Wednesday, August 10, 2011

ઉના નજીક સીમમાં ખેતરમાં તારના કરંટે વન્ય પ્રાણીનો ભોગ લીધો.

 Source: Bhaskar News, Una   |   Last Updated 12:53 AM [IST](05/08/2011)
- પાકનાં રક્ષણ માટે ખેતર ફરતે જીવંત વાયરથી સર્જાતી ઘટના : ઝરખ, શિયાળ અને ભુંડનાં ઘટનાસ્થળે જ રામશરણ
ઊનાથી ર૦ કી.મી. દૂર આવેલ જાફરાબાદ તાલુકાનાં ટિંબી ગામની સિમમાં આવેલ એક ખેડૂતે પોતાના પાકનાં રક્ષણ માટે ખેતરની ફરતે ખુલ્લાતાર મુકી અને આ તારમાં ઇલેકટ્રીક શોક રાખેલો હોય ગત રાત્રીના અહીં ઝરખ તેમજ શિયાળ અને એક ભુંડ આ તાર ઓળંગવા જતા ઇલેકટ્રીક શોક લાગવાથી આ ત્રણેયનાં મોત નિપજતા વન્યપ્રાણી પ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.
આ ઘટના બનતા વનખાતુ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ટિંબી શાણાવાકીયા રોડ પર ઇશ્વરભાઇ રણછોડભાઇ ભાલાળાની વાડી આવેલ હોય અને પોતાના ખેતરમાં વાવણી કરેલ હોય અને વાવણીને કોઇ જનાવર કે વન્યપ્રાણી નુકશાન ન કરે તે માટે ઇશ્વરભાઇએ પોતાના ખેતરમાં ફરતે લોખંડના ખુલ્લા તાર મુકી અને તારમાં ઇલેકટ્રીક પ્રવાહ પસાર કરી ઇલે. શોક મુકેલ હોય અને રાત્રીના સમયે એક શિયાળ એક ઝરખ તથા એક ભુંડ વાડીમાં પ્રવેશ કરવા જતા આ લોખંડનાં વાયરને અડી જતા જોરદાર ઇલેકટ્રીક શોક લાગતા બે વન્યપ્રાણી તથા એક ભુંડનું સ્થળ પર જ મોત નિપજેલ હતુ અને આ બનાવની જાણ રાજુલા જાફરાબાદ વિસ્તારનાં આર.એફ.ઓ. મોરાભાઇને થતાં તુરત જ વનખાતાનો સ્ટાફ તથા વેટરનિટી ડોક્ટર મકવાણાને લઇ ઘટના સ્થળે પહોચી જઇ પી.એમ.વન્ય પ્રાણીઓનું પી.એમ.કરેલ હતુ અને ત્યારબાદ ઇશ્વરભાઇના ખેતરેથી ખુલ્લા વાયરોનો કબ્જો લઇ જરૂરી કેઇસ પેપરો કરી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાડી માલીક ઇશ્વરભાઇની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું આર.એફ.ઓ.એ. ટેલીફોનીક વાતમાં જણાવેલ હતું.
ઉલ્લેખનીય એ છે કે, થોડા સમય પહેલા ઊના પંથકના ઉમેજ ગામમાંખેતર ફરતે રાખેલી ફેન્શીંગમાં ગોઠવેલા વીજ કરંટથી ત્રણ ગાયોના મોત થયા હતા. ત્યારે નજીકના ટિંબીમાં આવી ઘટનાનું પૂનરાવર્તન થતા વન વિભાગ દ્વારા કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ વન્યપ્રેમીઓમાં ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-forest-animal-dies-accidently-in-timbis-farm-2326424.html

No comments: