Friday, September 30, 2011

ગીર બોર્ડર નજીક વિમાન તૂટ્યાની અફવાથી દોડધામ.

Source: Bhaskar News, Una   |   Last Updated 9:33 AM [IST](22/09/2011)
- પોલીસ અને વન વિભાગના કર્મીઓને ગામડાં અને જંગલ ખુંદાવ્યા
ઊના પંથકના ગીર બોર્ડર નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી આજે સવારના ૯ વાગ્યાની આસપાસ એરફોર્સના બે વિમાનો જમીનથી થોડી નીચે થોડી ઉંચાઇ પર આવી ગયાની ઘટનાએ ગ્રામ્ય પંથકના લોકો માટે કૂતુહુલ સર્જ્યું પરંતુ ત્યાર બાદ આ વિમાન ગ્રામ્ય પંથકમાં લેન્ડીંગ કર્યાની અને તૂટી પડ્યાની વાતે પોલીસ અને વન વિભાગના કર્મીઓને ભારે કવાયત કરાવી હતી. જ્યારે પોલીસે ગામડા અને વન વિભાગે જંગલ ખૂંદતા વિમાન શોધયુ ન જળતા આ વાત હાલના તબક્કે તો અફવા સાબીત થઇ હતી.
અમરેલી તરફથી આવેલ એરફોર્સનું વિમાન આજે સવારના સમયે ઊનાના મોટા સમઢીયાળા ગામની વાડીમાં તૂટી પડ્યાની વાત બહાર આવતા આ અંગે ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, આ અંગે ગામના સરપંચને જાણ કરાતા તેમણે વિમાન ગામમાથી પસાર થવાની વાતને સમર્થન આપ્યુ હતુ પરંતુ તૂટી પડયુ કે ઉતયું હોવાની વાતને નકારી હતી. ત્યારબાદ ધીમે ધીમે આ વિમાન નાનીમૌલી, કાકડીમૌલી, ઊટવાળા, રામેશ્વર, ધોકળવા, ટિંબી, મહોબતપરા, કોદીયા, દ્રોળ, ઘોળાવળી સહિત ગામોના છેવાડે અને ગીરનાર જંગલમાં લેન્ડીંગ થઇ હોવાની વાત વહેતી થતાં પોલીસ તથા વનતંત્ર ધંધે લાગીગયું હતું.
જમીનથી માત્ર થોડી ઊંચાઇ હોવાનું ગ્રામજનોનું કથન -
ગ્રામ્ય પંથકમાંથી પસાર થયેલુ આ વિમાન જમીનથી માત્ર થોડી ઉંચાઇ સુધી હોય તેમજ વિમાન પસાર થવા સમયે બીકના માર્યા ગ્રામજનો જમીન ઉપર સૂઇગયાનુ વાતો પણ આ સમયે રજૂ કરી હતી.
સવારથી સાંજ સુધી ગ્રામજનોને  એકપળ નવરાશ ન મળી -
સવારથી આ વિમાન લેન્ડીંગ થયુ કે તૂટયુની અફવાએ ઊના પંથકના રપ થી વધુ ગ્રામ્ય પંથકના આગેવાનોને એકપળ પણ નવરાશ આપી ન હતી. આ અગ્રણીઓ ઉપર ફોનનો મારો ચાલુ રહ્યો હતો જ્યારે અખબારી કાર્યાલયમાં પણ વિમાન ક્યાં તૂટયુ કોઇ ઇર્જા ગ્રસ્ત સહિતની પૂછપરછના ફોન ચાલુ રહ્યા હતા.

No comments: