો. સંદિપકુમાર કહે છે, છેલ્લા દસેક વર્ષ કરતાં વધુ સમયથી ભારત સરકાર અને બાદમાં ગુજરાત સરકારે વન્ય પ્રાણી અધિનિયમમાં ફેરફાર કરી સીંહ જેવાં પ્રાણીઓનાં મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરવાનો કાયદો ઘડ્યો છે. જો અાવાં પ્રાણીઓ ને દફનાવવામાં આવે તો એકાદ વર્ષ બાદ જમીનમાં તેના ફક્ત હાડકાં અને નખ વધે. અાવા અંગો લાંબા સમય સુધી સડતાં નથી. આથી તસ્કરો અંગોને કાઢીને તેનો ગેરકાયદેસર વેપાર કરવાની ભિતી સૌથી વધુ છે. આખી દુનિયાનાં દેશોએ માટેના કાયદાઓ ઘડ્યા છે. અને ત્યાં પણ સિંહ જેવા વન્ય પ્રાણીઓનો અગ્નિ સંસ્કારજ કરાય છે. જ્યારે મૌલાના વનવિભાગ માટે ખાસ એટલા માટે હતો કારણ કે, ખુશ્બુ ગુજરાત કી બાદ વિકસેલા સાસણનાં ટુરિઝમ ઝોનમાં મૌલાના સાવજની બહુ મોટી ભૂમિકા હતી. વર્ષ 2010માં બીગ બી જે સિંહો બતાવ્યા છે તેમાં મૌલાના અને તેનો વખતનો જોડીદાર ટપુ પણ હતો. જોકે, ટપુનું મૃત્યુ 2011 માં થયું હતું. ત્યારથી મૌલાના એકલો ફરતો. તેણે ત્યારબાદ પોતાનું કોઇ ગૃપ હતું બનાવ્યું.

તાતણીયા માર્ગ પર આખો દિ' સિંહણનાં ધામા,સવારથી સિંહણે જમાવ્યો અડિંગો

Bhaskar News Amreli | Nov 26, 2016, 03:08 AM IST

    તાતણીયા માર્ગ પર આખો દિ' સિંહણનાં ધામા,સવારથી સિંહણે જમાવ્યો અડિંગો,  amreli news in gujarati
અમરેલી: ગીર જંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા તો અવારનવાર સાવજો માર્ગ પર આવી જાય છે. ત્યારે ધારી તાબાના નાની ધારીથી તાતણીયા જવાના કાચા માર્ગ પર આવુ જ એક દ્રશ્ય જોવા મળ્યું અહી એક સિંહણે સવારથી સાંજ સુધી આ માર્ગ પર અડિંગો જમાવ્યો હતો.
 
ગીરપુર્વ તુલશીશ્યામ રેંજના રેવન્યુ વિસ્તારમા નાની ધારીથી તાતણીયા જવાના કાચા માર્ગ પર એક સિંહણે  અડિંગો જમાવ્યો હતો. આ સિંહણ સવારથી સાંજ સુધી અહી બેઠી રહી હતી. આ અંગે વનવિભાગને જાણ થતા ધારી વનવિભાગના ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી અને એસીએફ પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે રવાના થઇ હતી. 
 
રેસ્કયુ ટીમના ડો.હિતેષ વામજા, આરએફઓ બી.બી.વાળા, હરદિપભાઇ વાળા, વનરાજભાઇ ધાધલ વિગેરે અહી દોડી ગયા હતા. વનવિભાગને પ્રથમ દ્રષ્ટિએ એવુ જણાયુ હતુ કે આ સિંહણ બિમાર હશે પરંતુ કોલર આઇડી વાળી આ સિંહણની તપાસ કરતા તે સ્વસ્થ જણાઇ હતી. બાદમાં વનવિભાગના સ્ટાફે સિંહણને જંગલ તરફ ખસેડી હતી. જેને પગલે લોકોએ રાહત અનુભવી હતી.

ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન

ડોળાસામાં કુવામાં ખાબકતા 9 વર્ષનાં સિંહનું મોત,શિકાર કરવા ગયો હોવાનું અનુમાન,  amreli news in gujarati Jaidev Varu Amreli | Nov 27, 2016, 03:21 AM IST

ડોળાસાઃ કોડીનારનાં  ડોળાસા ગામે કુવામાં ખાબકતાં 9 વર્ષનાં સિંહનું મોત થયું હતું. કુવામાં પડી ગયેલી વાછરડીનું  શિકાર કરવા પાછળ દોડતા આ ઘટના બની હોવાનું અનુમાન છે.  ડોળાસા ગામે ઊના રોડ પર પાદરમાં કરશનભાઇ  અરજણભાઇ ડોડીયાની વાડીમાં ગત તા.24નાં રાત્રીનાં 10 વાગ્યે સિંહે આવી ઢોરવાડામાં ત્રાટકતાં એક વાછરડી જીવ બચાવવા કુવામાં પડી ગઇ હતી. 

જયારે બીજી વાછરડી સકંજામાં આવી જતાં નજીકનાં કપાસનાં ખેતરમાં ઢસડી જઇ મારણની મીજબાની  માણી હતી. બાદમાં કુવામાં પડી ગયેલી વાછરડીનો શિકાર  કરવામાં સિંહ કુવામાં ખાબકી જઇ મોતને ભેટયો હોવાનું અનુમાન છે. આ બનાવનાં પગલે સરપંચ નાનુભાઇ મોરી, વનખાતાનાં ડોડીયા, પઠાણ, ભલગરીયા, મોરી, સેવરા, વેગડ સહિતનાં સ્ટાફે ત્યાં પહોંચી કુવામાં ખાટલો ઉતારી મૃતદેહને બહાર કાઢી જામવાળા ખાતે પીએમમાં મોકલી આપ્યો હતો. એસીએફ સાકીરા મેડમે પણ સ્થળની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. ડોળાસા પંથકમાં વન્ય પ્રાણીનાં મોતની આ પ્રથમ ઘટના હોય લોકોમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

વનતંત્રએ 3 દિ' રેસ્કયુ કરી ઇનફાઇટમાં ઘાયલ થયેલી સિંહણને સારવાર આપી

Jaidev Varu Amreli | Nov 27, 2016, 03:22 AM IST
રાજુલાઃરાજુલા જાફરાબાદ પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી સાવજોના અનેક ગૃપો પણ છે જેમા અન્ય ગૃપનો સાવજ આવી ચડે તો ખુંખાર લડાઇ જામે છે. ત્યારે આવી જ એક ઘટના રાજુલાના પીપાવાવમા ઇ-કોમ્પ્લેક્ષ વિસ્તારમા બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.  વનવિભાગે અહી રેસ્કયુ કરી આ સિંહણને સારવાર માટે બાબરકોટ નર્સરી ખાતે ખસેડી હતી. 

રાજુલાના પીપાવાવ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અનેક સાવજો જુદાજુદા ગૃપમા રહે છે. સાવજોના ગૃપમા અન્ય ગૃપના સિંહ કે સિંહણ આવી જાય તો અચુક લડાઇ જામે. ત્યારે પીપાવાવના ઇ કોમ્પ્લેક્ષ વિસ્તારમા પણ આવી જ એક ઘટના બની હતી. અહી એક સિંહણ ઇનફાઇટમા ગંભીર રીતે  ઘાયલ થઇ ગઇ હતી. આ અંગે વનવિભાગને જાણ થતા અહી વનવિભાગની રેસ્કયુ ટીમ  દોડી ગઇ હતી.આ સિંહણ બાવળની કાટમા હોય તેનુ રેસ્કયુ કરવુ મુશ્કેલીભર્યુ કામ હતુ. પ્રથમ વનવિભાગે સિંહણને પકડવા અહી પાંજરૂ ગોઠવ્યું પરંતુ આ સિંહણ પાંજરે સપડાઇ ન હતી. બાદમાં સિંહણને બેભાન કરી પાંજરે પુરવામા આવી હતી. બાદમાં સિંહણની સારવાર શરૂ કરવામા આવી હતી.સિંહણનુ પુછડુ કપાઇ ગયુ  હોય તેમજ પગના પંજામા પણ ગંભીર ઇજા પહોંચી હોય સિંહણને જાફરાબાદના બાબરીયાકોટ નર્સરી ખાતે ખસેડવામા આવી હતી.

સરકાર તાર ફેન્સીંગ માટે રૂા.750 કરોડની સહાય આપશે : કૃષિમંત્રી

Bhaskar News Amreli | Nov 25, 2016, 03:12 AM IST

અમરેલીઃઅમરેલીમાં આજે રાજ્યના કૃષિમંત્રી વી.વી. વઘાસીયાએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા કૃષિપાકની સુરક્ષા માટે અલગ અલગ યોજનાઓ થકી રૂા. 750 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. તાજેતરમાં કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કૃષિરાજ્યમંત્રી વઘાસીયાએ જણાવ્યુ હતું સરકારે ખેડૂતોને કાટાળા તારની વાડની યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂા. 750 કરોડની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. 

રનીંગ મીટરના હાલના રૂા. 219ના દરને બદલે તે વધારીને રૂા. 300 કરવાનો પણ નિર્ણય કરાયો છે. વળી વાડના નિચેના ભાગમાં જાળીની જોગવાઇ કરાતા હવે રોઝ અને ભુંડ બન્નેનો ત્રાસ અટકાવવામાં પણ સહાય મળશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે હવેથી અરજીઓ જુથમાં પણ સ્વીકારવામાં આવશે. જેનો વિસ્તાર 30 હેક્ટરથી વધારે હોવો જોઇએ.  તેમણે જણાવ્યુ હતું કે આ અરજીઓને તાત્કાલીક મંજુરી આપવાની પધ્ધતિ પણ અપનાવાશે. સામુહીક અરજીઓમાં અનુજાતી અને અનુ જનજાતીના 50 ટકાથી વધારે લાભાર્થી હશે તો સામુહીક સહાયનુ ધોરણ 80 ટકા રહેશે. જ્યારે અન્ય કિસ્સામાં સામુહીક સહાયનું ધોરણ 50 ટકા રહેશે.

ગીર જંગલ બોર્ડરનાં ગામોને વાંધા- સુચનો રજૂ કરવામાં પડી રહી છે મુશ્કેલી

DivyaBhaskar News Network | Nov 22, 2016, 04:40 AM IST
ઇકો સેન્સેટીવ ઝોનનું નોટીફીકેશન ગુજરાતીમાં પ્રસિદ્ધ કરો

ઇકોસેન્સેટીવ ઝોન અંગેનું નોટીફીકેશન હીન્દીમાં હોય જેથી ગીર જંગલ બોર્ડરનાં ગામોનાં લોકોને વાંધા- સુચનો રજૂ કરવામાં મુશ્કેલી પડી રહી હોય નોટીફીકેશન ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરવા ઉનાનાં ધારાસભ્યએ રાજ્યનાં મુખ્ય અધિક સચિવ ( વન અને પર્યાવરણ) ને પત્ર પાઠવી માંગણી કરી છે.

ઉના- ગીરગઢડા વિસ્તારનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશએ રાજ્યનાં મુખ્ય અધિક સચિવને પત્ર પાઠવી જણાવ્યું છે કે ભારત સરકારનાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા તા.25 ઓકટો. 2016નાં રોજ ઇકો સેન્સેટીવ ઝોન અંગેનું નોટીફીકેશન બહાર પડાયું છે જે હીન્દી ભાષામાં છેે. નોટીફીકેશન અંતર્ગત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્ય જીવ અભયારણ્ય સહિતનાં જંગલ વિસ્તારોને આવરી લેવાયા છે. ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં ગામડાઓ જંગલ બોર્ડર હદમાં આવેલા છે. નોટીફીકેશન અન્વયે અભયારણ્યોને ઇકો સેન્સેટીવ ઝોનમાં મુકવા માટે લોકો પાસેથી વાંધા-સુચનો મંગાવવામાં આવેલ છે. પરંતુ હિન્દી ભાષામાં નોટીફીકેશન હોય અને લોકો ભાષાથી સાવ અજાણ અને સમજી શકતા હોય તેમજ હિન્દી લખવામાં પણ અતિ મુશ્કેલી પડતી હોય જૂનાગઢ, અમરેલી, તાલાલા, ગીરગઢડા પંથકનાં લોકોમાં જબ્બર વિરોધ સાથે રોષ ઉઠ્યો છે. ત્યારે નોટીફીકેશન સંપુર્ણ પણે ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ કરી લોકો સુધી પહોંચાડવા ધારાસભ્યએ માંગણી કરી છે.

દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા

DivyaBhaskar News Network | Nov 23, 2016, 04:40 AM IST
દુનિયાભરનાલોકો સામે પર્યાવરણને બચાવવાની મોટી ચેલેન્જ છે. પ્રકૃતિની રક્ષા માટે લોકજાગૃતિના સર્વત્ર પ્રયાસો થઇ રહ્યા છે. સમયે ઉત્તરપ્રદેશના અવધબિહારીલાલે અનોખુ અભીયાન ચલાવ્યુ છે. 36 વર્ષથી તેઓ પર્યાવરણ જાગૃતી માટે પદયાત્રા કરી રહ્યા છે. 11 દેશોનો પ્રવાસ કરી ચુક્યા છે. ત્રણેય પદયાત્રીઓ આજે અમરેલીની મુલાકાતે આવી પહોંચ્યા છે.

ઉત્તર પ્રદેશના લખમીપુરના વતની અવધ બિહારીલાલે પોતાની પદયાત્રા 30 જુલાઇ 1980ના રોજ શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી પદયાત્રાને બાદમાં તો કોઇ દેશના સીમાડાઓ પણ રહ્યા. તેમની સાથે બે અન્ય પદયાત્રીઓ પણ જોડાયા છે અને તેઓ દેશ-વિદેશમાં ફરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા શું શું કરી શકાય ? તે અંગે તેઓ લોકજાગૃતિ કેળવી રહ્યા છે.

તેમની સાથે અલગ અલગ પદયાત્રીઓ પણ જોડાતા રહે છે. અમરેલી આવી પહોંચેલા અવધ બિહારીલાલે આજે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે તેમને જુદા જુદા 11 દેશોમાં પ્રકારે પદયાત્રા કરી છે. જ્યાં જાય ત્યાં પર્યાવરણને બચાવવા સંદેશો આપવા ઉપરાંત લીમડો, પીપળો, આંબળાના વૃક્ષોનુ ઠેર ઠેર વાવેતર કરે છે. શાળા-કોલેજ, સોસાયટીઓ કે લોકોના ઘરોમાં મોટા પ્રમાણમાં તેઓ વૃક્ષો વાવે છે. હાલમાં તેઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરી રહ્યા છે. આજે તેઓ અમરેલીમાં જીલ્લા કલેક્ટરને પણ મળ્યા હતાં.

આંબરડી સફારી પાર્ક તાત્કાલિક શરૂ કરવા માંગ, મોટા ભાગનું કામ પુર્ણ

Bhaskar News Amreli | Nov 21, 2016, 00:44 AM IST

    આંબરડી સફારી પાર્ક તાત્કાલિક શરૂ કરવા માંગ, મોટા ભાગનું કામ પુર્ણ,  amreli news in gujarati
ધારીઃધારી નજીક આવેલ આંબરડી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે. સફારી પાર્કમા આવતી પબ્લિક માટેનુ બહારની સુવિધાનુ કામ પુર્ણ થયા બાદ આ પાર્ક શરૂ થઇ શકશે. હાલમા જે ઓથોરીટીને તેની મંજુરી માટેની ફી પણ ભરપાઇ થઇ ગયેલ છે ત્યારે આ પાર્ક તાકિદે શરૂ કરવામા આવે તેવી બજરંગ ગૃપ દ્વારા રજુઆત કરવામા આવી છે.  ધારી બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી દ્વારા કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે આંબરડી સફારી પાર્કનુ તમામ કામ પુર્ણ થઇ ગયુ છે. 

પબ્લિક માટેની સુવિધા પ્રવાસન નિગમ દ્વારા કરવામા આવતી હોવાથી આ સુવિધા તાત્કાલિક કરવામા આવે તે જરૂરી છે. આ સફારી પાર્કમા કોનુ ગ્રહણ લાગ્યુ તે સમજાતુ નથી.  જયારે પાર્કનુ કામ શરૂ કરવામા આવ્યું ત્યારે પબ્લિક માટેની સુવિધા ઉભી કરવાની ખબર નહોતી ω કે પછી આવા પ્રશ્નો ઉભા કરીને ખોટો સમય કાઢવામા આવી રહ્યો છે તેવા પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વધુમા જણાવ્યું હતુ કે ધારીના વિકાસના દ્વાર ખોલનારા સફારી પાર્કમા રોડા નાખવામા આવી રહ્યાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કરવામા નહી આવે તો બજરંગ ગૃપ દ્વારા ગામ સમસ્ત આંદોલન કરી ગામ બંધનુ એલાન તેમજ ચક્કાજામ સહિતના કાર્યક્રમો યોજાશે.

બીજાની ટેરેટરીમાં સિંહ છોડવાનો વનતંત્રનો નિર્ણય ભારે પડશે ?

DivyaBhaskar News Network | Nov 21, 2016, 03:40 AM IST

આવા સંજોગોમાં સાવજો વચ્ચે લોહિયાળ જંગ નિશ્ચિત

નજરકેદ 15 સિંહને હડાળાનાં જંગલમાં મુક્ત કરાયા, અન્ય સાવજો સાથે લડાઇની શક્યતા

ગીરજંગલ કે જંગલ બહાર વસતા સાવજોની પોતાની એક ટેરેટરી હોય છે. સાવજોનો પોતાનો ઇલાકો એટલે ઘર. બીજા કોઇ સાવજો તેના ઘરમા ઘુસે તો ખુંખાર જંગ જામે છે. કયારેક જંગ પણ થાય અને મહેમાનને સ્વીકારી પણ લેવાય. આંબરડી પાર્કમાથી પકડીને કેદ રખાયેલા 15 સાવજોને હડાળાના જંગલમા મુકત તો કરાયા પરંતુ ત્યાં અન્ય સાવજો સાથે ઇલાકાને લઇને લડાઇ થશે તો શું તેઓ સવાલ સિંહ પ્રેમીઓને સતાવી રહ્યો છે.

સાવજો પોતાના ઇલાકાની રક્ષા માટે જીવ સટોસટનો જંગ પણ ખેલી લે છે. આવી લડાઇઓમા ઘાયલ થયેલા સાવજોની વનતંત્રને વારંવાર સારવાર પણ કરવી પડે છે અને કયારેક સારવારનો મોકો પણ મળતો નથી. જંગલમા દ્રશ્યો સામાન્ય છે. સાતેક માસ પહેલા આંબરડી પંથકમા સાવજોએ જુદીજુદી ઘટનામા ત્રણ લોકોને ફાડી ખાધા બાદ વિસ્તારના તમામ 16 સાવજોને કેદ કરી લેવામા આવ્યા હતા અને ખોડીયાર ડેમ નજીક બનાવાયેલા તાર ફેન્સીંગયુકત આંબરડી પાર્કમા રખાયા હતા.

સાવજોને કયાં મુકત કરવા તે અંગે ત્યારથી વનતંત્ર અવઢવમા હતુ. સાવજોને ફરી આંબરડીમા મુકત કરવાના હતા. ત્યારથી તેના નવા ઇલાકાની શોધ ચાલતી હતી. આખરે વનતંત્રએ મધ્યગીરમા હડાળા રેંજમા જેનગર વિસ્તારમાં 15 સાવજોને મુકત કર્યા છે. જો કે અહીથી હવે મોટો સવાલ ઉભો થાય છે કારણ કે ગીર જંગલનો દરેક વિસ્તાર કોઇને કોઇ સાવજ ગૃપની ટેરેટરી છે. સાવજો પોતાના વિસ્તારમા અન્ય સાવજોની ઘુસણખોરી જરાપણ ચાલવા દેતા નથી ત્યારે 15 સાવજોને વિસ્તારમા મુકત કરાતા આવનારા સમયમા સાવજો વચ્ચે ઘર્ષણ થવાનુ જેના પર વનતંત્રએ સતત નજર રાખવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજોને રહેવા માટે અમુક વિસ્તાર જોઇતો હોય છે જે વિસ્તારમાં એક સાવજ બીજા સાવજની ઘુસણખોરી જરા પણ ઇચ્છતો નથી. ત્યારે વનવિભાગે જેનગર વિસ્તારમાં એક સાથે 15 સાવજોને છોડી મુક્યા છે ત્યારે અંદરો-અંદરની લડાઇ થાય તેવો સિંહ પ્રેમીઓને ભય સતાવી રહ્યો છે.

ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે 15 સાવજો એકસાથે જેનગરમા છોડાતા અગાઉથી વિસ્તારમા રહેતા સાવજો સાથે અચુક લડાઇ થશે. વનતંત્રના પગલાથી વિસ્તારના સિંહબાળ પર પણ ખતરો રહેશે. નવો વિસ્તાર અને આંતરિક લડાઇના કારણે સાવજો સતત ખીજમા રહેશે.

નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં

Bhaskar news Amreli | Nov 20, 2016, 02:49 AM IST
નજરકેદ રખાયેલા 15 સિંહને મઘ્યગીરમાં છોડાયા, હજુ એક સિંહણ કેદમાં,  amreli news in gujarati
ધારીઃ ધારી તાલુકાના આંબરડી નજીક આવેલા વિસ્તારમાં આઠેક માસ પહેલા સાવજોએ હાહાકાર મચાવ્યો હતો અને જુદી જુદી ત્રણ ઘટનામાં સાવજોએ ત્રણ માણસોને ફાડી ખાધા હતાં તે સમયે વન વિભાગે અભુતપૂર્વ પગલુ લઇ આ વિસ્તારના તમામ સાવજોને ઝડપી લઇ નવા બનેલા આંબરડીપાર્કમાં કેદ કરી દીધા હતાં. જો કે હવે વન વિભાગે આ પૈકીના પંદર સાવજોને ગઇકાલે હડાળા રેન્જમાં જેનગર વિસ્તારમાં મુક્ત કરી દીધા હતાં. જ્યારે એક સિંહણને હજુ પણ કેદમાં  રખાઇ છે. 

સામાન્ય રીતે સાવજો માણસનો શિકાર કરતા નથી. પરંતુ જો તે માણસનો શિકાર કરવાનું શરૂ કરી દે તો ભારે જોખમી બની જાય છે. ધારી નજીક આંબરડી વિસ્તારમાં થોડા મહિના પહેલા આવુ જ બન્યુ હતું. એક પછી એક ત્રણ ઘટનામાં સીમમાં રહેતા ત્રણ માણસોને સાવજોએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેને પગલે વન વિભાગે અભૂતપૂર્વ નિર્ણય લઇ થોડા દિવસોમાં જ અહિં વસતા તમામ 16 સાવજોને પાંજરે પુરી દીધા હતાં. 

આ સાવજોને ખોડીયાર ડેમ નજીક નવા બનાવાયેલા આંબરડીપાર્ક વિસ્તારમાં કેદ કરી દેવામાં આવ્યા હતાં અને આ સાવજો પૈકી ક્યા સાવજ દ્વારા માણસનો શિકાર કરવામાં આવ્યો હતો તેની તપાસ કરાઇ હતી. ત્યારથી હવે આ સાવજોને ક્યા મુક્ત કરાશે તેના પર સિંહપ્રેમીઓની નઝર હતી. વનતંત્ર પણ તેના માટે યોગ્ય સ્થળની તલાશમાં અવઢવમાં હતું. આખરે પંદર સાવજોને હડાળા રેન્જના જેનગર જંગલમાં મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો.  ડીએફઓ કરૂપ્પાસામી અને સીસીએફ એ.પી. સીંગની રાહબરી નીચે પંદર સાવજોને જેનગરમાં ગઇકાલે છોડી દેવાયા હતાં. આ પૂર્વ તેમના માટે યોગ્ય સ્થળની તપાસ ચલાવાઇ હતી. ગત સવારે આઠ વાગ્યે જંગલમાં મુક્ત કર્યા બાદ તેના પર નઝર રાખવામાં આવી રહી છે. જ્યારે એક સિંહણને હજુ પણ આંબરડી પાર્કમાં રખાઇ છે. 

તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ
 
ધારીના ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.

જેનગર વિસ્તારમાં મુકત કરાયા : ડીએફઓ

ડીએફઓ કરૂપ્પાસામીએ જણાવ્યુ હતું કે પાછલા કેટલાક મહિનાથી આંબરડીપાર્કમાં રખાયેલા પંદર સાવજોને એક સાથે ગત સવારે જેનગર વિસ્તારમાં મુક્ત કરાયા હતાં અને એક સિંહણને હજુ પણ વન વિભાગે આંબરડીપાર્કમાં રાખી છે.તમામ સાવજોના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ.

શિકાર ન મળતા રિસામણે બેઠી બે સિંહણ, ત્રણ દિવસથી અહીં નાંખ્યા છે ધામા

Jaydev Varu, Rajula | Nov 20, 2016, 14:23 PM IST
શિકાર ન મળતા રિસામણે બેઠી બે સિંહણ, ત્રણ દિવસથી અહીં નાંખ્યા છે ધામા,  amreli news in gujarati
અમરેલીઃરાજુલા પંથકમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અહીના વડ ગામે આવેલ એક આંબાવડીયામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે કે આ વિસ્તારમા સાવજોને પુરતા પ્રમાણમા ખોરાક અને પાણી મળતુ નથી જેના કારણે સાવજો આમથી તેમ ભટકતા હોય છે. 
 

રાજુલાના વડ ગામે આવેલ જસુભાઇ ધાખડાના આંબાના બગીચામા છેલ્લા ત્રણેક દિવસથી બે સિંહણોએ ધામા નાખ્યા છે. આ સિંહણોને કોઇ પ્રકારની કનડગત નથી પરંતુ લોકોમા ભય જરૂર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારથી થોડે દુર 40 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. સિંહ પ્રેમીઓએ જણાવ્યું હતુ કે આ બે સિંહણો એકસાથે છેલ્લા ત્રણેક દિવસથી અહી કેમ ધામા નાખ્યા છે તેવા સવાલો પણ લોકોમાથી ઉઠી રહ્યાં છે. આ વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે પરંતુ અહી સાવજોને પુરતા પ્રમાણમા શિકાર મળી શકતો નથી. સાવજોને પીવાના પાણી માટે પણ ભટકવુ પડે છે. અહી વનવિભાગ દ્વારા પાણીની કુંડીઓ તો બનાવી છે પરંતુ આ કુંડીમા નિયમિત પાણી ન ભરાતુ હોવાનુ પણ સિંહ પ્રેમીઓ જણાવી રહ્યાં છે. હાલ તો આ બંને સિંહણોએ અહી છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખ્યા હોય લોકોમા અનેક સવાલો ઉઠી  રહ્યાં છે.

વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો

DivyaBhaskar News Network | Nov 16, 2016, 03:35 AM IST

    વનતંત્રનાં અધિકારીઓને સસ્પેન્ડ કરી ફરિયાદ ખેંચો,  amreli news in gujarati
વિસાવદરમાં કિસાન સંઘનું આવેદન

ભારતીયકિશાન સંઘનાં નેજા હેઠળ મંગળવારે ખાંભા ગામનાં બનાવ બાબતે વિસાવદર મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં ખેડૂત ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં ખેતરમાં આવેલ મકાનમાં ઘુસીને સિંહોએ બે બળદનું મારણ કરેલ બાદમાં વનતંત્રનાં અધિકારી, કર્મચારીઓએ પરિવારની મહિલાઓને માર માર્યો હતો. જે બાબતે સ્ટાફને સસ્પેન્ડ કરવા અને ખેડૂત પર થયેલ ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે તો જલ્દ આંદોલન કરવાની ચિમકી આપેલ છે. આવેદનપત્ર આપવામાં ખાંભા, હરિપુર, લીમધ્રા, મોટી મોણપરીનાં ખેડૂતો તથા ભારતીય કિશાન સંઘનાં તા.પ્ર. ધનજીભાઇ છોડવડીયા, જિલ્લા પ્રમુખ, અમરેલી જિલ્લા પ્રમુખ સહીતનાં કિશાન સંઘનાં આગેવાનો જોડાયા હતાં.

કિસાન સંઘનાં નેજા હેઠળ મામલતદારને અપાયું આવેદન. તસવીર- વિપુલ લાલાણી

રૂા.500-1000ની નોટ માટે 40 KMનો ધક્કો, નેસડાના લોકો જંગલમાં થઇ પહોંચે છે બેંક

Bhaskar News, Amreli | Nov 18, 2016, 09:07 AM IST
રૂા.500-1000ની નોટ માટે 40 KMનો ધક્કો, નેસડાના લોકો જંગલમાં થઇ પહોંચે છે બેંક,  amreli news in gujarati
અમરેલી: શહેર કે ગામડાઓમાં નોટ બદલવી હોય કે નાણા જમા કરાવવા હોય તો ગામમાં કે નજીકના સ્થળે વ્યવસ્થા જરૂર છે પરંતુ ગીર જંગલની મધ્યમાં આવેલા નેસડાઓમાં આવી કોઇ વ્યવસ્થા નથી. મધ્ય જંગલના નેસમાં વસતા લોકો માટે તો 40 કીમી દુર જંગલ બહાર નિકળે ત્યાર પછી જ કોઇ ગામમાં બેંક સુધી પહોંચી શકાય છે. અહિં માલધારીઓ મોટા પ્રમાણમાં પશુપાલન અને દુધનો વ્યવસાય કરે છે. તેમને નોટો જમા કરાવવા અને નાણા ઉપાડવા રોજે રોજ લાઇનમાં લાગવુ પડે છે. સમયસર પહોંચી શકાતુ ન હોય ધક્કા થાય છે. અમરેલી પંથકમાં ગીર પૂર્વમાં મધ્યગીરમાં નેસની સંખ્યા ઘણી વધારે છે. તમામ લોકોનો એક જ વ્યવસાય છે પશુપાલન.

દુર-દુર સુધી એટીએમ નથી, સમયસર પહોંચવા એસટી બસ મળતી નથી

ગીરમાંથી મોટા પ્રમાણમાં દુધનો વ્યવસાય થઇ રહ્યો છે. મંડળીઓ પણ મોટા પ્રમાણમાં ગીરમાંથી દુધ ખરીદે છે. મોટાભાગના માલધારીઓ પાંચ-દસથી લઇ 70 થી 80 પશુઓ રાખે છે. જેના કારણે તેમનો કારોબાર પણ મોટો છે. આ ગામોમાં નથી ટીવી કે રેડીયોની સગવડતા કે નથી મોબાઇલ ચાલતા. સરકારના કોઇ નિર્ણયની પણ અહિં ખુબ મોડી જાણ થાય છે. હવે આ માલધારીઓ નોટ બદલવાને લઇને પરેશાન છે. અનેક નેસ એવા છે કે 40 કીમી દુર જંગલમાં ધારી, દલખાણીયા, ખાંભા, જીરા, ધોકડવા જેવા સ્થળોએ પહોંચે પછી જ બેંક, એટીએમ કે પોસ્ટની સુવિધા મળે છે. સમયસર બેંકોએ પહોંવા એસટીની સુવિધા તો મળતી નથી. પોતપોતાના વાહનો લઇ જંગલ બહાર નિકળી પ્રયાસો કરે તો પણ હાથમાં નગણ્ય રકમ આવે છે. 

દેશનું સારૂ થતું હોયતો ભલે થોડી તકલીફ પડે

500 અને 1000ના દરની નોટો રદ કરવાનો નિર્ણય આમ જનતા માટે પીડાદાયક જરૂર સાબીત થઇ રહ્યો છે. ત્યારે અહિંના એક 90 વર્ષના વૃધ્ધે તો એમ પણ જણાવ્યુ હતું કે થોડા દિવસ લોકોને ભલે તકલીફ પડે. જો આનાથી દેશનું કંઇ સારૂ થતુ હોય તો જ્યારે ચરખા ગામેથી આવેલા એક વૃધ્ધે એમ જણાવ્યુ હતું કે અમે સવારના પાંચ વાગ્યાથી અહીં લાઇનમાં ઉભા છીએ. છેલ્લા બે દિવસથી અમે આ રીતે નાણા લેવા દોડધામ કરી રહ્યા છીએ.
 
રોજ 2200નો ખોળ ખરીદવો ક્યાંથી?

ગીરના એક માલધારીએ જણાવ્યુ હતું કે અમારા પશુઓ માટે દરરોજ બે ગુણી ખોળની જરૂર પડે છે. રોજ 2200 રૂપીયાના ખોળની જરૂર છે પણ આ ખોળ ખરીદવો કેમ? મારી પાસે રૂા. 500 અને 1000ની જ નોટો છે. અમારે ઢોર ચરાવવા જવુ કે બેંકની લાઇનમાં ઉભા રહેવુ ?

સિંહોની સાથે સેલ્ફી લેવા જતા પડ્યું મોંઘુ, ત્રણ યુવકો ગેરકાયદે ગુસ્યા જંગલમાં

Bhaskar News, Savarkundla | Nov 17, 2016, 23:57 PM IST
સિંહોની સાથે સેલ્ફી લેવા જતા પડ્યું મોંઘુ, ત્રણ યુવકો ગેરકાયદે ગુસ્યા જંગલમાં,  amreli news in gujarati
  • ફાઇલ ફોટો
સાવરકુંડલા:ગીર પુર્વ વનવિભાગ ધારી હેઠળ આવેલ કરમદડી રાઉન્ડમા વડોદરાના ત્રણ યુવકો ગેરકાયદે સિંહદર્શન અને સિંહોની સાથે સેલ્ફી લેવા જતા વનવિભાગે ત્રણેય યુવકોને ઝડપી લઇ 25 હજારનો દંડ ફટકાર્યો હતો. વડોદરાના ચાર્મિસ ગોવિંદભાઇ કહાર, ચસીનભાઇ રાજેશભાઇ પાટડીયા તેમજ જયરાજસિંહ વાઘેલા નામના યુવકો ગેરકાયદે જંગલમા પ્રવેશ્યા હતા. આ દરમિયાન વનવિભાગના પેટ્રોલીંગ દરમિયાન ત્રણેય શખ્સો ઝડપાઇ ગયા હતા.

સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST
સિંહણને કાઢવા વનતંત્ર- ખેડૂતો સામસામે, એકબીજા પર હુમલા કરાયા,  amreli news in gujarati
વિસાવદરઃ વિસાવદરનાં  ખાંભાની સીમમાં ગુરૂવારે સાવજ પરિવારે એક વાડીનાં મકાનનો દરવાજો તોડી બે બળદનું મારણ કર્યા બાદ એક સિંહણ અંદર પુરાઇ જતાં ખેડુતે વનતંત્રને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર આવી દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનસ્ટાફે વાડી માલીકને માર માર્યો હતો. 

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરએફઓ અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસમાં સામ-સામી ફરિયાદો નોંધાતા મામલો તંગ બની ગયો છે. વિસાવદર તાલુકાનાં ખાંભા (ગીર)થી બે કિમીનાં અંતરે આવેલી ધનસુખભાઇ પુનાભાઇ ડાભીનાં વાડીનાં મકાનનો દરવાજો તોડી ગુરૂવારનાં રાત્રીનાં સાવજ પરિવારે બે બળદનું મારણ કર્યુ હતું. બાદમાં શુક્રવારે વહેલી સવારનાં બે સિંહ બહાર નિકળી ગયા હતાં. જયારે એક સિંહણ અંદર ફસાઇ ગઇ હતી.

સવારે 6 વાગ્યે ધનસુખભાઇ  વાડીએ જતાં દરવાજો તુટેલો જોતા અંદર સિંહણને નિહાળી નવાઇ પામી ગયા હતાં. આ અંગે વનતંત્રને જાણ કરતાં 4 કલાક સવારે 10 વાગ્યે સ્ટાફે આવી તપાસ કરી રેસ્કયુ ટીમને બોલાવી હતી.
 
સ્ટાફે મકાનનો દરવાજો ખોલવાનું કહેતા તેની ના પાડતાં વનતંત્રનાં સ્ટાફે  ધનસુખભાઇ અને બે મહિલાને લાકડીથી માર મારતાં ત્રણેયએ સરકારી હોસ્પિટલે દાખલ થઇ

રાજુલા: દીપડાનાં હુમલામાં જગતપીરની જગ્યાના પુજારીનું મોત

Bhaskar News Amreli | Nov 12, 2016, 02:06 AM IST

રાજુલા: અનુસાર વઢેરા ગામે રહેતા સતાર શાહ હસન શાહ શેખ નામના ફકિર યુવાન વઢેરા નજીક આવેલ જગતપીરની જગ્યામા પુજારી છે. તેઓ ગત મોડીરાત્રીના જગતપીરની જગ્યાએથી ધાર્મિક પ્રસંગ પતાવી પરત ફરી રહ્યાં હતા ત્યારે અવાવરૂ જગ્યાએ તેના પર ખુની હુમલો થયો હતો. સતાર શાહને માથાના ભાગે ઇજા થતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. 
 
અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે 
 
બાદમાં આસપાસના લોકો દ્વારા પોલીસને જાણ કરવામા આવતા જાફરાબાદ પોલીસ અને વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બાદમા મૃતકની લાશને પીએમ માટે જાફરાબાદ દવાખાને ખસેડાઇ હતી. અહી મૃતકના પત્ની તેમજ બે દિકરીઓ અને પુત્રએ પોલીસને આપેલા નિવેદનમા જણાવ્યું કે  દિપડા દ્વારા તેમના પર હુમલો થયો છે.અગાઉ સતાર શાહે અમને કહેલુ કે આ વિસ્તારમા દિપડો આંટાફેરા મારે છે જેથી ધ્યાન રાખીને પસાર થવુ. અહી તબીબે પોસ્ટમોર્ટમ કરી જણાવ્યું હતુ કે તેમને માથાના ભાગે પંજાના નિશાન હોવાનુ પોલીસને જણાવ્યુ હતુ. 
 
વન્યપ્રાણીના કોઇ સગડ નથી- આરએફઓ
 
રાજુલાના આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે અમારી ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી. અહી વન્યપ્રાણીના કોઇ સગડ મળ્યાં નથી. આ પોલીસની તપાસનો વિષય છે. કોઇ તિક્ષણ હથિયારના નિશાન હોય શકે.
વનતંત્રનો સ્ટાફ પણ અમારી સાથે હતો
 
 PI જાફરાબાદના ઇન્ચાર્જ પીઆઇ દશરથસિંહ વાઢેરે જણાવ્યું હતુ કે બનાવ બન્યો ત્યારે વનવિભાગનો સ્ટાફ પણ અમારી સાથે હતો. ગામ લોકો દ્વારા પણ જણાવાયું હતુ કે વન્યપ્રાણીઓએ હુમલો કર્યો છે. તેના પરિવારે પણ જણાવ્યું હતુ અને તબીબે પણ વન્યપ્રાણીનો હુમલો હોવાનુ અને પંજાના નિશાન હોવાનુ જણાવ્યું હતુ.

ગીર પંથકમાં ઇકોઝોન મુદે ભાજપ, કોંગ્રેસ, કિશાન સંઘ એક મંચ ઉપર

DivyaBhaskar News Network | Nov 09, 2016, 03:40 AM IST

તાલાલામાં હોદેદારોની અગત્યની બેઠક મળી : દિલ્હી સુધી રજૂઆત કરશે

ગીરપંથકમાં ઇકોઝોનનાં કાયદાઓથી ઉભી થનાર મુશ્કેલીઓને યોગ્ય સ્તરની રજુઆત સાથે સરકાર સુધી પહો઼ચાડી કાયદામાં ફેરફાર સાથે સમીક્ષા કરાવવા મુદે આજે ભાજપ, કોગ્રેસ, કિશાન સં એક મંચ ઉપર આવેલ કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય વિભાગે 26 ઓકટોબરનાં ઇકોઝોનનું નોટીફીકેશન બહાર પાડી 2 નવેમ્બરે લોકો માટે ખુલ્લુ મુકયા બાદ તાલાલા પંથકનાં રાજકીય આગેવાનો અને કિશાન સંઘ એક મંચ ઉપર આવેલ.

તાલાલા બોરવાવ ફાટક પાસે આવેલ વિવેકાનંદ શૈક્ષણીક સંકુલ ખાતે ઇકોઝોન મુદે મળેલી બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ વાદી, પ્રમુખ ડાયાભાઇ વઘાસીયા, તાલાલા પાલિકાનાં પુર્વ પ્રમુખ અમીત ઉનડકટ, તાલુકા કોંગ્રેસ અગ્રણી અને આદિવાસી સંઘનાં પ્રમુખ અહેમદ વલી મકવાણા ગીર સોમનાથ જિલ્લા કિશાન સંઘ પ્રમુખ ભરત સોજીત્રા, તાલાલા તાલુકા પ્રમુખ રાજુભાઇ પાનેલીયા, ચિત્રોડનાં સરપંચ બાવચંદભાઇ પરમાર સહીત તાલાલા તાલુકાનાં ગામડાનાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ઇકોઝોનની અસર ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાનાં તમામ તાલુકા ઇકોઝોન હેઠળ આવતા હોય ઇકોઝોનનાં નવા કાયદાથી આમ પ્રજા, ખેડૂતો, નનાના ધંધાર્થીઓને પડનારી મુશ્કેલી અને વિસ્તારોનો વિકાસ રૂંધાય તેવી સંભાવના હોય. નવા ઇકોઝોનનું નોટીફીકેશન ઓનલાઇન રજુ થયુ હોય.

જે કોઇને વાંધા રજુ કરવાનાં હોય તો 60 દિવસમાં ઓનલાઇન રજુ કરવાનાં તે વ્યવસ્થા યોગ્ય હોવાનો સુર બેઠકમાં ઉઠેલ અસરકર્તા દરેક ગામોમાં સરપંચ મીટીંગ્ બોલાવી લોકોને ઇકોઝોન કાયદાની જાણ કરે અને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય તેવું આયોજન શરૂ કરવાનું નક્કી થયેલ.

વાંધા-સુચનો ઓનલાઇન રજુ કરી સંયુકત પક્ષો અને કિશાન સંઘનું બનેલ એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર અને દિલ્હી સુધી યોગ્ય રજુઆતો કરે તે માટે આગામી દિવસોમાં એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવશે. ઇકોઝોન મુદે મળેલ સર્વપક્ષીય બેઠકમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારમાં રાજકીય વાતો બાજુએ રાખી લોકો અને અસરકર્તા વિસ્તારને અસરકર્તા મુશ્કેલીનો ઉકેલ લાવવા સામુહીક નિર્ણય થયેલ હતો.

પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો

Jaydev Varu, Rajula | Nov 06, 2016, 17:27 PM IST
પીપાવાવ રોડ પર સિંહ પરિવારનાં ધામા, વાહન વ્યવહાર થંભી ગયો,  amreli news in gujarati
  • ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે
રાજુલા:રાજુલાના પીપાવાવનો ચાર માર્ગીય રસ્તો અવાર નવાર સાવજોનો ભોગ લે છે. અહિં સાવજોની સુરક્ષાની માત્ર વાતો જ થાય છે અને સાવજોનો ભોગ લેવાતો રહે છે. ગઇરાત્રે પણ અહીં સિંહ-સિંહણ અને એક સિંહબાળે રસ્તા પર જ અડ્ડો જમાવી દીધો હતો. જેને પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અહિં સાવજો પર ખતરો હોય વનતંત્ર યોગ્ય પગલા લે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે. 
 
આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું
 
ભુતકાળમાં પણ પીપાવાવ ફોર વે પર અજાણ્યા વાહનોની હડફેટે સાવજોના મોતની ઘટના બની ચુકી છે. ગીર જંગલ બહાર વસતા સાવજો છેક પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વસી રહ્યા છે. અવાર નવાર જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે તે પીપાવાવ ફોર વે પર આ સાવજો આવી જાય છે અને અકસ્માતનો ભોગ બને છે. ગઇરાત્રે ફરી એકવાર આ સાવજો પર મોતનું તાંડવ આવતા માંડ અટક્યુ હતું.
 
એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા 
 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે એક સિંહ સિંહણ તેના બચ્ચા સાથે આ રોડ પર આવી ચડ્યા હતાં અને આ સાવજ પરિવારે રસ્તા પર જ અડ્ડો જમાવ્યો હતો. જેને પગલે થોડીવાર માટે વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. સદનશીબે ગઇ રાત્રે તો કોઇ અકસ્માત થયો ન હતો પરંતુ સાવજના અહિં ધામા હોય ગમે ત્યારે અકસ્માતની ભીતી છે. જેને પગલે વનતંત્ર સાવચેતીના પગલા લે તેવી સિંહપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી

Bhaskar News, Amreli | Nov 03, 2016, 00:52 AM IST
દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ખીચોખીચ: સિંહ દર્શન માટે લોકોની હડીયાપટ્ટી,  amreli news in gujarati
અમરેલી:દિપાવલીનાં પાવન તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રના ફરવા લાયક રમણીય સ્થળો અને ધર્મસ્થાનોમા દર વર્ષે પ્રવાસીઓની મોટી ભીડ ઉમટી પડે છે. આ પરંપરા જળવાતી હોય તેમ ઓણસાલ પણ દિપાવલીના તહેવારો દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારો પ્રવાસીઓથી ઉભરાયા છે. સારા ચોમાસાના કારણે ગીરનો નજારો રમણીય છે. જેનો પ્રવાસીઓ ભરપુર આનંદ લુંટી રહ્યાં છે હજુ બે ત્રણ દિવસ આવો ધસારો રહેશે.
 
સોળે કળાએ ખીલેલી ગાંડી ગીરનુ આકર્ષણ કંઇક જુદુ જ છે. અને તેમા પણ સિંહ દર્શનના મોકાની આશા હોય તો પ્રવાસીઓ અહી ખેંચાયા વગર રહે ખરા ω દિપાવલીની રજાઓનો માહોલ આમપણ હરવા ફરવાનો સમય છે. આસપાસના લોકો તો રજાઓમા ફરવાનો આનંદ માણે જ છે પરંતુ ગુજરાતભરમાથી નહી પણ દેશભરમાથી આ વિસ્તારમા પ્રવાસીઓ ઉમટે છે. હાલમા ચાલી રહેલી દિવાળીની રજાઓમા ફરી આ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી પંથકમાં ગીર જંગલ પ્રવાસીઓથી ગુંજી ઉઠયું છે. આ વિસ્તારના પ્રાકૃતિક નજારાઓનો આનંદ માણવા અને ધર્મસ્થાનોમા દર્શનાર્થે હકડેઠ્ઠઠ માનવ મેદની ઉમટી પડી છે. અમરેલી પંથકમાં ગીરકાંઠાના ગામોમા મોટા પ્રમાણમા ધર્મસ્થાનો આવેલા છે. આ ઉપરાંત ગીર જંગલની મધ્યમા પણ આસ્થાના ધામ સમા મંદિરો આવેલા છે. જયાં પાછલા ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામા દર્શનાર્થીઓ ઉમટયા હતા.

ધારી નજીક આવેલ સુપ્રસિધ્ધ ખોડીયાર મંદિર, કનકાઇ, બાણેજ, તુલશીશ્યામ, જમજીરનો ધોધ, ભીમચાસ, સરની ખોડિયાર, વાંકુની ધાર, સતાધાર, પરબધામ સહિતના નાના મોટા ધર્મસ્થાનો પર મોટી સંખ્યામા ભાવિકો ઉમટયા હતા. આ વિસ્તારના જંગલમાથી દિવ, સોમનાથ, વેરાવળ તરફ જતા પ્રવાસીઓની પણ મોટી ભીડ જોવા મળી હતી. લાભપાંચમ સુધી પ્રવાસીઓનો આવો જ ધસારો રહેવાની ધારણા રખાઇ રહી છે.
 
ધારી-તુલસીશ્યામમાં ભાવિકોની ભીડ
 
ગીર જંગલની મધ્યમા આવેલ તુલશીશ્યામ ખાતે શ્યામ મંદિરના દર્શનાર્થે પાંચ દિવસ દરમિયાન હજારો લોકોની ભીડ ઉમટી હતી. કનકાઇ બાણેજ, તુલશીશ્યામ સહિતના ધર્મસ્થાનોમા ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ હતી. ધારી નજીક ખોડિયાર મંદિર પર પણ પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

Monday, October 31, 2016

ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ

Bhaskar News, Bhavnagar | Oct 30, 2016, 20:46 PM IST
ભાવનગરનો દરિયો ડોલ્ફિનને ગોઠી ગ્યો, એકસાથે જોવા મળે છે 50-60ના જુંડ,  bhavnagar city news in gujarati
  • પ્રતિકાત્મક તસવીર
ભાવનગર: વિદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે મોટા એક્વેરીયમ, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે અને તેમાં ડોલ્ફિનને રાખવામાં આવે છે, અને તેના શો યોજવામાં આવે છે. ખાસ કરી અને બાળકોમાં ડોલ્ફિનની કાકલૂદી અને ઉછળકૂદ લોકપ્રિય હોય છે અને તેઓના હોઠે માછલીનો પર્યાય એટલે ફોલ્ફિન જ હોય છે. ભાવનગરના દરિયામાં અચાનક ડોલ્ફિનની સંખ્યા નોંધપાત્ર રીતે  જોવા મળી રહી છે. 

ભાવનગરના પ્રવાસન ધામો તરીકે ખ્યાતનામ કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાનીની સામે આવેલા મધદરિયામાં ડોલ્ફિનના જુંડ જોવા મળે છે.  ડોલ્ફિન ફિશ એક સાથે 50-60ના ટોળામાં જ ફરતી રહે છે, તેથી ક્યારેક ઘોઘાની સામે, ક્યારેક અન્ય દરિયા કિનારાના ગામોમાંથી જોવા મળે છે. દરિયાના પાણીમાંથી 15 ફૂટ જેટલી ઉછળે છે અને જુંડમાં જ્યારે ડોલ્ફિન મસ્તીએ ચડે છે ત્યારે વારાફરતી અવારનવાર પાણીમાંથી છલાંગો મારે છે. ડોલ્ફિનની આવી હરકત લોકોમાં ખાસ્સી લોકપ્રિય બને છે. ડોલ્ફિન ઉંડા પાણી ઉપરાંત પાણીની સપાટી પર પણ તરવામાં નિપૂણતા ધરાવે છે. સ્વભાવે પણ તે માયાળુ હોય છે.

સામાન્ય રીતે શરમાળ છતા માણસો સાથે સંપૂર્ણ સંવેદના ધરાવતી ડોલ્ફિન મોટા જહાજોના તરંગો દૂરથી પારખી લે છે અને તેથી જ મધદરિયે જહાજો સાથે ડોલ્ફિન ટકરાવાના બનાવો જવલ્લે જ બને છે. શિપિંગ લાઇન સાથે વર્ષોથી સંકળાયેલા જયેશભાઇ સોનપાલના જણાવ્યા પ્રમાણે અલંગમાં અત્યાર સુધીમાં 34 વર્ષના ઇતિહાસમાં 7288 જહાજો ભાંગવા માટે આવી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી જહાજ સાથે કોઇ ડોલ્ફિન અથડાઇ હોય તેવો બનાવ બન્યો નથી અથવા ડોલ્ડિનને કારણે જળ અકસ્માત બન્યા હોય તેવુ સાંભળવામાં આવ્યુ નથી.

ભાવનગરના માછીમારો પણ જ્યારે દરિયો ખેડે છે ત્યારે તેઓની જાળમાં ક્યારેય ડોલ્ફિન ફસાઇ ન જાય તેની તકેદારી તેઓ રાખે છે, અને ડોલ્ફિનને તેઓ દોસ્ત માને છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના પ્રચલિત પ્રવાસન સ્થળોએ ડોલફીન અંગે વર્ણન કરવામાં આવે છે.

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ

Bhaskar News, | Oct 30, 2016, 11:41 AM IST
સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ક્રેઝ, 14 દિવસનું ઓનલાઇન બુકિંગ ફૂલ,  junagadh news in gujarati
જૂનાગઢ:કાલે દિવાળી. દિવાળીની રજાઓમાં લોકો ફરવા ઉપડી ગયા છે. સોરઠ તરફ પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.તેમજ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ કરતા હોય છે. સાસણમાં સિંહ દર્શન માટે 14 દિવસનું એટલે તા. 12 નવેમ્બર સુધીનો ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. આ ઉપરાંત જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં આવલી હોટલો પણ હાઉસફૂલ થઇ ગઇ છે.

પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન

છેલ્લા એક દાયકાથી પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ તરફ વધ્યું છે. દેશ-વિદેશનાં પ્રવાસીઓ જૂનાગઢ ઉપરાંત સોરઠની મુલાકાતે આવતા થયા છે. તેમાંય ગુજરાતીઓ તો દિવાળીનું વેકેશન સોરઠમાંજ ગાળવાનુ પસંદ કરતા થયા છે. કાલે દિવાળીથી રસ્તા પર પ્રવાસીઓનાં વાહનો જોવા મળશે. જે જૂનાગઢમાં રોકાણ કરશે. શહેરમાં આવેલા ભવનાથ, ઉપરકોટ, સક્કરબાગ, ગિરનારની મુલાકાત લેશે બાદ પ્રવાસીઓ સોમનાથ, સાસણ, દિવ તરફ જશે. ચાર દિવસ સુધી જૂનાગઢ જિલ્લામાં રોકાણ કરશે. પ્રવાસીઓ ગિર અભ્યારણમાં સિંહ દર્શન, જૂનાગઢનાં ફરવાલાયક સ્થળોની મુલાકાત લેશે.

જૂનાગઢ અને સોરઠની હોટલોમાં જગ્યા નથી

સોરઠમાં એકંદરે આગામી લાભપાંચમ સુધી તો પ્રવાસીઓનો ટ્રાફિક રહેશે.તેમજ જૂનાગઢ શહેર અને ગિર-સોમનાથ જિલ્લામાં આવેલી હોટલો ફૂલ ગઇ છે. સાસણમાં ગિર અભ્યારણ તથા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે. તેમજ સિંહ દર્શન માટે ઓનલાઇન પરમિટ લેવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનું દિવાળી પહેલાથી ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું હતુ. દિવાળી પહેલા બુકીંગ ફુલ થઇ ગયું છે.ડીએફઓ રામરતન નાલાએ જણાવ્યું હતુ કે, સિંહ દર્શન માટે તા. 12 નવેમ્બર સુધીનું ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. 150 પરમિટ ઇશ્યુ કરી દેવામાં આવી છે.
 
એક પરમીટમાં 8 વ્યક્તિ હોય છે
 
સાસણમાં વન વિભાગ દ્વારા આપવામાં આવતી પરમિટમાં એક પરમિટમાં 8 વ્યક્તિ સિંહ દર્શન કરવા જઇ શકે છે. શનિવારથી જૂનાગઢ,સાસણ, દીવ, સોમનાથ તરફ લોકોનો પ્રવાહ શરૂ થઇ ગયો છે.

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો

વાછરડીની મિજબાની માણતો હતો સિંહ, પુંછડી પકડી વૃધ્ધે બળદને બચાવ્યો,  junagadh news in gujarati Bhaskar News, Visavadar | Oct 29, 2016, 23:13 PM IST

વિસાવદર:વિસાવદરનાં  ભુતડી (રામગઢ) ગામને છેલ્લા બે દિવસથી સિંહે બાનમાં લીધેલ હોય એમ ગત તા.27નાં ચોકમાં આવી મધરાતે બે વાગ્યાની આસપાસ ગાયનું મારણ કર્યુ હતું. બાદમાં બીજા દિવસે રાત્રીનાં 10 વાગ્યાની આસપાસ ઘુસી આવી દલિતવાસમાં ગાયનું મારણ કરી ત્યાંથી શેરીઓમાં આંટા મારતો ગામ વચ્ચોવચ્ચ રહેતા મધુભાઇ નાગજીભાઇ વસાણીનાં મકાનની 9 ફુટ ઉંચી દિવાલ કુદીને અંદર પ્રવેશી ગાય અને વાછરડીનાં શિકાર શિકાર કર્યા હતાં.

બે દિવસથી ગામમાં સિંહ આવતા હોવાથી લોકોમાં ગભરાટ

મારણની મિજબાની માણી રહેલા સાવજની બાજુમાં જ બે બળદ, ભેંસ, બે પાડરડી બાંધેલા હોય થર-થર ધ્રુજી રહયાં હતાં. ત્યારે મધુભાઇનાં કાકા ભીખુભાઇ અરજણભાઇ વસાણી (ઉ.વ.65)એ હિંમતપુર્વક ત્યાં જઇ સાંકળોથી બાંધેલી ભેંસ, બળદોને છોડાવી લીધેલ. પરંતુ એક બળદ જયાં બાંધેલ હતો તે જગ્યાએ સિંહની પુંછડી પડેલી હોય તે ઉંચી કરીને બળદને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. ઘરમાં સિંહ ઘુસી આવતાં તેને જોવા લોકોનાં ટોળા ઉમટયાં હતાં. સતત બે દિવસથી ધામા અને પશુઓનાં મારણની ઘટનાઓથી લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ પ્રસર્યો છે.

ગિરનાર પરિક્રમામાં શૌચાલય સંચાલકો બેફામ ભાવ વધારશે

DivyaBhaskar News Network | Oct 28, 2016, 08:55 AM IST
જૂનાગઢમાંલીલી પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન પે એન્ડ યુઝ શૌચાલયોનાં કોન્ટ્રાક્ટરો દ્વારા મનમાની આચરી યાત્રાળુઅો પાસેથી તોતીંગ ભાવ વધારો લેવામાં આવે છે. જે બાબતે કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાનાં કમિશ્નરને પરેશ મોરવાડીયાએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જૂનાગઢનાં મુખ્ય બે તહેવારો પરિક્રમા અને શિવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ઉત્સવો દરમિયાન અનેક સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિનાં ઉતારાઓ યાત્રાળુઓની ખડેપડે સેવા ચાકરી કરે છે. તેમના માટે લાખો રૂપિયા ખર્ચી વિનામૂલ્યે ભોજન પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરે છે. સરકાર દ્વારા આવી વ્યવસ્થા કરવામાં આવતી નથી. મુખ્ય બે તહેવારો દરમિયાન શૌચાલયનાં સંચાલકો મીલી ભગત કરી તોતીંગ ભાવ વધારો કરે છે. જેનાં કારણે યાત્રાળુઅો જાહેરમાં શૌચક્રિયા અને સ્નાન ક્રિયા કરવા મજબુર બની જાય છે. પરિણામે ગીરનાર તીર્થક્ષેત્રની ભૂમી પ્રદૂષિત પણ થાય છે અને જંગલમાં પણ ગંદકી ફેલાય છે. સરકાર દ્વારા મફત કે વ્યાજબી ભાવે યાત્રાળુઓને આવી સેવા મળે અેવું અભિયાન ચલાવવું જોઇએ.

પરિક્રમા બાદ સફાઇ માટે નામ નોંધાવી શકાશે

DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગિરનારનીપરીક્રમા બાદ જંગલમાં વેરાયેલા પ્લાસ્ટીકનાં કચરાની સફાઇ માટે નું અભિયાન એક થી દોઢ માસ સુધી ચાલશે. જેમાં જોડાવા માટે કોઇપણ વ્યક્તિ, મંડળો કે સંસ્થાઓએ નામ નોંધાવી દેવા. સફાઇ ઝૂંબેશમાં જોડાનાર તમામ માટે જલારામ મંદિર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાશે. અને દરમ્યાન એમ્બ્યુલન્સ પણ તૈયાર રહેશે.તેમ મહેન્દ્રભાઇ મશરૂએ કહ્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગ સજ્જ

DivyaBhaskar News Network | Oct 27, 2016, 04:55 AM IST
ગરવાગઢ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે. પરિક્રમાનાં 36 કિમીનાં રૂટ ઉપર દર 50 મીટરનાં અંતરે એક-અેક સ્વયંસેવક ઉભો રહેશે અને યાત્રાળુઓને પ્લાસ્ટિક લઇ જવા અપીલ કરશે. ઉપરાંત રૂટ ઉપર કચરો નાંખવાનાં ઠેલા પણ મૂકવામાં આવશે. અને જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરાશે.

જૂનાગઢનાં ગિરનારની લીલી પરિક્રમા વર્ષે તા. 11 થી 15 નવેમ્બર દરમ્યાન યોજાશે. પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે. આથી જંગલ, વન્ય પ્રાણી અને પર્યાવરણનાં નિયમન માટે વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. વરસાદનાં કારણે રસ્તા રીપેરીંગનું કામ મોડું થયું છે. પરિક્રમા દરમિયાન ઝરણાં ચાલુ હોવાને કારણે બેરીકેટની વ્યવસ્થા કરાશે. પ્લાસ્ટિક મુક્તિ માટે સંસ્થાઓ દ્વારા વૈકલ્પિક કામગીરી કરવામાં આવશે.
Bhaskar News, Junagadh | Oct 27, 2016, 02:56 AM IST
    જૂનાગઢ: માછલીની ગંધવાળું પાણી 400 મીટરમાં છાંટી ચાલાક દીપડાને પકડ્યો,  junagadh news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: મુળ વિસાવદર તાલુકાનાં માંગનાથ પીપળી ગામનાં અને બેલાગામની સીમમાં ભાગીયું રાખી ખેતી કરતા વીપુલભાઇ ચારોલિયાનાં સાત માસનાં પુત્ર શિવમને માતાનાં પડખામાંથી દીપડો ઉપાડી ગયો હતો. અને ઝુંપડાની બાજુમાં ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી. 
 
જોકે, ચાલાક દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે જુદા-જુદા વિસ્તારમાં ચાર પાંજરા રાખ્યા હતા. પરંતુ ત્રણ દિવસથી તે છટકામાં આવ્યો નહોતો. બાદમાં આરએફઓ એસ. ડી. ટીલાળા અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને દીપડાનાં પગનાં નિશાન અને અહીં રહેતા લોકો પાસેથી તેની વિગતો મેળવી હતી. સ્મશાન પાસે વોંકળામાં દીપડો હોઇ ત્યાં પાંજરૂં ગોઠવ્યું હતુ. દીપડાને પાંજરા સુધી લાવવા માટે 400 મીટરનાં વિસ્તારમાં માછલીની ગંધવાળા પાણીનો છંટકાવ કર્યો હતો.
 
જેને પગલે દીપડો પાંજરા સુધી પહોંચ્યો હતો. અને અંતે તે પાંજરામાં પૂરાઇ ગયો હતો. વન વિભાગે દીપડાને પકડી લઇ જૂનાગઢ સક્કરબાગમાં મૂકી દીધો હતો. ચાર દિવસે દીપડો પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા દીપડાની વય પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

પરિક્રમાનાં રૂટ પર કામચલાઉ 10 દવાખાનાં કાર્યરત રહેશે

DivyaBhaskar News Network | Oct 26, 2016, 08:10 AM IST
ઝીણાબાવાની મઢી, માળવેલા, ભવનાથ, બોરદેવીએ સેવારત રહેશે

જૂનાગઢનીલીલી પરિક્રમાને લઇ દરેક વિભાગ દ્વારા કામગીરી પ્રારંભી દેવામાં આવી હોય તેમ જણાઇ રહ્યું છે. આરોગ્ય શાખા દ્વારા જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથ વિસ્તારમાં કામચલાઉ 10 દવાખાના કાર્યરત કરવામાં આવશે. તેમજ 3 જગ્યાએ 108ની સુવિધા રાખવામાં આવશે.જૂનાગઢમાં ગિરનાર ફરતે તા. 11 નવેમ્‍બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. જેમાં પરિક્રમાર્થીર્થીઓનાં આરોગ્‍યની તકેદારી માટે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા પરિક્રમાંનાં રૂટ પર પરિક્રમાંનાં પડાવો પૈકી જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી તથા ભવનાથ વિસ્‍તારમાં 10 જેટલા કામચલાઉ સરકારી દવાખાના કાર્યરત કરવામાં આવશે. જેમાં 20 જેટલા મેડીકલ ઓફીસર રાઉન્ડ ધી ક્લોક સેવારત રહેશે. પરીક્રમા રૂટ પર ત્રણ જગ્યાએ 108 આપતકાલીન આરોગ્ય સેવા માટે ખેડેપગે તૈયાર રહેશે. યાત્રાળુઓએ તેમના આરોગ્‍યની તકેદારી માટે આરોગ્‍યને હાનિકારક હોય તેવા ફરસાણ, વાસી કે પડતર ફળો તથા ખરાબ ખાણી-પીણીની વસ્‍તુઓ ખાવાની તકેદારી રાખવી. તેમજ ખરાબ પાણી, નદી-નાળાનું પાણી પીવાના ઉપયોગમાં લેવું નહિં, પીવા માટે કલોરીનેશન કરેલું પાણી પીવાના ઉપયોગમાં લેવું, અંગે ખાસ તકેદારી રાખવા, તેમજ આકસ્‍મિક સંજોગોમાં દરેક સ્‍થળોએ રાખવામાં આવેલ સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા આરોગ્ય અધિકારી ડો. સાપરિયા, ડો. સી.એલ. વ્યાસે જણાવ્યું છે.

ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સમીક્ષા બેઠક મળી

DivyaBhaskar News Network | Oct 25, 2016, 02:50 AM IST
બે માસમાં રોપ-વેની કામગિરી શરૂ થશે

9 નવેમ્બરે મુખ્યમંત્રી રોપ-વે સાઇટની મુલાકાત લેશે

ગિરનાર રોપ-વેને મંજૂરી મળી ગઇ છે. બે માસની અંદર ગિરનાર રોપ-વેને લઇ કામગીરી શરૂ થશે. તેમજ ગિરનાર રોપ-વેની કામગીરીને લઇ સોમવારે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. ઉપરાંત 9 નવેમ્બરે મુખ્યમંત્રી જૂનાગઢ આવી રહ્યા છે. ત્યારે રોપ-વે સાઇટની મુલાકાત લેશે અને ગિરનાર રોપ-વે અંગે માહિતી મેળવશે. ગિરનાર પર્વત ઉપર આકાર પામનાર રોપ-વેને ભારતીય પર્યાવરણ કમિટીની લીલીઝંડી મળી ગઇ છે. તેમજ કાયદાઓની વહિવટી પ્રક્રિયાઓ સંપન્ન થઇ છે. પરિણામે હવે બે માસની અંદર ગિરનાર રોપ-વેની કામગીરી શરૂ થશે. ત્યારે સોમવારે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં ગિરનાર રોપ-વેની કામગિરીની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં રોપ-વે કંપનીનાં અધિકૃત પ્રતિનિધીઓ, મેયર જીતુ હિરપરા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે. મેયર ગિરીશ કોટેચા, નિલેષ ધુલેશીયા સહિતનાં હાજર રહ્યા હતા. ગિરનાર રોપ-વેની કામગિરીની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી તા. 9 નવેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત લેશે. રોપ-વે બનાવનાર કંપની દ્વારા પ્રોજેકટ અને નકશા વગેરે બતાવવામાં આવશે. તેમજ મુખ્યમંત્રીનાં હસ્તે જૂનાગઢમાં વિકાસનાં કામોનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી જૂનાગઢ આવતા હોઇ કોર્પોરેશન અને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે

4 ટેકર્સ ટીમ દ્વારા 10 સિંહનાં ગૃપ પર નજર, પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડાશે,  junagadh news in gujarati Bhaskar News, Junagadh | Oct 26, 2016, 01:25 AM IST
  • ફાઇલ ફોટો
જૂનાગઢ:ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમાનું ઓયોજન કરતા હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાતા હોવાથી વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓને પરિક્રમાનાં રૂટ પરથી દૂર ખસેડાતા હોય છે. ચાલુ વર્ષે 4 ટેકર્સ ટીમની દેખરેખ હેઠળ 10 સિંહનાં ગૃપને પરિક્રમાનાં રૂટ પરથી ખસેડાશે.

આ વર્ષે 2 ટેકર્સટીમનો વધારો, કુલ 4 ટીમ સિંહ-દિપડા પર નજર રાખશે

જૂનાગઢમાં ગિરનાર ફરતે 36 કિમીનાં રૂટમાં લીલી પરિક્રમા થાય છે. પર્વતની ટેકરી, ચારેબાજુ હરિયાળી, જોખમી ચઢાણ, શાંતિનો અહેસાસ વગેરેને માણવા ગુજરાતભરનાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વનમાં ચાર દિવસનું રોકાણ કરતા શ્રદ્ધાળુઓને હિંસક પશુ જેવા કે સિંહ, દિપડાથી હાની ન પહોંચે તેની કાળજી વન વિભાગ રાખતું હોય છે. વન વિભાગ દ્વારા પરિક્રમાનાં રૂટની સાફ સફાઇ કરવામાં આવી છે. જંગલમાં સિંહનાં 10 ગૃપ ભ્રમણ કરતા હોય છે, જેને પરિક્રમા દરમિયાન રૂટથી દૂર ખસેડી 4 ટેકર્સની ટીમ દ્વારા દેખરેખ રખાશે. દિપડાને પણ દૂર રાખી 24 કલાક રેસ્કયુ ટીમ નીગરાની કરશે. હાલમાં વન વિભાગ સિંહ, દિપડાનું લોકેશન ટ્રેક કરી દેખરેખ રાખે છે. ગત વર્ષે 2 ટ્રેકર્સ ટીમ હતી પરંતુ ચાલુ વર્ષે 2 ટીમને વધારી પેટ્રોલીંગ કરશે.

38 સિંહ, 20 દિપડા જંગલમાં ફરે છે

ગિરનારમાં 33 સિંહ અને 5 સિંહબાળ, 20 જેટલા દિપડા પરિભ્રમણ કરે છે. જાંબુડી, પાતુરણ, કાળાગડબા, રણશીવાવ, રામનાથ, ભવનાથ વિસ્તારોને આવરી લઇ પરિક્રમાથી દૂર ખસેડાશે. જેનાં પર ટ્રેકર્સ ટીમ અને રેસ્ક્યુ ટીમ સતત નજર રાખશે. - એસ.પી.ટીલાળા, લાયઝનીંગ ઓફીસર, વન વિભાગ
પ્લાસ્ટિક ન વાપરવા સુચન

લાખો શ્રદ્ધાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાથી સામાજિક સંસ્થા અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં તકલીફ પડે છે. જેનાં કારણે વનને નુકશાન થતું હોવાથી પ્લાસ્ટિક ન વાપરવા વન વિભાગે સુચન કર્યુ છે.

વાહન સાથે પેટ્રોલીંગ કરાશે

વન્ય પ્રાણીઓને પરિક્રમાનાં રૂટથી દૂર ખસેડી દરેક ટ્રેકર્સ ટીમ વાહન દ્વારા પેટ્રોલીંગ કરશે. જ્યાં જરૂરીયાત રહેશે ત્યાં રેસ્ક્યુ ટીમને તાત્કાલિક બોલાવી કામગીરી કરવામાં આવશે.

રાવટી મૂકી 30 જેટલા કર્મચારીઓ નજર રાખશે

દરેક ટ્રેકર્સ ટીમમાં 5 કર્મચારીઓ દેખરેખ કરશે તેમજ અન્ય પોઇન્ટ પર 10 જેટલા કર્મચારીઓ નજર રાખશે. રાઉટી મુકી વન્ય પ્રાણીઓ પર નજર રાખવામાં આવશે.