Sunday, May 31, 2015

સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી

સારી ગુણવત્તાની કેરી હોય ખરીદી ઓછી
  • DivyaBhaskar News Network
  • May 26, 2015, 07:40 AM IST
જૂનાગઢમાંગત વર્ષ કરતા વર્ષે માવઠાની અસરના લીધે કેરીનો પાક મોડો થયો હોવાને કારણે સારી ગુણવત્તાની કેરી બજારમાં આવી નથી એટલે ખરીદી ઓછી થઇ રહી છે, તેમજ પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી હોવાને લીધે હાઇવેની સાઇડે બેસી કેરી વેચતા વેપારીઓ પર પણ અસર પડી છે. જૂનાગઢમાં ગત વર્ષ કરતા વર્ષે માવઠાની અસર નડી હોવાને લીધે કેરીનો પાક મોડો પડ્યો છે તેમજ સારી ગુણવત્તાની કેરી માર્કેટમાં હોઇ બજારમાં તેની ખરીદી પણ ઓછી દેખાય છે.

તાલાલા પંથકની કેરી માર્કેટમાં વધુ વેચાતી હોય છે પણ તેને માવઠાની અસર નડતા પાક મોડો થયો અને બોક્સના ભાવોમાં વધારો થયો વેપારીઓ બોક્સના રૂ.250, 300, 350 અને 400 સુધીના ભાવોમાં કેરી પ્રમાણે વેચે છે, તેમજ કિલોનો ભાવ 60-80 આસપાસ જોવા મળે છે જે ગત વર્ષે 30-50 સુધી હતો.

ઉપરાંત વર્ષની સિઝનમાં ભાવવધારો, પાકની નુકસાની, મોડો પાક, શહેરમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી વગેરે કારણો વેપારીઓ કહે છે કે, સિઝન નજીક આવતા બજાર ખૂલી છે તેમજ વંથલી અને ધાવાગીરની કેરી પર પણ મોટી આશા છે.

કમનસીબી

વર્ષે ગત વખત કરતા કેરીના ભાવ વધુ છે

^ વર્ષે કેરી ગયા વર્ષ કરતા મોંઘી છે. પાકમાં કેરીના બોક્સ સારા ભાવે વેચાઇ છે પણ માર્કેટમાં બોક્સ એટલા નથી ચાલતા કયારેક માલનો જથ્થો બગડી પણ જાય છે. > મુનાફભાઇપટેલ, વેપારી

^ માવઠાની અસરના લીધે પાકની નુકસાની થઇ છે અને થોડી મોંઘી હોવાથી લોકોમાં ખરીદારી પણ ઓછી છે. કેરીના ભાવમાં થોડો ભાવવધારો છે તો પાકની નુકસાની તેનું કારણ છે.> આસીફભાઇનારેજા, વેપારી

^ ટુરીઝમ ઘણું ઓછું છે, વેપાર પણ નથી, યાર્ડમાં કેરીના બોક્સના ભાવ સારા આવે છે પણ ઘરાકી દેખાતી નથી. હવે વંથલીની કેરી પર આશા રાખીએ છીએ જે હવે આવવાની શરૂઆત થશે.> શોકતભાઇશેખ, વેપારી

No comments: