Tuesday, September 30, 2014

ઘુંસીયા-ગુંદરણ પંચાયતોએ ઈકો ઝોન વિરૂધ્ધ ઠરાવ કર્યો.


DivyaBhaskar News Network | Sep 26, 2014, 07:45AM IST
નવિભાગ દ્વારા 10 કિ.મી.ની ત્રીજ્યાનો નવો બફર વિલેજ ઝોન તૈયાર કરાયો હોય ઇકો સેન્સેટીવ ઝોન અમલમાં આવે તો જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ જિલ્લાનાં આઠ તાલુકા અને 250 થી વધુ ગામડાઓનો વિકાસ રૂંધાઇ જાય તેવી સ્થિતી બનવાની સંભાવના હોવા અંગે ગત તા.22 તારીખે દિવ્ય ભાસ્કરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થતાં ગીર પંથકનાં ગામડાઓમાંથી વિરોધનો વંટોળ શરૂ થઇ ગયેલ ચીત્રોડ ગ્રામ પંચાયત બાદ તાલાલા તાલુકાનાં ઘુંસીયા અને ગુંદરણ ગ્રામ પંચાયતોએ નવા ઇકો સેન્સેટીવ ઝોન સામે વિરોધ દર્શાવતા ઠરાવો કર્યા છે.

ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને નેશનલ પાર્કથી 10 કિ.મી.ની ત્રીજ્યાનો નવો બફર વિલેજ ઝોન વન વિભાગે તૈયાર કર્યો હોય સેન્સેટીવ ઝોન અમલમાં આવે તો ત્રણ જિલ્લાનાં આઠ તાલુકા અને 250 થી વધુ ગામડાઓમાં નવા કાયદા અસ્તિત્વમાં આવે જેમાંથી ઉદ્યોગો, ખનન, ડેમ, તળાવ, હેવી વીજલાઇનો સ્થાપિત કરવા ઉપર નિયંત્રણ આવી જાય તેમજ બીનખેતી અને બાંધકામો માટે જટીલ સમસ્યાઓ ઉભી થાય તેવી સ્થિતી ઉત્પન્ન થવાની સંભાવના અંગે દિવ્યભાસ્કરે રજૂ કરેલા અહેવાલો બાદ નવા સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ વિરોધ ઉઠવાનું શરૂ થયેલ ગુંદરણ ગ્રામ પંચાયતનાં સરપંચ ભીમશીભાઇ બારડની અધ્યક્ષતામાં મળેલ ગ્રામ પંચાયતની બેઠકમાં ઇકો સેન્સેટીવ ઝોન વિરૂદ્ધ ઠરાવ કરવામાં આવેલ ઘુંસીયા ગ્રામ પંચાયતની સરપંચ ભરત વાળાની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં પણ ઇકો સેન્સેટીવ ઝોનથી લોકોને મુશ્કેલી પડનારી હોય આઅંગે નવા 10 કિ.મી.ની ત્રીજ્યા વાળા ઇકો સેન્સેટીવ વિલેજ બફર ઝોન વિરૂદ્ધ ઠરાવ કરી બંને ગ્રામ પંચાયતોએ સંબંધીત વિભાગોને ઠરાવની વિગતો મોકલી આપવાની કામગીરી કરેલ.

ઉલ્લેખની છે કે, દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતાની સાથે તાલાલા પંથકનાં ગામડાઓમાં પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનો દોર શરૂ થયો છે. અને સરપચં સહિત હોદ્દેદારો દ્વારા નવા ઝોન ગામડાનો વિકાસ રૂંધસે તેમ કહી વિરોધ દરખાસ્ત ઉચ્ચકક્ષાએ મોકલી રહ્યાં છે.

{ વનવિભાગનાં સૂચિત બફર વિલેજ ઝોનની દરખાસ્ત થતાની સાથે વિરોધ
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-074503-614143-NOR.html

No comments: