Wednesday, May 31, 2017

અમરેલીમાં પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીનાં કુંડા મૂકાયા

DivyaBhaskar News Network | May 10, 2017, 02:40 AM IST
આકરી ગરમીને લઇ પક્ષીઓ માટે કાર્ય

અત્યારેઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે સૌ કોઇને પાણીની જરૂરીયાત રહે છે. પશુ પક્ષીને પણ પાણીની જરૂરીયાત પડે છે. તેથી પક્ષી પ્રેમીઓ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મુકે છે. જેથી પક્ષીઓ પાણી પી શકે. અમરેલીમાં આવેલાં બાલભવનમાં પણ પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે.

ઉનાળો ચાલી રહ્યા છે ત્યારે બધી જગ્યાએ પીવાના પાણીની સમસ્યા રહે છે. ઠેર ઠેર પાણીના ટેન્કરો મંગાવા પડે છે. લોકોને પીવાનું પાણી નથી મળતું આવી કેટકેટલી સમસ્યા લોકોને પરેશાન કરતી રહે છે. ઉપરાંત પશુ પક્ષીઓને પાણીની સમસ્યા પડે છે. તેથી પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડાઓ મુકવામાં આવે છે. જેથી પશુ પક્ષીઓ પણ પાણી પી શકે. અને તેમને તકલીફ પડે.

અમરેલીમાં આવેલા ગીરધરભાઇ સંગ્રહાલય બાલભવન અમરેલીના ગ્રાઉન્ડમાં પક્ષી પ્રેમીઓ દ્વારા પાણીના કુંડાઓ મુકવામાં આવ્યા છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં કબૂતરો રહેતા હોય તેમને પાણીની સમસ્યા પડે તે માટે પાણીના કુંડાઓ મૂકવામાં આવ્યા છે.

No comments: