Thursday, March 22, 2012

વિસાવદરના ખાંભામાંથી દીપડાનો મૃતદેહ મળ્યો.


રતાંગ/વિસાવદર,તા.૪
વિસાવદર તાલુકાના ખાંભા ગામની સીમમાંથી આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળની વાડી નજીક આવેલ રેવન્યુ વિસ્તારના વોંકળામાંથી એક નર દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. આ દીપડાનું મોત બીમારીના કારણે થયાનું પ્રાથમિક અનુમાન છે.
આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળ નામના ખેડૂતે પોતાની વાડી નજીક આવેલ એક વોંકળામાં વાસ આવવાને કારણે સ્થળ તપાસ કરતા એક દીપડાના બચ્ચાનો મૂતદેહ હોવાથી તેણે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરી જૂનાગઢ સ્થિત સકકરબાગ ખાતે વેટરનરી ડોકટરને જાણ કરી બોલાવી સ્થળ પર જ દીપડાના બચ્ચાને અગ્નિદાહ આપ્યો હતો. વેટરનરી ડોકટરના જણાવ્યા મુજબ આ દીપડાની ઉમર એક વર્ષની આસપાસ હોવાની અને નર હોવાનું જાણવા મળે છે.દીપડાના બચ્ચાનું કોઈ બીમારી સબબ મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40394

No comments: