Friday, September 30, 2011

કાલસારીમાં દીપડાનો આતંક.

Source: Bhaskar News, Visavadar   |   Last Updated 3:42 AM [IST](30/09/2011)
વિસાવદરનાં કાલસારી ગામે બેદિવસથી દીપડાએ પડાવ નાંખી પાંચ પશુઓનાં મારણ કરતાં ગામમાં ગભરાટનો માહોલ છવાયો છે.
કાલસારીમાં બુધવારનાં રાત્રિનાં સમયે દીપડાએ ગામની અંદર ઘુસી આવી રાજુભાઇ ગીરધરભાઇ ભુવાની બે વર્ષની વાછરડીનો શિકાર કરી ઢસડીને લઇ જઇ રહ્યો હતો ત્યારે વઘાસીયાપરામાં રહેતાં મગનભાઇ મોહનભાઇ માળવીયા મધ્યરાત્રિનાં લઘુશંકા કરવા ઉઠ્યા હતા ત્યારે શેરીમાં આ દ્રશ્ય નિહાળી હોહા દેકારો કરી મુક્તા દીપડો વાછરડીને ત્યાંજ મૂકી થોડે દૂર જઇ બેસી ગયો હતો. અને પરોઢીયે લોકોની અવર- જવર શરૂ થતાં દીપડો નાસી ગયો હતો.
આજ રાત્રિનાં સમયે ગ્રા.પં.ની કચેરી નજીક રહેતા સાતુભાઇ મેરામભાઇ ભરવાડ અને બટુકભાઇ અમરાભાઇ ભરવાડના મકાનમાં ઘુસી એક-એક બકરીને પણ મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે નાથાભાઇ ખોડાભાઇ ભરવાડનાં મકાનમાંથી પણ બે વાછરડીનો શિકાર કર્યો હતો. દીપડાનાં આતંકમાંથી છુટકારો અપાવવા તા.પં.નાં સદસ્ય વાલજીભાઇ અમીપરા સહિતે રજુઆત કરી છે.

No comments: