Friday, March 31, 2017

વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર શરૂ કરો

DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ

ગીરનુજંગલ જાણે હવે વન્યપ્રાણીઓને ટુંકુ પડી રહ્યું હોય રેવન્યુ અને બૃહદગીર વિસ્તારમા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરવા લાગ્યા છે. અવારનવાર માર્ગ અકસ્માત કે રેલ અકસ્માત અને ખુલ્લા કુવાઓમા પડી જવાથી કે વિજ કરંટથી કે શિકાર થવાથી આવા પ્રાણીઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે વન અને વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર જાહેર કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગીર જંગલ આસપાસ વિકાસની આડમા ધમધમતા કાયદેસર અને ગેરકાયદેસર ઉદ્યોગોના કારણે વન્યપ્રાણીઓ ગીર છોડી બૃહદગીર અને રેવન્યુ વિસ્તારોમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ અવારનવાર માર્ગ કે રેલ અકસ્માતમા તેમજ વાયર ફેન્સીંગમા વિજ કરંટ લાગતા કે ખુલ્લા કુવામા પડી જતા મોતને ભેટે છે. અનેક વખત વનવિભાગને માહિતી મોડી મળવાથી આવા પ્રાણીઓને સમયસર સારવાર મળી શકતી નથી. ત્યારે 108 ઇમરજન્સી સેવાની જેમ વન્યપ્રાણીઓ માટે પણ ઇમરજન્સી સેવા નંબર જાહેર કરી વન્યપ્રાણીઓ અને પશુ પક્ષીઓને સુરક્ષા મળી રહે તેવુ આયોજન કરવામા આવે તેવી માંગ કરાય છે.

No comments: