Thursday, July 31, 2014

સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે.

Arun Vegda, Dhari | Jul 18, 2014, 19:10PM IST
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: સિહં દર્શન જવા માટે તૈયાર થઈ રહેલો દરવાજો)

- સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: નવી ટુરિસ્ટ સર્કીટ: આગામી દિવાળીથી દેવિળયા પાર્ક જેવું જ સિંહ દર્શન અહીં થશે
- ગીર પૂર્વ રેન્જમાં આંબરડી પાર્કમાં છ સિંહ પરિવાર સાથે આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન બનશે : ૩૮૬ હેકટરમાં સિંહ દર્શન સાથે પશુ-પક્ષીઓનું પણ નિદર્શન

ધારી:એશિયાટિક સિંહો માટે જગવિખ્યાત સાસણ ગિરનાં અભયારણ્યમાં સન્ચ્યુરી પાર્ક અને દેવિળયા પાર્કમાં સિંહ દર્શન થાય છે. જ્યાં દુનિયાભરનાં પ્રવાસીઓ આવે છે. ત્યારે સિંહોનો વસવાટ પણ અલગ અલગ વિસ્તારોમાં થતાં અમરેલીનાં ધારીનાં આંબરડી પાસે સાસણનાં દેવિળયા જેવું જ ‘આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન’ આકાર લઇ રહ્યું છે. સંભવત: આગામી દિવળી સુધીમાં તે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી પણ દેવાશે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં સાસણ પછી લોકો ધારી પંથકમાં પણ સિંહ દર્શન કરી શકાશે. અને તેની જ ધારી, તુલસીશ્યામ અને દિવની એક નવી જ ટુરિસ્ટ સર્કીટ પણ ઉભી થશે.

સિંહોનાં પ્રદેશ સોરઠમાં એશિયાટિક સિંહો માટે સાસણ પ્રખ્યાત છે. પરંતુ સિંહોનાં વસવાટનાં સ્થળમાં ભાવનગર અને અમરેલી જિલ્લો પણ વિસ્તરી રહ્યો છે. આથી વનવિભાગ દ્વારા સિંહોનાં વસવાટવાળા ક્ષેત્રમાં પણ સિંહ દર્શન કરી પ્રવાસીઓને આકર્ષવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ધારી પાસે આવેલા ખોડીયાર ડેમ અને ગળથરા મંદિર તો જાણીતા છેજ. અહીં થોડીઘણી પ્રવાસીઓની અવરજવર રહે છે. આ ડેમ નજીકજ આંબરડી પાસે સાસણનાં દેવિળયા પાર્ક કરતાં મોટું અને સુવિધાયુકત આંબરડી વાઇલ્ડ લાઇફ ઇન્ટરપ્રિટેશન ઝોન બની રહ્યો છે.

સામાન્ય રીતે અમદાવાદ અને ભાવનગરથી આવનાર લોકો વાયા ધારી થઇને તુલસીશ્યામ, દિવ અને સોમનાથ જતા હોય છે. હવે જ્યારે ધારી પાસેજ સાસણ જેવું જ સિંહ દર્શનની સુવિધા મળવાની હોઇ, આ નવી જ ટુરિસ્ટ સર્કીટમાં ધારીનાં ગિર પૂર્વ વિસ્તારનો પણ દબદબો વધશે. જેથી અહીં આવનારને આંબરડીમાં સિંહ જોવા મળે, તુલસીશ્યામમાં શ્યામનાં દર્શન અને દિવમાં મોજે બહાર. એમ ત્રણ સ્થળોનો લાભ મળશે.
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: નવું સર્કિટ હાઉસ)
 
શું કહે છે વનવિભાગ ?

દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, અહીં માત્ર સિંહ દર્શન નહીં, પ્રવાસીઓને પશુ પંખીઓ વિશે પણ જાણકારી અપાશે. ૩૮૬ હેકટર જમીન અને ૮.૭ ચોરસ કિમી વિસ્તારના પાર્કમાં ૯ કિમીના કાચા રસ્તા પણ રખાયા છે. અને અહીં ખુલ્લું મૂકાતાંની સાથેજ છ સિંહ પરિવારો વહિરતા જોવા મળશે.

સાસણ-દેવિળયાનું ભારણ ઘટશે ?

આંબરડી ખાતે ઇન્ટરપ્રિટેશન ઝોન બનતાં સાસણ અને દેવિળયા પાર્ક પરનું ટુરિસ્ટોનું ભારણ ઘટી જશે. હાલ સીઝનમાં અહીં ઘણા લોકોને સિંહ દર્શન માટેની પરમીટો મળતી નથી. આવા સંજોગોમાં તેઓ આંબરડીની મુલાકાતે જઇ શકશે.
સૌરાષ્ટ્રમાં ધારી બનશે બીજું ‘સાસણ’: દિવાળીથી સિંહ દર્શન અહીં થશે
(તસવીર: જંગલનો આ રસ્ટો હિંસક હોવાથી કોઈ અહીં જવું નહીં જેનું બોર્ડ લગાવાયું)
 
હાલ ૧૨ થી વધુ સિંહોનો વસવાટ

ગિર પૂર્વ રેન્જનાં ધારીનાં આંબરડી વિસ્તારમાં હાલ ૧૫ થી વધુ સાવજોનો વસવાટ છેજ. જેથી તંત્રએ પણ આ વિસ્તારનીજ પસંદગી કરી છે. અને અહીં પથરાળ જમીન, વૃક્ષો સહિતનું આહ્લાદક વાતાવરણ પણ છે.

પરમીટ સ્થળ પર જ મળશે

આંબરડી પાર્કમાં જવા માટેની ટિકીટ પણ પાર્ક ખાતેથીજ મળી શકશે. આ માટેનું ખાસ કાઉન્ટર પણ બની રહ્યું છે.

No comments: