Friday, September 30, 2011

રામપરા (ગીર) માં સાવજોએ બે ગાયનું મારણ કર્યું.


 
Source: Bhaskar News, Talala   |   Last Updated 12:24 AM [IST](24/09/2011)
તાલાલાનાં રામપરા (ગીર) નાં જંગલમાંથી પાંચ સિંહોએ ગામમાં ધામા નાખી રામજી મંદિર પાસે અને બજારમાં એક-એક ગાયનો શિકાર કરી રાતભર મારણની મિજબાની માણી હતી.
રાત્રિનાં ટોળું ઘુસી આવ્યાનાં સમાચાર સવારનાં વાયુવેગે ગામમાં ફેલાતા લોકો ભયભીત થઇ ગયા હતાં. અવાર-નવાર ગીર બોર્ડરનાં ગામોમાં આવી ચઢતાં હિંસક વન્ય પ્રાણીઓને રોકવા વન વિભાગ ઘટતી કાર્યવાહી કરે તેમ લોકોમાંથી માંગણી ઉઠી છે.

No comments: