Monday, September 10, 2012

વિસાવદર નજીક સિંહો નિહાળતા લોકોએ ગાડીઓ પાછળ દોડાવી.

Bhaskar News, Visavadar | Sep 09, 2012, 00:42AM IS
- વન અધિકારી સ્થળ પર દોડી ગયા પણ કોઈ કાર્યવાહી ન કરી : પ્રાણી પ્રેમીઓમાં રોષ

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ પાસે ધાબડધોયા ડેમ નજીક ગઇકાલે બપોરનાં સમયે આઠ સિંહોના ટોળાએ એક ગાયનું મારણ કરેલ. આ મારણ કર્યાની વાત વાયુ વેગે પ્રેમપરા તથા વિસાવદરમાં ફેલાતા રાત્રીનાં આ સિંહોને જોવા માટે પ૦ જેટલા ટુ વ્હીલરો તથા ૧૦ જેટલી મોટરકારો મારણ કરેલ જગ્યાએ પહોંચી ત્યાં ભેગા થઇ ગયા હતા.

જેમાં અમુક મોટરકાર વાળાઓએ આ સિંહોની પાછળ પોતાના વાહન દોડાવ્યા હતા જેથી સિંહો પણ છંછેડાયા હતા પણ લાચારવશ થઇ તે મારણથી દુર જતા રહેતા હતા. થોડી - થોડી વારે આવા ખેલ ચાલતા આ ટોળામાંથી કોઇ પ્રાણી પ્રેમીએ આરએફઓ તથા એસીએફને જાણ કરેલ જેથી એસીએફ ઠુંમર, તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બધાને પકડવા લાગ્યા હતા તેવામાં અમુક વ્યક્તિઓ મોટા અધિકારીઓ નીચે કામ કરતા હોવાથી બધાને કોઇ દંડ કે કાર્યવાહી કર્યા વગર તથા સામાન્ય ઠપકો પણ આપ્યા વગર જવા દીધા હતા. વન વિભાગની આ કાર્યવાહીથી પ્રાણી પ્રેમીઓ તથા અન્ય લોકોમાં રોષની લાગણી છવાઇ હતી.

No comments: