Wednesday, July 21, 2010

અમિત જેઠવાની હત્યા પર કેજરીવાલે ખેદ વ્યક્ત કર્યો

Source: divyabhaskar.com   |   Last Updated 11:22(21/07/10)
 
જાણીતા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા પર જાણીતા આરટીઆઇ કાર્યકર અરવિંદ કેજરીવાલે ખેદ વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, તમામ સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે ત્યારે આવી રીતે જે કોઇ અવાજ ભ્રષ્ટાચારની વિરૂદ્ધમાં ઉઠે છે તેને બંધ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે,
એક ખાનગી ચેનલને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાલે એવો મત વ્યક્ત કર્યો હતોકે, પ્રજાના નાણાની ગેરરીતિમાં રાજકારણીઓ અને બાબુઓ સામેલ હોય છે. જેઓ આ પ્રકારના કોઇ કાર્યકરનો અવાજ બંધ કરી દેવા માટે સક્રિય થઇ જતા હોય છે. તેમણે બીજા આરટીઆઇ કાર્યકરોની સુરક્ષા માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
અમિત જેઠવાના પરિવારજનોનો આરોપ છેકે, તેમની હત્યા પાછળ જૂનાગઢના સાંસદ દિનુભાઇ સોલંકીનો હાથ છે. જેઓ ગેરકાયદેસર માઇનિંગના ધંધામાં સંકળાયેલા છે. ઉલ્લેખનીય છેકે, અરવિંદ કેજરીવાલ જાણીતા આરટીઆઇ કાર્યકર છે. માહિતી અધિકારના કાયદાને સમગ્ર દેશમાં લાગૂ થાય તે માટે કેજરીવાલે ચળવળ ચલાવી હતી અને તેમને મેગ્સેસે પુરસ્કાર પણ એનાયત થયો હતો.
Source:  http://www.divyabhaskar.co.in/article/NAT-kejriwal-mourns-on-the-death-of-amith-jethwa-1176618.html?HT4=

No comments: