Sunday, May 31, 2015

ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ

ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ
  • DivyaBhaskar News Network
  • May 25, 2015, 07:35 AM IST
ગિરનાર જંગલમાં 73 ફુટ લાંબી દરગાહ

ગિરનાર જંગલમાં કાશ્મીરીબાપુની જગ્યાએ જવાનાં માર્ગ પર હઝરત અસાયબા પીરની જગ્યા આવેલી છે. અસાયબા પીરની જગ્યા અસામાન્ય છે. દરગાહની લંબાઇ વધીને 20 થી 30 ફુટની હોય છે. પરંતુ અહી દરગાહ(મઝાર)ની લંબાઇ અસાધારણ એટલે કે 73 ફુટ છે. આટલી લંબાઇની દરગાહ જૂનાગઢમાં એક માત્ર ગિરનાર જંગલમાં આવેલી છે. અંગે જગ્યાનાં મુજાવર ગુલાબ બાપુઅે કહ્યુ હતુ કે, દરગાહ પ્રાચીન છે. જગ્યાનાં નિભાવ માટે નવાબ વાર્ષિક રૂપિયા 50 અનુદાન આપતા હતા. દરગાહની લંબાઇ 73 ફુટ હોય તેની લંબાઇનાં કારણે અસાયબાપીર લંબેપીર તરીકે પણ ઓળખાય છે. તેને કયાંથી અાવ્યા ω, કોન હતા ωતેના ચમત્કાર વગેરેને લઇને અનેક લોકવાયકા ચાલી રહી છે. /- તસ્વીર : મેહુલ ચોટલીયા

No comments: