Wednesday, August 10, 2011

તાલાલા નજીક વાછરડીનું મારણ કરતા ડાલામથ્થાઓ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 5:16 AM [IST](04/08/2011)
- બે સિંહો ગામ સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ફફડાટ
જંગલ બોર્ડર નજીકનાં ગામડાઓમાં વન્યપ્રાણીઓનાં આંટાફેરા વધવા લાગ્યા છે ત્યારે તાલાલાનાં બામણાસા ગીર ગામે બે સિંહોએ શિવ મંદિર પાસે વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો હતો.
તાલાલા તાલુકાનું બામણાસા ગીર ગામ જંગલ બોર્ડર નજીકનું હોય અવાર નવાર હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. અને માલીકીના અથવા રેઢીયાળ પશુઓનો શિકાર કરતા હોય છે. ત્યારે ગત રાત્રીનાં બે ડાલામાથ્થા ગામમાં ચડી આવ્યા હતા અને શિવ મંદિરની પાસે ફરતી રેઢીયાળ વાછરડી ઉપર હુમલો કરી મારણ કર્યું હતું. બે સિંહો ગામમાં ચડી આવતા ગ્રામજનોમાં પણ ભય ફેલાયો હતો.રેઢીયાળ પશુનો શિકાર થતા માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે -
જંગલ વિસ્તારની આજુ બાજુનાં ગામડાઓમાં રેઢીયાળ પશુઓનો શિકાર સિંહ-દીપડા કરતા હોય છે. ત્યારે વન વિભાગ પાસેથી વળતર મેળવવા માટે રેઢીયાળ પશુઓના માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે છે અને સ્થાનિક ગામનાં હોદેદારો નકલી કાગળ બનાવી રૂપિયા મંજૂર કરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

No comments: