Wednesday, May 31, 2017

ખાંભાનાં રાયડીમાં સાવજે બે પશુઓનું મારણ કર્યું

DivyaBhaskar News Network | May 17, 2017, 02:10 AM IST
અવારનવાર સાવજો છેક ગામ સુધી આવી જતા હોઇ ખેડૂતોમાં ફફડાટ

ખાંભાતાલુકામાં સિંહો અવાર નવાર ગામમાં આવી જાય છે. અને પશુઓનું મારણ કરી જાય છે. તાજેતરમાં ખાંભા તાલુકાનાં રાયડી ગામની મેઇન બજારમાં બે વાછરડીનું મારણ કરતાં સિંહના તરખાટથી ગ્રામજનો ભયભીત થઇ ચુક્યા હતા.

ખાંભા તાલુકાનાં રાયડી ગામે ગત રાત્રીના 1 કલાકનાં અરસામાં બે સિંહ ચડી આવતા મેઇન બજાર વિસ્તારમાં દાણા બજાર તરીકે ઓળખાતી શેરીમાં બે વાછરડીનું મારણ કર્યું હતું. જેમાં 1 વાછરડીને જગ્યા પર અને 1 વાછરડીને મારણ કરી શેરીમાં ખેંચી ગયો હતો. અહીં વિસ્તારમાં અવાર નવાર સિંહો આવી ચડે છે. જેના કારણે લોકો સતત ભયભીત થતાં રહે છે. અને રાત્રીના સમયે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે.

જાણવા મળતી વિગત અનુસાર રાયડી વિસ્તારમાં અવાર નવાર સિંહ આવ ચડે અને પશુઓનું તથા ઢોરનું મારણ કરતાં હોય છે. વન વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે અને ગ્રામજનોને ભયમુક્ત કરવામાં આવે તેની બુલંદ માંગ ઉઠી છે. રાયડી પંથક જંગલ વિસ્તારમાં હોય તંત્ર કોઇ ચોક્કસ ફરજ બજાવતું હોય નારાજગી છે. જે કાયમી ધોરણે સલામતીનાં ભાગરૂપે કામ થાય. વિસ્તારમાં પાંજરૂ મુકવા ગ્રામજનોએ માંગ કરી છે. 

No comments: