Wednesday, September 19, 2007

Useful Ayurveda and Herbal Remedies.

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

લસણ
આયુર્વેદમાં એક રોગનું નામ છે 'ઉરુસ્તંભ.' આ ઉરુસ્તંભ એટલે કમર જકડાઈ જવી. ઉરુસ્તંભ, લકવા, ગૃધ્રસી એટલે કે સાયટીકા (જેને લોકવ્યવહારમાં રાંઝણ પણ કહે છે), સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધાં વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદિવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો અને એક કળીના લસણની એક કળીને ખૂબ લસોટીને તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે બેથી ત્રણ અઠવાડિયાં ખાવી. અત્યંત ફાયદાકારક અને દર્દશામક ઉપચાર છે. સગર્ભા, અતિસારવાળા, મેહી, રક્તપિત્ત, અમ્લપિત્ત, વ્રણ, અલ્સર, ઊલટીવાળાએ લસણનો ઉપયોગ કરવો નહીં.

No comments: