Thursday, September 17, 2009

ગુજરાતના સિંહ ગીરમાં જ રહેશે.

Wednesday, September 16, 2009 17:49 [IST]

ગુજરાતના ગૌરવ સમા જૂનાગઢના ગીરના સિંહોને પર્યાવરણ અને પ્રદુષણને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં ખસેડવાનો ચુકાદો બુધવારે થવાનો હતો. જો કે હાલ પુરતું સિંહોનું સ્થળાતંર અટકાવી દેવામાં આવતા ગુજરાતના સિહં ગીરના જંગલમાં જ રહેશે.

ગીરનાં સીંહોને મઘ્યપ્રદેશનાં કુનો પાલપુર અભ્યારણ્યમાં ખસેડવા અંગેનાં ટેકનીકલ મુદ્દાઓની ચર્ચા બુધવારે નવી દિલ્હી ખાતે નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં કરવા આવી હતી. જો કે આ અંગે હજૂ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. અને હાલ પરુતુ આ સ્થળાંતર અટકાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોને જે અભ્યારણ્યમાં ખસેડવાની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી છે ત્યાં વાઘોની સંખ્યા પણ વધારે છે. અને બન્ને પ્રાણીઓ માસ ભક્ષીઓ હોય એક બીજા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે. જેથી હાલ પુરતા સિંહના સ્થળાંતર પર રોક લગાવી દેવાઈ હતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/09/16/090916175151_gujarat_lion.html

No comments: