Thursday, July 31, 2014

ગીરનારની ગોદમાં આવેલ પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવ

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં દોલતપરા પાસે ગીરનારની ગોદમાં આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન માટે આજે લોકોની ભીડ જામી હતી. ઇન્દ્રેશ્વર મંદિરનો ઇતિહાસ કાંઇક આવો છે. નરસીંહ મહેતા આ જંગલમાં ગાયો ચરાવવા જતા હતા. ત્યારે એક ગાય રોજ એક જગ્યા ઉપર ઉભી રહે ત્યારે તેના ચાર આચળમાંથી દૂધ વહેતુ હતું. ત્યાં જઇને આસપાસમાંથી બધુ હટાવતા ત્યાં શીવલીંગ મળી આવી હતી. ઇન્દ્રરાજાએ આ મંદિર બનાવેલું હોવાથી તેનું ઇન્દ્રેશ્વર નામ રાખવામાં આવ્યું છે. આ મંદિર આશરે ૨૫૦ વર્ષ જુનુ છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રાવણમાસમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે.
આલેખન : મનિષ જોષી

No comments: