Wednesday, August 10, 2011

અમરેલી નજીક સાવજોએ ચાર પશુઓને ફાડી ખાધા.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:38 AM [IST](30/07/2011)
- બે ગાય, એક બળદ અને એક પાડી સાવજનો કોળીયો
એક બાજુ ચોમાસાનો માહોલ છે ત્યારે જંગલના સાવજોને પણ મારણ મેળવવામાં મુશ્કેલી પડીરહી છે. જેને પગલે સાવજો હવે મારણ માટે ગ્રામ્ય વિસ્તારમાં માલધારીઓના માલઢોર પર નિર્ભર થઇ રહ્યા છે. સાવજોએ ગઢીયા, જીરા અને મીંઢા નેસમાં મળી ચાર પશુઓનું મારણ કર્યું હતુ.
ધારી તાલુકાના ગઢીયા ગામના ઇશુભાઇ વાળાના એક બળદ અને એક ગાયનું ગઇસાંજે એક સાવજ દ્વારા મારણ કરવામાં આવ્યુ હતુ. ગાય અને બળદ પાળતના રસ્તે ચરતા હતા ત્યારે આવી ચડેલા સાવજે બન્ને ના રામ રમાડી દીધા હતા. બનાવ અંગે જંગલખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ અહિં દોડી આવ્યા હતા.
અન્ય એક ઘટનામાં ધારી તાલુકાના જીરા ગામે મેરામભાઇ નામના માલધારીની એક ગાભણી ગાયને પણ ગઇસાંજે એક સાવજે ફાડી ખાધી હતી. જ્યારે જસાધાર રેન્જમાં આવેલા મીંઢાનેસમાં રહેતા ભુપતભાઇ નામના માલધારીની એક પાડીનું મારણ પણ સાવજ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. વનતંત્ર દ્વારા ત્રણેય કિસ્સામાં કાગળ પરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સાવોજો મારણની શોધમાં ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. જેથી માલધારીના માલઢોરના મારણની ઘટના વધી રહી છે.

No comments: