Wednesday, September 30, 2015

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે

વેકેશન પૂર્ણ : 16 ઓકટોબરથી ગીર જંગલનાં દ્વાર પ્રવાસી માટે ખુલશે
  • DivyaBhaskar News Network
  • Sep 30, 2015, 05:20 AM IST
ચોમાસાદરમિયાન ગીર જંગલનો રસ્તા ખરાબ હોવાથી તેમજ સિંહનો સંવનનકાળ ચાલતો હોવાથી દર વર્ષની16જુનથી1400ચોરસ કિમીમાં ફેલાયેલ ગીર અભ્યારણને 4માસ સુધી અભ્યારણમાં પ્રવાસીઓ માટે બંધ કરવામા આવ્યુ હતુ જે 16 ઓકટોબરથી ફરી શરૂ કરાશે

ગીર જંગલમાં સિંહ દર્શન માટે તલપાપડ થતા પ્રવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે. 4માસના વેકેશન માણ્યા બાદ ડાલામથ્થા હવેની ડણક સાંભળવા પ્રવાસીએ વધુ રાહ નહી જોવી પડે અાગામી 16 ઓકટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ફરીથી ચાલુ થશે 16જૂનથી 16ઓક્ટોબર 4માસ દરમિયાન ચોમાસાની સીઝનમાં ગીરના કાચા રસ્તા પર વાહનો ચાલી શકતા નથી તેમજ ચાર માસ દરમિયાનજ સિહોનો સંવનનકાળ ચાલતો હોય છે અને સમયગાળામાં સિંહો વધુ આક્રમક બની જતા હોય છે અને પ્રવાસી પર હુમલા કરવાની શક્યતા વધી જાય છે તેથી વન્યપ્રાણી (સંરક્ષણ)અધિનિયમ 1972 હેઠળ પ્રવેશબંધી લાદી દેવાય છે જેથી પ્રવાસીઓને સિંહ દર્શન માટે ચાર માસ રાહ જોવી પડે છે.આ અતુરતા હવે આગામી 16તારીખથી અંત આવી જશે. ફરીથી ગીરના જંગલમાં પ્રવાસીનો દોર શરૂ થઇ જશે.

No comments: