Friday, March 31, 2017

બાબાપુરની સીમમા સાવજોએ કર્યુ ગાયનુ મારણ

DivyaBhaskar News Network | Mar 24, 2017, 02:35 AM IST
અમરેલીતાલુકાના ચાંદગઢ, બાબાપુર પંથકમા સાવજો કાયમી ધામા નાખીને પડયા રહે છે. કયારેક અહીથી થોડા દિવસો માટે લટાર મારવા અન્ય પ્રદેશોમા જતા રહે છે પરંતુ ફરી પોતાના મુળ સ્થાને અચુક આવી જાય છે. બાબાપુર પંથકમા છેલ્લા કેટલાક દિવસોથી સાવજો દેખાતા હતા. પરંતુ ગઇરાતથી ફરી અહી સાવજો આવી ગયા હતા. બાબાપુરની સીમમા રમેશભાઇ પ્રેમજીભાઇ ગોંડલીયા નામના ખેડૂતની વાડીના ફરજામા ગઇ મધરાતે સાવજો ત્રાટકયા હતા અને અહી તેમણે ફરજામા બાંધેલી એક ગાયનુ મારણ કર્યુ હતુ. ગાયના ભાંભરડા આસપાસના વિસ્તારમા પણ સંભળાયા હતા. જો કે સાવજોના ડરથી કોઇ ત્યાં ગયુ હતુ. આજે વનકર્મચારીઓએ પણ તપાસ કરી હતી

No comments: