Saturday, December 15, 2007

બેંગલોરમાં જાનવરોની ૩૨ લાખની ખાલ સાથે ત્રણ ઝડપાયા

(ટાઇમ્સ-સંદેશ ન્યૂઝ સર્વિસ) બેંગલોર, તા. ૧૪

જંગલી પ્રાણીઓનો શિકારી સંસાર ચાંદ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયો છે તેમ છતાં દક્ષિણ ભારતમાં તેના નેટવર્કને કોઇ અસર થઇ હોય તેમ લાગતું નથી. જુદાં જુદાં પ્રાણીઓની રૂ. ૩૨ લાખની ખાલ સાથે ત્રણ શિકારીઓ ઝડપાતાં આ નેટવર્ક હજી પણ મોટ પાયે ચાલી રહ્યું હોવાનું પુરવાર થયું છે. આ શિકારીઓ ગુજરાતના શિકારીઓ સાથે પણ સંપર્કમાં હોવાનું ખૂલ્યું છે.

બેંગલોરના જંગલોમાંથી ત્રણ શિકારીઓ પ્રભાકર કેશવ, અરુણ પરશુરામ અને ઉદય પરશુરામને પકડીને તેમની પાસેથી વાઘની એક, ચિત્તાની ૨૧ તેમ જ અન્ય જાનવરોના ૪૩ ખાલો મેળવી હતી. તેઓ છેલ્લા દોઢ વર્ષથી વન વિભાગની નજર હેઠળ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં ગુજરાતના ભાવનગરમાંથી શિકારમાં સામેલ આઠ આદિવાસી મહિલાઓની ધરપકડ કરાતાં તે અંગે પણ તપાસ ચાલતી હતી.

ચિક્કેરૂરે ઉમેર્યું હતું કે, પ્રભાકર રાજયમાં સંસાર ચાંદ અંગત માણસ હતો. એક ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે તેણે છેલ્લા દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરાવ્યો જ ન હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે ,પ્રભાકરના ટેલ

ફોન નંબર ગુજરાતમાં પકડાયેલી મહિલા શિકારીઓએ કોલ કરેલી યાદીમાં પણ હતા. આમ અહીંના શિકારીઓ સાથે તે મોટા પાયે સંપર્કમાં હતો. પોલીસ આ મામલે અન્ય રાજ્યોની પોલીસનો સહયોગ મેળવી રહી છે તેમ જ તેમાં વધુ સનસનીખેજ ખુલાસો થાય તેવી શક્યતા છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?No=2&NewsID=41721&Keywords=Crime%20India%20Gujarati%20News

No comments: