Saturday, September 30, 2017

દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય

Bhaskar News, Mendarada | Last Modified - Sep 27, 2017, 04:49 AM IST
મેંદરડાનાં દાત્રાણામાં સોમવારે ઘટના બની હતી
દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય
દીપડાનાં હુમલામાં મૃત્યુને ભેટેલા બાળકનાં પરિવારને 4 લાખની સહાય
મેંદરડા: દાત્રાણા ગામે સોમવારે દીપડાએ ફાડી ખાતા ત્રણ વર્ષનાં બાળકનું મોત નિપજયું હતું. મેંદરડાનાં દાત્રાણા ગામે ગોધમપુર રોડ પર રહેતા દિનેશભાઈ મનસુખભાઈ બાંભણીયાનાં 3 વર્ષનાં પુત્ર ચનાનું દીપડાનાં હુમલામાં મોત નિપજયાં બાદ સરકાર દ્વારા મંગળવારે મૃતકનાં પરિવારને 4લાખની સહાયનો ચેક અપાયો હતો. આ તકે ધારાસભ્ય જવાહર ચાવડા, ડીએફઓ સિંઘ,આરએફઓ ગઢવી , સરપંચ વિઠ્ઠલભાઈ સહિત ઉપસ્થિત રહેલ અને પરિવારને સાંત્વના આપી હતી.
બાળકનો ભોગ લેનાર દીપડી પાંજરે પુરાઇ

3 વર્ષનાં માસુમનો ભોગ લેનાર દીપડીને પકડવા વનવિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવેલ અને મંગળવારે વહેલી સવારે દીપડી પાંજરે પુરાઇ જતાં તેને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી અપાઇ હતી. દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

No comments: