Wednesday, August 10, 2011

મારણ કરતા સિંહને પથ્થર મારતા યુવાનોનો વન સંરક્ષક પર હુમલો..

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:45 AM [IST](09/08/2011)
- ખાંભાના ત્રણ યુવાનો સામે પોલીસ ફરિયાદ
ખાંભાની રાણીંગપરાની સીમમાં ગઇસાંજે સાવજ દ્વારા એક મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે લોકોની ભીડ ત્યાં એકઠી થઇ ગઇ હોય અને ખાંભાના ત્રણ યુવાનો સાવજોને પથ્થર મારી પરેશાન કરતા હોય તેમને ટપારનાર વન સંરક્ષક પર ત્રણેય યુવાનોએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી.
આ અંગે ખાંભામાં રહેતા અને વન સંરક્ષક તરીકે નોકરી કરતા રાજેશ કનૈયાલાલ જાનીએ ખાંભાના હિતેશ શેલડીયા અને તેના બે અજાણ્યા મિત્રો સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગઇસાંજે રાણીંગપરા ગામ નજીક સિંહો દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. હિતેશ શેલડીયા અને તેના મિત્રો સિંહને પથ્થરના ઘા મારી પરેશાન કરતા હોય ત્યાં પહોંચેલા રાજેશ જાનિએ ત્રણેયને તેમ કરવા ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા ત્રણેય લોકોએ તેને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે આ બારામાં ત્રણેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સાવરકુંડલા તાલુકાના જેઝાદ ગામની મંજુલાબેન બોઘાભાઇ દેવીપૂજક નામની મહિલાને શેરીમાં બકરીઓ બાંધવાના મુદે બોલાચાલી કરી રાજા કાળા ભરવાડ અને બેચર દેવા ભરવાડ નામના શખ્સોએ માથામાં કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડતા તેમણે આ અંગે વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

No comments: