Monday, February 29, 2016

ધંધુસર ગામની સીમમાંથી દીપડી પાંજરે પુરાઇ

  • DivyaBhaskar News Network
  • Feb 29, 2016, 05:40 AM IST
જૂનાગઢનજીકનાં ધંધુસર ગામની સીમમાં દીપડીએ ધામા નાખ્યા હોય એગં રજુઆત કરતા સામાજીક વનીકરણવિભાગે પાંજરૂ મુક્યુ હતુ.જેમાં ગતરાત્રીનાં દીપડી પુરાઇ ગઇ હતી.

અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ નજીકનાં ધંધુસર ગામની સીમમાં છેલ્લા એકદ માસથી દીપડએ ધામા નાખ્યા હતા.જેના પગલે ખેડૂતમાં ભય ફેલાયો હતો. અંગે વન વિભાગમાં ફરીયાદ કરી હતી. જેના પગલે સામાજીક વનીકરણ વિભાગનાં ડીએફઓ ડી.આઇ. ઠક્કરની સુચનાથી આરએફઓ જે.સી. હીંગળાજીયાની માર્ગદર્શનમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એસ. કાંબલિયા અને ટીમે ધંધુસરની સીમમાં ભુપતભાઇ જીવાભાઇનાં ખેતરમાં પાંજૂર મુક્યુ હતુ.જેમાં ગતરાત્રીનાં દીપડી પુરાઇ ગઇ હતી.જેના સાસર એનીમલકેરમાં મોકલી દેવામાં આવી હતી.

ભેંસાણનાં કરીયા ગામે સિંહે એક નહીં પણ બે દીપડીને ફાડી ખાધી’તી

ભેંસાણનાં કરીયા ગામે સિંહે એક નહીં પણ બે દીપડીને ફાડી ખાધી’તી
  • DivyaBhaskar News Network
  • Feb 29, 2016, 05:40 AM IST
ભેંસાણતાલુકાનાં કરીયા ગામે ગઇકાલે એક સિંહે ઇન્ફાઇટમાં એક દિપડીને મારીને ફાડી ખાધા બાદ આજે દિવસ દરમ્યાન બનાવનાં સ્થળથી માત્ર દોઢસો ફૂટનાં અંતરેથી બીજી દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહે તેનું માંસ પણ આરોગ્યું હતું. વનવિભાગે બીજો મૃતદેહ પણ કબ્જે કરી પીએમ માટે સક્કર બાગ મોકલી આપ્યો હતો.

ભેંસાણ તાલુકાનાં કરીયા ગામે ગઇકાલે એક દિપડાનો મૃતદેહ માંસ ખવાયેલી હાલતમાં મળી આવ્યા બાદ આજે ફરી એજ ગામેથી બીજી દિપડીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. અંગેની વિગતો આપતાં ઉત્તર ડુંગર રેન્જનાં આરએફઓ એસ. ડી. ટીલાળાએ જણાવ્યું હતું કે, બંને ઘટના ગઇકાલનીજ છે. અને સિંહે બંનેને એક પછી એક મોતને ઘાટ ઉતારી તેનું માંસ આરોગ્યાનું સ્પષ્ટ થયું છે. બીજી દિપડીનો મૃતદેહ ગઇકાલનાં મૃતદેહથી દોઢસો ફૂટનાં અંતરે રમેશભાઇ ડાંગરનાં ખેતરમાંથી મળી આવ્યો છે. બીજો મૃતદેહ મળ્યો સ્થળ ઝાડી ઝાંખરાવાળું હોઇ ઘટના અંગે કશો ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ આજે ત્યાંથી દુર્ગંધ ફેલાતાં ઘટના સામે આવી હતી. અમે દિપડાનાં મૃતદેહનો કબ્જો મેળવી તેને પીએમ માટે સક્કર બાગ મોકલી આપ્યો હતો. બંને દિપડીની વય એકસરખી એટલેકે, દોઢથી બે વર્ષની છે. આથી બંને જોડીયા બહેનો હોવાનું પણ માની શકાય. બનાવમાં ઘટનાસ્થળેથી સિંહનાં પંજાનાં નિશાન મળી આવ્યા છે. પરંતુ બાદમાં તેનાં વધુ સગડ મળી આવ્યા નથી.

ઈન્ફાઈટમાં વધુ એક દીપડી પણ મોતને ભેટી હતી. }ભાસ્કર

દુર્ગંધથી 2 દીપડાનાં શિકારનું બહાર આવ્યું

1ને બચાવવા જતાં બીજીએ જીવ ખોયો હોઇ શકે

સામાન્યરીતે સિંહ-દિપડા વચ્ચે દુશ્મનાવટ હોય છે. અને સિંહ એક વિસ્તારમાં આવે એટલે તેના સગડ મળતાંજ દિપડો ત્યાંથી ચાલતી પકડે છે. જો સામસામા આવી જાય તો ઇન્ફાઇટ પણ થઇ જાય. જેમાં મોટાભાગે દિપડાએજ મેદાન અથવા જીવ ખોવાનો વારો આવતો હોય છે. ગઇકાલથી ઘટનામાં બંને દિપડી સામે આવી ગયા બાદ સિંહ સાથે લડાઇ થઇ હશે. જેમાં એકને બચાવવામાં બીજી દિપડીએ જીવ ખોયો હોય એવું બની શકે. :એસ. ડી. ટીલાળા, આરએફઓ

ઉપરકોટનાં તળાવ પાસે જંગલમાં આગ લાગી

જૂનાગઢનાંઉપરકોટમાં આવેલા તળાવ પાસે આજે જંગલમાં આગ લાગી હતી.જેની જાણ ફાયર વિભાગને થતા ફાયરી ટીમ દોડી ગઇ હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો.


  • DivyaBhaskar News Network
  • Feb 29, 2016, 05:40 AM IST
જૂનાગઢનાં ઉપરકોટમાં તાજેતરમાં બીજી વખત આગની ઘટના બની છે. આજે ઉપરકોટમાં આવેલા તળાવ પાસેનાં જંગલમાં આગ લાગી હતી.જેની જાણ ફાયર વિભાગને થતા ફાયર ઓફીસર સંતોષ પટેલનાં માર્ગદર્શમાં ફાયરમેન રાજૂ ગોહિલ, ભાવેશ વરૂ, નિરાગ વાજા સહિતની ટીમ દોડી ગઇ હતી. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાણીની એક ગાડીનો મારી ચાલાવી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આંગમાં પક્ષીઓનાં માળા બળી ગયા હતા. જોકે વધુ કોઇ નુકશાન થવા પામ્યું હતું.

લંડનમાં ગીરનાં વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરૂ તૈયાર કરવામાં આવશે

લંડનમાં ગીરનાં વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરૂ તૈયાર કરવામાં આવશે
  • DivyaBhaskar News Network
  • Feb 29, 2016, 05:40 AM IST
ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા લંડન ખાતે સાસણમાં થતાં સિંહનાં બ્રીડીંગની જેમ લંડનમાં સિંહ સંવર્ધન માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લંડનમાં ગુજરાતમાં ગીરનાં વાતાવરણ જેવું પાંજરૂ તૈયાર કરી સિંહને રાખવામાં આવશે.

એશિયાઇ સિંહોની વસ્તી માટે ગીર સેન્ચ્યુરી ગીર નેશનલ પાર્ક પ્રખ્યાત છે. ગીર વિસ્તારની આજુબાુમાં સિંહની વસ્તી સિમીત હોવાને કારણે તેમનાં સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા એશિયાટીક સિંહોનું અભિયાન ચલાવવામાં આવે છે. લંડનમાં સિંહની પ્રજાતીનાં બ્રિડીંગ સંવર્ધન કેન્દ્ર માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. સાસણ ખાતે દેવળીયા બ્રિડીંગ જેવું લંડનમાં બ્રિડીંગમાં માટે પાંજરૂ તૈયાર થશે. ત્યાં પાંજરામાં ગીરની માફક વાતાવરણ ઉભું કરવામાં આવશે. ગામડાની માફક તેમાં વાતાવરણ ઉભુ કરી સિંહને વાતાવરણ પસંદ આવે તે પ્રકારની કામગીરી આરંભી દેવાઇ છે. લંડનમાં એશીયાઇ સિંહનાં રહેઠાણ વસવાટ માટે વાતાવરણ બિલકુલ અનુકુળ બની રહે તે માટેનો પહેલા સર્વે ગીર ખાતે થયો હતો.

એકસ્કલુઝીવ

લંડનમાં 2500 ચો.ફૂટમાં આયોજન

લંડનમાં25 માર્ચનાં કાર્યક્રમમાં પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ રસ્તો સાથે 2700 ચો.ફૂટમાં પ્રદર્શન યોજાશે. જેમાં ભારતીય થીમ પ્રમાણે તેમાં ટ્રેન સ્ટેશન, સિંહ મંદીર, મોટી શેરી અને ઝુંપડ પટી સહિત કલા પ્રદર્શન રખાશે.

લંડનમાં 25 માર્ચે સિંહનો કાર્યક્રમ

25માર્ચ 2016નાં લંડનમાં સિંહને કાર્યક્રમ રાખ્યો છે. જેમાં લેન્ડ ઓફ લાયન્સથી સાસણ-ગીરમાંથી લંડનમાં પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવશે.

લંડન ખાતે ગીર જેવો માહોલ ઉભો કરવામાં આવશે. }ભાસ્કર

ભેંસાણ તાલુકાનાં કરીયાની સીમમાં ઇન્ફાઇટમાં સિંહે દીપડાને ફાડી ખાધો


ભેંસાણ તાલુકાનાં કરીયાની સીમમાં ઇન્ફાઇટમાં સિંહે દીપડાને ફાડી ખાધો
  • Bhaskar News, Junagadh
  • Feb 28, 2016, 01:53 AM IST
ભેંસાણતાલુકાનાં કરીયા ગામે આવેલી એક વાડીમાં ગઇકાલે રાત્રે એક સિંહ અને દિપડા વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં સિંહે દિપડાને મારી નાંખી બાદમાં તેનું માંસ પણ આરોગ્યું હતું. બનાવ અંગે સવારે ખેડૂત ખેતરે પહોંચ્યો ત્યારે જાણ થઇ હતી.

કરીયા ગામે બહાદુરભાઇ ગોવિંદભાઇ વાઘેલાની વાડી આવેલી છે. અહીં તેમણે ઘઉંનો પાક લીધો છે. દરમ્યાન ગઇકાલે રાત્રે 11 વાગ્યાનાં અરસામાં સિંહ અને દિપડો સામસામે આવી ગયા બાદ બંને વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં કદાવર વનરાજ સામે દિપડો હાર્યો હતો. અને તેનું મોત થયું હતું. બાદમાં આજે વ્હેલી સવારે બહાદુરભાઇ પોતાની વાડીએ જતાં દિપડાનો સિંહે ફાડી ખાધેલો અને માંસ આરોગેલો મૃતદેહ મળી અાવ્યો હતો. આથી તેમણે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને દિપડાનાં મૃતદેહનું પંચનામું કર્યું હતું. બનાવ અંગે મથુરભાઇ માથુકિયા નામનાં ગ્રામજને કહ્યું હતું કે, રાત્રે આસપાસનાં ખેડૂતોએ બે જંગલી જાનવરો વચ્ચે ઇન્ફાઇટ થતી હોય એવા અવાજો સાંભળ્યા હતા. અને બાદમાં સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. વળી તેનું માંસ કોઇ બીજા પ્રાણીએ આરોગ્યું હતું. દિપડાની વય આશરે બે વર્ષની હોવાનું પણ જાણવા મળ્યું છે.

જે દિપડાનો મૃતદેહ મળી આવ્યો છે. તેનું માંસ અન્ય કોઇ જનાવરે સારા એવા પ્રમાણમાં આરોગ્યું છે. તેનો પગ પણ નોખો થઇ ગયો છે. આથી સિંહેજ તેને ફાડી ખાધો હોવાનું માની શકાય. કારણકે, કદાચ બે દિપડા વચ્ચે ઇન્ફાઇટમાં એકનું મોત થાય તો પણ એક દિપડો ક્યારેય બીજાનું માંસ તો નજ આરોગે. તસ્વીર }ભાસ્કર

ધણફૂલીયાની સીમમાંથી પાંચ દિ'માં વનવિભાગે દિપડી,દિપડો પાંજરે પૂર્યા

ધણફૂલીયાની સીમમાંથી પાંચ દિ'માં વનવિભાગે દિપડી,દિપડો પાંજરે પૂર્યા
  • DivyaBhaskar News Network
  • Feb 27, 2016, 09:35 AM IST
જૂનાગઢસામાજીક વનીકરણ વિભાગનાં શાપુર રાઉન્ડ હેઠળ આવતા ઘણફુલિયાની સીમમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યુ હતુ. જેની ફરીયાદનાં આધારે વન વિભાગે ઘણફુલિયાની સીમમાં પાંજરૂ મુક્યુ હતુ. તા. 21નાં દીપડી અને તા. 25નાં દીપડો પાંજરે પુરાયો હતો. પાંચ દિવસમાં બે વન્ય પ્રાણીને પાંજેર પુરી સાસણ એનીમલકેરમાં મોકલી દેવામાં આવ્યા હતા.

વંથલી સીમ અને ઓઝત કાઠા વિસ્તારમાં વન્ય પ્રાણી એવા દીપડા વગેરેનો રંજાડ રહે છે. વિસ્તારમાં અવાર નવાર દીપડા આવી ચડતા હોય છે અને મારણ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં સામાજીક વનીકરણ વિભાગનાં શાપુર રાઉન્ડ હેઠળનાં ઘણફુલિયા ગામની સીમમાં આવેલા અમીન ઇસ્માઇલ આમરેલિયાનાં વાછરડાનું દિપડાએ મારણ કર્યુ હતુ. અંગે વન વિભાગને અરજી કરી હતી. સામાજીક વનીકરણનાં ડીએફઓ ડી.આઇ. ઠક્કર, આરએફઓ જે.સી.હિંગળાજિયાનાં માર્ગદર્શનમાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એસ.કાંબલિયા અને ટીમે ઘણફુલિયાની સીમમાં પાંજરૂ ગોઠવ્યુ હતુ. પાંજરામાં તા. 21નાં 4 થી 5 વર્ષની દીપડી બાદ તા. 25નાં રાત્રીનાં 8 થી 9 વર્ષનો દીપડો પાંજરે પુરાયા હતા. વન વિભાગની ટીમે દીપડી અને દીપડાને પાકડી સાસણ એનીમલકેર મોકલી દીધા હતા.

'ડોન્ટ ડિસ્ટર્બ મી': બે વન કેસરી આરામની મુદ્રામાં કેમેરામાં ક્લિક થયા

'ડોન્ટ ડિસ્ટર્બ  મી': બે વન કેસરી આરામની મુદ્રામાં કેમેરામાં ક્લિક થયા
  • Bhaskar News, Una
  • Feb 27, 2016, 00:52 AM IST
ઊના:જંગલના રાજાને તેમની જ ટેરિટરીમાં તેમના રાજવી ઠાઠમાઠમાં જોવાનો લહાવો જ જુદો છે. ગીર અભયારણ્યમાં વસતા એશિયાટિક લાયનને પોતાની વૈભવી જીવન શૈલી માટે વિશ્વ આખામાં પ્રખ્યાત છે. પ્રાણીપ્રેમીઓ બહુ દૂર દૂરથી ગીરની મુલાકાત લે છે, પણ જંગલનો રાજા છે સિંહ! તેને મોઢું બતાવવું હોય તો જ બતાવે, નહીં તો આપી દે ઠેંગો. ઊના પાસે બપોરના સમયે બે વન કેસરી આરામની મુદ્રામાં જાણે કે ફોટોસેશન કરાવવા જ બેઠા હોય તેમ કેમેરામાં ક્લિક થઇ ગયા હતા.

ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા

ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા
  • Bhaskar News, Una
  • Feb 27, 2016, 02:54 AM IST
ઊના:ગીરગઢડાનાં દ્રોણમાં પરોઢીયે પાંચ સાવજોએ  આવી ચઢી ગામમાં લટાર મારી જુદી -જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી. ગીરગઢડાનાં જંગલ બોર્ડર નજીક આવેલા દ્રોણમાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ પાંચ સાવજોએ આવી ચઢી આખા ગામમાં લટાર મારી જુદી-જુદી જગ્યાએ પાંચ ગાયનાં શિકાર કરી મારણની મીજબાની માણી હતી.
 
-પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા
-ગીરગઢડા નજીક દ્રોણમાં સાવજોનું ટોળું ખાબક્યું
 
સવારે ગ્રામજનોએ  ગાયોનાં મૃતદેહો નિહાળતા વનતંત્રને જાણ કરતાં સ્ટાફે દોડી આવી સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ગામની સીમમાં સાવજોએ જાણે કે રહેઠાણ બનાવ્યું હોય એમ અવાર- નવાર માલઢોરનાં  મારણનાં બનાવોથી  ગ્રામજનોમાં  સતત ભય રહે છે.

જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ

  • DivyaBhaskar News Network
  • Feb 26, 2016, 10:01 AM IST
જૂનાગઢ| જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી અાર.જી અપારનાથીને ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીનાં હસ્તે ગ્રીન ગુજરાત ગૌરવ એવોર્ડ- 2016 એનાયત કરવામાં આવ્યો હતો. તકે સાંસદ રાજેન્દ્રકુમાર ચાવડા, ધારાસભ્ય રાઠોડ, જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.

પશુ પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટીને એવોર્ડ એનાયત

સક્કરબાગ ઝુંમાં 2015નાં વર્ષમાં માઉસકીપર સહિત 10 પ્રાણીઓનું આગામન

  • DivyaBhaskar News Network
  • Feb 26, 2016, 09:56 AM IST
જૂનાગઢસક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબીર યાજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિંગની અસર સાથે પ્રાણીઓ સાથે શું અસર પડે તે સમજાવ્યું હતું. તેમજ ઝુંના વિકાસ માટે ચાલુ વર્ષ વિદેશમાંથી કેરાકલ, ઝીબ્રા સહિતનાં 10 પ્રાણીઓ લાવવા માટેનાં પ્રયાસો શરૂ છે. તેમજ ગત વર્ષે કિંગકોબ્રા, પોકેટ મંકી સહિતનાં 10 પ્રાણીઓનું આગમન થયું છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનાં વિકાસ માટે લંડન, જેક રીપબ્લીક દેશોનાં ઝુ ખાતેથી અદાન-પ્રદાન કરવામાં આવશે. બાબતે પ્રાણી સંગ્રહાલય ખાતે શિક્ષણ શિબીર યોજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિં, ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓથી પ્રાણીઓનાં જીવન સામે અસ્થિત્વ વિશે સમજ આપી હતી.

સક્કરબાગ ખાતે વર્ષ 2015માં દુર્લભ બનતી અને વિદેશી 10 જાતિને લાવવામાં આવી હતી. ચાલુ વર્ષ ઝીબ્રા, ચિત્તો, ગેંડો-કેરાકલ જેવા પ્રાણીઓનું આગામન થશે. તેમજ શિડ્યુલ-1માં દુર્લભ બનતી પ્રજાતિ બાયસન, ચિંકારા, ચૌશીંગા અને ગીધનાં 15 બચ્ચાનો જન્મ-ઉછેર થયો હતો. શિબીરમાં નાયબ વન સંરક્ષક એસ.જે.પંડીત અને પશુ ચિકિત્સા અધિકારી ડો.કડીવાલ ઉપસ્થિત રહ્યા.

મઘરવાડામાંથી 4 ફૂટની મગર પકડાઈ, સાસણ ખાતે મોકલી દેવાઈ


મઘરવાડામાંથી 4 ફૂટની મગર પકડાઈ, સાસણ ખાતે મોકલી દેવાઈ

  • Bhaskar News, Keshod
  • Feb 25, 2016, 11:45 AM IST
જૂનાગઢ: કેશોદ તાલુકાનાં મઘરવાડા ગામે લાખાભાઈ હેરભાની વાડીએ મગર ચઢી આવતા આરએફઓ હિંગરાજીયાને જાણ કરતા અજાબ રાઉન્ડ ફોરેસ્ટર ડાંભલા, ગરચર,અને મુછાળ સહિતની ટીમ દોડી આવી રેસ્ક્યુ કરી ચાર ફૂટની મગરને પકડી સાસણ ખાતે મોકલી દેવાઈ હતી.

ગીર સોમનાથ: સિંહ દર્શને જતા પર્યટકોને રસ્તામાં થયો વનરાજનો ભેટો


રસ્તામાં વનરાજનો ભેટો થઇ ગયો

  • divyabhaskar.com
  • Feb 25, 2016, 20:04 PM IST
રસ્તામાં વનરાજનો ભેટો થઇ ગયો
ગીર સોમનાથ: ગીર દર્શને જતા લોકોને ઘણીવાર રસ્તામાં જ સાવજનાં દર્શન થઇ જાય છે. ત્યારે ઘણી વખતે એવું પણ થાય છે કે રસ્તા પર સાવજ સામે આવી જતા પોતાની કાર, જીપ રોકી દેવી પડે છે અને જંગલના રાજાને રસ્તો આપી દેવો પડે છે. આવો જ એક વિડીયો હાલ ગીરમાંથી વાયરલ થયો છે જેમાં પર્યટકોએ વનરાજને રસ્તો આપી દેવો પડ્યો હતો.
ગીર સોમનાથ નજીક સાવજ ઘણી વાર રસ્તામાં સામે મળી જતા હોય છે અને ગીર તો એમનું ઘર છે ત્યારે ત્યાં તો તેમનો ભેટો ગમે ત્યારે થઇ શકે છે. આવો જ એક વિડીયો હાલ જોવા મળ્યો છે જેમાં પર્યટકો સિંહ દર્શને ગયા હતા અને રસ્તામાં જ વનરાજનો ભેટો થઇ જતા તેમણે પોતાની કાર ઉભી રાખી દેવી પડી અને સાવજને રસ્તો આપી દેવો પડ્યો હતો.

વિસાવદરનાં લીમધ્રા ગામે દીપડાએ ખેડુતને કર્યો ઘાયલ

  • DivyaBhaskar News Network
  • Feb 26, 2016, 09:39 AM IST
વિસાવદરનાંલીમધ્રા ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરી ઘાયલ કરી દેતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવને પગલે પોલીસે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં સીમમાં સાત વાયા તરીકે ઓળખાતા વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત પરબતભાઇ બચુભાઇ હપાણી બપોરનાં અરસામાં પોતાનાં ખેતરમાં કામ પતાવી ભોજન લઇ કુંડી પર પાણી પીવા ગયેલ ત્યારે ત્યાં કુંડી પર દીપડો પાણી પીતો હોય તેને જોઇને હેબતાઇ ગયા હતાં. દીપડો પણ પરબતભાઇને જોઇને ગભરાટમાં આવી જઇ તેમની પર હુમલો કરી દેતા પરબતભાઇને હાથ અને મોઢા પર ઇજા પહોંચી હતી. દીપડાએ હુમલો કરતાં પરબતભાઇએ બુમાબુમ કરી મુકતા આસપાસમાંથી લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત પરબતભાઇને પ્રથમ મેંદરડા સરકારી હોસ્પિટલે ખસેડાયેલ. જયાં ડોકટરે સારવાર આપી જૂનાગઢ રીફર કર્યા હતાં. બનાવની જાણ થતાં વન વિભાગનાં સ્ટાફે દવાખાને પહોંચી વિગત મેળવી લીમધ્રાની સીમમાં પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

સાસણમાં સિંહ પર ફાયરિંગની અફવા, ફોરેસ્ટની ગાડીઓએ વિસ્તાર ખુંદી નાંખ્યો

સાસણમાં સિંહ પર ફાયરિંગની અફવા, ફોરેસ્ટની ગાડીઓએ વિસ્તાર ખુંદી નાંખ્યો
  • Bhaskar News, Junagadh
  • Feb 25, 2016, 01:05 AM IST
(તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે)
 
- જૂનાગઢ-સાસણ હાઇવે પાસે ઘટના બન્યાની વાતો વ્હેતી થતાં ફોરેસ્ટની ગાડીઓએ આખો વિસ્તાર ખુંદી નાંખ્યો

જૂનાગઢ: સાસણમાં આજે મોડી રાત્રે કોઇએ સિંહ પર બંદૂકનાં ભડાકા કર્યાની વાતો વ્હેતી થઇ હતી. જેને પગલે વનવિભાગનો સાસણ સ્થિત આખો સ્ટાફ તપાસમાં જોતરાયો હતો. અંતે આ વાત અફવા હોવાનું સ્પષ્ટ થતાં રાહતનો શ્વાસ ખેંચ્યો હતો.

સાસણમાં આજે મોડી રાત્રે એવી વાતો વ્હેતી થઇ હતી કે, જૂનાગઢ-સાસણ હાઇવે પરની એક હોટલની નજીકનાં જંગલ વિસ્તારમાં કોઇએ સિંહ પર બંદૂકમાંથી ભડકા કર્યા જેમાં સિંહનું મૃત્યુ થયું. વાતની ગંભીરતા પારખી વનવિભાગનાં અધિકારીઓ, બીટ ગાર્ડ સહિતનો કાફલો ગાડીઓ લઇને જંગલ ખુંદવા અને આવી કોઇ ઘટના બની હોય તો તેની તપાસમાં નિકળી પડ્યો હતો. ઘણી બધી તપાસનાં અંતે એવું કશું જોવા ન મળતાં આખી વાત અફવા હોવાનું સ્પષ્ટ થયું હતું.

વનવિભાગને જોકે, દોડધામ થઇ હતી. પરંતુ અંતે સહુએ રાહતનો દમ ખેંચ્યો હતો. જોકે, વનવિભાગે આ મામલે મૌન જ સેવ્યું છે. પરંતુ સાસણ-જૂનાગઢ હાઇવે પર વનવિભાગની ગાડીઓનો ખડકલો જોવા મળતાં રસ્તેથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે કૂતુહલ છવાયું હતું. જોકે, એક-દોઢ કલાકનાં સમયગાળામાં વન વિભાગને મળેલી વિગતોની તપાસમાં પરસેવો વળી ગયો હતો.

ઇસાપુરમાં વાડીમાં રમતા બાળકનું કુવામાં પડતા મોત

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 10:04 AM IST
જૂનાગઢનાંઇસાપુરમાં રહી ખેતમજૂરી કરતા આદીવાસી પરિવારનું બે વર્ષનું બાળક રમતા-રમતા કુવામાં પડી જતા મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બાળકની શોધખોળ કરતા આજે તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં ઇસાપુરમાં જયેશભાઇ વાઘજીભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારનાં પીલભાઇ બલુભાઇ ચાંગરનો બે વર્ષનો પુત્ર પ્રિતમ જયેશભાઇ વાઘજીભાઇની વાડીમાં રમતો હતો તે દરમિયાન અકસ્માતે ખુલ્લા કુવામાં પડી ગયો હતો. અને તેનું મોત નિપજ્યું હતું. અચાનક ગુમ થયેલા પરિવારે પુત્રની શોધખોળ હાથ ધરી હતી. જોકે, કોઇ પતો લાગ્યો હતો. બાદમાં બાલા ઉર્ફે હનીફ નામના યુવાને કુવામાં બાળકોને મૃતદેહને તરતો દેખાયો હતો. અંગે જાણ કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે જામનગર મોકલી અપાયો હતો. અંગે વધુ તપાસ એ.એસ.આઇ ડી.વી.વ્યાસ ચલાવી રહ્યા છે.

વંથલી-વેરાવળમાં નવી સરકારી કોલેજો તો સિંહ સંરક્ષણ માટે ~24 કરોડની જોગવાઇ

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 10:04 AM IST
આજરોજ થયેલા રાજય સરકારનાં બજેટમાં સોરઠ માટે કેટલીક મહત્વની વિકાસ લક્ષી કાર્યોની જોગવાઇ કરવામાં આવતા સોરઠવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. બજેટમાં સોરઠનાં મહત્વનાં શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

સરકારે જાહેર કરેલા બજેટમાં જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડ અને માંગરોળ તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં નવ બંદર, માઢવાડ , વેરાવળ, અને સુત્રાપાડામાં મત્સય ઉધોગનાં વિકાસ માટે સુવિધા ઉભી કરવા માટે સાગર ખેડુ યોજનાં અંતર્ગત રૂ. 500 કરોડનું અાયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢની મેડીકલ કોલેજનાં વિસ્તૃતીકરણ માટે વિશેષ ફંડ અને નરસિંહ મહેતા યુનિ.ના બાંધકામની જોગવાઇ ઉપરાંત વેરાવળમાં અને વંથલીમાં સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢનાં ઘેડ વિસ્તારમાં કચ્છમાં ક્ષાર નિયંત્રણ માટે અનુ કેનાલ કામો માટે રૂ.70 કરોડની જોગવાઇઓ કરવામાં આવી છે.

ખાનગી ભાગીદારીથી ચોરવાડમાં ઇકો ટુરીઝમ અંતર્ગત પ્રવાસીઓ માટે રહેવા સહિતની વ્યવસ્થાની જોગવાઇ ઉપરાંત જૂનાગઢ સીટી સર્વેની રાજયની મોડેલ કચેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદનાં સામુહિક દવાખાનાને અપગ્રેડ કરી પથારીની સંખ્યા વધારી પેટા જિલ્લાનીકક્ષાની હોસ્પીટલમાં ફેરવાની ખાસ જોગવાઇ કરવામાં અાવતા કેશોદ પંથકમાં દર્દીઓને લાભ થશે. જિલ્લાઓની સાથે ગીર સોમનાથ જિલ્લામાં નવીન પશું ચિકિત્સા સંસ્થા બનાવાશે.

સિંહ સરંક્ષણ માટે રેલ્વેની લાઇનની બન્ને બાજુ તાર માટે રૂ.24 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને કેન્દ્ર ઉભુ કરવા મેયરને રજુઆત

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 09:54 AM IST
જૂનાગઢમાંઅનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે. પરંતુ તંત્રનાં ઉપેક્ષીત વલણનાં કારણે જર્જરીત અવસ્થામાં ફેરવાઇ રહી છે. ઇમારતોનું સમારકામ કરી લાઇટીંગ જેવી સુવિધાથી સજજ કરી રીનોવેશન કરવામાં આવેતો જૂનાગઢ શહેર ખરા અર્થમાં હેરીટેજ અને આર્કીટેક ટુરીસ્ટ પોઇન્ટ સાબીત થઇ શકે છે. જૂનાગઢ ઐતિહાસિક નગરી છે. વિશ્વમાં સળંગ જેનો 5 હજાર વર્ષનો ઇતિહાસ હોય એવા નગરોમાં જૂનાગઢનો સમાવેશ થાય છે. શહેરમાં અનેક ઐતિહાૃસીક ઇમારતો આવેલી છે. જે બાંધકામની દ્રષ્ટિએ અજાયબી છે.

આર્કિટેકની દ્રષ્ટીએ પણ અભ્યાસુ વિધાર્થીઓ માટે ખજાનો છે. આવી ઇમારતો પ્રતયે મનપા તંત્ર ઉપેક્ષીત વલણ દાખવી રહી છે. આવી ઇમારતો, કુવા, વાવોની સર્વે કરાવી તેનું સમારકામ કરી તેને લાઇટીંગ થી પ્રકાશીત કરવામાં આવે તો જૂનાગઢ આવતા લાખો પ્રવાસીઓ માટે નવું નજરાણું સાબીત થશે.

ઉપરાંત શહેરમાં વર્ષે દહાડે આવતા 60 થી 70 લાખ પ્રવાસીઓને જૂનાગઢમાં જોવાલાયક સ્થળોની માહિતી મળી રહે તે માટે દરેક રસ્તા પર બોર્ડ લગાવવા અને સાબલપુર ચોકડીએ જુના ઓકટ્રોય નાકાની ઓફીસમાં ટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને ગાઇડની સુવિધા વાળુ કેન્દ્ર ઉભુ કરવા ભાજપના મહામંત્રી ચંદ્રેશ હેરમા દ્વારા મનપાનાં મેયરને રજુઆત કરાઇ છે.

મેળમાં બળદગાડી, ઉંટ ગાડી જેવા વાહનો માટે ભવનાથ તરફ પ્રવેશ બંધી

DivyaBhaskar News Network
Feb 23, 2016, 08:40 AM IST
જૂનાગઢનીભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા શિવરાત્રીનો મેળો યોજાનાર છે. મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવર થતી હોય છે ત્યારે લોકોનું આરોગ્ય જળવાઇ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા પામે તે માટે સાવચેતીના પગલારૂપે પીવાનું પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા વહિવટીતંત્ર દ્વારા ફરમાન જારી કરાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી તથા તેઓએ નિયુક્ત કરેલા કર્મચારીઓને કામગીરીની દેખરેખ રાખવા અને દોષિતો સામે યોગ્ય પગલા લેવા અધિકૃત કરવામાં આવ્યા છે. વહિવટી તંત્રના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

ઉપરાંત શિવરાત્રીના મેળામાં ટ્રાફીક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.જાડેજાએ જાહેરનામું બહાર પાડી ભરડાવાવથી ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જતા માર્ગે ઉંટ ગાડી, બળદગાડી, જેવા વાહનોની પ્રવેશ બંધી ફરમાવી છે. પ્રવેશ બંધીની અમલવારી તા.3 થી 8 ફેબ્રુઆરી બંન્ને દિવસો સહિત અમલી બનશે.

Sunday, February 28, 2016

બૃહદગીરમાં સાવજો પાણી મેળવવા ભટકી રહ્યાં છે,કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવા માંગ


બૃહદગીરમાં સાવજો પાણી મેળવવા ભટકી રહ્યાં છે,કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવા માંગ

Bhaskar News, Lilia
Feb 26, 2016, 01:43 AM IST
(સાવજો શેત્રુંજી અને ગાગડીયો નદીના પટમાં ખાબોચીયામાંથી પાણી પી તરસ છીપાવી રહ્યા છે)
 
લીલીયા:લીલીયા બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઇ ત્યાં જ સાવજોને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. અહીના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક પવનચક્કીઓ બંધ હાલતમા છે જેના કારણે વન્યપ્રાણીઓ માટે બનાવવામા આવેલા કૃત્રિમ પોઇન્ટમા સાવજોને પીવાનુ પાણી મળી શકતુ નથી ત્યારે તાકિદે આ પોઇન્ટ શરૂ કરવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે. 

-બૃહદગીરમાં સાવજો પાણી મેળવવા ભટકી રહ્યાં છે
-ચાંદગઢ ઇંગોરાળા ભોરીંગડામાં પવનચક્કીઓ બંધ : કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવા માંગ
 
લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટા કણકોટ, આંબા, લોકા, ભેસવડી, લોકી, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ઇંગોરાળા, ભોરીંગડા, ટીબડી, વાઘણીયા, કુતાણા, અંટાળીયા, બોડીયા, સનાળીયા સહિતના ગામોમા અનેક સાવજો વસવાટ કરી રહ્યાં છે. આ ઉપરાંત શેત્રુજી અને ગાગડીયા નદીના કાંઠા વિસ્તારમાં પણ અનેક સાવજો વસવાટ કરે છે. 
 
હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઇ ત્યાં જ અહી વસવાટ કરતા સાવજોને પીવાના પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે. શેત્રુજી નદી અને ગાગડીયો નદીના પટમા પણ અમુક સ્થળે પાણીના ખાબોચીયા ભરેલા છે. આવા ખાબોચીયામા સાવજો સહિત અન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવી રહ્યાં છે. અહીના ચાંદગઢ, ઇંગોરાળા, ભોરીંગડા નજીક બનાવવામા આવેલ પવનચક્કીઓ બંધ પડી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓ માટે કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવામા આવે તેવુ સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યાં છે.

દીપડો પણ રાજકીય માણસની જેમ હોશીંયાર: પહેલા ફોટો પછી પાણી

દીપડો પણ રાજકીય માણસની જેમ હોશીંયાર: પહેલા ફોટો પછી પાણી
  • Bhaskar News, Babara
  • Feb 25, 2016, 11:45 AM IST
અમરેલી: દીપડો પણ રાજકીય માણસની જેમ હોશીંયાર અને ચાલક હોય તેમ જેમ રાજકીય આગેવાનો ફોટો પડાવવા આવેલ હોય તેમ પહેલા ફોટો પછી બીજી વાત તેવી જ રીતે દીપડો તરસ છીપાવવા પાણીના કુંડા પાસે ગયો પણ સામે જેવો કેમેરો આવ્યો કે ફોટો પડાવવાની લાક્ષણીક મુંદ્રામાં બેસી ગયો તે પણ રાજકીય આગેવાનની જેમ ભાઇ પહેલા ફોટો પાણી પછી.

પાતળાના જમીન કૌભાંડ મુદ્દે આપનાં કાર્યકરોએ કર્યો દેખાવ

DivyaBhaskar News Network

Feb 16, 2016, 10:44 AM IST
અહિંનાનાના બસસ્ટેન્ડ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. આમ આદમી પાર્ટીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં ક્યાય 15 રૂપીયે મીટર લેંઘાનું કાપડ પણ મળતુ નથી. ત્યારે મુખ્યમંત્રીની પુત્રી સાથે સંકળાયેલી કંપનીને ઉદારતાથી દરેક પ્રકારની જમીનની માંગણીઓ સંતોષી માત્ર 15 રૂપીયે મીટર કેમ જમીન ફાળવી દેવાય તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો આવી રીતે અમરેલી જીલ્લામાંથી આવી જમીનની પડતર માંગણીઓ સ્વીકારી જમીન ફાળવી દેવાશે. અમરેલી જીલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે અને પડતર જમીનોની ફાળવણી અંગે સવાલ ઉભો કરાશે. ઉપરાંત આવનારા સમયમાં અમરેલી જીલ્લાના દરેક તાલુકામાં પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે.

અમરેલીના વૃદ્ધે તુંબડીમાંથી ખેડૂતે બનાવ્યા ચકલીનાં માળા

અમરેલીના વૃદ્ધે તુંબડીમાંથી ખેડૂતે બનાવ્યા ચકલીનાં માળા

Bhaskar News, Amreli

Feb 15, 2016, 00:36 AM IST
- નિ:સ્વાર્થ સેવા: દિતલાનાં પ્રગતિશીલ ખેડૂત વિનામુલ્યે માળાનું વિતરણ કરી ચકલી બચાવો અભિયાનને કરી રહ્યાં છે સાર્થક

અમરેલી: દિવસેને દિવસે ચકલીઓની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો હોય પ્રકૃતિપ્રેમીઓમા ચિંતા છે. ત્યારે ઠેર-ઠેર ચકલી બચાવો અભિયાન પણ ચાલી રહ્યું છે. જેને પગલે લોકોમા જાગૃતિ પણ આવી છે. ત્યારે ચકલી બચાવો અભિયાનને સાર્થક કરી રહ્યાં છે. ચલાલા તાબાના દિતલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઇ ભટ્ટી. તેઓ પોતાની વાડીમાં તુંબડીના વેલા ઉગાડી તેમાથી ચકલીઓના માળાઓ બનાવે છે અને તેનુ વિનામુલ્યે વિતરણ પણ કરી રહ્યાં છે.

ખેડૂત ઉકાભાઇ ભટ્ટી ચકલીઓને બચાવવા માટે નિસ્વાર્થભાવે સેવાકાર્ય કરી રહ્યાં છે. તેઓ દિતલામા આંબાવાડી ધરાવે છે. તેમણે પોતાની વાડીમાં તુંબડીના વેલા ઉગાડયા છે. આમ તો તુંબડીનો ઉપયોગ સાધુ સંતો પાણી ભરવા માટે કરતા હોય છે. એ સિવાય તેનો ઉપયોગ કયાંય થતો નથી. ત્યારે ઉકાભાઇને વિચાર આવ્યો કે તુંબડીમાથી ચકલીઓ માટેના માળા બનાવી શકાય. ઉકાભાઇએ જણાવ્યું હતુ કે મારી વાડીમા મે તુંબડીના અનેક વેલાઓ ઉગાડયા છે. તેમા બારેમાસ તુંબડીઓ આવે છે. તુંબડીઓને એકઠી કરી બાદમાં તેને સુકવવામા આવે છે અને પછી તેમા ચકલી જઇ શકે તેટલુ હોલ પાડવામા આવે છે. તુંબડી કડવી હોવાથી અને આમેય તેનો અન્ય કોઇ ઉપયોગ ન હોવાથી ચકલીઓના માળા બનાવવાનુ નક્કી કર્યુ હતુ. તેઓએ અત્યાર સુધીમાં તુંબડીના 500 જેટલા માળા બનાવી લોકોને વિનામુલ્યે વિતરણ કર્યા છે.

તુંબડીમાંથી બનેલ માળામાં ઉનાળા સમયે ઠંડક રહે છે

ઉકાભાઇએ જણાવ્યું હતુ કે તુંબડીમાં ઉનાળામા અંદર ઠંડક રહે છે જેથી ચકલીઓને તેમા રહેવાની મજા આવે છે. તેમણે પોતાના નિવાસ સ્થાને પણ અનેક માળાઓ લગાડયા છે જેમા ચકલીઓ વસવાટ કરી રહી છે અને ચકલીનાં બચ્ચાઓ જીવીત રહી શકે છે. સાથે માળામાંથી સહેલાઇથી અવર-જવર કરી શકે છે.

વાડીમા પણ અનેક તુંબડી લગાવી છે

ઉકાભાઇએ તુંબડીમાથી બનાવેલા માળા વાડીમા પણ લગાડયા છે જેમા અનેક ચકલીઓ વસવાટ કરી રહી છે. તુંબડીમાથી બનાવેલો માળો મજબુત હોવાથી વર્ષો સુધી તે ટકી શકે છે. ચકલીઓને વાતાવરણ પણ અનુકુળ રહેતુ હોય તુંબડીમા તુરંત ચકલી માળો બનાવી દે છે.

રાજુલા: નેટમાં ફસાતાં બે સિંહબાળનાં મોત, સિંહણ આખી રાત ત્રાડો પાડતી રહી.

રાજુલા: નેટમાં ફસાતાં બે સિંહબાળનાં મોત, સિંહણ આખી રાત ત્રાડો પાડતી રહી
Bhaskar News, Rajula
Feb 14, 2016, 01:18 AM IST
- નાગેશ્રીની સીમમાં બની ઘટના : વનતંત્રનું બીમારીથી મોત થયાનું રટણ

રાજુલા: જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની સીમમાં ગઇરાત્રે એક ખેડૂતે પોતાની વાડીમાં ઘઉંના પાકના રક્ષણ માટે ફરતે લગાવેલી નેટમાં ફસાઇ જવાથી બે સિંહબાળના મોત નિપજ્યા હતા.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આ ઘટના નાગેશ્રીની સીમમાં ગઇરાત્રે બની હતી. અહિંના મોહનભાઇ પરમાર નામના ખેડૂતે પોતાની વાડીમાં ઘઉં વાવ્યા હોય ઘઉંના પાક ફરતે રક્ષણ માટે ઉંચી નેટ લગાવી દીધી હતી. જેથી પ્રાણીઓ પાકને નુકશાન કરી ન શકે. રાત્રીના સમયે એક સિંહણ તેના બે બચ્ચા સાથે ફરતી ફરતી જ્યારે મોહનભાઇ પરમારની વાડી પાસે પહોંચી ત્યારે આ નેટમાં તેના બન્ને બચ્ચા ફસાઇ ગયા હતાં. રાત્રે જો કે કોઇને આ બનાવની જાણ થઇ ન હતી અને સવારે જ્યારે ગામલોકોનું બન્ને બચ્ચા મૃત હાલતમાં પડયા હોવા અંગે ધ્યાન ગયુ ત્યારે કોઇએ રાજુલાની વન કચેરીમાં જાણ કરી હતી. જેને પગલે સ્થાનિક આરએફઓ સી.બી. ધાંધીયા સ્ટાફ અને રેસ્ક્યુ ટીમ સાથે અહિં દોડી ગયા હતાં. બન્ને બચ્ચાના શરીર પર કોઇ ઇજાના નિશાન મળ્યા ન હતાં અને આ બચ્ચા આશરે ત્રણેક માસની ઉંમરના હોવાનું જણાયુ હતું. વન વિભાગ દ્વારા બન્ને બચ્ચાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે બાબરકોટ ખાતે લઇ જવાયા હતા.

આખી રાત સિંહણ ત્રાડો પાડતી રહી

નાગેશ્રીની સીમમાં પોતાના બે બચ્ચા નેટમાં ફસાયા બાદ અહિં આખી રાત સિંહણ ત્રાડો પાડતી રહી હતી. રાત્રે વાડી-ખેતરોમાં ખેડૂતો કામ કરતા હોય છે. પરંતુ સાવજોના અવાજો આ રીતે તેમને કાયમ સાંભળવા મળતા હોય નવાઇ લાગી ન હતી.

પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે

અહિંના ઇન્ચાર્જ આરએફઓ સી.બી. ધાંધીયાએ જણાવ્યુ હતું કે નાગેશ્રીની સીમમાં બે સિંહબાળના મૃતદેહ મળ્યા છે. બન્નેના મૃત્યુ બિમારીથી થયા હોય શકે છે. આમ છતાં મોતનું સ્પષ્ટ કારણ પીએમ રીપોર્ટ બાદ ખબર પડશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે બન્નેના શરીર પર ઇજાના કોઇ નિશાન ન હતાં.