Saturday, March 30, 2013

સરપંચોને નિલગાયનો નિકાલ કરવાની સરકારે સત્તા આપી.


Bhaskar News, Amreli | Mar 23, 2013, 02:10AM IST
 
માનદ્દ વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે સરપંચોની નિમણુંક
 
ગુજરાત વિધાનસભા બજેટસત્રમાં ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ નીલગાય, રોઝ અને ભુંડથી ખેડુતોના પાકનુ રક્ષણ કરવા સરકાર દ્વારા શી સહાય આપવામાં આવે છે ? ઉપરાંત અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પંચાયત અને સ્ટેટ હસ્તકના કે યોજનામાં કેટલા રસ્તાઓ મંજુર કરવામા આવ્યા છે તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
 
ધાનાણીએ બજેટ સત્રમાં રજુ કરેલા પ્રશ્નના જવાબમાં વનમંત્રીએ જણાવ્યું હતુ કે નીલગાય, રોઝ અને ભુંડથી ખેડુતોના પાકનું રક્ષણ કરવા ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના ખેતરની ફરતે વાડ બનાવવા માટે પ૦ ટકા સહાય આપવાની યોજના અમલમાં છે. અને પશુઓના ત્રાસથી ખેડુતોને મુકિત અપાવવા માટે ખેતર ફરતે કાંટાળા તારની વાડ અને જે તે ગામના સરપંચોને માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે નિમણુંક આપી નીલગાય, રોઝનો નિકાલ કરવાની સતા આપવામાં આવેલ છે.
 
આ ઉપરાંત ધાનાણી દ્વારા જિલ્લામાં પાછલા બે વર્ષમાં પંચાયત અને સ્ટેટ હસ્તકના કે યોજનામાં કેટલા રસ્તાઓ મંજુર કરવામાં આવ્યા તે અન્વયે કેટલા અને કયા કયા રસ્તાના કામ પુર્ણ થયા અને કેટલા પ્રગતિમાં છે તેમજ કેટલો ખર્ચ થયો ? તે પ્રશ્નના જવાબમાં માર્ગ મકાન મંત્રીએ જણાવ્યું હતુ કે જિલ્લામાં કુલ ૧૮૩ રસ્તાઓ મંજુર થયા તેમાં નાણાપંચ ૧૮, ઓ.ડબલ્યુ ૬૮, સોલ્ટ સેસ ૦૩, સીઆરએફ ૦૧, નાબાર્ડ ૦૨, કિશાનપથ ૧૬, ખાસ અંગભુત ૧૦ અને એસઆર ૬પનો સમાવેશ થાય છે. તે અન્વયે કુલ ૭૪ રસ્તાઓના કામ પુર્ણ થયા અને ૭૪ રસ્તાઓના કામો પ્રગતિમાં છે જેમાં કુલ ખર્ચ રૂ. ૧૦,૮૬૨,૯પ લાખનો થયો.

No comments: