Friday, September 30, 2011

વંથલી નજીક અચાનક મગર ઘરમા ઘુસી જતા નાસભાગ.



Source: Bhaskar News, Vanthali   |   Last Updated 2:48 AM [IST](27/09/2011)
- વનવિભાગે પકડી વિલિંગ્ડન ડેમમાં છોડી મૂકી
વંથલીના બાલોટમાં આજે પરોઢીયાનાં સુમારે એક ઘરમાં મગર ઘુસી ગઇ હતી. વનવિભાગે આ મગરને એક કલાકની જહેમત બાદ કોથળામાં પુરી વિલીંગ્ડન ડેમમાં છોડી મુકી હતી.
બાલોદ ગામે રહેતા રાણાભાઇ કુંભાભાઇ હુણનાં મકાનમાં આજે પરોઢીયાનાં સુમારે એક મગર ઘુસી ગઇ હતી. ઘરની અંદર જોરદાર ખખડાટનાં અવાજથી રબારી પરિવારનાં સભ્યો ભર ઉંઘમાંથી જાગી ગયા હતાં અને ઘરમાં મગરને મહેમાન બનેલી જોતા ગભરાઇ ગયા હતાં.
જોકે, હિંમત એકઠી કરી ઘરની બહાર નીકળી દરવાજો બંધ કરી દઇ સરમણભાઇ હુણે તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં અધિકારી એસ.આર. જાવીયા તેમની ટીમ સાથે ત્યાં દોડી ગયા હતાં અને એક કલાકની જહેમત બાદ મગરને કોથળામાં પુરી વિલીંગ્ડન ડેમમાં છોડી મુકવામાં આવી હતી. રાત્રિનાં સમયે એક રિક્ષાવાળાએ પણ રોડ પર આ મગરને જોઇ હતી. આ મગરની ઉંમર આશરે ચારથી પાંચ વર્ષ, પાંચ ફૂટની લંબાઇ અને નર જાતિની અને નજીકની ઉબેણ નદીમાંથી આવી ચડી હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.
મગરની પૂંછડીના ભીંગડામાં કોઇ વધઘટ થતી નથી -
મગરની પૂંછડીનાં ભીંગડાની સંખ્યા ૧૮ થી ૨૧ હોય છે. તે પાંચ ફૂટ કે તેથી વધારેની હોય પણ તેની પૂંછડીનાં ભીંગડામાં કોઇ વધઘટ થતી નથી તેવી વનવિભાગે રસપ્રદ જાણકારી આપી હતી.

No comments: