Wednesday, August 10, 2011

જ્યારે પૂરના ધસમસતા પાણીમાં આખો સિંહ પરિવાર ફસાઇ ગયો.


 
Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:51 AM [IST](27/07/2011)
અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવવા પામ્યા હતા. આવા એક પુરમાં એક સિંહ પરિવાર
ફસાઇ જવાની ઘટના બહાર આવવા પામી છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તારમાં છેલ્લા ૩૬ કલાક દરમ્યાન સાતથી આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતા આ વિસ્તારની તમામ નદીઓમાં ભારે ઘોડાપૂર આવ્યા હતા. તેમાં ગાંગડિયા નદીના ખારાપાટ વિસ્તારમાં પાણી ફરી વળતા આ વિસ્તારમાં વસવાટ કરતો એક સિંહ પરિવાર બાવળના જંગલ તરફ પરત ન જઇ શકતા તે આ પાણીમાં ફસાઇ જવા પામ્યો હતો.
સિંહના આ પરિવારમાં બે નર, એક સિંહ તથા ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે. પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ પાણીની વચ્ચે આવેલા એક ટીલા પર ચઢી ગયા હતા. જ્યાં તેઓ હાલ સુરક્ષિત છે. જોકે, રાતભર ગ્રામજનોને આ પરિવારના ઘુરકવાના અવાજો સતત સાંભળવા મળ્યા હતા.

No comments: