Saturday, March 30, 2013

ઉચૈયાની સીમમાં ચાર સાવજોએ ત્રણ પશુને ફાડી ખાધા.


Bhaskar News, Rajula | Mar 28, 2013, 23:44PM IST
રાજુલા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં સાવજો શિકારની શોધમાં આમથી તેમ ભટકતા રહે છે અને અવાર નવાર પશુઓના મારણની ઘટના બહાર આવતી રહે છે. રાજુલા તાલુકાના ઉચૈયા ગામની સીમમાં ચાર સાવજોના ટોળાએ એક સાથે ત્રણ નિલગાયને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.

રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની સતત હાજરીથી લોકોમાં ફફડાટ છે. ખાસ કરીને શિકારની શોધમાં નિકળેલા ભુખ્યા સાવજો ગમે ત્યારે ઉપયોગી પશુઓનો શિકાર કરતા હોય છે. માલધારીઓ ફફડે છે. રાજુલાના ઉચૈયાની સીમમાં ચાર સાવજોના ટોળાએ ધામા નાખ્યા છે.

આ ચાર સાવજો દ્વારા ગઇકાલે મોડી સાંજે ગામના પાદરમાં જ એક નિલગાયનું મારણ કરવામાં આવ્યુ હતું અને ત્યાંથી થોડે દુર બે નિલગાયને ફાડી ખાધી હતી. આમ છેક ગામના પાદર સુધી આવી જઇ સાવજોના ટોળાએ એક સાથે ત્રણ પશુને ફાડી ખાધા હતાં. ઉચૈયા ઉપરાંત વડ, ભચાદર, લોઢપુર, લુણસાપુર, નાગેશ્રી વગેરે ગામોની સીમમાં સાવજોનો વસવાટ છે.

No comments: