Thursday, March 22, 2012

વિધાર્થિનીઓએ ગિરનારના પગથિયા ઉપરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કર્યો.


જૂનાગઢ, તા.૧૩:
જંગલોમાં વધતા પ્લાસ્ટીકના ઉપયોગથી જંગલો નાશ થવાને આરે પહોંચ્યા છે. પ્લાસ્ટીકથી જંગલની વનસ્પતિને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જૂનાગઢ ઘોડાસરા કોલેજની બહેનોએ ગિરનારના પગથિયા પર પ્લાસ્ટીકનો કચરો વીણી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
  • પ્રકૃતિનું માર્ગદર્શન મેળવી કર્યો એક દિવસનો શ્રમયજ્ઞા
પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજમાં પ્રવૃત એન.એસ.એસ. અને ર્સ્વિણમ ગુજરાત સમુદાય સેવા ધારાની ૭૦ સ્વયંસેવિકાઓએ તા.૧૧ના રોજ ગિરનારના ૧પ૦૦ થી ર૦૦૦ પગથિયા પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી એક દિવસીય શ્રમયજ્ઞા કર્યો હતો. આ ઉપરાંત તળેટીમાં વન વૃક્ષોનું જતન, પર્યાવરણ જતન, નશાબંધી જાગૃતિ, બેટી બચાવો, પાણીનો બગાડ અટકાવો, સ્ત્રી શિક્ષણનો વ્યાપ, ગંદકી ભગાવો, તંદુરસ્તી સુધારો, સ્વચ્છતા જાણવણી વગેરે અંગે જાગૃતિ ફેલાવવા રેલી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ રવિવારના દિવસે અહીં વધુ પ્રમાણમાં આવતા યાત્રિકોમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પહોંચાડવાના ઉદેશ્યથી ખાસ આ શ્રમયજ્ઞા રવિવારના રોજ રાખવામાં આવ્યો હતો.આ તકે આર.એફ.ઓ. કનેરીયા અને દિનદયાળ ઉપાધ્યાયએ પર્વતારોહણ તાલિમ સંસ્થા દ્વારા બહેનોને વન્યજીવન જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે એન.એસ.એસ. પ્રો.ઓ. ભાવનાબેન ત્રિવેદી, સેવાધારા ઈન્ચાર્જ રેખાબેન ગુંજારીયા અને જાગૃતિબેન જાદવ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ સંસ્થાના પ્રમુખ મોહનભાઈ પટેલ અને પ્રિ. એમ.બી. ભાલોડીયાએ વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.

No comments: