Thursday, July 31, 2014

૧૫ યુવાનો દર શ્રાવણે શિવપૂજા માટે જંગલો ખૂંદે છે.

DivyaBhaskar News Network | Jul 28, 2014, 05:45AM IST
જૂનાગઢનાં યોગી પઢિયાર અને ચેતન શુકલની આગેવાનીમાં ૧૫ યુવાનો દર વર્ષે શ્રાવણ માસમાં ગિરનારનાં જંગલમાં આવેલા શિવમંદિરોએ જવા નીકળી પડે છે. આ યુવાનો સાથે મહાપૂજાની સામગ્રી લેતા જાય. જંગલનાં ખાડા-ટેકરાવાળા તેમજ ઉબડખાબડ અને સીધા ચઢાણવાળો રસ્તો કાપી અડાબીડ જંગલમાં આવેલા શિવમંદિરોમાં પહોંચે છે. અને ત્યાં શિવજીની આરાધના કરવા સાથે અપૂજ રહેલા શિવલિંગની પૂજા કરે છે. છેલ્લા થોડા વર્ષોમાં તેઓ ખાસ કરીને ગિરનારનાં ૪ હજાર પગથિયે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ, જોગણીયા ડુંગરમાં આવેલી શિવગુફા, ઇંટવા પાસેનાં જોગણેશ્વર મહાદેવ, અપૂજ શિવમંદિર એવા ચંદ્રમૌલેશ્વર મહાદેવ, જટાશંકર, રામનાથ, ભવનાથ, વગેરે શિવમંદિરોમાં પૂજન-અર્ચન કરે છે.

No comments: