Thursday, March 22, 2012

બેંક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મીની જાહેરમાં ધોલાઈ.


તાલાલા ગીર તા. ૩ :
તાલાલા તાલુકાના સાસણ ગીર ગામની એસબીઆઈ શાખાના મેનેજર આર.એમ. મીના ઉપર પેટ્રોલ છાંટી મેનેજર અને બેન્કને આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરનાર માથાભારે વનકર્મી અરજણ અરશી સોલંકીને તાલાલા પોલીસે પકડડ પાડી જાહેરમાં ધોલાઈ કરી નાંખતા લોકો એકત્ર થઈ ગયા હતા.
  • આરોપીનાં રિમાન્ડ માગવા પોલીસની તજવીજ
બનાવની વધુ વિગત મુજબ આંકોલવાડી ગીર એસબીઆઈ બેન્કમાંથી આ વનકર્મીએ પોતાની જમીન પર સાડા ત્રણ લાખની લોન લીધી હતી. જે ભરપાઈ ન કરતા તેનું ખાતુ એન.પી. થયું હતુ. આથી, બેન્ક મેનેજરે ફરજની રૂઈએ ઉચ્ચકક્ષાએ જાણ કરી હતી અને એના પગારમાંથી કાપવાની નોબત આવી પડી હતી. આથી, તે પગાર ઉપાડી શકતો ન હતો. અરજણ એનો પગાર ઉપાડવાના હેતુથી સાસણ આવ્યો હતો અને બેન્ક મેનેજર સાથે ઝઘડો કરી સાથે લાવેલી પેટ્રોલની બોટલ છાંટી દઈ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે કાંડી ચાંપવા જતાં જ બેન્કના અન્ય ગ્રાહકોએ એને દીવાસળી સાથે પકડી લીધો હતો. એ પછી ય એ અટકયો ન હત અને બેન્ક મેનેજરને માર મારવા લાગ્યો હતો. બેન્કમાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ બાદ વનકર્મી સામે મેનેજરે વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી. આ વનકર્મીને આજે પોલીસે પકડી પાડી સાસણ ગીરમાં લાવી જાહેરમાં પીએસઆઈ જનકસિંહ વાઘેલાએ ધોલાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વનકર્મી આહેર શખ્સ અનેક સાથે માથાકુટ કરી ચૂકયો છે. અને પોલીસ પણ એનાથી ફફડતી રહે છે. પણ પીએસઆઈ વાઘેલાએ ધોકાવી નાંખતા એના સીન વિખાઈ ગયા હતા. આવતી કાલે વધુ તપાસ માટે અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
મેટર સાથે બોકસ વનકર્મી સામે અનેક ગુનાઓ નોંધાયા છે
તાલાલા તા. ૩
સાસણ બેન્ક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મી અને માથાભારે આહીર શખ્સ અરજણની આ વિસ્તારમાં લુખાગીરીએ માજા મૂકી છે. એ પોલીસ ચોપડે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અરજણના ત્રાસથી નિવૃત ફોરેસ્ટર અજીતસિંહ ચુડાસમાએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં અરજણની ધરપકડ થઈ હતી. આ કેસ વેરાવળની કોર્ટમાં ચાલે છે. આ ઉપરાંત પાણીકોઠાના તલાટી મંત્રી નુરમામદ ઉરિયા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં એની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોધાઈ છે. અરજણે ગત તા. ૩૧મીએ આકોલવાડી બેન્કમાં ગ્રાહકો સાથે ઝઘડો કર્યો હતો. એ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે. તેણે અનેક વાર વનવિભાગના ઉચ્ચ અધિકારી સાથે ઝઘડો કર્યો છે. અને એક ફોરેસ્ટર પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેની ખાતાકીય તપાસ ચાલે છે.
વનકર્મી સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો ધરાવે છે
તાલાલા ગીર : વનકર્મી અરજણ સ્વબચાવ માટે હથિયાર રાખવાનો પરવાનો ધરાવે છે. પાણીકોઠાના તલાટી સાથે ઝઘડો કર્યા બાદ હથિયાર જમા કરાવવાની નોબત આવી પડતા એ પરવાનાવાળી બંદૂક જમા કરાવવા ગયેલો ત્યારે પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40257

No comments: