Wednesday, May 31, 2017

માણેકવાડા: નિવૃત આચાર્યએ કોઠાસૂઝથી કરી કાજુની ખેતી, એક ઝાડે 20 કિલો ઉત્પાદન

Bhaskar News, Manekwada | May 25, 2017, 00:35 AM IST
માણેકવાડા: નિવૃત આચાર્યએ કોઠાસૂઝથી કરી કાજુની ખેતી, એક ઝાડે 20 કિલો ઉત્પાદન,  amreli news in gujarati
  • કોઠસૂઝથી ખેડૂતે કાજુની ખેતી કરી
માણેકવાડા:કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે રહેતા નિવૃત આચાર્ય કૃષિ ક્ષેત્રે અવનવા સંશોધનો કરી રહયાં છે. તેઓ હાલ કાજુની ખેતી કરી સારૂં એવું ઉત્પાદન મેળવી રહયાં છે. માણેકવાડા ગામે રહેતા નિવૃત આચાર્ય રામભાઇ દેવાયતભાઇ ડાંગર પોતાની આગવી કોઠાસૂઝથી  ખેતી કરી રહયાં છે અને બાગાયતી ખેતીમાં આગળ વધી રહયાં છે.
 
તેમનાં પુત્ર હિતેષનાં જણાવ્યા અનુસાર તેમણે પોતાના ખેતરમાં કાજુની ખેતી કરી છે અને હાલ 12 જેટલા કાજુનાં ઝાડ અને એક ઝાડ દીઠ 20 કિલો કાજુ ઉત્પાદન  થઇ રહયું છે જે અમદાવાદ અને રાજકોટ મોકલવામાં  આવી રહયાં છે અને નિવૃત શિક્ષકની આ બાગાયતી ખેતી અંગે માર્ગદર્શન મેળવવા માટે ગામ લોકો પણ જઇ રહયાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તેમનાં ખેતરમાં 1 કિલોનું જામફળ, અંજીર, લાલ સીતાફળનાં ઝાડ પણ જોવા મળી રહયાં છે.

No comments: